બને તો ચૂંટજો આ બાગનાં ફૂલ ચૂમી ચૂમીને, જગા આ એજ છે જ્યાં પાનખર પણ જાય ઝૂમીને! તું કહે તો હાથ કાંટાથીય વીંધાવી શકું, પણ પછી હું લાગણીનો છોડ નહીં વાવી શકું!
નવી પ્રસ્તુતિ
ન્યાયાધીશ : પુરાવામાં એવું આવે છે કે તમે એવું બોલેલા કે નેતાઓ ખાલી વાયદાઓ જ કરે છે. આરોપી : જી સાહેબ, પણ મેં પોલીસને એવું કહેલું કે હું આપણા દેશની વાત નથી કરતો. પણ પોલીસ કહે અમને બુદ્ધિ વિનાના સમજે છે? શું અમે નથી જાણતા કે તું કોની વાત કરે છે?
પુસ્તક દેખીતી રીતે પત્રકારોને, નવોદિત પત્રકારોને, પત્રકારત્વના વિદ્યાર્થીઓને, મીડિયા હાઉસને સંબોધીને લખાયું છે, છતાં આ તમામ જે માધ્યમ દ્વારા જે લોકો સુધી પહોંચે છે અર્થાત વાચકો, દર્શકો – તેમની લાગણીનો પડઘો પણ પુસ્તકમાં પાને-પાને પડતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી.
સાબરકાંઠા જીલ્લામાં આવેલા ઇડરીયો ગઢ અને તેનાથી આગળ વિજયનગર તાલુકાના આભાપુર ગામની પવિત્ર હિરણ્ય નદીના કાંઠાથી આઠ કિમી સુધીના વિસ્તારમાં ફેલાયેલા ગાઢ જંગલ અને પ્રાચીન મંદિરોના ખંડેરની ભૂમિ એટલે પોળોનું જંગલ છેલ્લા ઘણા સમયથી ખુબ ચર્ચિત બન્યું છે.
મત આપતી વખતે આજે પણ શું આપણી પાસે ધર્મ મુજબ, ભાષાના આધારે, જાતિના કાટલાં લઈને કે પ્રદેશના ભેદથી મત માંગવા આવતા લોકો નથી? શું દેશનો ઘણોખરો ભાગ આવા ભેદથી મુક્ત છે ખરો? શું મતદાન વખતે લોકો પોતાનો ટૂંકાગાળાનો લાભ ભૂલી રાષ્ટ્રીય હિતમાં નિર્ણય લઈ શકે છે ખરાં?
કોઈને સુધારવાની શક્તિ આ કાળમાં ખલાસ થઇ ગઈ છે. માટે સુધારવાની આશા છોડી દો, કારણ કે મન, વચન, કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે, મનમાં જેવું હોય, તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં.
લૉકડાઉનનું પહેલું ચરણ વિધિવત્ ૨૫મી માર્ચ, ૨૦૨૦થી આરંભાયું; પરંતુ, મારું લૉકડાઉન એ પહેલાં એક મહિનાથી શરૂ થઈ ગયું હતું - મારી કમર લૉક થઈ જવાને કારણે. એટલે લૉકડાઉનના અનુભવની દૃષ્ટિએ હું ઘણો સિનિયર છું.
આ ૨૦૨૦નું વર્ષ તો નખ્ખોદિયાનાંય નખ ખેંચી જાય એવું છે, હવે આ જાય તો સારું. ૨૦૨૦ની જવાની રાહ તો આખું વિશ્વ જોઈ રહ્યું છે. અરે, કોરોનાની રસી શોધવાનાં ચક્કરમાં તો અમેરિકા જેવી મહાસત્તાને પણ ચક્કર આવી ગયા. કોરોનાની લીધે મૃત્યુઆંક લાખોમાં પહોંચી ગયો છે અને આપણે બધા પોતાનાં જ ઘરમાં કેદ થઇ ગયા છે. બેકારને ય બેકાર કરી દે એવું વર્ષ.
એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. અમને કહે, ‘આજે માનું શ્રાદ્ધ છે, લાડુ માની પ્રિય વાનગી છે એટલે લાડુ લેવા આવ્યો છું.’ અમારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મિનિટ પહેલા તો અમે એમની માને શાકમાર્કેટમાં મળ્યા હતા.
શાંતિ, આનંદ, પ્રેમ આદિ તત્વોની આપણી શોધ વસ્તુત: સત્ ની શોધ છે. શક્તિ, જ્ઞાન અને સ્વતંત્રતાની શોધ વસ્તુત: ચિત્ ની શોધ છે. સૌંદર્ય આનંદ અને પ્રેમની શોધ વસ્તુત: આનંદની શોધ છે.
“શાંતિ - સ્ત્રીઓનુ પાગલખાનું” સામે એક એમ્બ્યુલન્સ આવીને ઊભી. ત્યાં તો સાવિત્રીબહેન અને બીજો સ્ટાફ દોડતા દોડતા આવી પહોચ્યાં. વાનમાંથી એક પાગલ સ્ત્રીને બહાર કાઢવામાં આવી અને સાવિત્રી બહેન તેને હેતપૂર્વક અંદર લઈ ગયા. પાગલખાનાનું નામ તો “શાંતિ....”હતું, પણ એમાં ક્યારેય શાંતિ જોવા ન મળે. આમેય પાગલખાનામાં તે શાંતિ કેવી! એટલે જ તો તે પાગલખાનું !
સ્ત્રી એટલે જીવતી જાગતી ધબકતી લાગણીઓનું મિશ્રણ, જે મૃદુ સંવેદનાઓને જન્મ આપતું હ્રદય ધરાવે છે. બાળપણમાં ઉછળતા ઝરણા જેવા જીવનને સ્વેચ્છાએ યુવાની સુધીમાં નદી જેવું ધીર ગંભીર સ્વરૂપ આપી દે છે. જેઆગળ જતા દરિયાની જેમ વિશાળતા ધારણ કરી સંસારનાં બધા સુખદુઃખ અંતરમાં દફનાવી દેતી હોય છે.આવી સ્ત્રી જ્યારે સઘળી ઈચ્છા, ઉમંગો, વેદનાને શબ્દોથી કંડારવા લાગે છે ત્યારે અદભુત રચનાઓ સમાજને મળી આવે છે. અમૃતા પ્રીતમ, જેમનો જન્મ ૧૯૧૯, ૩૧ ઓગસ્ટના રોજ ગુજરાવાલા પંજાબમાં થયો