newslide5 newslide4 newslide3 newslide2 newslide1

નવા લેખો ક્યારે ?

રીડગુજરાતી પર રોજ નવા બે લેખો ક્યારથી પ્રકાશિત કરવામાં આવશે એ માટે આ વાંચો : Click Here

ReadGujarati Donation

Click this Link and make your donation to ReadGujarati.com : Click Here

ReadGujarati Subscription

Click this Link and pay your Subscription to ReadGujarati :  Click Here.



આજના લેખો

માનુની, મોસમ અને મેનેજમેન્ટ – નિરંજન ત્રિવેદી

(પ્રકાર : હસો અને હસાવો)

[ ‘જનકલ્યાણ’માંથી સાભાર. ] અમેરિકન સમાજમાં એક ઉક્તિ બહુ પ્રસિદ્ધ છે – વર્ક, વુમન એન્ડ વેધર. એ ત્રણે અનપ્રિડિક્ટેબલ. એમના વિશે કોઈ આગાહી કરી શકાય નહીં. કશું કહી ન શકાય. મેં એનું સરળ ગુજરાતીકરણ કર્યું છે- માનુની, મોસમ અને મેનેજમેન્ટની કોઈ આગાહી કરી શકાય નહીં. મહિલાને માનુની પણ કહેવાય. માનુની ક્યારે ઝઘડશે ? મોસમ ક્યારે ....[વાંચો...]

ખેતલિયા પીરની માનતા – કથક : હાજરાબેન વીજળીવાળા (રજૂઆત: શરીફા વીજળીવાળા)

(પ્રકાર : ટૂંકી વાર્તા)

[ કેટલીક કથાઓ કર્ણોપકર્ણ સચવાતી હોય છે, જેનું આલેખન શરીફાબેને એ જ શબ્દોમાં કરીને ઘણું મોટું કામ કર્યું છે. આવી કથાઓ બોધ તો આપે જ છે સાથે સાથે એ ગ્રામ્ય દશ્યને આપણી સામે ખડું કરી આપે છે. તેમની આ પ્રસ્તુત વાર્તા ‘જનકલ્યાણ’ સામાયિક એપ્રિલ-2013માંથી સાભાર લેવામાં આવી છે. આપ તેમનો આ સરનામે skvijaliwala@yahoo.com સંપર્ક કરી ....[વાંચો...]



ચૂંટેલા લેખો

દુઃખની તૈયારી – ફાધર વાલેસ

(પ્રકાર : સાહિત્ય લેખ)

ઘણા વખતથી એનો પત્ર નહોતો. એના સમાચાર પણ નહોતા. થોડી નવાઈ હતી ને દુઃખ પણ હતું. જોકે હૃદય એ રીતે ટેવાઈ ગયું છે. ઘણા યુવાનો નજીક આવે, ઘણા વિદ્યાર્થીઓ વર્ગમાં બેસે, ઓળખાણ થાય, પ્રેમ થાય – પણ પછી એ આગળ નીકળી જાય, દૂર જાય, ભૂલી જાય ને ફરીથી મળતા નથી, લખતા નથી. દીકરો મોટો થાય, ....[વાંચો...]

વિક્રમભાઈ : સંસ્થાઓના ઘડવૈયા – ડૉ. કમલા ચૌધરી

(પ્રકાર : અન્ય લેખ)

[‘વિચારવલોણું’ સામાયિક (જાન્યુઆરી-2012) માંથી સાભાર.] ડૉ. વિક્રમ સારાભાઈ સંસ્થાઓના મહાન ઘડવૈયા અને સામાજિક પરિવર્તનના સાહસિક ઉદ્યોગપતિ હતા. વિક્રમભાઈના વ્યક્તિત્વના કેટલાક પાસાં, જે સંસ્થાઘડતર માટે મહત્વના હતા તે – બીજાઓ પર અપાર વિશ્વાસ અને કરુણા, વ્યક્તિ સાથેના સંબંધો જાળવવાની અદ્દભુત કળા, યુવા પેઢી માટેની સંભાળ અને લાગણી અને પ્રશ્નોને હલ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ માટેની પ્રતિબદ્ધતા. ....[વાંચો...]

કાગળિયામાં છે ? – અનિલ ચાવડા

(પ્રકાર : ગઝલ)

લાખ પ્રશ્ન ઝળઝળિયામાં છે, ‘લખાણ શું કાગળિયામાં છે ?’ સૂક્કી તુલસી લીલી થઈ ગઈ, કોણ આ આવ્યું ફળિયામાં છે ? વરસાદ વિના પણ ટપકે નેવાં, શાની ભીનપ નળિયામાં છે ? કેદ થઈ જો જરા સ્મરણમાં, ઘણી સુંવાળપ સળિયામાં છે. મારામાં ડૂબીને જુઓ, ઉપર છે એ તળિયામાં છે.