વિવેકતુલા સ્થિર રહે – મનસુખ સલ્લા

[સુપ્રસિદ્ધ કેળવણીકાર તેમજ લેખક શ્રી મનસુખભાઈની સુંદર કૃતિઓ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. કોઈ પણ વિષયના ઊંડાણમાં જઈને તેમાં ઉદ્દભવતા પ્રશ્નો અને તેના ઉકેલો વિશે વિસ્તારપૂર્વક અને પદ્ધતિસર સમજૂતી રજૂ કરવાની તેમની કુશળતા છે. સાહિત્યકાર અને કેળવણીકાર શ્રી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી સંસ્થા ‘લોકભારતી’ના તેમના શૈક્ષણિક અનુભવોની કથાઓ ‘અનુભવની એરણ પર’ નામે પ્રકાશિત થઈ છે. આજે માણીએ તેમાંથી એક પ્રકરણ સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે મનસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 98240 42453.]

Picture 031એક વાર હું વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો હતો. એમાં મેં તેમને પૂછ્યું, ‘તમને અણગમતા હોય તેવા નિર્ણય પણ મેં આપ્યા છે, છતાં તમને મારા પ્રત્યે અસંતોષ કેમ રહેતો નથી ? હું ઈચ્છું કે તમે સ્પષ્ટ કરો.’
ત્યારે એક વિદ્યાર્થીએ કહેલું, ‘તમારો નિર્ણય તો અણગમતો જ હોય છે. પરંતુ તમે સૌને સાંભળો છો, કોઈ તરફ પક્ષપાત કરતા નથી, કોઈને વધુ સાચવો ત્યારેય એ જાહેર હોય છે એટલે તમારો અણગમતો નિર્ણય પણ સ્વીકારીએ છીએ.’
‘વળી તમે અમને સાંભળતી વખતે અમે સાચા છીએ એમ માનીને સાંભળો છો. તેથી અમને ઘણો સંતોષ થાય છે.’
મેં સામે પૂછ્યું : ‘એ તમે કેવી રીતે પારખી શકો ? હું કે બીજા કોઈ તમારી વાત સાંભળતા હોઈએ તેમાં અમે તમને કઈ રીતે સાંભળીએ છીએ તેની તમને કઈ રીતે ખબર પડે ?’

બીજા વિદ્યાર્થીએ જવાબમાં કહ્યું : ‘અમે કાંઈ નાના કીકલા નથી. અમે બોલીએ નહિ, બાકી અમનેય બધી ખબર પડતી હોય છે. તમે અમને સાંભળતા હો ત્યારે તમારી આંખો, ચહેરો, હોઠના ખૂણા બધાથી અમને ખબર પડતી હોય છે કે તમે કેવી રીતે સાંભળો છો.’
ત્યાં બીજાએ તુરત ઉમેર્યું, ‘અરે, અમારી સાથે વાત કરતા અધ્યાપકોના અવાજ અને વાતના લહેકા ઉપરથી અમને ખબર પડી જતી હોય છે કે તે સાચું બોલે છે કે ફેંકે છે.’
ત્રીજાએ મમરો મૂક્યો : ‘હવે વાત નીકળી જ છે તો કહું કે તમારા એક મોટા હોદ્દાદાર વાત તો મોટા મોટા આદર્શની કરતા હોય છે, એમ લાગે કે હમણાં આભ હેઠું ઉતારશે, પણ એ બધી બનાવટ હોય છે એ અમારાથી છાનું રહેતું નથી.’
મેં કહ્યું : ‘આમાં તમારો પૂર્વગ્રહ હોય તેવું બની શકે. તમે પૂરું ન જોયું હોય કે માત્ર ઉપરઉપરથી જોયું હોય તેવું ન બની શકે ?’
‘બની શકે. આમાં તો અમે ઓળખતા હોઈએ છીએ.’ ચોથાએ સ્પષ્ટતાથી કહ્યું, ‘તેઓ જે રીતે પક્ષપાત કરે છે, તમારી મિટિંગોમાં એક બોલે અને અમારી સાથે બીજું બોલે, અમે જાણે એના ઉપયોગની વસ્તુઓ હોઈએ તેમ અમને વાપરે, અમને બધી ખબર પડે છે.’
વધુ આગળ વાંચો »

જો જો હસતાં નહીં !! – સં. તરંગ હાથી

[ રીડગુજરાતીને આ રમુજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા આ સરનામે hathitarang@gmail.com સંપર્ક કરી શકો છો.]

છગન : ‘એના એકાએક મૃત્યુનું કાંઈ કારણ ?’
મગન : ‘હા, એ ભૂલકણો હતો. સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય…’
***********

પતિ : ‘તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી. મમ્મી જેવી રોટલી બનાવ ને !’
પત્ની : ‘હા ચોક્કસ. મમ્મી જેવી રોટલી તો હું બનાવું પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ !’
***********

બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા.
ખમીસ પરના ભાવની કાપલી જોઈ એક ચોરે બીજાને કહ્યું : ‘જો તો ખરો ! માળા લૂંટવા જ બેઠા છે !’
***********

એક યાત્રી : ‘ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઈમટેબલ શા કામના ?’
ટિકીટચેકર : ‘તમે તો ગાડીઓ સમયસર આવશે તો એમ કહેશો કે આ વેઈટિંગરૂમ શા કામના ?’
***********

એક શેઠનો છોકરો ઘણાં વર્ષોથી એમ.એ.માં નાપાસ થયા કરતો હતો.
શેઠનો મિત્ર : ‘એમ.એ પાસ કરીને તમારો પુત્ર શું બનશે ?’
શેઠ : ‘દાદા’
મિત્ર : ‘એટલે ?’
શેઠ : ‘જ્યારે તે એમ.એ પાસ કરશે ત્યાં સુધીમાં તેના છોકરાનાંય છોકરાં થઈ જશે !’
***********
વધુ આગળ વાંચો »