નિમ્મેસભૈ ને ગનપટ હુરટી – નિર્મિશ ઠાકર
[ નિર્મિશભાઈ ઠાકરના હાસ્યલેખોના નવા પુસ્તક ‘નિમ્મેસભૈ ને ગનપટ હુરટી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે નિર્મિશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nirmish1960@hotmail.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] હેઈઈઈ…..ઍવૉર્ડ લાગ્યો !
‘હેલો…. નિમ્મેસભૈ ?’ ગનપટ હુરટીનો ફોન આવ્યો.
‘હા, બોલો ગણપતભાઈ….’
‘કેમ ઢીલું બોલો છ ? માંડા છો કે હું ?’
‘માંદો નથી યાર. મૂડ આઉટ છે….’ મેં કહ્યું.
‘અરે અમનાં જ ઉં ટમારો મૂડ જમાવી ડેઉં…. બસ વાટ પૂરી !’
‘કેવી રીતે ?’
‘મને જાનવા મઈલું છ કે ટમને ‘વિપ્ર સુદામા ઍવૉર્ડ’ મલવાનો છ !’
‘શું વાત કરો છો ? એની જાહેરાત તો થઈ નથી !’
‘જાહેરાટ ટો ઠહે ટારે ઠહે, પન અમને બઢા ખબર એડવાન્સમાં મલી જાય, હાં કે !’ ગનપટ હુરટીની આ વાત સાંભળી મને ધ્રાસકો પડ્યો.
પ્રિય વાચકમિત્રો, તમે થોડા ગૂંચવાયા હશો, કારણ કે તમે નિર્દોષ છો. તમે કાંઈ પરાયા નથી, એટલે એવૉર્ડ અંગે કહી શકાય એટલી વાતો હું જરૂર કહીશ. વાડા ફક્ત ગાયો-ભેંસો માટે જ હોય, એવું નથી. અમારે-સાહિત્યકારોને પણ વાડા હોય છે ! ભડક્યા ને ? ખરે, આ વાત થોડી અઘરી છે… એટલે હાલ પૂરતી એને છોડી દઈએ ! અમારા ક્ષેત્રમાં શું છે કે પ્રથમ પંક્તિના સાહિત્યકાર બની જવા, ગમે તે રીતે પોતાનું નામ ઊછળતું રાખવું પડે છે ! ઍવૉર્ડો મળવાને કારણે તો નામ માર્કેટમાં, આઈ મીન, સાહિત્યક્ષેત્રમાં ઊછળતું થઈ જ જાય છે. જો ઍવૉર્ડ મેળવવામાં પનો ટૂંકો પડી જાય, તો ગમે તે વિવાદમાં કૂદી પડીને પણ નામને ઊછળતું કરી શકાય, સમજ્યા ?
વધુ આગળ વાંચો »

સાહિત્યકાર : 



