ગઝલ – મનોજ પંચોલી

ઠેસ વાગી ભીતરે ક્યાંથી વળે કળ,
બંધ આંખે કેટલું છલકાય છે જળ.

ખૂબ આગળ મોકલી પાછાં ફર્યા એ,
શોધવાનો છે રસ્તો મારે જ આગળ.

એકલા ચાલી જવાનું છે નસીબે,
કોણ આવી આપવાનું છે મને બળ.

તું નથી ત્યાં માત્ર ભણકારા મળે છે,
જીવવાનું એ જ સથવારે પળે પળ.

આંસુઓને આવવું ગમતું નથી પણ,
કોણ આવીને કહે છે જા હજી મળ.

  « Previous મહા પ્રશ્ન – કિસન સોસા
જીવનપાથેય : ‘રીડગુજરાતી પુસ્તિકા’ – તંત્રી Next »   


આપના પ્રતિભાવો

કુલ 6 પ્રતિભાવો : “ગઝલ – મનોજ પંચોલી”
  1. 1
    Gopal Shah says:

    વાહ…. મજા આવિ ગઇ…. ખુબ સુંન્દર રચના…

  2. 2
    hemal says:

    Such Wonderful site
    After 8 years ……
    Sache , ek alag anand anubhvyo

  3. 3
    Gunjan Shah says:

    wah dost wah..

    Really good poem.

  4. 4
    chaitali oza says:

    very good gazal

  5. 5
    manoj says:

    nice one ,

  6. 6
    vrajesh says:

    વાહ ભાઈ વાહ

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com