Jun 27
2010

કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ

દાંત તો હવે દંતકથા ને ચોકઠું ચમત્કાર
તાલ મિલાવી ચાલતો રહું : સમયની વણઝાર

આંખની મારી છીપમાં જુઓ બંધાયાં બે મોતી
એક પછી એક ફેંકી દીધાં : ઝળહળ ઝળહળ જ્યોતિ

પગમાં મારા અડગ ખડક, લોહીનું ઝીણું ઝરણ
ધીમે ધીમે વહેતું રહે : થાંભલા જેવા ચરણ

હાથ તો કદી કંપે જરી : કદીદ શબ્દ ધ્રૂજે
તોયે મારો જુવાનિયો જીવ સૈનિક જેવો ઝૂઝે

ઈન્દ્રિયોનો હદથી ઝાઝો કોણ ભરોસો કરે ?
આપણી એક જ વાત : ‘કૃષ્ણને કરવું હોય તે કરે !’

comments  આપના પ્રતિભાવો

કુલ 9 પ્રતિભાવો : “કૃષ્ણને કરવું હોય તે કરે ! – સુરેશ દલાલ”
  1. 1
    Rachana says:

    સરસ કાવ્ય

  2. 2
    vijay shah says:

    ઈન્દ્રિયોનો હદથી ઝાઝો કોણ ભરોસો કરે ?
    આપણી એક જ વાત : ‘કૃષ્ણને કરવું હોય તે કરે !’

    સરસ વાત
    આટલી સહજ રીતે જે જાણકાર્ હોય તેજ કહી શકે
    સલામ સાહેબ્!

  3. 3

    સુરેસ દલાલ એતલે કવિતા નો પ્ર્યાય તેના કાવ્યો તો સુન્દર હોય જ

  4. 4

    ખુબ સુંદર.

    ધીમે ધીમે પોતાની શારિરિક શક્તિઓ ક્ષીણ થતી જાય ત્યારે ખરેખર એ વ્યક્તિ એક સૈનિકની જેમ જ જીંદગી સામે ઝઝુમે છે.

  5. 5
    nayan panchal says:

    ગમે તે પરિસ્થિતીમાં જીવે તો સૈનિકની જેમ ઝઝૂમવાનુ અને બાકીનુ કૃષ્ણ પર છોડી દેવાનુ.

    ખૂબ સુંદર રચના,
    નયન

  6. 6
    Ritesh says:

    ખુબ જ સ્રરસઆભિગમ છે પાછલી જીંદગી જીવવાનો.

  7. 7
    maitri vayeda says:

    અરે વાહ !!!

  8. 8
    Vaishnav Niket R says:

    અતી સુન્દર કાવ્ય
    -નિકેત

  9. 9
    manishbhai says:

    સુન્દર વાત સહજ સમજ

આપનો અભિપ્રાય

આપને આ કૃતિ કેવી લાગી ? આપનો અભિપ્રાય જણાવો...
પ્રતિભાવમાં આપની તસ્વીર મૂકવા માટે અહીં નામ નોંધાવો : Gravatar.com