તમે ચંપલ પહેર્યાં ? – સુધા મૂર્તિ
[ ‘તમે જ તમારું અજવાળું’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનો અનુવાદ શ્રીમતી સોનલબેન મોદીએ કર્યો છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
હમણાં હમણાં ઘણી વાર એવું બને છે, કે રિક્ષાવાળાઓ અમુક વિસ્તારમાં આવવાની ‘ના’ પાડી દે. નજીકમાં જ જવાનું હોય તો ખાસ. વળી કોઈ રિક્ષાવાળાના દિલમાં રામ વસે અને આવવા તૈયાર થાય તો પણ તમે તમારી મંઝિલે પહોંચો કે ‘અવલ’ મંઝિલે તેની કોઈ ખાતરી નહીં. ક્યારેક મીટર બગડેલું હોય તો ક્યારેક ઘણા રિક્ષાવાળાઓ ફિલ્મના હીરોની જેમ ચલાવે – આપણો તો શ્વાસ અદ્ધર થઈ જાય.
એક દિવસ હું રિક્ષાસ્ટેન્ડ પાસે ઊભી હતી. લાઈનબંધ ખાલી રિક્ષાઓ ઊભી હોવા છતાં કોઈ આવવા માંગતું ન હતું. મારે ખરેખર મોડું થતું હતું. ત્યાં જ એક કાર મારી સામે ઊભી રહી અને તેનો કાળો કાચ ઊતર્યો. મારી જૂની મિત્ર સરોજે મને ગાડીમાં બેસી જવા ઈશારો કર્યો.
મેં કહ્યું : ‘સરોજ, મારે તો ઍરપૉર્ટ જવાનું છે. તને નહીં ફાવે.’
સરોજ કહે : ‘જલદી બેસી જા ને ! પાછળ ટ્રાફિક જામ થઈ જશે, તો પોલીસ આવશે. હું મારી હૉસ્પિટલ જ જાઉં છું. વાડજ. ત્યાંથી ઍરપૉર્ટ ક્યાં દૂર છે ? હું ઊતરી જાઉં પછી ડ્રાઈવર તને ઉતારી દેશે.’
સરોજને હું ઘણાં વર્ષથી ઓળખું. તે અને તેના પતિ રમેશ બંને ડૉક્ટર છે. તેમનું પોતાનું મોટું નર્સિંગ હોમ છે. ધીકતી પ્રેક્ટિસ, બે દીકરા અને બંને પરણેલા. મોટો સોફ્ટવેર એન્જિનિયર થઈ પરદેશ સ્થાઈ થયો છે અને નાનો પુત્ર, તેની પત્ની તથા બે બાળકો સાથે તેમના વિશાળ બંગલામાં સાથે જ રહે છે. સમાજની દષ્ટિએ નમૂનેદાર કુટુંબ ગણાય. સ્ત્રીને માટે આથી મોટું સુખ શું હોય ?’
સરોજ કહે : ‘આજે રિક્ષા માટે કેમ ઊભી હતી ? ગાડી ક્યાં ગઈ ?’
મેં કહ્યું : ‘આજે હું એકલી હતી. ડ્રાઈવરને ઘણા દિવસથી રજા જોઈતી હતી. મારે કાંઈ કામ ન હતું તેથી તેને રજા આપી. કલાક પહેલા જ એક ફ્રેન્ડનો ફોન આવ્યો. મુંબઈથી આવે છે એટલે લેવા જાઉં છું.’
‘તો ટૅક્સી મંગાવી લેવી જોઈએ ને ?’
‘અરે, રિક્ષામાં શું વાંધો ? આપણે ત્યાં તો લોકો બસોમાં ને છકડાઓમાંય ફરે જ છે ને ?’ મેં કહ્યું.
‘ભઈસા’બ, મને તો રિક્ષાઓમાં બેસતા જ બીક લાગે છે.’ સરોજ બોલી.
‘એમ તો પ્લેનમાં ફરવામાંય ક્યાં સલામતી છે ? તો પણ જનારાએ જવું જ પડે છે ને !’ મેં કહ્યું.
‘આજકાલ તો પ્લેનમાંય ટાઈમના ઠેકાણાં નથી હોતાં. આઈ રિયલી ફીલ સિક ઑફ ટ્રાવેલિંગ, સુધા…. સમ ટાઈમ્સ.’
‘સરોજ, તારે તો હૉસ્પિટલને કારણે ઝાઝું નીકળાય પણ નહીં ને ! મારે તો રોજનું થયું. જીપોમાંય ઠસોઠસ જવું પડે છે. ગભરાયે કેમ ચાલે ?’ મેં કહ્યું.
મેં વાતને પતાવવા કહ્યું : ‘પ્રેક્ટિસ કેમ ચાલે છે, સરોજ ?’
‘જવા દે ને, સુધા. વાત જ ન પૂછીશ. કેટલી કોમ્પીટીશન ! એમાંય અમારાં છોકરાં ડૉક્ટર ન થયાં, એટલે પ્રાઈવેટ પ્રેક્ટિસમાં ટકી રહેવાનું વધારે મુશ્કેલ થઈ જાય. ઘણી વાર વિચાર આવે છે, કે આખું નર્સિંગહોમ વેચી કાઢીએ અને પૈસા બૅન્કમાં મૂકીને વ્યાજ પર નભીએ. એમાં થોડા પૈસા તો મળે ! આજકાલ તો પેશન્ટો પણ માળા ભારે હોશિયાર થઈ ગયાં છે. પ્રશ્નો પૂછીપૂછીને તેલ કાઢે. ગઈકાલની જ વાત કરું…. એક દર્દીને મેં કહ્યું, ‘બે-ત્રણ દિવસ ખટાશ ન ખાશો.’ તો સામેથી પૂછે, ‘બહેન, દહીં તો ખવાય ને ?’ થોડી વાર પછી દર્દીની બા આવીને કહે, ‘બહેન, મારી રાજવીને ટામેટાં-કાકડીના સલાડ વગર ચાલતું નથી. અપાય ને ?’ મારું તો મગજ ફરી ગયું. મેં તો કહી દીધું, ‘આમલીનો રસ અને આમળાંનો જ્યૂસ પણ આપો ને !’ એકનો એક સવાલ આઠ વાર પૂછે. વળી હૉસ્પિટલમાં આવે એટલે આજકાલના આ દોઢડાહ્યા પેશન્ટો એવું માને કે લેટેસ્ટ દવાઓથી મોતનેય મ્હાત કરી શકાય. દમ તો ડૉક્ટરોનો નીકળી જાય. વળી જો કોઈ દવા લાગુ ન પડે, તો દર્દીના સગાં બે દિવસમાં બાર જણની સામે બોલે : ‘આ ડૉક્ટર તો લૂંટે જ છે. કંઈ ફરક ના પડ્યો.’
મારે વાત બદલવા પૂછવું પડ્યું, ‘મિલિંદ કેમ છે ? મિલિંદ સરોજનો મોટો દીકરો છે – જે યુ.એસ. સ્થાઈ થયો છે.’
‘ઠીક, મારા ભઈ…. ચાલે છે…. હવે તો અમેરિકામાંય માથે લટકતી તલવાર. ગમે ત્યારે પૂના કે બૅંગલોર ભેગા કરી દે. વળી માલા પણ જોબ કરે. કામવાળાં તો ત્યાં મળે નહીં. એટલે બંને બાળકોને સવારથી ડે-કેરમાં મૂકીને વર-વહુ દોડે. બેમાંથી એકેય છોકરાંને હરામ બરાબર છે, એક શબ્દ પણ ગુજરાતીનો આવડતો હોય તો ! મારો તો જીવ કપાઈ જાય છે.’
ત્યાં સુધીમાં અમે વાડજ નજીક પહોંચ્યાં. ટ્રાફિક બરોબર જામ હતો.
સરોજ કહે, ‘અહીંથી વડોદરા જઈને આવવું સહેલું છે, પણ આ શહેરમાં હવે ફરવું મુશ્કેલ છે. કોઈ પણ રસ્તે જાવ, ટ્રાફિક તો નડે જ….’
‘સરોજ, મોટા શહેરમાં રહેવાના ફાયદા પણ છે જ ને ! છોકરાંઓને સારી સ્કૂલોમાં ભણાવાય, બીજી એક્ટિવિટી કરાવાય, કૉલેજૉ સારી, તારી હૉસ્પિટલ શહેરમાં છે તો આટલા પેશન્ટો પણ વધારે આવે છે…. ટ્રાફિકનું તો ચાલ્યા કરે. ફરિયાદ કરીને શું કરવાનું ? અરે હા, ગૌરવ-અનીતા કેમ છે ? સારું છે કે એનું કુટુંબ તારી સાથે રહે છે.’ ગૌરવ સરોજનો નાનો દીકરો છે.
સરોજ કહે : ‘શું સારું ? છેલ્લા અઠવાડિયાથી ગૌરવનું મોં નથી જોયું. એક ઘરમાં રહીએ એટલું જ. બંને જણ સોફટવેર એન્જિનિયર અને બંનેને માર્કેટિંગની જોબ, એટલે દેશ-વિદેશના ચક્કરો ચાલુ જ હોય. છોકરાં બાઈ પાસે મોટાં થાય. મને ટાઈમ હોય નહીં અને અનીતા તો અહીં હોય ત્યારેય તેની અલગ દુનિયામાં જ હોય. બહેનપણીઓ, કિટીપાર્ટીઓ અને શોપિંગ. ખરીદી, ખરીદી અને ખરીદી. કમાય એટલું ને વાપરે એટલું ! છોકરાંઓને નીતનવા બુટ-ચંપલ, ઘડિયાળો, ચોપડીઓ, ડી.વી.ડી. અપાવે પણ બેસીને એક વાર્તા કહેવાનો તેમને ટાઈમ ન હોય ! સાચું કહું, આજકાલનાં આ જુવાનિયાંઓ…. ધે આર વેરી એમ્બિશિયસ….’
‘તારાં સાસુ કેમ છે, સરોજ ?’
ફરી સરોજનો બળાપો શરૂ થયો, ‘એમનો વળી જુદો જ પ્રોબ્લેમ છે. જેમ ઘરડાં થતાં જાય છે, તેમ વધારે ને વધારે જિદ્દી થતાં જાય છે. મનેય હવે પંચાવન થયાં. હું હવે થાકું છું, પણ તેમના માટે તો હજીયે હું ગઈકાલે આવેલી વહુ જ છું. સદાકાળ બાવીસ વર્ષની ! મારે સતત એમનું ધ્યાન રાખવાનું, ને મારી વહુઓને મારી પડીય નહીં. ખરેખર, બે જનરેશન વચ્ચે હું તો સેન્ડવીચ થઈ ગઈ છું. સૂડી વચ્ચે સોપારી !’
હવે હું સરોજ જોડે વાત શી કરું ? કંઈ પણ પૂછું તો તેને કચકચ કરવાનું, ફરિયાદ કરવાનું બહાનું મળી જાય. મેં સરોજને પૂછ્યું, ‘સરોજ, સુખી કેવી રીતે થવાય ? સંપૂર્ણપણે સુખી થવાનો કોઈ સહેલો રસ્તો ખરો ?’ સરોજ આશ્ચર્યથી મારી સામે જોઈ રહી. જાણે હું તદ્દન ભોળું-ભટ પ્રાણી હોઉં તેમ મારી સામે જોઈને મને કહે, ‘લે, કર વાત ! તદ્દન સહેલું છે ને ! જો, મને તો એવું જીવન ગમે કે એક એવા સમાજમાં હું રહેતી હોઉં, જ્યાં કોઈ ટેન્શન ન હોય. દીકરા-દીકરી મોટાં થઈ જાય પછી પણ બધા વચ્ચે ખુલ્લા દિલે વિચારોની આપ-લે થાય, વડીલો-યુવાનો સાથે એડજેસ્ટ થઈને રહે, જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે તે સ્વીકારે. વળી બધા રસ્તાઓ ચાર લેનના હોય, પેશન્ટોમાં બુદ્ધિ આવે અને સમજે કે અમે પણ ડૉક્ટર્સ છીએ, ભગવાન નથી. બધાં પોતપોતાની જવાબદારી સમજીને એક સુંદર સમાજનું નિર્માણ કરે. આ જ સુખી થવાની ચાવી છે.’
ટ્રાફિક ઓછો થયો. સરોજની હૉસ્પિટલ નજીક દેખાઈ. મારાથી બોલ્યા વગર ન રહેવાયું, ‘સરોજ, તું ખ્વાબોની દુનિયામાં રાચે છે. આવો સમાજ મોટા વિકસિત દેશમાં તો શું, નાનાં ગામડાંમાં પણ શક્ય નથી. આ દુનિયામાં મુશ્કેલીઓ અને અપેક્ષાઓ ધૂળ અને કાદવની જેમ વ્યાપેલાં છે. આ કાદવમાં મેલા થયા વગર જીવવું હોય તો બે જ ઉપાય છે ! : ક્યાં તો આખી પૃથ્વીને ચોખ્ખી કરવા તેના પર ચામડું પાથરી દેવું, ક્યાં તો ફક્ત આપણે ચંપલ પહેરી લેવાં.’
સરોજ કહે : ‘અરે વાહ, આ તને કોણે શીખવ્યું ?’
મેં કહ્યું : ‘આ તો પચીસસો વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ કહી ગયા છે. બધાંને બદલવા કરતાં અંતરખોજ કરવી સારી. પોતે ચંપલ પહેરી લેવાં. શું કહે છે ?’
[કુલ પાન : 120 કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]



is this sudha murthy is narayan murthy’s wife ?
Yes She is …..
ok. thanks. i have to purchase this book.
યેસ્
હુ પણ વિચારુ કે દુનિયામા સુવિધા લાવવા કરતા હુજ બધામા પોતાને કેળવુતો કેવુ સારુ.
Yes she is..
yaa she is narayana murti’s wife.
સુન્દર લેખ . અભિનન્દન લેખકને .
ખુબ સુંદર.
સુધા મૂર્તિ ના દરેક પુસ્તક વસાવવા લાયક, વાંચવા લાયક અને એથી યે વિશેષ જીવન માં ઉતારવા લાયક હોય છે.
Nice lekh…and yes i’m eagerly looking for mukti bandhan book’s lekhs on which the serial mukti bandhan is going on COLOURS channel….
અન્યની દષ્ટિએ અતિ સુખી દેખાતા પ્રતિષ્ઠત કુટુંબોની વ્યક્તિઓ પણ અંદરથી કેટલી દુ:ખી હોય છે તેનું વાર્તામાં સરસ નિરૂપણ, અંતે બધાં જ દુ:ખોના ઉપાય તરીકે પોતે જ ચપ્પલ પહેરી લેવાની સુંદર બોધાત્મક વાત કરી. આત્મખોજનું પ્રતિકાત્મક સુચન!
Happiness doesnt lie outside,one may be happy thinking the plus points of the life while the other always counts the minus points.whatsoever we have we shouud be chenge our attitude.As respected kundanika kapdia say our happiness is in oue hand only.
Respected Sudhaji – Great as usual.
સરસ પુસ્તક છે આ. એના બધા જ લેખ એક્દમ ઉત્તમ અને વિચારપ્રેરક છે.
આ દુનિયામાં મુશ્કેલીઓ અને અપેક્ષાઓ ધૂળ અને કાદવની જેમ વ્યાપેલાં છે. આ કાદવમાં મેલા થયા વગર જીવવું હોય તો બે જ ઉપાય છે ! : ક્યાં તો આખી પૃથ્વીને ચોખ્ખી કરવા તેના પર ચામડું પાથરી દેવું, ક્યાં તો ફક્ત આપણે ચંપલ પહેરી લેવાં.
nice one..
ખુબ સરસ લેખ…
હું તો ઘણીવાર (સમજણી થઇ-મારા મતે) ત્યારથી ચંપલ પહેરુ છું, પણ વારેવારે ક્યાં તો ચંપલ તૂટી જાય છે ક્યાં હું ભૂલથી (અજાણતા) ઉતારી દઉં છું. ફરિયાદોના કાદવમાં મેલું થયેલું જણાય ત્યારે ફરી પાછા શોધીને પહેરું છું ને ફરી ક્યારે ખોવાઇ જાય છે કે તૂટી જાય છે ને ક્યારે ફરિયાદોપુરાણ ચાલુ કરી દઉં છું ….ખબર નથી. પણ ટીકાઉ ચપ્પલ હજુ સુધી પહેર્યા નથી એવું આજે ફરીથી આ લેખ વાંચીને ખબર પડી.
ચાલો, આજે ફરીથી નવી જોડી ચપ્પલ પહેરું છું આશા રાખું કે હવે તૂટશે નંઇ.!!!!!
સરસ કમેન્ટ
પ્રતિભાવ સારો છે…..લ્યો જાગ્યા ત્યારે સવાર…
ખુબ સરસ્
ખુબ જ સરસ બોધપૂર્ણ લેખ છે. આજે દરેકે દુનિયાની ગંદકીથી બચવા ચંપલ પહેરી જ લેવા જોઈએ.
સુપર્બ વાહ વાહ ………
Do not try to change the world.but change ourself.it is the best option for us to be happy forever.
પહેલા હુ પણ ચમ્પલ પહેરી ને ચાલતો હતો, પણ્ એક દીવસ્ મારા ચમ્પલ ની પટ્ટી તુ,ટી ગઈ, પછી, મે ચમ્પલ પહેરવા નુ છોડી, દીધુ. ઃ-)
હવે, હુ બુટ પહેરુ છુ.
બહુ ગુઢ સન્દેશો છુપાયેલો છે આ મેસેજ ની પાછ્ળ્
આભાર્.
યોગેશ્.
ખુબ સરિ કમેન્ટ યોગેશભઈ
“પહેલા હુ પણ ચમ્પલ પહેરી ને ચાલતો હતો, પણ્ એક દીવસ્ મારા ચમ્પલ ની પટ્ટી તુ,ટી ગઈ, પછી, મે ચમ્પલ પહેરવા નુ છોડી, દીધુ.”
વાહ!!! ખુબ ઓછા મા ઘણુ કહિ દિધુ
આભાર
– અંકિત
ખુબ જ સરસ લેખ.
જિન્દગિમા બધા દુખો હળવાશથી લઇએ, તો દુખો ભારે ન લાગે.
પોઝીટીવ વિચારધારા અપનાવવી.
અપનાવવા જેવો લેખ.આવાત તો ટુંકી છે, આખી વાત તો ઓશો ના પ્રવચનમાં બતાવી છે.
શ્રીમતિ સુધા મૂર્તિના બધા જ લેખો મનનીય હોય છે, પરંતુ તેઓ ગુજરાતીમાં લખતાં નથી. તેમના તામિલ લેખોનો ગુજરાતીમાં અનુવાદ થાય છે, તે સાથે પ્રસંગોનું વાતાવરણ પણ ગુજરાતી બની જાય છે. તે કારણે મૂળ લેખમાં અમદાવાદની વાત નથી.
સુધા મુર્તિ તમિલ નહિ પણ કન્નડ મા લખે છે પણ તેમની વાર્તા અને કથા ઓ નો અનુવાદ ગુજરાતી મા મોટે ભાગે સોનલ બહેન મોદી કરે છે જે અમદાવાદ સ્થીત સ્થાયી છે અને આપણને પોતિકા પણુ લાગે માટે ક્થા વસ્તુ ને ન બદલતા તેઓ સ્થળ ને બદલી ને અનુવાદ કરે છે જેમા ગુજરાતી પણ નો ભાસ હોય, જેની સંમતિ સુધાજી એ ખુદ આપેલી છે. લેખો કઈ ભાષા મા લખાયા છે તે મહ્ત્વ નુ નથી પણ તે આપણ ને શું બોધ આપે છે તે મહત્વ નૂ છે.
હું સુધાજી ના લખાણ ની જબરજસ્ત ફેન છુ અને તેમની ગુજરાતી અનુવાદ થયેલી બધીજ કથાઓ મેં વાંચી છે અને વસાવી પણ છે પણ તેમની બધી વાર્તા ઓ માથી મારી ઓલટાઈમ ફેવરીટ ડોલરવહૂ છે.
દુનિયા બદલવાનો કેટલો સરસ રસ્તો બતાવ્યો!. આપ ભલા તો જગ ભલા. આપણે સુધરીને ભલા થઇએ તો જગત આપોઆપ સુધરી જાય. સુધાબહનના લેખ આપણને સરસ બોધપાઠ આપી જાય છે. એમને અભિનંદન.
Very nice story. Really very true for these days when people are loosing their champal and finding the way
ખૂબ સરસ..
i also sudha murthiS fan i like this lekh .
Mrs. Sudha Murthy is today’s “MOTHER INDIA” and real ideal woman of india and I think and hope that every mother should learn from her.She is always down to earth even she is belioner and egoless woman and I really respect and love her.If I meet her I touch her foot with my head.I proud that she is our INDIAN woman IDOL
ભગવાન બુદ્ધ કહી ગયા છે. બધાંને બદલવા કરતાં અંતરખોજ કરવી સારી. પોતે ચંપલ પહેરી લેવાં. શું કહે છે ?’
પ્રબુધ્ધ વાતની મજાની રજુઆત
જગત સુધારવા કરતા પોતે સુધરવુ જરુરિ…..ખુબ જ સરસ …સન્તોશ હોય તો દુનિયા સુન્દર.
હિતેશ મહેતા
મોરબી.
ઘણા વરસો પહેલા “Chikan Soup for the Souls” વાંચેલી…
ત્યારે થયેલું કે આવો પ્રોત્સાહ જનક વાતો નો સંગ્રહ ગુજરાતીમાં હોય તો કેવું સારું
રોજીંદી વિટંબણાઓ થી ઘેરાયેલા ગુજરાતીને તેનો કેટલો લાભ મળે…
આમ ગુજરાતી કંઇ મોળો નથી..તેના લાગણી અને નૈતિક તા ના મોલ ગણા ઊંચા હોવાથી, હસતે મોઢે જીવી જાય છે..
સુધા મૂર્તિ અને સોનલ મોદીએ આ સ્વપ્ના ને આકાર આપ્યો છે
અને ગુજરાત અને ગુરતી નું ગૌરવ વધાર્યું છે.
બંને ને તથા પ્રકાશક/વાંચકોને હાર્દિક અભિનંદન ..
અસ્તુ,
શૈલેષ મેહતા
+૧ ૩૧૨ ૬૦૮ ૯૮૩૬
mehtasp25@gmail.com
સાચે જ ખુબ જ સુંદર. સુધા મૂર્તિ ના લેખ ખરેખર વાંચવા લાયક હોય છે.
ખુબ જ સુંદર.સુધા મુર્તીજી ના દરેક લેખ પ્રેરણા દાયક હોય છે.
ખુબ જ સુંદર લેખ
સુંદર વાત. આ પુસ્તક દરેક ઘરમાં વસાવવા યોગ્ય છે.
સુંદર અનુવાદ બદલ સોનલબેનને અભિનંદન.
આભાર,
નયન
ખુબ સરસ લેખ ૬એ………
બધાંને બદલવા કરતાં અંતરખોજ કરવી સારી. પોતે ચંપલ પહેરી લેવાં. શું કહે ??
ખુબ સરસ્………
EVREYONE WANTS HAPPINESS , NO ONE NEEDS PAIN ! BUT ITS NOT POSSIBLE TO GET A RAINBOW
WITHOUT A “LITTLE RAIN”….!! VERY NICE .
સરસ મનન કરવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો લેખ છે.
khub j saras lekh 6…… bija ne badalva karta potani jat ne badlo ,aa sambhali camel vali story yad ave 6,,,,,
ખુબ સરસ અને સાચી વાત કરી છે. આપણે આપનો દ્રષ્ટિકોણ બદલવો જોઈએ.
આ વાતનો જિવનમ જે વ્યાક્તિ અમલ કરસે એ સુખિ થસે.
સરસ
Rreally a nice artical………..:)
આ લેખ સરસ સમજન આપે ચ્હ્હે જો અપને સમજી સકઇ તો
આ લખાણ વાન્ચતા કબિર સાહેબ નેી સાખેી યાદ આવે, ” જગ મે બુરા ઢુન્ઢ ને ચલા બુરા મેીલા ના કોય ” ” જબ મૈને અપને કો દેખા મુઝ સે બુરા ના કોઇ……..કબિરા મુઝ સે બુરા ના કોઇ.
This is today real life story
સુધાબેન મૂર્ત્તિના લેખ વાંચવા લાયક હોય છે. આ ચંપલ (બુટ પણ આવી જાય) વાળી વાત મેં બાળપણમાં વાંચેલી જે એક રાજા અને પ્રજાના એક વ્યક્તિની હતી. રાજાના પગ ન બગડે એનો આ વ્યક્તિએ ઉપાય શોધ્યો અને રાજાએ ઇનામ આપ્યું.
આ “જોડા” પહેરવાની વાત એટલે કે ચિંતાથી મૂક્ત રહેવાની સ્થિતિ અનેક રીતે થઈ શકે છે. આપણને સામેની વ્યક્તિ ઉપર પ્રેમ ન હોય, તેને આપણે એક બોજા રુપ ગણતા હોઇએ, પરિસ્થિતિ આપણને અનુકુળ ન હોય ત્યારે આપણને અસુખ ઉત્પન્ન થાય છે. સામેની વ્યક્તિ (જે ગ્રાહક, દર્દી, દર્દીના સગાં, આપણાં સગાં, પડોશી, મિત્ર, સહયાત્રી કે કોઈ પણ હોઈ શકે) કામ અને સંજોગો ને જોવાની દૃષ્ટિમાં આપણે જો ફેરફાર કરી નાખીએ તો જીંદગી આનંદ અને માત્ર આનંદ થી ભરપુર છે.