[આમ તો કચ્છ રણવિસ્તાર છે એટલે પાણી (જળ)નો અભાવ સહજ હોય, છતાં અહીં પાણી (ખમીર) ભરપૂર છે, એ વાત કવિ માર્મિક રીતે વ્યક્ત કરે છે. પ્રસ્તુત કૃતિ શ્રી રોહિત શાહ દ્વારા સંપાદિત ‘યશગાથા ગુજરાતની’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવી છે.]
ભાંભળું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
11 thoughts on “કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’”
ઘયલ સહેબે ખરેખર કચ્છ ની ખરી ઑદખ આપી
મને આજે કંઇક નવુ વાંચવા મળ્યુ હોઇ એવુ લાગ્યુ…
સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
સુંદર રચના
યાદ
કમજોરથી અમે નથી કરતા મુકાબલો;
કોણે કહ્યું કે ‘મોતથી પંજો લડાવશું ?’
મૃગજળને પી જશું અમે ઘોળીને એક દી,
રણને અમારી પ્યાસનું પાણી બતાવશું.
કછી લોકો નિ તો વાત જ કોઇ અલગ છે…..
“વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !”
આનંદ થયો સાંભળી આપની વાણી.
વાહ !
ઘાયલ સાહેબની આ રચના ખુબ જ સરસ છે .અમારા કચ્છ માં ” જળ ” ઓછું છે એ ખરું પરંતુ “પાણી ” ગણું છે .
કચ્છના મેઘાણી દુલેરાય કારાણી
લખે છે
“મી વગર જે હન મુલક્મે મી વના મોલ થીયન
પાણી વગર જે હન મુલક્મે પાણી વારા માંડું થીયન “
ખુબ સરસ કાવ્ય …. અને મને ક્ચછિ હોવનો ગર્વ છે.
‘ઘાયલ ‘ સાહેબની આ શબ્દોની “લિજ્જત”
તેની અસલ અદા ભુજ – કચ્છ માં
“જીવંત” માણવા પર મને ગૌરવ છે..
બહુ સરસ્
થોડા શબ્દો મા સમગ્ર કચ્છની છબી દર્શાવી છે.
સતી,જતી,શૂરાનું ટેકીલું પાણી … હેતના હિલોળા લેતું પાણી …તાણ કરીને ઘેર તાણી જતું પાણી … ભાંભળું તોયે હેતાળવું પાણી અને જળ ઓછું પણ પાણીદાર એવું કચ્છનું પાણી આખા વિશ્વમાં વખણાય છે, ઘાયલ સાહેબ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}