લોકમિલાપ સ્મરણિકા – સં. મહેન્દ્ર મેઘાણી
[‘લોકમિલાપ સ્મરણિકા’ પુસ્તક (આવૃત્તિ : 1990)માંથી સાભાર.]
[1] કોઈ પણ પ્રજા આટલું શીખે નહિ ત્યાં સુધી સમૃદ્ધ બની શકે નહિ – કે કવિતા લખવામાં જેટલું ગૌરવ છે એટલું જ ખેતર ખેડવામાં રહેલું છે. – બુકર ટી. વોશીંગ્ટન
[2] પૌત્ર-પૌત્રીઓ એ, આપણને ઘડપણ આવે તેના બદલામાં વળતર આપવાનો ભગવાનનો કીમિયો છે. – મેરી વોલડ્રીપ
[3] આ દુનિયા એવી છે કે જ્યાં લોકોને શું જોઈએ છે તે એ જાણતા નથી, અને તે મેળવવા માટે એ હવાતિયાં મારે છે. – ડોન મારકીસ
[4] જેની આશા આપણે રાખી હોય તેના કરતાં જેની બીક રાખી હોય તે બનાવ જલદી બને છે. – પુબ્લીલીયસ સાયરસ
[5] જગતમાં સૌથી મોટો ભ્રમમાંનો એક એ છે કે આ દુનિયાનાં દૂષણો કાયદાથી દૂર કરી શકાશે. – થોમસ બ્રેકેટ રીડ.
[6]
પરમાત્મા, અમને એવી સરળતા આપ
કે અમે જીવનના નિર્દોષ સાત્વિક આનંદો સાથે માણી શકીએ :
ફૂલોને, વૃક્ષોને, પ્રાણીઓને, પુસ્તકોને ચાહવાનો આનંદ
બીજાને સુખી કરવાનો આનંદ. – કુન્દનિકા કાપડીઆ
[7]
ન ગભરાશો દુઃખો ! તમને નહીં બદનામ થાવા દઉં,
મલકતા હોઠ કેરું આવરણ હું લઈને આવ્યો છું. – ‘સાકીન’ કેશવાણી
[8]
અમૃત મળ્યું પણ અમર થયો નહિ,
પીવાની જુક્તિ ન જાણી રે;
કાં તો ઘટમાં ગયું ના એના,
કાં પીવામાં આવ્યું પાણી. – ગણપતરામ
[9]
ખળખળ વહી જતી પળો કાલે ન પણ મળે –
થઈએ ભીનાં ફરીથી, ફરીથી સુકાઈએ.
ઊગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં –
મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ.
– હેમંત ઘોરડા
[10]
નશો તારા સ્મરણનો એક પણ ક્ષણ દૂર ના થાતો,
મળે જે મસ્તી એમાંથી તે પીવામાં નથી હોતી.
કરું દિલ ખોલીને શી વાત તારી બેવફાઈની ?
મળે લિજ્જત જે સહેવામાં તે કહેવામાં નથી હોતી. – ચંદ્રાબેન જાડેજા
[11] જન્મ અને મરણનો કોઈ ઈલાજ નથી – સિવાય કે વચલા ગાળાને ખૂબ માણી લેવો.
–જોર્જ સાંતાયના
[12] જિંદગીનો પહેલો અરધો ભાગ આપણે જૂની પેઢીને સમજવાની મથામણમાં ગાળીએ છીએ, અને બાકીનો અરધો નવી પેઢીને સમજવાની મથામણમાં. – અર્લ વીલ્સન
[13]
વંટોળિયામાં ઊડતી સ્મશાનની ધૂળ ગઈ કાલની
આજે ઝૂલે છે ખેતરમાં ધાન્ય કણસલું થઈને ! – જગદીશ ત્રિવેદી
[14] દરેક દિવસમાં થોડુંક જીવન રહેલું છે: દરેક વખતે આપણે જાગ્રત થઈએ અને ઊઠીએ તેમાં એક નાનકડો જન્મ રહેલો છે, દરેક તાજગીભર્યું પ્રભાત થોડુંક યૌવન છે, દરેક વખતે આરામ કરીએ ને ઊંઘી જઈએ તે જરીક મૃત્યુ છે. – આર્થર શોપનહોઅર
[15] આપણામાં જો કોઈ દોષ ન હોત તો બીજાઓમાં તે જોવામાં આપણે આટલો આનંદ ન લેતા હોત. – લા રોશકુકોલ્ડ
[16] માતાપિતા પાસેથી આપણે પ્રેમ અને ઉલ્લાસ પામીએ છીએ, એક પછી એક પગલું માંડતાં શીખીએ છીએ. પણ પુસ્તકો ખોલીએ ત્યારે ખબર પડે છે કે આપણને પાંખો ફૂટી છે. – હેલન હેઈઝ
[17] તમામ સારાં પુસ્તકોનું વાંચન તે વીતેલી સદીઓનાં સર્વોત્તમ નરનારીઓ સાથે વાર્તાલાપ સમાન છે. – રેને દેકાર્ત
[18]
થતે કેવું સારું અગર મનને હોત પગ તો ?
કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી ! – વિપિન પરીખ
[19]
રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની,
સિન્ધુના ઉરમાંથી તો ઊઠશે અમી-વાદળી –પૂજાલાલ
[20]
એક જ માણસ અને ઈશ્વર મળીને હંમેશાં બહુમતી બને છે. – જોન નોક્સ
[21] મનુષ્યમાં મારી જે શ્રદ્ધા છે તે સિવાય બીજી કોઈ આસ્થાની જરૂર મને લાગતી નથી. આ પૃથ્વીની અજાયબીમાં અને તેની પરના જીવનમાં હું એટલી લીન બની ગઈ છું કે સ્વર્ગનો ને ફિરસ્તાઓનો વિચાર કરી શકતી નથી. – પર્લ બક
[22] માણસ એ એકમાત્ર એવું પ્રાણી છે કે જે હસે છે ને રડે છે; કારણ કે એ એક જ એવું પ્રાણી છે કે જેને પરિસ્થિતિ જેવી છે અને જેવી હોવી જોઈએ તે બેની વચ્ચેનો તફાવત સૂઝે છે. – વીલીઅમ હેઝલીટ
[23] માણસને જેની જરૂર છે તેને માટે એ જગત આખામાં ફરે છે, અને ઘરે પાછો ફરે છે ત્યાં એ તેને સાંપડે છે. – જોર્જ મૂર
[24]
ચલો, તમારું નામ શ્વેત કાગળ પર લખીએ;
મળે નહીં કાગળ તો વહેતા જળ પર લખીએ…
શિલાલેખ કે તામ્રપત્રનો અર્થ નથી કંઈ;
લિપિ પવનની શીખી કશુંક ઝાકળ પર લખીએ. – ભગવતીકુમાર શર્મા
[25] સમજદાર માણસ જગતને અનુકૂળ થઈને જીવે છે. બિનસમજદાર છે તે જગતને પોતાને અનુકૂળ બનાવવા મથ્યા કરે છે. માટે તમામ પ્રગતિનો આધાર બિનસમજદાર માણસ પર રહે છે. – જોર્જ બર્નાર્ડ શો
[26]
ફૂલને કંઠે કો’ ગીત રમે ગરવું.
સૂકી તે ધૂળના ભીના ખૂણેથી
આજ પાંગરવું, કાલ વળી ખરવું:
તોય ફૂલને કંઠે કો’ ગીત રમે ગરવું. – ગુલામ મહોમ્મદ શેખ
[27] હું જે કાંઈ બોલ્યો છું તેનો વિચાર કરું છું, ત્યારે મુંગાઓની મને ઈર્ષા આવે છે. – લ્યુસીયસ સેનેકા
[28]
જળ લઈ જોઈએ તેટલું, ગરણું લઈને ગાળ;
નદી-તળાવ ગળાય નહિ, તું તારું સંભાળ
– દલપતરામ કવિ
[29] વૃદ્ધાવસ્થા આપણા ચહેરા પર મૂકે છે તેના કરતાં વધુ કરચલીઓ આપણા ચિત્તમાં મૂકે છે. – મીશેલ દ. મોન્તેઈન
[30] સૌમ્યતા જેટલું શક્તિશાળી બીજું કશું નથી, સાચી શક્તિના જેટલું સૌમ્ય કશું નથી. – સેઈન્ટ ફ્રાંસિસ દ સાલ.



દરેક કણિકા ખૂબ સુંદર……
Really each one is good and very inspirable
દરેક કૃતિ પ્રેરણાદાયક છે. ફરીફરીને વાંચવી અને મમળાવવી ગમે તેવી છે.
ખબર નહી કેમ?….પણ બધા જ અવતરણ વાંચી ગયા પછી પણ….. અવતરણનં. ૨૧ મારા કાનમાં ગુંજ્યા જ કરે છે.
થતે કેવું સારું અગર મનને હોત પગ તો ?
કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી ! – વિપિન પરીખ
મન ને રોકવાનુ એક માત્ર સાધન ધ્યાન કરવુ તે જ ……….
khoob saras sanklan. Darek kanika varamvar vicharva jevi chhe.Kharekhar, aapne mahan lekhakona pustako vanchiye tyre jane temani sathe samvad karta hoiye tevu pratit thay chhe. Badha vicharako ne SALAM.
સરસ સ્મરણિકા.
આભાર.
દરેક સુવિચર ખુબજ સરસ મનન કરવા લયક
nice colection i lke it.from-jayesh patel -ode-anand
ખુબ જ સરસ લેખિકઓ…
હે મારા વ્હાલા સર્જકો ! કંઈક લખો તો એવું લખજો કે તમારા શબ્દોને સાચવવા વૃક્ષોએ આપેલી પોતાની કુરબાની સાર્થક થાય…
આ સુવિચાર ફેસબુક માટૅ લાગુ પડૅ ચે
જિંદગીનો પહેલો અરધો ભાગ આપણે જૂની પેઢીને સમજવાની મથામણમાં ગાળીએ છીએ, અને બાકીનો અરધો નવી પેઢીને સમજવાની મથામણમાં . very nice,
મૃગેશભાઈ આ વિચારકણિકા મુકવા બદલ આપને તથા લોકમિલાપ’ને અભિનંદન.મારી પાસે આની જૂની આવૃત્તિ છે.થોડી જર્જરિત થઇ ગયેલી છે પણ એમા રહેલા સુવાક્યો એટલા બધા સુંદર ફૂલોની સુગંધ છે કે તે જેવી છે એવી એને જીવથી જાળવું છું.ખુબ જ પ્રેરક અવતરણો છે.પસંદગી ઉત્તમ .ખુબ જ બેનમુન ભેટ.એમાના બે સુવાક્યો અહી ટાંકું છું ૧- ‘એકલો દયાળુ ઈશ્વર અન્યાયી ઈશ્વર છે-એડવર્ડ યંગ.’ ૨- ‘સુકા પર્ણો વન ગજવતા,શાંત લીલા સદાએ’-શ્રી ગીતા પરીખ.આપનો હ્રદયથી આભાર.-દુર્ગેશ બી.ઓઝા પોરબંદર