Archive for August, 2011

બોલતાં જરા વિચાર કરજો… – મોહમ્મદ માંકડ

[‘જનકલ્યાણ’ સામાયિક ઓગસ્ટ-2011 માંથી સાભાર.] ઘણા વખત પહેલાં સાત સોનેરી શબ્દો વિશે મેં એક લેખ લખ્યો હતો. તેમાં જીવનઘડતર કરી શકે તેવા શબ્દોની વાત કરી હતી. એક વ્યક્તિએ આઈન્સ્ટાઈનને તેમના વિચારો ટૂંકમાં લખી મોકલવા વિનંતી કરી હતી. તેના જવાબમાં આઈન્સ્ટાઈને પણ માત્ર અમુક શબ્દો : દેશ, ઈશ્વર, વિજ્ઞાન વગેરે લખી મોકલ્યા હતા. શબ્દ ઘણી વાર ....[વાંચો...]

પોપટ સાથે પ્રીત – દિનેશ પાંચાલ

[‘અંતરનાં ઈન્દ્રધનુષ’ પુસ્તકમાંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે. પુસ્તકના લેખક શ્રી દિનેશભાઈનો (નવસારી) આપ આ નંબર પર +91 9428160508 સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] કેમ એવું થયું હશે તે આજે પણ જાણી શકતાં નથી, પણ એક ....[વાંચો...]

વેલી ઑફ ફલાવર્સ – બેલા ઠાકર

[‘ફીલિંગ્સ’ સામાયિક ઑગસ્ટ-2011માંથી સાભાર.] વેલી ઑફ ફલાવર્સ ! ફૂલોની ઘાટી ! પ્રકૃતિપ્રેમીઓ માટે આ નામ અજાણ્યું નથી, પણ હજુ ઘણા ઓછા લોકો આ અદ્દભુત સૌંદર્ય વિશે જાણે છે અને ત્યાં જાય છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમાલયની ઉત્તરીય રેન્જમાં આશરે 12,500 ફૂટની ઊંચાઈએ આવેલી આ ખીણમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સેંકડો પ્રકારના રંગબેરંગી ફૂલો ખીલી ઊઠે ....[વાંચો...]

આઈ ડોન્ટ લાઈક ઈટ – કાજલ ઓઝા વૈદ્ય

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ કાજલબેનનો આ સરનામે સંપર્ક કરી શકો છો : kaajalozavaidya@gmail.com ] શનિવારે હનુમાન મંદિરમાં નજર કરીએ કે ગુરુવારે સાંઈબાબાના મંદિરમાં જઈને ઊભા રહીએ તો ખૂબ નવાઈ લાગે એવું દ્રશ્ય જોવા મળે. જીન્સ અને ટી-શર્ટ પહેરેલા, કેપ્રીઝ અને શોર્ટ્સ પહેરેલા 14 થી 20-22-25ની ઉંમરના કેટલાય યુવાનો અને યુવતીઓ મંદિરમાં જોવા મળે. સામે પક્ષે ....[વાંચો...]

કૃષ્ણજન્મનું રહસ્ય – મકરન્દ દવે

[ પ્રસ્તુત લેખ ‘ઉદ્દેશ’ સામાયિક ઓગસ્ટ-2011માંથી સાભાર લેવામાં આવ્યો છે. આપણા સુપ્રસિદ્ધ કવિ અને સાધક શ્રી મકરન્દભાઈ દવે એ ડિસેમ્બર 1996માં એક મિત્રકુટુમ્બમાં આપેલ વક્તવ્યનું આ આલેખન છે, જે હાલ સુધી અપ્રકાશિત રહ્યું હતું.] વંશીવિભૂષિતકરાન્નવનીરદાભાત પીતામ્બરાદરુમબિમ્બફલાધરોષ્ઠાત | પૂર્ણેન્દુસુન્દરમુખાદરવિંદનેત્રાત કૃષ્ણાત્પરં કિમપિ તત્વમહં ન જાને || (મધુસુદન સરસ્વતી) (વાંસળીથી શોભતા હાથવાળા, નવાં વાદળના જેવી આભાવાળા, પીળાં વસ્ત્રવાળા, ....[વાંચો...]

ત્રણ પ્રેરક ઘટનાઓ – સંકલિત

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] [1] માનવતાની મહેક – ઈન્દુબહેન પંડ્યા વાત વર્ષો પહેલાંની છે. અભ્યાસ ચાલતો હતો. એક દિવસ અમારી શેરીમાં રહેતી મંજુ આવી ‘અલી, શિક્ષકની ભરતીનું ફૉર્મ ભર્યું કે નહિ ? હું તો આજે ભરી આવી.’ મેં કહ્યું : ‘પણ આપણે કૉલેજનું એડમિશન લેવાનું છે ને ?’ મંજુ બોલી : ‘નોકરીની તક જવા દેવાય ?’ ....[વાંચો...]

સંકટમોચન – કુમાર જિનેશ શાહ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] ધડામ…. એક આંચકા ભેર ધડાકો થયો ! ઝોકે ચઢેલા બધા પ્રવાસીઓ હેબતાઈને જાગી ગયા. અમારી બસનો પાછલો ભાગ પસાર થઈ રહેલા ડમ્પરના પછવાડે અથડાઈ ગયો હતો. મેં સૌથી પહેલું કામ ડ્રાઈવર સીટ ઉપર નજર નાખવાનું કર્યું. ત્યાં સુલેમાનભાઈને બેઠેલા જોઈ ઘણો ખરો સ્વસ્થ થઈ ગયો. વરસોથી ભૂજ-મહુવા રૂટ ઉપર એસ.ટી. હંકારતા સુલેમાનભાઈ ....[વાંચો...]

પ્રસાદ (ભાગ-2) – દેવેન્દ્ર એલ. ત્રિવેદી

[ ઉત્તમ જીવનપ્રેરક લેખોનો સંચય એટલે ‘પ્રસાદ’. આ પુસ્તક જાણીતા શિષ્ટ સામાયિક ‘જનકલ્યાણ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. અગાઉ તેમાંથી આપણે એક લેખ માણ્યો હતો. આજે અન્ય વધુ પ્રસંગો માણીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] હું – ભૂપત વડોદરિયા એક રાજા અત્યંત વિકટ ....[વાંચો...]

સંપૂર્ણ ચાણક્ય નીતિ – ચાણક્ય

[ લોક-વ્યવહાર અને રાજનીતિનાં રહસ્યોને સરળ ભાષામાં સમજાવતી વિશ્વપ્રસિદ્ધ કૃતિ ‘ચાણક્ય નીતિ’ના પુસ્તક ‘સંપૂર્ણ ચાણક્ય નીતિ’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] अत्यंतकोप: कटुका च वाणी दरिद्रता च स्वजनेषु वैरम । नीचप्रसंग कुलहीनसेवा चिह्नानि देहे नरकस्थितानाम ।। [ નરકમાંથી સંસારમાં આવતા જીવનાં મુખ્ય લક્ષણ છે – ક્રોધી સ્વભાવ, કડવી વાણી, નિર્ધનતા ....[વાંચો...]

કવિ-સંમેલન – સુરેશ જોષી

[‘વિશ્વના યાદગાર પ્રવચનો’ પુસ્તકમાંથી સાભાર. સુરેશ જોષી એટલે ગુજરાતી સાહિત્યને નવો વળાંક આપનાર. અનુઆધુનિક સાહિત્યકારોની નવી પેઢી ઊભી કરનાર સર્જક. તેમણે કવિતા, નિબંધ, વાર્તા, નવલકથા, વિવેચન અને અનુવાદો કરી ગુજરાતી સાહિત્યમાં મોટું ગજું કાઢ્યું. વર્ષો સુધી એમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અધ્યાપન-કાર્ય કર્યું. સ્વસ્થ ચિંતક તરીકે પણ તેઓ યાદ રહેશે.] પૂજ્ય કાકાસાહેબ મારી પાસે બેઠા છે ....[વાંચો...]