[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર. આપ શ્રી ગૌરાંગભાઈનો (સુરત) આ નંબર પર +91 9825799847 પર સંપર્ક કરી શકો છો.]
આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,
નહીં ’તો હરણને ન રણમાં ઉતારો.
હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
તમારી નજર મેં ઉતારી લીધી છે,
તમે મારા પરથી નજર ના ઉતારો.
આ પર્વતના માથે છે ઝરણાનાં બેડાં,
જરા સાચવી એને હેઠાં ઉતારો.
ફૂલો માંદગીનાં બિછાને પડ્યાં છે,
બગીચામાં થોડાક ભમરા ઉતારો.
ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો.
16 thoughts on “અરીસા ઉતારો – ગૌરાંગ ઠાકર”
સરસ પણ સારપુર્ણ….!!!
ખુબ સરસ ગઝલ્.
ખુબજ સરસ મજાની ગઝલ્
ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો.
ખુબ સુંદર ગૌરાંગમાસા
NICE …. ONE.
બધા જ શેર ચોટદાર..આ ગઝલ પૂ.મોરારિબાપુએ ઓસ્ટ્રેલિયાની કથામાં કહી તે બતાવે છે કે તે કેટલી ધારદાર છે…
fine , very fine
fine , very fine ..
હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
અદ્ભુત્
superb gazal ……….
Very good gazal, indeed.
ગઝલની સર્વોચ્ચ પંક્તિ ; મંદિર જવાનો હેતુ આ જ હોઈ શકે.
હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
આ એક પારસિ શબ્દ પ્રયોગ “થોરા મા ઘનુ સમજો” ને યાદ કરાવતેી કવિતા.
ખરેખર ખૂબ સરસ ચ્હે… જીવન મા ઉતારવા જેવુ…
ગૌરાંગભાઈ,
જબરદસ્ત ગઝલ આપી. આભાર. મંદિરમાં જનાર આપની શિખામણ માને … અને, પગરખાંને બદલે જો અભરખા ઉતારે તો… કરોડો-અબજોના ખર્ચે બનાવેલાં મંદિરો લેખે લાગે !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
પગરખા ઉતારવાનુ તો સાવ શહેલુ ! પણ અભરખા કોણે ઉતાર્યા ?
એ પુરિ થાય્ એવિ ઈછ્છાથિ જ તો બધા જાય !!