Archive for October, 2011
October 31st, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : રતિલાલ બોરીસાગર |
16 પ્રતિભાવો »
[ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.] ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ‘રામાયણ’માં એવું આવે છે કે દશરથ રાજાએ એક વાર અરીસામાં જોયું અને એક સફેદ વાળ નજરે પડ્યો. રાજાએ તરત નિર્ણય કર્યો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાની ગાદી સોંપીને પોતે રિટાયર થઈ જવું જોઈએ. મેં અરીસામાં પહેલીવહેલી વાર એકી સાથે અનેક વાળ સફેદ થતા જોયા ત્યારે ....[વાંચો...]
October 31st, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : સુરેશ દલાલ |
5 પ્રતિભાવો »
[‘ઝલક-પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.] અમદાવાદના ઍરપૉર્ટ પર થોડા વખત પહેલાં એક બહેન મળ્યાં. વય કદાચ પાંસઠની આસપાસ. ગોરો દેહ. જાજરમાન વ્યક્તિત્વ. શરીરમાં ક્યાંય સ્થૂળતા નહીં. ચહેરા પર શાંત પ્રસન્નતાનો વૈભવ. વ્યક્તિત્વમાં આમદાની અને ખાનદાની બંને. અવાજમાં એક પ્રકારની ઊંડી નિસબત. વાતોમાં ભરપૂર વાચનની ઝલક. સ્વામી આનંદ, મકરન્દ દવે, હરીન્દ્ર દવે, દલાઈ લામાની વાતોની લહેરખી વહ્યા કરે. ....[વાંચો...]
October 27th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : |
20 પ્રતિભાવો »
આજથી શરૂ થતું વિ.સ. 2068 આપ સૌ વાચકમિત્રો અને સૌ પરિવારજનો માટે ખૂબ જ ફળદાયી, સુખદાયી અને પ્રસન્નકર્તા બની રહે તેવી રીડગુજરાતી તરફથી હાર્દિક શુભકામનાઓ. આ નૂતન વર્ષમાં આપણે સૌ એકસાથે વધુ ને વધુ વાંચન કરીએ, ચિંતન કરીએ અને ઉત્તમ લેખોનું મનન કરીને આપણા જીવનપથને વધારે પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના. રીડગુજરાતીનું નિયમિત પાન ....[વાંચો...]
October 26th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : |
14 પ્રતિભાવો »
પ્રિય વાચકમિત્રો, વિ.સ. 2067ના અંતિમ દિવસ એટલે કે આ દિપાવલીના પર્વની આપ સહુને તથા આપના સૌ પરિવારજનોને શુભકામનાઓ. આખું વર્ષ જેમના ચરણોમાં બેસીને આપણે શુભ વાંચન, મનન અને ચિંતન કરીએ છીએ એ માતા સરસ્વતીને આજના મંગલ દિને ભાવપૂર્વક વંદન કરીએ. પ્રતિવર્ષ દિવાળીના દિવસો દરમ્યાન રીડગુજરાતી પર કંઈક રમૂજી અને હાસ્યલેખો આપણે માણતા હોઈએ છીએ. પરંતુ ....[વાંચો...]
October 25th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : રતિલાલ બોરીસાગર |
7 પ્રતિભાવો »
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] લોકો પોતાના પૂર્વજોને યાદ કરે છે, તેમની છબિઓ ભીંત પર ટિંગાડે છે. પિતા કે દાદા જીવતા હોય ત્યારે પાણિયારેથી પાણીનો પ્યાલો ભરી દેવામાંય અખાડા કર્યા હોય એવાં મનુષ્યો ભાદરવા મહિનામાં, પીપળે પાણી રેડી, સ્વર્ગમાં પૂર્વજોને પાણી સપ્લાય કરે છે. શ્રાદ્ધના દિવસોમાં કાગડાસમાજની એજન્સી દ્વારા સદગત માતાપિતા અથવા માતા કે પિતાને મિષ્ટાન્ન જમાડે ....[વાંચો...]
October 25th, 2011 | પ્રકાર : નિબંધ | સાહિત્યકાર : ગુણવંત શાહ |
26 પ્રતિભાવો »
[ કલોલથી પ્રકાશિત થતા ‘સંપર્ક’ના દીપોત્સવી અંકમાંથી સાભાર.] એક નવી જ સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે. એનું નામ છે : ‘લેવડદેવડ્યા સંસ્કૃતિ’. માનવસંબંધો ભાખરી બાંધવાના લોટ જેવા છે, જેમાં લાગણીનું મૉણ ન હોય તો ન ચાલે. લેવડદેવડ અનિવાર્ય છે. એના વગર સમાજ ટકી જ ન શકે, પરંતુ લાગણીને કારણે લેવડદેવડ પણ સ્નેહદીક્ષા પામે છે. મારી ....[વાંચો...]
October 20th, 2011 | પ્રકાર : તંત્રી નોંધ | સાહિત્યકાર : |
3 પ્રતિભાવો »
પ્રિય વાચકમિત્રો, સર્વર પરની ટેકનીકલ ક્ષતિને કારણે ઘણા વાચકમિત્રો રીડગુજરાતી જોઈ શકતા નથી. આ કારણસર રીડગુજરાતીને અન્ય નવા સર્વર પર સ્થળાંતરિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, આ કારણસર આ સપ્તાહના અંત સુધી નવા લેખો આપી શકાશે નહિ. અસુવિધા માટે ક્ષમા કરશો. આ સમસ્યાના કાયમી ઉકેલના ભાગરૂપે આ પગલું અત્યંત જરૂરી હોવાથી સાઈટનું કાર્ય સ્થગિત કરવામાં ....[વાંચો...]
October 19th, 2011 | પ્રકાર : અન્ય લેખ | સાહિત્યકાર : નારાયણ દેસાઈ |
6 પ્રતિભાવો »
[ ગુજરાત કેળવણી પરિષદના શિક્ષણવિમર્શ સત્રના ઉદ્દઘાટન નિમિત્તે તા. 5-9-2011ના દિવસે અપાયેલા વ્યાખ્યાનને આધારે ‘ભૂમિપુત્ર’માં પ્રકાશિત થયેલા લેખમાંથી સાભાર.] શિક્ષણ-વિમર્શ આપણે સહેજ વ્યાપક ફલક પર કરીએ. એનાં ત્રણ પરિમાણોનો વિચાર કરીએ. વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિને સ્પર્શ કરતા શિક્ષણવિચારને આવરી લઈએ. પ્રખ્યાત વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી બર્ટ્રાન્ડ રસેલે એવું વિધાન કર્યાનું કહેવાય છે કે દુનિયાના બધા પ્રશ્નો ....[વાંચો...]
October 19th, 2011 | પ્રકાર : બાળસાહિત્ય | સાહિત્યકાર : મિત્રિશા મહેતા |
10 પ્રતિભાવો »
[બાળવાર્તા : ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] એક શિકારી વહેલી સવારે રોજ ખભે થેલો લટકાવી પક્ષીઓને પકડવા જંગલ તરફ નીકળતો હતો. કાબર-ચકલી જેવાં નાનાં, નાજુક અને રંગબેરંગી સુંદર લાગતાં પક્ષીઓને જાળમાં ફસાવી પાંજરામાં પૂરી નજીકના શહેરમાં જઈ વેચી નાખતો હતો. આવી રીતે એ રોજ સવારથી સાંજ જંગલમાં ઘૂમ્યા કરતો હતો. એક વખત ઠંડીની મોસમમાં એ વહેલી સવારે ....[વાંચો...]
October 18th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : નીતિન વડગામા |
6 પ્રતિભાવો »
[ પ્રતિવર્ષ દીપોત્સવી વિશેષાંક રૂપે પ્રગટ થતાં ‘શબ્દસૃષ્ટિ’નો આ એકવીસમો વિશેષાંક આ વર્ષે ‘કવિતા અને હું’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. આ વિશેષાંકમાં નામાંકિત કવિઓએ પોતાની કાવ્યની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી છે. પ્રસ્તુત છે તેમાંથી શ્રી નીતિનભાઈ વડગામાની કાવ્ય સર્જનપ્રક્રિયા વિશેનો આ સુંદર લેખ.] સુથારના ખોળિયામાં અવતરેલા આ દેહને કરવતને બદલે કલમ પકડવાનું કેમ બન્યું ....[વાંચો...]