Archive for January, 2012

ચશ્માં – હરિશ્ચંદ્ર

[ 'વીણેલાં ફૂલ' પુસ્તકમાંથી સાભાર.] સવારના પહોરમાં રસોડામાં વાસણ પડવાના અવાજથી એકદમ આખા ઘરની ઊંઘમાં ખલેલ પહોંચી. મીઠી ઊંઘ ઊડી જતાં ચિડાયેલી રમા બબડતી આવી : ‘ઓહ, આ ઘરમાં તો કોઈ સુખે સુવાય નથી દેતું !’ સામે સસરાને જોયા. એ થોડા ગભરાયેલા અને ખિસિયાણા પડી ગયા હતા. બોલ્યા, ‘વહુ, બરાબર દેખાતું નથી. ચશ્માં બદલવાં પડશે. ....[વાંચો...]

ધરતીનાં ધરુ, આકાશના ચરુ – ચંદ્રકાન્ત શેઠ

[ ‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ, આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.] [1] પરમ શાન્તિનો પ્રસાદ આપણે અવારનવાર શાન્તિ માટે અને શાન્તિના નામે ભારે શોરબકોર કે ગોકીરો કરતા હોઈએ છીએ. નેતાગીરીના ઝભ્ભા ચડાવી આપણે કેટલીય વાર આકાશમાં સફેદ કબૂતરોને ઉડાવીને ‘શાન્તિદૂત’ તરીકેનો પાઠ પણ ભજવતા હોઈએ છીએ ! ઉપનિષદના શાન્તિમંત્રોનો શુકપાઠ કરતાંયે આપણે થાકતા નથી. ....[વાંચો...]

અંતિમ અધ્યાય – પ્યારેલાલ (અનુ. મણિભાઈ ભ. દેસાઈ)

[આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ફકત આ એક જ વિશેષ લેખ આપવામાં આવ્યો છે, જેની નોંધ લેશો. – તંત્રી] [ગાંધીજી સાથે નિરંતર અઠ્ઠાવીસ વર્ષ રહેનાર અને મહાદેવભાઈના મૃત્યુ પછી ગાંધીજીના મંત્રી તરીકે કામ સંભાળનાર પ્યારેલાલજીએ ગાંધીજીના જીવનનાં અંતિમ વર્ષોની અદ્દભુત કથા લખી છે. ગાંધીજીવન અને વિચારને સમજવા માટે પ્યારેલાલજીના આ ગ્રંથો અનિવાર્ય છે. ગુજરાતીમાં બે ....[વાંચો...]

તમે કહો તો – તેજસ દવે

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી તેજસભાઈનો ખૂબ ખૂબ આબાર. આપ તેમનો આ સરનામે karaut_tushar@yahoo.com અથવા આ નંબર પર +91 9328330229 સંપર્ક કરી શકો છો.] તમે કહો તો લખી દઉં આ ચોમસાનું ધાડુ તમે કહો તો દૂર આભમાં ઉડતા વાદળ પાડુ પાદર બેસી રમતા’તા જ્યાં ઘણી ઘણીયે વાર ઘર-ઘર રમતા હથેળીઓમાં ઉગી ગયો સંસાર તમે ....[વાંચો...]

પ્રિય પ્રિયતમ – ભૂમિકા કે. મોદી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નવોદીત સર્જક ભૂમિકાબેનનો (ઓસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhumi.k.modi@gmail.com સંપર્ક કરી શકો છો.] કંઇ કહેવું છે મારે તને, સાંભળ ને જરા.. ક્યાં સુધી રહીશ દુર… આવ મને મળ ને જરા… વિશ્વાસે મારું વહાણ ચાલે, ફગાવ આ વમળ ને જરા… તું નહિ તો હું વળી કોણ, હુંફ ....[વાંચો...]

કથાનિધિ ગિરનાર – નરોત્તમ પલાણ

[ 46મું ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન જૂનાગઢમાં આવેલ ‘રૂપાયતન’ ખાતે યોજાઈ ગયું. આ પ્રસંગે ‘જાજવલ્યમાન જૂનાગઢ’નામના એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, જેમાંથી ઈતિહાસવિદ શ્રી નરોત્તમભાઈ પલાણ દ્વારા લિખિત પ્રસ્તુત લેખ અહીં સાભાર લેવામાં આવ્યો છે. વિશેષમાં આ લેખ rupayatan.com પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જે અહીં પુનઃપ્રકાશિત કરવામાં આવ્યો છે. આ માટે શ્રી નિલેશભાઈ બંધિયાનો ....[વાંચો...]

ઈશાન ખૂણેથી – રમેશ ઠક્કર

[ ખેડબ્રહ્મામાં નાયબ કલેકટર તરીકેની ફરજ બજાવતાં શ્રી રમેશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ઈશાન ખૂણેથી’માંથી કેટલીક રચનાઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત આ પદ્યરચનાઓને અંતે આપવામાં આવી છે. આપ શ્રી રમેશભાઈનો આ નંબર પર +91 98795 24643 અથવા આ સરનામે rrthakkar@ymail.com સંપર્ક ....[વાંચો...]

પાંચ હજારની નોકરી – અતુલકુમાર વ્યાસ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.] અખિલેશનું અકસ્માતે અવસાન થયું પછી અક્ષરા છ મહિના સુધી સાસરે રહી. અક્ષરા અને અખિલેશના પાંચ વર્ષના લગ્નજીવન પછી બનેલી આ દુર્ઘટનાથી સાસરિયાં અક્ષરા પર નારાજ હતાં. તેમના મતે અક્ષરા અમંગળ પગલાંની અને અપશુકનિયાળ હતી ! અક્ષરાને ત્યાં ત્રાસ થવા માંડ્યો. તિરસ્કાર, અપમાન અને મેણાં-ટોણાં સહન ન થયાં એટલે એ એના ત્રણેક વર્ષના ....[વાંચો...]

તારી પૂર્ણતા ગઈ અડી મને….. – જયદેવ માંકડ

[ મોરારિબાપુનાં સાંનિધ્યમાં કૈલાસ ગુરુકૂળ ખાતે વ્યવસ્થાપન સંભાળતાં-સંભાળતાં જે કંઈ અનુભવો-અનુભૂતિ થઈ તેને શ્રી જયદેવભાઈ ખૂબ વિચાર-મંથન સાથે શબ્દબદ્ધ કરીને કાગળ પર ઉતારતાં રહે છે. પ્રકાશના પંથીઓ માટે તે પ્રેરણાદાયક બની રહે તેમ છે. નાની-નાની બાબતોમાં જાગૃતી રાખવી એ કેટલી મૂલ્યવાન બાબત છે, તેનું દર્શન તેમના લેખોમાં થાય છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી ....[વાંચો...]

જીવન એક ઝંઝાવાત છે….. – મોહમ્મદ માંકડ

[ તાજેતરમાં આદરણીય શ્રી દિનકરભાઈ જોષીના મુંબઈ ખાતે યોજાયેલા અમૃત મહોત્સવ પ્રસંગે તેમની સર્જનયાત્રાની ઓળખ કરાવતું ‘શબ્દયોગના સાધક : શ્રી દિનકર જોષી’ નામનું પુસ્તક સૌને ભેટ આપવામાં આવ્યું હતું. પ્રસ્તુત લેખ તેમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકમાં સાહિત્યના અગ્રગણ્ય સર્જકોએ શ્રી દિનકરભાઈના પુસ્તકો વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. વિવિધ અખબાર/સામાયિકોમાં પ્રકાશિત થયેલા લેખો ....[વાંચો...]