દીવાનખંડ એની ફરિયાદ ક્યાં કરે છે ?
ઘરમાં દુકાન પાડી જે રોટલો રળે છે.
વૃદ્ધત્વ આવે ત્યારે ન કોઈ બોલવા દે,
તેથી જ બા કે દાદા શું વારતા કહે છે ?
એને કહી શકો છો સાચો સ્વજન ખરેખર,
આંખો સૂજી ગયેલી જે પારખી શકે છે.
શ્રદ્ધાની વાત છોડો-મનમાં છે ડર ને તેથી,
આજે ઘણાં ખરાં તો ભગવાનને ભજે છે.
જોતી હશે કિનારે ત્યાં વાટ કોઈ આંખો,
હોડી ‘પવન’ વગર પણ મંજિલ તરફ વહે છે.
6 thoughts on “દીવાનખંડ – ભરત ભટ્ટ”
શ્રદ્ધાની વાત છોડો-મનમાં છે ડર ને તેથી,
આજે ઘણાં ખરાં તો ભગવાનને ભજે છે.
સાચી વાત.
સુંદર
“એને કહી શકો છો સાચો સ્વજન ખરેખર,
આંખો સૂજી ગયેલી જે પારખી શકે છે”
સરસ…
દીવાનખંડ એની ફરિયાદ ક્યાં કરે છે ?
ઘરમાં દુકાન પાડી જે રોટલો રળે છે.
ખુબ જ સરસ ચે આ ગઝલ્
આદર્નિય ભરતસર,
ગઝલ વાન્ચતા જ તમારુ પ્રતિબિમ્બ જોવા મલે ચ્હે.
આપને હમ્મેશા વાન્ચ્વાનુ મન થાય ચ્હે.
જય સિયારામ
શ્રેી રઘુકુલ વિધ્યાલય
ભરતભાઈ,
ખૂબ જ ચોટદાર ગઝલ. ” ભય વિણ પ્રીતિ નાહિ ” ના ન્યાયે જ માણસ ભગવાનને ભજે છે. બા-દાદાની વારતાઓ કહેવાનું કારણ પણ સાચું જ છે… તેમને બોલવા જ કોણ દે છે ? .. અભિનંદન.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }