તમે યાદ આવ્યા – વિનોદ ભટ્ટ
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જૂન-2012માંથી સાભાર.]
[dc]ચં[/dc]દ્રકાન્ત બક્ષી અને મારી વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ હતો, લવ-હેટ્રેડનો, પ્રેમ-તિરસ્કારનો, ગમા-અણગમાનો પણ… જોકે બક્ષી પારદર્શક હતા. પોતાના મનોભાવને છુપાવી શકતા નહીં. જે જીભ પર આવે એ બેહિચક બોલી દેતા. એક સભામાં એ વક્તા હતા. હું ઓડિયન્સમાં આગળ બેઠો હતો. મને એમણે જોયો. પ્રવચનની શરૂઆતમાં જ મારી સામે આંગળી ચીંધી એમણે કહ્યું, ‘મારો પ્રિય દુશ્મન વિનોદ ભટ્ટ અહીં હાજર છે….’ અલબત્ત બક્ષીએ ક્યાંક નોંધ્યું છે કે હું રેંજીપેંજીને મારા શત્રુ બનવાનું સ્ટેટસ નથી આપતો. એ સાંભળી મનમાં સહેજ ચચર્યું, પણ મનને મેં આશ્વાસન દીધું કે ચાલો, બક્ષીએ આપણને એમના શત્રુ હોવાનું ગૌરવ તો આપ્યું જ છે ને ?’
કાર્યક્રમ પૂરો થયા બાદ સ્વરુચિ ભોજન લેવાનું હતું. હું હજી ડિશ પીરસી જમવાનું શરૂ કરતો હતો, ત્યાં જ પાસે આવી બક્ષી મને ભેટી પડ્યા. મેં એમની સામે જોઈ દાઢમાં કહ્યું :
‘બક્ષીબાબુ, મને એ કહો કે ક્યો બક્ષી સાચો ? થોડીકવાર પહેલાં ભાઈકાકા હોલમાં મને પ્રિય શત્રુ કહેતો હતો એ કે આ ક્ષણે પ્યારથી ભેટી રહ્યો છે એ ?’
બન્ને બક્ષી સાચા છે, ‘વિનોદબાબુ….’ કહી શરારત ભર્યું હસીને એ આગળ વધી ગયા.
એ દિવસોમાં બક્ષી મુંબઈ રહેતા. એ અમદાવાદ આવે ને નવભારત સાહિત્ય મંદિરની ઑફિસે બેઠા હોય ત્યાંથી મને ફોન કરે કે પ્રકાશક મહેન્દ્ર શાહની સામે બેઠો છું, તમને મળવાનું મન છે, અનુકૂળતા ખરી ? ‘ખરી, આવી જાવ, રાહ જોઉં છું.’ હું કહું ને એની દસ જ મિનિટમાં એ દર્શન આપે. તે બોલે, હું સાંભળું. તેમણે મને એક સારા શ્રોતા બનવાની તાલીમ આપી હતી. એ મારે કબૂલ કરવું જોઈએ. ક્યારેક તો એવું પણ બનતું કે તે મારે ત્યાં આવે ત્યારે ‘આવો બક્ષીબાબુ’ ને દોઢેક કલાક બાદ જાય ત્યારે ‘આવજો બક્ષીબાબુ’ જેવાં રોકડા બે વાક્યો બોલવાનો અવસર મને મળી જતો. બાકીની ખાલી જગ્યા એ ભરી દેતા. પણ એક વાત છે, તેમની કંપનીમાં ક્યારેય બોર ન થવાય.
અને કોઈવાર તેમને ઓચિંતો ખ્યાલ આવતો કે આ વિનોદ ભટ્ટ પણ લેખક છે તો એકાદ સવાલ મારા સાહિત્ય અંગેય તે ઉપકારના ધોરણે પૂછી નાખતા. ઉ.ત. એક દિવસ તેમણે મને પૂછ્યું : ‘વિનોદબાબુ, તમારું કોઈ નવું પ્રકાશન આવ્યું છે ? એ જ દિવસે મારું એક નવું પુસ્તક પ્રગટ થયું હતું. મેં તેમના હાથમાં મૂક્યું. પુસ્તકનાં શરૂઆતનાં પાનાં ફેરવતાં એક પાના પર તે અટકી ગયા – એ પાન પર વિનોદ ભટ્ટનાં બહાર – એટલે કે પ્રકાશકને ત્યાંથી બહાર પડેલાં પુસ્તકોની સાલવાર યાદી હતી – ક્યા વર્ષમાં કયું પુસ્તક પ્રકાશિત થયું એ છાપ્યું હતું. આ સાલવાર યાદી પર આંગળી મૂકી બક્ષીએ મને પ્રશ્ન કર્યો, ‘ગુજરાતી સાહિત્યમાં સાલવાર યાદી છાપવાની શરૂઆત કોણે કરી એ તમે જાણો છો ?’
‘મને ખબર નથી.’ મેં કહ્યું.
‘આ કામ પહેલવહેલું બક્ષીએ કર્યું.’ બક્ષી બોલ્યા.
‘નો ડાઉટ બક્ષીબાબુ’ મેં જણાવ્યું, ‘આ કામ ગુજરાતી સાહિત્યમાં બે જણાએ કર્યું છે, એક તો બક્ષીએ ને ત્યાર પછી નર્મદે….’ જો કે મેં આપેલી માહિતીથી બક્ષી ખાસ પ્રભાવિત નહોતા થયા.
બક્ષી વક્તા પ્રભાવશાળી, કલાક-દોઢ કલાકથી ઓછું ન બોલે, પણ તે બોલતા અટકે ત્યાં સુધી ઑડિયન્સને બાનમાં રાખે. તેમને પાછું એવું ખરું કે વિષય ગમે તે હોય, તેમને બોલવું હોય એ જ બોલે, શરત એટલી કે પ્રેક્ષકોને મજા પડવી જોઈએ. એમનું હૉલમાં બેઠેલું વસૂલ થવું જોઈએ. એક વખત ડૉ. ભોળાભાઈ પટેલ અને બક્ષીજીને સાથે સુરેન્દ્રનગરની કોઈ એક સાહિત્યિક ગોષ્ઠીમાં બોલવાનું હતું. કલકત્તા સાથે જોડાણ હોવાથી બક્ષી-બાબુને શરદબાબુની નવલકથા પર બોલવાનું સૂચવાયેલું. બક્ષીબાબુએ શરૂ કર્યું. ‘શરદબાબુ આજ-કાલ આઉટડેટેડ થઈ ગયા છે. તમને શરદબાબુની વાતોમાં ખાસ ઈન્ટરેસ્ટ નહીં પડે. આજે હું તમને મજા પડે એવા રાઈટર ચન્દ્રકાન્ત બક્ષીની વાત કરીશ. અને લગભગ 70 થી 80 મિનિટ સુધી એમણે પોતાની કેફિયત રજૂ કરી દીધી હતી… બીજી એક બિનસાહિત્યિક સભામાં બક્ષીજીને ફાળવેલ સમય કરતાં ખાસ્સું લાં…બુ તે બોલ્યા. આયોજકો અને ખુદ મુખ્યમંત્રી અકળાયા પણ બક્ષી તો અટકવાનું નામ ન લે. લાંબુ બોલવાને કારણ આપતાં નામદાર રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરે તરફ આંગળી ચીંધી શ્રોતાઓને તેમણે જણાવ્યું પણ ખરું, ‘તમે આ લોકોને નહીં, મને સાંભળવા આવ્યા છો….’ – એ શ્રોતાઓની વચ્ચે બેસવાનું સદભાગ્ય (!) આ લખનારને પણ મળ્યું હતું.
એને ખેલદિલી કહેવાય કે કેમ એની મને જાણ નથી, પણ ઉદારતા તો જરૂર કહેવાય કે એમના પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં તેમણે એકવાર નહીં, બબ્બેવાર વકતા લેખે મને અવળચંડાને બોલાવેલો. તેમનાં પચ્ચીસ પુસ્તકોના લોકાર્પણ વખતે તો સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પણ હતા. અમે બન્ને વક્તા ટીખળ કરવાના મૂડમાં હતા, માત્ર ઑડિયન્સને હસાવવા જ અમે બક્ષીજી પર થોડો વ્યંગ-વિનોદ કર્યો. ઉ.ત. મેં શરૂઆત આમ કરી : ‘મારી બે દીકરીઓ છે, મોટી પુત્રી મોનાએ ગુજરાતી સાથે એમ.એ કર્યું છે ને નાની વિનસે સાઈકૉલૉજી સાથે એમ.એ. કર્યું છે. બન્નેને પી.એચ.ડી. કરવું હતું. મોટી, ગુજરાતીવાળીએ મારી સલાહ માગી : ‘હું શેના પર કરું ?’ મેં તેને જણાવ્યું કે બક્ષીઅંકલે થોકબંધ લખ્યું છે, નવલકથાઓ, વાર્તાઓ, નિબંધો વગેરેમાંથી તું ગમે તે એક સ્વરૂપ પકડ, જરૂર પડે એમાં તું બક્ષીઅંકલની મદદ પણ લઈ શકીશ. સાઈકૉલૉજી સાથે એમ.એ. થયેલી નાની દીકરીએ મને પૂછ્યું : ‘અને હું ?’ ‘બેટા, તારો સબ્જેક્ટ તો સાઈકૉલૉજી છે ને ?’ મેં તેને વિષય આપ્યો, ‘તું બક્ષીઅંકલ ઉપર જ પી.એચ.ડી. કર, બક્ષીઅંકલની મદદ લીધા વગર એ તું કરી શકીશ.’ ઓડિયન્સ બહુ હસ્યું, વધારે પડતું હસ્યું એટલે બક્ષી બરાબરના ખિજાઈ ગયા, એ સમસમી ગયા. એ છેલ્લા વક્તા હતા. આગળના વક્તાઓ સાથેનો હિસાબ બરાબર કરવા એ કાયમ છેલ્લે બોલવાનું પસંદ કરતા. માધવસિંહભાઈ અને મારી સામે જોઈ બક્ષીએ ઓડિયન્સને કહ્યું : ‘હું ધારું તો આ બન્નેને ફક્ત બે જ મિનિટમાં પતાવી શકું, પણ આજે એમ નહીં કરું.’ (થૅન્ક ગોડ કે અમે બન્ને બચી ગયા.)
બક્ષી હિસાબના માણસ હતા. બદલો ભલા બુરાનો, અહીંનો અહીં આપવાનું કદાચ ઉપરવાળો ચૂકી જાય, બક્ષી ના ચૂકે. અટક ભલે બક્ષી હતી, પણ કોઈને માફી બક્ષવાનું તેમને પસંદ નહીં. કવિ સુન્દરમના રૂક્ષ વ્યવહારથી તે નારાજ થઈ ગયેલા. આ નારાજગીનો પડઘો પોતાની આત્મકથા ‘બક્ષીનામા’માં તેમણે આ રીતે પાડ્યો છે : ‘હું એક જ વાર અમદાવાદમાં સુન્દરમને મળ્યો હતો.’ પછી તે આગળ ઉમેરે છે. ‘સુન્દરમને મેં દૂરથી જોયા. પાસે ગયો. કહ્યું : હું ચન્દ્રકાન્ત બક્ષી ! કલકત્તાથી આવ્યો છું ! તમને…. અને જે માણસ સાથે હું સાડાચાર વર્ષથી પત્રવ્યવહાર કરતો હતો એણે કબરમાંથી ઊભા થયેલા મુડદા જેવી બર્ફીલી નજરે મને જોયો અને સડેલા અવાજે થીજવી નાખે એવી ઠંડકથી કહ્યું : ‘ઠીક !’ મારું મસ્તક ફરી જવા માટે આટલું જ કાફી હતું. મને થયું મારી સામે માણસ નથી, પ્રેત ઊભું છે. કવિ સુન્દરમને સલામ. છેલ્લી સલામ. એક ચાહકના હકની…!’
બક્ષી પ્રેમાળ પણ એટલા. એ વખતે તે મુંબઈ હતા. હૃદયમાં ગરબડ થવાથી મારે સ્ટેન્ટ મુકાવવું પડ્યું હતું. એપ્રિલ 11, 2003ના પત્રમાં તેમણે લખ્યું હતું : ‘પ્રિય વિનોદબાબુ, જલ્દી જલ્દી સ્વસ્થ થઈ જાઓ એ પ્રાર્થના….’ – બક્ષી. આ એ બક્ષી છે જેમને ગુજરાત સાહિત્ય સભાના કહેવાથી મેં શ્રી રણજિતરામ સુવર્ણચન્દ્રક સ્વીકારવા દિલથી વિનંતી કરી હતી કે તમે પત્ની, દીકરી, પ્રકાશક કે કોઈ મિત્રને (જો હોય તો તેને) પૂછો, પછી નિર્ણય કરો. પણ આ વાત હમણાં આપણી વચ્ચે છે. બીજે દિવસે તેમણે મને સવિનય ના પાડી હતી. ઉમેર્યું હતું, ‘1960ની આસપાસ ચન્દ્રક આપ્યો હોત તો લીધો હોત.’ ટૂંકમાં ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેમણે નકાર્યો હતો. એ બહુ ઓછા લોકો જાણે છે, જોકે બક્ષીએ કોઈને કહ્યું નહોતું. બક્ષી શું છે એની બક્ષીને ખુદને ખબર હતી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાના માટે કહ્યું છે : ‘હું અહંકારી માણસ છું. અહંકારને હું ગુણ સમજું છું. મારે માટે અહંકાર એ ઓમકાર છે. એકાન્ત પ્રિય માણસમાં અહંકાર હોય જ….’
આજે આપણી પાસે બક્ષી તો શું, એમનો ડુપ્લિકેટ પણ નથી. છે ?




આજે આપણી પાસે બક્ષી તો શું, એમનો ડુપ્લિકેટ પણ નથી. છે ?
વિનોદજી….ગુજરાતી પ્રજાને આ બાબતે અફસોસ કરવાને કોઈ કારણ નથી..!!
આપના વિષે બહુ બૈરાબાજ રમુજીકાર…અખબારની કોલમમાં લખ્યાનું હજી પણ યાદ છે.
શ્રી ગુણવંત શાહ વિષે હિંચકા પર બેસી ઝાડ ચડતી ઉતરતી ખિસકોલીને જોઈ રહેવાનું…જેવા ઘટિયા અભિપ્રાયો કોલમમાં આપી પેટની આજીવિકા નિભાવી હોવાનું યાદ છે. તત્કાલીન સમયે ગુજરાતીઓમાં ગુણવંતભાઈની અપ્રિતમ લોકપ્રિયતા તેમનાથી સહન થતી ન્હોતી.
કુંતી વિષે કલમનો દુર ઉપયોગ કરી બકવાસ કરી ત્યારે તે વેળાની સરકાર પાછળ પડી જતાં અભયતાનું કહેવાતું કવચ છોડી ગુજરાતમાંથી ભાગવું પડેલું.
મને ૧૦૦ ટકા ખાતરી છે કે ઉપર પણ ઉપદ્રવ પેદા કરવામાં સફળ થયા હશે. યમરાજા પણ પસ્તાયો હશે કે ખોટા માણસને ઉપાડી લાવ્યા.
Agreed with Jaybhai’s comment. I too don’t have high opinion for Bakshi.
There are always likes and dislikes for a person. Some of them are the results of one’s personal belief or prejudice. But we’ve a big circle of friends who’re fan of Chandrakant Baxi’s literatures.
મારા વિષે સારું બહુ જ ઓછું લખાયુ છે. રિવાજ નથી પણ લખાયું છે ઘણુ! લખવુ પડે છે. વિનોદ ભટ્ટ સાહેબ પ્યારથી હમદર્દીથી લખ્યુ છે એ માટે એમનો આભાર. આવો પ્યાર બહુ ઓછા કરે છે-
મારું કોઇ ગુટ, ગ્રુપ, ટોળકી નથી. હું લખુ છુ, વાચકો વાચે છે. નહી વાંચે ત્યારે એમને સલામ કરીને બંધ કરી દઇશ. સોફામાં ઘૂસીને પાઇપ પીતો પીતો ઇતિહાસના પુસ્તકો બાકીની જિંદગી વાંચ્યા કરીશ. જિંદગીથી મને શિકાયત નથી. મારા જેવા એકલા માણસે પોતે જ પોતાની વાત કરવી પડે એ સ્વાભાવિક છે-
બધા એકસાથે આટલી બધી ગુલાંટો શા માટે મારવા મંડી જાય છે? શુ તકલીફ છે એમને? મરાઠી નાટકના વીર્યથી ગુજરાતી રંગભૂમિનું ગર્ભાધાન થયુ છે માટે? કે આપણે મૂર્ધન્ય પત્રકાર બે કપ કોફી પાઇને ખરીદી શકાય છે? એક ચં.બક્ષી ગુજરાતી સાહિત્યનું એવું તો કેટલુ નુકસાન કરી નાખવાનો છે? એનુ ગજું કેટલુ?
વિવેચકો વિશે મારે કંઇ કહેવુ નથી. કામ કામને શીખવે. તૈયાર થઇ જશે.
વિનોદ ભટ્ટ અને બકુલ ત્રિપાઠી બંન્ને આપણા સર્વોત્તમ હાસ્યનેતાઓ છે. વધારે સર્વોત્તમ કોણ એ બંને આપસમાં સલાહસંપથી સમજી લે. મારે માટે તો બંને પટ્ટરાણીઓ જેવા છે. હું શુ કહુ?
-ચંદ્વકાન્ત બક્ષી
adore you, respect you , like both you… always have graceful and thoughtful…..
બક્ષિ સાહબ જેવા માનસો ખુબ જ ઓચા હોઇ ચ.
બક્ષીજી થોડા તિખ્ખા ખરા પણ તોય “ગજબ ના લેખક” છે.
બક્ષીજી ની કલમ = ટીપુ સુલતાન ની તલવાર
બક્ષીજી કરતા વધારે સંશોધન કરીને લખનાર લેખક જો તમને મળે તો માનજો કે તમે કંઈક નવુ શોધયુ છે.
બક્ષીબાબુ ઉપર તો વાંચીએ એટલુ ઓછુ…..એક ગુજરાતી તરીકે ગર્વ છે કે ચંદ્રકાંત બક્ષીને વાંચવાની અને મનભરીને માણવાની તક મળી છે.
…અભિયાનની તેમનિ નિયમિત કોલમમાં એક વાર ભુલથી મહેંદીહસન્સાહેબ્ ની
ગઝલ ગુલામ અલીના નામે લખી !!! હું ત્યારે યુએસ હતો, અને ત્યાંથી તેઓશ્રી
નો ફેક્ષ દ્વારા સમ્પર્ક કરીને આ ભુલ પરત્વે દ્યાન દોર્યું, તો સામેથી ફોન કરીને આભાર માન્યો અને એવું કહયાનું હજુએય યાદ છે કે ” તારા જેવા જાગ્રુત વાંચકો જ મારી
જણસ છે….” આવિ છે આપણા બક્ષીજીની ખેલદીલી….
I agree with Jay. To be a good human being is more important than to be a good author. Bakshiji might be a good author but as human being he did not score high. Respect is earned not demanded. Bakshiji demanded that every one should agree with his view and there is nothing worth beyond him. For him he believed that he was a god and nothing or no one matters. This is my personal opinion and I do not expect everyone to agree with me, so please dont try to make this a issue.
નો કોમેન્ટ! બક્ષીસાહેબ વિશે કંઇ લખવુ કે કોમેન્ટ કરવી એ છોકરમત છે! બસ બક્ષીસાહેબે લખેલી એક લીટી યાદ આવે છે..
“ગુજરાતી સાહિત્યને મેં શું આપ્યુ તેની ખબર નથી, પણ હા, વિવેચકોની એક આખી પેઢીને મેં ડ્રાંઉ-ડ્રાંઉ કરતાં શીખવાડ્યુ છે!”
I would not be surprised, If Bokshi had said Frogs learn How to drow drow… from me. Late Bokshi’s invaluable contribution to Gujarati Sahitya was full of Negativity and World does not believe in NEGATIVISM.Mr Boxy once said Ahmedabad International Airport’s name….SARDAR VALLABHBHAI PATEL INTERNATIONAL AIR PORT is my child brain. HOWG ARROGANT he was. GOD BLESS HIM.
લેખકનો પરિચય આવો સરસ. સ્વ-અભિમાનના આનંદની પરખ અને રજૂઆત ગમી. માત્ર તમે જ – ના સાથે નલિની બેન પણ- યાદ આવ્યા.
આ લેખ મા બક્ષિ નિ creativity ને દુશ્શ્મનિ હોવા ચ્હતા વિનોદભાઈ નિ સલામ ચ્હે.બક્ષિ વિશે opinion આપ્તા પહેલા પોતાનિ કક્ષા લોકો જોઇ લે તેવિ વિનન્તિ
Hats off to Vinodbhai even…hate love…when you love someone at one edge than its automatically turn in hate sometimes…that person took full responsibility to hate you but except him no one can hate you…if someone is going to hate you or irritate you than he start loving you……
Shri chandrakant Bakshi and Vinodbhai gave us great example “opinion can me differ but mind can not”…….
બક્ષી વિષે કૉમેન્ટ આપતી વેળા બક્ષી જેટલી ઔકાત કેળવવી પડે, મારી નથી. એ માણસ સત્ય ઉઘાડા કરી રહ્યો હતો એટલે દંભીઓનો ગરાસ લૂંટાઈ રહ્યો હતો…
I agree with Jitendrabhai and Sparsh Hardik.
100 sautes are even less for Bakshisaheb!
Keta Joshi
Toronto, Canada
Sorry ! I mean to say salute
All articles do not bring so many and lengthy comments. आ माणसमां कंइक तो छे.
Salute to Vinodbhai as he could say it so nicely without a faint sign of dislike.
નો કોમેન્ટ! બક્ષીસાહેબ વિશે કંઇ લખવુ કે કોમેન્ટ કરવી એ છોકરમત છે! બસ બક્ષીસાહેબે લખેલી એક લીટી યાદ આવે છે..
“ગુજરાતી સાહિત્યને મેં શું આપ્યુ તેની ખબર નથી, પણ હા, વિવેચકોની
મેં ડ્રાંઉ-ડ્રાંઉ કરતાં શીખવાડ્યુ છે!”
દિનેશ પટેલ