[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
સહજ થયા તે છૂટે,
અંકેડા ભીડ્યા હો એ તો, ડૂબાડે ને ડૂબે,
આકાશે અંધારું ફગવી, હાથ કર્યા બે ઊંચા,
ત્યારે એની છાતીમાંથી પ્રગટી ઝળહળ ઋચા.
આમ જ ખુદને ફગવી નાખે એ અજવાળાં લૂંટે,
શેઢા સુધી સમથળ ચાલો, ત્યાં સુરતને મેલો.
ઊંઘ, ધૂંસરી, જોતરનો ત્યાં થઈ જાવાનો રેલો,
ડાબે-જમણે ખેંચ્યેથી આ ખેતર તો નહિ ખૂટે.
પડની પૂંઠળ પડ ઊખળતાં શેષ વધે છે મીંડું,
પડ ઊખળતાં ભેળા ઊઘડે, તો ભાળે છે છીંડું,
જેને શોધો એ શોધે છે, ખોજ કરે તે ખૂંતે.
સહજ થયા તે છૂટે.
9 thoughts on “સહજ થયા તે છૂટે – સ્નેહી પરમાર”
સુંદર કાવ્ય. કવિએ અહીં માર્મિક રીતે સીધી લીટી નું જીવન જીવવાનો નિર્દેશ કર્યો છે.
“પડની પૂંઠળ પડ ઊખળતાં શેષ વધે છે મીંડું,
પડ ઊખળતાં ભેળા ઊઘડે, તો ભાળે છે છીંડું,”
આભર્
સુંદર અર્થગંભીર ગીત!
સુધીર પટેલ.
ખુબ જ સરસ અર્થ સભર કાવ્ય ….
snehi,sneh purvak kahu sneh sabhar svikarjo,gahantani charam sima taraf dori jati rachna.
અરે વહ આભર્
સ્નેહીભાઈ,
સરસ રચના ! મજા આવી ગઈ.
કાલિદાસ વ. પટેલ ( વાગોસણા )
Hello Kalukaka,
This is Hemen son of vinod shah from Soja. Please give me your Austrelia’s mobile number on shemen77@gmail.com so that papa can call you.
Thanks
Hemen V Shah ( Pune )
Awesome
Feeling “SAHAJ”