[ રવીન્દ્રનાથ ટાગોરના આ કાવ્યમાં ભગવાનના પ્રતીક તરીકે સૂર્ય છે અને ભક્તના પ્રતીક તરીકે ઝાકળનું બિંદુ છે. તેનો અનુવાદ શ્રી ઝવેરચંદ મેઘાણીએ કર્યો છે.]
ઝાકળના પાણીનું બિંદુ
એકલવાયું બેઠું’તું,
એકલવાયું બેઠું’તું ને સૂરજ સામે જોતું’તું.
સૂરજ સામે જોતું’તું ને ઝીણું ઝીણું રોતું’તું.
‘સૂરજ ભૈયા ! સૂરજ ભૈયા ! હું છું ઝીણું જલ-બિન્દુ.
મુજ હૈયે તમને પધરાવું શી રીતે હે જગ-બન્ધુ !
તમે દૂર વાદળમાં વસતા, સાત અશ્વને કરમાં કસતા,
બ્રહ્માણ્ડોની રજ રજ રસતા ઘૂમો છો બન્ધુ !
તમ વ્હોણું મુજ જીવન સઘળું અશ્રુમય હે જગબન્ધુ !’
‘જલબિન્દુ રે જલબિન્દુ ! ઓ નાજુક જલબિન્દુ !’
સૂરજ બોલે, ‘સુણ બન્ધુ !
હું તો ત્રિલોકમાં ફરનારો, કોટિ કિરણો પાથરનારો,
ગગને રમનારો.
તેમ છતાં હું તારો તારો હે ઝાકળબિંદુ !
તોય મને તું વ્હાલું વ્હાલું બાળાભોળા જલબિંદુ !
તુજ હૈયે હું પોઢી જાણું ! હે ઝાકળબિન્દુ !
તુજ સરખો નાનકડો થૈને, તુજ અંતરમાં આસન લૈને,
ઈન્દ્રધનુની રમતો રમવા આવીશ હે બિન્દુ !
તુજ જીવનમાં પ્રકાશ લાવું, તુજ અશ્રુને હાસ્ય બનાવું,
હે નાજુક બિન્દુ !’
હસતે મુખડે સૂરજતણા જલ-બિન્દુમાં જઈ સમાણા,
રુદન ભર્યા જીવનમાં ગાણાં ગાઈ રહ્યું ઝાકળબિંદુ
5 thoughts on “ઝાકળબિંદુ – અનુ. ઝવેરચંદ મેઘાણી”
મને આ કાવ્ય ખુબ ગમે ૬
લાલિત્યપુર્ન પદ રચના…..
આવી સુંદર કલ્પના તો કવિવર રવીન્દ્રનાથ ટાગોર જ કરી શકે ને ?
અને આટલો સરસ ભાવાનુવાદ પણ મેઘાણી સાહેબ જ કરી શકે ને ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
કવિ મેઘાણી કે કવિવર ના વખાણ કરવા શબ્દો ખુટી ગયા છે
Mobile No-9904258321
Avvi rachna to kavivar ni j hoi jama koi shanka na sthaan nathi ane avo anuvad rastriy shayar(meghani)vina kon kari shake dhanya che aa veerla na