[‘ગુજરાત’ સામયિક દીપોત્સવી-2012માંથી સાભાર.]
એક સપનાની રહી કેવી અસર,
છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર.
હું તને ક્યાંથી મળું એકાંતમાં,
આપણી વચ્ચે વસે આખું નગર.
જીવવાનો અર્થ આવો થાય છે –
પાર કરવાનો સમુંદર મન વગર.
ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર.
પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે,
મ્હેંક જેવું કોણ પામે શી ખબર !
5 thoughts on “મન વગર – દર્શક આચાર્ય”
સરસ….ગમ્યુ..:-).
ekdam saras ….
ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર
સરસ નમન હોઇ તો માદવે જવાય સફએર પન થાય્
mhek ni to khabr nhi pan dekhay 6e ama zalak koi premi yugal ni
દર્શકભાઈ,
આપણું કામ તો ફૂલની જેમ ખીલવાનું … મહેંક કોણે લેવી તે નક્કી કરવાનું નહિ ! આપની ખુદ્દારી ગમી.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}