[હાર્દિકભાઈ રાવલ મુ. પો. ખોપાળા, તા ગઢડા, જી. ભાવનગરના છે અને સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે આસિસ્ટન્ટ ઑડીયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ છે. સાહિત્ય અને વિજ્ઞાન તેમના રસના વિષયો છે. તેમનું ‘શબ્દની સુવાસ’ નામે પુસ્તક પ્રસિદ્ધ થયુઁ છે અને ભાવનગરના પગદંડી સમાચારમાં તેઓ ‘માણસ માણસ રમીએ’ કૉલમ લખે છે. પ્રસ્તુત ચિઁતન રીડગુજરાતીને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ. આપ તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે hardikraval2012@gmail.com પર કરી શકો છો.]
ચાલો, ઉત્સવ મનાવીએ, આપણાં માણસ હોવાનો, પણ થોભો,
થોડુંક આ પહેલા વિચારીએ, આપણે માણસ તો છીએ ને?
આપણે એક યાદી બનાવીએ, કે જેમાં
– ભૂલી ન શકાય તેવા પરમ મિત્રો, અને ઉષ્માભર્યા સંબંધો હોય,
– પરમ સત્ય બોલ્યા હોય તેવા પ્રસંગો હોય,
– સ્વાર્થ વિનાં મદદ કરી હોય તેવા લોકો હોય,
– ખોટું બોલ્યા પછી ખુલાસો કર્યો હોય તેવા દ્રષ્ટાંતો હોય, અને
– મૂંગા પશુઓ સાથેનો આપણો પ્રેમભર્યો વ્યવહાર સમાવી લેવાયો હોય.
પછી જોઈએ કે આપણી આ યાદી કેટલીક લાંબી થાય છે. માનવ હોવાની આ પારાશીશી વડે આપણી જાતને ચકાસીએ. જેટલી આ યાદી વધુ લાંબી, તેટલી આપણી માણસ હોવાની સંભાવના વધુ.
અહીં મારે માણસ જેવા રોબૉટની અને પછી રોબૉટ જેવા બનતા જતા લાગણીશૂન્ય માણસની વાત કરવી છે. ડાર્વિને ઉત્ક્રાંતિવાદ આપ્યો અને જીવન તથા જગત વિશે વણ ઉકેલ્યા પ્રશ્નો ઉપર પ્રકાશ પડયો. કરોડો વર્ષોના વિકાસ પછી ચોપગા વાનરમાંથી બેપગા માનવનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. લાગણી, બુદ્ધિ, તર્ક અને કલ્પના શકિતમાં અસીમ ઉપલબ્ધી સેવીને આજે મનુષ્ય આ સૃષ્ટિમાં ટોચનું સ્થાન ધરાવે છે. નવી નવી ક્રાંતિ સર્જી માનવીએ આ જગતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે.
મનુષ્ય બુદ્ધિશાળી હોવાની સાથે સાથે લાગણીશીલ અને ભાવનાત્મક પ્રકૃતિ ધરાવે છે. માટે જ માણસે કુટુંબ અને સમાજમાં રહેવાનું પસંદ કર્યુ. એકમેકને હુંફ અને કાળજીથી ઉછેરતો ગયો, માટે જ લગ્નસંસ્થા આજ સુધી જીવંત છે. માણસે હંમેશા સરળતાવાદી વલણ દાખવ્યું છે. વધુ નુકશાનથી ઓછા નુકશાન તરફ, દુર્ગમતાથી સુગમતા તરફ અને ઓછી સગવડથી વધુ સગવડ તરફ તે ગતિ કરતો રહયો છે અને હંમેશા સમય અને શક્તિ બચાવી વધુ કાર્યક્ષમ પરિણામો મેળવી શકાય તેવા સાધનોનો વિકાસ કરતો રહ્યો.
સાઈકલ પછી મોટરસાઈકલ અને પછી કારની શોધ એ સમય અને શકિતનો બચાવ છે. ટપાલ પછી તાર અને પછી એસ.એમ.એસ. એ શું છે? મનુષ્ય જેવો લાગતો અને તેનાં કરતા અત્યંત શકિતશાળી રોબોટ બનાવવાનું લક્ષ બીજુ શું હોઈ શકે? આટલા બધા યંત્રો, સાધનો અને સગવડતા પછી પણ ર૧મી સદીનાં ખૂબ ઓછા લોકો છાતી ઠોકીને કહી શકે કે મારી પાસે સમય પણ છે અને શકિત પણ. એ કેવી વિડંબના?
આપણે આટલા વર્ષો જેને બચાવવાની કોશિશ કરી એ બચી જવા પામ્યુ ખરૂં. છતાં આપણે સુખી હોવાનાં બગણાં ફૂંકતા થાકતા નથી. શું આપણે સુખી છીએ ખરા? યંત્ર ઉપર નિર્ભર થતો ગયો તેમ તેમ માણસ પોતાનું માણસપણું ગુમાવી રહ્યો છે તેમ નથી લાગતુ? યંત્રની વિકૃતિમાં જડાયા પછી લાગણી બચી જવા પામે ખરી? આજે માણસ પાસે નિરાંતે શ્વાસ લેવાનો સમય નથી, ઊંડા અને ઉષ્માભર્યા સંબંધો નથી અને મળવા જેવા માણસોનો તો જાણે દુષ્કાળ પડયો હોય તેવુ લાગે છે. છતાં આપણે માણસ હોવાનો ઢંઢેરો પીટતા ફરીએ એ માણસનાં નામે કલંક જેવુ નથી લાગતું?
હળ ચલાવવાની તાકાત ગુટખા ખાતા યુવાનમાં રહી નથી. માયકાંગલા શરીર અને સંવેદના વિહોણા હૃદય લઈ માણસ હોવાની મશાલ કયાં સુધી સળગતી રહેશે ? જીવંત વાતાવરણમાં રહેતા હોઈએ તો આપણામાં જીવંતતા પાંગરે. કમ્પ્યુટર અને મોબાઈલ સ્ક્રીનની સામે બેસી રહીએ તો લાગણીનું સંવર્ધન અટકી પડે.
ઘણાખરા લોકોને છેલ્લે સૂર્યોદય કયારે જોયો એ યાદ પણ નહીં હોય, ચકલીનું ગીત આપણે પથારીમાં હોઈએ છીએ ત્યારે પૂરું થઈ જતું હોય છે. વેલેન્ટાઈનના દિવસે ફૂલવાળી ગુલાબનાં ઢગલા કરીને બેઠી હોય ત્યારે થોડીક સુગંધ પામી શકાય. બાકીનાં ત્રણસોને ચોસઠ દિવસોમાં તો કોને ખબર કે ફૂલ એટલે શું? ત્યારે પ્રશ્ન થાય કે માણસ જેવા રોબૉટ તો આપણે બનાવ્યા, હવે ધીરેધીરે રોબૉટ જેવા માણસો તો તૈયાર નથી થતાં ને? નાનપણથી જ બાળકને રોબૉટ બનવાની તાલીમ મળવા લાગે છે. આપણી પાસે બાળકને રમાડવાનો અને તેની જીજ્ઞાસા સંતોષવાનો સમય તો છે નહીં, માટે તેને એક બે પ્લાસ્ટીકના રમકડા પકડાવીને છોડી દઈએ છીએ, યંત્રમાનવનાં સામ્રાજયમાં આગળ ધપવા માટે.
માટીનાં બળદગાડાઓ ગાયબ થઈ ગયા. પાણીમાં પેલી હોડીઓ ક્યારનીય તણાઈ ગઈ. પાંચીકા રમતા હવે કેટલી છોકરીઓને આવડે? માટીમાં કૂબા પાડવાનું બાળકો ભૂલી ગયા. હવે બાળકો ટચસ્ક્રીન મોબાઈલમાં કાર્ટૂન જોવાનું પસંદ કરે છે અને એ રીતે પોતાની જાતને દિશાશૂન્ય, લાગણીશૂન્ય અને વિચારશૂન્ય બનાવી લે છે.
બાળકમાં નામશેષ થઈ રહેલા માણસનું સંવર્ધન કરવાનું અને તેમાં ધૂસપેઠ કરતા રોબૉટનું નિકંદન કાઢવું જરૂરી છે. નહીંતર…
– હાર્દિક રાવલ
26 thoughts on “રોબૉટ જેવા માણસો – હાર્દિક રાવલ”
સરસ લેખ – મ્રુગેશભાઈએ શરુ કરેલુ આ કાર્ય અવિરત ચાલુ રહે તેમ પ્રાર્થુ છુ
લેખને બિરદાવવા બદલ આભાર્
ખુબ સરસ્…
આભાર્…………….
પોતે માણસ છે એવી અનુભૂતી તો ત્યારે થાય છે જ્યારે વીજળી/બેટરી ઠપ્પ થઈ જાય છે.
kharekha sachi vat chhe.
manas teknology ne etlo badho aadhin thai gayo chhe,
ke potanu sahaj jivan bhuli gayo chhe.
સંવેદન હિન સમાજ માં આ બધુ લખાણ બહેરા કાને અથડાઈને પાછું પડતું જણાયછે .
સુંદર ભાવવાહી લેખ .વાંચીને બાળપણ યાદ આવ્યું કે આપણે કેટલા સમૃદ્ધ હતા , કેટલા સદનસીબ હતા ?
T.V ANE MOBILE VALA BALPAN MA EVI MAJA KYA ?
JEVI MAJA MOY DANDIYA ANE PACHIKA MA HOY
AABHAR
ખુબ સરસ હર્દિક ભૈ ,,,,,,,,ખુબ ગમ્યુ,,,,…….
PRATIBHAV BADAL AABHAR
LEKH VACHYO E GAMYU
ANAND THAYO
ખુબ્ સરસ …….
MANVIYTA NA AA YAGNA MA AHUTI AAPVA BADAL AABHAR
ખુબ સરસ
ખુબ ખુબ આભાર
Khub saras lekh chhe.
આભાર્
ભાઈ લેખ ઘણો સરસ છે
ગમ્યો,
સારી કોમેન્ટ લખવાનુ વિચાર્યુ, પણ વિચારી ના શક્યો,
હવે ઍ વિચારુ છુ, કે તમે લેખ કઈ રીતે લખ્યો
ખૂબ સરસ…..
તમારો પ્રતિભાવ ખુબ જ ગમ્યો
માનસ આજે મબઐલ થૈ ગયો
HA,
SACHI VAT CHHE.
MANAS AAJE ROJBAROJ TEKNOLOGY MA JADATO JAY CHHE.
MOBILE NI TOUCH SCREEN MA POTANI JAT NE NICHOVI NAKHE CHHE.
ANE AAM J MANAS MANAS NAHI RAHETA YANTRA VAT BANI JAY CHHE.
PRATIBHAV AAPVA BADAL AABHAR
KHUB SARAS…….. AANADA THAYO…. MAHENAT LEKHE LAGI… KHUB PRAGATI KARO TEVI SHUBHKAMANA….
PRATIBHAV VANCHI ANAND THAYO.
MAHENAT FALE J.
KARELU KARM KYAREY NASHT THATU NATHI.
PRATIBHAV BADAL ANE SHUBHKAMNAO BADAL AABHAR
TAMARA POTANA GROUP MA AA WEBSITE NI LINK SHARE KARO.
આજના યુગનો માનવી સાવ જ મીકેનીકલ થઇ ગયો છે. ( Total Minfullness ) આ શબ્દનો અર્થ ખુબ જ સમજવા જેવો છે. આજ ના ઝડપી સમયમાં માણસને એક સાથે ઘણું બધું કેરી લેવું છે. નોકરી, ધંધો, સામાજિક જવાબદારી, મિત્રો સાથે વાતો, ફોન પર વાતો, ફેસ બુક, વોટ્સાપ વગેરે વગેરે. બધુય કરવું છે અને એક સાથે જ. એક જ સમયે એક જ કામ પણ ખુબ રસ પૂર્વક. ખુબ આનંદથી. કામનો ભાર રાખ્યા વગર કામ કરો. જુવો કેવો આનંદ આવે છે. મશીન યુગમાં માનસ પણ મશીન બની ગયો છે. સગવડો છે પણ જીવતા આવડતું નથી. દરેક કામ ખુબ જડપથી કરવા છે. જેની કોય જરૂર નથી ખુબ કામો કાર્ય કરતા જે પણ કરીએ ખુબ આનંદ અને ઉત્સાહથી કરીએ, અજમાવી જુઓ. થાક, કંટાળો બધું ગાયબ થઇ જશે.
સાચી વાત છે.
ખરા આનંદની અનુભૂતી માણવા માટેનો રસ્તો આપણે ભૂલી ચૂક્યા છીએ.
આંખો બંધ કરીને સૂર્યને દોષ દેવો એ મૂર્ખતા છે.
એ જમાનો કેટલો સારો હતો જયારે બ્લેક બેરી અને એપલ ફક્ત ફ્રુટ જ હતા. માનસ મેડીટેશન કેમ કરે છે જનો છો, કારણ કે બધાય પ્રશ્નો ના જવાબ ગુગલ નથી આપી શકતું !!! જીવનને મેકેનીકલ નહિ બનવો, લાઇવ રાખો.
હાર્દિકભાઈ,
માણસ રોબોટ જેવો થઈ ગયો છે તેમાં વિજ્ઞાનથી મળેલી સગવડોનો વાંક કાઢવાની જરૂર ખરી ? માનવીની હ્રદયશૂન્યતા માટે વિજ્ઞાન જવાબદાર છે ? વિજ્ઞાન વગરનું જગત ક્લ્પી શકાય ખરું ? વિજ્ઞાન કોઈ દિવસ કહેતું નથી કે તમે સંવેદનશૂન્ય બનો ? બળદગાડાના જમાનામાં આપણે ખૂબ સુખી હતા અને હવે નથી … જેવો અભિગમ યોગ્ય લાગતો નથી.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
વાંક વિજ્ઞાનનો નથી,
વાંક ટેક્નોલૉજી કે સુવિધાનો નથી.
પ્રશ્ન ભૌતિક સાગવડોને વળગી રહેવાનો છે.
બળદ ગાડાને વળગી ન રહ્યા આપણે, એટલે સુખી થયા.
મોબાઈલના કે કમ્પ્યુટરના ઉપયોગ સામે લેશ માત્ર પ્રતિકાર નથી.
પ્રતિકાર છે, તો માત્ર અને માત્ર, એને આધીન થઈ જવા બાબતનો.
મોબાઈલની રીંગમાં ચકલીનું સંગીત નિરખવાનો આપનો અભિગમ બદલાઈ જાય એ ન પાલવે. ટચ સ્ક્રીનનું એટેચમેન્ટ સૂર્યના ઉદયને માણવામાં બાધારૂપ બને એ ખોટનો ધંધો કહેવાય.
ફેસબૂકના કારણે વાંચવાનું છૂટી જાય, વિચારવાનું છૂટી જાય. સંવેદવાનું ભૂલાઈ જાય એ મનુષ્યને શોભારૂપ નથી.
સેમી બળદગાડાનો હોય કે જેટ પ્લેનનો, સવેદનશૂન્ય થવાનું વ્યાજબી નથી.
આધૂનિક જગતના ખોળામાં બેસીને માતાના વાત્સલ્યને વૃધ્ધાશ્રમના આંગણે તરછોડી દેવાની વૃત્તિ ન પાલવે.
એક કાખમાં આધૂનિક વિજ્ઞાન અને બીજી કાખમાં માનવતાની મશાલ લઈ ચાલીશુ, તો વધુ દૂર સુધી પડ્યા વિના, આખડ્યા વિના, જઈ શકીશું