સૌપ્રથમ તો મૃગેશભાઈના પિતાજી શ્રી ધનંજયભાઈ શાહ રીડગુજરાતીના સર્વે વાચકો, મૃગેશભાઈની માંદગી અને અવસાનના કપરા સમયમાં પડખે રહેનાર સર્વે સહ્રદયો, મદદકર્તાઓ અને સહભાવકોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. તેમણે મને કહ્યું કે કેટલા બધાં લોકોએ ફક્ત ઓનલાઈન ઓળખાણે કેટકેટલી મદદ કરી છે, એ ઋણાનુબંધ નહીં તો બીજુ શું? એ સર્વે જાણીતા – અજાણ્યા લોકોનો આભાર કઈ રીતે વ્યક્ત કરવો? દરેક સુધી અંગત રીતે પહોંચવુ શક્ય ન હોઈ આજના દિવસે એ સર્વેનો તેઓ હ્રદયપૂર્વક અને નતમસ્તકે ધન્યવાદ કહેવા માંગે છે. તેમનો સર્વે પ્રત્યેનો આ આભાર વ્યક્ત કરવા કોઈ શબ્દો નથી, ફક્ત એક લાગણી છે જેની અભિવ્યક્તિ શબ્દોમાં મૂકવી મારે માટે અશક્ય છે.
સ્વ. મૃગેશભાઈની ગેરહાજરીમાં રીડગુજરાતી દસમા વર્ષમાં પ્રવેશી રહી છે, એટલે આ લખું છું ત્યારે દસમા વર્ષમાં પ્રવેશને મંગલ કઈ રીતે કહેવો એ પ્રશ્ન સ્વાભાવિક છે. થોડાક દિવસ પહેલા મૃગેશભાઈના ઘરે તેમના પિતા સાથે તેમના ઘરે બેઠો હતો, રીડગુજરાતી અને અન્ય અનેક બાબતો વિશે તેમની સાથે વિગતે વાત થઈ. તેમની સ્વસ્થતા અને સંજોગોનો માર સહન કરવાની ક્ષમતા ગજબની છે, એકના એક પુત્રને ખોઈ બેઠેલા પિતાને માટે આ ખૂબ મુશ્કેલ વાત છે, પણ પુત્રની એકમાત્ર ઇચ્છા, તેના કર્મને આગળ ધપાવવાની ખેવના પણ એટલી જ સહજ છે. એમણે મને કહ્યું, ‘ગમે તે રીતે રીડગુજરાતીને ચાલુ રાખવાનો પ્રયત્ન કરવો જ છે.’ એક ક્ષણે તો વર્ડપ્રેસ અને સમગ્ર વેબસાઈટ ચલાવવાનિ પ્રક્રિયાઓ એ શીખવા તૈયાર થઈ ગયા હતા, પણ પુત્રવિયોગ એ બધુંય તરત થવા નહીં દે, એને થોડોક સમય અવશ્ય લાગશે. તેમનો જુસ્સો જોઈને મને પણ થયું કે અનેકોનો પ્રેરણાસ્ત્રોત એવી આ વેબસાઈટ બંધ તો ન જ થવી જોઈએ. મને લાગે છે કે સાહિત્ય આપણને ગમે તેવા કપરા સંજોગોમાંથી પણ માર્ગ શોધીને આગળ વધવાની પ્રેરણા આપે છે, એ હતાશ મનમાં નવો જુસ્સો અને કામ કરવાની ધગશ પ્રેરે છે, એ અશક્યતાઓના વાદળોની વચ્ચેથી પણ શક્યતાના સૂર્યકિરણો મોકલે છે. મૃગેશભાઈની વાતને, ઇચ્છાને અને કાર્યને આગળ ધપાવવું એ જ એક માત્ર ઉદ્દેશ રાખીને તેમના પિતાની ઇચ્છા મુજબ હું અત્યારે રીડગુજરાતીના સર્વ વાચકો સમક્ષ ઉપસ્થિત થયો છું ત્યારે મનમાં એક સંતોષ છે, આ વેબસાઈટને આગળ ધપાવવામાં શક્ય પ્રયત્ન કરી શકવાનું. મૃગેશભાઈ જ્યાંથી પણ આ જોતા હશે, તેમના કાર્યને આગળ વધતું જોઈને અવશ્ય આનંદ અનુભવતા હશે.
રીડગુજરાતી માટે આગળનો આગળનો રસ્તો સહજ નથી, પણ મૃગેશભાઈના પિતાની સાથે થયેલ ચર્ચા મુજબ રોજ એક લેખ મૂકવાનો પ્રયત્ન થશે. આ માટે અનેક હાથની જરૂર પડશે. અત્યારે થયેલ ગોઠવણ મુજબ લેખની પસંદગી મહદંશે ધનંજયકાકા કરશે અને એમાં જરૂર પડ્યે હું પણ મદદ કરીશ. આ ઉપરાંત લેખ મૂકવાની, એડીટીંગની અને વેબસાઈટ સંભાળવાની જવાબદારી મેં સ્વીકારી છે, દરેક કામમાં મદદની જરૂર પડશે, એકથી વધુ મિત્રોનો સહકાર જોઈશે અને આશા છે કે એ મળી રહેશે. રીડગુજરાતી માટેના લેખ કાયમની જેમ મૃગેશભાઈના જ ઈ-મેલ સરનામે મોકલવાના રહેશે. જે મિત્રો લેખ ટાઈપ કરવામાં, વેબસાઈટ સંચાલનમાં અને આર્થિક રીતે – એમ ત્રણમાંથી કોઈ પણ રીતે મદદ કરવા માંગતા હોય તેમનું સ્વાગત છે. આ ઉપરાંતની કોઈ પણ સહાય સહર્ષ આવકાર્ય છે.
જેમ મૃગેશભાઈ હવે શરીર છોડીને પંચતત્વમાં ભળી ગયા તેમ રીડગુજરાતી પણ હવે સર્વની વેબસાઈટ થઈ છે, એક સંપાદક તરીકે અમારી ફરજ ફક્ત તેને યોગ્ય રસ્તે રાખવા પૂરતી જ રહેશે. આપણા સૌની આ વેબસાઈટ આજે દસમાં વર્ષમાં પ્રવેશી રહી છે ત્યારે અહીં પણ સનાતન નિયમ મુજબ બદલાવ જ પ્રકૃતિ છે, રીડગુજરાતીની પદ્ધતિ અને સંચાલનમાં પણ આવનારા સમયમાં થોડોઘણો બદલાવ થશે જ, પણ તેની મૂળભૂત પ્રણાલી, સારતત્વ અને સત્વને ધ્યાનમાં રાખવાના છે, તેમાં સહેજ પણ બાંધછોડ નહીં થાય. વાંચન માટે આતુર સૌ વાચકમિત્રોને રોજ એક લેખ આપી શકું એ માટે બનતી કોશિશ કરીશ. દસમા વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે રીડગુજરાતી માટે આપની શુભેચ્છાઓ ચાહું છું.
દસમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આજે સર્વે વડીલ સાહિત્યકારો, ઉત્તમ પુસ્તકો અને લેખન રીડગુજરાતી સુધી પહોંચાડનાર સૌ પ્રકાશકો તથા લેખક મિત્રો, મૃગેશભાઈની બીમારી – અવસાન દરમ્યાન મદદ માટે ખડે પગે ઉભા રહેનાર તથા આર્થિક સહાય કરનાર મિત્રો, વેબસાઈટના ખર્ચ અને સંચાલન માટે સહાયતા કરનારા સૌ દાતાઓ, સમગ્ર રીડગુજરાતી વાચક પરિવારની શુભેચ્છાઓ અને આશિર્વાદની આજે સૌથી વધુ જરૂર છે. વિચારપ્રેરક અને સત્વશીલ સાહિત્યના વાંચન દ્વારા રીડગુજરાતી આપણા સૌના જીવનપથને વધારે ને વધારે ઉજ્જ્વળ અને પ્રકાશિત કરવામાં નિમિત્ત બને તેવી પ્રાર્થના સાથે વીરમું છું.
– જીજ્ઞેશ અધ્યારૂ
25 thoughts on “રીડગુજરાતી : દસમા વર્ષમાં મંગલ પ્રવેશ…”
ખરેખર જીજ્ઞેશભાઈ તમે મૃગેશભાઈ હમેશા યાદ રહે તેવુ કાર્ય કરિ રહયા છો. .
I am a blogger and reader of readgujarati.com
feeling very shocked with this news.
let me know if any help i can provide technically or in wordpress.
Really nice initiative taken by you Jigneshbhai, all the best and keep it up.
જીગ્નેશ ભાઈ તમારા દ્વારા થઈ રહેલ કાર્ય જ મૃગેશભાઈ માટે સાચી શ્રધ્ધાંજલી છે.
Jignesh Adhyaru ji aapnu aa karya jarur safl thase.
ane mara layak kai pan kaam hoi to jarur kahejo.
Email Id : hinakulal@gmail.com
facebook : https://www.facebook.com/kulal.hina
mara thi bantu kaam hu jarur karis.
mrugesh bhai miss you
Happy Birthday
jigneshbhai ishwar tamari sathe che..sw. mrugeshbhai na prerna strot thi READ GUJARATI hammesh update reahe teva wishes chee.
May almighty father give eternal peace to the departed soul of Mrugeshbhai.
ખરેખર આજે પણ આંખો વરસેી રહેી છે .. કલ્પ્ના જ કરેી શકાતેી નથેી કે મૃગેશભાઈૅૅ હવે આપણેી વચ્ચે નથેી . ..ખેર્.. ! આ સમાચાર મલ્યા ત્યારે હું પણ લંડનમાં સંજોગોવશાત હોસ્પેીટલ નેી દોડભાગમાં હતેી.. પરંતુ આ વાસ્તવિકતા સ્વિકારવેી જ આકરેી છે .. ! ખેર ઇશ્વરને પ્રાર્થના કરેીએ કે સદગતનાં આત્માને શાંતિ અર્પે. આજે આ સાઈટ મૃગેશભાઈનું સ્વપ્ન હતેી અને હમેશ ચાલુ રહેશે જ્યારે કે ખાસ કરેી ને આપ જેવા મિત્ર આ સાઈટને આગળ લઈ જવા તૈયાર હોય તો સમગ્ર બ્લોગજગત આપનેી સાથે જ હશે જિગ્નેશભાઈ! પુજ્ય કાકાને પણ આપનેી આ તૈયારેીથેી હિંંમત રહેશે.. આપને બનતેી મદદ કરવા કોશિશ કરેીશું. આજે મેં સમન્વય પર શ્રદ્ધાંજલેી અર્પણ કરેી છે .. જયશ્રેીકૃષ્ણ .
VERY NICE TO SEE CONTUINITY OF READGUJARATI.COM .THANKS TO SUPPORT & EFFORTS BY SHRI JIGNESHBHAI & WILL OF SHRI DHANANJAYKAKA — GOVIND SHAH
શ્રી ધનંજયભાઈ ની સ્વસ્થતા અને સંજોગોનો માર સહન કરવાની ક્ષમતા એ જ તેમની આધ્યાત્મિક ભૂમિકા ની ઊંચાઈ પ્રદર્શીત કરે છે.
શ્રી મૃગેશભાઈના ગુજરાતી ભાષા માટેના તરવરાટની અને નિષ્ઠાની બરોબરી કરવી તો કોઈપણ માટે અશક્ય છે પણ તેમનો આ દિવડો જલતો રહે તે જોવાની સમગ્ર ગુજરાતીઓ ની હવે ફરજ બને છે.
શ્રી મૃગેશભાઈનુ સ્થૂળ અસ્તિત્વ જયારે આપણી વચ્ચે નથી ત્યારે તેમનું તસ્વીરી અસ્તિત્વ ‘રીડ ગુજરાતી’ની વેબસાઈટ પર કાયમ માટે તરતું રહે તેવું ન થઈ શકે?
જીજ્ઞેશભાઈ, ધનંજયભાઈ અને મૃગેશભાઈને અન્તઃકરણ પુર્વક આભાર.
its a really blow for our badluck. we lost a young energetic loving friend. your initiative is nice. all the members of the readgujarati circle are with you .
Jigneshai go no thanks for continutiy keep it up all the best
મ્રુગેશભાઇના અવસાનથેી પારાવાર દુખ થયુ છે. તેઓ રિડગુજરાતિ ને પુરેપુરા સમર્પિત હતા. હુ તો તેમને લિધે જ લખતો થયો છુ. મારા પ્રવાસને લગતા ઘણા લેખો તથા વાર્તાઓ તેમણે પ્રસિધ્ધ કર્યા હતા. સહિત્યમા તેમનુ પ્રદાન અજોડ છે.
પ્રવિણ શાહ
‘રીડગુજરાતી ’ એના થનગનાટ સાથે આગળ વધે એજ હાર્દિક શુભેચ્છા.એ માટે મારાથી જે સહકાર આપી શકાય તે આપવાની ખાત્રી સાથે.
ગોપાલ
જીગ્નેશભાઇ, મૃગેશભાઇનું અધૂરું છુટેલું કામ તેમના પિતાના આશિષ અને લાખો શુભેચ્છકોની દુઆઓ થકી તમે કરી શકશો એવો વિશ્વાસ જાગે છે. ગુજરાતી આપણી માતૃભાષા છે એટલે જ નહિ પણ એક સમૃદ્ધ ભાષા છે એટલે પણ એનું જતન થવું જોઈએ. ગુજરાતીને web ની પાંખો મળી એ પછી ગુજરાતી સાહિત્યને માણનારો યુવાવર્ગ વધી રહ્યો છે ત્યારે સર્વપ્રિય હોવા સાથે સાત્વિક સાહિત્ય વેબ પર મળી રહે એ અત્યંત જરૂરી છે. મૃગેશભાઈએ શરુ કરેલી પ્રવૃત્તિ અત્યારે વિસ્તૃતપણે અનેક બ્લોગ સાથે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરી રહી છે એ જ એમના ભગીરથ કાર્યની શ્રદ્ધાંજલિ ગણી શકાય. તમારી રુચિ તથા અભિગમ આ વેબ સાઈટને એના ધ્યેયને અકબંધ રાખવા સાથે વિકસિત કરે એ જ શુભેચ્છા. સારા કાર્યને મદદ કરનારા મળી જ રહેવાના એથી રીડગુજરાતી સૌની સહાયથી અવિરત પ્રગતિ કરશે જ એવી શ્રદ્ધા સાથે જય ગુર્જરી.
Jigneshbahi,
Aap tatha Pujy Dhananjaybhai Kharekhar abhinandan ne patra 6o. Dhananjaybhai ni shikhavani vaat thi kharekhar aansu aavi gaya. Readgujarati sathe Mrugeshbhai ni lagni jodayeli 6e. Te uttarottar pragati kartu j raheshe, tema koi shanka nathi. Aaap banne kharekhar prernadai kary kari rahya 6o. Good luck…May God Give You All the Strength you need…! !
Jigneshbhai,
Wishing you all the best. May you have strength and resources to continue the noble task that Mrugeshbhai started.
જનારની ખોટ કદિ પુરાતી નથી પરંતુ આપ સૌના આ શુભ નિર્ણ્ય્થી મૃગેશભઈની ખોટ સહ્ય બનશે. આપના આ નિર્ણ્ય બદલ આપ સૌનો આભાર.
જિગ્નેશ્ભાઈ ધનન્જયભાઈ આપનો આ દિપક હમેશ જલતો રાખવા જે ભગેીરથ કાર્ય કરેી રહ્યા તે માતે સૌનો આભાર્. મ્રુગેશ્ભાઈનો આત્માને જરુર ત્રુપ્તેી થશે.
ખરેખર તમે રેીડ ગુજરાતેીને ચાલુ રાખવાનુ કમ ઉપાડ્યુ એ એના સૌ વાચકોના દિલનેી
વાત સુણેી .ખુબ ખુબ આભાર
એમ્ના પિતાજેીના સ્પિરિટને પણ વખાણવો રહ્યો.
કામની વ્યસત્તા ને કારણે હમણા ઘણા વખતથી રીડ ગુજરાતી.કોમ પર આવી નહોતો શક્યો. આજે આવ્યો અને મ્રુગેશભાઈના દુઃખદ અવસાનના સમાચાર જાણ્યા. મન માનવા જ તૈયાર નહોતુ કે મ્રુગેશભાઈ નથી રહ્યા. આંખો ભરાઈ આવી.કોઈ કવિની આ પંક્તિઓ યાદ આવી ગઈ.
” પ્રભુ, આ તારો કેવો ન્યાય?
પત્થરો તરી જાય છે ને ફૂલડાઓ ડૂબી જાય છે”
વડીલ શ્રી ધનંજયભાઈને તથા શોકસંતપ્ત પરિવારજનોને heartfelt consolation.
શ્રી જીગ્નેશભાઈને salute from the bottom of my heart.
There is no word about your work….Jigneshbhai.
મરુગેશ ભાય નિ કાયમિ યાદ ગિરિ ચ્હે આઆ
જીગનેશભાઇ તમે ખરેખર સરાહનીય કાર્ય કરો છો. આભિનન્દન અને શુભકામના ઓ.