(‘લોકગુર્જરી’ સળંગ અંક ૨૭, આવૃત્તિ ૨૦૧૩ માંથી સાભાર) કેન્યા-નૈવાશામાં શ્રદ્ધેય મોરારિબાપુની રામકથા શ્રવણપાન માટે આયોજકના નિમંત્રણથી કેટલાક સાહિત્યકારો અને લોકકલાકારો પણ જોડાયેલા. એ સમયગાળા દરમ્યાન સાહિત્યનો વ્યાપક સંદર્ભ લોક, સંત, ચારણી-સાહિત્યના પ્રસ્તુત-કર્તાઓને કારણે સહજ સ્વરૂપે ખૂલેલો. સાંજના સમયે નૂકુરુ-લેઈકની લગોલગ છવાયેલી લીલોતરીમાં અનૌપચારિક રીતની સાહિત્યિક ગોષ્ઠિઓ, વાર્તાલાપ કે ગાન સ્વરૂપે […]
Monthly Archives: September 2014
(‘સંબંધોનું આકાશ’ પુસ્તકમાંથી સાભાર) નાનાં હોય ત્યારે બધાંય થોડાંઝાઝાં તોફાની તો હોય જ… પણ હું જરાક ઝાઝી વાંગડ હતી. ચોરના માથાની જેમ રખડ્યે રાખતી. ઘરમાં ટાંટિયો સપરમા દા’ડે જ ટકતો. થોડું-ઘણું (એટલે થોડુંક જ) કામ કરી નિશાળે જવાનું, છાણાં-બળતણ ભેળાં કરવાં ને બાકી રખડ્યે રાખવાનું. વાંચતાં-લખતાં કેમની શીખી ઈ તો […]
(‘માટીની મહેક’ પુસ્તકમાંથી સાભાર, પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ‘હેં ભાઈ… ! હવે ક્યારે તારે કંઠી બંધાવવી છે… ? આમ ક્યાં સુધી નુગરા ફરવું છે ?’ ભાવનગર તાબાના કાળેલાના પાતાભાઈએ એના જીવથી વહાલા મિત્ર હરિરામને પૂછ્યું. થોરાળા ગામના હરિરામ અને પાતાભાઈને અતૂટ મિત્રતા હતી. આમ તો બેયનાં […]
(‘તથાગત’ સામયિકમાંથી સાભાર) “અનવર, ઈકબાલ, ઈસ્કૂલ જાના, ખેલા મત કરનાં, મૈં દુપેરકો ખાના લેકર આઉંગી, મૈં જાતી હૂં.” કહી તે ઘર, ઘર તો શાનું, ઝૂંપડાંમાથી બહાર કામે જવા નીકળી, ત્યાં નાના ઈકબાલે, “માં વો કેડબરી સિલ્ક, જો ટી.વી. મેં દિખાતે હૈ વો લેતે આના.” “અરે કિતની મહેંગી આતી હૈ, ઈસમેં […]
(શ્રી ગુણવંતભાઈ શાહના પુસ્તક ‘ઝાકળભીનાં પારિજાત’ માંથી સાભાર.) (૧) તલવારની ધારદાર નિખાલસતા કહેવાતો નગ્ન માણસ પણ ખરેખર અવકાશ ઓઢીને ઊભો હોય છે. વસ્ત્ર ન પહેર્યું હોય એવા માણસને નગ્ન ગણવામાં કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. હવાનું, સૂર્યકિરણોનું, અંધકારનું કે પછી અવકાશનું આવરણ હોય તોય કોઈ માણસ નગ્ન શી […]
(‘જનકલ્યાણ’ સામયિકમાંથી સાભાર) ‘વંદિતા, તું જો તો ખરી પૂનમનો ચાંદો કેવો ખીલ્યો છે ! તું ઝટ બહાર આવ; મન ખુશ થઈ જાય એવી ચાંદની ચોતરફ પથરાઈ ગઈ છે.’ રાજીવ પ્રેમથી વંદિતાને બહાર બોલાવતો હતો. વંદિતા જોઈ જ રહી. કેટલો સરળ અને પ્રેમાળ પતિ મને મળ્યો છે ! તેથી તો પૌઢાવસ્થામાંય […]
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર) એકાંત સ્થળે આવેલાં એકએક ઉદ્યાનમાં નાનકડું સુંદર વાયોલેટનું પુષ્પ અન્ય પુષ્પમિત્રો સાથે આનંદથી રહેતું હતું. એક સવારે એણે જોયું તો એના મસ્તક પર ઝાકળનું બિંદુ ચમકી રહ્યું હતું ! એ તો રાજીરાજી થઈ ગયું અને ઉત્સાહમાં આવી જઈ એણે માથું ઊંચું કર્યું અને આજુબાજુ જોવા માંડ્યું. ત્યાં […]
(‘નવચેતન’ સામયિકમાંથી સાભાર) ધોળા રેલવે સ્ટેશનમાં અમદાવાદ તરફથી આવતી અને ભાવનગર તરફ જતી સાબરમતી ટ્રેન બરાબર ત્રણ-સવા ત્રણે ઊભી રહી. ઉપહાર સ્ટૉલની બાજુના બાંકડા પર બેઠેલો દેવો ઊભો થઈને, પ્લૅટફૉર્મ પર થોભી ગયેલી ટ્રેન તરફ ચાલ્યો પણ ત્યાં જ, એની નજર સામે જ ખુલ્લી બારીમાંથી અંદર દ્રષ્ટિ કરતાં જ ચમકી […]
(‘દુલારું દામ્પત્ય’ પુસ્તકમાંથી સાભાર) [શ્રીમતી ગોપીબહેન અને ડૉ. મણિલાલ હ. પટેલ નિવૃત્તિના હીંચકે ‘સહજ બંગ્લોઝ’માં હીંચકતું આ દંપતી. ગોપીબહેને તો પહેલેથી ગૃહમોરચો જ સંભાળ્યો છે. ડૉ. મણિલાલ ભરપૂર જીવ્યા છે. ગહન અધ્યયન, ગુજરાતી સાહિત્યમાં અનેક સ્વરૂપોમાં નક્કર પ્રદાન કર્યું છે ડૉ. મણિલાલ હ. પટેલે. સદીએ પહોંચ્યો છે તેમનાં પુસ્તકોનો આંકડો. […]
(રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી દિનેશ પંચાલનો ખૂબ ખૂબ આભાર) રહી રહીને એક વાત સમજાય છે. સુખી થવા માટે ફક્ત ઈશ્વરની કૃપા પૂરતી નથી. સુખી થવાની આવડત પણ હોવી જોઈએ. ધનદોલત પૂરતાં હોય પણ તેમાંથી આનંદ પ્રાપ્ત કરતાં આવડવું જોઈએ. આનંદ એટલે સુખની શેરડીમાંથી બનતો ગોળ ! ઘડપણ જિંદગીનો […]
(‘સંસારીનું સુખ સાચું…’ પુસ્તકમાંથી સાભાર) આ વખતે તો અંજુબહેન વિદેશથી ખાસ્સા લાંબા ગાળે પાછા ફર્યાં હતાં. તેમના માનમાં ચોથા બંગલાવાળાં માલાબહેને સોસાયટીની બહેનોને ચાપાણી માટે તેડાવી હતી. નાનામોટાં, સાસુ-વહુ સહુ હતાં. બધાં સરખેસરખા પોતપોતાનું ટોળું જમાવીને બેસી ગયાં હતાં. ગુજરાતી પૂરેપૂરું બોલતા આવડતું હોવા છતાં સાસુઓને પછાત બતાવવા કે પોતાનો […]
(‘ઈ.સ. 1985ના વર્ષ દરમિયાન ‘સંદેશ’ અખબારના ‘કેલીડોસ્કોપ’ વિભાગમાં પ્રગટ થયેલા લેખોના સંયુક્ત સંગ્રહ (ભાગ-૧ અને ભાગ-૨) ‘આપણે માણસ’ નામના પુસ્તકમાંથી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. ) Man Shall not live by bread alone. – New Testament માણસ ખાય છે, પીએ છે, પૈસા કમાય છે, ધંધારોજગાર માટે દોડાદોડી કરે છે, […]