ડાયસ્પોરા એક અત્યંત સંકુલ સંજ્ઞા હોઈ તેની સાથે સૂક્ષ્માતિ-સૂક્ષ્મ અર્થ સંદર્ભો આંતર-બાહ્ય રીતે સંકળાયેલા છે. મૂળ ‘ડાયસ્પોરા’ એ ગ્રીક ભાષાનો શબ્દ છે અને હિબ્રુ બાઈબલના ગ્રીક અનુવાદમાં(૧) સૌ પ્રથમ વાર તેનો ઉલ્લેખ મળે છે. ઈ.સ.ની પાંચમી સદીમાં બેબીલૉનિયન કેપ્ટિવિટી પછી પેલેસ્ટાઈનની સીમા બહાર હાંકી કઢાયેલ જ્યુઈશ (યહૂદી) પ્રજા માટે આ સંજ્ઞા પ્રયોજવામાં આવી હતી. આ પ્રજાને પોતાની ઈચ્છા વિરુધ્ધ દેશમાંથી હાંકી કાઢવામાં આવી અને તેના પરિણામ સ્વરૂપે તે પ્રજા ઈરાન, ઈજિપ્ત, ગ્રીસ, ઈટાલી, આર્મેનિયા વગેરે રાષ્ટ્રોમાં છૂટી છવાઈ વસી. પોતાના વતનથી બળપૂર્વક હટાવાયા બાદ અનુભવેલી વેરવિખેર થયાની, કેન્દ્રથી ચ્યુત થયાની વેદના કે સંઘર્ષ આ સંજ્ઞાના વપરાશના મૂળમાં છે. કોઈ રાજકીય કારણોસર એક આખી પ્રજાને પોતાની ઈચ્છા વિરુધ્ધ દેશનિકાલ થવાની સ્થિતિ ઊભી થાય અને અન્યત્ર શરણ શોધીને રહેવા માટે જે સંઘર્ષ કરવો પડે છે તેના સંકેતો આ સંજ્ઞાના કેન્દ્રમાં પડેલા છે. એટલે આ સંજ્ઞાના મૂળમાં સામાજિક, રાજકીય, ઐતિહાસિક પરિબળો કારણભૂત છે.
Monthly Archives: August 2017
૨જી ઑક્ટોબર દર વર્ષે આવે છે અને જાય છે. મહાત્મા ગાંધીજીના જન્મદિવસ તરીકે એ ભલે રાષ્ટ્રીય મહત્વ ધરાવતો દિવસ છે; પરંતુ મારા માટે આ દિવસ ખાસ છે કેમ કે તે એક હૃદયસ્પર્શી ઘટનાની અનુભૂતિનો દિવસ છે. વાત સન ૨૦૦૭ની છે. આ અરસામાં હું મારી પત્ની હેમલતા સાથે અમેરિકામાં કૅલિફૉર્નિયાના સિલિકોન વેલી તરીકે ઓળખાતા શેન ઓઝે (san jose)માં હતો. અમેરિકામાં વર્ષોથી રહેતા મારા મિત્ર અશોક શાહ અને તેમનાં પત્ની ઉષાબેન શાહના પ્રેમભર્યા આગ્રહથી અને મદદથી અમે અહીં આવ્યાં હતાં. આજે અમારી કોઈ મોલમાં જવાની ઈચ્છા ન હતી. વિશાળકાય મોલનાં ખરીદ-કેન્દ્રો જોઈને અમે ધરાઈ ગયાં હતાં. સાનફ્રાન્સિસ્કો, સેવન માઈલ ડ્રાઈવમાં દૂર દૂર સુધી ફેલાયેલા સુંદર રમણીય સમુદ્ર કિનારાઓ, યેશોમેટી નૅશનલ પાર્કનું મનમોહિત કરતું પહાડી સૌન્દર્ય, વિશાળ લેક ટાહો, લોસ એન્જલીસ અને ત્યાંનો પ્રચંડ મોટો યુનવર્સલ ફિલ્મી સ્ટુડિયો, લાસ વેગાસ અને ત્યાંના ભવ્યાતિભવ્ય કેસીનો, ગ્રાન્ડ કેનિયનની ઊંડી ઊંડી ખીણો અને નાનાં-મોટાં સંખ્યાબંધ સ્થળો અમે ધરાઈને જોઈ લીધાં હતાં.
“ચંદુ... એ... ચંદુ... એય... ચંદુડા ! ક્યાં ગયો? કાંઈ સાંભળતો જ નથી ને ! બસ, આખો દિવસ ટોળ-ટપ્પા... હરવું-ફરવું ને રમવું.” દરરોજની માફક આજે પણ સવિતા બૂમ પાડી પાડીને થાકી ગઈ. પણ ચંદુ તો નિશાળેથી આવે, દફતર ફેંકી દે ને કપડાં (યુનિફોર્મ) બદલ્યા વગર જ ઘરની બહાર નીકળી જતો. એને પહેલેથી જ ભણવું ગમતું ન હતું. આ તો સવિતા અને અરજણ તેને પરાણે શાળાએ મોકલતાં. આમ જુઓ તો લગ્ન પછી ઘણાં વરસે ચંદુનો જન્મ થયો હતો, એટલે લાડ-કોડમાં ઉછરેલો ચંદુ પોતાનું ધાર્યું કરવા ટેવાઈ ગયો હતો. નાનો હતો ત્યારે સુંદર, દેખાવડો સૌને વહાલો લાગે એવો હતો. મોટું કપાળ, પાણીદાર આંખો અને વાંકડિયા વાળથી શોભતો ચંદુ... પાંચ-છ ધોરણ સુધી તો ધક્કા મારી મારીને ભણ્યો.
આ ક્ષણોમાં કવિશ્રી રઘુવીર ચૌધરીનો કાવ્યસંગ્રહ 'ધરાધમ' (પ્રથમ આવૃત્તિ ૨૦૧૪) મારા ટેબલ પર છે. એકાધિક રચનાઓ આ ભાવકને ચેતોવિસ્તારનો અનુભવ કરાવે છે. પૃષ્ઠ પાંત્રીશ પરની રચના 'ઝાડ' એવી પ્રેરક બની ગૈ કે કોરા કાગળો ટેબલ પર ગોઠવીને આ ભાવકે આમ પેન ઉપાડી છે. ઝાડ જગા કરી લે છે. ઊગે એવું હાસ્તો, ધરતીમાં ઢંકાયેલા બીજને સાનુકૂળતા મળતા એ સહજ ફણગે ફૂટે. ના, એને જગા કરી લેવામાં કંઈ કશું પ્રતિકૂળ નથી હોતું. ચંદ્ર ઝાકળથી સીંચે છે, સૂરજ સવારે સેવે છે ને પવન ઝૂલાવે છે
(‘રિફ્લેક્શન’માંથી સાભાર, રીડગુજરાતીને આ પુસ્તક પાઠવવા બદલ નમ્રતાબેન દેસાઈનો ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે.) હોલિવુડની સેલીબ્રિટીઓ, માફીયાઓ અને સ્વછંદી થઈ ચૂકેલા સંતાનો મુક્ત મને પશ્વિમના દેશોમાં આખી રાત રખડપટ્ટી કરે એના માટે નાઈટ આઉટ શબ્દ પ્રચલિત થયો. નાઈટ આઉટ એટલે આખી રાત ઘરની બહાર મન […]
વર્ષોથી એક વાલ્મિકી જાતિના બેન અને તેમની બે છોકરીઓ નડિયાદમાં મારું ઘર છે એ સોસાયટીમાં કચરો ઉપાડે, મેલું સાફ કરે, ગાયોએ કરેલા પોદરા અને કૂતરાઓએ ઓકેલું દૂર કરી રસ્તાઓ ચમકાવે.. ટૂંકમાં મારી શેરીને સવચ્છ અને સુઘડ રાખનારા માત્ર અને માત્ર આ ત્રણ લોકો... જેના વળતર પેેટે ઘરદીઠ મહિને ૧૫ રૂપિયા પણ લોકો જીવ બાળીને આપે.. બોનસમાં અસ્પૃશ્યતા અને ધૂત્કાર તો ખરા જ.. એક દિવસ મારી મમ્મીએ એ બેનની નાની છોકરીને મારા ઘરના ઓટલા પર બેસીને જમાડી તો તે બેનની આંખમાં આભારના આંસુ છલકાઈ આવ્યા.. આ બેનનો એક છોકરો નગરપાલિકાના સંડાસ-બાથરૂમ સાફ કરે, અને પતિ તો નાની વયે જ દેશી લઠ્ઠો પીને દુનિયા છોડી ચાલ્યો ગયો હતો. હું રવિવારે ઘરના હીંચકા પર બેઠો બેઠો આ લોકોને જોતો હતો ત્યારે મને એમ થયું કે આ પરિવારના કોઈ સભ્યને જો અનામત દ્વારા સારું શિક્ષણ મળે, નોકરી મળે તો મને કોઈ જ વાંધો ન હોય. સાચું કહું તો આખા સમજદાર સવર્ણ સમાજને વાંધો ન હોવો જોઈએ.
સારો સંકલ્પ કે સારો વિચાર એટલે શું? માણસના મગજમાં સતત વિચારપ્રક્રિયા ચાલતી જ હોય છે, જેમાં સારા અને ખરાબ તમામ પ્રકારના વિચારો આવતાં જ હોય છે. સામાન્ય રીતે કહી શકાય છે કે જે વિચાર કે સંકલ્પ વ્યક્તિથી ઉપર ઊઠીને સમષ્ટિના સારા માટે હોય તેને સારો વિચાર કહી શકાય. સમષ્ટિમાં માત્ર માનવજગત જ નહીં પણ બ્રહ્મમાં આવેલ તમામ સજીવ-નિર્જીવ તેમજ તેમના આંતર-સબંધોની વાત આવી જાય, જેને આપણે કુદરત કહીએ છીએ. માનવી માત્રને સારા વિચારો આવે જ છે પણ કાં તો તે આવીને હવાની જેમ ઊડી જાય છે અથવા થોડો સમય રોકાઈને શૂન્ય થઇ જાય છે. આની પાછળનાં શું કારણો હોઈ શકે? ઉપનિષદોએ અપરા (વિજ્ઞાન કે શબ્દબ્રહ્મ) અને પરા (બ્રહ્મજ્ઞાન અથવા આત્મજ્ઞાન) ની વાત કરી અને કહ્યું છે કે માત્ર અપરા જ્ઞાન ધરાવનાર વ્યક્તિ જેમ અંધકારમાં હોય છે, તેમ માત્ર પરા જ્ઞાન ધરાવતી વ્યક્તિ એથી ય ઊંડા અંધકારમાં હોય છે. ભગવાન બુદ્ધે સમ્યકની વાત કરી છે, જે અહીંયા પણ લાગુ પડે છે અને બંને વચ્ચેનું સમતોલપણું જીવનમાં સારા વિચારો કે સારા સંકલ્પો માટે જરૂરી છે.
(‘નવચેતન’ સામયિકના મે, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) સેંકડો વર્ષો પહેલાંની વાત છે. કાશીપુરીમાં પાંડુ કરીને એક ઝવેરી હતા. એક વાર એ પાટલીપુત્રથી રથમાં બેસી કાશી આવતા હતા. સાથે સોનામહોરો ભરેલી થેલી હતી. સારથી મહાદત્ત રથ ઝડપથી ચલાવતો હતો. ઉનાળાના દિવસો હતા. માથું ફાટી જાય એવો તાપ પડતો હતો. એવે પાંડુ શેઠે એક સાધુને ઉઘાડા પગે ચાલતો જોયો. એમણે રથ થંભાવી સાધુને રથમાં બેસાડ્યો. સાધુ ખૂબ થાકેલો હતો. રથમાં બેઠા પછી તેનાથી બોલાઈ ગયું : ‘તમે મારા પર ભારે ઉપકાર કર્યો, શેઠ ! પ્રભુ કરે ને હું વહેલી તકે તમારું આ ૠણ વાળી શકું.’ આ સાંભળી શેઠને હસવું આવ્યું – તેને થયું કે સાધુ કેમ કરી ઋણ વાળવાનો છે? એની પાસે છે શું?
દાદાનું ફટકી ગયું. નહિતર આમ હોય? છેલ્લા ત્રણ દિવસથી શીરો ખાય છે. શીરો ખાવામાં ફટકવાની વાત શું હોય ! પરંતુ બધાને લાગે છે કે દાદાનું ફટકી ગયું છે. ત્રણ દિવસ થયા. દાદાનો – મૂળશંકર વ્યાસનો સૌથી નાનો દીકરો, છઠ્ઠા નંબરનો દીકરો, રમણ નાની ઉંમરે અઠ્યાવીસની ઉંમરે જતો રહ્યો. એકવીસે પરણાવેલો. એની દીકરી દયા પાંચ વરસની ને દીકરો સ્મિત ત્રણ વરસનો. કુટુંબ હજુ ભળભાંખોડિયાં ભરતું હતું ત્યાં દડી પડ્યું. મંગળનો સંસાર વિલાઈ ગયો. રમણલાલ આમ અંદેશો આપ્યા વગર, અકલ્પનીય રીતે, અચાનક છોડીને જતો રહે એ જોજનો વરસો દૂરની વાત હતી. મંગળાની આંખો પોરો ન ખાતી. સ્મિતને ખોળામાં લઈ બેસી રહેતી. દયાને માથે હાથ ફેરવ્યા કરતી ને એનેય ખોળામાં લઈ લેતી.