અણગમતી યાદોને પાછળ મૂકી દેવી સૌથી સારી, સાથે રાખો એવી યાદો ગમતી ગમતી સારી સારી, નવા વર્ષની કરો તૈયારી આવી રહ્યો છે જાન્યુઆરી...
Monthly Archives: December 2018
“છેલ્લા બે-બે દિથી મેઘ રોકાવાનું નામ નથી લેતો. અને આજ તો બારે મેઘ ખાંગા થયા છે, અનરાધાર વરસી રહ્યો છે. આખું આભ કાળું મશ છે.” “મા બનાસની સપાટી પણ પળે-પળ વધી રહી છે. લાગે છે બનાસ ગાંડી બની છે! બે કાંઠે વહે છે. મા બનાસ પણ હવે પોતાની ધીરજ ગુમાવવાની તૈયારીમાં છે. ક્યારે પૂર આવે ઈ નો ક’ઈ હકાય..!”
'આ રેવતીની નિશાળેથી ઓલી રઘલાની છોકરી આવી'તી. ઈ કે રેવતીના બાપુને નિશાળે મોકલજો. મોટા સાયબે કીધું છે. તો કામે જાવ તંઈ જાતા આવજો ને.' આટલું બોલી લીલીબેન ફરી પોતાના ઘરકામમાં વ્યસ્ત થઈ ગયા, પણ આ સાંભળીને કાનજી સ્થિર થઈ ગયો. તેને વિચાર આવવા લાગ્યા. 'શું કામ હશે વળી મોટા માસ્તરને? આ મારી છોકરીએ કાંઈ... ના ના.. મારી છોકરી એવું કાંઈ નો કરે જેથી મને ઠપકો મળે. તો પછી શું હશે?'
આખરે અંતિમ દિવસ આવી ગયો અને વ્યોમ વાદળોની વચ્ચે ખોવાઈ ગયો, આખા દિવસની રઝળપાટ બાદ અમદાવાદ નિંદરની ચાદર ઓઢીને સૂઈ ગયું હતું, રાત્રિના નીરવ અંધકારમાં આસ્ફાલ્ટની સડકો પર દૂર-દૂર સુધી નિયૉન લાઇટો નો દૂધિયો પ્રકાશ પ્રસરી રહ્યો હતો, ક્યાંક ક્યાંક અલપ ઝલપ વાહનોની અવરજવર વચ્ચે અનંતરાયનું મન વ્યોમને શોધવા વાદળોમાં ભટકી રહ્યું હતું, ધીમી ગતિએ જતી કારમાં ધીમા અવાજે મુકેશજીના દર્દભર્યા સ્વરમાં એક જૂનું ગીત વાગી રહ્યું હતું.. ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા.. સાચે જ આખરે વ્યોમ પોતાની સ્વપ્નનગરીમાં પોતાની કલ્પનાઓની પાંખે ઊડી ગયો હતો. અનંતરાય ગાડીની પાછલી સીટ ઉપર માથું મૂકીને છેલ્લા કેટલાક દિવસોની દોડધામભરી જિંદગીની ક્ષણોને યાદ કરતાં કરતાં તંદ્રામાં સરી પડ્યા..
"એ સાબ... ભગવાન કે નામ પે કુછ દે દો.. ભૂખ લગી હે." ધ્યેય કારમાંથી અકળાઇને, "જા... ભઈ.. જા.. ભીખમંગા કંઈ કામ કરો... ભગવાને તમને બે હાથ અને પગ તો આપ્યા છે. આ સાલાઓને આદત પડી ગઈ છે. જા.. અહીંથી જતો રહે... યુ બ્લડી.. @@@"
એક ભીની સાંજે બગીચામાં મૈત્રેયી દેવીની 'ગુરુદેવ મારા આંગણે વાંંચી રહી હતી. હિમાલયની તળેટીમાં આવેલા હિલસ્ટેશન મંગપૂના તેમના ઘરે રવીન્દ્રનાથ ટાગોરને રહેવાનું થયું. (૧૯૩૮-૧૯૪૧) એ વખતે ધન્યતા અનુભવતા મૈત્રેયી દેવીએ 'મંગપૂતે રવીન્દ્રનાથ'માં એ અહેસાસને ઢાળ્યો. હું વાંચવામાં તન્મય હતી ત્યાં જ સામે પારિજાતમાં બે-ત્રણ ખિસકોલી ચડ-ઉતર કરી રમવા લાગી. એને જોતા મારા વિચારો પણ એ પુસ્તક સમાંતર યાત્રા કરવા લાગ્યા. મને થયું કે આ પારિજાતને મારા આંગણામાં પામીને હું પણ ધન્ય છું અને મૈત્રેયી દેવી જેવી જ પ્રસન્ન. મારા આ પરીજાતે મને અઢળક મીઠા સંવેદનોમાં તરબોળ કરી છે.