પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.]

[અ]  જેવું મન એવો માણસ, જેવી સવાર એવો દિવસ

વર્ષ વીતી રહ્યું છે. ઋતુ બદલાઈ રહી છે. વર્ષભરની તાજગી ભરી શકાય એવા દિવસો આપણે માણ્યાં છે પરંતુ આ નવા તાજગીસભર દિવસોમાં પણ આપણી સવાર તાજગીભરી રીતે શરૂ થાય છે ખરી ? આપણે તાજગીભરી રીતે સવારે ઊંઘમાંથી જાગી, ઊઠીએ છીએ, ખરા ? શિયાળાના દિવસો ગયા. કોઈકે લખ્યું છે કે, શિયાળાની ઠંડીમાં સવારે હૂંફાળી પથારી છોડીને બહાર નીકળવું એ દેણામાંથી બહાર નીકળવ જેટલું કપરું છે. ઊંઘની વાત, સાવ નાનકડી કે નજીવી લાગતી હોવા છતાં માણસના આખા દિવસની પ્રવૃત્તિ ઉપર એની ઘણી મોટી અસર રહે છે.

સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ઊંઘમાંથી જાગવાની વાત તો સાવ સાદીસીધી છે પરંતુ ન્યુરો ફિઝિયોલૉજીના નિષ્ણાત મિલ્ટન ડી. લુચીના મત પ્રમાણે જાગૃત થવાની પ્રક્રિયા અટપટી અને ખાસ અભ્યાસ કરવા જેવી પ્રક્રિયા છે. ખરેખર તો આપણે ઊંઘમાં કેમ સરી પડીએ છીએ અથવા તો એમાંથી કઈ રીતે જાગૃત થઈએ છીએ એ વિશે ઘણું ઓછું જાણીએ છીએ. હજુ આધુનિક વિજ્ઞાન ઊંઘનાં અને જાગૃત થવાનાં રહસ્યો ઉકેલવા પ્રયત્ન કરી રહ્યું છે. ઊંઘનાં લાંબા કલાકોમાં સમય વિષે આપણને કોઈ ખ્યાલ રહેતો નથી. ક્યારેક સમયનો ખ્યાલ સતત રહે તો ઊંઘ જ આવતી નથી. ક્યારેક જાગ્યા પછી ફરી પાછા સૂઈ જવાની ઈચ્છા થાય છે અને એ રીતે સૂઈને જાગ્યા પછી માત્ર થોડી પળોનું ઝોકું લીધું છે એમ આપણને લાગે ત્યારે ખાસ્સી એકાદ કલાકની ઊંઘ આપણે ખેંચી કાઢી હોય છે. ક્યારેક જાગતી વખતે મન પ્રફુલ્લ હોય છે તો ક્યારેક તે પાછું ભાગે છે. આમ ઊંઘનો પ્રદેશ અજાયબ પ્રદેશ છે. કેટલાક માણસો રાત્રે દસ વાગે સૂઈને સવારે આઠ-નવ વાગે જાગે તો પણ તેમને સુસ્તીનો અનુભવ થાય છે. ખરેખર એમ ન થવું જોઈએ. માણસ મોડેથી સૂવે કે વહેલા સૂએ પૂરતી ઊંઘ લઈને જાગ્યા પછી તેને સ્ફૂર્તિનો અનુભવ ન થાય તો ક્યાંક કશી ખામી છે એમ માનવું જોઈએ અને એ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વધુ આગળ વાંચો »

પ્રેમ કરવાની કલા – સુરેશ પરીખ

[‘વિચારવલોણું’ના સ્થાપક આદરણીય શ્રી સુરેશભાઈના (વલ્લભ વિદ્યાનગર) પુસ્તક ‘મન હોય તો માળવે જવાય’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9726366704. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

દુનિયામાં સૌથી શક્તિશાળી શું છે ? એનો જવાબ એક જ શબ્દથી આપી શકાય – પ્રેમ. આટલા વિશાળ અર્થમાં ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ કરીએ તો એરીક ફ્રોમનું પુસ્તક ‘પ્રેમ કરવાની કલા’ આ અંગે વિસ્તૃત સમજણ આપે છે. લેખક ખૂબ સુંદર, સચોટ અને સ્પષ્ટ રીતે સમજાવે છે કે પોતાના સમગ્ર વ્યક્તિત્વના વિકાસ વિના પ્રેમ સમજવો-આચરવો લગભગ અશક્ય છે. નમ્રતા, હિંમત, શ્રદ્ધા, શિસ્ત વગેરે ગુણો વિના પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો નિરર્થક છે. જે વાતાવરણમાં – જે સમાજમાં આ ગુણ જવલ્લે જ હોય ત્યાં પ્રેમ કરવાની કલા સાધ્ય કરવી એટલી જ મુશ્કેલ બની રહેવા સંભવ છે.

આપણામાંના મોટાભાગના એ ભ્રમમાં હોય છે કે પ્રેમ કરવો – થઈ જવો – અનુભવવો એ નસીબની વાત છે. પરંતુ ખરેખર તો ‘પ્રેમ કરવો’ એ એક કલા છે. અને સંગીત, સુથારીકામ, ઈજનેરી, ચિત્રકામ વગેરે અનેક કલાઓ માફક પ્રેમ પણ એક સાધના-તપ માંગી લે છે. પ્રેમ કરવાની કલાને સિદ્ધ કરવા માટે કેટલીક આવશ્યક વિગતો સૈદ્ધાંતિક રીતે સમજી લઈને, તેને જીવનમાં રોજ-બરોજના વ્યવહારોમાં સક્રિય-રચનાત્મક-જીવંત રીતે વણી લેવી જોઈએ. આપણી એ કલા સિદ્ધ કરવાની ઝંખના કેટલી તીવ્ર છે તેના પર આપણા પ્રયત્નની સફળતાનો આધાર રહેશે.

પ્રેમની કલા સાધ્ય કરવામાં બે-ત્રણ ગેરસમજ નડતરરૂપ બને છે. દરેક વસ્તુને વિનિમયાર્થે મૂલવીને જીવનના બધા વ્યવહારોમાં સોદાબાજી કરવામાં મશગૂલ રહેલા એવા આપણે સૌ ‘જીવંત વ્યક્તિઓ’ને પણ સોદાબાજીની વસ્તુ ગણી લઈએ છીએ. એટલે પછી પોતાની લાયકાત, મર્યાદા વગેરે સમજી લઈને તે/તેણી સામેનું પ્રેમપાત્ર શક્ય એટલું ઉપયોગી, સારું મેળવવા પ્રયત્નશીલ બને છે. ‘પ્રેમ કરવા’ કરતાં ‘પ્રેમ મેળવવા’ તરફ આપણા સૌનું લક્ષ્ય વધુ રહે છે. એટલે પ્રેમ મેળવવા માટે જરૂરી માની લીધેલું એવું વ્યક્તિત્વ દેખાડવામાં (કેળવવામાં નહીં) સતત કાળજી રાખીએ છીએ. આ પ્રક્રિયામાં વ્યક્તિ નમ્ર, શક્તિશાળી, પૈસાદાર, રીતભાતમાં સુંદર, વાતચીત કરવામાં આકર્ષક દેખાવા ખાસ પ્રયત્નો કરે છે. વળી, પ્રેમની બાબતમાં બીજી ભૂલ એ કરાય છે કે પ્રેમમાં ‘યોગ્ય પાત્ર’ મેળવવાનો પ્રશ્ન સૌ માની લ્યે છે અને ‘પ્રેમ કરવાની શક્તિ’ જ મુખ્ય સવાલ છે એ તરફ પૂરતું ધ્યાન નથી અપાતું. પરિણામે આપણે એમ માનીએ છીએ કે પ્રેમ કરવાનું બહુ સહેલું-સરળ છે. પરંતુ ખરી મુશ્કેલી તો પ્રેમ કરવા યોગ્ય પાત્ર મેળવવાની છે. સત્ય હકીકત આનાથી સાવ વિરુદ્ધની છે. પ્રેમ કરવાની કલા સિદ્ધ કરનારને ‘પાત્ર’નો પ્રશ્ન નડતો જ નથી.
વધુ આગળ વાંચો »

સુખી જીવનનાં સાધન – અનુ. રત્નસિંહ પરમાર

[ ‘સુખી જીવનનાં સાધન’ (આવૃત્તિ : ઈ.સ. 1931) માંથી સાભાર. આ પુસ્તક ઓરિસન સ્વેટ માર્ડનના ‘ઑપ્ટિમિસ્ટિક લાઈફ’ ઉપરથી અનુવાદિત કરવામાં આવેલ છે. હાલમાં આ પુસ્તક પ્રાપ્ય નથી.]

બે માણસો એક જ કામ કરતા હોય; પરંતુ તેઓ જે જુદી જુદી રીતે કરે છે તેમાં બહુ તફાવત હોય છે. હું કેટલીક એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે ગૃહવ્યવસ્થાના કાર્યને કલારૂપ બનાવી દે છે. તેઓ રોટલી કરતી હોય, શાક કરતી હોય, ચાદર પાથરતી હોય કે રાચરચીલાં પરની ધૂળ ખંખેરતી હોય, તોપણ તેઓ તે કાર્ય કલા જાણનારની દષ્ટિથી કરે છે; અને જે કાર્યને ઈતર સ્ત્રીઓ ધિક્કારતી જણાય છે તે કાર્ય કરવામાં તેઓ આનંદ માને છે. બાળકોની સંભાળ લેવાનું કે ગૃહની વ્યવસ્થા કરવાનું કામ તેમને વૈતરા સમાન લાગતું નથી. પરંતુ કર્તવ્યબુદ્ધિને લીધે તેઓ પ્રત્યેક કાર્યને ઊંચકીને કલાના પ્રદેશમાં મૂકી દે છે. અમે કેટલીક એવી સ્ત્રીઓને ઓળખીએ છીએ કે જે સાધારણમાં સાધારણ કામો એટલી ગંભીરતા, શાંતિ અને સરળતાથી બજાવે છે કે તેમને કામ કરતી જોઈને આનંદ થાય છે. તેઓ સર્વ રાચરચીલાં અને સર્વ વસ્તુઓ વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં આનંદ માને છે. તેમના ગૃહનું સમગ્ર વાતાવરણ સંસ્કારિતા અને સુવ્યવસ્થાથી ભરેલું હોય છે. તેમાં કાંઈક એવું તત્વ રહેલું હોય છે કે જે મનને આનંદ આપે છે.

હું બીજી કેટલીક એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે ગૃહમાંના પ્રત્યેક કાર્યને વૈતરા સમાન ગણે છે અને તેનો જેમ બને તેમ શીઘ્ર નિકાલ લાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ કામથી ડરે છે; બને ત્યાં સુધી તેને મુલતવી રાખે છે અને પછી જેમ બને તેમ જલદી તેનો ફેંસલો આણવાને દોડાદોડી કરે છે. આથી જ્યારે તેઓ કામ કરી રહે છે, ત્યારે પણ ગૃહમાં લેશ પણ સુવ્યવસ્થા જણાતી નથી અને કોઈ પણ વસ્તુ જોવાથી આપણને આનંદ થતો નથી. આપણને પ્રત્યેક વસ્તુ અવ્યવસ્થિત પડેલી જણાય છે. પર્યાયમાં કહીએ તો કેટલીક સ્ત્રીઓ જ્યારે કલાવિદની દષ્ટિથી કામ કરે છે ત્યારે બીજી સ્ત્રીઓ મજૂરની દષ્ટિથી કામ કરે છે.
વધુ આગળ વાંચો »

બહાનાઓની વણજાર – ટીના ધીરાવાણી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નવોદિત યુવા સર્જક ટીનાબેનનો (ડોંબીવલી, થાણે) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tina_dhiravani@yahoo.co.in અથવા આ નંબર પર +91 9920126438 સંપર્ક કરી શકો છો.]

બપોરે શાળાએથી આવતા વેંત જ સોહમ બોલી ઊઠ્યો : ‘શું વાત છે મમ્મી ? આજે આટલી જલ્દી રસોઈ થઈ ગઈ અને કપડાં પણ ધોવાઈ ગયા ? આપણે ક્યાંક બહાર જવાનું છે ?’
‘હા બેટા, આપણે બે દિવસ તારા નાનીને ત્યાં રોકાવા જઈએ છીએ. ચાલ જલ્દી જમીને ફટાફટ તારું લેસન પતાવી દે એટલે પછી આપણે જઈ શકાય.’

મમ્મીની વાત સાંભળીને સોહમનું મોં પડી ગયું. તેર વર્ષના સોહમનું નાનીને ત્યાં જવાનું જરાય મન નહોતું. પરંતુ મમ્મીને સમજાવે કોણ ? વળી, આજે તો લેસન પણ એટલું નહોતું આપ્યું. કલાકમાં તો બધું લેસન પતી જાય. હવે થાય શું ? મમ્મીને શું બહાનું બતાવવું ? – સોહમ બહાના વિચારવા લાગ્યો. થોડુંક વિચારીને એ બોલ્યો : ‘મમ્મી, લેસન કંઈ આટલું જલ્દી થાય ખરું ? જો હું બરાબર કરીને નહીં જઉં તો શાળામાં શિક્ષા થશે. તારી સાથે આવીશ તો કોચિંગના વર્ગમાં પણ નહીં જવાય અને પરીક્ષાઓ નજીક આવી રહી છે. રજાના દિવસોમાં સરસ તૈયારી કરી દઉં ને ? હું તો પપ્પાને દાદી પાસે રહીશ. તું જઈ આવ….’ એમ મીઠાશપૂર્વક કહીને સોહમે મમ્મીને મનાવી લીધી.

આપણે પણ આપણા રોજિંદા જીવનમાં ધ્યાનપૂર્વક વિચારીશું તો ખ્યાલ આવશે કે સોહમની જેમ આપણેય ઘણી વખત બહાના બનાવતાં હોઈએ છીએ. ન ગમતી વસ્તુઓને ટાળવા, અરૂચિકર પ્રસંગોથી દૂર રહેવા કે અણગમતા વ્યક્તિને દૂર રાખવા માટે આપણે આ કળાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. વળી, આ કળા એવી છે કે તે કોઈને શીખવવી નથી પડતી. એને શીખવવાના કંઈ વર્ગો નથી ચાલતા ! નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તે સૌને સ્વયંસિદ્ધ હોય છે. વ્યક્તિ અભણ હોય કે વિદ્વાન, પોતપોતાની બુદ્ધિ અનુસાર સૌ કોઈ કોઈને કોઈ પ્રસંગે બહાના બનાવતા જ હોય છે. જેમ એક વાર મોબાઈલનો ઉપયોગ કર્યા પછી માણસને તેના વગર ચાલતું નથી, એવું બહાનાઓનું પણ છે. એકવાર બહાનું બતાવ્યા પછી જો ધાર્યું કામ પાર પડ્યું તો ખલાસ ! થોડાક સમયમાં તો માણસ બહાના બનાવાવાનો નિષ્ણાંત બની જાય છે !
વધુ આગળ વાંચો »

મારાં સંસ્મરણો – ગંગાબહેન પટેલ

[ઈ.સ. 1964માં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસાગરને તીરે’ પુસ્તકમાંથી સાભાર. લેખિકા તે સમયની જાહેર પ્રવૃત્તિઓમાં ખૂબ તેજસ્વી કાર્ય કરનારાં હતાં. સમાજસેવા, દુર્ભાગી દુ:ખી નારીઓ પ્રત્યે એમની સક્રિય સહાનુભૂતિ, ગાંધીજીની રાષ્ટ્રીય લડતમાં એમની પરાક્રમભરી કારકિર્દી તેમજ સાંતાક્રુઝ ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળની પ્રગતિમાં તેમનું ઘણું મોટું પ્રદાન હતું. તેમના જીવનના સંસ્મરણોરૂપે લખેલ આ પુસ્તકમાંથી આપણે પહેલું પ્રકરણ માણીએ. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.]

જૂનાં સંસ્મરણોને ઢંઢોળવાનો સમય હંમેશાં નિવૃત્તિમાં જ આવે છે. એવો સમય મને પણ લાંબી માંદગીને લીધે આવ્યો; અને સાધારણ રીતે સૂતાં સૂતાં આગલા પાછલા વિચારો આવે છે તેમ, મને પણ મારું બાળપણ આંખ આગળ રમવા લાગ્યું.

મારા દાદા શંકરભાઈ તળશીભાઈ તે વખતમાં એટલે કે 1890ના સમયમાં બહુ જ જાણીતા આગેવાન ગણાતા. દાદા સ્વભાવે ભોળા અને ઉગ્ર હતા. એમની એક બૂમે ત્યારે ઘરનાં માણસો થરથરી જતાં. પરંતુ સાથોસાથ દાદાના હૃદયમાં પ્રેમ અને નરમાશ પણ એટલાં જ હતાં. એ કોઈને દુ:ખી દેખી શકતા નહિ; એટલે અમારે બારણે હંમેશા ધારાળા અને બારૈયાનું ટોળું બાપાથી દૂર ચોકમાં બેઠેલું જ હોય. કોઈને બાપનું બારમું કરવા રૂપિયા જોઈતા હોય, કોઈને મા માંદી હોય એના વૈદા માટે પૈસા જોઈતા હોય, કોઈને દૂઝણું જતું રહ્યું હોય તો ભેંસ જોઈતી હોય, કોઈને ખેતરની દાણ ભરવાની હોય ને મુદત વીતી જતી હોય, કોઈનાં લૂગડાં ફાટી ગયા હોય, કોઈ વળી અમારો જ ખેડૂત હોય ને માગતું આપી શકતો ન હોય તે માફ કરાવવા આવ્યો હોય…. આવા માણસો ખાસા પલાંઠીવાળીને ચોકમાં બેસી રહેતા. અને યાદ આવે છે કે દાદા ‘હા’,’ના’ કરતા, બૂમો પાડતા, બધાનું મન તૃપ્ત કરતા.

આમ કરતાં સ્વાભાવિક રીતે જ તડકો થઈ જતો. પછી મારાં દાદા જરા ડોકું કાઢીને કહેતાં :
‘આ બિચારા અત્યારે બેચાર ગાઉ જઈને ક્યારે રોટલો ખાશે ? ભલાડા ગામ કંઈ અહીં પડ્યું છે ! અલ્યા સોમા, (અમારા ચાકરોમાંથી એકનું નામ સોમો હતું.) પેલો ચૂલો સળગાવીને નાનો ચરુ મૂક પાણીનો.’ એમ કહીને લગભગ દસથી બાર શેરની ખીચડી એ ચરુમાં ધોવડાવીને મૂકી દેતાં.
વધુ આગળ વાંચો »

પીળો પતંગ મારો પીળો પતંગ….. – રીના મહેતા

[સૌ વાચકમિત્રોને મકરસંક્રાંતિના પર્વની શુભેચ્છાઓ. આજના આ પર્વ નિમિત્તે રીનાબેનના (સુરત) લલિત નિબંધસંગ્રહ ‘ખરી પડે છે પીંછું’ માંથી માણીએ એક વિશેષ લેખ.... – તંત્રી.]

kite

એક સાવ નાની છોકરી પહેલીવાર પતંગ ચગાવતી છોકરીનું ચિત્ર દોરે છે, ચિત્રમાં છોકરીના બે ડાળી જેવા હાથ પર આંગળીઓ જાણે પર્ણની જેમ ઝૂલે છે. છોકરીના છુટ્ટા વાળ હવામાં લહેરાય છે. એનો પતંગ જાણે કાગળના આકાશમાં ઊડવા લાગે છે. ઊડે છે પતંગ અને ઊડે છે છોકરી ! ચિત્રમાંની છોકરી કાગળમાંથી નીકળી ચિત્ર દોરતી છોકરીમાં પ્રવેશી જાય છે.

વર્ષો પહેલાં હું પણ આવાં બાળચિત્ર દોરતી – હવે મને લાગે છે કે પેલાં ચિત્રમાંની છોકરી પણ હું જ હતી. મારે બે નાના હાથ હતા અને હાથમાં પતંગ, અરે ! કહોને, આખું આકાશ હતું ! પતંગની દોર જાણે પાંખ હતી. ભલે પછી પતંગ ચગાવતાં કદી ન આવડ્યો તેમાં શું ? પતંગનાં નામ કદી ન આવડ્યાં તેમાં શું ? આકાશ તો હતું, આકાશમાં પતંગો તો હતા ! હંમેશાં ખાલી, એકલાવાયું લાગતું નભ હમણાં આ દિવસોમાં રંગબેરંગી કોલાહલથી ભરાઈ રહ્યું છે. હવાના પડને વીંધીને રાતો દોર આગળને આગળ સરી રહ્યો છે. એ દોર ઘડીકમાં મારી નાની કુમળી આંગળીઓ પર ખટમીઠ્ઠો ચીરો પાડી જાય છે ને પછી હું સ્મરણનાં ઝીણાં રાંદેરી બોર ચગળ્યા કરું છું. વર્ષો પછી મને કેડેથી વાંકા વળી ગયેલા દાદા ખભે લાલ, મોટી ઝોળી ભેરવી નીચેથી ‘જસુ….’ના નામની બૂમ પાડતા સંભળાય છે !
વધુ આગળ વાંચો »

ભરતી અને ઓટ – ભૂપત વડોદરિયા

[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.]

ઉચ્ચ વહીવટી અધિકારીની નોકરી, પોતાનું મકાન-મોટર ધરાવતા અને પૈસેટકે સુખી એવા ગૃહસ્થને તાજેતરમાં મળવાનું થયું. તેમણે પ્રશ્ન કર્યો :
‘મારી તબિયત તમને કેવી લાગે છે ?’
મેં જવાબમાં કહ્યું : ‘તમારી તબિયત આમ તો સારી લાગે છે પણ જિંદગી પર મનની પકડ કંઈક ઢીલી પડી ગઈ હોય એવું દેખાય છે ! હું કદાચ ખોટો પણ હોઉં !’
તેમણે કહ્યું : ‘તમારી વાત સાચી છે. બે વર્ષથી હું ‘સિવિયર ડિપ્રેશન’થી પીડાઉં છું. મુંબઈ, વડોદરા અને અમદાવાદના ઘણાબધા સારા ડૉકટરોને મળી ચૂક્યો છું. કલાકો સુધી વાતચીત કરી. મનની આ ઊંડી ઉદાસીની દવાઓ પણ મેં લીધી પણ હજી કંઈ ફરક પડ્યો નથી ! મને સમજાતું નથી કે મારે હવે શું કરવું ! હું એવી રીતે જીવી રહ્યો છું જેવી રીતે માણસ ઊંઘમાં ચાલતો હોય ! આનો શું કોઈ ઈલાજ જ નથી ?’

આ ગૃહસ્થ મનની તીવ્ર ઉદાસીનો, મંદોત્સાહનો-ડિપ્રેશનનો જે અનુભવ કરી રહ્યા છે એ નવો અનુભવ ઘણાબધાને કોઈ ને કોઈ વખતે થયો હોય છે. આવા કેસોમાં મનોચિકિત્સકોનો એક ચોક્કસ અભિગમ હોય છે અને તેમની આપેલી દવાઓને લીધે ઘણાબધાને ફાયદો પણ થાય છે. છતાં આ ગૃહસ્થ જેવા ઘણાને એમ લાગે છે કે દવાની કોઈ જ અસર તેમને થતી નથી તો હવે તેમણે શું કરવું ? આવા ઘણા કિસ્સા આપણા જોવામાં આવે છે જેમાં કોઈ દેખીતા કારણ વગર વ્યક્તિ પોતાના મનમાં ‘ઓટ’નો અનુભવ કરે છે. તેમને જાણે પોતાના જીવનમાં કાંઈ રસ રહ્યો ના હોય એવું લાગે છે. એમને કોઈની સાથે વાત કરવી ગમતી નથી. એમનું મન પાંજરામાં પુરાયેલા ઉંદરની જેમ અંદર ને અંદર દોડ્યા કરે છે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તેમને દેખાતો નથી. મનની આવી મંદીનાં કેટલાંક કારણો હોય છે. પૈસેટકે સુખી હોય છે. ચાલીસ કે પચાસ વર્ષ વટાવી ચૂક્યા હોય છે અને તેમને ‘નિરર્થકતા’ની લાગણી પ્રબળ રીતે સતાવ્યા કરે છે. એકસરખા દિવસો, એકસરખો જ નિત્યક્રમ, એક જ ઘરેડની આ જિંદગીથી તેમને કંટાળાની તીવ્ર લાગણી થાય છે. અહીંતહીં મનને પ્રફુલ્લિત કરવા માટેના ઈલાજો કરે છે પણ મન તો ઉત્સાહ-ઉમંગની કોઈ ભરતી અનુભવતું નથી ! એમને કશું જ ગમતું નથી. ક્યાંય સારું લાગતું નથી. ખોટા ખોટા વિચારો પણ આવ્યા કરે છે. જિંદગીનો એક ‘ખોફ’ તેમને ડરાવ્યા કરે છે.
વધુ આગળ વાંચો »

ડૂબકી (ભાગ-3) – વીનેશ અંતાણી

[ જાણીતા નિબંધસંગ્રહ ‘ડૂબકી’માંના કેટલાક લેખો આપણે ગતવર્ષે ભાગ-1 અને ભાગ-2માં માણ્યા હતા. આજે માણીએ આ સુંદર પુસ્તકમાંથી વધુ બે લેખો. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] નવા પ્રકારની શોધનો આરંભ

પચાવવું અઘરું પડી જાય તેવું એક સત્ય એ પણ છે કે આપણે આપણાં નાની ઉંમરનાં સંતાનો વિશે જેટલું જાણીએ છીએ તેનાથી અનેક ઘણું વધારે એ બાળકો આપણા વિશે જાણતાં હોય છે. અહીં જાણવાનો અર્થ વિસ્તૃત સંદર્ભમાં નથી, પણ મા-બાપ એમનાં સંતાનોની જેટલી બાબતો નોંધે છે તેનાથી વધારે, નાનામાં નાની બાબતો સંતાનો મા-બાપ વિશે નોંધતા હોય છે. એવું નથી કે મા-બાપ સંતાનોને ચાહતાં હોતાં નથી. વયસ્ક ઉંમરની વ્યક્તિઓને એમનાં સંતાનો ઉપરાંત બીજી અનેક બાબતોમાં વ્યસ્ત રહેવું પડે છે તેથી કેટલીક વાર સંતાનને પ્રેમ કરવો તે પણ એક જાતનું રૂટિન જેવું બની જાય છે. જ્યારે અમુક વય સુધી બાળકોનાં કેન્દ્રમાં મા-બાપ જ રહે છે. એ કારણે બાળકો મા-બાપની ઝીણામાં ઝીણી વિગત, એમની નાનામાં નાની પ્રતિક્રિયા, વગેરેની નોંધ લેતાં રહે છે. માતાપિતાનું વહાલ, એમની નારાજગી, સંતાનો માટે એમણે લીધેલી કાળજી, એમનો ગુસ્સો, એમના તરફ બેધ્યાનપણું વગેરે બધું જ બાળકોની સ્મૃતિમાં દઢપણે જડાઈ જાય છે.

આ સંદર્ભમાં એક પિતાનો અનુભવ જાણવા જેવો છે. પિતા લખે છે : હું અને મારી નવ વર્ષની દીકરી ટિના અમારા ગામથી ત્રીસ-ચાલીસ કિલોમીટર દૂર રહેતાં મારાં પેરેન્ટ્સને મળવા જઈ રહ્યાં હતાં. એ નાનકડા ડ્રાઈવ દરમિયાન ટિના બેઠી બેઠી કંટાળી ન જાય તે માટે મેં સમય પસાર કરવા ચાલતી કારમાં રમી શકાય તેવી રમત રમવાનું વિચાર્યું. અંતાક્ષરી કે વાર્તા કહેવી કે એવું કશુંક ચીલાચાલુ કરવાના બદલે હું કશુંક જુદું કરવા માગતો હતો. તેથી મેં ટિનાને કહ્યું, ‘ટિના, આપણે એક નવી રમત રમીએ. આપણે એકબીજાની કઈ વાત ગમે છે તેના વિશે કહીએ. એક વાક્ય હું બોલું, બીજું વાક્ય તારે બોલવાનું…. ઓ.કે.?’ ટિનાએ કહ્યું : ‘ઓ.કે.’
વધુ આગળ વાંચો »

Page 1 of 712345...Last »