<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ReadGujarati.com &#187; હસો અને હસાવો</title>
	<atom:link href="http://www.readgujarati.com/category/funny-articles/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.readgujarati.com</link>
	<description>Read Gujarati Literature Online</description>
	<lastBuildDate>Thu, 09 Feb 2012 02:02:11 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.1</generator>
		<item>
		<title>તારી આંખનો અફીણી – કલ્પના દેસાઈ</title>
		<link>http://www.readgujarati.com/2012/02/09/taari-aankh/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/09/taari-aankh/#comments</comments>
		<pubDate>Thu, 09 Feb 2012 02:02:11 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[હસો અને હસાવો]]></category>
		<category><![CDATA[કલ્પના દેસાઈ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1913</guid>
		<description><![CDATA[[વિશેષ નોંધ : સામાન્ય સમારકામને કારણે રીડગુજરાતી પર આવતીકાલે શુક્રવારે નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં જેની નોંધ લેશો. શનિવારે નવી બે કૃતિ સાથે ફરી મળીશું. – તંત્રી.] [ હાસ્યલેખ : ‘પોરવાડ બંધુ’ સામાયિક ઑક્ટોબર-2011માંથી સાભાર.] એમ.બી.બી.એસ. (મેડિકલ !)માં એડમિશન ન મેળવનારની પહેલી પસંદ ડેન્ટિસ્ટ બનવાની જ રહે છે. એનું દેખીતું કારણ છે બત્રીસ દાંત [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[<strong>વિશેષ નોંધ :</strong> સામાન્ય સમારકામને કારણે રીડગુજરાતી પર આવતીકાલે શુક્રવારે નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં જેની નોંધ લેશો. શનિવારે નવી બે કૃતિ સાથે ફરી મળીશું. – તંત્રી.]</p>
<p>[ હાસ્યલેખ : ‘પોરવાડ બંધુ’ સામાયિક ઑક્ટોબર-2011માંથી સાભાર.]</p>
<p>એમ.બી.બી.એસ. (મેડિકલ !)માં એડમિશન ન મેળવનારની પહેલી પસંદ ડેન્ટિસ્ટ બનવાની જ રહે છે. એનું દેખીતું કારણ છે બત્રીસ દાંત ! પેશન્ટનું મોં ખોલતાની સાથે જ ડૉક્ટરની આંખ ચમકી ઊઠે, ‘અરે વાહ ! ચાર સડેલા ! છ અડધા તૂટેલા ! આઠ તો હલે છે ને બાકીના એની મેળે હલતા થઈ જાય એવા કરી આપીશ. વાહ પ્રભુ વાહ ! તારી લીલાનો જવાબ નથી. ખુદા જબ દેતા હૈ તો દાંત તોડકે દેતા હૈ !’ ખુલ્લા મોંમાં દાંતનું હાડપિંજર જોઈને ડૉક્ટરની લાળ ટપકવા માંડે; પેશન્ટના બેલેન્સ ગુમાવી ચૂકેલા દાંતમાં (ને મગજમાં) એને પોતાનું બેંકબેલેન્સ દેખાવા માંડે છે.</p>
<p>કમનસીબે આંખના ડૉક્ટરને આવા કોઈ જ લહાવા દર્દીને જોઈને નાચવા કૂદવાના, મનમાં મહેલ બાંધવાના ને ભગવાનનો આભાર માનવાના મળતા નથી ! તો એક તો, ગણી ગણીને બે જ આંખો હોય ને તેનેય પાછું બેતાલીસ વરસ પછી મૂરત આવે ! મોતિયા તો એથીય મોડા આવે. પાછી એમાંય ઝાઝી કરામત બતાવવાની નહીં કે મોટા મોટા શો રૂમ રાખીને વટ મારવાનો નહીં. બગાસાં ખાતાં ખાતાં, બેતાલાં છે કહી ચશ્માની દુકાનવાળાના નામનો ચેક ફાડી આપવાનો. પોતાના હાથમાં શું આવે ? ચશ્માની દુકાનવાળો તો હોલસેલના પચાસના ભાવની ફ્રેમના પાંચસો લઈ લે તોય લોકો હોંશે હોંશે અરીસામાં જોયા કરે, પણ ડૉક્ટર પચાસના પાંચસો કરે તો લોકો ઊંચકીને ઘેર બેસાડી દે ! ભણ્યા તેનું વળતર શામાંથી કાઢવું ? (એટલે જ, કદાચ હવે મોટા ડૉક્ટરો ગણીગણીને બદલો નથી લેતા. કાયમ માટે આંખ ફાટેલી જ રહી જાય એવા ભાવ એક એક ઑપરેશનના પડાવી લે છે. જાણે આ પેશન્ટ ઘડી ઘડી નથી આવવાનો !)<br />
<span id="more-1913"></span></p>
<p>કોઈ દિવસ એવું બન્યું છે કે તમને ગળામાં દુઃખતું હોય ને ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમારું ગળું પકડી લે ? કે ગળું દબાવી દે ? પેટમાં દુઃખતું હોય તો તમારું પેટ પકડે કે પોતાનું પેટ પકડીને હસે ? એમને તો રોજ જાતજાતના પેશન્ટ આવતા હોય તેથી કંટાળીને ઘણી વાર આવી ઈચ્છાઓ જરૂર થતી હશે પણ પોતાના પેટને ખાતર ડૉક્ટર આવા બધા કોઈ ખતરા-અખતરા ઉઠાવતા કરતા નથી. કાનના ડૉકટર તો કોનો ગુસ્સો કોના પર કાઢવો તે સમજ્યા વગર પેશન્ટનો કાન પકડીને ઊંચો-નીચો, વાંકોચૂકો કરીને લાલ લાલ કરી નાખે, ને સાસુથી ગભરાયેલા નાકના ડૉક્ટર તો પેશન્ટનું નાક પણ સાચવીને પકડે. ફક્ત એક આંખના ડૉક્ટર જ એવા છે, જે આંખને અડ્યા વગર તપાસે ! કાન કે ગળામાં સોજો હોય અથવા દુઃખતું હોય ત્યારે એમાં ટૉર્ચ વડે ડૉક્ટર શું શોધતા હોય છે એ આજ સુધી કોઈ જાણી નથી શક્યું. છતાં ડૉકટર કંઈક તો કહેશે તેની આશામાં પેશન્ટ મોં વકાસીને જોયા કરે ત્યારે ડૉક્ટર કોથળામાંથી બિલાડું કાઢે ! ‘અંદર સોજો છે ને લાલ થઈ ગયું છે.’ ને જ્યારે આંખના ડૉક્ટર ટૉર્ચ લઈને પેશન્ટની આંખમાં ક્યાંય સુધી જોયા કરે ત્યારે આપણને બીક લાગે કે પેશન્ટની આંખો ફાટી ગઈ કે ડોળા ચડાવી ગયો કે શું ? કદાચ ડૉક્ટર હમણાં ટૉર્ચ બંધ કરીને કહેશે, ‘આઈ એમ સૉરી ! હી ઈઝ ડેડ !’</p>
<p>ગમે તેટલી તેજ દષ્ટિવાળા આંખના ડૉક્ટર હોય પણ ટૉર્ચની મદદ વગર આંખ તપાસતા નથી. જેમ દાંતના ડૉક્ટર શક્ય તેટલું મોં (પેશન્ટનું) ફાટવાનો આગ્રહ રાખે તેવું જ આંખના ડૉક્ટર પણ પેશન્ટને પોતાની સામે શક્ય તેટલા ડોળા ફાડવાનું કહે. ચશ્માંના નંબર કાઢતી વખતે જરાય કંટાળ્યા વગર ખૂબ પ્રેમથી પેશન્ટને ગૂંચવે. બુટ્ટી, બક્કલ કે બંગડીનાં ખોખાં જેવી પેટી કાઢે ને એમાંથી, જેમ જાદુગર પોતાની ટોપીમાંથી જાતજાતની વસ્તુઓ કાઢે એમ જુદા જુદા નંબરના કાચ કાઢવા માંડે. વગર કાચનાં પહેરાવેલાં ચશ્માં વડે પેશન્ટ બાઘાની જેમ બધું જોયા કરે એટલે ખેલ શરૂ થાય. વર્ષોથી એ જ ઘીસાપીટા સવાલો પુછાય, ‘ત્યાં સામે બોર્ડ પર વાંચો. વંચાય છે ?’ ફરી કાચ બદલે, ‘હવે ?’, ‘હવે ?’ &#8230;.. કહેતા પેશન્ટના સ્વભાવની ચીકણાઈને ભાંડવા માંડે. (ડોબા, વંચાય એટલે બસ. તારે ક્યાં મોતી પરોવવાનાં છે ?) પણ પેશન્ટને ઘરમાં કોઈએ આટલી બધી વાર પૂછ્યું ન હોય એટલે ભાવાવેશમાં આવીને એ પણ નિરાંતે ગૂંચવાય ! એને બિચારાને થાય કે ઘડીક આ કાચ બરાબર છે, ઘડીક આગળનો હતો તે બરાબર હતો. એ પાછો ગોઠવે તો લાગે કે ના, પેલો જ બરાબર છે. ઘણા તો આ પૂછપરછ દરમિયાન રડવા જેવા પણ થઈ જાય. ડૉક્ટર તો રોજની આ રમતથી ટેવાઈ ગયા હોય એટલે આપણને સરખા લાગતાં પણ એમને યોગ્ય લાગતા બે કાચ ગોઠવી પેશન્ટને બોર્ડ વાંચી જણાવે. (ડૉક્ટર કદાચ આખું દવાખાનું નવું સજાવી કાઢે તોય પેલું બોર્ડ તો તે જ રાખશે !) પેશન્ટ તો રેસમાં ભાગ લીધો હોય એમ શરૂઆતના અક્ષરો ઝપાટામાં વાંચી જાય ને પછી છોભીલો પડી&#8230;. ત&#8230;ત&#8230; પ&#8230;પ&#8230;. થવા માંડે. ડૉક્ટરને ત્યાં વારંવાર જવાવાળા તો દોડીને પાટાને અડીને આવી રહેવાનું હોય એમ વગર કાચના ચશ્મે પણ સડસડાટ કે કડકડાટ આખું બોર્ડ વાંચી (!) જાય. ભૂલમાં બિચારા કોઈ અભણને ચશ્મા ચડાવ્યાં હોય ત્યારે ભેંસ આગળ ભાગવત વાંચવાનો ડૉક્ટરને અફસોસ થાય. આખી પેટી ખાલી થઈ ગઈ હોય ને પેલો, ‘નથી વંચાતું-નથી વંચાતું’ જ બોલતો હોય ને ?</p>
<p>અમે તો ગમ્મત ખાતર ઘણી વાર મહોલ્લાના આંખના ડોક્ટરને ત્યાં ‘દેખતા આંધળા’ઓને જોવા પહોંચી જઈએ. કોઈ યોગશિબિરમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે. શાંત, દિવ્ય વાતાવરણમાં ઘણા આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા હોય. કોઈ કોઈ ગુસપુસ પણ કરતા હોય ને કોઈ મૂરખ મોટેથી પણ લવારી કરતું હોય. કોઈ ઓળખીતા ભટકાયા કે એકદમ ઈન્ટેલિજન્ટ સવાલ પૂછાય, ‘આંખ બતાવવા આવ્યા ?’ એની પાસે પણ એ જ સવાલની ઝેરોક્સ હોય ! મોતિયાવાળાને પણ આવા જ વિશ્વપ્રસિદ્ધ ઈન્ટેલિજન્ટ સવાલો, ‘મોતિયો કઢાવ્યો ? ક્યારે ? એક આંખે કે બંને આંખે ?’ (મોતિયા પર પી.એચ.ડી. કરવાના હશે કદાચ.) વિસ્તારથી સમજાવો એવું લખ્યું હોય એટલે દરેક સવાલના 10-10 માર્કને હિસાબે શરૂ થઈ જાય, ‘1950 માં ડૉક્ટરે મોતિયાની શરૂઆત છે – કહ્યું’તું પણ મેં તો રોજેરોજ આંખમાં કોથમીરનો રસ, લીમડાનો રસ, કારેલાંનો રસ ને શેરડીનો રસ આંજી આંજીને આજ સુધી એને અટકાઈવો. હવે ઉંમર થઈ તે મેં’કુ ભલે આવતો&#8230;.’ ભાવિ પેશન્ટોને ઘણું જાણવાનું મળે એ આશાએ જેમતેમ પ્રકરણ પૂરું કરે. મોતિયા પેશન્ટ તો એન્ટ્રી મારે ત્યારે ગીત ગાવાનું બાકી રાખે બાકી એનું વર્તન અને ચાલ જોઈને લાગે કે&#8230;. આપણે છુટ્ટા લાવ્યા હોત તો સારું થાત ! કોઈનો હાથ પકડીને કે કોઈને ખભે હાથ મૂકીને જ આવે. દાખલ થતાં વેંત એને માટે બાંકડા પર જગ્યા થઈ જાય ને પેલા સાથીદાર તો રાહ જ જોતા હોય એમ એને બેસાડીને ભાગે, ‘હમણાં આવું.’</p>
<p>દવાખાનામાં પણ સખણા ન બેસનારા ફાંફા મારનારાની આંખમાં દવા મૂકી એમને કલાકેક ઠંડા કરી દેવાય. વાત કરવાની મળે તો હંમેશાં બે સ્ત્રીઓ એકબીજા તરફ આકર્ષાતી હોય છે. એટલે ભૂલમાં પણ જો બે સ્ત્રીઓ નજીક નજીક બેઠી હોય તો બંધ આંખેય ઓળખાણ કાઢે ને (દૂરદૂરની) દુનિયા ફરી વળે. વળી કોઈ નવી પેશન્ટ આવી ચડી ને બધે નજર ફેરવતાં એકાદને ઓળખી કાઢી તો એના ખભા હલાવીને પણ પૂછે ખરી, ‘બકુબેન, આંખ બતાવવા આવ્યાં ?’ (ફિર વહી ઈન્ટેલિજન્ટ સવાલ !) બકુબેને તો અવાજથી જ બામની સુગંધ લઈ લીધી હોય એટલે ગભરાઈને મીંચેલી આંખ હજી વધુજોરમાં મીંચીને પૂછે, ‘કોણ સકુબેન ? આંખ બતાવવા આવ્યાં ?’ ( બધા જ ઈન્ટેલિજન્ટ થઈ ગયા !) જ્યાં સુધી આ ધરતી પર કે આકાશમાં ચાંદ ને સૂરજ રહેશે – આંખના ડૉક્ટર રહેશે ત્યાં સુધી આ સવાલ ને રમત રહેશે, રહેશે ને રહેશે જ ! યે હમારા દાવા હૈ !</p>
<p>બિચારા નવા પેશન્ટ તો ડૉક્ટર પાસે જઈને સલાહ લેવાના બાજુ પર જ રહી જાય પણ તે પહેલાં જ અમુક સિનિયર પેશન્ટો, બહાર બેઠેલાઓના લાભાર્થે પોતાના અનુભવો ખાસ લાક્ષણિક અંદાજમાં વર્ણવે&#8230; ‘આપણે તો ઑપરેશન કોને ત્યાં કરાવ્યું – પહેલાં કોને ત્યાં બતાવ્યું – આ ડૉક્ટરને ત્યાં કેમ આવ્યા ? ને આ ડૉક્ટર નહીં ફાવે તો બીજા ક્યા ડૉકટરને ત્યાં જઈશું ?&#8230;.’ વગેરે વાતો મસાલેદાર બનાવીને અંદર ડૉક્ટરને પણ ઊંચાનીચા કરી નાખે ! પેલાને તો ડૉક્ટરની બે આંખોની શરમ ન નડે પણ ડૉક્ટર બધાની આંખોમાં નીચે દેખાવા ન માગતા હોઈને આંખ આડા કાન કરી મૂકે. આંખમાં દવા મૂક્યા પછી આંખ થોડી વાર માટે (કાયમ માટે નહીં) બંધ રાખવાની હોય તે ઘણાને ખબર નથી હોતી. એટલે જેવી દવા મુકાય કે કોઈના પર વેર વાળતા હોય એવું મોં કરીને મલમ પચાવતા હોય એમ જોરજોરમાં આંખો ચોળીને પછી ખોલી નાખે ! ઘણા તો વર્ષો સુધી બેદરકાર રહ્યા હોય ને પછી અચાનક જ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય એમ આખો દિવસ આંખમાં પાણી જ છાંટ્યે રાખે. એમ કરવાથી કદાચ આંખનો (કે મનનો) બધો મેલ ધોવાઈ જશે એવું સમજતા હશે ! – ઘાસ ન હોય કે પીળું હોય તોય બગીચા સામે જોયે રાખશે ને જેવું ઘરમાં કોઈ ટી.વી. ચાલુ કરે કે લેકચર ફાડવા માંડે. પછી તો ઘરમાં બધાની આંખનો ઈજારો પોતાનો જ હોય એમ બધા પર નજર રાખે. ‘અંધારામાં નહીં વાંચો-ચોપડી આંખથી છ ફૂટ દૂર રાખો&#8230;.’ વગેરે વગેરે જેટલું યાદ રહ્યું હોય એટલું ઊંઘમાંય બબડે !</p>
<p>‘અખિયા મિલા કેં’ રોગના ફેલાવા વખતે ડૉક્ટર અને કેમિસ્ટની સાથે સાથે લેખકો પણ પાંચપચીસ રૂપિયા કમાઈ લેઆ હોય છે. હાર્ટ સર્જરી અગાઉ કે સિઝેરિયન ઑપરેશન અગાઉ પેશન્ટના સગાની સહી ઉઘરાવાય છે તે જોઈને આંખના ડૉક્ટરોએ પણ હવે બે આંખની શરમ બાજુએ મૂકીને ‘ઑપરેશન તમારી પાસે જ કરાવીશ અને મારી આંખ ફૂટી જાય કે મીંચાઈ જાય તેને માટે તમે જરાય જવાબદાર નથી’ એવું પેશન્ટ પાસે લખાવવા માંડ્યું છે. આવું લખાવીને ડૉક્ટર બીજાઓની આંખો ખોલવા માંડ્યા છે. દવાખાનામાં બેઠા હો ત્યારે ખુલ્લી આંખે બધા તમાશા જોયા કરવા પણ જાતજાતના પેશન્ટોને જોઈ ગભરાઈ ન જવું, કારણ કે દારૂ ન પીધો કે ગુસ્સામાં ન હોય તોય કોઈની આંખો લાલ હોય, તમારો જરાય વાંક ન હોય છતાં કોઈ તમારી સામે ચૂંચી આંખ કરીને જોતું હોય, સમાધિમાં ન હોય કે ઉપર ન પહોંચી ગયું હોય તોય કોઈની આંખો બંધ હોય કે પછી કોઈ તમારી સામે ઘડી ઘડી આંખ ઝપકાવતું હોય (ત્યારે મનમાંથી સુંદર હોવાનો વહેમ કાઢી નાખવો – એને વાયુને કારણે આમ થતું હોય છે) આ બધી આંખની અંદરની વાત છે, ડૉક્ટરને જ ખબર પડે. આપણે તો એવે સમયે આંખ ફેરવી લેવી. આંખ કાઢવા જઈએ તો પછી કોઈ ડૉક્ટરની બે આંખની શરમ પણ નહીં રાખે. નજર નજરમાં ફેર હોય એટલે કોઈની નજીકની નજર કમજોર હોય ને કોઈની દૂરની ! બધી નજરના ઈલાજ આંખના ડૉકટર પાસે હોય, સિવાય કે બૂરી નજર ! રસ્તે ચાલતાં આંખો ફાડીને જોવા ટેવાયેલાઓ માટે જ કદાચ ‘બૂરી નજરવાલે&#8230;’ કહેવાતું હશે ?</p>
<p>અને છેલ્લે, આંખના ડૉક્ટર માટે જ લખાયેલું એક સુંદર ગીત – ‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા ક્યા હૈ ?’ પેશન્ટની આંખોના ઊઘડવા ને બંધ થવા પર જ ડૉક્ટરની સવાર ને સાંજ પડે છે ને !</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/09/taari-aankh/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>જ્ઞાનની ગરબડ – નટવર પંડ્યા</title>
		<link>http://www.readgujarati.com/2012/01/23/gyan-garbad/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/23/gyan-garbad/#comments</comments>
		<pubDate>Mon, 23 Jan 2012 01:51:19 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[હસો અને હસાવો]]></category>
		<category><![CDATA[નટવર પંડ્યા]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1805</guid>
		<description><![CDATA[[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ શ્રી નટવરભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 8530669907 અથવા આ સરનામે natwarpandya@gmail.com સંપર્ક કરી શકો છો.] ‘સફળતાના શિખરે છલાંગ મારીને કેવી રીતે ચઢી જવું&#8230;’ તે મુદ્દે પ્રવચનોના પૂર વહાવતા અમારા એક સાહેબ પોતાના વક્તવ્યમાં વારંવાર કહેતા, ‘જો તમે દશ વરસ સુધી દરરોજ એક-એક કલાક [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા બદલ શ્રી નટવરભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 8530669907 અથવા આ સરનામે natwarpandya@gmail.com સંપર્ક કરી શકો છો.]</p>
<p>‘સફળતાના શિખરે છલાંગ મારીને કેવી રીતે ચઢી જવું&#8230;’ તે મુદ્દે પ્રવચનોના પૂર વહાવતા અમારા એક સાહેબ પોતાના વક્તવ્યમાં વારંવાર કહેતા, ‘જો તમે દશ વરસ સુધી દરરોજ એક-એક કલાક વાંચશો તો તમે નોલેજ સેન્ટર બની જશો, જ્ઞાની બની જશો.’ આ સાંભળીને અમારા ચંદનમામાએ ‘જ્ઞાની’ બનવાના ગરમાગરમ ઉત્સાહમાં દરરોજ કલાકને બદલે દોઢ કલાક વાંચવાનું શરૂ કર્યું. આ રીતે સતત દશ વર્ષ વાંચ્યા પછી તેમને એટલું જ્ઞાન થયું કે ‘પુસ્તકિયું જ્ઞાન કશું કામ આવતું નથી&#8230;’ શ્રીમદ ભગવદગીતાના ‘કરેલું કર્મ નિષ્ફળ જતું નથી’ એ સિદ્ધાંત મુજબ જ્ઞાનમાર્ગે એકધારી તપશ્ચર્યા કરવાથી ભલે કદાચ તમે ધાર્યું હોય તે નહિ તો અણધાર્યું જ્ઞાન તો મળે જ ! એ જ્ઞાન એવું સચોટ હોય કે તમે ભૂલવા ધારો તોય ન ભૂલી શકો.</p>
<p>જ્ઞાન તો ઘણા પાસે હોય છે પણ ‘જ્ઞાન વિશે પણ જ્ઞાન’ હોવું જરૂરી છે, જે ઘણા ઓછા પાસે હોય છે. મારા મિત્ર ઉલ્લુએ (જેનું નામ ‘ઉલ્હાસ’ છે પણ તેની પત્ની તેને વહાલથી ‘ઉલ્લુ’ કહે છે.) બી.એ.ના પ્રથમ વર્ષ સુધી આકસ્મિક અભ્યાસ કર્યો હોવાથી તેના જ્ઞાનની ક્ષિતિજો છાપાની પૂર્તિઓના વાંચન સુધી વિસ્તરી છે. તેમાંથી તે જે કાંઈ જ્ઞાન મેળવે છે તે કોઈપણ જાતના ફેરફાર વિના હોલસેલના ધોરણે સીધું જ તેના પાંચમું ધોરણ ભણતા પુત્રને આપે છે. એક દિવસ ઉલ્લુએ તેના પુત્ર વિશે મને ફરિયાદ કરતાં કહ્યું :<br />
‘સાહેબ, આના નસીબમાં જ નથી&#8230;.’<br />
મેં પૂછ્યું : ‘શું ?’<br />
તેણે કહ્યું : ‘જ્ઞાન.’<br />
આમ કહીને વિશેષમાં જણાવ્યું કે હું તેને દરરોજ ટાંકણીથી માંડીને હવાઈજહાજ સુધીનું જ્ઞાન આપું છું. પણ આ મૂર્ખ મગજમાં ઊતારતો જ નથી. ત્યારે મારે ન છૂટકે કહેવું પડ્યું, ‘ભાઈ ઉલ્લુ, પાંચમું ભણનારને ટાંકણીથી માંડીને તવેથા સુધીનું જ જ્ઞાન અપાય. સીધો જ હવાઈજહાજે પહોંચાડે તો ક્રેશ થાય !’ આમ જ્ઞાન આપવા વિશેનું જ્ઞાન ન હોવાથી પિતા-પુત્ર વચ્ચે કાયમ સંઘર્ષ થયા કરતો. જો જ્ઞાન વિશેનું પ્રમાણભાન, વિવેકભાન હોય તો તે મુક્તિ અપાવે, નહિ તો માથાકૂટ થાય !<br />
<span id="more-1805"></span></p>
<p>જ્ઞાન વિશે સૌથી મોટો ભ્રમ છે આપવાનો ! ખરેખર જ્ઞાન કોઈને આપી શકાતું નથી. એ તો મેળવવાનું હોય છે. જો જ્ઞાનના પડીકા બાંધીને આ રીતે આપી શકાતા હોત તો જ્ઞાનના ગોડાઉન સમાન પરમપૂજ્ય કે અપૂજ્ય બાપુ, ગુરુ, સ્વામીઓ પોતાના સ્વજનોને, શિષ્યાઓને જ જ્ઞાન આપત. લોકોમાં વહેંચત નહિ. પણ આવું શક્ય નથી એટલે તો તે જ્ઞાનવીર ભામાશાઓ ગમે તેના ચરણે જ્ઞાનના કોથળા ઠાલવવા ઉત્સુક હોય છે. આવી જ્ઞાનની હરતી-ફરતી યુનિવર્સિટીઓની હડફેટે ચડેલો પામર માનવી તેની જ્ઞાનગંગામાં ડૂબીને ગૂંગળાઈ મરે છે. જોકે આ બાબતથી યુનિવર્સિટીઓ પોતે અજાણ હોય છે. એ તો ‘રામબાણ વાગ્યા હોય એ જાણે&#8230;’. આમ હિરોશીમા અને નાગાસાકી પર ઝીંકાયેલા અણુબોંબના વિસ્ફોટો કરતાં જ્ઞાનના વિસ્ફોટોએ લોકોને વધુ ઘાયલ કર્યા છે. અણુબોંબનો વિસ્ફોટ તો એક જ વાર થયો, પણ જ્ઞાનના વિસ્ફોટ તો ગમે ત્યારે થયા કરે છે. જ્ઞાનનું કામ છે મનુષ્યને ભાન કરાવવાનું, પણ અતિજ્ઞાન (જે અર્ધજ્ઞાન પણ હોઈ શકે) જ્યારે ભાન ભૂલાવી દે ત્યારે ભારે ખતરનાક નીવડે છે. અલબત્ત, સામેવાળા માટે જ !</p>
<p>અમારા ગામમાં એક મંદિર બાંધવા માટે જ્યારે ગ્રામજનો એકઠાં થયા ત્યારે મંદિર બાંધવા બાબતે જેને પોતાના વિચારો રજૂ કરવા હોય તેને દશમિનિટ આપવામાં આવી. ઘણા લોકોએ પાંચ-સાત મિનિટમાં ઘણું કહી દીધું જે મોટાભાગે ઓછું ભણેલા હતા. ત્યારબાદ સંસ્કૃતના એક વિદ્વાન પ્રાધ્યાપક ઊભા થયા. ‘ગામ એટલે શું ?’ તે વિશે તેમણે વૈદિક યુગથી શરૂ કર્યું. ત્યાંથી ઉત્તરવેદકાલીન યુગ સુધી પહોંચતાં તેમણે પંદર મિનિટ લીધી. તેમના વક્તવ્યની જ્ઞાનસભર છણાવટ અને જમાવટ જોતાં અમને જ્ઞાન થયું કે તેમને છેક મંદિરે પહોંચતાં લગભગ પોણો કલાક તો લાગશે જ ! તેથી ન છૂટકે તેમના બહુમૂલ્ય વિચારોને વિરામ આપવા વિનંતી કરવી પડી. તેમને વારંવાર આ સમસ્યા નડતી. તેથી કોઈપણ સ્થળે તેઓ પોતાના વક્તવ્યની જ્ઞાનસભર મજબૂત પૂર્વભૂમિકા રચી હજુ તો વિષયને સ્પર્શે ત્યાં જ સમયમર્યાદા પૂરી થઈ જતી અને તેમણે વિરમી જવું પડતું. આ તો વરરાજા મધુરજની વખતે હજુ નવવધૂને સ્પર્શે ત્યાં જ કોઈ ગુરુ તેને આજીવન બ્રહ્મચર્યની કઠોર પ્રતિજ્ઞા લેવડાવે તેવી કરુણ બાબત હતી. આમ અહીં જ્ઞાન હતું પણ તેને રજૂ કરવા વિશેના જ્ઞાનનો અભાવ હતો. જ્ઞાનીઓ માને છે કે જ્ઞાનને કોઈ બંધન નથી, તેથી પોતાના વક્તવ્યોમાં તેઓ સમયના બંધનને ફગાવી દે છે અને જ્ઞાનનો ધોધ વહાવે છે – જે સરવાળે સભાનું ધોવાણ કરે છે. પરિણામે શ્રોતાજનોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાય છે. આમ જ્ઞાનનું પરિણામ નજર સમક્ષ હોવા છતાં જ્ઞાનીજનોને ભાન થતું નથી. જો કે ‘ક્યાંથી શરૂ કરવું’ તેનું જ્ઞાન તો તેમની પાસે જરૂર કરતાં સવાયું હોય છે. પણ સવાલ અટકવાનો છે. જેના કારણે આખેઆખી સભાઓ બરખાસ્ત થઈ જાય છે.</p>
<p>જ્ઞાનને અને વિચારને સીધો સંબંધ હોવાથી જ્ઞાની પુરુષો ઘણું વિચારતા હોય છે. આવા એક ગહન જ્ઞાની પુરુષનો પરિચય કરાવતા મારા મિત્રે કહ્યું કે, ‘આ વિવેકપ્રસાદજી છે, તે ખૂબ જ્ઞાની છે અને કોઈપણ બાબતમાં ડીપ થિંકિંગ કરે છે, ઘણું ઊંડું વિચારે છે&#8230;.’ વિચારશીલ વ્યક્તિઓમાં મને રસ પડે છે તેથી તેમનો વિશેષ પરિચય મેળવવા મેં મિત્રને ખાનગી ધોરણે પૂછ્યું, ‘પ્રસાદજી પોતે શું કરે છે ?’ મિત્રે કહ્યું, ‘તે એટલું બધું વિચારે છે કે વિચારવા સિવાય કશું જ કરી શકતા નથી !’ આમ એકધારા જ્ઞાનના ચિંતનને કારણે કર્મના બંધન એટલી હદે તૂટી જાય છે કે પછી જાતક કોઈ કર્મ કરવા ધારે તોય કરી શકતો નથી. (જો કે વિચારવું એ પણ એક કર્મ જ છે.) આ રીતે સાહિત્યક્ષેત્રે પણ જ્ઞાન વિશે વિસ્મયકારક ઘટનાઓ બનતી રહે છે. ક્યારેક કોઈ વિદ્વાન લેખકને ચંદ્રક ઘણો મોડો અપાય છે ત્યારે તેઓ અફસોસ વ્યક્ત કરતાં હોય છે. ઉપરાંત તેમના વાચકો-ચાહકો પણ નારાજગી વ્યક્ત કરતાં કહે છે કે તેઓશ્રીને લખવાનું બંધ કરી દીધા પછી ચંદ્રક મળ્યો, ઘણો મોડો મળ્યો. પણ ઘણીવાર ‘તેથી જ’ મળ્યો હોય છે. તેનું જ્ઞાન ખુદ લેખકને કે તેના વાચકો-ચાહકોને હોતું નથી. કવિશ્રી નિરંજન ભગતને 1970માં રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાની જાહેરાત થઈ. રઘુવીર ચૌધરીએ સંદેશમાં પોતાની કોલમ ‘વૈશાખીનંદનની ડાયરી’માં આ અંગે રમૂજ કરી, ‘કહે છે કે છેલ્લા બાર-બાર વર્ષથી એમણે એકપણ કવિતા લખી નથી. આ રીતે તેમણે એક તપ પૂરું કર્યું છે. તેમના આ સંયમને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય સભાએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવાનો નિર્ણય લીધો છે. (‘વિશ્વના શ્રેષ્ઠ હાસ્યપ્રસંગોમાંથી’ – પ્રકાશ વેગડ) પણ હવે સમય બદલાયો છે. આજકાલ લેખકો પાસે લખવાનું જ સારું જ્ઞાન હોય તે અધૂરું ગણાય છે. હવે તો શ્રેષ્ઠ લેખક એ ગણાય છે જે લખતા પહેલા તેને વખાણનાર વર્ગનું સર્જન કરી શકે. વળી એક મોટા ગજાના લેખકે તો પોતાના જ્ઞાન વિશે ઘણી નિખાલસતાથી જણાવ્યું છે કે ‘મારામાં લેખનશક્તિ નથી તેનું જ્ઞાન થતાં મને પંદર વર્ષ લાગ્યા. પણ પછી હું લખવાનું પડતું મૂકી શકું તેમ નહોતો કારણ કે હું અતિવિખ્યાત થઈ ચૂક્યો હતો.’ તો વળી પેલા સોક્રેટીસે જીવનભર થોકબંધ પુસ્તકો વાંચ્યા પછી પોતે મેળવેલા જ્ઞાન વિશે જણાવ્યું કે ‘હું કશું જ જાણતો નથી.’ સોક્રેટીસનું કહેવું-વાંચીને કેટલાક લેખકોએ તો વાંચવાનું જ બંધ કરી દીધું છે. અલબત્ત, લખવાનું ચાલુ છે ! વળી સાહિત્યકારો વિશે આપણે એવું જ્ઞાન ધરાવીએ છીએ કે જ્યારે બે સાહિત્યકારો મળતા હશે ત્યારે મોટા ભાગે સાહિત્યસર્જનની ચર્ચા કરતાં હશે. પણ વાસ્તવિકતા સાવ જુદી છે. તેઓ મોટે ભાગે પુરસ્કારની ચર્ચા કરતાં હોય છે. અને સારો પુરસ્કાર એ શ્રેષ્ઠ સાહિત્ય સર્જન માટેનું સૌથી મોટું પ્રેરક પરિબળ છે. જો કે પુરસ્કાર વિશેનું જ્ઞાન હજુ માલિકો અને પ્રકાશકોને પૂરતાં પ્રમાણમાં થયું નથી. તેથી ઘણી જગ્યાએ આજે પણ લેખકોને પુરસ્કાર આપવાનો કુરિવાજ નથી.</p>
<p>પ્રકાશકો પાસે પુસ્તકો પ્રગટ કરવાથી માંડીને વેચાણકળાનું વિશાળ જ્ઞાન હોય છે. છતાં કેટલુંક અગત્યનું જ્ઞાન ખૂટે છે. એક પ્રકાશકે એક ચિંતનાત્મક પુસ્તક પ્રગટ કર્યા પછી પોતાના સાહિત્યકારમિત્રને વિનામૂલ્યે વાંચવા આપ્યું. મિત્ર તે દળદાર પુસ્તક વાંચ્યા પછી પરત કરવા આવ્યા ત્યારે પ્રકાશકે પૂછ્યું, ‘આ પુસ્તકમાં તમને એવી કઈ બાબત લાગી જે વાચકને વિચારતો કરી દે ?’ મિત્રે પૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ‘પુસ્તકની કિંમત.’ આ જવાબ સાંભળી પ્રકાશકના જ્ઞાનમાં તે જ ક્ષણે વધારો થયો. તેથી જ કોઈ ચિંતકે કહ્યું છે કે, ‘જે પુસ્તકે પ્રકાશકને વધુમાં વધુ ખોટ કરાવી હોય તેમાંથી જ તેને ભરપૂર જ્ઞાન મળે છે.’ વિશેષમાં એમ પણ કહ્યું છે કે ‘શ્રેષ્ઠ વાંચન કોને કહેવાય તેની પ્રકાશકને ખબર ન પડે ત્યાં સુધી તે સફળ રહે છે.’</p>
<p>આ રીતે પ્રકાશિત થતાં સામાયિકોમાંથી જ્ઞાનીજનો, વાંચકો વિવિધ પ્રકારના લેખો વાંચે છે. પછી લેખ વિશે પોતાના અભિપ્રાયો લખી મોકલે છે જેમાં શબ્દે-શબ્દે જ્ઞાન છલકાતું હોય છે. છતાં અભિપ્રાય લખી મોકલનાર કેટલાક વાચકોમાં એક અગત્યનું જ્ઞાન એ ખૂટે છે કે, ‘લેખ કરતાં અભિપ્રાય લાંબો ન હોવો જોઈએ.’ આમ જુઓ તો અંધકાર, અજ્ઞાન અને ઈશ્વર સર્વવ્યાપી છે. તેમાં ઈશ્વર તો ઠીક પણ અજ્ઞાનના ચમકારા આપણને ડગલે ને પગલે જોવા મળે છે. તેથી જ જ્ઞાનીઓ અને વિદ્વાનોના પ્રવચનો કરતાં મને અર્ધજ્ઞાનીઓના વક્તવ્યો માણવા ખૂબ ગમે છે. છાતી ઠોકીને મારું માનવું છે કે ચર્ચા કે ભાષણો માટે અજ્ઞાન કે અર્ધજ્ઞાન ઉત્તમ છે, તેનાથી ચર્ચા કે ભાષણો રોચક અને જીવંત બને છે. કવિ ગંગ લખે છે કે ‘તારા કી તેજમેં ચંદ્ર છૂપે નહિ, સૂર્ય છૂપે નહિ બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છૂપે નહિ, દાતાર છૂપે ના ઘર માંગન આયો.’ આ રીતે અજ્ઞાન પણ છૂપું રહી શકતું નથી. જ્ઞાનીઓની જાણ બહાર તે વ્યક્ત થતું રહે છે, જેને શ્રોતાઓ પામી જાય છે. આમ દરેક મનુષ્યની અંદર અજ્ઞાનનો એક મહાસાગર છૂપાયેલો હોય છે. તેમાંથી જ સાચા મોતી મળી આવે છે. તેથી જ કોઈ ચિંતકે કહ્યું છે કે, ‘જીવનમાં સફળ થવા માટે અજ્ઞાન સાથેનો આત્મવિશ્વાસ જરૂરી છે.’</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/23/gyan-garbad/feed/</wfw:commentRss>
		<slash:comments>8</slash:comments>
		</item>
		<item>
		<title>હાસ્યમેવ જયતે – જગદીશ ત્રિવેદી</title>
		<link>http://www.readgujarati.com/2012/01/17/hasyamev-jayate/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/17/hasyamev-jayate/#comments</comments>
		<pubDate>Tue, 17 Jan 2012 02:40:30 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[હસો અને હસાવો]]></category>
		<category><![CDATA[જગદીશ ત્રિવેદી]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1779</guid>
		<description><![CDATA[[ સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક શ્રી જગદીશભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્યમેવ જયતે’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825230903 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] દાંત સમ ખાવા છે એક જ સાળી વાત [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક શ્રી જગદીશભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘હાસ્યમેવ જયતે’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825230903 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><strong><span style="color: #993366;">[1] દાંત</span></strong></p>
<p><em>સમ ખાવા છે એક જ સાળી</em><br />
<em> વાત કરું એની વિસ્તારી</em><br />
<em> કાળા-પીળા મોટા દાંત</em><br />
<em> જાણે વઘાર્યા વાસી ભાત – ડૉ. બળવંત વ્યાસ</em></p>
<p><img class="alignright size-full wp-image-1780" title="Picture 029" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/Picture-029.jpg" alt="" width="224" height="338" />દાંતનો મહિમા માણસના જીવનમાં અનેરો છે. હસવાથી માણસના દાંતનું દર્શન થાય છે. આ દાંત જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી પણ દાંત જેવા એક પછી એક પડવા માંડે છે ત્યારે માણસને એનું મૂલ્ય સમજાવા માંડે છે.</p>
<p>બે મિત્ર સાથે ડેન્ટિસ્ટ થયા અને એક જ શહેરમાં, એક જ વિસ્તારમાં રોડની બન્ને બાજુએ સામસામે પોતાનાં ક્લિનીક શરૂ કર્યાં. એક દિવસ સાંજે બન્ને કૉફી પીવા એકઠા થયા ત્યારે એક દાકતર બોલ્યો કે આજે એક પેશન્ટ એવો આવ્યો કે એના જેવો હિંમતવાન દર્દી કોઈ જોયો નથી. એણે મને કહ્યું કે મારે ઈન્જેકશન લેવું નથી કે ઈથરનો સ્પ્રે પણ કરવો નથી. એટલું જ નહીં પરંતુ મારે તમારી ખુરશીમાં પણ બેસવું નથી. હું તમને ઊભા ઊભા જે દાઢ બતાવું તે પક્કડમાં પકડીને ખેંચી નાખો, હું ઊંહકારો પણ કરીશ નહીં. પેશન્ટના અવાજમાં વિશ્વાસનો રણકો જોઈને મને પણ હિંમત આવી ગઈ અને મેં ઊભા ઊભા એની દોઢડાહપણની દાઢ ખેંચી નાખી અને મારા આશ્ચર્ય વચ્ચે એણે ઊંહકારો પણ કર્યો નહીં. મને એની મર્દાનગી ઉપર માન થયું એટલે ફી પણ લીધી નહીં અને જવા દીધો. આ સાંભળીને બીજો દાક્તર બોલ્યો કે એણે પીળું ટીશર્ટ પહેર્યું હતું ? પેલા દાક્તરે કહ્યું કે હા, પણ તને કેવી રીતે ખબર પડી ? ત્યારે બીજો દાક્તર બોલ્યો કે એ મારે ત્યાં ઈન્જેકશન મરાવીને તારે ત્યાં દાઢ ખેંચાવી ગયો. મને ઈન્જેકશનનો ચાર્જ આપ્યો નહીં. એ આપણને બન્નેને મામા બનાવી ગયો !</p>
<p>એક યુવાનને ડેન્ટિસ્ટની દીકરી સાથે પ્રેમ થયો. પેલો દરરોજ હિંમત કરીને દાક્તર પાસે એમની દીકરીનો હાથ માગવા જાય પણ દાક્તરની ઑફિસમાં જઈને સામે બેસે ત્યારે હોઠ ખૂલે નહીં. એક દિવસ દાક્તરની પુત્રીએ પૂછ્યું કે આજે તેં મારા પપ્પા પાસે જઈને આપણા પ્રેમનો એકરાર કર્યો કે નહીં ? ત્યારે પેલો યુવાન બોલ્યો કે આજે પણ મારી હિંમત ચાલી નહીં અને વધુ એક દાંત પડાવીને આવતો રહ્યો. આ સાંભળીને યુવતી બોલી કે આમ ને આમ તેં ત્રીજો દાંત કઢાવી નાખ્યો. થોડા દિવસ આમ ચાલ્યું તો તું બોખો થઈ જઈશ. ત્યારે પેલો યુવાન બોલ્યો કે છેલ્લે ડેન્ચરનું માપ આપવા જઈશ ત્યારે તો સો ટકા પૂછી લઈશ.<br />
<span id="more-1779"></span></p>
<p>આવી જ રીતે બીજા એક કિસ્સામાં એક દર્દીએ દાંત પડાવીને પાંચસોની નોટ આપી તો દાક્તરે બસો રૂપિયા કાપીને ત્રણસો પાછા આપ્યા. પેલા પેશન્ટે મોંમાં રૂના પૂમડા સાથે ગાલ ઉપર હાથ રાખીને પૂછ્યું કે એક દાંત પાડવાના તમે સો રૂપિયા જ ચાર્જ કરો છો અને મારા બસો રૂપિયા શા માટે લીધા ? ત્યારે દાક્તર બોલ્યો કે તમારી ચીસ સાંભળીને એક પેશન્ટ ઊભો થઈને બીજા દવાખાને જતો રહ્યો તેના સો રૂપિયા તમારી પાસેથી વસુલ કર્યા છે.</p>
<p><strong><span style="color: #993366;">[2] બસ</span></strong></p>
<p><em>બીવીકો અગર બસમેં લે જાઓ</em><br />
<em> તો વો બસમેં નહીં આતી હૈ</em><br />
<em> બીવી કો અગર કારમેં લે જાઓ</em><br />
<em> તો વો જરૂર બસમેં આતી હૈ</em></p>
<p>કોઈ હિન્દી કવિએ અહીં ‘બસ’ શબ્દનો સુંદર શ્લેષ કર્યો છે. શ્લેષ અલંકારમાં એક જ શબ્દનો બે વખત પ્રયોગ થાય છે અને બન્ને વખત એનો અર્થ જુદોજુદો હોય છે. અહીં બસનો એક અર્થ Bus એટલે એસ.ટી. કે ટ્રાવેલ્સની બસ એવો થાય છે અને ‘બસ’ શબ્દનો બીજીવાર અર્થ વશ અથવા તો કાબુમાં એવો થાય છે. પત્નીને જો બસ નામનાં વાહનમાં લઈ જઈએ તો કાબુમાં આવતી નથી પણ જો મોટરકારમાં લઈ જઈએ તો વશ થઈને વર્તે છે, એવો આ વ્યંગનો અર્થ થાય છે.</p>
<p>હું એકવાર એક ગામથી બીજે ગામ બસમાં જવા માટે સુરેન્દ્રનગર એસ.ટી. ડેપો ઉપર આવ્યો, જે બસ મારા નસીબમાં આવી તે ખુબ જૂની અને સાવ ખખડી ગયેલી હોવાથી મેં કંડકટરને મઝાક કરવા માટે સવાલ કર્યો કે આ ખટારો ક્યારે ઉપાડશો ? આ સાંભળી કંડકટર બોલ્યો કે બસ કચરો ભરાઈ જાય એની રાહ છે. હાસ્યકલાકાર અને હાસ્યલેખકનું મોઢું સીવી લે એવા જવાબ કાઠિયાવાડનાં માણસો આપી શકે છે. એકવાર એક બસમાં એક મુસાફર સામે જોઈને એક સ્ત્રી મુસાફરે બેત્રણ વખત સ્માઈલ આપ્યું ત્યાં તો પેલો પુરુષ ભાન ભૂલી ગયો, તરત જ માથું ઓળવા લાગ્યો અને કપડાં સરખાં કરવા લાગ્યો, પુરુષને મહેનત કરતો જોઈને કંડકટર બોલ્યો કે તમારે જે ગામ જવું હોય એની ટિકીટનાં રૂપિયા આપો એટલે હું તમને ટિકીટ આપું, બાકી એમાં હેરાન થશો નહીં કારણ કે એ ગાંડી છે અને આખી દુનિયાને સ્માઈલ આપે છે. કંડકટરે પોતાનો અનુભવ પણ કહ્યો કે પહેલે દિવસે મને પણ તમારી જેમ ભ્રમ થયો હતો અને પરિણામે મારે ટિકીટનાં હિસાબમાં ભૂલ આવી હતી.</p>
<p>એક બસમાં ખૂબ જ ભીડ હોવાથી એક ભાઈએ વક્રોક્તિ કરી કે બસની હાલત જોઈને મને એમ લાગે છે કે હું પ્રાણીસંગ્રહાલયમાં આવી ગયો છું. આ સાંભળીને બીજો પેસેન્જર તરત જ બોલ્યો કે બસ માત્ર એક ગધેડાની ખામી હતી જે તમારા આવવાથી પૂરી થઈ ગઈ છે. એકવાર હું અમદાવાદનાં સીટી બસ સ્ટોપ ઉપર સીટી બસની રાહમાં ઊભો હતો ત્યાં મારી બાજુમાં ઊભેલા કાકાની આંખ સામે દષ્ટિ પડી તો ખ્યાલ આવ્યો કે કાકાની એક આંખ નકલી છે. એટલે મેં વિનમ્રતાથી સવાલ પૂછ્યો કે કાકા&#8230; આ કાચની આંખ કઈ કામમાં આવે ? એટલે કાકો અમદાવાદી હોવાથી તરત જ બોલ્યો કે થોડીવાર અહીંયા જ ઊભો રહેજે, હમણાં તને જવાબ મળી જશે. થોડીવાર થઈ ત્યાં એક ડબલડેકર બસ આવી, પેલા કાકાએ પોતાની નકલી આંખ બહાર કાઢી, બે માળની બસ પાસે હવામાં ઉછાળીને કેચ કરીને પાછી આંખ લગાડી દીધી. મેં આમ કરવાનું કારણ પૂછ્યું તો મને કહે મેં નકલી આંખને હવામાં ઉછાળીને જોયું કે બસનો ઉપરનો માળ ખાલી છે કે નહીં ? મેં કહ્યું કાકા, બસનો ખાલી હોય કે ન હોય પરંતુ તમારો ઉપરનો માળ ખાલી છે તે નક્કી થઈ ગયું. ડ્રાઈવર અને કંડકટરમાં એટલો જ તફાવત છે કે જો કંડકટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ફાટે નહીં પરંતુ, ડ્રાઈવર સૂઈ જાય તો બધાંની ટિકિટ ફાટે !</p>
<p>[કુલ પાન : 132. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/17/hasyamev-jayate/feed/</wfw:commentRss>
		<slash:comments>15</slash:comments>
		</item>
		<item>
		<title>પથારીત્યાગનો પૂર્વાર્ધ ! – નટવર પંડ્યા</title>
		<link>http://www.readgujarati.com/2011/12/28/pathari-tyag/</link>
		<comments>http://www.readgujarati.com/2011/12/28/pathari-tyag/#comments</comments>
		<pubDate>Wed, 28 Dec 2011 02:48:12 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[હસો અને હસાવો]]></category>
		<category><![CDATA[નટવર પંડ્યા]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1681</guid>
		<description><![CDATA[[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ શ્રી નટવરભાઈનો આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.] શિયાળાની સવારે વહેલા ઊઠવા વિશે હાસ્યવિદ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે. તેથી શિયાળાની વહેલી સવારે બ્રાહ્મમુર્હૂતમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રાહ્મમુર્હૂતમાં જ મનુષ્યે નિદ્રાનાં [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2011માંથી સાભાર. આપ શ્રી નટવરભાઈનો આ નંબર પર +91 8530669907 સંપર્ક કરી શકો છો.]</p>
<p>શિયાળાની સવારે વહેલા ઊઠવા વિશે હાસ્યવિદ શ્રી રતિલાલ બોરીસાગરે લખ્યું છે કે પથારી છોડવા બેસું તો વરસોના વરસ લાગે. તેથી શિયાળાની વહેલી સવારે બ્રાહ્મમુર્હૂતમાં જો કોઈ પથારી છોડવાનું કહે તો પથારી ફરી જાય. કારણ કે બ્રાહ્મમુર્હૂતમાં જ મનુષ્યે નિદ્રાનાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં હોય છે. શિયાળાની વહેલી સવાર એ ઊંઘનો સુવર્ણયુગ ગણાય છે. જેમ ભક્તિની એક ઊંચાઈએ પહોંચ્યા પછી જીવ અને શિવ એકરૂપ થઈ જાય છે. એમ શિયાળાની વહેલી સવારે મનુષ્ય અને પથારી એકરૂપ થઈ ગયાં હોય છે.</p>
<p>આ રીતે ચેતન અને જડ એકરૂપ થઈ જડ બની જાય છે, ત્યારે તેનું વિભાજન વિકટ બને છે. આવા પથારીસ્વરૂપ પુરુષને પથારીમાંથી છૂટો પાડવો તે પાણીમાંથી ઑક્સિજન છૂટો પાડવા જેટલું કઠિન કાર્ય છે. કારણ કે કેટલાકને ગોળીઓ લેવા છતાં ઊંઘ આવતી નથી, જ્યારે કેટલાક આવતી કાલનાં તમામ કાર્યોને ગોળીએ દઈને ઊંઘી જાય છે. શિયાળામાં તો પથારીને સાત-સાત જનમ સુધી સાથ નિભાવવાના કોલ દીધા હોય છે. અને એકથી વધારે ધાબળા, રજાઈ ઓઢીને માનવી ‘ગરમ-સમીપે’ હોય છે. પછી ‘ઊંઘ સત્ય, જગત મિથ્યા’. પછી સવારના સાત વાગ્યા સુધી જે સૂએ છે તે મનુષ્ય વર્ગમાં ગણાય છે. જ્યારે દશ વાગ્યા સુધી સૂતાં રહેનાર ‘સૂતેલા સિંહ’ના શીર્ષક હેઠળ નોંધવામાં આવે છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે સિંહોને ક્યારેય જગાડી શકાતા નથી તેઓ જાતે જ જાગે છે. એટલે સાત વાગ્યા સુધીમાં જાગે તેને ‘જાગ્યો’ કહેવાય, દશ પછી ‘ઊઠ્યો’ કહેવાય.<br />
<span id="more-1681"></span></p>
<p>યશોધરા અને રાહુલનો ત્યાગ કરી રાજકુમાર સિદ્ધાર્થ રાત્રે ચાલી નીકળ્યા તેમાં પણ તેમનો પથારી-ત્યાગ સૌથી મોટો છે. કારણ કે પથારી-ત્યાગ પછી જ સંસાર-ત્યાગ શક્ય બન્યો અને સિદ્ધાર્થ બુદ્ધ બન્યા. વટ અને વચનને ખાતર કેટલાયે ગૃહત્યાગ કે પ્રાણત્યાગ કર્યા છે. પણ કોઈએ વટથી પથારીનો ત્યાગ કર્યો નથી. તેથી જ સવારે વહેલા ઊઠવા બાબતે સાંજે જે કોઈ વચનો અપાયાં હોય છે તેમાં ‘પ્રાણ જાયે અરુ&#8230;.’ મુજબ વચનો જ ગયાં છે. સરવાળે એ જ સસ્તું પડે. વહેલા ઊઠવાનાં વચન નિભાવવા માટે પ્રાણ પાથરવા ન પોસાય. આપણે ત્યાં સકારણ-અકારણ ગૃહત્યાગ કરનારા ઈતિહાસના પાને અમર થઈ ગયા છે (-અને ઈતિહાસ મરી પરવાર્યો છે) પણ શિયાળાની વહેલી સવારે નિયમિત ધોરણે પથારીનો ત્યાગ કરનાર પરમવીરને હજુ ઈતિહાસના પાને સ્થાન પ્રાપ્ત થયું નથી. જેમ લેખકો કે કવિઓની તેમના ઘરમાં કોઈ ખાસ નોંધ લેતું નથી. એ જ રીતે વહેલી સવારમાં નિયત સમયે પથારીમાંથી સ્વયંભૂ પ્રગટ થનાર પતિને પત્ની પણ પ્રશંસાનાં બે પુષ્પો ચડાવતી નથી. નહિ તો શબ્દપુષ્પો તો મફત છે. અને સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી છે. આમ વહેલી સવારમાં પથારીને લાત મારે, અલબત્ત, સૂતાં સૂતાં નહિ, ઊઠીને, એ પુરુષ લાખો કરોડોની લાંચને લાત મારનાર ઈમાનદાર અધિકારી કરતાં જરાય ઊતરતો નથી.</p>
<p>બાકી પૂછો એ પત્નીઓને કે પ્રભાતના પહોરમાં પતિને જગાડવો એ કેટલું દુષ્કર કાર્ય છે. ઉસ્તાદ સિતારવાદક સિતાર છેડતો હોય એવી નજાકતથી પત્ની પતિના પડખામાં કોમળ ટેરવાથી ગલગલિયાં કરે, મધુર સંબોધનો કરે, છતાં પતિ જાગતો નથી. કારણ કે વહેલી સવારે જ્યાં સુધી તે પથારી પર હોય છે ત્યાં સુધી તે નિદ્રા સિવાયનાં તમામ પ્રલોભનોથી ‘પર’ હોય છે. અંતે પત્નીના મુખેથી પ્રભાતનાં પુષ્પો સરી પડે છે.</p>
<p>આ રીતે જ્યારે પ્રત્યક્ષ પદ્ધતિ દ્વારા જગાડી શકાતો નથી. ત્યારે ન છૂટકે પરોક્ષ પદ્ધતિનો આશરો લેવામાં આવે છે. જેમાં સવારમાં બાળકોનો બુલંદ સ્વર, પત્ની દ્વારા પછાડાતાં વાસણોનો વિધ્વંસક ધ્વનિ અને હાઈ વોલ્યુમની હદ વટાવી ચૂકેલા ટીવીનો દેકારો આવા કર્ણભેદી અવાજોનાં સંયોજનનો સવારમાં સૂતેલા પુરુષ પર બેરહમથી મારો ચલાવવામાં આવે છે. ત્યારે સમાધિવસ્થા ધારણ કરી આ બધું સાંભળતા પથારીગ્રસ્ત પુરુષને પાકી ખાતરી થઈ જાય છે કે આ લોકો હવે મારું દીર્ધશયન સાંખી નહિ લે, તેઓ જગાડીને જ જંપશે, ત્યારે પથારીમાં થોડો સળવળાટ થાય છે. જેનાથી જગાડનારને આંશિક સફળતા મળે છે. કહેવાય છે કે નાની નાની સફળતાનું મૂલ્ય બહુ મોટું હોય છે. તેથી આવી આંશિક સફળતા જગાડનારના ઉત્સાહમાં અનેક ગણો વધારો કરે છે. પછી તો જગાડનાર ‘ઉઠાડો, જગાડો અને ઑફિસ તરફ ન ભગાડો ત્યાં સુધી મંડ્યા રહો’ના ધોરણે વણથંભ્યા પ્રયત્નો ચાલુ રાખે છે. પરિણામ સ્વરૂપે એક પથારીમુક્ત પુરુષની પ્રાપ્તિ થાય છે અને પુરુષને પથારી ફરી ગયાનો અહેસાસ થાય છે. સામાન્ય કે અસામાન્ય એમ કોઈ પણ રીતે દશ વાગ્યા પહેલાં નહિ ઊઠનાર મનુષ્યને જ્યારે તેના કુટુંબીજનો એકધારા સામૂહિક પ્રયત્નો થકી ક્યારેક આઠ વાગ્યે શયનભ્રષ્ટ કરે છે ત્યારે ઊઠતાંવેત તેના મનમાં પહેલો પ્રશ્ન થાય છે કે, ‘હું ક્યાં છું ?’ અને ‘આ બધા કોણ છે ?’ પછી રાબેતા મુજબ આંખો ચોળે છે, અડધો ડઝન બગાસાં ખાય છે, આળસ મરડે છે. પછી જ તેને ખ્યાલ આવે છે કે હું જ્યાં છું ત્યાં જ છું. અને આ બધા દરરોજ હોય છે એ જ છે. જો કે વહેલા જાગેલા માનવીને ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ’નો અનુભવ થાય છે. કારણ કે દરરોજના દશ અગિયાર વાગ્યાના જગત કરતાં આઠ વાગ્યાનું જગત જટીલ હોય છે. આવી દુર્ઘટનાઓમાંથી પ્રેરણા લઈને જો ‘વીર’ પરંપરાવાળું વધુ એક ગુજરાતી રંગીન-ચિત્ર બનાવવામાં આવે તો તેમાં&#8230;..<br />
<em> માડી હું તો બાર બાર વાગ્યે જાગિયો,</em><br />
<em> મેં ન દીઠી ચાની કરનાર રે&#8230;.</em><br />
એવું કરુણ ગીત જરૂર હોઈ શકે.<br />
જ્યારે કેટલાક વહેલા ઊઠનારા તપસ્વીઓ માટે તેમનાં ઘરનાં અને ઘરવાળી દ્વારા તેઓ મોડા ઊઠે તેવી પ્રાર્થના કરવામાં આવે છે. કારણ કે તેઓ વહેલા ઊઠીને ‘મને ગરમ પાણી આપો’, ‘મારી ચા બની કે નહિ ?’, ‘માળા ક્યાં છે ?’, ‘છાપું હજુ સુધી કેમ આવ્યું નથી ?’ એવા પોકારો પાડી સવારમાં ગૃહિણીને દિશાહીન બનાવી દે છે. આમ તેના વહેલા જાગવાથી બધાં જ કાર્યોનો ક્રમ બદલાઈ જતાં પહેલી સભાના કાર્યક્રમો ખોરવાઈ જાય છે.</p>
<p>‘જીવો અને જીવવા દો’ની જેમ શિયાળામાં ‘સૂઓ અને સૂવા દો’ એ સોનેરી સૂત્રને અનુસરવું જોઈએ. કારણ કે સૂતેલા મનુષ્ય સંપૂર્ણપણે અહિંસક હોય છે. પણ શિયાળાની વહેલી સવારની ઊંઘના મુદ્દે લગભગ કટ્ટરવાદી કહી શકાય એવા બે પક્ષ પડી ગયા છે. તેમાં પ્રથમ પક્ષકારો ભારતીય સંસ્કૃતિની ભવ્ય પરંપરામાં માને છે. તેઓ કહે છે, ‘વહેલું ઊઠવું જોઈએ, પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. એવું ન થઈ શકે તો કસરત કરીને ફેફસાં ફાટફાટ થાય એટલો ઓઝોન વાયુ ખેંચી લેવો જોઈએ.’ (ઓઝોન સ્તરમાં ગાબડા પડવાનું એક કારણ આ પણ છે.) વળી ભારતીય પરંપરામાં ગળાડૂબ થઈ ગયેલા સંયમીઓ ક્યારેય સૂતેલા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા નથી. સૂતેલા પર એકાદ વધારાનો ધાબળો, રજાઈ નાખી તેના અંતરના આશીર્વાદ મેળવતા નથી. હું ‘સૂતો નથી સૂવા દેતો નથી.’ એ જ એમનો મુદ્રાલેખ હોય છે. વહેલી સવારમાં તે દુઃશાસનની જેમ ગોદડાંહરણ કરવાના મૂડમાં હોય છે. આવાં ગોદડાંહરણ વખતે ગમે તેટલા પોકાર કરો તો ય ગરુડે ચડીને ગોવિંદ આવતા નથી. કારણ કે આમાં ગોવિંદને બહુ વાંધો આવતો નથી પણ ગરુડ ખલ્લાસ થઈ જાય. તેથી દ્રૌપદી પછી આ સેવા પાછી ખેંચી લેવામાં આવી છે. આવા દુઃશાસનનો સૂતેલાને શબ્દોના બાણ મારે છે, ‘આ લોકો દશ-દશ વાગ્યે ઊઠે છે તે જિંદગીમાં શું ઉકાળવાના ?’ પણ અહીં જ તેઓ ભીંત ભૂલે છે. કારણ કે જિંદગીમાં કરવા જેવું ઉત્તમ કાર્ય તો તેમણે ઓલરેડી કરી જ લીધું છે. જ્યારે બીજો પક્ષ ખોંખારીને કહે કે શિયાળાની વહેલી સવારે ઘસઘસાટ ઊંઘ માણવી જોઈએ. આવો મોકો બાર મહિનામાં ફરી ક્યારેય મળતો નથી. એટલે જ કહ્યું છે, ‘નાણું મળે પણ ટાણું ના મળે.’ આમ શિયાળાની સવારે તો ઊંઘ જ્યારે હસતા મુખે વિદાય લે ત્યાર પછી જ પથારીનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે ઊંઘનેય આપણે જુવાન હોઈએ ત્યાં સુધી જ આપણામાં રસ હોય છે. શિયાળામાં વહેલી સવારે જાગવું તેને માત્ર કાર્ય નહિ શ્રેય કાર્ય ગણવું જોઈએ. કારણ કે તેના પર જ અન્ય કાર્યોનું અસ્તિત્વ રહેલું છે. ઘણી વાર વહેલી સવારે પથારી-દોસ્ત માનવી જરાક જાગે છે પછી પથારી અવસ્થામાં જ દિનભરનાં કર્યોનો વિચાર કરતાં કરતાં પુનઃ નિદ્રાધીન થઈ જાય છે. આ ઘટનામાંથી એવો પણ બોધ લઈ શકાય કે ‘ઊંઘવા માટે કામના વિચાર કરવા.’</p>
<p>આમ શિયાળામાં વહેલી સવારે જાગવા કરતાં જગાડવાનું અઘરું છે. કારણ કે કુંભકર્ણથી માંડીને કનૈયા સુધીના મહાનુભાવોને જગાડવાની પદ્ધતિમાં ઘણું વૈવિધ્ય છે. આપણે ત્યાં જેમ બાળકને સૂવડાવવા માટે હાલરડાં અને સદગુહસ્થાને ‘સૂવડાવવા’ માટે શેરબજાર છે. એ રીતે જગાડવા માટે પ્રભાતિયાં પણ છે. કનૈયાને જગાડવા માટે ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા’, ‘વેણલા રે વાયા કાનુડા’ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં ‘જાગો મોહન પ્યારે જાગો’ એવાં ગીતો છે. પણ એક બાબત હજુ સુધી નથી સમજાતી કે જગાડવાના મુદ્દે આ બધા મોહનની પાછળ કેમ પડ્યા છે. બીજા કોઈના રજાઈ, ધાબળા કેમ નથી ખેંચતા. આપણે જો મોહનની કૃપા પામવી હોય તો તેને નિરાંતે ઊંઘવા દેવો જોઈએ.</p>
<p>આ રીતે જ્યારે આપણે કોઈને જગાડવાની પદ્ધતિથી અજાણ હોઈએ ત્યારે ભળતી પદ્ધતિ અજમાવી બેસીએ તો કાર્ય સિદ્ધ થતું નથી. જેમ કે કોઈને જગાડવા માટે ધાબળા, રજાઈ ખેંચવા જેવી અનાવરણ પદ્ધતિ આવશ્યક હોય ત્યાં ધ્વનિપ્રયોગ હાથ ધરવામાં આવે તો ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી. અને જાતક ‘પાંચ મિનિટમાં ઊઠું છું.’, ‘હમણાં ઊઠું છું.’ એવાં વચનો આપી પુનઃ પડખું ફરી જાય છે. અથવા ચતામાંથી બઠ્ઠો થઈ જાય છે. અને જગાડનારની મહેનત પર શિયાળાની સવારનું ઠંડું પાણી ફરી જાય છે. આમ દરેક મનુષ્ય સૂતેલાને સફળતાપૂર્વક જગાડવા માટે સક્ષમ હોતો નથી. કારણ કે જગાડનારમાં કેટલાક આગવા ગુણો હોવા અનિવાર્ય છે. જેમ કે સૌ પ્રથમ તો જગાડનારમાં કોઈને ઉઠાડવાનો (બજારમાંથી નહિ, પથારીમાંથી !) અદમ્ય ઉત્સાહ હોવો જોઈએ. ઉપરાંત ધ્યેય તરફ ધીમી છતાં મક્કમ ગતિ, પોતાની જાતમાં સંપૂર્ણ શ્રદ્ધા, મજબૂત હાથ, પ્રયત્નોનું સાતત્ય, હસમુખો ચહેરો, પથારીમાંથી પ્રાપ્ત થતાં કટુ વચનોને ગુલાબજાંબુની માફક ગળે ઉતારી જવાની સોલ્લીડ સહનશક્તિ, દઢ મનોબળ, ‘હું નહિ પણ મારો પ્રભુ આને જગાડશે.’ એવી ઈશ્વરમાં અડગ શ્રદ્ધા ઉપરાંત હાલરડું ગાઈને પણ જગાડી શકે એવી સૂરીલી સ્વરપેટી – આ બધું જેની પાસે હોય તે જ જગાડવાના જંગમાં ઝળહળતી ફતેહ મેળવી શકે છે. તેથી જ કહ્યું છે કે જાગનાર કરતાં જગાડનાર મોટો છે.</p>
<p>જો તમે કાવ્યાત્મક દષ્ટિ ધરાવતા હો અને જ્યાં જ્યાં નજર તમારી ઠરે ત્યાં કાવ્ય-સ્વરૂપો દેખાતાં હોય, ઉપરાંત સ્ફૂરતાં પણ હોય તો તમને શિયાળાની વહેલી સવારે સૂતેલો નિરાકાર માનવી અછાંદસ કાવ્ય જેવો લાગશે. પોતાની સૂવાની જગ્યા જ ન હોય ઉપરાંત ચાદર, રજાઈ, ધાબળા કશું જ ન હોય, છતાં બધાની વચ્ચે દૂધમાં સાકર જેમ ભળી જઈ પોતાનું એક મજબૂત સ્થાન બનાવી લેનાર માનવી લોકગીત સમાન છે. તો ઠંડીને કારણે ટૂંટિયું વળી ગયેલા મનુષ્યમાં હાઈકુનાં દર્શન થશે. ગમે તેવા લાંબા રજાઈ, ધાબળા, પલંગ, શેટી પણ જેની સામે વામણા પુરવાર થાય એવો રેગ્યુલર સાઈઝ કરતાં પણ મોટો મનુષ્ય શયનખંડ મધ્યે ખુદ એક ખંડકાવ્ય છે. અને તેની આગળ-પાછળ સૂતેલાં બાળકો અને પત્ની મુક્તક સ્વરૂપ દીસે છે. આવા શયનસમ્રાટોને જોઈને વીરરસ કે તે અનુકૂળ રસથી છલ્લોછલ્લ ભરેલું કાવ્ય ન સ્ફુરે તો જ નવાઈ ! આવા શયનશાહો જે રીતે જાગે છે અને ઑફિસ તરફ ભાગે છે. તેને અનુરૂપ મેઘાણી સાહેબની કવિતા ‘ચારણ કન્યા’ની શૈલીમાં શયનશાહ કેવી રીતે અને ક્યારે જાગ્યો એ વિશે થોડી શયનાંજલિ&#8230;..<br />
<em>સૂરજની સાક્ષીએ જાગ્યો;</em><br />
<em> જોર કરી જોરાવર જાગ્યો.</em><br />
<em> મિનિટ કહી, કલ્લાકે જાગ્યો;</em><br />
<em> ચા-કૉફી પીનારો જાગ્યો.</em><br />
<em> નિરાંતે નહાનારો જાગ્યો;</em><br />
<em> બબ્બે બસ ચૂકનારો જાગ્યો.</em><br />
<em> ઑફિસે જનારો જાગ્યો;</em><br />
<em> બહાનાંનો ઘડનારો જાગ્યો.</em></p>
<p>આમ જે સૂરજની સાક્ષીએ જાગે છે તેને બહાનાં સહજ હોય છે. તેનાં બહાનાંની પત પ્રભુ રાખે છે. તેથી રોજિંદા જીવનમાં ‘જાગ્યા ત્યાંથી સવાર (-અને સૂતાં ત્યાંથી સાંજ) સમજીને બાકીના કાર્યક્રમો આગળ ધપાવવામાં કશું ખોટું નથી.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/12/28/pathari-tyag/feed/</wfw:commentRss>
		<slash:comments>9</slash:comments>
		</item>
		<item>
		<title>ગમ્મતનો ગુલદસ્તો – જગદીશ ત્રિવેદી</title>
		<link>http://www.readgujarati.com/2011/12/13/gammat-guldasto/</link>
		<comments>http://www.readgujarati.com/2011/12/13/gammat-guldasto/#comments</comments>
		<pubDate>Tue, 13 Dec 2011 02:40:32 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[હસો અને હસાવો]]></category>
		<category><![CDATA[જગદીશ ત્રિવેદી]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1577</guid>
		<description><![CDATA[[સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક એવા શ્રી જગદીશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગમ્મતનો ગુલદસ્તો’માંથી પ્રસ્તુત હાસ્યલેખો સાભાર લેવામાં આવ્યા છે. અભ્યાસમાં ડબલ પી.એચ.ડી. કર્યા બાદ હાસ્યક્ષેત્રે દેશ-વિદેશના કાર્યક્રમો સહિત તેઓ અખબારો અને સામાયિકો દ્વારા હાસ્ય-લેખક તરીકે પણ એટલી જ લોકચાહના પામ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર અને હાસ્યલેખક એવા શ્રી જગદીશભાઈના તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘ગમ્મતનો ગુલદસ્તો’માંથી પ્રસ્તુત હાસ્યલેખો સાભાર લેવામાં આવ્યા છે. અભ્યાસમાં ડબલ પી.એચ.ડી. કર્યા બાદ હાસ્યક્ષેત્રે દેશ-વિદેશના કાર્યક્રમો સહિત તેઓ અખબારો અને સામાયિકો દ્વારા હાસ્ય-લેખક તરીકે પણ એટલી જ લોકચાહના પામ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી જગદીશભાઈનો (સુરેન્દ્રનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9825230903 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><strong><span style="color: #993366;">[1] જમ જેવા જમાઈની જફા</span></strong></p>
<p><img class="alignright size-full wp-image-1578" title="Picture 018" src="http://www.readgujarati.com/wp-content/uploads/2011/12/Picture-018.jpg" alt="" width="219" height="345" />જમાઈને દસમો ગ્રહ કહેવામાં આવ્યો છે કારણ નવ ગ્રહોને પોતાના ઢોલીયા સાથે બાંધી દેનારો રાવણ પણ જમાઈ નામનાં દસમા ગ્રહથી દુઃખી દુઃખી થઈ ગયો હતો અને ઘોઘાનો વર લંકાની લાડીને બઠાવી ગયો હતો, ઘણાં પરિવારોમાં જમાઈ અને જમ (યમરાજ) વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગયેલી હોય છે અને જમાઈ મોટેભાગે ભારતીય રેલગાડી જેવો હોય છે, આમ બધી રીતે વખાણવાલાયક પણ ક્યારે ઉથલી પડે એનું કંઈ જ નક્કી નહીં.</p>
<p>બાપ ગરીબ હોય તે દુર્ભાગ્ય ગણાય અને સસરા ગરીબ હોય તે મુર્ખામી ગણાય તે વાતને બરાબર સમજીને એક યુવાન હિંમત કરીને પોતાની પ્રેમિકાનાં અમીર પિતા પાસે જઈને ધડામ કરતો બોલ્યો કે હું તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું, આ સાંભળીને ગુસ્સે થવાને બદલે હોલસેલનો વેપારી બાપ બોલ્યો કે જોઈએ તો આખી લઈ જા બાકી હું છૂટક આપવા માંગતો નથી. જોકે જમાઈનાં નસીબ આટલા બધા સવળાં હોય એવું ભાગ્યે જ બનતું હોય છે.</p>
<p>એકવાર એક સસરા બિમાર પડ્યા. સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ સસરાની બિમારીથી સાચા હૃદયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે. બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરુષનો લગ્નસિદ્ધ અધિકાર છે. પેલા સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો. જમાઈની સમસ્યા એક જ હતી કે એ બન્ને કાને બહેરો હતો. તથા દામાદનાં કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી. જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો, જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે. પહેલા પૂછવું કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ જવાબ પૂરો થાય એટલે કહેવું કે ‘બસ એ જ ચાલુ રાખો.’ બીજો સવાલ કરવો કે ‘જમવામાં શું લ્યો છો ?’ સસરાનાં હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે ‘તમારા માટે એ જ બરાબર છે.’ ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે ‘ક્યા દાક્તરની દવા લ્યો છો ?’ જવાબ મળે એટલે કહેવું કે ‘એનાથી વધુ અનુભવી કોઈ નથી.’<br />
<span id="more-1577"></span></p>
<p>આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા. પ્રથમ સવાલ કર્યો કે ‘દવાથી કંઈ ફરક પડ્યો ?’ સસરો થોડો આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે ‘દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.’ એટલે જમાઈ બોલ્યો : ‘બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.’ જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહ્યા. જમાઈએ બીજો ઘા કર્યો કે ‘શું જમો છો ?’ આ વખતે સાસુ બોલ્યા કે પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે.’ જમાઈ કહે, ‘એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.’ હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે ‘આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?’ આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, ‘જમરાજાની દવા ચાલે છે.’ અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, ‘એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.’ પછી જમાઈનું શું થયું એ ખબર નથી પણ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાનાં રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા છે.<br />
.</p>
<p><strong><span style="color: #993366;">[2] લાખનાં બાર હજાર</span></strong></p>
<p>એક દિવસ ભોગીલાલને પોક મૂકીને રડતો જોઈને ગભરાટમાં મારાથી પૂછાઈ ગયું કે ‘મારા ભાભી સ્વધામ ગયા લાગે છે.’ આ સાંભળી ભોગીલાલ રડતાં રડતાં બોલ્યો કે, ‘મારા જેવા બાળોતિયાનાં બળેલાનાં એવા સારા નસીબ ન હોય, હું તો કલકત્તામાં મારા કાકા ગુજરી ગયા એટલે રડું છું.’ મેં દુઃખી થવાનો અભિનય કરીને આગળ પૂછ્યું કે , ‘કાકા કેવી રીતે ગુજરી ગયા ?’<br />
ભોગી બોલ્યો, ‘આમ તો કાકા કડેઘડે હતાં. એક પછી એક એમ ત્રણ કાકી ચાલ્યા ગયા પણ કાકા જવાનું નામ લેતાં નહોતા. એક દિવસ બિચારા દૂધ પીતાં પીતાં પતી ગયા.’ મેં આશ્ચર્યથી પૂછ્યું કે ‘કોઈ દૂધ પીતાં પીતાં કેવી રીતે મરી જાય ?’ ત્યારે એણે ખુલાસો કર્યો કે, ‘અચાનક ભેંસ બેસી ગઈ, એમાં ઉકલી ગયા. ત્રણ પત્ની કરવામાં સફળ થયેલા કાકા સંતાન પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા હતા એટલે એમનો એક કરોડનો વારસો મને મળ્યો.’<br />
આ સાંભળી મેં તાળી પાડતાં કહ્યું કે ‘આ તો પાર્ટી આપવા જેવા સમાચાર છે છતાં તું શા માટે રડે છે ?’<br />
એટલે ભોગીલાલે ચોખવટ કરી કે ‘કાકા તો ત્રણ વરસ પહેલા જતાં રહ્યા છે પરંતુ મારા સગામાં હજુ બે-ત્રણ વ્યક્તિ નિર્વંશ જાય એવું છે. છેલ્લા ત્રણ વરસથી એમાંથી કોઈ મરતું નથી એટલે રડવું આવે છે.’</p>
<p>ભોગીલાલને એક કરોડની અણધારી લોટરી લાગી એટલે વધારે લોભ જાગ્યો. કરોડનાં બે કરોડ કરવા માટે એણે કંડક્ટરની નોકરી છોડીને ઉદ્યોગમાં ઝંપલાવ્યું. પચીસ લાખ રૂપિયાનું રોકાણ કરીને વોટરપ્રુફ ટુવાલનું પ્રોડક્શન શરૂ કર્યું. એવા ટુવાલ બનાવ્યા કે પાણીમાં પાંચ કલાક પલાળી રાખો તો પણ પલળે નહીં. પરંતુ ટુવાલનું કામ પાણી લૂછવાનું હોવાથી પચીસ લાખ પાણીમાં ગયા ! ત્યારબાદ એણે નવતર ધંધા માટે ફરી દિમાગ દોડાવ્યું. એક વરસનાં ઊંડા અધ્યયન બાદ એવી આઈટમ બનાવી કે ચીન કે જાપાન તો શું પણ દુનિયામાં કોઈ બનાવતું નથી. એણે પેડલવાળી વ્હીલચેર બનાવી. ભોગીલાલનો આશય એવો કે સગાંવહાલાં હાજર ન હોય તો દર્દી જાતે પેડલ મારીને હરીફરી શકે. પરંતુ ઉતાવળમાં એક નાનકડી વાત વિચારવાની રહી ગઈ કે જેનામાં પેડલ મારવાની પહોંચ હોય તે વ્હીલચેરમાં બેસે જ નહીં. બીજા પચીસ લાખ પેડલમાં ગયા. ત્યારબાદ એને થયું કે અત્યારે ગાડીનો જમાનો છે. અત્યારે લાડી પણ ગાડી હોય તો જાડી બુદ્ધિ સાથે પરણવા રાજી થઈ જાય છે. ત્રીજી આઈટમમાં એણે એવી હેડલાઈટ બનાવી જે સૂર્યપ્રકાશથી સળગે. પણ નાનકડી શરત એટલી કે સૌરઊર્જાનો સંગ્રહ થતો નહોતો એટલે જ્યાં સુધી તડકો હોય ત્યાં સુધી સળગે. કારની હેડલાઈટની દિવસે ખાસ જરૂર ન હોવાથી ત્રીજા પચીસ લાખ અંધારામાં ગયા.</p>
<p>હવે છેલ્લા પચીસ લાખ હોવાથી બુદ્ધિ ચલાવવી ફરજિયાત હતી. એમાં આપણાં મુખ્યમંત્રીએ ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કર્યું અને ભોગીલાલને પ્રોડક્ટ મળી ગઈ. એણે વિચાર્યું કે જે લોકોને વાંચતા આવડે છે એ તો વાંચતા થઈ જશે પણ જે લોકો અભણ છે એમને વાંચતા કરવા માટે શું કરવું જોઈએ ? નિરક્ષર લોકોને વાંચનનાં અભાવે શું શું ગુમાવ્યું એની હૃદયસ્પર્શી વાતોનું પુસ્તક અત્યારે છાપી રહ્યો છે. માત્ર નિરક્ષરો માટેનાં પુસ્તકનું શીર્ષક છે : ‘અભણ રહીને તમે આટલું ગુમાવ્યું.’ ભોગીલાલને આશા છે કે આ પુસ્તકનું વિશ્વની ઘણી ભાષાઓમાં ભાષાંતર થશે જેથી વિશ્વનાં તમામ અભણ એ પુસ્તક વાંચી શકે. આ પુસ્તક વર્લ્ડની બેસ્ટ સેલ બુક બનીને ગુમાવેલા પંચોતેર લાખ પાછા અપાવશે. કદાચ એવું ન થાય તો ભોગીલાલ વધુ એક સગાંનાં મૃત્યુની રાહ જોશે.</p>
<p>[કુલ પાન : 139. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/12/13/gammat-guldasto/feed/</wfw:commentRss>
		<slash:comments>11</slash:comments>
		</item>
	</channel>
</rss>

