હસો અને હસાવો

સૃષ્ટિનું નવસર્જન – મનસુખ કલાર

[ રીડગુજરાતીને આ હાસ્યલેખ મોકલવા માટે શ્રી મનસુખભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે manjnd@gmail.com સંપર્ક કરી શકો છો.] હંમેશા કમલાસન પર બિરાજમાન રહેતા પરમપિતા, સૃષ્ટિસર્જક શ્રીબ્રહ્માજી આજે એ આસનનો ત્યાગ કરી, અત્યંત વ્યગ્રતાથી, ચિંતાતુર ચહેરે પોતાના સભાખંડમાં આમથી તેમ આંટા મારતા હતા. તેમના મુખ અને આંખોમાં રહેતું મોહિત સ્મિત અત્યારે જાણે વિલાઈ ....[વાંચો...]

આઝાદી….બંધનોની ! – ડૉ. નલિની ગણાત્રા

[‘અહં હાસ્યાસ્મિ’ પુસ્તકમાંથી સાભાર.] વૅકેશન ટૂરમાં આપણે કુલુ-મનાલી જઈએ એટલે શરૂઆતનાં પાંચ-સાત દિવસ તો યાહુ યાહુ થઈ જઈએ. મોટેથી બબડીએ પણ ખરાં કે કા…યમ આમ જ ઘરની બહાર રહીને લહેર કરવાની હોય તો કેવા જલસા પડી જાય ! પણ અઠવાડિયા પછી ધીરે ધીરે અહખ થવા માંડે. રસોડું ને પાણિયારું યાદ આવવા માંડે. કામવાળીનો કકળાટ અને ....[વાંચો...]