<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ReadGujarati.com &#187; અન્ય લેખ</title>
	<atom:link href="http://www.readgujarati.com/category/misc-articles/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.readgujarati.com</link>
	<description>Read Gujarati Literature Online</description>
	<lastBuildDate>Thu, 09 Feb 2012 02:02:11 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.1</generator>
		<item>
		<title>વિક્રમભાઈ : સંસ્થાઓના ઘડવૈયા – ડૉ. કમલા ચૌધરી</title>
		<link>http://www.readgujarati.com/2012/02/08/vikrambhai-ghadvaiya/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/08/vikrambhai-ghadvaiya/#comments</comments>
		<pubDate>Wed, 08 Feb 2012 02:47:03 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અન્ય લેખ]]></category>
		<category><![CDATA[ડૉ. કમલા ચૌધરી]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1904</guid>
		<description><![CDATA[[‘વિચારવલોણું’ સામાયિક (જાન્યુઆરી-2012) માંથી સાભાર.] ડૉ. વિક્રમ સારાભાઈ સંસ્થાઓના મહાન ઘડવૈયા અને સામાજિક પરિવર્તનના સાહસિક ઉદ્યોગપતિ હતા. વિક્રમભાઈના વ્યક્તિત્વના કેટલાક પાસાં, જે સંસ્થાઘડતર માટે મહત્વના હતા તે – બીજાઓ પર અપાર વિશ્વાસ અને કરુણા, વ્યક્તિ સાથેના સંબંધો જાળવવાની અદ્દભુત કળા, યુવા પેઢી માટેની સંભાળ અને લાગણી અને પ્રશ્નોને હલ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ માટેની પ્રતિબદ્ધતા. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘વિચારવલોણું’ સામાયિક (જાન્યુઆરી-2012) માંથી સાભાર.]</p>
<p>ડૉ. વિક્રમ સારાભાઈ સંસ્થાઓના મહાન ઘડવૈયા અને સામાજિક પરિવર્તનના સાહસિક ઉદ્યોગપતિ હતા. વિક્રમભાઈના વ્યક્તિત્વના કેટલાક પાસાં, જે સંસ્થાઘડતર માટે મહત્વના હતા તે – બીજાઓ પર અપાર વિશ્વાસ અને કરુણા, વ્યક્તિ સાથેના સંબંધો જાળવવાની અદ્દભુત કળા, યુવા પેઢી માટેની સંભાળ અને લાગણી અને પ્રશ્નોને હલ કરવા વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ માટેની પ્રતિબદ્ધતા. વિક્રમભાઈમાં સંસ્થાઓના ઘડતર માટેની જરૂરિયાતો અને એમના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ આ બંને વચ્ચે ગજબનો મેળ હતો, જેણે એમને આપણા સમયના મહાન સંસ્થા ઘડવૈયા બનાવ્યા.</p>
<p>પહેલી સંસ્થા, જેને ઊભી કરવામાં ડૉ. વિક્રમભાઈએ મહત્વનો ભાગ ભજવ્યો, એ હતી અટીરા (Ahmedabad Textile Industry’s Research Association). કાપડ ઉદ્યોગની એ ચીલાચાલુ રસમોમાં એમણે વૈજ્ઞાનિક પદ્ધતિ દાખલ કરી. પોતાની અંગત ઓળખાણો અને વ્યક્તિ સાથે આંતર-સંબંધોને કારણે મિલોમાં વર્ષોથી કામ કરતા લોકો અને નવાસવા વિજ્ઞાનીઓ વચ્ચે એ વિશ્વાસનો સેતુ બન્યા. અટીરાના નવા સંશોધકો અને અમદાવાદના મીલમાલિકોની નવી પેઢીને નવી ઓળખ આપી. એમણે જે અર્થપૂર્ણ પાઠ ભજવવાનો હતો એ માટેની પરિસ્થિતિ અને તકો ઊભી કરી અને આ બધું આપવાની સાથે એમણે પોતાને માટે આવડતો, ક્ષમતા અને સભરતા મેળવ્યા. અટીરાને ઊભી કરવામાં વિક્રમભાઈએ સંસ્થાઘડતરની તાલીમ લીધી. ભવિષ્યમાં બીજી સંસ્થાઓ ઊભી કરવામાં મદદ કરતી વખતે એમને આ સફળ અનુભવ ઘણો કામ આવ્યો.<br />
<span id="more-1904"></span></p>
<p>જ્યારે અટીરાને ઊભી કરવાનું એમને શ્રી કસ્તુરભાઈ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે વિક્રમભાઈ 28 વર્ષના હતા. 1947માં એ કેમ્બ્રીજમાંથી કોસ્મિક રેયઝમાં ડોક્ટરેટની પદવી લઈને હજુ આવ્યા જ હતા. કાપડ ઉદ્યોગનો એને કશો અનુભવ ન હતો કે ના તો કોઈ તાલીમ લીધેલી. તેમ છતાં એમણે અટીરાના સંગઠન અને વહીવટની જવાબદારી ઉત્સાહ અને વિશ્વાસ સાથે લીધી. અટીરાની શરૂઆતમાં એમણે એવા લોકોને લીધા જેમની તાલીમ વૈજ્ઞાનિક પદ્ધતિ વિષેની હતી. એમનું માનવું હતું કે જો વૈજ્ઞાનિક પદ્ધતિઓ દાખલ કરવી હોય તો કાપડ ઉદ્યોગના અનુભવને બદલે શોધ પ્રક્રિયામાં તાલીમ લીધેલ વિજ્ઞાનીઓ વધુ ઝડપથી પ્રગતિ કરી શકશે. એમણે માન્યું કે કાપડ મીલની ટેકનોલોજી અને કાર્યને લગતો અનુભવ વૈજ્ઞાનિક રીતો અપનાવવા માટે પૂરતો નથી. એ વખતે પાછલો અનુભવ હોવા કરતાં વૈજ્ઞાનિક સૂઝ અને સમજની વધારે જરૂર હતી. આથી મોટા ભાગના મિલમાલિકોની સલાહને અવગણીને પણ એ પોતાના વિચારને વળગી રહ્યા. 1949 માં પહેલા ચાર જણાની નિમણૂંક કરી તે એક આંકડાશાસ્ત્રી, એક સમાજ મનોવિજ્ઞાની, ( આ લખનાર ડૉ. કમલા ચૌધરી પોતે) એક પોલિમર રસાયણશાસ્ત્રી અને એક પદાર્થ વિજ્ઞાની. આમાં પદાર્થવિજ્ઞાની સિવાય અન્યો પાસે ડોક્ટરેટની પદવી હતી પણ અનુભવ જરાય ન હતો. ઉપરાંત એ બધા 28 વર્ષથી ઓછી વયના હતા. વિક્રમભાઈની આંતરસૂઝ એવું કહેતી હતી કે ચીલાચાલુ જરૂરિયાતો અને જૂનો કાર્ય અનુભવ ઈચ્છિત પરિણામો નહીં આપી શકે. એ વખતનું અટીરાનું વાતાવરણ નવા નવા અખતરાઓથી, યુવાનીના જોશથી, સુધારાઓથી અને નવીનતાથી ધમધમતું. ત્રણ વર્ષમાં અટીરા કાપડ ઉદ્યોગના મહત્વના પ્રશ્નોમાં મહત્વનો પાઠ ભજવવા માંડેલું.</p>
<p>જ્યારે અટીરા ચાલુ થયું ત્યારે મોટા ભાગની મિલોમાં ગુણવત્તા નિયંત્રણની કોઈ પદ્ધતિ નહોતી. સૂતર અને રસાયણોના પરિક્ષણ માટે ગણીગાંઠી પ્રયોગશાળાઓ હતી અને તાલીમ આપવાના કાર્યક્રમો તો હતા જ નહીં. મેનેજરની જગ્યાએ મહદઅંશે મિલમાલિકનો કુટુંબી જ રહેતો. વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પ્રવેશ એટલે વૈજ્ઞાનિકો અને કાર્યકરો વચ્ચે, સંચાલન કરતા વિવિધ સ્તરો વચ્ચે અને પદાર્થ વિજ્ઞાની અને સામાજિક મનોવિજ્ઞાની વચ્ચે માહિતીની આપલેનો સેતુ બાંધવો. એમની વચ્ચે સંવાદ સાધવો. વિક્રમભાઈ વિવિધ જૂથો વચ્ચે સંવાદની કડી બનવામાં સફળ થયા કારણ કે અન્યની સાથે વાત કરતી વખતે વિક્રમભાઈ જરૂરી સન્માન જાળવતા અને પોતાની વિશ્વસનીયતા સ્થાપી શકતા. એ વખતે અરસપરસ કામ કરતા ત્રણ જૂથો હતા, જેમણે અટીરાના ઘડતર અને સામાજિક પરિવર્તનમાં મહત્વનો ભાગ ભજવ્યો. એક અટીરાનું સત્તામંડળ, જેમાં કસ્તૂરભાઈ લાલભાઈ, શાંતિસ્વરૂપ ભટ્ટનાગર (ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર), કે.એસ.ક્રિશ્નન (નેશનલ રિસર્ચ લેબોરેટરીના અધ્યક્ષ) અને વિક્રમભાઈ. બીજું જૂથ હતું પદાર્થ વિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીનું. ત્રીજું જૂથ હતું કાપડમીલના વિવિધ ખાતાઓના વડાઓનું (જે મીલમાલિકોના કુટુંબીઓ હતા) જેમણે અટીરાના વિજ્ઞાનીઓ જોડે માહિતીની આપ-લે કરવાની હતી. આ બધાની વચ્ચે કડી હતા વિક્રમભાઈ.</p>
<p>આમ વિક્રમભાઈ મિલમાલિકો વતી અટીરાના સત્તામંડળના સભ્ય, અટીરાની યુવાન વિજ્ઞાની ટોળીના સભ્ય અને કેલીકો મિલમાલિકની યુવાપેઢીના સભ્ય. આમ કુટુંબ, સામાજિક સંબંધો અને દેશના વૈજ્ઞાનિકોના જૂથમાં આગવી ઓળખ પામેલા વિક્રમભાઈ બધાને સહજ સ્વીકાર્ય બન્યા. આ ત્રણેય જૂથના લોકોએ સાથે મળીને ખોજ કરી, નવું નવું શીખ્યા અને નવા પ્રશ્નો અને પડકારોને ઓળખ્યા. આ પરિસ્થિતિમાં સંસ્થાકીય માળખું લચીલું હતું. વ્યક્તિની ક્ષમતા અને વિકાસની સાથે જરૂરી જવાબદારી મળી. આમાં વિશ્વાસનો ફાળો વધુ હતો. જુદા જુદા પ્રશ્નો માટે એમણે અલગ જૂથો બનાવ્યા જેમાં જુદી જુદી આવડતો અને અનુભવો હોય. આથી જ એમને અદ્દભુત પરિણામો મળ્યા. સામાન્ય રીતે વ્યક્તિની ઉંમર અને અનુભવને આધારે જવાબદારીઓ સોંપાય પણ વિક્રમભાઈ માનતા કે નવી સંસ્થાઓ યુવા પેઢી દ્વારા ઊભી થશે. યુવાનોની શક્તિમાં, શક્યતાઓમાં વિક્રમભાઈને અપાર વિશ્વાસ હતો અને આથી એ નવી તકો અને સ્વતંત્રતા આપતા. વિક્રમભાઈ માનતા કે જો નવી સંસ્થા પાસેથી સામાજિક અને ટેકનોલોજીમાં પરિવર્તનની અને નવા કાર્યો શરૂ કરવાની અપેક્ષાઓ રાખતા હોઈએ તો આપણે સંસ્થાની અંદરની કે બહારની વ્યક્તિપ્રતિભાઓને ઓળખીને આગળ કરવી પડશે અને એની સંભાળ રાખવી પડશે.</p>
<p>અટીરાના વિકાસના બીજા વર્ષે જ્યારે વિજ્ઞાનીઓ અમુક બાબતોમાં આગ્રહ રાખવા માંડ્યા ત્યારે મિલમાલિકો તરફથી એ માટેની ફરિયાદો આવી. એ વખતે વિક્રમભાઈએ શંકા, શરમ કે અવિશ્વાસ જેવી લાગણીઓને વચ્ચે લાવ્યા વગર એ પ્રશ્નોને કુશળતાથી હલ કર્યા. ઘણા મિલમાલિકોને વિક્રમભાઈના વિચારો, કામ કરવાની પદ્ધતિ પસંદ નહોતા. પણ કસ્તુરભાઈ બધાની ઉપરવટ જઈને પણ વિક્રમભાઈને પોતાની રીતે કામ કરવાની, નવા અખતરા કરવાની છૂટ આપતા રહ્યા. આમ સત્તામંડળમાં કસ્તુરભાઈએ વડીલ તરીકે સંભાળ રાખી વિક્રમભાઈની ઊભરતી પ્રતિભાને ટેકો આપ્યો. એવી જ રીતે વિક્રમભાઈએ અટીરાના યુવા વિજ્ઞાનીઓની, મિલના યુવાન ઈજનેરો અને મેનેજરોની વડીલ તરીકે સંભાળ રાખી. ઘણી સમિતિઓ, ચર્ચાઓ અને ઔપચારિક-અનૌપચારિક કાર્યક્રમોમાં વિક્રમભાઈએ આ યુવાનોને સંરક્ષણ અને ટેકો આપ્યો. જેથી એ યુવાનો હિંમતથી પોતાના અવનવા તુક્કાઓ વિષે બેધડક બોલી શકે.</p>
<p>સંચાલનની ફિલસૂફી વિષે વિક્રમભાઈએ એક વખત મને કહ્યું હતું કે, ‘એરિક એરિક્સનનો ‘પારસ્પરિતા’ (mutuality)નો વિચાર મને બહુ મહત્વનો લાગે છે. આ પારસ્પરિતાની જરૂર માત્ર વિદેશી મદદ મેળવતી વખતે કે પરદેશની સંસ્થા સાથે જોડાણ કરતી વખતે જ માત્ર જરૂરી નથી પણ લોકો સાથેના વિવિધ સંબંધોમાં જરૂરી છે. એનાથી પરસ્પરની શક્તિઓ વધે છે.’ વિક્રમભાઈના અંગત કાર્યોમાં કે સંસ્થાકીય સંબંધોમાં વિશ્વાસની ગુણવત્તા પાયામાં હતી. અટીરાના વિકાસ દરમ્યાન કસ્તુરભાઈએ વિક્રમભાઈમાં સંપૂર્ણ વિશ્વાસ મૂક્યો, જેની સામે વિક્રમભાઈએ પૂર્ણ વિશ્વાસ અને સ્વતંત્રતા માત્ર વિજ્ઞાનીઓને જ નહીં પણ જુદા જુદા જૂથોના બધા લોકોને આપ્યા. આથી જ 1959માં ‘ટેક્સટાઈલ ટેકનીશીયન્સ એસોસીએશને’ તેમના પ્રમુખ બનવાનું વિક્રમભાઈને આમંત્રણ આપ્યું. અમદાવાદ કાપડ ઉદ્યોગના ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું કે ટેકનીશીયનો એક મિલમાલિકને પોતાનામાંના એક ગણી આવું આમંત્રણ આપે, એવો માણસ જેના શબ્દો પર, લાગણીઓ પર અને જેની માન્યતાઓ પર ટેકનીશીયનો વિશ્વાસ મૂકી શકે.</p>
<p>અટીરાની આડપેદાશ તરીકે વિક્રમભાઈએ બે નવી સંસ્થાઓ ઊભી કરી. મિલમાલિકોની યુવાપેઢી અને મેનેજરોની તાલીમ અર્થે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન અને શાળા કોલેજના શિક્ષકો-વિદ્યાર્થેઓમાં વૈજ્ઞાનિક અભિગમ ખીલે એ માટે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/08/vikrambhai-ghadvaiya/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>સિનેમાની શોધ : વિલિયમ ફ્રીઝ ગ્રીન – ડૉ. કિશોર પંડ્યા</title>
		<link>http://www.readgujarati.com/2012/01/25/willium-friesegreene/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/25/willium-friesegreene/#comments</comments>
		<pubDate>Wed, 25 Jan 2012 02:34:55 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અન્ય લેખ]]></category>
		<category><![CDATA[ડૉ. કિશોર પંડ્યા]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1817</guid>
		<description><![CDATA[[ તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘વિજ્ઞાનરસ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] આજે આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ અને પડદા ઉપર હાલતાંચાલતાં ચિત્રો જોઈએ છીએ તેની આપણને નવાઈ નથી લાગતી. સિનેમા એટલી હદ સુધી આજે આપણા જીવન સાથે વણાઈ ગઈ છે, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘વિજ્ઞાનરસ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><img class="alignright size-full wp-image-1818" title="Picture 031" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/Picture-031.jpg" alt="" width="207" height="314" />આજે આપણે થિયેટરમાં ફિલ્મ જોવા જઈએ અને પડદા ઉપર હાલતાંચાલતાં ચિત્રો જોઈએ છીએ તેની આપણને નવાઈ નથી લાગતી. સિનેમા એટલી હદ સુધી આજે આપણા જીવન સાથે વણાઈ ગઈ છે, એટલા બધા તેનાથી આપણે પરિચિત થઈ ગયા છીએ. તે કઈ રીતે બને છે, કેવી રીતે તૈયાર થાય છે તેનું આશ્ચર્ય થતું નથી. પણ સિનેમાની શરૂઆત કેવી રીતે થઈ ? સિનેમાની શરૂઆત કોણે કરી ? લગ્નમાં વીડિયો શૂટિંગ સામાન્ય થવા લાગ્યું છે ત્યારે સિનેમા કેવા સંજોગોમાં શરૂ થઈ ? આ સવાલોના જવાબ ઘણા જ રસપ્રદ છે.</p>
<p>સિનેમાની શોધ કરનાર વિલિયમ ફ્રીઝ ગ્રીન હતો. આ વિલિયમના જીવનની વાત પણ કોઈ સિનેમાની વાર્તા કરતાં પણ ચડિયાતી લાગે એવી છે. આજે સિનેમાના પડદા પર અનેક પ્રકારની કાલ્પનિક વાર્તાઓ દેખાડવામાં આવે છે. જીવનના રંગબેરંગી અંશો અને નાટ્યાત્મક વળાંકો પડદા પર જોવા મળે છે. વિલિયમ ફ્રીઝ ગ્રીનનું જીવન તો કોઈ ફિલ્મ કરતાં પણ વધારે નાટ્યાત્મક અને અસાધારણ હતું. વિલિયમ ગ્રીનનો જન્મ 1855ની સાલમાં થયો હતો. તેના પિતા કારીગર હતા. વિલિયમ ચૌદ વર્ષનો થયો ત્યારે તેને બ્રિસ્ટલના ગટનબર્ગ નામના ફોટોગ્રાફરને ત્યાં કામ શીખવા મૂકવામાં આવ્યો. ગટનબર્ગનો સ્વભાવ ખૂબ જ વિચિત્ર હતો. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. જ્યારે આપણા વિલિયમભાઈ તો તેના કરતાં આનંદી. ફોટો પડાવવા આવે તે ગ્રાહકો સાથે પણ વિનયથી વાત કરે. મિજાજી માણસો કોઈની સારી રીતભાત પણ સહન કરી શકતા નથી. વિલિયમ સારો ફોટોગ્રાફર તો હતો પણ સાથોસાથ પોતાની આકર્ષક વર્તણૂકથી ગ્રાહકોને પણ સ્ટુડિયોમાં આકર્ષવા લાગ્યો. એટલે ગટનબર્ગને ઈર્ષા થવા લાગી.<br />
<span id="more-1817"></span></p>
<p>શરૂઆતમાં તો ઠીક ચાલ્યું. પણ ધીરે ધીરે વિલિયમ પોતાના ગુરુ ગટનબર્ગ કરતાં પણ સારા ફોટા પાડવા લાગ્યો. વિલિયમને તો હંમેશાં નવું નવું શીખવાની હોંશ હતી. નેગેટિવ પરથી ફોટા તૈયાર કરવાની રીત ફોક્સ ટેલ્બોટે શોધી હતી. આ ફોક્સ ટેલ્બોટ એક વખત તેમની દુકાન પાસેથી જઈ રહ્યો હતો ત્યારે વિલિયમે તેના શેઠને કહ્યું :<br />
‘જુઓ ફોક્સ ટેલ્બોટ અહીંથી જઈ રહ્યો છે.’<br />
ગટનબર્ગ ઈર્ષાળુ અને ઘમંડી. તેને વિલિયમે કહ્યું તેથી ગુસ્સો ચડ્યો. ‘કોણે શું નવી શોધ કરી એમાં મારે શું ? છાનોમાનો તું તારું કામ કરવા લાગ.’ વિલિયમ શું કરે ? એ તો ચૂપચાપ પોતાના કામે લાગી ગયો. પાંચ વર્ષ સુધી વિલિયમ ગ્રીન આ રીતે પોતાના ગુરુનાં મહેણાંટોણાં સહન કરતો રહ્યો. કંઈક શીખવું હોય તો સહન કરવું જ પડે છે. ધાતુ ટિપાઈને જ મજબૂત બને છે ને ? સોના-ચાંદીના દાગીના તૈયાર થાય ત્યારે કંઈ એમ ને એમ થોડા તૈયાર થાય છે ? સારા બનવું હોય તો સહનશક્તિ પણ કેળવવી પડે. માનવીની સહનશક્તિની પણ મર્યાદા હોય છે. વિલિયમ ગ્રીનનો કામ કરવાનો સમય પૂરો થયો હતો. એવામાં ગટનબર્ગે કંઈ કહ્યું. અને બસ, પછી તો વિલિયમ પણ ગુસ્સે થઈ ગયો. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. વિલિયમ ત્યાંથી નીકળી ગયો. એ જમાનામાં ફોટોગ્રાફી વિશે જે કંઈ જાણવા જેવું હતું તે તેણે શીખી લીધું હતું. વિલિયમ ત્યાંથી બાથ નામના ગામમાં ગયો. ફોટોગ્રાફર તરીકે એક સ્ટુડિયોમાં તેને નોકરી મળી ગઈ.</p>
<p><img class="alignleft size-full wp-image-1819" title="Williamfriesegreen" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/Williamfriesegreen.jpg" alt="" width="220" height="267" />આ સમયગાળામાં તેણે હેલેના સાથે લગ્ન કર્યું અને બાથ આવ્યા બાદ તેને ત્યાં બાળક જન્મ્યું. તેની પત્નીને દમનો રોગ હતો. બાથમાં દસ વર્ષ રહ્યો તે દરમિયાન ગ્રીન ફ્રીઝે બે દોસ્તી બાંધી. એમાં એક ફોક્સ ટેલ્બોટ અને બીજો જોન આર્થર રીબક રજ. પોતાના કરતાં વધારે જાણકાર માણસની દોસ્તી બાંધવાથી હંમેશાં ફાયદો થતો હોય છે. ટેલ્બોટે ગ્રીનને સમજાવ્યું કે ફોટામાં જે સ્થિર ચિત્રો હોય છે એ હલનચલન કરતાં દેખાય એવું કંઈક શોધી કાઢવું જોઈએ. રજ પણ કંઈ જેવો તેવો ન હતો. તેણે પોતાના ‘બાયોફેન્ટિક લેન્ટર્ન’ની મદદથી સફેદ પડદા પર હલનચલન કરતાં ચિત્રો બતાવીને ગ્રીનને આશ્ચર્યચકિત કરી દીધો. રજ જે સ્લાઈડોનો ઉપયોગ કરતો હતો તે બધી રંગીન ચિત્રોમાંથી બનાવેલી હતી.<br />
ગ્રીને કહ્યું હતું : ‘મેં જોયેલી આ સૌથી મહાન શોધ છે.’ વિલિયમ ગ્રીન આથી પણ વિશેષ કરી બતાવવા માંગતો હતો. રજ પાસેથી તેણે તેના જીવંત લાગતાં ચિત્રોનું રહસ્ય જાણવાની ઈચ્છા દર્શાવી. બંને ભાઈબંધો જ હતા. રજે તેને સમજાવ્યું કે આ આખી વસ્તુ માનવીની આંખ સાથે રમવામાં આવતી રમત છે. માનવીની આંખની રચના જ એવા પ્રકારની છે કે તેણે ઝીલેલી છબીની અસર સેકન્ડના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાગ સુધી જળવાઈ રહે છે. આકાશમાંથી ખરતો તારો જોયો છે ને ? ખરતો તારો વાતાવરણમાં પ્રવેશતો જોઈએ છીએ ત્યારે તે એક લાંબા લિસોટાના સ્વરૂપે દેખાય છે એ ખરેખર તો આપણો દષ્ટિભ્રમ છે. ખરતો તારો અદશ્ય થઈ ગયા પછી પણ આપણને દેખાય છે. બાયોફેન્ટિક લેન્ટર્નમાં આંખની સામે બે ચિત્રોને વારાફરતી ઝડપથી ફેરવવામાં આવે છે. બંને ચિત્રો એકબીજામાં ભળી જતાં હોઈ ચિત્ર હાલતુંચાલતું દેખાય છે.</p>
<p>ગ્રીનની બુદ્ધિ ઝડપથી દોડતી હતી.<br />
તેણે સૂચવ્યું કે આ પદ્ધતિ ઘણી સરસ છે. પણ તેમાં થોડો સુધારો કરી શકાય. દોરવામાં આવેલાં રંગીન ચિત્રોને બદલે ફોટોગ્રાફનો ઉપયોગ થઈ શકે. રજે જણાવ્યું કે આવો પ્રયોગ પણ થઈ ગયો હતો. પ્રોફેસર મેરી અને એડવર્ડ માયબ્રીજે આવો પ્રયોગ કર્યો હતો. એમણે જે કંઈ પ્રયોગો કર્યા હતા એ સ્ટુડિયોમાં જ કરવામાં આવ્યા હતા. માણસ હાલતોચાલતો દેખાય એવું ચલચિત્ર બનાવવાનું કામ હજી બાકી હતું. ગ્રીન ઉત્સાહી હતો. તેણે દઢ નિશ્ચય કર્યો કે આ કામ હું કરી બતાવીશ. રજ અને ગ્રીન બંને આ કામ સાથે મળીને કરતા હતા. ગ્રીનના મનમાં અનેક વિચારો ઊભરાતા હતા. તેનું મગજ એટલી ઝડપથી દોડતું હતું કે હજી તો એક વિચાર પૂરો થાય એ પહેલાં તે બીજી શક્યતા અંગે વિચાર કરવા લાગતો હતો. ગ્રીનના વિચારને રજ મૂર્તિમંત સ્વરૂપ આપતો. તે બંનેએ મળીને એક એવું ફરતું બારણું બનાવ્યું કે તેમના જાદુઈ દીવામાં ચિત્ર ગોઠવાતું હોય ત્યારે તેમાં પ્રકાશને દાખલ થવા ન દે અને તેને સેકન્ડના અમુક ભાગ પૂરતું સ્થિર રાખવાનું કામ કરે. અગાઉના પ્રયોગો કરતાં આમાં થોડી પ્રગતિ થઈ હતી. જોનારાની આંખને સ્પષ્ટ અને સ્થિર ચિત્રો દેખાતાં હતાં. બંને જણા પોતાનો જાદુઈ દીવો લઈ નીકળી પડે અને લોકોને ચિત્રો બતાવે. આજે આપણે જેને સિનેમા તરીકે ઓળખીએ છીએ તેની આ શરૂઆત હતી.</p>
<p>ગ્રીનને હજી પૂરો સંતોષ થયો ન હતો. તેમનો કાર્યક્રમ તો ગણતરીની મિનિટોમાં પૂરો થઈ જતો હતો. ગ્રીન લંડન ગયો. ત્યાં બોન્ડ સ્ટ્રીટમાં સ્ટુડિયો હતો. તેના બે ભાગીદારો સાથે ગ્રીન પણ જોડાયો. પણ પોતાના પ્રયોગો તેણે ચાલુ જ રાખ્યા હતા. પ્રયોગો કરવા માટે તેણે એક વર્કશૉપ ઊભું કર્યું. ગ્રીનનો ખરચ વધતો જતો હતો. સ્ટુડિયો માટે જરૂરી સામગ્રી ઉપરાંત નવા નવા કૅમેરા અને પ્રોજેક્ટરો બનાવવા માટે રોકેલા કારીગરોને પણ પૈસા ચૂકવવા પડતા હતા. તે પોતાના પ્રયોગોમાં એવો તો મશગૂલ થઈ જતો કે ફોટોગ્રાફીના ધંધામાં તેની કમાણી ઓછી થવા લાગી. તે સતત પોતાના કામમાં ડૂબેલો રહેતો, તે કોઈ એવી વસ્તુની શોધમાં હતો કે જેની મદદથી તે ઓછા સમયમાં વધારે તસવીરો ખેંચી શકે. જો આમ થાય તો તેની સિનેમાના શો લાંબા ચાલે. આજે આપણને થાય કે એમાં વળી શું ? પણ કોઈ સવાલનો જવાબ ન આવડતો હોય ત્યારે તે કેવો અઘરો લાગે છે ? અને જવાબ જાણીએ એટલે&#8230;.. સાવ સહેલોસટ&#8230;. તે સમયે ફોટા પાડવા માટે કાચની તકતીનો ઉપયોગ થતો હતો. ગ્રીનભાઈ જે કાચની તકતી વાપરતા હતા તે જરા અટપટી અને જલદી ભાંગી જાય તેવી હતી. ગ્રીનને પોતાની યોજના માટે એક સેકન્ડમાં 15 થી 20 ફોટાઓ પાડી શકાય એવી વસ્તુની જરૂર હતી. વળી એ વસ્તુ ભાંગી જાય તેવી ન હોવી જોઈએ. વધારે સમય ચાલે અને વધારે સારા ફોટા પાડી શકાય એવી વસ્તુની તેને જરૂર હતી.</p>
<p>રૉયલ ફોટોગ્રાફિક સોસાયટી તરફથી ગ્રીનને 1885ની સાલમાં નવેમ્બર મહિનામાં નિમંત્રણ મળ્યું. તેણે પોતાની તૈયાર કરેલી સિનેમા બતાવવાની હતી. ગ્રીને સોસાયટીના સભ્યોને રમૂજી ચિત્રો પોતાની રીતે બતાવ્યાં. તેણે વર્તુળાકારે ગોઠવેલાં બાર નાનાં નાનાં પારદર્શક ચિત્રો પડદા પર બતાવ્યાં. આ ચિત્રોને જ્યારે પ્રકાશની ફરતે ફેરવવામાં આવતાં હતાં અને તે સામેના વિશાળ પડદા પર પડતાં હતાં ત્યારે તેમાંની આકૃતિઓ હલનચલન કરતી દેખાતી હતી. ત્યાર બાદ ગ્રીને કાચની તકતીને બદલે ઓપ ચડાવેલા જિલેટીનનો ફોટો પાડવા માટે ઉપયોગ કરવાનું શરૂ કર્યું. જિલેટીન કાગળ ઉપરનાં ચિત્રોને પડદા ઉપર પાડવા માટે તેને દિવેલમાં બોળવામાં આવતો હતો. અત્યારે આપણને હસવું આવે. પણ ત્યારે આવી અણઘડ રીત જ કામ આવતી હતી. વિલિયમ ફ્રીઝ ગ્રીનને રૉયલ ફોટોગ્રાફિક સોસાયટીના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યો. પણ ગણ્યાગાંઠ્યા વિદ્વાન લોકો કરતાં વધારે જન-સમુદાયને પોતાની પ્રવૃત્તિમાં રસ લેતા કરવાની તેની ઈચ્છા હતી. પોતાની કામગીરીથી જાહેર જનતા વાકેફ થાય એવી તેની મહેચ્છા હતી. તેની પાસે અનેક નવ નવા વિચારો હતા. જાહેર રસ્તા ઉપર પડતી એક બારીમાં તેણે સફેદ પડદો ગોઠવ્યો, અને રોજ સાંજે તેના ઉપર હાડપિંજર નૃત્ય કરતું હોય તે દશ્ય બતાવવા લાગ્યો. આ વાતની ચર્ચા આખા ગામમાં થવા લાગી. રોજ રાત્રે વધારે ને વધારે લોકો આ ચિત્ર જોવા માટે એકઠા થવા લાગ્યા. બસ પછી તો ટ્રાફિક જામ. લોકોનું મોટું ટોળું અને રસ્તો અવરજવર માટે બંધ થવા લાગ્યો. વાહન-વ્યવહાર અટકી ગયો. એટલે પોલીસે ફ્રીઝ ગ્રીનને સજા કરવાની ધમકી આપી. આથી તેના આ ખેલનો અંત આવ્યો. સતત પ્રયોગો કરતા રહેવાનું તેણે ચાલુ રાખ્યું અને દિવેલમાં ભીંજવેલા કાગળની જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો તેને વિચાર આવ્યો. પ્લાસ્ટિક એ સમયે કપૂર અને ગનકોટનમાંથી તૈયાર કરવામાં આવતું હતું. તે હલકું અને મજબૂત હોવાથી તેના રોલ ફિલ્મમાં વાપરી શકાય. વિચાર આવે અને અમલમાં ન મૂકે તો એ ગ્રીન શાનો ? તેણે જથ્થાબંધ પ્લાસ્ટિક સેલ્યુલોઝ ખરીદી લીધું. સહાયકોની મદદ લીધી અને કેટલીય પ્રક્રિયાઓને અંતે લગભગ પચાસ ફૂટ લાંબી પારદર્શક ફિલ્મની પહેલી પટ્ટી તૈયાર કરી.</p>
<p><img class="alignright size-full wp-image-1820" title="friesegreene" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/friesegreene.jpg" alt="" width="230" height="311" />1889, જાન્યુઆરી મહિનો. રવિવાર. રજાનો દિવસ. ગ્રીને પોતાનો છેલ્લી ઢબનો કૅમેરા એક બગીચામાં ગોઠવ્યો. દૂરથી જોનારને તો એ લાકડાની નાની પેટી જેવો જ લાગતો હતો. પોતાના કાકાના દીકરા ભાઈને તેણે બગીચામાં મળવાનું કહ્યું હતું. તે જ્યારે પોતાના નાનકડા પુત્ર સાથે બગીચામાં આવી રહ્યો હતો ત્યારે ગ્રીને પોતાના કૅમેરાનો હાથો ફેરવીને વીસ ફૂટ લાંબી ફિલ્મ ઉતારી લીધી. બાકીની ફિલ્મમાં તેણે રસ્તા ઉપર લોકો પસાર થતા હતા તે દશ્યો ઝડપી લીધાં. ગ્રીનનો ઉત્સાહ અનેરો હતો. પોતે કરેલા પ્રયોગનું પરિણામ તે જોવા માંગતો હતો. એટલે સાંજ થાય એ પહેલાં તો તેણે ફિલ્મને ડેવલપ પણ કરી લીધી. ફિલ્મ તૈયાર થઈ ગઈ એટલે તરત જ પ્રોજેક્ટરમાં વીંટાળી લીધી. અને ક્યારે અંધારું થાય એની રાહ જોવા લાગ્યો. સાંજ થઈ. પ્રોજેક્ટરનો લૅમ્પ સળગાવ્યો ત્યારે સ્ટુડિયોમાં તે એકલો જ હતો. તેણે પ્રોજેક્ટરનો હાથો ફેરવ્યો અને જાણે કે ચમત્કાર થયો. સફેદ ચૂનો કરેલી દીવાલ જીવંત બની ગઈ. તેને પોતાનો કાકાનો દીકરો ભાઈ પોતાના પુત્રનો હાથ પકડીને આવતો દેખાયો. સાથોસાથ સરસ કપડાં પહેરેલાં સ્ત્રીઓ અને પુરુષોની તેમની ચમકતી વિક્ટોરિયા ગાડીઓમાં બેઠેલાં, ગણવેશમાં સજ્જ તેમના નોકર-ચાકર સાથે રવિવારની રજાના દિવસે હવા ખાતાં દેખાયાં.<br />
બગીચાનું પચાસ ફૂટનું જીવન !<br />
પોતે મેળવેલી સફળતામાં તેને પોતાને જ વિશ્વાસ ન બેઠો. આખી ફિલ્મ ફરી વીંટી લીધી.<br />
ફરીથી તેને જોઈ.<br />
હવે ? પોતાની આ વાત કોઈને કહેવી તો જોઈએ જ ને ? પોતાની કામયાબીનો આનંદ કોઈની સાથે મળીને માણવા માંગતો હતો. તરત જ તે નીકળ્યો સ્ટુડિયોની બહાર. રાત પડી ગઈ હતી. રાતના તે વળી રસ્તા પર કોણ મળે ? ત્યાં પહેરો ભરતા પોલીસને જોયો. તેનો હાથ પકડીને પોતાની સાથે સ્ટુડિયોમાં લઈ ગયો.<br />
હાંફતાં હાંફતાં તેણે કહ્યું : ‘આવો, અહીં બેસો. આ દીવાલ સામું જુઓ. તમને જીવનની સૌથી અદ્દભુત ચીજ જોવા મળશે.’ પોલીસને થયું કે પોતે જરૂર કોઈ ગાંડા માણસની સાથે તેના ઘરમાં ફસાઈ ગયો છે. જરૂર પડે ઝડપથી બહાર નીકળી શકાય એ માટે તે બારણા પાસે જ ઊભો રહ્યો. ઉપરાંત તેણે હાથમાં દંડો અને મોંમાં સિસોટી પણ તૈયાર રાખી હતી. અંધારું ઓરડાને પોતાના પંજામાં લઈને બેઠું હતું. થોડી વારમાં દીવાલ જીવંત બની ગઈ. પોલીસે જોયું કે ત્યાં રસ્તા પરના કેટલાક પોલીસો પણ દેખાતા હતા. ગ્રીનના જીવનની આ નાટ્યાત્મક ક્ષણ હતી.</p>
<p>પણ તેના વિજયનો નશો તરત જ ઊતરી ગયો. થોડા દિવસોમાં જ તેણે દેવાળું ફૂંક્યું. બીમાર પત્ની, નાની પુત્રી અને પૈસા વગરનો માણસ. જે પેઢીએ તેનો છેલ્લો કૅમેરા ‘મૅજિક બૉક્સ’ બનાવેલો તેની ઉપર ચેક મોકલ્યો. પણ તેના ખાતામાં પૈસા જ નહોતા. ચેક પાછો ફર્યો. કોર્ટમાં કેસ થયો. નાણાકીય સ્થિતિ એટલી બધી ખરાબ હતી કે તેને જેલમાં જવું પડ્યું. તેની પત્નીએ જેમતેમ કરીને દેવું ભરી શકાય એટલા પૈસા ભેગા કર્યા. પછી અઠવાડિયા બાદ તેને જેલમાંથી છૂટો કર્યો. સ્ટુડિયો વેચાઈ ગયો. એમાંની દરેક સાધનસામગ્રી પણ. લંડનમાં તેનું ઘર હતું. ઘરનું લિલામ કરવામાં આવ્યું. હવે તે રસ્તા પર આવી ગયો હતો. તેની પાસે માત્ર એક જ વસ્તુ હતી. એ હતો કૅમેરો. તેની લાકડાની જાદુઈ પેટી. પણ વિલિયમ ગ્રીન એટલે વિલિયમ ગ્રીન. ખોટી ચિંતા કરે એ બીજા. નવી નવી તરકીબો તે વિચારતો. એના જમાના કરતાં તેના વિચારો ઘણા આગળ હતા. તેણે મનથી નક્કી કરી લીધું. આબેહૂબ રંગ, હલનચલન, ઊંડાણ અને અવાજ સાથે જીવનની અસલ ફિલ્મ બનાવવી.</p>
<p>હલનચલન સુધીની ફિલ્મ તૈયાર થઈ ગઈ હતી. હવે તેમાં સાથોસાથ અવાજ કેવી રીતે લાવવો ? એ સમયે ગ્રામોફોનની શોધ થઈ ગઈ હતી. ગ્રામોફોન સાથે ફિલ્મ ફરતી રહે એવી તરકીબ તેને સૂઝી હતી. તેણે ગ્રામોફોનના શોધક ટોમસ આલ્વા એડિસનને પત્રો લખ્યા. એડિસને તેની પાસેથી તેણે કરેલી શોધનાં ચિત્રો મંગાવ્યાં. તેણે ચિત્રો મોકલી આપ્યાં. પણ&#8230;.. સારા કામમાં સો વિઘ્ન આવે તેમ એ ચિત્રો ખોવાઈ ગયાં. એટલે વાત ત્યાં જ ખોરવાઈ ગઈ.</p>
<p>ઈંગ્લૅન્ડ તેની શોધની કદર કરવામાં ઢીલું પડ્યું પણ અમેરિકાની તો વાત જ કંઈ ઓર હતી. ગ્રીને કરેલા પ્રયોગોના સરસ મજાના અહેવાલો વિજ્ઞાનનાં સામાયિકો દ્વારા ત્યાં પહોંચી ગયા હતા. 1889માં તેણે સનદી હક માટે અરજી કરી. તેને હક મળી પણ ગયા. પરંતુ ગ્રીનને એ સમયે પૈસાની ખૂબ જ જરૂર હતી એટલે એ હકો તેણે માત્ર 500 પાઉન્ડમાં વેચી દીધા. એ પૈસા મળ્યા એટલે કે જાણે વાત પૂરી થઈ ગઈ હોય તેમ પોતાના એ હકનો તેણે ક્યારેય ઉપયોગ કર્યો જ નહિ. ઉપરાંત જ્યારે એ હકો તાજા કરાવાની તારીખ આવી ત્યારે તેને માટે જરૂરી ફી ભરવાનું જ તે ભૂલી ગયો.<br />
સૌથી પહેલો જાહેર ફિલ્મ શો પેરિસમાં યોજાયો.<br />
1895ની એ સાલ હતી.<br />
ફ્રીઝ ગ્રીનના વતનને બદલે ફ્રાન્સમાં શૉ યોજાયો. જોકે આ માટે પોતાના કાર્ય અને આર્થિક જવાબદારીઓ અંગે તેણે દર્શાવેલી બેદરકારી પણ કારણરૂપ હતી. ગ્રીન હજી પણ કંઈક નવું કરી દેખાડવાના ઉત્સાહમાં હતો. અતિ ઝડપથી ચિત્રો છાપવાની રીત તેણે શોધી કાઢી હતી. આજે અખબારો અને સામાયિકો ઝડપથી છપાઈ શકે છે એ અંગેની મૂળભૂત શોધ ગ્રીને કરી હતી. આ શોધ દ્વારા તે પૈસાદાર થઈ શક્યો હોત. પણ હજી તો એક શોધના વિચારો ફળીભૂત થાય એટલામાં તો તે બીજી કોઈ નવી વસ્તુ તૈયાર કરવા લાગી જતો. 1895ની સાલમાં લાંબી બીમારી બાદ તેની પત્નીનું અવસાન થયું. તેના દુઃખી જીવનના તબક્કાની શરૂઆત થઈ. સતત કામમાં મશગૂલ રહીને તે પોતાનું દુઃખદર્દ ભૂલી જતો. તેનું મન સતત કામમાં પરોવાયેલું રહે એ પ્રકારનું નવું કામ પણ તેણે શોધી કાઢ્યું હતું.</p>
<p>પ્રોફેસર રૉન્ટજને એ દિવસોમાં એક્સ-રેની શોધ કરેલી. ગ્રીનના જાણવામાં આ વાત આવી. તેને થયું કે રોગના નિદાન અને વાઢકાપમાં આ એક્સ-રે ઉપયોગી થઈ શકે. આ માટે બને તેટલી ઝડપથી એક્સ-રે ફોટાઓ લઈ શકે એવા સાધનની જરૂર હતી. ગ્રીન એ માટે તૈયાર હતો. રાતદિવસ મહેનત કરીને ઝડપથી એક્સ-રે ફોટાઓ લઈ શકે એવું સાધન તેણે બનાવ્યું. પણ ડૉક્ટરોને આ સાધનને લીધે પોતાના ધંધામાં નુકશાન થાય એવું લાગ્યું એટલે ડૉક્ટરોએ ભેગા મળીને ગ્રીનના સાધનને વખોડી કાઢ્યું. એક વેપારીની સલાહ લઈને ફ્રીઝ ગ્રીને ઑક્સફોર્ડ મ્યૂઝિક હૉલમાં તેના મશીનની કામગીરી લોકોને દેખાડી. લોકોએ પણ ત્યાં પોતાના હાથ અને પગના એક્સ-રે લેવડાવ્યા. એ લોકોમાં ઘણાં વરસથી પીડા સહન કરતા લશ્કરના એક એડમિરલ પણ હતા. ફોટામાં દેખાયું કે એક બૉમ્બની કણી કાંડામાં રહી ગઈ હતી.<br />
ગ્રીનના કામમાં વખાણ થયાં.<br />
એક સર્જને ફ્રીઝ ગ્રીનને એક છોકરીના પગનો એક્સ-રે લેવા માટે બોલાવ્યો. આ છોકરી તેની ચરબીમાં સોય ઊંડી ઊતરી ગઈ હતી તેને લીધે ખૂબ પીડા ભોગવતી હતી. ગ્રીનના સાધનની મદદથી સોય શરીરમાં કઈ જગ્યાએ છે તે શોધી કાઢવામાં આવ્યું અને પછી તો તરત જ એ જગ્યાએ ઑપરેશન કરીને સર્જને સોય કાઢી લીધી. અત્યારે દરેક જગ્યાએ વપરાતા એક્સ-રેના આ અદ્દભુત સાધનમાંથી પણ ગ્રીને આર્થિક દષ્ટિએ કંઈ જ લાભ ઉઠાવ્યો નહીં. હજી પણ નવી નવી શોધ કરવા માટે તે થનગની રહ્યો હતો.</p>
<p>તેના દિવસો બદલાયા હતા.<br />
તેના કરતાં વીસ વરસ નાની એડીથ હેરિસન નામની સ્ત્રીનો તેને પરિચય થયો. 1877ની સાલમાં તેમનાં લગ્ન થયાં. થોડા સમય માટે ગ્રીનનું ભાગ્ય ઊઘડ્યું હોય તેવું લાગતું હતું. હવે ગ્રીનનું ધ્યાન છાપકામ તરફ ગયું. શાહી વગરનું છાપકામ કરવા અંગે તે વિચારવા લાગ્યો. ક્રિયાશીલ કરેલા કાગળ ઉપર વીજળીની મદદથી જરૂરી ભાત ઉપસાવવાનો તેનો પ્રયત્ન હતો. મોટા મોટા વેપારીઓને તેનો આ વિચાર પસંદ આવ્યો. એટલે તેને જરૂરી પૈસા મળવા લાગ્યા. ગ્રીનની સફળતાનો આ લોકોએ પણ પૂરેપૂરો લાભ ઉઠાવ્યો. ગ્રીનને જે પૈસા મળ્યા તેમાંથી તેણે પોતાનું કુટુંબ વ્યવસ્થિત કર્યું અને ઈસેક્સમાં એક ઘર પણ બંધાવ્યું. ગ્રીનની શોધથી અન્ય લોકો પૈસાદાર થવા લાગ્યા હતા. પણ તે એવી ફિકર કરનારો ન હતો. તેને મળેલા પૈસા પૂરા થઈ ગયા એટલે ફરી તે નાણાં વગરનો થઈ ગયો. પછી નવી શોધ માટેના તેના ઉત્સાહમાં ઓટ આવી નહોતી. એ સમયે રંગીન તસ્વીરની કામગીરીમાં તે વ્યસ્ત હતો.</p>
<p>સિનેમાનો જાહેર મનોરંજન તરીકેનો ઉપયોગ સૌથી પહેલાં ક્યા દેશ દ્વારા થાય એની રાહ અનેક દેશ જોઈ રહ્યા હતા. લૂઈ અને ઑગસ્ટ લ્યુમિટરના પ્રયત્નોથી ફ્રાન્સને સફળતા મળી. સિનેમાની શોધ કરનાર સંશોધક જો તેના મૂળ વિચારને વળગી રહ્યો હોત અને પોતે મેળવેલી પેટન્ટ તાજી કરાવવાનું યાદ રાખી શક્યો હોત તો સિનેમાની જાહેર મનોરંજન તરીકેની શરૂઆત બ્રિટનથી થઈ હોત. પણ ફ્રેન્ચ લોકો જ્યારે ફિલ્મ ઉત્પાદનના સાહસમાં રોકાયેલા હતા ત્યારે વિલિયમ ગ્રીન દુઃખના દરિયામાં ઊંડો ને ઊંડો ઊતરી રહ્યો હતો.<br />
ફરીથી તેણે દેવાળું કાઢ્યું હતું.<br />
મોટી મોટી રકમો ઉછીની લીધી હતી. તે રકમ પાછી આપી શક્યો ન હતો. ફરી વાર તેને કેદની સજા થઈ. તેને બે માસની કારાવાસની સજા ફરમાવવામાં આવી. કેદમાંથી મુક્ત થઈને તેણે પોતાનો ફોટોગ્રાફીનો જૂનો ધંધો શરૂ કર્યો. નવા નવા વિચારો તેના દિમાગમાં ચકરાવો લેતા હતા. પ્રયોગો માટે સાધનોની તેને જરૂર હતી. ફરીથી તે દેવાળિયો બન્યો. 1910ની સાલમાં જ્યારે કોર્ટના અમલદારો તેના ઘરનું ફર્નિચર લઈ જવા આવ્યા ત્યારે તેની પત્ની છઠ્ઠા બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. આ સમયે તેને અમેરિકા જવાનું આમંત્રણ મળ્યું. અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગ નવો નવો વિકાસ પામ્યો હતો. એ સમયે મૂળ સનદી અધિકાર કોની પાસે હતા તેનો વાદવિવાદ પણ ચાલતો હતો. આ અંગે કાયદાની કોર્ટ સુધી વિવાદ પહોંચ્યો હતો.</p>
<p>ન્યૂયોર્કના ‘મુવિંગ પિકચર ન્યૂઝ’ નામના સામાયિકે અને ગ્રીને પુરાવો આપ્યો કે તેનો 1889નો સનદી અધિકાર ચલચિત્ર ઈતિહાસમાં સૌથી પહેલો હતો. ગ્રીને સામાયિકમાં એ વિગત પણ લખી કે તેના મૂળ કૅમેરાની આકૃતિઓ એડિસનને મોકલી આપેલી, જેમણે તેના છેલ્લા પત્રનો જવાબ આપ્યો નહોતો. કોર્ટે તેનો દાવો કબૂલ રાખ્યો. અમેરિકામાં લોકો આ મહાન માનવીનું બહુમાન કરવા માટે તૈયાર જ હતા. એ સમયે અમેરિકામાં પસાર કરેલો છ મહિનાનો સમય તેના જીવનનો સૌથી સુખી સમય હતો. તે ઈંગ્લૅન્ડ પાછો ફર્યો ત્યારે જાણે કે બધું જ બદલાઈ ગયું. ગ્રીનની વાત સાંભળવા માટે કોઈની પાસે સમય નહોતો. બજારમાં સસ્તા ફોટોગ્રાફ વેચીને તે પોતાનું ગુજરાન માંડ માંડ ચલાવતો હતો. 1914ની સાલમાં યુદ્ધની શરૂઆત થતાં ઈંગ્લૅન્ડમાં ફિલ્મ ઉત્પાદન લગભગ બંધ થઈ ગયું. ગ્રીનને સરકારી પ્રયોગશાળામાં નોકરી મળી. તેણે તે સ્વીકારી પણ ખરી; પરંતુ તે તેમાં નિયમિત રહી શક્યો નહિ. તેણે રાજીનામું આપી દીધું. રંગીન ફિલ્મ બનાવતા એક ફોટોગ્રાફર સાથે તે જોડાઈ ગયો. વ્યવસ્થિત રીતે જીવન શરૂ કરી શકવાની છેલ્લી તક તેણે ગુમાવી દીધી. તે માનતો હતો કે તેણે નવી દુનિયા સર કરવાની બાકી છે.</p>
<p>ગ્રીન હવે ઘરડો થયો હતો. ઉંમર થઈ હતી સાઠ વર્ષ ઉપર. પૈસા પાસે ન હતા. તેની વિચારશક્તિની ધાર પણ કુંઠિત થઈ ગઈ હતી. તેનામાં કડવાશ આવી ગઈ હતી. સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. તેને એમ થતું હતું કે જાણે આખી દુનિયા તેનો વિરોધ કરી રહી છે. લોકો તેનો હેતુપૂર્વક તિરસ્કાર કરતા હતા. લોકોને તેની વર્તણૂકથી એવું લાગતું હતું કે તે ગાંડો થઈ ગયો છે. તેની પત્ની પણ તેને છોડીને ચાલી ગઈ, અને કુટુંબનું ગાડું ગબડાવવા માટે લંડનની એક હોટલમાં કામ કરવા લાગી. લડાઈના દિવસો પૂરા થતાં અમેરિકાનો ફિલ્મ ઉદ્યોગ ફરીથી પૂરા જોશમાં ધમધમવા લાગ્યો. ફિલ્મક્ષેત્રે ઈંગ્લૅન્ડ પાછળ રહી ગયું. બ્રિટનમાં ફિલ્મ ઉદ્યોગ ફરીથી શરૂ થાય એ માટે 1821ની સાલમાં બ્રિટિશ ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓ ભેગા થયા. મોટા ભાગના બોલનારા ફિલ્મ ઉદ્યોગના ભાવિ વિશે નિરાશ દેખાતા હતા. કેટલાક ગુસ્સે થઈ ગયા. સામસામે આક્ષેપો થવા લાગ્યા. આ પરિસ્થિતિ હતી ત્યારે ગ્રીન બોલવા માટે ઊભો થયો. હૉલમાં શાંતિ પથરાઈ એટલે તેણે પોતાના જ જીવન વિશે ત્યાં એકઠા થયેલા લોકોને વાત કરી. ચલચિત્રને શક્ય બનાવવા તેણે ત્રીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક મહેનત જે કરી હતી તેની વાત કરી. પ્રેક્ષકોને અંદરોઅંદરના ઝઘડા બંધ કરવા અને ફિલ્મ ઉત્પાદનના કાર્યમાં આગળ વધવા માટે તેણે વિનંતી કરી.<br />
હતાશ સ્થિતિમાં તે એકાએક ભાંગી પડ્યો.<br />
તેને એક સીટ પર બેસાડવામાં આવ્યો. સીટ પર જ તે ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો.<br />
તેનું અવસાન થયું.<br />
એ સમયે તેના ખિસ્સામાં એક શિલિંગ અને દસ પેન્સ હતા. બસ એ હતી તેની સમગ્ર મૂડી. બ્રિટિશ ફિલ્મ ઉદ્યોગે તેની ભવ્ય સ્મશાનયાત્રા કાઢી. તેની ભવ્ય કબર પર લખવામાં આવ્યું : ‘વિલિયમ ફ્રીઝ-ગ્રીન સિનેમેટોગ્રાફનો સંશોધક.’ ચલચિત્ર શરૂ કરનાર ગ્રીનનું જીવન એક ચલચિત્રની પટકથા કરતાં પણ વધારે રોમાંચક હતું.</p>
<p>[ કુલ પાન : 154. કિંમત રૂ. 90. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/25/willium-friesegreene/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>2020માં ભારત બને યુવાનો માટે બહેતર દેશ ! – ચેતન ભગત</title>
		<link>http://www.readgujarati.com/2012/01/05/bharat-2020/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/05/bharat-2020/#comments</comments>
		<pubDate>Thu, 05 Jan 2012 01:49:12 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અન્ય લેખ]]></category>
		<category><![CDATA[ચેતન ભગત]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1722</guid>
		<description><![CDATA[[ ‘શિક્ષણ’માં ભ્રષ્ટાચાર એ આજના સમયની પાયાની સમસ્યા છે. આ બાબત વિશે તાજેતરના ‘ચિત્રલેખા’ વાર્ષિક અંક (નવેમ્બર-ડિસેમ્બર-2011)માં શ્રી ચેતન ભગતે પોતાના વિચારો તટસ્થ રીતે રજૂ કર્યા છે. આ બાબતે શું થઈ શકે તે દિશામાં આંગળી ચીંધી છે. રીડગુજરાતીને આ વિશેષ લેખ માટે પરવાનગી આપવા બદલ ‘ચિત્રલેખા’ની ટીમ, તંત્રી શ્રી ભરતભાઈ ઘેલાણી તથા શ્રી ચેતન ભગતનો [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ ‘શિક્ષણ’માં ભ્રષ્ટાચાર એ આજના સમયની પાયાની સમસ્યા છે. આ બાબત વિશે તાજેતરના ‘ચિત્રલેખા’ વાર્ષિક અંક (નવેમ્બર-ડિસેમ્બર-2011)માં શ્રી ચેતન ભગતે પોતાના વિચારો તટસ્થ રીતે રજૂ કર્યા છે. આ બાબતે શું થઈ શકે તે દિશામાં આંગળી ચીંધી છે. રીડગુજરાતીને આ વિશેષ લેખ માટે પરવાનગી આપવા બદલ ‘ચિત્રલેખા’ની ટીમ, તંત્રી શ્રી ભરતભાઈ ઘેલાણી તથા શ્રી ચેતન ભગતનો ખૂબ ખૂબ આભાર. આ લેખ ‘ચિત્રલેખા’ વાર્ષિક વિશેષાંક 2011-માંથી અત્રે સાભાર પ્રસ્તુત છે.]</p>
<p>આહ ! અત્યારે, આ ક્ષણે હું મુંબઈના પરા અંધેરીમાં આવેલા એક મૉલની રેસ્ટોરાંમાં મારા લૅપટૉપ સાથે બેઠો છું. મારી સામે રેસ્ટોરાંના શેફે પીરસેલી ઉપવાસની ફિક્સ થાળી (બટાટાનું શાક-રાજગરાની પૂરી-સાબુદાણાનાં વડાં-શિંગોડાનો શીરો-દહીં-મોળી છાશનો ગ્લાસ) છે. નવરાત્રના ઉપવાસનો આજે પહેલો દિવસ છે. મને કહેવામાં આવ્યું છે કે મારે ચિત્રલેખાના 61મા વાર્ષિક અંક માટે એક લેખ લખવો, જેનો વિષય છે : ‘ઈન્ડિયા : વિઝન 2020’ અર્થાત આજથી નવેક વર્ષ બાદ ભારત કેવું હશે અથવા એ કેવું હોવું જોઈએ એ વિશેની મારી આશા-અપેક્ષા-આકાંક્ષા શી છે ?</p>
<p>મને થાય છે કે નવ વર્ષ તો બાજુએ, નવ દિવસના ઉપવાસ પછી મારું શારીરિક સ્વાસ્થ્ય કેવું હશે ?<br />
મજાક બાજુએ, સિરિયસ વાત. કેવો સુભગ સંયોગ: આ લેખ આપ વાંચશો ત્યારે મારું નવું પુસ્તક બુક સ્ટોરમાં આવી ગયું હશે, જેનું શીર્ષક છે ‘રિવોલ્યુશન 2020: લવ. કરપ્શન. એમ્બિશન.’ મુંબઈમાં અભિનેત્રી સોનમ કપૂરે આ પુસ્તક લૉન્ચ કર્યું. ખેર, મારે માટે 2020માં સૌથી મહત્વની વાત છે : ‘બેટર ઈન્ડિયા ફૉર યૂથ:’ યુવાનો માટે એક બહેતર દેશ, જે એકદમ સુવિકસિત હોય, દરેક ભારતીયની સરેરાશ આવકનો સ્તર ઊંચો હોય.<br />
આ કેવી રીતે શક્ય બને ?<br />
જવાબ છે :<br />
એક : પ્રમૉટિંગ મેરિટ ઑફ ઍન એક્સલન્સ અર્થાત કાબેલિયતની કદર અને બે : સત્ય-સમાનતા-ન્યાય. ન્યાયના કેવળ સિદ્ધાંત જ નહીં, પણ એના અમલના પાયા પર રચાયેલો સમાજ હું જોવા માગું છું.<br />
<span id="more-1722"></span></p>
<p><strong><img class="alignright size-full wp-image-1724" title="chetan_bhagat" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/chetan_bhagat.jpg" alt="" width="423" height="282" />[કાબેલિયતની કદર]</strong><br />
તમારામાંથી કેટલાક લોકોએ દિગ્દર્શક પ્રકાશ ઝાની ‘આરક્ષણ’ જોઈ હશે. આરક્ષણ હોવું જોઈએ કે નહીં એની જફામાં ન પડતાં મારે માત્ર એટલું જ કહેવું છે કે જેનામાં ક્ષમતા છે, જેનામાં પ્રતિભા છે એ ટૉપ સુધી પહોંચવો (કે પહોંચવી) જ જોઈએ અને દેશના વિકાસમાં એણે ફાળો આપવો જ જોઈએ એવી એક જડબેસલાક વ્યવસ્થા આપણે વિકસાવવી પડશે. લાગવગ નહીં, નાત-જાત નહીં, સગાંવાદ નહીં, બસ, કેવળ લાયકાતના જોરે જ યૌવન ટોચ સુધી પહોંચે એ બહુ જરૂરી તેમ જ અગત્યનું છે. આજે આપણે ત્યાં બને છે એવું કે કાબેલિયતની કદર થતી નથી, સારા, તેજસ્વી યુવાનોને મોકો મળતો નથી, જ્યારે ખોટા લોકો આસન પર ચડી જાય છે.</p>
<p><strong>[સત્ય-સમાનતા-ન્યાય]</strong><br />
મને આપણા દેશ વિશેની એક વાત ક્યારેય સમજઈ નથી. ધાર્મિક બાબત આવે ત્યારે આપણી લાગણી સાવ નજીવી, ક્ષુલ્લક બાબતમાં દુભાઈ જાય છે&#8230; તો અન્યાય, ભ્રષ્ટાચાર જેવાં દૂષણ આપણને કેમ અબખે પડી ગયાં છે ? ધર્મ વિશે કોઈ કશુંક બોલે-લખે-ચિત્રણ કરે તો કેવો આક્રોશ રોમેરોમ વ્યાપી જાય છે ? તો ઈનજસ્ટિસ-અન્યાય કે કરપ્શન-ભ્રષ્ટાચાર સામે જનાક્રોશ કેમ નહીં ? અરે, આપણા આદરણીય વડા પ્રધાન ઊઠીને જ્યારે લાચાર બનીને કહી દે છે કે ક્યા કરેં, (સત્તા ટકાવી રાખવા) કૉમ્પ્રોમાઈઝ કરના પડતા હૈ ! હવે જો પ્રાઈમ મિનિસ્ટર આવું કહેતા હોય તો આમ જનતાનું શું કરવું ? આ માટે આવતી કાલના નાગરિકને મા-બાપ સારા સંસ્કાર આપે એ બહુ જરૂરી છે. પુસ્તકિયું જ્ઞાન ભલે આપો, બાળકને થોડું આધ્યાત્મિક, થોડા સંસ્કાર મળે એ જરૂરી છે. ભ્રષ્ટાચાર ન કરવો એવું એક અણ્ણા હઝારે કહે ત્યાં સુધી આપણે શું કામ રાહ જોવાની ? લાંચ અપાય જ નહીં અને લાંચ લેવાય જ નહીં એવું આપણા મનમાં પહેલેથી કેમ ઠસાવવામાં આવતું નથી ? સરકારી કચેરીમાં કોઈ આપણું કામ કરીને આપણી પર કોઈ ઉપકાર કરતું નથી. એને એ માટે જ નોકરીએ રાખવામાં આવ્યો છે. એને એ માટે જ પગાર આપવામાં આવે છે એટલી સીધી ને સટ વાત આપણે (અને પેલો કર્મચારી) કેમ સમજતા નથી ?</p>
<p>આ શક્ય બને એ માટે આપણી શિક્ષણવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આણવાં પડશે અને મારો નેક્સ્ટ મુદ્દો પણ એ જ છે :<br />
ઍન્જ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર&#8230;. શિક્ષણવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન.<br />
આ વિશે અહીં જરા હું વિગતે વાત કરવા ઈચ્છું છું.</p>
<p><strong>[પઢેગા ઈન્ડિયા.... બઢેગા ઈન્ડિયા]</strong><br />
આમ તો અજીબ લાગે, પણ સત્ય છે. અત્યારે આપણી પાસે જે સારી કૉલેજ-યુનિવર્સિટીઝ છે એ દેશના દસેક ટકા ઍપ્લિકન્ટ્સ-વિદ્યાર્થીને પ્રવેશ આપી શકે છે. બાકીના ઍપ્લિકન્ટ્સ અથવા અરજદાર વિદ્યાર્થીઓનું શું થતું હશે એનો તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? પહેલા મહિનાથી જ તગડો પગાર મળવો જોઈએ, આઈઆઈટી-આઈઆઈએમ અને કૉલેજની કટઑફ, વગેરે આપણાં મન-મગજ પર એ હદે સવાર થઈ ગયાં છે કે પેલા રઝળી પડેલા લાખ્ખો વિદ્યાર્થીઓનું શું થતું હશે એની ચિંતા આપણે કદી કરતા નથી. શું એમને પેલા દસ ટકાની જેમ જીવનનાં સુખ ભોગવવાનો અધિકાર નથી ? મને આ સવાલ સતાવ્યા કરતા હતા એટલે મેં એના ઊંડાણમાં જવાનું નક્કી કર્યું.<br />
ઓકે. જેમને સારી, નામાંકિત ગવર્નમેન્ટ દ્વારા ચલાવવામાં આવતી કૉલેજ-યુનિવર્સિટીઝમાં ઍડ્મિશન નથી મળતું એમાંના મોટા ભાગના વિદ્યાર્થી પ્રાઈવેટ કૉલેજોમાં જાય છે. આ પ્રાઈવેટ કૉલેજો એમને (વિદ્યાર્થીઓને) એમની પસંદગીની ડિગ્રી મેળવવાની તક આપે છે. આમાં કંઈ જ ખોટું નથી. હું તો ત્યાં સુધી કહીશ કે પ્રાઈવેટ સેક્ટર આપણા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાની ભૂમિકા અદા કરે એ વિચારમાત્રને આપણે બિરદાવવો જોઈએ, પણ મુશ્કેલી એક જ છે&#8230;. વરસાદમાં ઠેર ઠેર ફૂટી નીકળતા બિલાડીના ટૉપની જેમ જ્યાં ને ત્યાં શરૂ થઈ ગયેલી ખાનગી કૉલેજોની ગુણવત્તા.</p>
<p>હમણાં હું દિલ્હી અને એની પાદરે આવેલા નોઈડા તથા ‘એનસીઆર’ તરીકે ઓળખાતા નૅશનલ કૅપિટલ રિજિયન વિસ્તારમાં ગયો. એકલા આ વિસ્તારમાં જ સૌથી વધુ ‘એમબીએ’ કૉલેજો ખૂલી ગઈ છે. દેશના બાકીના હિસ્સામાં કેટલી પ્રાઈવેટ ‘એમબીએ’ કૉલેજો ખૂલી હશે એની કલ્પના કરી લો. હવે આટલી મોટી સંખ્યામાં ખાનગી કૉલેજો ખૂલે એટલે એની ગુણવત્તા ઓગણીસ-વીસ હોવાની જ&#8230;. અહીં શું શીખવવામાં આવે છે ? અને વિદ્યાર્થીઓ શું શીખે છે ? એ મારી સૌથી મોટી ચિંતા છે. જો ‘આઈઆઈટી’ જેવી સંસ્થામાંથી બહાર પડતા વિદ્યાર્થીઓ વિશે ઈન્ફોસિસના નારાયણમૂર્તિ ચિંતિત હોય તો પ્રાઈવેટ એમબીએ (કે બીજી બધી) શિક્ષણસંસ્થામાંથી બહાર પડતા વિદ્યાર્થીઓ કેવા હશે એનો વિચાર કરવો રહ્યો.<br />
આવું કેમ ?<br />
આલીશાન પ્રાઈવેટ કૉલેજ શરૂ કરવા પાછળ ઈન્વેસ્ટમેન્ટ કરનારા બિઝનેસમેન સારી ફૅકલ્ટી, સારો સ્ટાફ રાખવા પાછળ કેમ ઈન્વેસ્ટમેન્ટ નહીં કરતા હોય ?<br />
આ રહ્યો જવાબ:<br />
અનેક પ્રાઈવેટ કૉલેજોના માલિકો છડેચોક કહે છે કે એક કૉલેજ શરૂ કરવા જોઈતી જમીનથી લઈને અનેક જાતની પરવાનગી માટે એમણે સરકારી દફતરમાં ડગલે ને પગલે એટલી બધી લાંચ આપવી પડે છે કે કૉલેજ શરૂ કર્યા બાદ સારો સ્ટાફ રાખવા ભાગ્યે જ કંઈ બચે છે ! પ્રાઈવેટ ઍજ્યુકેશન સેક્ટર કરપ્શનથી એવું તો ખદબદે છે કે ગુણવત્તા વિશે તો કોઈ વિચારતું પણ નથી. પ્રાઈવેટ એજ્યુકેશન સેકટરમાં આ હદે ભ્રષ્ટાચાર શું કામ ? – એનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. કારણ છે સરકારની એક વિચિત્ર પૉલિસી, જેનું નામ છે : ‘નો-પ્રૉફિટ્સ એલાઉડ પૉલિસી’ અર્થાત તમે શિક્ષણસંસ્થા શરૂ કરો તો એમાંથી નફો રળી ન શકો ! તમારે એક નૉન-પ્રૉફિટ ટ્રસ્ટ રચીને એ હેઠળ જ ખાનગી શિક્ષણસંસ્થા શરૂ કરવાની ! ખબર નહીં કેમ, પણ સરકારને એવી એક ભ્રમણા છે કે ભારતમાં એવા અનેક લોકો છે, જે લાખ્ખો-કરોડો રૂપિયા રોકીને માત્ર સેવા કરવાના હેતુસર, સીટ વગર રઝળી પડેલા વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુસર કૉલેજ શરૂ કરવા રીતસરના મરી પડે છે. એમને જાણે પોતાના લાખ્ખો-કરોડો રૂપિયાની કોઈ પડી નથી !</p>
<p>અલબત્ત, આવું કંઈ જ બનતું નથી. ટ્રસ્ટમાંથી પૈસા સીધા ઘેર પહોંચી જાય છે. બ્લૅક મની, કૉલેજ બિલ્ડિંગમાં અમુકતમુક કામ કરાવ્યાનાં કૉન્ટ્રાક્ટરનાં ખોટાં ખોટાં પેમેન્ટ, એ માટેનાં ખોટાં ખોટાં બિલ્સ તથા વધુ પડતા ખર્ચા બતાવવા જેવી જાતજાતની નીતિ-રીતિ દ્વારા પૈસા ઘરે પગ કરી જ જાય છે. આનાથી બને છે એવું કે પ્રામાણિક લોકો, ભ્રષ્ટાચારથી દૂર રહેતા લોકો, પ્રાઈવેટ એજ્યુકેશન સેક્ટરમાં ખરેખર કંઈ કરવા માગતા લોકો આગળ આવતા નથી. જ્યારે શિક્ષણક્ષેત્ર સાથે નજીકનો કે દૂરનો, કોઈ જ સંબંધ ન ધરાવનારા કેવળ પૈસા કમાવાના હેતુસર એન્જિનિયરિંગ, ‘એમબીએ’ કૉલેજની દુકાન ખોલીને બેસી ગયા છે અને આપણે આપણાં બચ્ચાં અને એમનાં ભવિષ્ય એમને સોંપી દઈએ છીએ ! આ જે કંઈ બની રહ્યું છે એ સદંતર ખોટું છે અને સરકારની શિક્ષણનીતિ બરાબર નથી એવું કહેવા માટે તમે એક્સપર્ટ હો એ જરૂરી નથી. આમ છતાં જે લોકો એક્સપર્ટ છે, નીતિઘડવૈયા છે એ લોકો આ વિશે કંઈ જ કરતા નથી. શિક્ષણક્ષેત્રે આવો ભ્રષ્ટાચાર ચલાવી લેવાય જ નહીં. ધારો કે એક રસ્તો બાંધવામાં ભ્રષ્ટાચાર થાય તો રસ્તા પર ખાડા દેખાય, પણ શિક્ષણમાં ભ્રષ્ટાચાર થાય એટલે મગજમાં ખાડા દેખાય, જે ખતરનાક છે. એજ્યુકેશનના કમર્શિયલાઈઝેશન- શિક્ષણના ધંધાકીયકરણ સામે મને કોઈ વાંધો નથી, પરંતુ ભૂતપૂર્વ પ્રોફેસર, પ્રિન્સિપાલ કે શિક્ષકો સારી શૈક્ષણિક સંસ્થા શરૂ કરે એ માટે એમને પ્રોત્સાહન તો મળવું જોઈએને ? આ ઉપરાંત, આજે છે એના કરતાં ત્રણ-ચાર ગણી ગુણવત્તાવાળી, સારી, સરકારી કૉલેજો-યુનિવર્સિટીઝ આપણને જોઈશે. હવે સમય માત્ર શિક્ષણનો નહીં, બલકે સારા શિક્ષણનો, ક્વૉલિટી એજ્યુકેશનનો છે. તમને ભૂખ લાગે તો તમે ગમે તેવું ખાવાનું તો ખાતા નથી. બીજું કંઈ નહીં તો ખાવાનું કમ સે કમ સારું હોય એટલી તો અપેક્ષા રાખવી એમાં કશું ખોટું નથી.</p>
<p><strong>[ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઈટ્સ]</strong><br />
લેખકજીવ છું એટલે આ મુદ્દો પણ ચર્ચી લઉં ?<br />
આજે દુનિયા વધુ ને વધુ સાંકડી બનતી ચાલી છે અથવા કહો કે વિશ્વ હવે એક ગામ બની ગયું છે ત્યારે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી (બૌદ્ધિક મૂડી) રાઈટ્સનો આદર કરવો પડશે. ગમે ત્યાંથી ગમે એનું ચોરીને ઈન્ટરનેટ પર કે બીજાં માધ્યમમાં પોતાના નામે ચડાવી દેવાનો નંગો નાચ બંધ થવો જ જોઈએ. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ભવિષ્ય છે. એનું જતન થવું જ જોઈએ. આ માટે કૉપીરાઈટ્સ લૉ, ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઈટ્સ બહુ સ્પષ્ટ બનાવવા પડશે, નહીંતર નવી પેઢીને કંઈ નવું કરવાની પ્રેરણા જ નહીં મળે અને આ વાત માત્ર લેખકને જ લાગુ પડતી નથી. સાયન્ટિસ્ટ્સ, ટેકનોલૉજિસ્ટ્સને બધાને લાગુ પડે છે. જસ્ટ ટેલ મી, વિજ્ઞાન-તકનિકી ક્ષેત્રે નવી નવી શોધ, નવા આવિષ્કાર ફોરેનમાં જ કેમ થાય છે ? આવો સવાલ તમને કદીય થયો છે ખરો ? એક જણ દિમાગનું દહીં કરીને કંઈ નવું શોધે છે અને બીજે જ દિવસે ધડાધડ એની નકલ થવા માંડે છે. આવું થતું રહે તો કંઈક નવું કરવાની ઈચ્છા-ઉત્સાહ ક્યાંથી જાગે ?</p>
<p><strong>[રાઈટ ટુ રિકૉલ.... જનલોકપાલ]</strong><br />
વેલ, રાઈટ ટુ રિકૉલમાં મને ખાસ શ્રદ્ધા નથી. ચૂંટાયેલો ઉમેદવાર ઢબ્બુનો ઢ સાબિત થાય, પોતાના મતવિસ્તારમાં દેખાય જ નહીં, એક પૈસાનું કામ મતવિસ્તારમાં કરે નહીં એને પાછો ઘેર બેસાડી દેવો એ થયું રાઈટ ટુ રિકૉલ, પણ એ માટે મત આપવા જવું પડે. આપણે ત્યાં 30-35-40 ટકા લોકો મત આપવા જતા હોય ત્યાં રાઈટ ટુ રિકૉલની અપેક્ષા રાખવી મને જરાય વ્યવહારિક લાગતી નથી.</p>
<p>આ લેખનો અંત હું પોઝિટિવ થૉટ-સારા વિચાર સાથે કરવા માગું છું. આપણે એટલે કે ઈન્ડિયન્સ બદલાઈ રહ્યા છીએ, દેશમાં પરિવર્તન આવી રહ્યું છે. માત્ર એટલું જ છે કે આ પરિવર્તનની ઝડપ જરા ધીમી છે. એને ફાસ્ટ બનાવવી પડશે. જનલોકપાલ, વગેરે વગેરે આવશે, પણ એની રાહ જોયા વગર આપણે જ સુધરી જઈએ તો ? આવનારાં વર્ષોમાં આપણે ડિજિટલ વર્લ્ડમાં ઓતપ્રોત થઈ જઈશું. ઈન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા છે એના કરતાં બમણી-તમણી થઈ જશે. સ્માર્ટ ફોન, આઈપેડ બધા પાસે હશે અને ખોટું કરનારો તરત પકડાઈ જશે, પણ એની રાહ શું કામ જોવી ? આપણે જ એક સંકલ્પ કરીએ કે ભ્રષ્ટાચારને, ભ્રષ્ટાચારીને હવે ઊંચકીને ફગાવી દો&#8230;.. પિરિયડ એટલે કે પૂર્ણવિરામ.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/05/bharat-2020/feed/</wfw:commentRss>
		<slash:comments>12</slash:comments>
		</item>
		<item>
		<title>ગણિતવિહાર – બંસીધર શુક્લ</title>
		<link>http://www.readgujarati.com/2011/12/12/ganit-vihar/</link>
		<comments>http://www.readgujarati.com/2011/12/12/ganit-vihar/#comments</comments>
		<pubDate>Mon, 12 Dec 2011 01:48:12 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અન્ય લેખ]]></category>
		<category><![CDATA[બંસીધર શુક્લ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1571</guid>
		<description><![CDATA[[ ગણિત એ માત્ર અભ્યાસક્રમનો એક વિષય નથી. એને સાહિત્ય, રમૂજ તેમજ અન્ય તમામ કલાઓ સાથે જોડી શકાય છે. ‘ગણિતવિહાર’ નામનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક એ બાબતને વધારે સ્પષ્ટ કરે છે. આ પુસ્તકમાં પ્રમેય, ભૂમિતિ, બીજગણિત, સંખ્યાપદ્ધતિઓ, ત્રિકોણમિતિ જેવી ગણિતની પાયાની બાબતો તો સરળ રીતે સમજાવી જ છે પરંતુ એ સાથે ગણિતનો શબ્દકોશ, છેતરપિંડીનું [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ ગણિત એ માત્ર અભ્યાસક્રમનો એક વિષય નથી. એને સાહિત્ય, રમૂજ તેમજ અન્ય તમામ કલાઓ સાથે જોડી શકાય છે. ‘ગણિતવિહાર’ નામનું તાજેતરમાં પ્રકાશિત થયેલું આ પુસ્તક એ બાબતને વધારે સ્પષ્ટ કરે છે. આ પુસ્તકમાં પ્રમેય, ભૂમિતિ, બીજગણિત, સંખ્યાપદ્ધતિઓ, ત્રિકોણમિતિ જેવી ગણિતની પાયાની બાબતો તો સરળ રીતે સમજાવી જ છે પરંતુ એ સાથે ગણિતનો શબ્દકોશ, છેતરપિંડીનું ગણિત, ખગોળ ગણિત જેવા અવનવા વિષયોનો સમાવેશ પણ કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><strong><span style="color: #993366;">[1] લગ્નસંબંધનું ગણિત</span></strong></p>
<p><img class="alignright size-full wp-image-1572" title="Picture 017" src="http://www.readgujarati.com/wp-content/uploads/2011/12/Picture-017.jpg" alt="" width="235" height="369" />આપણા સમાજમાં લગ્ન એક સંસ્કાર છે. પ્રાચીનકાળથી લગ્નપ્રથા અને તેના શાસ્ત્રીય નિયમોનું પાલન થતું આવ્યું છે. શ્વેતકેતુ નામના ઋષિએ લગ્નસંસ્કારની પ્રતિષ્ઠા કરી. ઘણા ઋષિઓએ તેના વિષયમાં નીતિનિયમો આપ્યા. એવો એક નિયમ છે : સપિંડો વચ્ચે વિવાહસંબંધ થઈ શકે નહીં. સપિંડ એટલે સમાન પિંડ, સમાન દેહ. જે બે જણના દેહમાં પારિવારિક સંબંધની રીતે બીજાં પરિવારજનનો અંશ ઊતરતો હોય તો તે બે જણ સપિંડ ગણાય. તેઓ લગ્ન કરી શકે નહીં. અહીં બે પ્રશ્નો ઉદ્દભવે છે. એક, સપિંડ વચ્ચે નિષેધ શા માટે ? બે, સાત પેઢી પછી સપિંડતા રહેતી નથી, તેથી સાત પેઢી પછીનાં માટે નિષેધ નથી. અહીં સાત જ કેમ ? પાંચ કે દસ કેમ નહીં ?</p>
<p>પહેલા પ્રશ્નનો ઉત્તર સરળ છે. સ્ત્રી પુરુષ સાથે સમાગમથી એટલે કે પુરુષનો શુક્રકોશ પોતાના શરીરમાં પ્રવેશે તે પછી જ સગર્ભા બને છે. આમ, માતાપિતા સપિંડ બને છે. ગર્ભનું શિશુ માતાના શરીરમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. શિશુમાં માતાના પિંડનો અંશ આવવાથી શિશુ પિતા ઉપરાંત માતા સાથે પણ સપિંડતાથી જોડાય છે. પ્રાચીનકાળથી વિજ્ઞાનીઓ-ઋષિઓ એ જાણતા આવ્યા છે કે નિકટના સગાંમાં લગ્નથી માઠાં લક્ષણો, આનુવંશિક રોગો, વિકૃતિઓ તથા અપ્રતિકારિતા સંતાનોમાં ઊતરે છે. આથી તેમણે નિકટના- સપિંડ વચ્ચે વિવાહ વર્જિત ઠરાવ્યો.</p>
<p>બીજા પ્રશ્નમાં સરળ ગણિત લાગુ પડે છે. તેને એક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ. એક મોટો ચોરસ કે લંબચોરસ કાગળ લો. શક્ય એટલો મોટો અને લંબચોરસ હોય તો સારું. છાપાનો કાગળ ચાલે. તેની લાંબી બાજુને બરાબર વચ્ચેથી વાળીને ગડી કરો. ગડીના સળને વચ્ચેથી કાટખૂણે વાળીને બીજી ગડી બનાવો. કાગળ ચોથા ભાગનો થઈ જશે. આ પ્રમાણે બંને બાજુ વચ્ચેથી વાળીને ગડી કરતા જાઓ. કેટલી વાર વાળો છો, તેની નોંધ રાખો. કાગળ ગમે તેટલો મોટો લીધો હોય, તમે આઠેક વારથી વધારે વાર તેને નહીં વાળી શકો. કારણ કે વાળવાની પ્રક્રિયા અડધાનું અડધું&#8230;એ ઝડપે ભૌમિતિક શ્રેણીમાં તીવ્રતાથી ગતિ કરે છે. આઠમા વળે તે એટલો જાડો અને નાનો થઈ જાય છે કે તેને પકડીને આગળ વાળવાનું અશક્ય બને છે. હવે આ જ પદ્ધતિએ સંતાનોમાં માતાપિતાનો વારસો કેવી રીતે ઊતરે છે અને કેવી રીતે ક્ષીણ થતો લગભગ નહીંવત બની જાય છે, તે જોઈએ. આપણે જાણીએ છીએ કે દરેક સંતાન માતાપિતાનો અડધો-અડધો વારસો લઈને જન્મે છે. આ વારસો જેમ એક-એક ચરણ આગળ ઊતરે તેમ તે ફરી અડધો-અડધો થતો જાય છે. આ રીતે&#8230;.<br />
<span id="more-1571"></span></p>
<p>100-0 ચરણ (વર્તમાન પેઢી)<br />
50-પહેલું ચરણ (તે પછીની પહેલી પેઢી)<br />
25-બીજું ચરણ (બીજી પેઢી)<br />
12.5-ત્રીજું ચરણ (ત્રીજી પેઢી)<br />
6.25-ચોથું ચરણ (ચોથી પેઢી)<br />
3.125-પાંચમું ચરણ (પાંચમી પેઢી)<br />
1.56-છઠ્ઠું ચરણ (છઠ્ઠી પેઢી)<br />
0.78-સાતમું ચરણ (સાતમી પેઢી)</p>
<p>આમ, 7મી પેઢીથી પહેલી પેઢીનો વારસો ઘટતો જઈ એક ટકાની અંદર-આશરે 0.78 ટકા થાય છે. આટલો પ્રભાવ એટલે નહિવત- શૂન્યવત પ્રભાવ. એટલે 7 પેઢીએ સપિંડતા સમાપ્ત થયા પછી જો બે વ્યક્તિ લગ્ન કરે, તો તેમને આનુવંશિક વિકૃતિ, રોગ, અપ્રતિકારિતા આદિનો ભય નડે નહીં.<br />
.</p>
<p><strong><span style="color: #993366;">[2] લૂંટફાટનું ગણિત</span></strong></p>
<p>સામાન્ય સમજ એવી છે કે ગણિતનો મુખ્ય ઉપયોગ વૈજ્ઞાનિક કામોમાં થાય છે. ગણિતનો ઉપયોગ લૂંટફાટના ક્ષેત્રે પણ થાય છે. અહીં ટેલિફોનવાળા તમને કેવી રીતે લૂંટી શકે તેનું દષ્ટાંત જોઈએ. (1) માસિક ભાડું વધારવું. (2) કોલની સંખ્યા ઘટાડવી (3) બિલની અવધિ ઘટાડવી (4) કોલમાં પલ્સની મર્યાદા લાદવી. (5) ક્ષેત્રવિસ્તારના નામે પ્રમાણસર ભાડું કરવું. (6) ક્ષેત્રવિસ્તાર ઘટાડવો. (7) સેવાકર લાદવો. આવાં પગલાં તમારું ટેલિફોન બિલ ઝડપથી વધારી દે છે. નીચેનાં ચરણો જુઓ :</p>
<p>(1) 100 કોલનું ભાડું રૂ. 100 લધુત્તમ<br />
(2) 100 કોલનું ભાડું રૂ. 150<br />
(3) 50 કોલનું ભાડું રૂ. 150<br />
(4) 50 કોલ (પલ્સસુધાર)નું ભાડું રૂ. 150<br />
(5) 50 કોલ (ઘટાડેલી પલ્સ)ના નું ભાડું રૂ. 200<br />
(6) 25 કોલ (પલ્સ એ જ)નાનું ભાડું રૂ. 200<br />
(7) ટેલિફોન ક્ષેત્રવિસ્તારથી પ્રમાણસર વધારો ભાડું રૂ. 300<br />
(8) ભાડું રૂ. 300 યથાવત પણ ક્ષેત્રમાં કાપ<br />
(9) ભાડું રૂ. 300 ત્રણ મહિનાનું ઘટાડીને બે મહિનાનું<br />
(10) ભાડું એ જ, કોલ એ જ, અવધિ એ જ, પણ કોલ બેના બદલે એક મહિના દીઠ ગણવાથી કોલમુક્તિની સીમામાં ઘટાડો.</p>
<p>હવે આ દરેક ચરણે દર કેવી રીતે વધે છે, તે જોઈએ. પ્રથમ ચરણે આરંભે એક કોલનો દર 1 રૂપિયો છે. બીજા ચરણે તે રૂ. દોઢ થાય છે. ત્રીજા ચરણે કોલદર રૂ. 3 થાય છે. ચોથા ચરણે (ધારોકે સરાસરી કોલ મિનિટનો છે, તેમાં પલ્સથી 3 મિનિટ કરવામાં આવે છે.) દર વધીને રૂ. 6 થાય છે. પાંચમા ચરણે ફરી પલ્સઘટાડાથી કોલની એ જ સંખ્યા વધારે ગણવાથી કોલનો દર રૂ. 9 થાય છે. છઠ્ઠા ચરણે કોલ અડધા થઈ જવાથી ભાડું રૂ. 18 થઈ જાય છે. સાતમા ચરણે 500ના ક્ષેત્રનો વિસ્તાર બમણો કરવાથી ભાડું પણ બમણું રૂ. 36 થાય છે. આઠમા ચરણે ભાડું ઘટાડ્યા સિવાય તમારા મુક્ત ક્ષેત્રમાં કાપ મૂકવાથી ધારો કે ભાડું 33 ટકા વધે છે. રૂ. 48 થાય છે. નવમા ચરણે બધું સમાન રાખીને ભાડાની અવધિ ત્રણ મહિનાને બદલે બે મહિનાની કરવાથી 50 ટકા વધે છે. રૂ. 72 થાય છે. બીજું બધું બરાબર રાખી મુક્ત કોલની અવધિમાં ભાગ પાડવાથી ભાડું વધે છે. ઉદાહરણ : તમને બે મહિનામાં 50 મુક્ત કોલની છૂટ છે. તમે એક મહિનામાં 0 કોલ અને બીજામાં 50 કોલ કરો, ત્યાં સુધી વધારાની ચુકવણી લાગુ પડતી નથી. પણ, બે મહિનાના 50ના બદલે એક મહિનાના 25 કરવામાં આવે ત્યારે, જો તમે એક મહિનામાં પાંચ કોલ કરો અને બીજામાં 30 કરો, તો તમે આગલા મહિને જતા કરેલા 20 કોલ મજરે મળતા નથી. તમારે 5 વધારાના કોલના રૂપિયા વધારા રૂપે ચૂકવવા પડે છે. બીજાં ક્ષેત્રોમાં પણ પશ્ચિમની નફાખોરીની નીતિને અનુરૂપ લૂંટફાટના ગણિતનો ભરપૂર ઉપયોગ થાય છે. રૂ. 100ના બદલે 99.95 ભાવ, 1 પર 5 ભેટ, વિના વ્યાજના હપ્તા આદિ તેનાં દષ્ટાંતો છે.<br />
.</p>
<p><strong><span style="color: #993366;">[3] છેતરપિંડી : એકના બે ગણા</span></strong></p>
<p>માર્ગે જતા બે વટેમાર્ગુ વચ્ચે વાતવાતમાં નિકટતા વધી. અચાનક એકે કહ્યું : ‘અહીં વનમાં એક સ્થળે જૂના ખંડેરમાં એક જાદુઈ ગોખ છે. તેમાં તમે જે પૈસા મૂકો, તે, સો ગણતામાં બમણા થઈ જાય છે.’ બીજો લલચાયો. તેને તેના પૈસા બમણા કરવા ઈચ્છા કહી. પહેલાએ કહ્યું : ‘થઈ શકે. પણ, એમાં થોડી દક્ષિણા આપવી પડે.’<br />
‘કોને ? કેટલી ?’<br />
‘મને&#8230;. અને વધારે નહીં, કેવળ 120 રૂપિયા.’</p>
<p>પહેલા પાસે કેટલાક રૂપિયા હતા. તેણે વિચાર્યું બમણામાંથી હું ખુશીથી ચૂકવી શકીશ. ખોટનો ધંધો નથી. એ સંમત થયો. બેઉ જણા જાદુઈ ગોખ પાસે પહોંચ્યા. પહેલાએ તેના બધા રૂપિયા ગોખમાં મૂક્યા. આંખો બંધ કરી અને સો ગણ્યા, ત્યાં તો ચમત્કાર ! તેની રકમ બમણી થઈ ગઈ ! ઉત્સાહમાં એણે ફરી પૈસા મૂક્યા. ફરી બમણા થયા. દરેક વેળા તેણે પેલાને દક્ષિણા 120 આપવી પડતી, બસ. પણ, આ શું ? ત્રીજી વાર બમણા કરીને પૈસાની દક્ષિણા ચૂકવતાં પહેલા પાસે કંઈ ના વધ્યું ! આમ કેમ ? તેણે હિસાબ કરી જોયો. હિસાબમાં ક્યાંય ભૂલ નહોતી. પેલા ધૂતારાએ એકના બમણા કરી આપવા છતાં પોતાને ચાલાકીથી લૂંટી લીધો હતો, તે વાત સમજાતાં તેને ભારે પસ્તાવો થયો. સાદા ગણિતની સહાયથી જ ગામડિયા જેવા લાગતા માણસે સાથીને લૂંટી લીધો હતો. ગણિતની કઈ યુક્તિ અહીં કામ કરે છે ?</p>
<p>જુઓ, ગઠિયાઓ વાતવાતમાં જાણી લે છે કે તમે વધારેમાં વધારે કેટલા પૈસા લગાવી શકો તેમ છો. તેની દક્ષિણા એના કરતાં થોડી વધારે રાખે છે. હવે, તમે ઝટ પૈસાદાર થઈ જવાની ઉતાવળમાં લગભગ પૂરા પૈસા લગાવી દો છો. ધારો કે, તમારી પાસે 105 રૂપિયા છે. તમે મનમાં ગણિત માંડો છો : 105 x 2 = 210-120 દક્ષિણા = 90 વધ્યા. તે ફરી લગાડતાં જઈ બમણા કરીને પુષ્કળ કમાઈ લઈશું. ખરેખર શું થાય છે ? જુઓ&#8230;</p>
<p>પ્રથમ ચરણ : 105 x 2 = 210 – 120 = 90 વધ્યા !<br />
બીજું ચરણ : 90 x 2 = 180 – 120 = 60 વધ્યા !<br />
ત્રીજું ચરણ : 60 x 2 = 120-120 = 0 વધ્યા !</p>
<p>ત્રીજા ચરણે તો તમારા બધા પૈસા ગઠિયાના ખીસામાં જતા રહે છે. આમ કેમ થયું ? ગઠિયાએ તમારી પાસે રૂ. 105 છે તે જાણી લીધું. પછી, તેણે દક્ષિણા થોડી ઊંચી રાખવી પૂરતું હતું. રૂ. 120 અહીં આ પ્રસંગે. કારણ કે તમારાં નાણાં એ બે ગણા કરીને આપે તોય દરેક વખતે તે તેમાંથી અડધા કરતાં વધારે લઈ લેતો હોવાથી તમારી જમા ઘટતી જઈ થોડાં ચરણમાં 0 થઈ જાય છે. હવે પછી જો તમને આવો કોઈ ભેટી જાય તો બે વાતનું ધ્યાન રાખો. એક, તમારી પાસે કેટલાં નાણાં છે, તે તેને જણાવશો નહીં. બે, તેની દક્ષિણા તમારી સિલક કરતાં સદા ઓછી હોય તે જોજો. તે કદી તમને છેતરી શકશે નહીં. હિસાબ માંડી જુઓ. અને, સાવધાન. બીજા કોઈ ઉપર આવી પ્રયુક્તિ અજમાવવાનું સાહસ કરતા નહીં.</p>
<p>[‘કુલ પાન : 244. કિંમત રૂ. 175. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/12/12/ganit-vihar/feed/</wfw:commentRss>
		<slash:comments>7</slash:comments>
		</item>
		<item>
		<title>લોહીનો પ્રવાહ – ડૉ. મુકુંદ મહેતા</title>
		<link>http://www.readgujarati.com/2011/12/01/lohi-pravah/</link>
		<comments>http://www.readgujarati.com/2011/12/01/lohi-pravah/#comments</comments>
		<pubDate>Thu, 01 Dec 2011 02:37:43 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અન્ય લેખ]]></category>
		<category><![CDATA[ડૉ. મુકુંદ મહેતા]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1517</guid>
		<description><![CDATA[[‘જનકલ્યાણ’ સામાયિક (નવેમ્બર-ડિસેમ્બર : 2011) અંતર્ગત ‘ફાઈન્ડ યોર ફિટનેસ’ નામના લેખમાંથી સાભાર.] આપણા શરીરમાં દોઢ લાખ કિલોમીટર જેટલી લંબાઈની લોહીની નળીઓ છે. 600 અબજ જેટલા કોષો છે. આંખના પલકારા જેટલા સમયમાં 12 લાખ જેટલા લોહીના લાલ કણ નાશ પામે છે અને એટલા જ નવા પેદા થાય છે. આખી દુનિયામાં જેની વિમાન સેવા ચાલતી હોય તેવી [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘જનકલ્યાણ’ સામાયિક (નવેમ્બર-ડિસેમ્બર : 2011) અંતર્ગત ‘ફાઈન્ડ યોર ફિટનેસ’ નામના લેખમાંથી સાભાર.]</p>
<p>આપણા શરીરમાં દોઢ લાખ કિલોમીટર જેટલી લંબાઈની લોહીની નળીઓ છે. 600 અબજ જેટલા કોષો છે. આંખના પલકારા જેટલા સમયમાં 12 લાખ જેટલા લોહીના લાલ કણ નાશ પામે છે અને એટલા જ નવા પેદા થાય છે. આખી દુનિયામાં જેની વિમાન સેવા ચાલતી હોય તેવી વિમાની સર્વિસ (એરલાઈન)થી પણ જેના રૂટ (માર્ગ)ની લંબાઈ વધારે છે એટલે કે તમારા શરીરમાં દોઢ લાખ કિલોમીટર જેટલી લંબાઈ છે તેવી લોહીની નળીઓ (આર્ટરી-વેઈન) માં પરિભ્રમણ કરતા લોહીના પ્રવાહ (બ્લડસ્ટ્રીમ)ની વિગતો વાંચશો તો મને ખાતરી છે કે તમે પરમેશ્વરે માનવી પર કરેલી મહેરબાની વિશે ફક્ત નવાઈ નહીં લગાડો, પણ તેનો નતમસ્તકે આભાર માનશો.</p>
<p>આપણા શરીરમાં 600 અબજ જેટલા કોષ છે. એટલે કે દુનિયાના માનવીની સંખ્યા કરતાં 100 ગણા કોષને આ લોહીના પ્રવાહ મારફતે સતત (માનવીની) જિંદગીના અંત સુધી (આશરે 70થી 80 વર્ષ સુધી) શક્તિદાયક પદાર્થો મળ્યા કરે છે. આ જ રીતે આ જ લોહીના પ્રવાહ મારફતે દરેક કોષમાં અને બહાર રહેલો કચરો અને શરીરને ના જોઈતા પદાર્થો કિડની અને આંતરડા સુધી પહોંચાડી પેશાબ અને મળ વાટે બહાર ફેંકી દેવાનું કામ પણ કરે છે.</p>
<p>લોહીના લાલ કણનું આયુષ્ય 120 દિવસનું હોય છે. તમે આંખનો પલકારો મારો તે દરમિયાનમાં 12 લાખ જેટલા લાલ કણ નાશ પામે છે અને તેની જગ્યાએ તેટલા જ સંખ્યામાં નવા લાલ કણ તમારા શરીરના (પાંસળી, કરોડનાં હાડકાં એટલે કે વર્ટીબ્રા અને ખોપરીના) હાડકામાંથી ઉત્પન્ન થઈ તેની જગા લે છે. તમને નવાઈ લાગશે કે માનવીની જિંદગી દરમિયાન હાડકામાં અર્ધોટન જેટલા લાલ કણો ઉત્પન્ન થાય છે. દરેક લાલ કણ પોતાની ચાર મહિનાની નાની જિંદગીમાં હૃદયથી શરીરના જુદા જુદા કોષો સુધી 75000 વખત રાઉન્ડ ટ્રીપ મારે છે. માનવીના હૃદયના પ્રત્યેક ધબકારે લોહીનો પ્રવાહ ખૂલી ગયેલી આર્ટરીમાં દાખલ થાય અને બે ધબકારાના વચ્ચેના સમયે જ્યારે આર્ટરી દબાય ત્યારે આ લોહીનો પ્રવાહ આગળ જાય. આમ જ્યારે માનવીના હાથ ને પગમાં લોહી પહોંચે અને પછી વપરાયેલું લોહી વેઈન્સ મારફતે પાછું આવે ત્યારે આ ધબકારાનું દબાણ ઝીરો (શૂન્ય) થઈ ગયું હોય. આ વખતે લોહીની નળીઓ જેમાંથી પસાર થાય તે સ્નાયુ જ્યારે જ્યારે પ્રવૃત્તિશીલ થાય ત્યારે પાછું હૃદય સુધી પહોંચે. ફરી એક વાર સમજો. (1) લોહીના પ્રવાહને હૃદયનો ધક્કો વાગે. (2) ધક્કાથી આર્ટરી પહોળી થાય એટલે લોહીનો પ્રવાહ આગળ વધે. (3) એમ કરતાં હાથ ને પગના છેડા સુધી લોહી પહોંચે. (4) બધા કોષને લોહી પહોંચ્યા પછી કચરાવાળું (અશુદ્ધ) લોહી વેઈન મારફતે ઉપર ચઢવા માંડે. (5) વેઈનમાં (દા.ત. પગની વેઈનમાં) થોડે થોડે અંતરે વાલ્વ હોય, જેની રચના કૂવામાંથી પાણી ઉપર ચઢાવવાના રેંટ જેવી હોય. (6) દરેક ધીમા ધક્કે લોહી ઉપર ચઢે. (7) વચ્ચે રહેલા વાલ્વ આ લોહીને નીચે જતું અટકાવે. (8) પગના સ્નાયુમાંથી પસાર થતી નળીઓ જો તમે ફક્ત ચાલવાની કસરત કરતા હો ત્યારે વધારે દબાય અને લોહી ઝડપથી ચોખ્ખું થવા પાછું ફરે. માટે જ ચાલવાની કસરત તમારા શરીરના લોહીના પ્રવાહના પરિભ્રમણ માટે શ્રેષ્ઠ કસરત કહી છે. મોટી ઉંમરે જ્યારે વેઈનના વાલ્વ નબળા પડી જાય ત્યારે વેઈન ગંઠાઈ જાય અને આ પરિસ્થિતિને ‘વેરીકોઝ વેઈન’ કહેવાય.<br />
<span id="more-1517"></span></p>
<p>લોહીના પ્રવાહની એક બીજી વિશેષતા છે કે તમારી ઓળખ માટે તેના ગ્રૂપના વર્ગીકરણ જાણી શકો છો. બેઝિક ગ્રૂપ ‘એ’, ‘બી’, ‘એબી’ અને ‘ઓ’ છે પણ તે સિવાય જેમ દરેક વ્યક્તિની આંગળીઓની છાપ અલગ હોય છે, તેમ મા અને બાપના વિશેષ ગ્રૂપ એમ.એન. અને આર.એચ. વગેરે ગ્રૂપની ખાસ તપાસ કરીને બાળકની પેટરનીટી નક્કી કરી શકાય છે. આખી દુનિયાના લોકોની તપાસ કરીએ તો કોઈ પણ બે વ્યક્તિના ગ્રૂપ એકસરખા ના આવે તેવું ફક્ત આ લોહીના પ્રવાહથી જ નક્કી થઈ શકે છે. તમને નવાઈ લાગે છે ને ? હજુ આગળ સમજો, શરીરના દરેક અંગોને ઓક્સિજન અને ખોરાક પહોંચાડવાનું અદ્દભુત કામ કોઈ પણ શહેરની મ્યુનિસિપાલિટીની વોટર સપ્લાય સિસ્ટમની માફક આ લોહીનો પ્રવાહ અને તેમાં રહેલા લાલ કણો કરે છે. જેમ કે હૃદયનો ધક્કો વાગ્યો એટલે પહેલાં મોટી અને પછી ધીરે ધીરે નાની થતી જતી લોહી લઈ જનારી નળીઓ મારફતે જુદા જુદા કોષને પોષણ આપે છે. એકદમ ઝીણી નળીઓને કેપીલરી કહે છે અને કેપીલરીમાં લાલ કણ એક પછી એક લાઈનમાં રહીને જેમ ટ્રકની લાઈન હોય અને આગળની ટ્રકમાંથી માલ ઠલવાઈ જાય પછી બીજાનો નંબર આવે તે રીતે આ લાલકણો ખાલી થતા જાય અને આ ખાલી થયેલા રક્તકણ નકામો કચરો શરીર બહાર કાઢવા માટે ભરીને આગળ વધે. માલ ખાલી કર્યો તે ઓક્સિજન અને માલ ભર્યો તેને કાર્બન ડાયોકસાઈડ (કચરો) કહેવાય.</p>
<p>આપણી માન્યતા એમ છે કે આપણે મોંથી ખાવાનું ખાધું, તે હોજરીમાં ગયું અને ત્યાંથી આંતરડામાં એબસોર્બ થઈને શરીરમાં બધે વહેંચણી થઈ, આટલું સહેલું નથી. આ બધું જ કામ લોહીની ઝીણી નળીઓ (કેપીલરીઝ) કરે છે. આનો અર્થ એ કે જેટલી તમારી લોહીની આ ઝીણી નળીઓ તંદુરસ્ત એટલા તમે તંદુરસ્ત ગણાઓ. તમને ખબર છે કે જ્યારે તમે તમારી આંખ તપાસવા આંખના ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે તે ઓપ્થેલ્મોસ્કોપ નામના મશીનથી તમારી આંખની કેપીલરીઝ જુએ છે. આ એક જ જગા (આંખ) છે જ્યાં કેપીલરીઝ ચોખ્ખી દેખાય છે. કેપીલરીઝ ક્લોટ થયેલી હોય કે ફૂલી ગઈ હોય તો તેનો અર્થ કે તમે મોટી તકલીફમાં પડવાના છો. આ લોહીની નળીઓમાં ફરતા લોહીના પ્રવાહનો બીજો એક ચમત્કાર પણ જાણી લો. કોઈ કારણસર શરીરની ચામડીમાં કોઈ ઠેકાણે ઘા થયો તો તરત પ્લેટલેટ્સ ત્યાં પહોંચે અને એકબીજાને ચોંટી જઈ ઘામાંથી લોહી નીકળતું હોય તેને બંધ કરી દે.</p>
<p>તમારા શરીરના લોહીના પ્રવાહમાં બહારથી દાખલ થયેલાં ઝેરી તત્વો જો શરીરમાં જ રહે તો શરીરનો નાશ કરે. આને માટે તંદુરસ્ત લોહીમાં એન્ટીબોડીઝ હોય છે. ઉપર બતાવેલા કરોડોની સંખ્યામાં તમારા શરીરમાં દાખલ થયેલા ઝેરી પદાર્થો આ એન્ટીબોડીઝ વડે નાશ પામે છે. એમ માનોને કે તમારા લોહીના પ્રવાહમાં અનેક પ્રકારના એન્ટીબોડીઝ રૂપે રહેલા લશ્કરના કરોડો સિપાહીઓ અને તમારા શરીરમાં દાખલ થયેલા કરોડો દુશ્મનોની સાથે તમારા આખા જીવન દરમિયાન આ લોહીના પ્રવાહમાં સતત યુદ્ધ ચાલ્યા જ કરે છે. જેટલી તમારી જીવનશૈલી તંદુરસ્ત હોય તે પ્રમાણમાં તમારા એન્ટીબોડીઝ દુશ્મનોનો સફાયો કરી તમને તંદુરસ્ત રાખે. આ એન્ટીબોડીઝની ખાસિયત જુઓ. માનો કે તમારા શરીરમાં કોઈ દુશ્મન દાખલ થયા કે તરત જ તમારા લોહીમાં એનો સામનો કરવા એન્ટીબોડી ઉત્પન્ન થાય અને તેનો નાશ કરે. એક વિશેષ વાત આ એન્ટીબોડીઝની પણ જાણવા જેવી છે. ભૂતકાળમાં કોઈ પણ વખતે તમારા શરીરમાં દાખલ થયેલા દુશ્મનો-એક હોય કે અનેકની સામે લડવા એક વખત એન્ટીબોડીઝ બન્યા પછી એ જ પ્રકારના દુશ્મન (વાયરસ-બેકેટેરિયા વ.) તમારી આખી જિંદગી દરમિયાન તમારા શરીરમાં ફરી દાખલ થાય ત્યારે તેને માટે નવા એન્ટીબોડીઝ ના બને. પણ જૂની ઓળખાણ તાજી રાખી પહેલાંના ચોક્કસ દુશ્મનને ઓળખી શાંતિથી રાહ જોઈ બેઠેલા તેનો પ્રતિકાર કરનારા ચોક્ક્સ એન્ડીબોડી તેનો નાશ કરે. તમને નથી લાગતું કે પરમેશ્વરે આ કેવી કમાલની ગોઠવણ કરી છે ! ઉપર બતાવેલ વાયરસ અને એન્ટીબોડીઝની લડાઈ પૂરી થયા પછી જે ખરાબ કચરો ભેગો થયો હોય તેને પણ તમારા લોહીમાં રહેલા સફેદ કણો સાફ કરી નાખે. આ બધી જ ક્રિયા તમારા શરીરના લોહીના પ્રવાહમાં સતત ચાલ્યા જ કરે.</p>
<p>ઉપરની વાત તો બેક્ટેરિયા વાયરસની કરી. તમારા લોહીના પ્રવાહના ચમત્કારની બીજી વાત સાંભળો. લોહીનો પ્રવાહ જે નળીઓમાં સતત વહે છે તેમાં રહેલું કેલ્શિયમ આ નળીઓમાં કોઈક કોઈક ઠેકાણે ચોંટી જાય ત્યારે જેમ જેમ ઉંમર થાય તેમ આ નળીઓ સખત થાય અને લોહીનો પ્રવાહ ધીમો પડી જાય. આવે વખતે તમારા ખોરાકમાં લીધેલો કોલેસ્ટ્રોલ નામનો ચીકણો પદાર્થ લોહીના પ્લેટલેટ્સ સાથે ચોંટી જાય અને તે લોહીની નળીઓમાં ચોંટી જઈ ક્લોટ બનાવે, જેથી લોહીને આગળ વધવામાં જોર પડે અથવા તો આ ક્લોટ હૃદયની નળીને બ્લોક (બંધ) કરી દે. આ બંને પરિસ્થિતિમાં પહેલામાં બી.પી. (લોહીના દબાણ)નો રોગ થાય અને બીજામાં હાર્ટએટેક આવે. યાદ રાખો આ પરિસ્થિતિ તમે ચરબીવાળા અને કોલેસ્ટ્રોલ હોય તેવા પદાર્થો વધારે ખાવાથી ઊભી થઈ. આ જ રીતે તમારા ખોરાકમાં તમે ગળપણવાળા પદાર્થો વધારે ખાઓ અને કશી પ્રવૃત્તિ ના કરી હોય ત્યારે તમને મોટી ઉંમરે થનારો ડાયાબિટીસ પણ થાય. ખોરાકમાં પૌષ્ટિક તત્વો એટલે કે પૂરતું પ્રોટીન (50થી 60 ગ્રામ) અને કાચા શાકભાજી અને ફળોની મારફત પૂરતા વિટામિન કે મિનરલ્સ ના લો તો સ્વાભાવિક છે કે રક્તક્ષીણતા (એનિમિયા)નો રોગ થાય. તમારા ખોરાકમાં તમે મીઠું વધારે લો તો તમારા લોહીના પ્રવાહનું વહન કરનાર નળીઓ ખરાબ થઈ જાય અને આને લીધે તમને બી.પી.નો રોગ થાય. લોહીનો પ્રવાહ તમને એનિમિયા, ચેપ, ડાયાબિટીસ, હાર્ટએટેકની શક્યતા, કીડની ખરાબી, કમળો, એઈડ્ઝ વગેરેની માહિતી આપે છે.</p>
<p>જોયું ને ? પરમેશ્વરે કેવા વિચારપૂર્વક માનવ શરીરનાં જુદાં જુદાં અંગો બનાવ્યાં છે ? આ લોહીના પ્રવાહને અવિરત વહેતો રાખવા અને તંદુરસ્ત રાખવા જૂના અને જાણીતા આરોગ્યના પાયાના સિદ્ધાંતો (1) કસરત (2) ખોરાકનું ધ્યાન (3) મનની શાંતિ અને (4) નિયમિત શરીરની મેડિકલ ચેકઅપને તમારા મનમાંથી વિસારશો નહીં.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/12/01/lohi-pravah/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
	</channel>
</rss>

