<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ReadGujarati.com &#187; સાહિત્ય લેખ</title>
	<atom:link href="http://www.readgujarati.com/category/sahitya-articles/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.readgujarati.com</link>
	<description>Read Gujarati Literature Online</description>
	<lastBuildDate>Thu, 09 Feb 2012 02:02:11 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.1</generator>
		<item>
		<title>બા સતત મારી સાથે છે – ગાંધીજી</title>
		<link>http://www.readgujarati.com/2012/02/09/baa-maarisaathe/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/09/baa-maarisaathe/#comments</comments>
		<pubDate>Thu, 09 Feb 2012 02:00:21 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[સાહિત્ય લેખ]]></category>
		<category><![CDATA[ગાંધીજી]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1910</guid>
		<description><![CDATA[[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.] [22 ફેબ્રુઆરી, 1944ના રોજ યરવડા જેલમાં બા બાપુના ખોળામાં ચિરનિદ્રામાં પોઢી ગયાં. બાના મૃત્યુ પછી બાપુએ કાઢેલા ઉદ્દગારો કે લખેલા પત્રોમાંથી....] [1] મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું. [2] બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘શાશ્વત ગાંધી’ સામાયિકમાંથી સાભાર.]</p>
<p>[22 ફેબ્રુઆરી, 1944ના રોજ યરવડા જેલમાં બા બાપુના ખોળામાં ચિરનિદ્રામાં પોઢી ગયાં. બાના મૃત્યુ પછી બાપુએ કાઢેલા ઉદ્દગારો કે લખેલા પત્રોમાંથી....]</p>
<p><strong>[1]</strong> મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય તો હું બાને જ પસંદ કરું.</p>
<p><strong>[2]</strong> બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ બામાં જ આ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. હું નહોતો જાણતો કે આ ગુણ બામાં છુપાયેલો છે. મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોય તે પોતાનું ધાર્યું કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશેય રહેતી. પણ મારું જાહેરજીવન જેમ ઉજ્જવળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારે મારામાં અને મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે, મારામાં અને મારા કામમાં – સેવામાં ભેદ ન રહ્યો. તેમ તેમ બા તેમાં તદાકાર થવા લાગી. આ ગુણ હિન્દુસ્તાનની ભૂમિને કદાચ વધુમાં વધુ ભાવે છે.</p>
<p>બામાં આ ગુણ પરાકાષ્ઠાએ પહોંચ્યો તેનું કારણ અમારું બ્રહ્મચર્ય હતું. મારા કરતાં બાને સારુ એ ઘણું વધારે સ્વાભાવિક નીવડ્યું. આરંભમાં બાને એની ગતાગમ પણ ન હતી. મેં વિચાર્યું અને બાએ એ ઊંચકી લીધું ને પોતાનું કરી મૂક્યું. પરિણામે અમારો સંબંધ સાચા મિત્રનો થયો. મારી સાથે રહેવામાં બાને સન 1906થી, ખરું જોતાં સન 1901થી, મારા કામમાં જોડાઈ જવા ઉપરાંત કે તેની બહાર કંઈ જ ન રહ્યું. તે નોખી રહી શકતી હતી, નોખા રહેવામાં એને કશી હરકત ન આવત, પણ તેણે મિત્ર થવા છતાં સ્ત્રી તરીકે અને પત્ની તરીકે પોતાનો ધર્મ મારા કર્મમાં સમાઈ જવામાં જ માન્યો. તેમાં મારી અંગત સેવાને બાએ અનિવાર્ય સ્થાન આપ્યું. એટલે મરતાં લગી મારી સગવડની દેખરેખનું કામ તેમણે છોડ્યું જ નહીં.<br />
<span id="more-1910"></span></p>
<p><strong>[3]</strong> બા સતત મારી સાથે છે, જોકે તેનો દેહ અગ્નિમાં હોમાઈ ગયો છે. આ સત્ય હું બુદ્ધિ અને હૃદય દ્વારા સમજું છું તેમ છતાં દુનિયાભરની સહાનુભૂતિને મેં મહામૂલી ગણી છે. એને લીધે મને પહેલાં કદી નહોતો થયો એવો ઈશ્વરની ભલાઈનો અનુભવ થયો છે.</p>
<p><strong>[4]</strong> બાના મૃત્યુ પછી હિન્દુસ્તાનના વાઈસરૉય લોર્ડ વેવેલને 9 માર્ચ, 1944ના રોજ પત્ર લખ્યો, તેમાં બાપુ લખે છે : ‘જો કે એના મૃત્યુને લીધે સતત વેદનાથી તે છૂટ્યાં એટલે એ ખાતર મેં એના મૃત્યુને આવકાર આપ્યો છે. તો પણ મેં ધાર્યું હતું એના કરતાં આ ખોટથી મને વધારે લાગે છે. અમે અસાધારણ દંપતી હતાં. 1906માં એકબીજાની સંમતિ પછી અને અજાણી અજમાયશ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિતરૂપે સ્વીકાર્યો. આને લીધે અમારી ગાંઠ પહેલા કદી નહોતી એવી દઢ બની તેથી મને ભારે આનંદ થયો. અમે બે ભિન્ન વ્યક્તિ મટી ગયાં. મારી એવી ઈચ્છા નહીં છતાં તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બન્યાં. તે હંમેશાં બહુ મજબૂત ઈચ્છાશક્તિવાળાં સ્ત્રી હતાં, જેને નવપરિણીત દશામાં હું ભૂલથી હઠીલાં ગણી કાઢતો. પણ મજબૂત ઈચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિંસક અસરકારકની કળાના આચરણમાં મારાં ગુરુ બન્યાં. આચરણનો આરંભ મારા પોતાના કુટુંબથી જ કર્યો. 1906માં જ્યારે મેં એને રાજદ્વારી ક્ષેત્રમાં દાખલ કર્યો ત્યારે એનું વધારે વિશાળ તથા ખાસ યોજેલું સત્યાગ્રહ નામ પડ્યું. દક્ષિણ આફ્રિકામાં હિંદી જેલયાત્રા શરૂ થઈ ત્યારે શ્રી કસ્તૂરબા સત્યાગ્રહીઓમાંનાં એક હતાં.’</p>
<p><strong>[5]</strong> કસ્તૂરબા ગાંધી સ્મારક નિધિ માટે એકઠાં કરેલાં નાણાંના વિનિમય અંગે બોલતાં કહ્યું : ‘કામ ઝપાટાભેર ચાલે એ માટે અધીરો છું તેમ છતાં આ નાણાં છૂટે હાથે ખર્ચાય અથવા બેપરવાઈથી વપરાય એવું નહીં થવા દઉં. એ નાણાં એક અભણ અને સરળ હૃદયની નારીને નામ એકઠાં કરવામાં આવ્યાં છે. મારી નિંદા કરનારા તો છે પણ બાના કોઈ નથી.’</p>
<p><strong>[6]</strong> બાના અગ્નિસંસ્કારની ક્રિયા પૂરી થઈ ગયા પછી સૌ પાછાં ફર્યાં. બાપુ હૃદયમાં તીવ્ર વેદના અનુભવતા હતા. રાતે ખાટલામાં સૂતાં સૂતાં બાપુ દર્દભર્યા અવાજે બોલ્યા : ‘બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો ! હું ઈચ્છતો હતો કે બા મારા હાથમાં જ ચાલી જાય, જેથી મને ચિંતા ન રહે કે મારી પાછળ એનું શું થશે. પરંતુ એ મારા જીવનનું અવિભાજ્ય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે, તે કદી ભરાઈ શકવાનું નથી.’</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/09/baa-maarisaathe/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>વાત ચંચળ બાળકોની&#8230;. – ડૉ. રઈશ મનીઆર</title>
		<link>http://www.readgujarati.com/2012/02/07/chanchal-balako/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/07/chanchal-balako/#comments</comments>
		<pubDate>Tue, 07 Feb 2012 02:36:57 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[સાહિત્ય લેખ]]></category>
		<category><![CDATA[ડૉ. રઈશ મનીઆર]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1897</guid>
		<description><![CDATA[[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] અનિકેતની ઉંમર છે સાત વર્ષ. બીજા ધોરણમાં ભણે છે. દેખાવે તેજસ્વી અને ચબરાક. ગતિશીલ અને ચપળ. નવી વસ્તુ શીખવામાં સમજવામાં હોશિયાર. દરેક નવી ચીજનું એને કુતૂહલ. પરંતુ એનાં માતાપિતા અને શિક્ષકોને અનિકેત સામે ઘણી ફરિયાદો છે. કારણ ? કારણ એ જ કે અનિકેતનું પરિણામ નબળું આવે છે. પરિણામ નબળું આવે છે એ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]</p>
<p>અનિકેતની ઉંમર છે સાત વર્ષ. બીજા ધોરણમાં ભણે છે. દેખાવે તેજસ્વી અને ચબરાક. ગતિશીલ અને ચપળ. નવી વસ્તુ શીખવામાં સમજવામાં હોશિયાર. દરેક નવી ચીજનું એને કુતૂહલ. પરંતુ એનાં માતાપિતા અને શિક્ષકોને અનિકેત સામે ઘણી ફરિયાદો છે. કારણ ? કારણ એ જ કે અનિકેતનું પરિણામ નબળું આવે છે. પરિણામ નબળું આવે છે એ સાચું, પણ છેક નબળું નહીં. અનિકેતની બુદ્ધિમત્તાના પ્રમાણમાં અને માબાપની અપેક્ષાના પ્રમાણમાં નબળું કહેવાય.</p>
<p>માબાપ અને શિક્ષકો આનું કારણ પણ જાણે છે. અનિકેત ભણવામાં એકાગ્રતા કેળવી શકતો નથી. અનિકેત સ્વભાવે ચંચળ, તરંગી અને ધૂની છે. ઘરે લેસન કરવા બેસે તો પેન ખોલશે, રિફીલ ખોલીને ફૂંક મારશે, પેન્સિલ છોલશે, રબરથી રમવા માંડશે, એનું લેસન મમ્મી ખિજાય નહીં ત્યાં સુધી બાકી જ રહેશે. ધમકાવીને વાંચવા બેસાડો તો એક જગ્યાએ કદાચ બેસશે તો ખરો પણ એનું ધ્યાન અભ્યાસમાં નહીં હોય. નોટના પાછળના પાને લીટા-લસરકા કરશે અથવા પાઠ્યપુસ્તકમાંના ચિત્રોને મૂછદાઢી બનાવશે. આજુબાજુ બેસનારા સાથે રમત રમશે, ઝઘડશે. વાત શિક્ષા સુધી પહોંચશે. માબાપ સુધી ફરિયાદ પહોંચશે ત્યારે અનિકેત કહેશે, ‘હું તો ધ્યાનથી જ ભણવા માગું છું, પણ બાજુવાળો ચિરાગ મને ભણવા નથી દેતો.’ ફાટેલા પૂંઠાવાળી નોટ, રોજરોજ ખોવાઈ જતાં રબર-પેન્સિલ, યુનિફોર્મ પર પડેલા શાહીના ડાઘ આ બધું અનિકેતના રોજિંદા જીવનનો ભાગ છે.<br />
<span id="more-1897"></span></p>
<p>અનિકેતની તકલીફ માત્ર અભ્યાસ સુધી સીમિત નથી. ઘરે, મહોલ્લામાં બધે જ એને તકલીફ પડે છે. કોઈના ઘરે મમ્મી-પપ્પા એને લઈ જાય તો ત્યાં એવું વર્તન કરે કે કદી એને ક્યાંય લઈ જવાનું મન ન થાય. કોઈ પણ જગ્યાએ સ્થિર બેસે નહીં. કોઈ પણ નવી વસ્તુ જુએ એટલે એને અડક્યા-તપાસ્યા વગર ચાલે નહીં. વસ્તુ પોતાની છે કે બીજાની એવા ભેદ રાખ્યા વગર ઊંચકવી-પકડવી. એમાંય થોડી બેકાળજી અને ઉતાવળ એટલે એના હાથે તોડફોડ પણ વધુ થાય. મોટા સ્ટોરમાં લઈ ગયા હોય તો ગતિપૂર્વક બધે જ ઘૂમી વળે, અને શોધવો ભારે પડે. લગ્ન કે પાર્ટીમાં એને સાચવવો ભારે થઈ જાય. પોતાનું શરીર જાણે મોટરબાઈકનો જીવંત અવતાર હોય એ રીતે મોંથી ઘરઘરાટી બોલાવી એ દોડાદોડી કરી મૂકે. અથડાય, પડે, વાગે કે કોઈની સાથે મારામારી કરે ત્યારે જ ખબર પડે કે અનિકેત ક્યાં છે ? પાણી પોતે પણ પીએ અને શર્ટ પણ ભીનું થાય. આઈસ્ક્રીમ ખાધો હોય તો પેટમાં ગયો હોય એટલો જ આઈસ્ક્રીમ મોં પર અને કપડાં પર દેખાય. મમ્મી કે પપ્પા ડોળા કાઢે કે સલાહ સૂચન આપે તેની તો અનિકેત પર અસર થાય જ નહીં. છેવટે અકળાઈને મમ્મી કે પપ્પા હાથ ઉપાડે ત્યારે જ અનિકેત ઠંડો પડે. પરંતુ થોડી વાર માટે !&#8230;.. થોડા જ સમયમાં ફરી પાછી એ જ ધમાલ !</p>
<p>અનિકેતની આવી ચંચળતાથી એનાં મમ્મી-પપ્પા પરેશાન છે. સ્કૂલમાંથી વારંવાર ફરિયાદો. ત્રણ વર્ષમાં પાંચ ટ્યૂશન બદલ્યાં. જાતે ભણાવી જોયું, પરંતુ અનિકેતમાં કોઈ પરિવર્તન નહીં. દર વખતે એવું જ નબળું પરિણામ ! નોટમાં અક્ષર મૂડ પ્રમાણે, મોટે ભાગે ખરાબ, છેકછાક વધુ. ગણિતમાં દાખલાની રકમ બરાબર વાંચે નહીં. કેટલીક વાર આખો દાખલો સાચો હોય પરંતુ ઉતાવળે થયેલી નાનકડી ભૂલને લીધે જવાબ ખોટો હોય. ક્યા દિવસે ક્યા વિષયની યુનિટ ટેસ્ટ છે, તે યાદ ન હોય. શું લેસન આપ્યું એ વિશે ચોક્કસ ન હોય. માર ખાવાની આદત પડી ગઈ હોવાથી લેસન કરવાને બદલે માર ખાઈ લેવાનું પસંદ કરે છે. અનિકેતનાં મમ્મી-પપ્પા, ફોઈ-મામા, બધાં જ એને વારંવાર સમજાવે છે, એની ભૂલો પ્રત્યે ધ્યાન દોરે છે. કોઈ વાર સારા મૂડમાં હોય તો અનિકેત બધું સાંભળે પણ ખરો, પરંતુ અમલમાં કશું મૂકી શકે નહીં. એક વાર જે ભૂલ કરી હોય એ જ વારંવાર કરે અને ત્યારે એને એવું યાદ ન હોય કે આવી જ ભૂલ માટે મને અગાઉ સજા થઈ હતી.</p>
<p>રિઝલ્ટ નબળું આવે તો મમ્મી-પપ્પાને નામોશી લાગે, પણ અનિકેતને એની શરમ નહીં. હા, મમ્મી-પપ્પા ખીજવાશે એવી થોડી બીક ખરી; પણ પરિણામ નબળું આવ્યું એવો અહેસાસ એને નહીં થાય. ‘મારે કારણે મમ્મી-પપ્પાને ખૂબ પરેશાની થાય છે, મમ્મી-પપ્પાને વારંવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે અથવા મમ્મી-પપ્પા મારે કારણે ખૂબ ચિંતિત છે’ એવો વિચાર કદી અનિકેતના મનમાં આવ્યો નથી. અનિકેત સાથે દોસ્તી કેળવીને, નિકટતા સાધીને એના મનની વાત જાણવા માંગશો તો અનિકેત કદાચ કહેશે, ‘મમ્મી ખૂબ મારે છે, પપ્પા ખૂબ ખિજાય છે,’ એને પૂછીએ, ‘શા માટે મારે છે ?’ તો અનિકેત ચૂપ થઈ જશે. ફરીથી પૂછીએ, ‘કેમ તારી મમ્મી ખરાબ છે ? એને તને મારવામાં મજા આવે છે ?’ તો કદાચ અનિકેત બોલશે, ‘ના, એ તો હું તોફાન કરું છું ને, ભણતો નથી ને, એટલે !’ પરંતુ અનિકેતને એટલો સીધો અને સરળ વિચાર નથી આવતો કે હું તોફાન ન કરું, ધ્યાનથી ભણું તો મને કોઈ મારે નહીં અને કોઈ ખિજાય નહીં. કદાચ એવો વિચાર આવતો પણ હોય તો એ અમલમાં નહીં મૂકી શકાતો હોય !<br />
આ પ્રકારનું માનસિક વલણ ધરાવતાં બાળકો વ્યાપકપણે જોવા મળે છે. 4 થી 10 વર્ષની ઉંમરનાં બાળકોને દર સોએ પાંચ બાળકોનું વ્યક્તિત્વ આ પ્રકારનું હોય છે. એક જગ્યાએ સ્થિર બેસી ન શકતાં, તરંગી અને ચંચળ બાળકોનો ‘હાઈપરઍક્ટિવ’ અથવા ‘હાઈપરકાઈનેટિક ચાઈલ્ડ’ કહેવામાં આવે છે. આવાં બાળકોને ‘એટેન્શન ડેફિસિટ ડિસઑર્ડર’ (એ.ડી.ડી.) નામની તકલીફ છે એમ પણ કહેવાય છે. ઘણાં આ બંને નામને ભેગા કરી ‘એટેન્શન ડેફિસિટ હાઈપર ઍક્ટિવિટી ડિસઑર્ડર (એ.ડી.એચ.ડી) સંજ્ઞાનો ઉપયોગ કરે છે. શાળાના દરેક વર્ગમાં એક-બે કે ત્રણ બાળકો અનિકેત જેવી પ્રકૃતિ ધરાવતાં હોય છે. શિક્ષકો એમને ‘નંગ’ અથવા ‘નમૂના’ શબ્દથી ઓળખતા હોય છે ! આ તકલીફ બાલિકાઓમાં ભાગ્યે જ જોવા મળે છે. ચંચળ અને તરંગી બાળકનાં લક્ષણો તો બે વર્ષની ઉંમરથી જ પરખાવા માંડે છે. પરંતુ ચાર વર્ષની ઉંમરે પાકું નિદાન શક્ય બને છે. ચંચળ બાળકો સૌથી વધુ ચારથી આઠ વર્ષની ઉંમર દરમિયાન એમનાં માબાપ અને શિક્ષકોને તકલીફ આપે છે.</p>
<p>આ તકલીફ થવાનું કોઈ ચોક્કસ કારણ પકડી શકાયું નથી. જન્મ સમયે થયેલી મગજની ઈજા (રડતાં વાર લાગવી, મેલું પાણી પી જવું) અથવા નાની ઉંમરમાં થયેલ મગજની કોઈ બીમારી (જેમ કે મેનિન્જાઈટિસ) જેવા અમુક કિસ્સામાં આ તકલીફ વધુ જોવા મળે છે. પરંતુ દરેક ચંચળ અને તરંગી બાળકના કિસ્સામાં આવું જ હોય એ જરૂરી નથી. માતાપિતા બેમાંથી કોઈને માનસિક સમસ્યા હોય તો બાળકમાં આ તકલીફ હોવાની શક્યતા વધી જાય છે. મુખ્યત્વે (1) બાળક માટે સમય ન ફાળવી શકતાં મા-બાપ (2) બાળકનું ભલું-બૂરું વિચાર્યા વગર બાળકને વધુ પડતાં લાડ કરાવી એમની દરેક માગણી પૂરી કરનાર માબાપ (3) બાળકને એક સામાન્ય વ્યક્તિની જેમ નહીં પરંતુ એને વધુ પડતું મહત્વ આપી એનો અહંકાર (ઈગો) પોષી વિશિષ્ટ બાળકની જેમ ઉછેર કરનાર માબાપ અને (4) બાળકની નાનીનાની ક્ષતિઓ પ્રત્યે બેદરકારી દાખવી હસતે મોઢે ચલાવી લેનાર માબાપ&#8230;.. આ ચાર પ્રકારના વાલીઓ જ્યાં હોય ત્યાં બાળકોમાં એ.ડી.એચ.ડી.ની બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરંતુ માત્ર ક્ષતિપૂર્ણ ઉછેરના આધારે આ બીમારી થતી નથી. આ બીમારી થવા પાછળ અમુક જન્મજાત, વારસાગત અથવા અમુક અજ્ઞાત કારણોનો મોટો પ્રભાવ હોઈ શકે.</p>
<p>આ બીમારીનું નિદાન જેટલું જલદી થાય, એની સમજ જેટલી જલદી કેળવાય, એટલો બાળકને વધુ ફાયદો થાય. બેઅઢી વર્ષની ઉંમરે જ બાળકની અતિશય ચંચળતા બાબતે સચેત થઈ જવું જોઈએ. અહીં એટલું યાદ રાખવું જરૂરી છે કે સલાહ-સૂચન ઉછેર કે દવાની મદદથી ચંચળ બાળકને કદી પણ એકદમ શાંત બનાવી શકાતું નથી. ઊલટું ચંચળ બાળકને દબાણપૂર્વક એકદમ શાંત બનાવવાના પ્રયાસથી એ વધુ તોફાની બને છે. અઢી વર્ષની ઉંમરે બાળકની ચંચળતા પારખી સચેત થવાનો અર્થ એ નથી કે એની ચંચળતાને ડામી દેવી. આપણે માત્ર એટલું જ કરી શકીએ કે બાળકની ચંચળતા તોફાન, ભાંગફોડ કે અવ્યવસ્થિતતાના માર્ગે વળે, એના બદલે આપણે બાળકની ચંચળતાને એની શક્તિ ગણીને એને સર્જનાત્મક દિશા તરફ વાળીએ. એને ભરપૂર તેમજ વૈવિધ્યપૂર્ણ, શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ આપીએ. આવાં બાળકો માટે ટેબલટેનિસ, ટેનિસ, કેરમ, બેડમિંગ્ટન જેવી રમતો; સ્વિમીંગ, જિમ્નાસ્ટિક જેવી થકવી નાખનારી કસરતો; ચિત્રકામ, માટીકામ, કાગળકામ જેવી સમય ખર્ચાય એવી પ્રવૃત્તિ&#8230;. વગેરે ખૂબ ફાયદાકારક નીવડી શકે. આવાં બાળકો માટે સામૂહિક રમતો (ક્રિકેટ, ફૂટબૉલ) બહુ યોગ્ય ન ગણાય.</p>
<p>આ તો થઈ અભ્યાસ સિવાયની વાત, પરંતુ સૌથી વધુ માથાકૂટ તો આવાં બાળકોને ભણાવતી વેળા થાય છે. એ તો દેખીતું જ છે કે ચંચળ અને એકાગ્રતા ન કેળવી શકતું બાળક સમૂહમાં સારી રીતે ભણી શકે નહીં તેથી શાળામાં આવા બાળકને પહેલી પાટલી પર અથવા એથીય આગળ શિક્ષકની બાજુમાં બેસાડી શકાય. આવા બાળકને વ્યક્તિગત ટ્યૂશન (એક શિક્ષક : એક વિદ્યાર્થી) ઉપયોગી થઈ શકે. આવા બાળકને ભણાવતી વખતે માત્ર શિક્ષક બોલે અને બાળક સાંભળે એવી ચીલાચાલુ રીત નિષ્ફળ જ નીવડે. શિક્ષક જેટલી જ ભાગીદારી બાળકની પણ રહે અને ભણાવવાની રીત સરળ, સહજ, રસપ્રદ અને હળવાશભરી રહે એ જરૂરી છે. બાળક તરંગી હોવાથી તરત જ એક વાતથી બીજી વાત પર સરી પડશે, એ વખતે શિક્ષકે ગાડી પાટેથી ઊતરી ન જાય એ માટે ખૂબ સભાનતા રાખવી પડશે. ટીવી ચાલુ હોય, ઘરમાં અન્ય વ્યક્તિઓની અવરજવર હોય, ટેલિફોનની રિંગ વાગે તો બાળકનું ધ્યાન ત્યાં જ જશે, તેથી બાળકને શાંત, એકાંતભર્યા વાતાવરણમાં ભણાવાય તે જરૂરી છે. આવાં બાળકોની સાથે વધુ પડતી સાલસતા દાખવવાથી બાળક ગાંઠતું નથી અને વધુ પડતી કડકાઈ રાખવાથી પણ બાળક સહકાર આપતું નથી. તેથી આવાં બાળકોને ભણાવતી વખતે મધ્ય માર્ગ લેવો પડે છે. બાળક પ્રત્યે સખ્તાઈ દાખવવા જતાં, બાળક સાથે અપમાનપૂર્ણ વ્યવહાર ન થઈ જાય તે યાદ રહેવું જોઈએ. ભલે બાળક સાથે મક્કમ રહેવું પડે, પરંતુ બાળક પ્રત્યેનો પ્રેમ કે આદર કદી ઓછો ન થાય તેની કાળજી શિક્ષકોએ ‘સખ્તાઈ નહીં પરંતુ મક્કમતા’ (Firmness instead of strictness) આ મુદ્રાલેખ બરાબર યાદ રાખવો જરૂરી છે, કેમ કે આવાં બાળકોને નિર્દયતાપૂર્વક સજા કરવાથી કે મારવાથી તેઓ રીઢાં, નફફટ કે નઠોર બની જાય છે.</p>
<p>શરૂઆતમાં દરેક ચંચળ અને તરંગી બાળક ભોળું, નિખાલસ અને કુતૂહલથી ભર્યું હોય છે, પરંતુ માબાપ, શિક્ષકો અને સમાજના કઠોર વર્તાવ પછી બે ત્રણ વર્ષમાં જ બાળક નફ્ફટ, ભાંગફોડિયું અને જિદ્દી બની જાય છે.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/07/chanchal-balako/feed/</wfw:commentRss>
		<slash:comments>8</slash:comments>
		</item>
		<item>
		<title>પાંદડે પાંદડે રવિ – મહેશ દવે</title>
		<link>http://www.readgujarati.com/2012/02/06/pandade-ravi/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/06/pandade-ravi/#comments</comments>
		<pubDate>Mon, 06 Feb 2012 02:30:50 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[સાહિત્ય લેખ]]></category>
		<category><![CDATA[મહેશ દવે]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1889</guid>
		<description><![CDATA[[ ‘પાંદડે પાંદડે’ પુસ્તક શ્રેણીથી આપણે પરિચિત છીએ. તાજેતરમાં આ શ્રેણી અંતર્ગત કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવન-પ્રસંગ કથાઓ પરથી ‘પાંદડે પાંદડે રવિ’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427606956 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ ‘પાંદડે પાંદડે’ પુસ્તક શ્રેણીથી આપણે પરિચિત છીએ. તાજેતરમાં આ શ્રેણી અંતર્ગત કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવન-પ્રસંગ કથાઓ પરથી ‘પાંદડે પાંદડે રવિ’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427606956 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><strong><span style="color: #993366;"><img class="alignright size-full wp-image-1890" title="Picture 038" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/02/Picture-038.jpg" alt="" width="295" height="527" />[1] શાંતિનિકેતન – પ્રથમ દર્શન</span></strong></p>
<p>બાર વર્ષ સુધી કિશોર રવીન્દ્રને બહાર જવાનું મળ્યું નહોતું. બાર વર્ષે તેમને જનોઈ આપી. માથે મુંડન કરાવ્યું હતું તે સમયે પિતા દેવેન્દ્રનાથ હિમાલયના પ્રવાસે જવાના હતા. તેમણે રવીન્દ્રને બોલાવ્યો ને અચાનક પૂછ્યું :<br />
‘રવિ, મારી સાથે હિમાલય આવવું તને કેવુંક ગમશે ?’<br />
‘કેવુંક ?’ અરે ! એટલું બધું કે આખુંય આકાશ ભરાઈ જાય તેવો પોકાર પાડી રવીન્દ્રને કહેવાનું મન થયું : ‘ખૂબ જ ગમશે !’ બહારની દુનિયા જોવાનો ઉમંગ-ઉલ્લાસ તો હતો જ. નફામાં નિશાળ અને ટકામુંડાથી છોકરાઓની ઠેકડીથી બચવાનું. આટલું ઓછું હોય તેમ પિતાએ ઉમેર્યું : ‘રસ્તામાં થોડા દિવસ શાંતિનિકેતન રહીશું.’</p>
<p>રવીન્દ્રનાં તો ઊઘડી ગયાં. તેમના સુખનું પાત્ર છલકાઈ ઊઠ્યું. તેમનો ભાણેજ સત્યેન્દ્ર ભરમાવે એવી વાતો કહી રવીન્દ્રને ઘણી વાર બનાવતો. રવીન્દ્ર સમક્ષ સત્યેન્દ્રે શાંતિનિકેતનનું આકર્ષક ને રંગરંગીન વર્ણન કર્યું હતું :<br />
<em>‘અદ્દભુત જગ્યા છે&#8230;. જાદુઈ નગરી જેવી ! ઘરથી રસોડા સુધી જવાના</em><br />
<em> રસ્તા માથે છાપરું નથી, અને છતાં તે રસ્તે પસાર થઈએ ત્યારે</em><br />
<em> ન નડે તડકો કે ન પડે માથે વરસાદનું એકે ટીપું ! કેવો જાદુ !’</em><br />
<em> ‘ચારે તરફ વૃક્ષોની હારમાળા, આસપાસ ડાંગરનાં લીલાંછમ ખેતરો,</em><br />
<em> ઝાડ નીચે રસોઈ કરી ગોવાળિયા ને ખેડૂતના છોકરાઓ સાથે</em><br />
<em> ઉજાણી કરવાનાં મનોરમ સ્થળો !’</em></p>
<p>મુસાફરીએ પ્રયાણ કરવાનો દિવસ આવી પહોંચ્યો. રવીન્દ્રને તદ્દન નવાં સરસ કપડાં ને નવા બૂટ પહેરવા મળ્યાં. જોકે સાથેસાથે સોનેરી ભરતભરેલી મખમલની ગોળ ટોપી પણ માથે પડી. રવીન્દ્રને એ ટોપી પહેરવી જરાય ગમતી નહોતી, પણ મહર્ષિની કડક શિસ્ત હેઠળ તે ટોપી પહેરવાનું ફરજિયાત હતું. શાંતિનિકેતન માટે બોલપુર સુધી આગગાડીનો પ્રવાસ કરવાનો હતો ને ત્યાંથી પછી પાલખીમાં બેસી શાંતિનિકેતન જવાનું હતું. બોલપુર પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. રવીન્દ્ર રાતના અંધારામાં શાંતિનિકેતનનું અઘકચરું રૂપ જોવા માગતા નહોતા, ત્યાંના સુખ-સૌંદર્યનો પૂર્ણસ્વાદ તેમને બગાડવો નહોતો. તેમણે પાલખીમાં આંખો બંધ જ રાખી. ઊગતા સૂર્યના પ્રકાશમાં શાંતિનિકેતનનું પૂર્ણસૌંદર્ય સવારે જ પીવું હતું.<br />
<span id="more-1889"></span></p>
<p>સવારના પહોરમાં રવીન્દ્રે આંખો ખોલીને જોયું. પ્રભાતના સૂર્યપ્રકાશમાં શાંતિનિકેતન ઝગમગતું હતું, પણ નહોતો ત્યાં સત્યેન્દ્રે કહેલો તડકો ને વરસાદથી રક્ષાયેલો જાદુઈ રસ્તો કે નહોતી વૃક્ષોની હારમાળા; નહોતા ગોવાળિયા કે નહોતાં લીલાછમ ડાંગરનાં ખેતરો ! અહીં તો હતું સાવ ઉજ્જડ વેરાન ! રવીન્દ્રને આંચકો લાગ્યો પણ આઘાત ન થયો. જે જોયું તે તેની નીરવ શાંતિને કારણે અત્યંત સુંદર અને પ્રસન્નકર હતું.<br />
.</p>
<p><strong><span style="color: #993366;">[2] નવસખ્ય</span></strong></p>
<p>બાળ રવીન્દ્રને મોટા ભાઈ જ્યોતિરિન્દ્રનાથ પાસેથી ઘણું ઘણું શીખવા મળ્યું હતું. સાહિત્ય, સંગીત, નાટક, કલા અને કસબ, એ સર્વ મોટા ભાઈની દેણ હતી. જ્યોતિરિન્દ્રનાથનાં પત્ની કાદંબરીદેવીએ રવીન્દ્રનાથને નોખા જ પ્રકારનો ઉપહાર આપ્યો. તેમની પાસેથી રવીન્દ્રને સ્નેહની ભીનાશ, ઉષ્મા અને હૂંફનો હૃદયવૈભવ સાંપડ્યો. મોટી ઉંમરે રવીન્દ્રનાથે લખ્યું છે, ‘પ્રકાશ અને તાજી હવા જેટલી જ બાળકને સ્ત્રીઓના સ્નેહભીના લાડ-પ્યારની જરૂર હોય છે.’</p>
<p>બાળ રવીન્દ્ર નોકરોની કેદમાં ઊછરતાં હતાં. લગભગ આ જ સમયે કાદંબરી ‘બાલિકાવધૂ’ રૂપે ટાગોર કુટુંબમાં દાખલ થયાં. તે વખતે કાદંબરીની ઉંમર નવ વર્ષની. રવીન્દ્ર તેનાથી એકાદ વર્ષ નાના. નાક-નકશે કાદંબરી નમણાં ને સોહામણાં. ‘ઘઉંવર્ણા કુમળા હાથમાં સોનાના નાજુક કંકણ ધારણ કરેલી’ આ બાલિકાને સખી બનાવવાનું, તેની સાથે રમવાનું બાળ રવીન્દ્રને બહુ મન. ‘તેમનાથી થોડું અંતર રાખીને તેમની આસપાસ આંટા-ફેરા મારવાનું ગમતું.’ કાદંબરી પણ કદાચ એકલતા અનુભવતાં હશે. દેવેન્દ્રનાથ સાથે હિમાલયપ્રવાસ કરી આવ્યા પછી રવીન્દ્રને નારીવૃંદમાં પ્રવેશ મળ્યો હતો. કાદંબરીભાભી સાથે હવે બોલવા-ચાલવાનું વધ્યું હતું. રવીન્દ્રના સંકોચની દીવાલ તૂટી ગઈ હતી. ભાભીની સાથે નવસખ્ય પાંગર્યું હતું. એકબીજા વગર બેઉને ચાલતું નહીં. રવીન્દ્ર વાંચે અને કાદંબરી સાંભળે એવો સાહિત્ય-સહવાસ રચાયો હતો. કાદંબરી ફૂલ, બગીચા, પક્ષીઓ, સંગીત અને સાહિત્યનાં ચાહક હતાં. સારાં ભાવક હતાં. એમનું વાચન સમય પસાર કરવા માટે નહોતું. એ ખરા રસાનંદથી વાંચતાં. રવીન્દ્ર બંકિમચંદ્રની ધારાવાહિક નવલકથાનો હપ્તો સામાયિકમાંથી વાંચે. કાદંબરી આરામખુરશીમાં બેઠાં બેઠાં, હાથ-પંખાથી પોતે હવા ખાતાં જાય અને કથા સાંભળતાં જાય એવો તાલ થતો.</p>
<p>પોતાના પ્રિયજનને બધા બોલાવે એ નામે બોલાવવાનું રવીન્દ્રને ગમતું નહીં. તેથી તેમણે પરિચયમાં આવેલી અને સ્મરણીય બની રહેલી એના તુરખડ નામની કિશોરીને ‘નલિની’ નામ આપેલું. પાછલી ઉંમરે નાજુક-ગાઢ સંબંધમાં આવેલી યુવતી વિક્ટોરિયા ઑકામ્પોને ‘વિજયા’ નામ આપેલું, તેમ કાદંબરીને રવીન્દ્રનાથે સૌંદર્યની ગ્રીક દેવી ‘હેકટે’નું નામ આપેલું. રવીન્દ્રનાથે તેમનાં છએક જેટલાં પુસ્તકો ‘હેકટે’ને અર્પણ કર્યાં છે. ભાભીને દિયરની કવિતા અને સંગીતનો સારો સાથ હતો. રવીન્દ્રનાથનું લખેલું બધું કાદંબરી વાંચતાં. જોકે રવીન્દ્રનાથની પ્રશંસા કરવામાં સહેજ કૃપણ રહેતાં. રવીન્દ્રના કંઠ અને દેખાવની ટીકા કરતાં. એની પાછળ કંઈક અંશે દિયરને ચીડવવાનો ભાવ હતો તો કંઈક અંશે રવીન્દ્ર ચગી ન જાય તે માટેની સાવધાની હતી. દિયર-ભોજાઈનો સંબંધ રસિક અને રમતિયાળ હતો.</p>
<p>[કુલ પાન : 44. કિંમત રૂ. 35. પ્રાપ્તિસ્થાન : સ્વમાન પ્રકાશન. આલ્ફા ભવન, 12, સુહાસનગર, સેલ્સ ઈન્ડિયાની પાછળ, ઑફ આશ્રમ રોડ, દિનેશ હૉલના છેડે, સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં. અમદાવાદ-380009. મોબાઈલ : +91 9427606956. ઈ-મેઈલ : mdave.swaman@gmail.com ]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/06/pandade-ravi/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>મધ્યાહ્ને સૂર્ય – ડૉ. પ્રીતિ જરીવાલા</title>
		<link>http://www.readgujarati.com/2012/02/03/madhyan-surya/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/03/madhyan-surya/#comments</comments>
		<pubDate>Fri, 03 Feb 2012 02:02:35 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[સાહિત્ય લેખ]]></category>
		<category><![CDATA[ડૉ. પ્રીતિ જરીવાલા]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1877</guid>
		<description><![CDATA[[ ‘મધ્યાહ્ને સૂર્ય’ એ ડૉ. પ્રીતિબેન જરીવાલાના જીવનપ્રસંગો પર આધારિત સ્મૃતિકથા છે. તેમણે અત્યંત સરળ અને સહજ શબ્દોમાં સસ્મિત આ કથા આલેખી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. પ્રીતિબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 22 26712250 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ ‘મધ્યાહ્ને સૂર્ય’ એ ડૉ. પ્રીતિબેન જરીવાલાના જીવનપ્રસંગો પર આધારિત સ્મૃતિકથા છે. તેમણે અત્યંત સરળ અને સહજ શબ્દોમાં સસ્મિત આ કથા આલેખી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. પ્રીતિબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 22 26712250 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><strong><span style="color: #993366;">[1] વેવિશાળ અને લગ્નજીવનની શરૂઆત</span></strong></p>
<p><img class="alignright size-full wp-image-1878" title="Picture 036" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/02/Picture-036.jpg" alt="" width="346" height="315" />પોદાર મેડિકલ કૉલેજના બીજા વર્ષમાં હતી. મારે હજી બીજાં બે વર્ષ ભણવાનું બાકી હતું. અમારી જ જ્ઞાતિના એમ.બી.બી.એસ. પાસ થયેલ ડૉક્ટરનું માગું આવ્યું. પપ્પા-મમ્મીની ખૂબ ઈચ્છા હતી કે અહીં જો મારું નક્કી થઈ જાય તો સારું. છોકરો ડૉક્ટર, વળી અમારી જ્ઞાતિનો જ. કુટુંબ સારું અને મુંબઈમાં જ રહેવાનું. મારા ઘેર જોવાનું રાખ્યું. મારી ઈચ્છા ઘરનાને કહી, ‘મારે મારો અભ્યાસ પૂરો નહીં થાય ત્યાં સુધી આ બધામાં પડવું નથી.’ પણ મારી વાત કોઈએ માની નહીં. તેમનું માનવું હતું કે આવો સારો છોકરો હાથમાંથી જવા કેમ દેવાય ?</p>
<p>પછી મેં જ મનોમન નક્કી કર્યું કે હું જ એવું કંઈ કરું કે મને છોકરો જોવા આવે અને હું એને પસંદ પડું જ નહીં. એ જ મને સામેથી ના પાડી દે કે મને છોકરી નથી ગમી, તો મારો પ્રોબ્લૅમ સૉલ્વ થઈ જાય. જે દિવસે એ છોકરો મને જોવા આવ્યો, મેં ઘરમાં પહેરવાનાં જ સાદાં કપડાં પહેર્યાં. બીજી છોકરીઓની જેમ સારામાં સારાં કપડાં પહેરી, મેક-અપ કરી, અપ-ટુ-ડેટ તૈયાર થઈને એની સમક્ષ ના આવી, પરંતુ બિલકુલ સાદાં કપડાંમાં મેક-અપ વગર એની સામે બેઠી. થોડીઘણી વાતચીત કરી. નાસ્તો કરી છોકરાવાળા પોતાને ઘેર ગયા. મારા ઘરનાં બધાં મારાથી નારાજ થઈ ગયાં કે હું સારી રીતે તૈયાર પણ થઈ નહીં. હું મનોમન ખુશ થતી હતી. મારા જેવી મણિબહેનને તે કોઈ ડૉકટર છોકરો પસંદ કરે ? એ જ રાત્રે એ લોકોનો ફોન આવ્યો, ‘અમને છોકરી પસંદ છે.’ મારો પ્લાન સફળ થયો નહીં. એ સાથે ડૉ. પરિમલ જરીવાળા સાથે લગ્ન થયાં. પછીથી મેં એમને પૂછેલું કે, ‘મને કેમ પસંદ કરી ?’ તો એમણે મને કહ્યું, ‘મેં એમ વિચાર્યું કે છોકરી કેટલી સરળ અને સાદી છે. કોઈ જાતનો દંભ કે દેખાડો નહીં. મેક-અપનો ઠઠારો નહીં. કશું જ કૃત્રિમ નહીં અને એકદમ સિમ્પલ. મને તો જોતાંની સાથે જ તું ગમી ગઈ હતી.’ આજે તો અમારાં લગ્નને 27 વર્ષ થઈ ગયાં. મને ઘણી વાર થાય છે કે આપણે આપણાં વડીલોની વાત ન માનવાની કેવી ભૂલ કરતાં હોઈએ છીએ ! એમની પાસે અનુભવનો ખજાનો છે. એમની વાત આપણે માનવી જ જોઈએ, કેમ કે તેઓ હંમેશાં આપણું હિત જ ઈચ્છતાં હોય છે.<br />
<span id="more-1877"></span></p>
<p>મેં એ શરતે અમારા વિવાહની હા પાડી હતી કે હું લગ્ન તો મારો અભ્યાસ પૂરો થાય તે પછી જ કરીશ. વિવાહ અને લગ્ન વચ્ચેનો સમય એટલે ‘ગોલ્ડન પીરિયડ’. ત્યારે નાયર હૉસ્પિટલમાં તેઓ ઈન્ટર્નશિપ કરતા હતા. મહિને રૂ. 150 સ્ટાઈપેન્ડરૂપે મળે. એમાંથી દર રવિવારે ચોપાટી ક્રીમ સેન્ટરમાં જઈને અમે સ્પેશિયલ ટૂટીફ્રૂટી આઈસ્ક્રીમ ખાતા. 20 રૂપિયામાં તો મોટા ઊંચા ગ્લાસમાં છલોછલ ભરીને આ આઈસ્ક્રીમ મળતો. એક વર્ષ અમારા વિવાહ રહ્યા. આ એક વર્ષ દરમિયાન મહિનાના દોઢસો રૂપિયામાં જેટલું ફરાય, નાટક, પિક્ચર જોવાય એટલું માણ્યું. બીજા વર્ષની પરીક્ષા મેં પાસ કરી અને હું ફાઈનલ યરમાં આવી. પરિમલ હવે લગ્ન કરવા ઉત્સુક થઈ રહ્યા હતા અને મારી ઈચ્છા ફાઈનલ યરની પરીક્ષા આપ્યા બાદ જ લગ્ન કરવાની હતી. એમને ઈ.સી.એફ.એમ.જી. પરીક્ષા આપવા મલેશિયા જવાનું હતું. મને એમણે કહ્યું કે આપણાં લગ્ન થઈ જાય તો બંને સાથે મલેશિયા ફરવા જવાય. એમણે મને બહુ સમજાવી અને હું માની ગઈ. અમારાં લગ્ન થયાં, પણ પછી પરીક્ષા આપવા એકલા જ મલેશિયા ગયા. એમને આગળ ભણવું હતું ત્યારે તેમની કમાણી મહિનાના ફક્ત દોઢસો રૂપિયા જ. એમને થયું કે કાકા (મારા સસરા) અને મોટા ભાઈ (મારા જેઠ) ઉપર ફૉરેનની બે-બે ટિકિટોનો ભાર નાખવો વાજબી ન ગણાય.</p>
<p>લગ્ન પછી ફરવા માટે અમે ડૅલહાઉસી અને ધરમશાલા ગયા હતાં. છ મહિના રહીને મારી ફાઈનલ યરની પરીક્ષા હતી. આખો દિવસ તો હરવાફરવામાં નીકળી જાય, પણ રાત પડે એટલે પરીક્ષા યાદ આવે ને હું પોક મૂકીને રડું કે ‘હું ફેઈલ થઈશ તો ?’ પતિદેવ મને શાંત પાડતાં પાડતાં નસકોરાં બોલાવવા માંડે અને હું પણ ડૂસકાં ભરતી સૂઈ જાઉં. ડૅલહાઉસીમાં અમે ‘ગ્રાન્ડ વ્યૂ’ હૉટેલમાં ઊતરેલાં. ત્યારે હું સ્કર્ટ-બ્લાઉઝ અને ફ્રોક પણ પહેરતી. ત્રણ દિવસ પછી એક પંજાબી કપલ મારી પાસે આવ્યું. મને પૂછે, ‘આપ શાદીશુદા હૈ, યા દોનોં ઘર સે ભાગ કે આયે હો ? લડકે કો દેખકર એસા લગતા નહીં કિ યહ ભગાકે લે કે આયા હો&#8230; તીન દિન સે હમ તુમ્હે દેખ રહે થે, લેકિન આજ તો રહા નહીં ગયા, ઈસ લિએ આપકો પૂછ હી લિયા&#8230;.’ મેં કહ્યું : ‘અમે પરણેલાં છીએ અને જોઈએ તો મેરેજ સર્ટિફિકેટ પણ બતાવું.’</p>
<p>મે મહિનામાં લગ્ન થયાં અને જૂન મહિનામાં જ મારો જન્મદિવસ આવે. એ દિવસે હું ખૂબ જ ખુશ હતી કે લગ્ન પછીની પ્રથમ વર્ષગાંઠ છે. પરિમલ મને કંઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપશે, પણ એમણે તો બર્થ-ડેને દિવસે સવારે જ કહી દીધું કે, ‘જો, હું ગિફટ કલ્ચરમાં માનતો નથી.’ ચાલો, એટલે મારે હવે જન્મદિવસ કે લગ્નતિથિએ એમની પાસેથી કોઈ ભેટ-સોગાદની આશા ન રાખવી. પછી મેં કહ્યું : ‘કંઈ નહીં, પણ રાતના બહાર ફરવા તો જઈશું ને ?’ રાતના બ્રિચકેન્ડીના દરિયાકિનારે ગાડી પાર્ક કરી અમે બેઠાં. બધાં પાસેથી એમના અવાજનાં મેં ખૂબ વખાણ સાંભળ્યાં હતાં. મેં કહ્યું : ‘મને બર્થ ડે ગિફટ ન આપી તો કંઈ નહીં, આજે મને એક ગીત સંભળાવો.’ વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું. રાતનો સમય હતો. દરિયાકિનારો હતો અને દરિયાની લહર પણ હળવેકથી કિનારાને સ્પર્શીને પાછી જતી હતી. મીઠો મંદ મંદ શીતળ પવન વાતો હતો. લોકોની ખાસ અવરજવર પણ નહોતી. એકાંત અને નીરવ શાંતિ હતી. આવા સરસ માહોલમાં એમનું ગીત સાંભળવા હું ખૂબ જ ઉત્સુક હતી. એમણે ગાવાનું શરૂ કર્યું, ‘એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન&#8230;.’ આટલા સરસ મનોરમ્ય વાતાવરણમાં મારા ભાવુક હૃદયમાં આવેલી પ્રણયભાવની ભરતીમાં એકાએક જાણે ઓટ આવી ગઈ. મને એમ કે એકાદું સરસ રોમેન્ટિક ગીત સંભળાવશે&#8230;. ‘હમે તુમસે પ્યાર હૈ&#8230;’ પણ કંઈ નહીં, મારા પતિ રોમેન્ટિક નથી તો શું થઈ ગયું ? એ દેશપ્રેમી છે અને સારું ગાય છે એમ મનને મનાવી લીધું.<br />
.</p>
<p><strong><span style="color: #993366;">[2] ગૃહિણીનો ઘરસંસાર</span></strong></p>
<p>સાસરું ચીરાબજાર અને કૉલેજ વરલી. ફાઈનલ યરની પરીક્ષા પાસ કરી. હવે એક વર્ષ ઈન્ટર્નશિપ કરવાની હતી. સવારે આઠ વાગ્યે વરલી પોદાર હૉસ્પિટલમાં પહોંચવાનું. સવારે પાંચ વાગ્યે ઊઠી જવું પડે. નાહીને જ રસોડામાં જવાનું. સવારે છ વાગ્યે મારા કૂકરની સિટી વાગે. સવારે સાત વાગ્યે તો બધી રસોઈ કરી ડાઈનિંગ ટેબલ પર ગોઠવીને હૉસ્પિટલ જાઉં. મસાલાની સિઝનમાં તો ખૂબ જ કામ રહે. અગાશીમાં લાલ કાશ્મીરી મરચાં સૂકવવાનાં. મરચાં ખાંડવાવાળી આવે. એની પાસે ઊભા રહી મરચાં ખંડાવવાનાં. નાકે રૂમાલ બાંધ્યો હોય તોય મરચાંની તીખાશ આંખમાં ને નાકમાં જાય જ. ધાણા પણ મિક્સરમાં ઘેર જ દળવાના. અમારું સંયુક્ત કુટુંબ. પાંચ કિલો ધાણા સાફ કરી, શેકી ઘેર જાતે જ દળવાના. એમાં એક કિલો જીરું સાફ કરી, શેકી, વાટીને મિક્સ કરવાનું. મે મહિનામાં સુરતથી ઘઉંની ગુણીઓ આવે. ત્રણસો કિલો ઘઉં સુરતથી ટ્રાન્સપોર્ટમાં આવે. એમાંથી બીડીનાં ઠૂંઠાંય નીકળે.</p>
<p>ઘઉં સાફ કરતાં તો નાકે દમ આવે. ઘઉંને ચાળવાના, કાંકરા વીણવાના અને દિવેલ લઈ 15 કિલોના ગ્લુકોઝ બિસ્કિટના પતરાના ડબા આવતા, એમાં ભરવાના. એવા 20 ડબા ભરાય. એ ડબા રસોડાના માળિયામાં ચઢાવવાના. ઘઉંનો લોટ ખલાસ થવા આવે એટલે માળિયામાંથી એક ડબો ઉતારવાનો અને 15 કિલો ઘઉં ઘરે જ ઘંટીમાં દળવાના. ચણાનો લોટ, ચોખાનો લોટ, જુવારનો લોટ, હાંડવા-ઢોકળાનો લોટ બધું ઘરઘંટીમાં જ દળતા. એ પ્રમાણમાં આજની ગૃહિણીઓનું ઘણું કામ ઓછું અને આસાન થઈ ગયું છે. આજે તો મસાલા તૈયાર આવે અને બધી જાતના લોટ તૈયાર મળે. બધું તૈયાર-રેડીમેડ-મળતું થઈ ગયું. થોડા વખત પછી તૈયાર રોટલીઓ પણ ઘેર ઘેર આવતી થઈ જાય તો નવાઈ નહીં.</p>
<p>મારા માથે કામનો બોજો ખૂબ રહેતો. એવામાં હું પ્રેગનન્ટ થઈ. સાક્ષર નવલકથાકાર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ની ગુણસુંદરી જેવી મારી હાલત હતી. વધુ પડતા કામના બોજાને કારણે મારી તબિયત બગડી અને ‘પ્રિમેચ્યૉર ડિલિવરી’ થઈ ! બેબી ‘બ્રીચ’ (માથું ઉપર અને પગ નીચે) હતી. મારું સિઝેરિયન ઑપરેશન થયું. ગુરુવારે મેં દીકરીને જન્મ આપ્યો અને છેક રવિવારે પહેલી વાર મેં મારી દીકરીને જોઈ. એનું વજન ખૂબ ઓછું હતું. પ્રિમેચ્યૉર હતી એટલે એને ઈન્ક્યુબૅટરમાં રાખી હતી. નર્સે પહેલવહેલી વાર મારી દીકરીને જ્યારે મારા ખોળામાં મૂકી, મેં એને હૃદયસરસી ચાંપી લીધી. એક મા પોતાના શિશુને જન્મ આપ્યા પછી ચાર દિવસ પછી પહેલવહેલી વાર એને જુએ ત્યારે એની મનઃસ્થિતિ કેવી હશે તેની તમે કલ્પના કરી શકો ? મારી દીકરીનું નામ રાખ્યું : ‘પ્રિયા’. દિવસરાત જાગીને ખૂબ જ ખંતથી, વહાલથી એનો ઉછેર કર્યો. આજે તો નાયર ડૅન્ટલ કૉલેજમાંથી ડૅન્ટિસ્ટ થઈ ગઈ છે અને ‘પીડિયાટ્રિક ડૅન્ટિસ્ટ્રી’માં એમ.ડી.એસ. કરે છે. તેના બાળપણના કેટલાક પ્રસંગોનું સ્મરણ થાય છે ત્યારે ‘નવનીત સમર્પણ’ સામાયિકમાં એ પ્રસંગો હું લખી મોકલતી અને ‘શિશુમુખેથી’ વિભાગમાં પ્રકાશિત પણ થતા.</p>
<p>બેનઝીર ભુટ્ટો જ્યારે પાકિસ્તાનમાં વડાપ્રધાન બન્યાં ત્યારની આ વાત છે. ટી.વી.માં સમાચારમાં એમને જોઈ પ્રિયાએ મને પૂછેલું, ‘મમ્મી, આ કોણ છે ?’ મેં કહ્યું, ‘બેનઝીર ભુટ્ટો.’ ત્યારે જ હજી તે બોલતાં શીખેલી. એને ‘બેનઝીર’ શબ્દ બોલતા ફાવ્યો નહીં. મેં કહ્યું : ‘ખાલી ‘ભુટ્ટો’ કહેશે તો પણ ચાલશે.’ એટલી વારમાં પ્રિયાના ડૅડી આવ્યા. તેણે ડૅડીને પૂછ્યું, ‘ડૅડી, તમને ખબર છે આ કોણ છે ?’ એના ડૅડીએ પૂછ્યું : ‘કોણ છે ?’ એટલે પ્રિયા તરત જ બોલી, ‘ખાલી ભુટ્ટો.’ ગણપતિવિસર્જનનાં દશ્યો ટી.વી.માં જોઈને પૂછે, ‘મમ્મી, જો&#8230;.જો&#8230; ભગવાન પ&#8230;પ&#8230;પ&#8230;માં બા બા જાય છે !’ પ્રિયા લગભગ અઢી વર્ષની હતી ત્યારે એ ડાબા હાથે સેવ ખાતી હતી. એ જોઈ મારી ભત્રીજી માનસીએ પૂછ્યું, ‘તું લેફટી છે ?’ એ તરત જ બોલી, ‘ના, હું તો પ્રિયા છું.’ મેં એને ટોકી, ‘બેસીને ખા. સેવ પગે લાગે.’ તો મને ‘નમસ્તે’નો અભિનય કરીને પૂછે, ‘મમ્મી, સેવ પગે પણ લાગે ?’ ટી.વી. પર પવનચક્કી વિશે માહિતી આવતી હતી. મેં એને કહ્યું : ‘જો, આને પવનચક્કી કહેવાય.’ તો મને કહે, ‘ના મમ્મી, આ તો ચક્કીબેનનું ચકડોળ છે.’</p>
<p>અમે સહકારી ભંડારમાંથી હૉલસેલમાં બે-ત્રણ મહિનાનો સામાન- સાબુ, ટૂથપેસ્ટ, કઠોળ વગેરેની ખરીદી કરતા. પ્રિયા પણ અમારી સાથે ખરીદી કરવા આવે. એને નહાવાના સાબુ ભેગા કરવાનો બહુ શોખ. ત્યારે તે બે-ત્રણ વર્ષની હશે. જાતજાતના સાબુ ખરીદાવે – લક્સ, લિરિલ, લાઈફબૉય, જય વગેરે. ઘેર આવીને સાબુ ગણ્યા કરે. એના ડૅડીએ કહ્યુ6 : ‘આ શું ગણ્યા કરે છે ?’ તો પ્રિયાએ એના ડૅડીને કહ્યું : ‘તમે પૈસા નથી ગણતા ? હું સાબુ ગણું છું.’ આવાં તો એનાં બાળપણનાં કેટલાંય સ્મરણો છે. પ્રિયા ચાર વર્ષની થઈ ત્યારે હું પાછી પ્રેગનન્ટ હતી. ત્યારે એના વર્ગમાં ભણતા વિદ્યાર્થીની મમ્મીએ પ્રિયાને પૂછ્યું : ‘તારી મમ્મીને શું આવ્યું ?’ એણે એની મેળે જ જવાબ આપી દીધો, ‘મને બે’ન આવી છે.’ એ બહેનનો મારા પર ફોન આવ્યો. મેં કહ્યું : ‘હજી ઘરે જ છું. મારી પ્રસૂતિ થઈ નથી.’ મેં પ્રિયાને આ વાત પૂછી તો તેણે એકદમ નિખાલસતાથી કહ્યું, ‘મમ્મી, જો હું તને ગમું છું ને ? તો પછી મારા જેવી જ બીજી નાની નાની બે’ન આવે તો તને શું વાંધો છે ?’ એને બહેન જોઈતી હતી અને મને બીજી પણ દીકરી જ જન્મી. એનું નામ અમે ‘પંક્તિ’ પાડ્યું.</p>
<p>[ કુલ પાન : 101. (પાકું પૂઠું) કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. 134 શામળદાસ ગાંધી માર્ગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-400002.]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/03/madhyan-surya/feed/</wfw:commentRss>
		<slash:comments>13</slash:comments>
		</item>
		<item>
		<title>સો વરસ જીવવાના ‘જો’ અને ‘તો’ – દિનકર જોષી</title>
		<link>http://www.readgujarati.com/2012/02/01/jo-to/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/01/jo-to/#comments</comments>
		<pubDate>Wed, 01 Feb 2012 02:44:51 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[સાહિત્ય લેખ]]></category>
		<category><![CDATA[દિનકર જોષી]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1865</guid>
		<description><![CDATA[[ માનવીય જીવનની માર્મિક વાતોના પુસ્તક ‘અમે અને આપણે’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી દિનકરભાઈનો આ નંબર પર +91 9969516745 અથવા આ સરનામે gujsahitya@rediffmail.com સંપર્ક કરી શકો છો. ] જેઓ દીર્ઘાયુષી છે એટલે કે સૈકાની લગોલગ પહોંચવા આવ્યા છે તેમ છતાં સુપેરે સ્વસ્થ તથા કાર્યરત છે એમને જોઈને ઘણા [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ માનવીય જીવનની માર્મિક વાતોના પુસ્તક ‘અમે અને આપણે’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. આપ શ્રી દિનકરભાઈનો આ નંબર પર +91 9969516745 અથવા આ સરનામે gujsahitya@rediffmail.com સંપર્ક કરી શકો છો. ]</p>
<p><img class="alignright  wp-image-1866" title="Picture 035" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/02/Picture-035.jpg" alt="" width="199" height="300" />જેઓ દીર્ઘાયુષી છે એટલે કે સૈકાની લગોલગ પહોંચવા આવ્યા છે તેમ છતાં સુપેરે સ્વસ્થ તથા કાર્યરત છે એમને જોઈને ઘણા માણસો આંખ પહોળી કરીને આશ્ચર્ય પામે છે. આવા દીર્ઘાયુષીઓ પોતાના આવા સ્વસ્થ દીર્ઘાયુષ્ય માટે પોતે માની લીધેલાં કારણો આગળ ધરે છે. કોઈક વ્યાયામપ્રેમી દીર્ઘાયુષી પોતાના દીર્ઘાયુષ્ય માટે નિયમિત વ્યાયામને યશ આપે છે. તો કોઈક મિતાહારી પોતાની ખોરાકની ટેવોને આગળ ધરે છે. કોઈક વળી શિવામ્બુપાનને તો અન્ય કોઈ વળી યોગ કે ધ્યાનને કારણભૂત માને છે.</p>
<p>આવાં કારણોનો આંખ મીંચીને સ્વીકાર કરતાં પહેલાં કોઈ પણ બુદ્ધિશાળી માણસે નિયમિત વ્યાયામ કરવા છતાં, મિતાહાર, શિવામ્બુપાન, યોગ કે ધ્યાનમાં રચ્યાપચ્યા રહ્યા હોવા છતાં અકાળે મૃત્યુને વશ થઈ જનારા કિસ્સાઓ પણ ધ્યાનમાં લેવા જોઈએ. દીર્ઘાયુષી માણસ પોતા પૂરતું જે કંઈ કારણ આગળ ધરતો હોય એ એની તર્કપૂર્ણ ન કહી શકાય એવી અંગત માન્યતા છે. એ માન્યતા સાચી હોય તોપણ એની મર્યાદા એ વ્યક્તિ પૂરતી જ રહે છે. હકીકતે આવા પ્રશ્નના ઉત્તરમાં કોઈ પણ એક ચોક્કસ કારણ આગળ ધરી શકાય નહિ.</p>
<p>આ પરિણામ ઘણાંબધાં કારણોના સંયોજનથી નિપજાવી શકાય. આમ છતાં આ બધાં કારણોના સંયોજનથી દરેક કિસ્સામાં આવું જ પરિણામ આવશે એની પણ કોઈ ખાતરી આપી શકાય નહિ. જેને પ્રારબ્ધ કહીએ એવું આ અગમ્ય અને અકળ તત્વ છે. મહાભારતના અનુશાસનપર્વમાં રાજા યુધિષ્ઠિરે શરશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મને જ્ઞાનપ્રાપ્તિ માટે જે પ્રશ્નો પૂછ્યા છે એમાં એક પ્રશ્ન આવો પણ છે : ‘માણસની આયુમર્યાદા સો વર્ષની છે. આમ છતાં કેટલાક માણસો બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં કે મધ્યમાવસ્થામાં જ મૃત્યુ પામે છે. દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરવા માટે માણસે શું કરવું જોઈએ ?’ એના જવાબમાં પિતામહ દીર્ઘાયુષ્ય કયાં વહેવારિક આચરણોથી મેળવી શકાય અને કયાં આચરણોના નિષેધથી દીર્ઘાયુ થઈ શકાય એની લાંબી યાદી આપે છે. આ યાદીને આધુનિક વૈજ્ઞાનિક અભિગમથી પણ રસપૂર્વક તપાસવા જેવી છે. આ યાદીનાં કેટલાંક લક્ષણો આપણે તપાસીએ.<br />
<span id="more-1865"></span></p>
<p><strong>[1]</strong> જેઓ ઊભાં-ઊભાં ભોજન કરે છે કે લઘુશંકા કરે છે અથવા એઠા મોઢે ચારેય બાજુ ફરે છે એમનું આયુ યમરાજ ક્ષીણ કરે છે. – આ મુદ્દો ભારે રોચક છે. ભોજનાર્થે એક સ્થાને સ્થિર બેસીને બધું જ ધ્યાન ભોજનમાં કેન્દ્રિત કરવાથી પાચક-રસો વધુ ક્રિયાશીલ બને છે. આ કારણે ખાદ્યપ્રદાર્થો એમના રસકસથી દેહને અને બુદ્ધિને યોગ્ય રીતે વિકસિત કરે તથા રસહીન થયેલા આવા પદાર્થો સુયોગ્ય રીતે વિસર્જિત થાય. આયુર્વેદે પણ આ જ વાત કરી છે. આજે ડાઈનિંગ ટેબલ પર બેસીને ટીવી જોતાં-જોતાં ભોજન લેવાય છે. એનાથી ધ્યાન ટીવીના પડદા ઉપર કેન્દ્રિત થવાને કારણે ખાદ્યપદાર્થ સાથે જીભમાંથી ઝરતાં પાચક તત્વો સમરસ થતાં નથી. આજે તબીબીશાસ્ત્ર આ ભયસ્થાન દર્શાવે છે. લઘુશંકામાં અહીં પુરુષ જ અભિપ્રેત લાગે છે. આ વિશે પણ વૈદકશાસ્ત્ર એવું સૂચવે છે કે જો પુરુષ જૂની પદ્ધતિ પ્રમાણે ઉભડક બેસીને મૂત્રત્યાગ કરે તો પેડુના નીચેના ભાગમાં જ્યાં બ્લેડર આવેલું છે ત્યાં દબાણ આવવાથી મૂત્રવિસર્જન છેલ્લા ટીપા સુધી સરળતાથી થાય છે.</p>
<p><strong>[2]</strong> ભોજન દરમિયાન મૌન જાળવવું જોઈએ એવો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ મૌન સમજી શકાય એવી વાત છે. ભોજન દરમિયાન જો વાતચીત કે ચર્ચાવિચારણા થાય તો એ બે રીતે હાનિકર્તા બને છે. પ્રથમ તો માણસનું ચિત્ત સો ટકા ભોજનમાં રહેવાને બદલે અન્ય વિચારો તરફ દોરાય છે. આ કારણે લાળગ્રંથિનો સો ટકા સહકાર એને સાંપડતો નથી. બીજું, અન્નનળી અને શ્વાસનળી તદ્દન નિકટ હોવાને કારણે બોલવું અને જમવું એકીસાથે કરવામાં અંતરસ જવાનું જોખમ છે જ. આવા અંતરસ જવાને કારણે શ્વાસ રૂંધાઈ જાય અને મૃત્યુ થયું હોય એવા દાખલા આજેય આપણી નજર સામે છે.</p>
<p><strong>[3]</strong> પિતામહ કહે છે કે જેઓ શય્યા તરીકે કડક પથારી પસંદ કરે છે એમને નિરામય દીર્ઘાયુષ પ્રાપ્ત થાય છે. જેમાં દેહ ફંગોળતાં વેંત એક ઊંડા ઊતરી જવાય એવી વિવિધ બ્રાન્ડોની વૈભવી પથારીઓ ત્યાજ્ય ગણવી જોઈએ એવું હવે આધુનિક તબીબીશાસ્ત્ર પણ કહે છે. કરોડરજ્જુને કારણે પેદા થતી અનેક આનુષંગિક બીમારીઓનું મૂળ આવી પથારીઓ છે અને એનો ઉપચાર સખત સપાટીની પથારી છે. આ વાત હવે સૌ કોઈ સ્વીકારે છે.</p>
<p><strong>[4]</strong> અર્ધી રાત સુધી જેઓ ‘ચતુષ્પથ’ સેવે છે એમને માટે દીર્ઘાયુષ શક્ય નથી. આ ‘ચતુષ્પથ’ શબ્દ સમજવા જેવો છે. ચતુષ્પથ એટલે જ્યાં ચાર રસ્તા એકત્રિત થાય છે એ ચોક. ટૂંકમાં ચોક ઉપર, ચોરા ઉપર, આજના સંદર્ભમાં કહીએ તો ગલીના નાકા ઉપર કે પાનબીડીના ગલ્લા ઉપર જેઓ મોડી રાત સુધી ઝૂમતા રહે છે એમને માટે દીર્ઘાયુષ સંભવિત નથી. મોડી રાત સુધી બહાર મિત્રો સાથે ટોળાટપ્પાં કરીને ઘૂમતા રહેતા તરુણોને જાણે અહીં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નિદ્રા માટે બીજો પ્રહર સહુથી ઉત્તમ ગણાયો છે. આ પ્રહર ટોળાટપ્પાંમાં વિતાવી દીધા પછી જે નિદ્રા પ્રાપ્ત થાય છે એ સ્વપ્નાવસ્થા જેવી હોય છે અને ગાઢ હોતી નથી. સ્વાસ્થ્ય ઉપર આની વિપરીત અસર થાય જ.</p>
<p><strong>[5]</strong> સૂર્યોદય પછી સૂતા રહેવા ઉપર પિતામહ ભીષ્મે નિષેધ ફરમાવ્યો છે. એટલું જ નહિ, બપોરવેળાએ ઊંઘવા વિશે પણ એમણે અપ્રસન્નતા વ્યક્ત કરી છે. આજે ચરબી કે સ્થૂળતાના પ્રશ્નો વધતા રહ્યા છે. ચરબીને કારણે કલેસ્ટરૉલ જેવા વ્યાધિઓ પણ ઉદ્દભવે છે. ચરબીનું સર્જન દેહમાં વહેલી સવારની નિદ્રાવસ્થામાં જ થાય છે એવું આધુનિક વિજ્ઞાન પ્રતિપાદિત કરે છે. જેઓ મધ્યાહ્નના ગાળામાં ઊંઘે છે એમને પણ ભોજનને અંતે જે પાચનનાં પરિણામો મળવાં જોઈએ એમાં મુખ્યત્વે ચરબી જ મળે છે. બપોરના ભોજન પછી આરામ કરવો કે ઘડીક આડે પડખે થવું એ એક વાત છે અને ઊંઘી જવું એ બીજી વાત છે. પિતામહ ભીષ્મ અહીં ઊંઘવા સામે લાલબત્તી ધરે છે, આડે પડખે થવા સામે નહિ.</p>
<p><strong>[6]</strong> રાત્રે ઠાંસીઠાંસીને ભોજન કરવું નહિ, એટલું જ નહિ, ભોજન કર્યા પછી તરત જ ક્યારેય દોડવું નહિ. રાત્રે મોડેથી ભોજન કરવાથી ગૅસ વગેરે વ્યાધિ ઉત્પન્ન થાય છે અને ભોજન કરીને તરત જ જો દોડધામ કરવામાં આવે તો એનાથી પેટના જુદાજુદા રોગો પેદા થાય છે. આ વાત તબીબીવિજ્ઞાન તો સ્વીકારે જ છે, પણ આપણા સહુના પ્રત્યક્ષ અનુભવની પણ છે.</p>
<p><strong>[7]</strong> ઉત્તરદિશામાં ઓશીકું રાખીને નિદ્રાધીન થનારનું આયુષ્ય ક્ષીણ થાય છે. દેહમાં અમુક ચોક્કસ પ્રકારની ગુરુત્વાકર્ષણશક્તિ રહેલી હોય છે અને માણસ જ્યારે નિદ્રાવશ થાય છે ત્યારે આ શક્તિપ્રવાહ શાંત થઈ જાય છે. શક્તિનો પ્રવાહ હંમેશા જે ભાગમાં અણીવાળો વિસ્તાર હોય એ ભાગમાં એકત્રિત થાય છે એ પદાર્થવિજ્ઞાનનો સિદ્ધાંત આપણે સહુ જાણીએ છીએ. પ્રાચીન આર્ય સ્ત્રીપુરુષો લાંબા વાળ રાખતા, એટલું જ નહિ, પુરુષો માટે શિખાનું પણ એક ખાસ મહત્વ હતું. રાત્રિ દરમિયાન દેહમાં શાંત થયેલી ગુરુત્વાકર્ષણ શક્તિ મસ્તકના સહુથી વધુ અણિયાળા વિસ્તાર એટલે કે વાળમાં આવીને એકત્રિત થતી હોય છે. ઉત્તરધ્રુવના બિંદુમાં જે ગુરુત્વાકર્ષણ વસેલું છે એવું જ આકર્ષણ દેહમાં છે. આકર્ષણનો આ ઊર્જાપ્રવાહ નિદ્રાવસ્થા દરમિયાન મસ્તકમાં અને ખાસ કરીને વાળમાં સ્થિર થતો હોવાથી ઉત્તરમાં દિશા અને મસ્તકના આ પ્રવાહો વચ્ચે અપાકર્ષણ થાય છે. ઉત્તરનું ચુંબકીય તત્વ વધુ સમર્થ હોવાને કારણે દેહની ચુંબકીય ઊર્જા એનાથી અપાકર્ષિત થઈને શરીરમાં પાછી ધકેલાય છે. પરિણામે એ ગાઢ નિદ્રામાં વિઘ્નકર્તા થાય છે. આવી અધૂરી નિદ્રાને કારણે લાંબા વખતે તન અને મન બંનેમાં અજંપો પેદા થાય છે.</p>
<p><strong>[8]</strong> મૈથુન (sex) દિવસ દરમિયાન વર્જ્ય ગણાયું છે, એટલું જ નહિ, સ્ત્રી એના માસિકધર્મ પછી અમુક ચોક્કસ દિવસોમાં હોય ત્યારે જ મૈથુન ઈષ્ટ છે, અન્યથા એ મનુષ્યને ક્ષીણ કરે છે. – આધુનિક વિજ્ઞાનમાં આ વિશે ઠીકઠીક મતભેદ છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે વહેલી સવારે જ્યારે મન અન્ય ઉત્તાપોથી મુક્ત થયાં હોય અને તન ઓછામાં ઓછાં શ્રમિત હોય એવા વખતે જો સંબંધ થાય તો મૈથુનનો પૂર્ણ સંતોષ અને સંભવિત બાળકનો પૂર્ણ વિકાસ થાય એવું આજે અમુક પશ્ચિમના નિષ્ણાતો કહે છે. આથી ઊલટું મોટા ભાગે એવું સ્વીકારાયું છે કે મૈથુન પછી તરત જ બંને પક્ષે એક જાતનો થાક અને નિર્વેદ એમ બંને લાગણી પેદા થતી હોય છે. આમાંથી મુક્ત થવા માટે મૈથુનનો ઉત્તમ સમય રાત્રિનો બીજો પ્રહર ગણાયો છે. એ પછી થોડા કલાકોની સ્વસ્થ નિદ્રાથી વળતે દિવસે તાજગીનો અનુભવ થાય છે. આ લક્ષમાં લેતાં પિતામહ ભીષ્મનું મૈથુનવિષયક નિરીક્ષણ વિચારવા જેવું છે.</p>
<p><strong>[9]</strong> દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, રોષ, અણગમો – આ બધા અમંગળ ભાવો ગણાયા છે. શત્રુતા, હત્યા વગેરે ક્રૂર વિચારો છે. આવા અમંગળ ભાવો તથા ક્રૂર વિચારોથી જે સતત ઘેરાયેલો રહે છે એ પોતાનું આયુષ્ય ક્ષીણ કરે છે. – આજે વિજ્ઞાને એક વાત સિદ્ધ કરી છે કે ડાયાબિટીસ, હૃદયરોગ, લોહીનું દબાણ, અલ્સર જેવા ઘણાખરા જીવલેણ રોગ કંઈ રાતોરાત થતા નથી. આ દરેક પ્રકારના રોગીની માનસિક અવસ્થા કેવીકેવી હોઈ શકે એનોય અંદાજ હવે કાઢવામાં આવ્યો છે. વરસો સુધી જેણે મનમાં સતત પીડા સહન કરી છે, ક્યારેય કોઈની સમક્ષ દિલ ખોલીને જેણે વાત કરી નથી, પારિવારિક જીવનમાં જેણે સદાય ચિંતા અને ક્રોધ વચ્ચે જ જીવન વિતાવ્યું છે એ બધા લોહીનું ઊંચું દબાણ કે હૃદયરોગનો ભોગ બને છે. આ બધા નિષેધાત્મક ભાવો જેઓ સતત સેવે છે એ વખત જતાં જુદાજુદા રોગનો ભોગ બને અને એમનો દેહ સહેલાઈથી મૃત્યુની દિશામાં આગળ વધે એવો જ સંકેત એમાં છે. ખાસ કરીને ક્રોધ, ઈર્ષ્યા અને ચિંતા – આ ત્રણ લાગણીઓ માટે પિતામહ ભીષ્મનું આ નિરીક્ષણ કોઈ પણ માણસને સ્વીકાર્યા વિના ચાલે નહિ.</p>
<p><strong>[10]</strong> ઉપવાસ, મૌન અને પ્રાણાયામને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જેઓ અવારનવાર ઉપવાસ કરે છે કે નિયમાનુસાર મૌન પાળે છે એમને થતા પરોક્ષ લાભોની ગણના આજે આપણે કરી શકીએ એમ છીએ. એકાદશીનો ઉપવાસ આપણે ત્યાં એક પ્રથા તરીકે સ્વીકારાયો છે. ઉપવાસના બીજા દિવસે પારણા તરીકે હળવા ભોજનનો આદેશ છે. આ પછી તેરસ, ચૌદસ અને પૂનમ કે અમાવાસ્યા આ ત્રણ દિવસો સમુદ્રમાં મહત્તમ ભરતીના દિવસો છે. એને કારણે પૃથ્વીનું વાતાવરણ વધુ ભેજવાળું બને. આ ભેજવાળી હવા રોગિષ્ઠ હોય એટલે બીમાર કે વૃદ્ધ માણસ માટે આ હવા કષ્ટદાયક થાય અને સામાન્ય તંદુરસ્ત માણસને પણ જો એણે પ્રતિકારશક્તિ એકત્રિત કરી ન હોય તો એનેય રોગિષ્ઠ બનાવે એવો ભય રહે છે. આ બધું લક્ષમાં લેતાં એકાદશીનો ઉપવાસ ઘણીબધી રીતે હિતાવહ લેખાવો જોઈએ. મૌન પણ માણસની આંતરિક શક્તિને વધુ સ્વસ્થ અને સમર્થ બનાવવામાં સહાયરૂપ થાય છે. વળી માણસના આયુષ્યની મર્યાદા, વરસો ઉપરાંત, ચોક્કસ શ્વાસોચ્છવાસની સંખ્યામાં પણ માંડવામાં આવે છે. ઋષિઓ અથવા પ્રાણાયામ કરનારાઓ દિવસનો ચોક્કસ સમય પ્રાણ રોકી નાખે છે. ફલતઃ એમના આ બચેલા શ્વાસો રોજેરોજ વધતા જઈને એમને દીર્ઘાયુષ આપે છે.</p>
<p>આ ઉપરાંત બીજાં પણ કેટલાંક કરવા જેવાં અને નહિ કરવા જેવાં કેટલાંક આચરણોની પૂરી સંહિતા મહર્ષિ વ્યાસે પિતામહ ભીષ્મ દ્વારા આપણને કહી છે.</p>
<p>[કુલ પાન : 80. કિંમત રૂ. 55. પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેમ્બર્સ, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ. ફોન : +91 281 2232460. ઈ-મેઈલ : pravinprakashan@yahoo.com ]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/01/jo-to/feed/</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
		</item>
	</channel>
</rss>

