લૉટરી – નાનાભાઈ હ. જેબલિયા
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : નાનાભાઈ હ. જેબલિયા
14 પ્રતિભાવો
[ અમરેલીથી પ્રકાશિત થતા ‘છાલક’ સામાયિકમાંથી સાભાર.]
હમણાં તો એ ચાહી ચાહીને બજારમાં નીકળતાં અને ચાલને એવી ચૂપ રાખતા કે ન પૂછો વાત. હાથમાં રહેતો નેતરનો ડંડો પણ અવાજ ન કરતો ! પોતાનો ખાંચો પૂરો થાય, બજાર શરૂ થાય કે એક ચિકિત્સક નજરથી આગળ પાછળ જોઈ લેતા.
એમને ખબર હતી કે પોતે લીંબડાવાળા ચોકમાં પગ મૂકશે કે ત્યાં એમની ભરપૂર નિંદા થતી હશે. છતાં એ લીંબડાવાળા ચોકમાં પગ મૂકતા. ધોળાવાળના લચકાવાળા એમના કાન એ સરવા કરતાં અને એ સાથે જ લોકો એમની ગુસપુર શરૂ કરી દેતા :
‘શું બોલો છો… આણે પોતે ?’
‘હા હા એણે પોતે. ગામ આખું જાણે છે…’
‘ગજબ કર્યો…. ડોસાએ. એવું કામ !’
‘અરે, ફટ્ય કે’વાય… ભલા માણહ….’
‘હાળા નવરા !’ એ પોતાનો ડંડો ધૂળમાં પછાડીને લાલચોળ થઈ જતાં. પણ વળી પાછા એ ભાનમાં આવતા સંયમ કેળવી લેતાં. નિંદકોને તુચ્છ દેખાડવા અને સ્વસ્થ બની જવાં સમર્થ પ્રયાસ કરતા. દુનિયા વાતો કરે છે એ સાથે પોતાને કોઈ નિસ્બત નથી એવું પ્રતીતિ કરાવવા એ બોખા મોં પર હાસ્ય ઓઢી લેતાં અને પછી ધીમેથી ચાલવા માંડતા. પરંતુ એમની ચાલમાં ગડમથલ થઈ જતી. ઓખાઈ પગરખાં રાંટાંફાંટાં થઈ જતાં અને પાઘડીનો એકાદ આંટો ઊખળીને ગળામાં લટકી પડતો…. અને ઉછીની આવેલી એમની સ્વસ્થતા જતી રહેતી. રીસભર્યા શબ્દોની એમના બોખા મોં માંથી પછી ધાણી ફૂટવા માંડતી : ‘હવે આખી દુનિયા લ્યે છે. એમ મેં પણ લીધી છે. અને એ પણ ક્યાં રામજી ભામજીની છે. મરદ મુછાળા પંજાબ સરકારની છે. ખાસ્સા રૂપિયા ત્રણ લાખ.. ત્રણ લાખ રૂપિયા એટલે ! સાત પેઢીનું દાળદર કાઢી નાખે, બેટાવ !’
વધુ આગળ વાંચો »
એક હતો ‘અ’…. – અભય દેસાઈ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : અભય દેસાઈ
44 પ્રતિભાવો
[વાર્તાલેખનમાં એક પ્રકાર એવો છે જેમાં સર્જક વાચકની સામે જાણે કે એક ચિત્ર મૂકી આપે છે. વાર્તામાં કશું જ સીધું કે સ્પષ્ટ કહેવામાં આવતું નથી (પિપલી [લાઈવ]ની જેમ). તેના પ્રસંગોનું અર્થઘટન વાચકે જાતે કરવાનું રહે છે. પાત્રોના મનોભાવની લિપિ વાચકે જાતે ઉકેલવી પડે છે. જેને તે લિપિ સમજાતી નથી તેને વાર્તા અધૂરી લાગે છે. ઘણીવાર એકથી વધુ વાર વાંચવામાં આવે ત્યારે આ સ્તરની વાર્તાઓનો સંદેશ સ્પષ્ટ થતો હોય છે. સૈદ્ધાંતિક રીતે આ રીતની વાર્તાઓ લખવી કઠીન છે. રીડગુજરાતી વાર્તા-સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી પ્રસ્તુત વાર્તા એ પ્રકારની છે. ‘ગુજરાતી નવલકથામાં પાત્ર નિરૂપણ’ વિષય પર જેમણે પી.એચ.ડી. કર્યું છે તેવા સ્પર્ધાના નિર્ણાયકો પૈકી શ્રી રમેશભાઈ દવે એ જણાવ્યું હતું કે ‘આ વાર્તાનો પટ બહુ વિશાળ છે. તે વ્યક્તિના સમગ્ર જીવનને આવરી લે છે. એથી વાર્તાકારે એમાં ‘દશ્ય’ પદ્ધતિથી લખવાની રીત અજમાવી છે. કારણ કે એ રીતે લખવાથી લેખક ‘સ્થળ’ અને ‘સમય’ દર્શાવીને લાંબા વર્ણનોમાંથી વાર્તાને બચાવી લે છે. જેમ કે ‘સ્થળ : લીલોછમ બગીચો, સમય : સાંજ’ એમ લખ્યા પછી એ સાંજનું વર્ણન કરવાનું રહેતું નથી. આ રીતે આ વાર્તામાં ‘ટૂંકીવાર્તા’ અને ‘એકાંકી’ એમ બંને સાહિત્યપ્રકારોનું મિશ્રણ થાય છે. વળી, વાર્તામાં કોઈ એક પાત્ર સાથે અમુક ઘટના ઘટે છે એવું લેખકને બતાવવું નથી. લેખકનો ઉદ્દેશ છે કે આ સર્વસામાન્ય ઘટનાઓ દરેકના જીવનમાં ઘટે છે. તેથી તેણે પાત્રનું નામ પણ રાખ્યું નથી. ‘અ’નામના પાત્રમાં દરેકને પોતાનું પ્રતિબિંબ દેખાય છે.’ વાર્તાના સર્જક શ્રી અભયભાઈએ જણાવ્યું છે કે : ‘આ વાર્તામાં મેં એક મધ્યમવર્ગના માનવીનો ચિતાર રજૂ કર્યો છે. સમય અને સંજોગો પ્રમાણે તેના વિચારો અને હાવભાવ કેવા બદલાતા રહે છે તેના આ દશ્યો છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે તે કેવો ભીંસાય છે તેનું આ આલેખન છે. વળી, એક સમયે માતા તેના જીવનમાંથી વિદાય લે છે, બીજી તરફ નોકરીમાંથી નિવૃત્ત થાય છે અને ત્રીજી તરફ દીકરો પરદેશ ભણવા જતો રહે છે… આ બધી ધીમે ધીમે બનતી ઘટનાઓના સમયે વ્યક્તિ અંદરથી શું અનુભવે છે તેનું પ્રતિબિંબ ઝીલવા પ્રયાસ કર્યો છે.’ ટૂંકમાં, આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આપણે વાર્તામાં પ્રવેશવાનું છે. આપણે નિર્ણાયકોનો નિર્ણય કેટલો સાચો તે મૂલવવાનો નથી, આપણે વાર્તા માણવાની છે અને તે માણતાં માણતાં તેની લિપિને ઉકેલવાની છે. વાર્તાના સર્જક શ્રી અભયભાઈ વડોદરા નિવાસી છે. હાલમાં તેઓ મુંબઈ સ્થિત એક ટેલિકોમ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. શ્રી અભયભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9833871028 અથવા આ સરનામે shitalabhay@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]
એક વાત આજે મારે માંડવી છે. એક માણસની વાત…. એ મારા, તમારા, આપણા જેવો જ એક માણસ છે. હા, કદાચ બાહ્ય રીતે જુદો લાગે. પણ મૂળે તો આપણા જેવો જ. માણસ જેવો માણસ વળી… આ તો એક હતો ‘અ’. જોકે આપણે તેને ‘અ’ કે ‘ક’ કે ‘ડ’ કંઈ પણ કહી શકીએ. તેનાથી કોઈ ફેર પડતો નથી. તેને પણ નહીં અને આપણને પણ નહીં. આપણા મહાન વાલ્મિકીજીએ કહ્યું છે ને કે, નામમાં વળી શું રાખ્યું છે ?
હેં ! શું કહ્યું ? શેક્સપિયરે કહ્યું છે ? વાલ્મિકીએ નહીં, એમ ને ?
હા, ભાઈ, ભલે એમ રાખીએ. પણ ભાઈ, જ્યાં ઉક્તિ જ નામમાં શું રાખ્યું છે હોય તો તે કહેનારનું નામ વાલ્મિકી હોય કે શેક્સપિયર, શું ફરે પડે ? હેં શું કહ્યું ? મૂળ વાત શરૂ કરું ? તો સાંભળો, એક હતો ‘અ’. એ કોણ છે ? શું કરે છે ? જાણવું છે ? તો ચાલો, મારી સાથે સફર કરવા….
વધુ આગળ વાંચો »
રૂપાની ઝાંઝરી – નિશિતા સાપરા
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : નિશિતા સાપરા
69 પ્રતિભાવો
[‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2010’માં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી આ કૃતિના યુવાસર્જક શ્રીમતી નિશિતાબેન MCA કર્યા બાદ ‘સોફટવેર ડિઝાઈન અને ડેવલપમેન્ટ’ ક્ષેત્રે અમેરિકાની એક કંપનીમાં કાર્યરત છે. વાંચન તેમનો મુખ્ય શોખ છે. પ્રસ્તુત વાર્તા તેમની પ્રથમ કૃતિ છે. નિશિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +001 503 367 3251 અથવા આ સરનામે nishi.dalwadi@gmail.com સંપર્ક કરી શકો છો.]
સવારથી જેઠા પટેલની ડેલીએ દોડધામ મચી ગઈ હતી. પટેલ, પટલાણી, વનરાજ, ભીખલો અને જીવલી….બધાંય રૂપા વહુની ઝાંઝરી શોધવામાં લાગી ગયા હતા. ત્રણ માળની ડેલીનો ખૂણો ખાંચરો શોધી વળવા છતાંય વહુની એક પગની ઝાંઝરી જડતી નહોતી.
‘કોઈની નજર લાગી હશે. મૂઈ ઝાંઝરીએ તો આખા ગામને ઘેલું લગાડેલું. કાલે વળી કરસનભાઈના દીકરા મોહનના વરઘોડામાં….’ મંગળા પટલાણી જીવી સામું જોઈને બોલતાં બોલતાં અટકી ગયા.
‘કાલે તો રૂપા વહુએ તે ઝાંઝરી પહેરીને શું ગરબા રમ્યા છે કે આખું ગામ જોતું રહી ગયેલું…’ જીવલીએ ટાપશી પૂરાવી.
‘ઘરે આવી ત્યાં સુધી તો ઝાંઝરી પગમાં જ હતી. થાકીને એવી લોથપોથ થઈ ગયેલી કે ક્યારે આંખ મળી ગઈ તે ખબર જ ના પડી. સવારે જોયું તો એક પગની ઝાંઝરી ના મળે.’ રૂપા વહુએ લક્ષ્મી ભાભીને મેડા પર આવતાં જોઈને કહ્યું.
‘તોરલને નિશાળ માટે બહાર મુકવા ગઈ ત્યારે વરંડો આખો જોઈ વળી. સવારથી આખું રસોડું જોઈ લીધું. ક્યાંય તારી ઝાંઝરી ના મળી, ભૈસાબ !’ લક્ષ્મી દાદર ચઢતાં બોલી.
‘બા, કોઈ ધાપ તો નહિ મારી ગયું હોય ને ?’ ભીખલાએ આમતેમ શોધતાં કહ્યું.
‘ઘરમાંથી કોણ લઈ જવાનું હતું ? બોલ બોલ કર મા !’ બાએ છણકો કર્યો.
વધુ આગળ વાંચો »
ઓગણીસમો અધ્યાય – ગુણવંતરાય ભટ્ટ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : ગુણવંતરાય ભટ્ટ
13 પ્રતિભાવો
[તાજેતરમાં પ્રકાશિત થયેલ ટૂંકીવાર્તાઓના પુસ્તક ‘લપસતી સડકો’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
વસુબહેને તેમના નાના બંગલામાં એક સુંદર દેવસ્થાન બનાવડાવ્યું હતું. સુપ્રભાતે સ્નાનાદિ પતાવીને ત્યાં બેસી પૂજા કરવાનો તેમનો નિત્યનિયમ હતો. દેવસ્થાનમાં રાખેલી ભગવાનની છબીઓ તે ત્યાં રાખેલા કપડાથી લૂછ્યા પછી કંકુના ચાંદલા કરવા, ઘીનો દીવો પ્રગટાવવો, અગરબત્તી કરવી અને તેના સાંનિધ્યમાં આસન પર બેસી ગાયત્રીની એક માળા જપવી. પછી ગીતાના પાઠના એક અધ્યાયનું વાચન કરવું. આ તેમની દેવપૂજા હતી.
પૂજામાંથી પરવારીને ઈશ્વરનામોચ્ચાર કરતાં ઊભા થતાં ધનવંતભાઈને સંભળાવતાં બોલ્યાં, ‘ગીતાપાઠ કર્યા પછી ગીતામાહાત્મય વાંચીએ નહિ તો ગીતા વાંચ્યાનું ફળ મળે નહિ. માહાત્મય તો વાંચવું જ જોઈએ.’ તેમણે ચશ્માં કાઢી ઘરામાં મૂકીને ટિપોઈ પર મૂક્યાં.
‘માહાત્મય તો વાંચવું જ જોઈએ, સાચી વાત છે.’ ખુરશીમાં બેસીને છાપું વાંચતા ધનવંતભાઈએ પ્રતિભાવ આપ્યો. પછી ઉમેર્યું, ‘ગીતા વાંચીએ તે પણ શ્રદ્ધાથી વાંચવી જોઈએ, તેમાંની કોઈ વાત ગળે ઊતરે તેવી ન હોય તો શંકા લાવવી જોઈએ નહિ. ભાવાર્થ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ગીતાનો એકેએક શબ્દ આપણને કાંઈકનું કાંઈક જ્ઞાન આપે છે. તે જ્ઞાન જીવનમાં ઉપયોગી થઈ પડે છે. શ્રદ્ધાથી વાંચીને સમજવું જોઈએ આપણે.’
‘દરરોજ વાંચતાં હોઈએ એટલે સમજીએ તો ખરાં જ ને. અને માહાત્મય વાંચીએ એટલે ફળ તો મળવાનું જ છે. પછી માણસને શું જોઈએ ? વસુબહેને તારણ કાઢ્યું. તે સામેના દીવાન પર બેઠાં.
વધુ આગળ વાંચો »
એરકન્ડિશન સોસાયટી – ગિરીશ ગણાત્રા
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : ગિરીશ ગણાત્રા
20 પ્રતિભાવો
[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]
બળબળતા ઉનાળાની એક બપોરે ટ્રેનમાંથી ઉતરી સ્ટેશનની બહાર ઊભેલી રીક્ષાઓમાંથી એક આગળ ઊભાં રહી અંદર બેગ ગોઠવી કે પેસેન્જરની રાહ જોતાં રીક્ષાવાળાએ મીટરનો ફલેગ ડાઉન કરતાં પૂછ્યું :
‘ક્યાં જવાનું ?’
‘સાકેત સોસાયટીમાં.’
‘સાકેત સોસાયટી ? એ ક્યાં આવી ?’ રીક્ષાવાળાએ મારી સામે જોતાં પૂછ્યું.
મેં ગજવામાંથી ડૉ. હર્ષદ ભટ્ટીનું વિઝિટીંગ કાર્ડ કાઢ્યું. એમાંથી સરનામું વાંચતાં બોલ્યો : ‘જવાહર રોડ’ અને પછી, એ સ્થળે એક વખત આવી ગયો હોવાથી ઉમેર્યું, ‘નેરોગેજ રેલવે સ્ટેશનના પાટા પાછળ જે ઢાળવાળું ફાટક આવે છે ને, બસ, એ ફાટક ક્રોસ કરો તો સામે જ સાકેત સોસાયટી આવે છે…..’ આટલી બધી નિશાનીઓ આપ્યા છતાંય રીક્ષાવાળાએ મારી સામે મૂંઝવણભર્યું જોયાં કર્યું.
મને નવાઈ લાગી. આ નાનકડું શહેર એટલું બધું વિસ્તરેલું નહોતું કે આટલું સરનામું અને આટઆટલી નિશાનીઓ આપ્યા પછીય રીક્ષાવાળાને મૂંઝાવું પડે. આ નાનકડા શહેરની વસતિ વધી વધીને બહુ બહુ તો એક-સવા લાખ જેટલી થઈ હશે. શહેર પણ કંઈ એટલું પહોળે પટે વિસ્તરેલું પણ નહીં. અને છતાંય આ રીક્ષાવાળાને વળી સરનામાની શી મૂંઝવણ પડી હશે ? કદાચ આ શહેરમાં કોઈ સગાને સહારે આવી નવો નવો ધંધો શરૂ કર્યો હશે એટલે મૂંઝાયો હશે. મેં ફરી વખત, વર્ષો પહેલાં જોયેલી આ જગાનું વર્ણન કરવા માંડ્યું ત્યાં બાજુમાં ઊભેલા એક બીજા રીક્ષાવાળાએ પૂછ્યું :
‘કોને ત્યાં જવું છે ?’
‘ડૉ. હર્ષદ ભટ્ટીને ઘેર.’
‘મગન, સાહેબને લીલીછમ સોસાયટીમાં મૂકી આવ.’
તુરત જ મારા રીક્ષાવાળાએ પગ આગળનું હેન્ડલ ખેંચતા કહ્યું : ‘ત્યારે સાહેબ એમ બોલોને કે લીલીછમમાં જવાનું છે.’
વધુ આગળ વાંચો »
કમાણી – અર્જુન કે. રાઉલજી
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : અર્જુન કે. રાઉલજી
27 પ્રતિભાવો
[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
‘આખી જિંદગી માસ્તરી કરી પણ સિદ્ધાંતોનું પૂછડું પકડી પકડીને ફર્યા – પપ્પા તમે. પણ શું કમાયા ? તમારી જિંદગીની કમાણી કેટલી ?’
યુવરાજ – તમારો જ પુત્ર. તમને જાણે કે ગરમ ગરમ તપેલા સળિયાના ડામ દઈ રહ્યો હતો. તમારું અંતર ચચરી રહ્યું હતું. પત્નીને ગઈકાલે રાત્રે જ ઍટેક આવ્યો હતો પણ તમારી નાણાકીય હાલત કાંઈ એટલી બધી સદ્ધર નહોતી કે તમે તમારી પત્નીને કોઈક જાણીતી ખાનગી હાર્ટ હૉસ્પિટલમાં દાખલ કરાવી શકો. એટલે તમે તો 108 ઍમ્બ્યુલન્સ બોલાવી, સરકારી દવાખાનામાં તેને દાખલ કરી દીધી હતી. જ્યારે તમારો પુત્ર યુવરાજ હમણાં જ સરકારી દવાખાનેથી આવ્યો હતો અને તેની ઈચ્છા એવી હતી કે તેની મમ્મીને કાં તો બરોડા હાર્ટ અથવા બૅન્કર્સ હાર્ટમાં જ એડમીટ કરી દેવી જેથી તેની ટ્રીટમેન્ટ તો વ્યવસ્થિત જ થાય ! કોઈ પણ હિસાબે તે તેની મમ્મીને બચાવી લેવા માગતો હતો.
તો તમે પણ ક્યાં પત્નીને મરવા દેવા માગતા હતા મનસુખલાલ સાહેબ ? પણ તમારી પણ એક મજબૂરી હતી ને ? ચાર-ચાર દીકરીઓ પરણાવ્યા પછી – તેમને મોં માગ્યું દહેજ આપ્યા પછી – તમારી પાસે આટલી મોંઘવારીમાં બાકી શું વધે ? અને તેમાંય પાછો યુવરાજને સેલ્ફ ફાયનાન્સ એન્જિનિયરીંગ કૉલેજમાં ડોનેશન આપીને દાખલ કરાવ્યો !
વધુ આગળ વાંચો »
બે સીટવાળી સાયકલ – રમેશ શાહ
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : રમેશ શાહ
22 પ્રતિભાવો
[પુન:પ્રકાશિત]
વૃધ્ધાશ્રમના એક ખુણામાં પડેલી એક સાયકલ જોઈને નવાઈ લાગી. થયું, અહી આ બે સીટ વાળી સાયકલ નું શું કામ ? કોણ ચલાવતું હશે? કૂતુહલ થી મેનેજર ને પુછ્યું તો જણાવ્યું કે રૂમ નંબર અગિયારમાં રહેતાં દેસાઈ આવ્યા પછી થોડા જ વખત માં આ સાયકલ તેમને ઘરેથી મોકલવા માં આવી છે. હજુ તો હું મેનેજર સાથે વાત કરતો હતો ત્યાં એક વૃધ્ધ કપલ હાથમાં પૂજાની થાળી લઈને સાયકલ પાસે આવ્યુ. રીતસર સાયકલની પૂજા કરી, ચાંદલો કર્યો, હાર પહેરાવ્યો જાણે દશેરા એ પોતાની કારની પૂજા કરતાં હોય ! કપલ પાછું વળ્યું. પાછા વળતા એકબીજા ના હાથ પ્રેમથી પકડ્યા હતાં. તેમના ચેહરાં પરની પ્રસન્નતા વાંચી શકાતી હતી. કુતુહલ વશ હું તેમની પાછળ પાછળ ચાલ્યો. રૂમમાં દાખલ થતાં મને જોઈને એમની આંખ ચમકી. આંખમાં રહેલો પ્રશ્ન વાંચતા મેં મારી ઓળખાણ આપતાં નામ કહ્યુ અને હું આશ્રમ નો ટ્રસ્ટી છું એ પણ જણાવ્યું. તેમણે અભિવાદન કરતાં મને બેસવા માટે ખુરશી ખેંચી.
‘મારુ નામ અંબુલાલ દેસાઈ અને આ મારા પત્ની કુલજીત’ હું કંઈ બોલુ તે પહેલા જ સમજી જતાં તેમણે જ કહ્યું ‘હું અનાવિલ બ્રાહ્મણ અને કુલજીત પંજાબી છે’. મને સ્વાભાવિક આંચકો લાગ્યો. અને એ શમે તે પહેલા બીજો આંચકો તેમણે આપ્યો. ‘અહી વૃધ્ધાશ્રમમાં અમે કંઈ દીકરા-દીકરી કે વહુ-દીકરા ના ત્રાસથી નથી આવ્યા કે નથી કોઈ અમને પરાણે મૂકી ગયું. અમે તો સ્વેચ્છા એ અહીં એટલા માટે આવ્યા છીએ કે જીદંગી આખી જે રીતે ગુજારી છે, બાકી વર્ષો પણ એ જ મુગ્ધ મધુરપથી એક્બીજાનાં સહવાસમાં જ પૂરા કરી શકીયે. ના કોઈ અમારી મશ્કરી કરે કે ના કોઈ અમારા પર હસે’
વધુ આગળ વાંચો »
દ્વિધા – પ્રીતમ લખલાણી
પ્રકાર: ટૂંકી વાર્તા
સાહિત્યકાર : પ્રીતમ લખલાણી
40 પ્રતિભાવો
[‘અખંડ આનંદ’માંથી સાભાર. આપ શ્રી પ્રીતમભાઈનો (ન્યુયોર્ક) આ નંબર પર +1 585 334 0310 સંપર્ક કરી શકો છો.]
અમૃતલાલ સ્વભાવે આમ તો કોઈને નડે એવા નહોતા. છતાં સવાર પડતાં જ દીકરા વેદાંતની વહુ આરતીને કારણ વિના ઠેબે ચઢી જતા. આજે વહેલી સવારે શાક લેવા જવા આરતી પર્સ ગોતવા અહીંતહીં ફાંફાં મારતી હતી. ન જાણે પર્સ ક્યાંક મુકાઈ ગયું હશે એટલે આરતીને મળતું નહોતું. પર્સ શોધતાં ગુસ્સામાં આરતીના ઠેબે અમૃતલાલની લાકડી ચઢી ગઈ. આરતીનો ગુસ્સો સાતમા આસમાને ચઢી ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં તે મનોમન બબડી, ‘હે પ્રભુ, હવે આ ઘરમાંથી આ લાકડી જાય તો ઘરમાં ક્યાંક પગ મૂકવા જગ્યા થાય.’
અને ત્યાં જ ઘરના ફોનની ઘંટડી રણકી ઊઠી.
‘હલ્લો આરતી !’
‘બોલ પૂનમ. શું ખબર છે ?’
‘બસ, કાંઈ નવીન નથી. આટલીવહેલી સવારે તને યાદ કરાવવા ફોન કર્યો કે તું આજે સમયસર કીટી પાર્ટીમાં આવી જજે. છેલ્લા બે ત્રણ વખતથી અમે બધી સહેલીઓ તને બહુ મિસ કરીએ છીએ.’
‘પૂનમ, હું તને ફોન પર શું કહું ? મને જેટલી ચિંતા દિવસના ત્રણ ટંકના વેદાન્તના ભોજનની નથી હોતી, એટલી ઘરમાં મારે માથે ચોવીસ કલાક ખોડાઈને પડેલા આ ડોસાની છે. મૂવો પોતે તો મરીને છૂટતો નથી અને મને પણ છુટકારો દેતો નથી. હમણાં હજી સવારમાં જ તેનાં ચાપાણી નાસ્તો તૈયાર કરીને જરા પરવારી ત્યાં હજી અગિયાર વાગ્યા નથી અને માથે આવીને ઊભો રહેશે, ‘આરતી વહુ, લંચને હજી ભલા કેટલી વાર છે ?’ જો પૂનમ, લંચમાંથી વહેલી પરવારી જઈશ તો આજ જરૂર કીટી પાર્ટીમાં આવવાની કોશિશ કરીશ.’
‘તો પછી આરતી, હું એમ જ માની લઉં છું કે આપણે આજે બપોરે પાર્ટીમાં મળીએ છીએ.’
વધુ આગળ વાંચો »





