શાંતિ, આનંદ, પ્રેમ આદિ તત્વોની આપણી શોધ વસ્તુત: સત્ ની શોધ છે. શક્તિ, જ્ઞાન અને સ્વતંત્રતાની શોધ વસ્તુત: ચિત્ ની શોધ છે. સૌંદર્ય આનંદ અને પ્રેમની શોધ વસ્તુત: આનંદની શોધ છે.
વિભાગ : અધ્યાત્મિક લેખ
ભારતવર્ષમાં શિવને પરમાત્મ સ્વરૂપ માનવામાં આવે છે. શિવપંથીઓ શિવના વિભિન્ન સ્વરૂપોને પૂજે છે. તેમને મહેશ, ભોલેનાથ, ભોલેબાબા, શિવ, શંકર, નટરાજ વગેરે નામોથી ભજવામાં આવે છે. મંદિરોમાં શિવજીની લિંગ સ્વરૂપે ભજના થાય છે. વિવિધ ચિત્રોમાં શિવજીને સન્યાસી, રાખ-ભભૂતિ લગાવેલા, સર્પથી આચ્છાદિત, ત્રિશુલધારી સ્વરૂપે દર્શાવાય છે. આપણી પરંપરામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સર્જનહાર, પાલનહાર અને સંહારક સ્વરૂપમાં જોવામાં આવે છે. આ બધી ઉપમાઓ અને પ્રતીકોની પાછળ છુપાયેલું શિવજીનું સાચું સ્વરૂપ શું છે?
ભારતના સંદર્ભમાં દાર્શનિક સાહિત્યનું અધ્યયન બહુ જ વૈવિધ્યસભર અને રસપ્રદ છે. આ અધ્યયનને રાષ્ટ્રીય મૂલ્યો, સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓના પરિપ્રેક્ષ્યમાં જોઈએ.
આપણા જીવનમાં ઘણીવાર એવો સમય આવતો હોય છે જ્યારે આપણને લાગે છે કે બસ હવે થોડી જ ક્ષણોમાં કોઈ મોટી અમંગળ દુર્ઘટના ઘટવાની છે અને તેનાથી આપણી નિજી દુનિયા સાવ ખતમ થઈ જશે અથવા તો આપણને એમ લાગે છે કે આ દુનિયામાંથી આપણું અસ્તિત્વ જ નેસ્તનાબૂદ થઈ જશે અને એમ નહિ થાય અને આપણું અસ્તિત્વ રહેશે તો પણ આપણા માટે જીવન હવે જીવવા જેવું તો નહિ જ રહે.
એક માણસ સીડીનાં પગથિયાં સડસડાટ ચડતો જતો હતો. એ ખુશ હતો કે હું દરેક પગથિયાને સફળતાપૂર્વક પાર કરી નિર્ધારિત મુકામ પર પહોંચી રહ્યો હતો. જ્યારે એ સીડીના છેલ્લા – સૌથી ઉપરના પગથિયે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે એની સીડી તો ખોટી – બીજી દીવાલ પર ટેકવેલી હતી ! એ છેવટ સુધી પહોંચ્યો પણ મુકામ પર નહીં. માત્ર સીડીનાં પગથિયાં પર ચડી જવું એ સુખ નથી, પ્રાપ્તિ નથી, ક્યાં પહોંચીએ છીએ તે વાત અગત્યની છે.
આ ઉપનિષદ શ્લોક છે. ઉપનિષદનો અર્થ ‘ગુરુની નિશ્રામાં જ્ઞાનની જિજ્ઞાસાથી બેસવું’. આમ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ જ્ઞાન એવા આપણાં ઉપનિષદો ગુરુ અને શિષ્ય વચ્ચે થયેલ સંવાદો છે. ઉપનિષદકાળમાં જ્ઞાનસત્રની શરૂઆત હંમેશા ઉપરોક્ત શ્લોકથી થતી. આ શ્લોકનો સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે – ‘તે (બાહ્ય - ભૌતિક) જગત પૂર્ણ છે, આ (આંતરિક - અધ્યાત્મિક) જગત પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ પૂર્ણ જન્મે છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેતા શેષ વધે તે પણ પૂર્ણ જ છે.’ આ શ્લોક વિષે આખું પુસ્તક લખી શકાય. શ્લોકનો અંતિમ ભાગ ‘ॐ शान्तिः शान्तिः शान्तिः’ છે, જે આપણે બીજા શ્લોકો તેમજ પ્રાર્થનાને અંતે વર્ષોથી બોલીએ છીએ, પણ કયારેય મનમાં એવો પ્રશ્ન થાય છે કે ‘ॐ शान्तिः’ નું ઉચ્ચારણ ત્રણ વાર કેમ? ત્રણ ઉચ્ચારણ એટલા માટે છે કે તેમાં આપણે ત્રણ શક્તિઓને પ્રાર્થના કરીએ છીએ કે અમારું આ જ્ઞાનસત્ર વિના વિઘ્ને પૂર્ણ થાય. પ્રથમ બાહ્ય શક્તિ જે આપણા વશમાં નથી તેને શાંત કરવા - જેમકે કુદરતી આપત્તિ જેવી કે ભૂકંપ, દ્વિતીય બાહ્ય શક્તિ જે આપણા વશમાં છે તેને શાંત કરવા - જેમકે બહાર થતાં ઘોંઘાટ અને તૃતીય આપણી આંતરિક શક્તિ - આપણી મનોસ્થિતિ - ને શાંત કરવા. પૂર્ણ શ્રદ્ધાથી થતી આ પ્રાર્થના ત્રણેય શક્તિઓને શાંત કરી ઉત્તમ જ્ઞાનસત્ર (પ્રશ્ન- ઉત્તર કે સત્સંગ) દ્વારા આપણને ઉપનિષદ જેવું સર્વોતમ જ્ઞાન ઉપલબ્ધ કરાવે છે – વેદોથી લઈ ઉપનિષદ, પુરાણો આનાં દ્રષ્ટાંતો છે. આપણાં મુખ્ય દસ ઉપનિષદોમાં એક ઉપનિષદનું નામ તો પ્રશ્નોપનિષદ છે, જેમાં પીપલાદ ઋષિ એમનાં છ શિષ્યો દ્વારા વારાફરતી પુછાયેલા પ્રશ્નો દ્વારા દરેક શિષ્યને બ્રહ્મજ્ઞાન સમજાવી તેઓને શિક્ષિત કરે છે.
પૂર્વૠષિઓએ જીવન ચાર અવસ્થામાં વહેંચ્યું છે. આ ચારમાંથી કોઈ પણ અવસ્થામાં વૈરાગ્યનો પ્રવેશ થાય તેને પૂર્વૠષિઓએ જીવનની સાર્થકતા કહી છે. ચંદ્રાવતીનગરીના રાજા રત્નશેખરને સંસાર પર વૈરાગ્ય જાગ્યો. એમણે પોતાના યુવાન પુત્ર મદનસેનને રાજગાદી સોંપી અને જંગલનો પંથ પકડ્યો. યુવાન રાજા મદનસેને રાજ્યની ધુરા સંભાળી. રાજા મદનસેન યુવાન હતો. તેના વિચારો હણહણતા અશ્વની જેમ દોડતા હતા. તેની આસપાસમાં મંત્રીઓ, સેનાપતિઓ, શ્રેષ્ઠીઓ વગેરે વૃદ્ધ હતા પણ અનુભવી હતા. રાજા મદનસેનને કોઈએ સલાહ આપી કે આ વૃદ્ધોની ટોળી દૂર કરી યુવાનોને રાજકાજમાં સામેલ કરવા જોઈએ. રાજની તિજોરી છલકાવવી જોઈએ.
(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર/ડિસેમ્બર-૨૦૧૬ના અંકમાંથી સાભાર) સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહિ પણ પવિત્ર પરિવારના માહોલમાંથી મળે છે. ઘરમાં ફૂલદાની, પાનદાની, મચ્છરદાની, અત્તરદાની હોય પણ ‘ખાનદાની’ ન હોય તો બધું વ્યર્થ છે. બધી કેળવણીમાં મોટી કેળવણી હોય તો તે ચારિત્રની કેળવણી છે. પ્રામાણિકતા વિનાની ધાર્મિકતા પ્રાણ વિનાના હાડપિંજર કેવી છે. ઈજીપ્તના પિરામિડો-મમીઓ […]
(આપણી આસપાસ રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતો ચિંતનાત્મક લેખ) વૈશાખી ઉનાળાની બળબળતી બપોર ભલે અસહ્ય ગરમીથી તપ્ત હોય પણ તેની સવાર આપણને બધાને શીતળ અને આહલાદ્ક લાગે છે. મંદ-મંદ હવા વાતાવરણને કુદરતી ઠંડકથી ભરી દે છે. સૂર્યના આછાં કિરણો, પક્ષીઓનું મીઠું ગૂંજન, બાગ-બગીચાની […]
(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સભાર) કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને મહારાજ યુધિષ્ઠિરે આદરેલો અશ્વમેઘયજ્ઞ પણ સંપન્ન થઈ ગયો એ પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુર છોડીને દ્વારકા ગયા છે. કુરુક્ષેત્રની ઘટના પછી પૂરાં છત્રીસ વર્ષે યાદવાસ્થળી થઈ અને શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો. છત્રીસ વર્ષનો આ કાળ શ્રીકૃષ્ણે એક નિવૃત્ત વડીલની જેમ દ્વારકામાં જ […]
(‘ધર્મની ટેલિપથી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) તીર્થયાત્રા એ કેવળ ‘પુણ્યસંચય’ પ્રેરિત પ્રવાસકાર્ય નથી પરંતુ અંદરથી પવિત્ર બનવા માટે મન-હૃદયના જરૂરી ફેરફારો કરવાની સંકલ્પબદ્ધતા છે. દેવદર્શન એ દેહાસક્તિ ઘટાડી પોતાનામાં માનવતા અને […]
સામાન્ય શબ્દોમાં પ્રાર્થના એટલે આજીજી કરવી અથવા વિનંતી કરવી. દરેક મનુષ્ય ઈશ્વર પાસે કંઈને કંઈ માંગણી કરે છે, ભૌતિક અથવા આધ્યાત્મિક સુખ મેળવવા માટે આજીજી કરે છે અને એટલા માટે પ્રાર્થનાને ઈશ્વર પાસેથી સુખને પામવા માટેની આંતરિક હિંમત માંગવા તરીકે વર્ણવી શકાય છે. પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ સ્વ-પ્રત્યક્ષીકરણ માટે ત્રણ માર્ગો […]