<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ReadGujarati.com &#187; અધ્યાત્મિક લેખ</title>
	<atom:link href="http://www.readgujarati.com/category/spiritual-articles/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.readgujarati.com</link>
	<description>Read Gujarati Literature Online</description>
	<lastBuildDate>Thu, 09 Feb 2012 02:02:11 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.1</generator>
		<item>
		<title>મજહબ હમેં સિખાતા, આપસ મેં પ્યાર કરના ! – વિનોબા</title>
		<link>http://www.readgujarati.com/2012/02/07/mazhub-sikhata/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/07/mazhub-sikhata/#comments</comments>
		<pubDate>Tue, 07 Feb 2012 02:40:33 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અધ્યાત્મિક લેખ]]></category>
		<category><![CDATA[વિનોબા ભાવે]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1899</guid>
		<description><![CDATA[[ બધા જ ધર્મો એક છે એ ન્યાયે વિનોબાજીએ બધા જ ધર્મોનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું. એમ કર્યા બાદ એમણે દરેક ધર્મના સારરૂપ નાનકડી પુસ્તિકાઓ લખી. ‘ઈસ્લામનો પયગામ’ પુસ્તિકા તેમાંની એક છે, જેમાંથી આ લેખ અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ બધા જ ધર્મો એક છે એ ન્યાયે વિનોબાજીએ બધા જ ધર્મોનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું. એમ કર્યા બાદ એમણે દરેક ધર્મના સારરૂપ નાનકડી પુસ્તિકાઓ લખી. ‘ઈસ્લામનો પયગામ’ પુસ્તિકા તેમાંની એક છે, જેમાંથી આ લેખ અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><img class="alignright size-full wp-image-1900" title="Picture 039" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/02/Picture-039.jpg" alt="" width="234" height="361" />મારી જિંદગીનાં બધાં કામ દિલોને જોડવાના એકમાત્ર ઉદ્દેશથી પ્રેરિત છે. મને માણસ-માણસનાં દિલ જોડવા સિવાય બીજી કોઈ ચીજમાં રુચિ નથી. મેં કુરાન શરીફનું અધ્યયન પણ એટલા વાસ્તે જ કર્યું. મારાં રચનાત્મક કામોના ચિંતનમાં એક દિવસ મને સૂઝ્યું કે હું હિંદુસ્તાનમાં રહું છું અને પોતાને હિંદુસ્તાની કહું છું, તો જેમ હિંદુ ધર્મના ગ્રંથોનું અધ્યયન મેં કર્યું છે, તેમ આપણા દેશવાસી મુસલમાન ભાઈઓ કે જેઓ એક હજાર વરસથી આપણી સાથે અહીં રહે છે, એમના ધર્મગ્રંથોનુંયે અધ્યયન મારે કરવું જોઈએ.</p>
<p><strong><span style="color: #993366;">[એક નિમિત્ત મળ્યું, અને મેં કુરાનનું અધ્યયન કર્યું]</span></strong></p>
<p>અને આનું નિમિત્ત બન્યો, એક મુસલમાન છોકરો. અમારા આશ્રમમાં એક મુસલમાન છોકરો આવ્યો. તો મને સહજ ઈચ્છા થઈ કે એને કુરાન શીખવું. પરંતુ પહેલાં હું પોતે શીખું તો જ તો શીખવી શકું ને ! એટલા વાસ્તે મેં પોતે કુરાનનું અધ્યયન શરૂ કર્યું. તે છોકરો તો પાછળથી ચાલ્યો ગયો, પરંતુ મેં મારું અધ્યયન ચાલુ રાખ્યું.</p>
<p>આ 1939ની વાત છે. પહેલાં સેલનો અંગ્રેજી તરજુમો જોઈ ગયો. પછી મુહમ્મદઅલીનો તરજુમો જોયો, જે સારો છે પણ સેક્ટેરિયન (સાંપ્રદાયિક) છે. પછી યુસૂફઅલીનું કુરાન ઉપરનું લાંબું ભાષ્ય વાંચ્યું. અને ત્યાર બાદ પિક્થોલનો અનુવાદ વાંચ્યો. તેનું અંગ્રેજી સારું છે. (આગળ ઉપર જ્યારે હું કશ્મીરમાં પદયાત્રા કરતો હતો, ત્યારે અહમદિયાવાળાઓએ પ્રકાશિત કરેલો તરજુમો પણ જોયો. તે તરજુમો રદ્દી છે, પણ તેનું પ્રિન્ટિંગ સૌથી સુંદર છે.) પરંતુ આ બધું વાંચવાથી હજી મને સમાધાન નહોતું થતું. મને એમ લાગ્યું કે અનુવાદ બધા મૂળ ધાત્વર્થથી, કુરાનના મૂળ શબ્દથી, શબ્દના અસલ અર્થથી દૂર લઈ જઈ રહ્યા છે. અરબી અને અંગ્રેજી ભાષાની રચના અને શબ્દસૃષ્ટિમાં ઘણો ફરક છે, એટલે અનુવાદમાં અસલ અર્થ પકડાતો નથી. તેથી કુરાન મૂળ અરબીમાં જ વાંચવાનું મેં નક્કી કર્યું.<br />
<span id="more-1899"></span></p>
<p>હું ત્યારે વર્ધા પાસે એક નાનકડા ગામ પવનારમાં રહેતો હતો. મારો ‘સ્વદેશી’ ધર્મ મને પવનાર છોડવા નહોતો દેતો. તેથી ત્યાં જ બેઠાં-બેઠાં જેટલું ને જે રીતે થઈ શક્યું તેટલું અધ્યયન મેં કર્યું. મેં કુરાનના શબ્દોના મૂળમાં જવાની કોશિશ કરી. એક એક શબ્દ વાંચું અને યાદ ન રહે. આંખોનેય તકલીફ થાય, એટલે હું બધું નાગરીમાં લખી લેવા લાગ્યો. આથી ઠીક ઠીક યાદ રહેતું. મને ઉર્દૂ કરતાં અરબી વધુ સહેલી લાગી; કેમ કે ઉર્દૂમાં જેર જબર (ઉચ્ચારણનાં ચિહ્ન) નથી હોતાં. અરબી લિપિમાંનું એક પુસ્તક ‘નબિયોં કે કિસ્સે’ મેં જેલમાં વાંચેલું અને તેને લીધે અરબી લિપિ મને થોડી પરિચિત હતી. ત્યારે જુમ્મે કે દિન રેડિયો ઉપર વીસ મિનિટ કુરાનનો પાઠ થતો. તે હું જેલમાં સાંભળતો. તેના પરથી મેં તલફફુજ (ઉચ્ચારણ) પકડી લીધાં હતાં. વચ્ચે એક કિસ્સો કહું. એક વાર મૌલાના અબુલ કલામ આઝાદ ગાંધીજીને મળવા આવ્યા હતા. ગાંધીજીને ખબર કે મેં કુરાનનું અરબીમાં અધ્યયન કર્યું છે. તો એમણે મને બોલાવ્યો અને કહ્યું કે મૌલાનાને કુરાન સંભળાવ. હવે, મારો હંમેશાં આગ્રહ રહે છે કે જે કોઈ ભાષા શીખવી હોય, તેનું ઉચ્ચારણ પણ બરાબર થવું જોઈએ. જેલમાં રેડિયો પરથી તો અરબીમાં ઉચ્ચારણ મેં પકડેલાં. પછી મૌલવી પાસે જઈનેય શીખી લીધેલાં. અરબી ઉચ્ચારણનું જે બધું શાસ્ત્ર છે, તેનુંયે અધ્યયન કરી લીધું હતું. અને કુરાનની કેટલીયે આયાતો મોઢે કરી લીધી હતી. આ બધાની તે દિવસે મૌલાના સાહેબ આગળ મારી પરીક્ષા થઈ. એમણે કહ્યું, ઉચ્ચારણ એટલાં ઉત્તમ છે કે કોઈ ઉલમા બોલી રહ્યો છે કે હિંદુ બોલી રહ્યો છે, ખબર નથી પડતી. આવું એમનું સર્ટિફિકેટ મળી ગયું !</p>
<p><strong><span style="color: #993366;">[મહેનત કરવામાં મેં કોઈ કચાશ ન રાખી]</span></strong></p>
<p>ખેર, મારે કુરાનના અધ્યયન માટે જેટલી મહેનત કરવી પડી, એટલી મહેનત વેદ સિવાય બીજા કોઈ ગ્રંથ માટે કરવી પડી નથી. આટલાથી હું કુરાનનો ‘હાફિજ’ કે ‘આલિમ’ (કુરાનવિદ) બની ગયો, એમ તો નહીં કહું; પરંતુ એટલું જરૂર કહીશ કે હિંદુ ધર્મના ઊંડા અધ્યયન માટે મેં જેટલી કોશિશ કરી એટલી જ કોશિશ કુરાનના અધ્યયન માટે પણ મેં કરી છે. આ બધા પ્રયાસમાં મારી આંખો જે પહેલાં જ નબળી હતી, તે વધારે નબળી પડી. તેમ છતાં માનસિક લાભ હું ભરપૂર પામ્યો. શ્રદ્ધા તો મને પહેલેથી જ હતી કે બધા ધર્મોમાં એકતા છે, કેમ કે માનવ-હૃદય એક છે અને ધર્મનો પ્રારંભ કરનારા ઊંચા હૃદયના હોય છે; પરંતુ બધા ધર્મોના આવા અધ્યયનને લીધે તે શ્રદ્ધાની મને સાક્ષાત અનુભૂતિ થઈ. આમ, અરબી ભાષા શીખીને મેં આખું ને આખું કુરાન વાંચ્યું, અનેક વાર વાંચ્યું. ઓછામાં ઓછાં 20 વરસ મેં તેનું અધ્યયન કર્યું. તેનો કેટલોયે હિસ્સો મને કંઠસ્થ થઈ ગયો. વચ્ચે વચ્ચે હું વાંચવાનું છોડીયે દેતો; કેમ કે ભૂલવાથીયે લાભ થાય છે. ભૂલવાથી એ ફાયદો થાય છે કે આપણને જે સારી પેઠે હજમ થયું હોય એટલું જ યાદ રહે છે. સતત વાંચતા રહેવાથી દરેક વાક્યની કીમતનો ખ્યાલ નથી આવતો. અમાસને દિવસે બધા તારા દેખાય છે, પણ તમારે જો જોવું હોય કે કયો તારો મુખ્ય છે, તો આઠમના દિવસે જોવું. વળી, પૂર્ણિમાએ તો મુખ્ય ચંદ્ર જ દેખાય છે, તારા નહીં. એટલે જેમ સતત વાંચતા રહેવું, એ એક રીત છે, તેમ વચ્ચે-વચ્ચે છોડી દેવું, ભૂલી જવું, એ પણ એક રીત છે. તેમ કરવાથી જેટલું પચી ગયું હોય એટલું જ યાદ રહે છે. આ બંને રીત મેં મારા અધ્યયનમાં અપનાવી છે. આ રીતે કુરાનનું ઊંડું અધ્યયન મેં કર્યું.</p>
<p><strong><span style="color: #993366;">[કેટલાક હિસ્સા વાંચતાં હું ગદગદ થઈ જતો !]</span></strong></p>
<p>હું એમ કહી શકું કે જેટલી શ્રદ્ધાથી મેં હિંદુ ધર્મનું અધ્યયન કર્યું, જેટલી ભક્તિથી વેદ વાંચ્યા, એટલી જ શ્રદ્ધા-ભક્તિથી કુરાન શરીફનુંયે અધ્યયન કર્યું. ગીતાનો પાઠ કરતી વખતે મારી આંખો ઘણી વાર આંસુથી ઊભરાઈ જાય છે, એવું કુરાન અને બાઈબલનો પાઠ કરતાંયે થાય છે; કેમ કે બધા ધર્મગ્રંથોમાં મૂળ તત્વ તો એક જ છે ને ! કુરાનના કેટલાક હિસ્સા વાંચતી વખતે હું એકદમ ગદગદ થઈ જાઉં છું, તેની સાથે એકરૂપ થઈ જાઉં છું, તેનાથી રંગાઈ જાઉં છું. ખરું કહું તો મારી એવી અનુભૂતિ છે કે હું હિંદુ છું, મુસલમાન પણ છું, ખ્રિસ્તી પણ છું, બૌદ્ધ-યહૂદી-પારસી પણ છું. એમ જ માનો કે પાષાણ અને પથ્થરમાં કોઈ ફરક નથી, પાષાણ એટલે પથ્થર અને પથ્થર એટલે પાષાણ. એવી જ રીતે હિંદુ-મુસલમાન-ખ્રિસ્તીનો એક જ અર્થ છે – સજ્જન સત્પુરુષ. એટલે હું મને હિંદુ પણ માનું છું, મુસલમાન પણ માનું છું, ખ્રિસ્તી પણ માનું છું. આ બધા ધર્મો સત્યના અંશ છે. જો હું કહું કે હું કોઈ એક ધર્મનો છું, તો સત્યની સાથે અસત્યને પણ ગ્રહણ કરી લઉં છું અને કહું કે હું કોઈ ધર્મનો નથી, તો આ બધા ધર્મોમાં જે સત્યનો અંશ છે, તેનેય છોડી દઉં છું. સત્યનો અસ્વીકાર ન થાય અને અસત્યનો સ્વીકાર ન થાય. એટલા વાસ્તે હું ‘ભી’ (પણ) વાળી વાત કરું છું. હિંદુ પણ છું, મુસલમાન પણ છું. આ સંદર્ભમાં ચાર ભૂમિકા હોઈ શકે છે. (1) હું હિંદુ છું, મુસલમાન નથી. (2) હું મુસલમાન છું, હિંદુ નથી. (3) હું હિંદુ પણ નથી, મુસલમાન પણ નથી. (4) હું હિંદુ પણ છું, મુસલમાન પણ છું. મારી ચોથી ભૂમિકા છે. પહેલી ભૂમિકામાં એમ છે કે હું હિંદુ છું અને મારા હિંદુત્વમાં બધું સમાઈ જાય છે. પરંતુ ‘હું હિંદુ છું’ કહેવાથી મુસલમાનથી અલગ પડી જાઉં છું. એવું જ ‘હું મુસલમાન છું’ કહેવાથી. અને ‘હું બંને નથી’ કહેવાથી મારો ત્રીજો પંથ બની જાય છે. પરંતુ હું હિંદુ પણ છું અને મુસલમાન પણ છું કહેવાથી હિંદુ અને મુસલમાન, બંનેને હું એક પ્લેટફોર્મ ઉપર લાવી શકું છું. એટલા વાસ્તે હું ‘ભી’ વાદી છું.</p>
<p><strong><span style="color: #993366;">[સાચો હિંદુ સાચો મુસલમાન પણ છે, સાચો ખ્રિસ્તી પણ]</span></strong></p>
<p>જે સારો માણસ હોય છે, એ જ સાચો હિંદુ છે અને એ જ સાચો મુસલમાન છે. જે સારો માણસ નથી, નેકી પર ચાલતો નથી, એ નામમાત્રનો હિંદુ છે, નામમાત્રનો મુસલમાન છે. ખરું જોતાં, એ હિંદુ છે જ નહીં, મુસલમાન છે જ નહીં. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ એ જ હોય છે, જે ઈનસાન ઉપરાંત કાંઈક વધુ હોય છે. ઈનસાનથી કમ જે હશે એમનો તો સવાલ જ નથી. એ ચોર, ડાકુ વગેરે હશે. એ નામ પણ ભલે લેતા હોય, પણ નામમાત્રના જ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે હશે. જે માણસાઈથીયે કમ પડતા હોય, એ સાચા હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ બની જ નહીં શકે. હું કહેવા એ માગું છું કે હિંદુ ને મુસલમાન માણસાઈ કરતાં કાંઈક વધુ છે – પ્લસ સમથિંગ. ઈનસાન તો સામાન્ય માણસ છે, જે નેક રસ્તે ચાલે છે. પરંતુ તેનાથી ઊંચે જનારો, ભગવાનને શરણે જનારો મુસલમાન છે. તો પછી કોઈ પૂછશે કે શું તુલસીદાસજી મુસલમાન હતા, શંકરાચાર્ય મુસલમાન હતા ? હું જરીકે ખચકાટ વિના કહીશ કે જી હા, એ મુસલમાન હતા. એવી જ રીતે હિંદુનો શો અર્થ છે ? ‘હિંસયા દૂયતે યસ્ય ચિત્તમ’ – હિંસાથી જેનું ચિત્ત દુભાય છે, દુઃખી થાય છે, એ હિંદુ છે. જે હિંસા કરશે નહીં, હિંસા કરાવશે નહીં, હિંસાને વશ થશે નહીં, એ હિંદુ છે. તો પછી શું મુહમ્મદ પૈગંબર હિંદુ હતા ? હું કહીશ કે જી હા, હિંદુ હતા. આ સમજવાની વાત છે. કુરાન ને વેદ આ જ તો કહે છે ! આ સમજીશું ત્યારે દિલ જોડાશે. દિલોને જોડવા માટે એક-બીજાના મજહબનું સારું જ્ઞાન હોવું જોઈએ. ઈસ્લામ ધર્મના મુખ્ય વિચારોથી હિંદુઓ વાકેફ હોવા જોઈએ અને હિંદુ ધર્મમાં શું છે, તેનાથી મુસલમાનો વાકેફ હોવા જોઈએ. એવું ખ્રિસ્તી વગેરે અન્ય ધર્મોની બાબતમાં પણ. રુહુલ કુરાન મુસલમાન વાંચે છે, પણ હિંદુઓએ પણ તે વાંચવું જોઈએ. એવી જ રીતે ગીતા અને ગીતા-પ્રવચનો મુસલમાન પણ વાંચે. બંને કોમ બંને વિશે ગાઢ પરિચય કેળવશે, ત્યારે એકબીજાનાં દિલ જોડાશે.</p>
<p>ઈકબાલે ગાયું છે – ‘મજહબ નહીં સિખાતા, આપસ મેં બૈર રખના.’ હું તેનાથી એક ડગલું આગળ કહેવા માગું છું – ‘મજહબ હમેં સિખાતા, આપસ મેં પ્યાર કરના.’ માત્ર વેર ન રાખવું, તેમાં તે શી મોટી ધાડ મારી ? એટલું પૂરતું નથી. આપસમાં પ્યાર પણ કરવો જોઈએ, એકબીજા માટે પોતીકાપણું પણ અનુભવવું જોઈએ. એ જ તો ધર્મ છે, માનવધર્મ છે.</p>
<p>[કુલ પાન : 80. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/07/mazhub-sikhata/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
		<item>
		<title>પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર</title>
		<link>http://www.readgujarati.com/2012/02/02/prarthna-palo/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/02/prarthna-palo/#comments</comments>
		<pubDate>Thu, 02 Feb 2012 02:39:49 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અધ્યાત્મિક લેખ]]></category>
		<category><![CDATA[ગુલાબદાસ બ્રોકર]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1869</guid>
		<description><![CDATA[[પુનઃપ્રકાશિત] નાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય…. સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[પુનઃપ્રકાશિત]</p>
<p>નાનો હતો ત્યારે ધર્મના સંસ્કાર ઘણા હતા. મા હતાં, પિતાજી નહોતા. માનો સમય…. સવારે, બપોરે, રાતે, ઉપાશ્રયમાં જાય. સાધ્વીજીઓ રાતે કથાવાર્તા કહે. સાધુઓ સવારે, બપોરે વ્યાખ્યાન વાંચે. હું ત્યારે શાળામાં હોઉં, પણ રાતે તો અચૂક મા સાથે સાધ્વીજીઓ પાસે ગયો જ હોઉં. પોરબંદર ગામમાં. મન ઉપર એ બધી વાતોના, કથાઓના સંસ્કાર પડે. શ્રદ્ધાના સંસ્કાર પડે. કશુંક ખોટું થયું હોય તો પ્રાર્થનાથી એ ગાળી નાખવાના સંસ્કાર પડે. પણ હું તો નાનો છોકરો. સ્વાર્થ હોય તોયે પ્રાર્થના કરી ફળ મેળવવા ઈચ્છું. જાણે ભગવાન મારા શેઠ. ખુશામત કરું એટલે રાજી થઈ જાય અને રાજી કરી દે એવા.</p>
<p>પણ એ સ્વાર્થી પ્રાર્થનાઓ નિર્દોષ બાળકની પ્રાર્થનાઓ હતી. હૃદયના ભાવથી થયેલી. ફળતીયે ઘણીય વાર. કશુંક ખોવાયું હોય તો નવકાર બોલી એ મળે તેમ પ્રાર્થું ને એ મળી જાય. એક વાર કશુંક ખરીદ્યું ને પરચૂરણ પાછું લેવું ભૂલી ગયો. માએ બાકીના પૈસા માગ્યા ત્યારે ખ્યાલ આવ્યો. રોવા જેવો થઈ જઈ નવકાર ગણતો ગણતો જ્યાં પૈસા ભૂલી ગયો હતો એ દુકાન જઈને ઊભો. દુકાનદાર ઘણા કામમાં. માંડ માંડ મેં વાત કરી બાકીના પૈસા ભૂલી ગયો છું તેની. તે કહે :<br />
‘અહીં તો હજાર આવે ને જાય. તું સાચું બોલે છે એની ખાતરી શી ?’<br />
મારી આંખમાંથી આંસુ ટપકવાં બાકી રહ્યાં ત્યાં બાજુનો દુકાનદાર મારી વહારે ધાયો. પેલાને કહે : ‘હું આ છોકરાને ઓળખું છું. એ કોઈ દહાડો ખોટું બોલતો નથી.’</p>
<p>પેલાએ પૈસા આપી દીધા, ‘બીજી વાર ભૂલી નહિ જતો હોં’ કહીને. હું પાછો નવકાર ગણતો ગણતો અને પ્રભુનો પાડ માનતો માનતો ઘેર આવ્યો. પણ એ તો નાનપણની વાત. પછી મોટો થયો. ભણ્યો, ગણ્યો, માર્કસ્ વાંચ્યો, લેનિન વાંચ્યો, ગાંધીના કહેવાથી જેલમાં ગયો, પણ પેલી બાલસુલભ શ્રદ્ધા ઊડી ગઈ, ને સાથે સાથે પ્રાર્થના પણ હૃદયમાંથી ઊડી ગઈ.<br />
<span id="more-1869"></span></p>
<p>પણ એક નવી શ્રદ્ધા હૃદયમાં બેઠી. જેમ આપણે સ્વાર્થ માટે કોઈ પાસે કશું માગતા નથી, કે માગતાં શરમ અનુભવીએ છીએ, તેમ પ્રભુ – જો એ હોય તો – પાસે પણ સ્વાર્થ માટે કશું ન માગવું. ભગવાન વિશે ખબર નહિ, પણ શુભ તત્વમાં શ્રદ્ધા પૂરેપૂરી. એવી શ્રદ્ધા પણ સામાના દિલમાં ન પરોવી શકતો હોય તો એ ગાંધી શેનો ? ત્યારથી તે આજ સુધી મારા અંગત સ્વાર્થ માટે કશુંય ક્યારેય માગ્યું નથી. નવકાર નાનપણથી વળગી રહ્યા છે તો તે રટ્યે રાખું છું, કશાય સ્વાર્થ વિના. એમાં તો ઉત્તમ સંતોને નમસ્કાર કરવાની જ વાત છે ને ? કોઈકવાર એ ઉત્તમ તત્વને કોઈક સદાશય માટે સ્મરી પણ લઉં છું. તેને પ્રાર્થના કહેવી હોય તો જરૂર કહી શકાય, અને એવી પ્રાર્થના પાછી ફળે પણ છે.</p>
<p>એક દાખલો યાદ આવે છે. લેખક થયો, જરા જાણીતો પણ થયો, પ્રશંસા કરનારા વધ્યા, તો નિન્દા કરનારા કંઈ બાકી ન રહ્યા. એવા એક ભાઈ વારંવાર મારી પાસે આવે. સાહિત્યના બહુ મોટા રસિયા, ને બહુ સારા વાચક. એમની સાથે વાતો કરવાની મજા આવે – એ મારી સતત અને નિરંતર નિન્દા કર્યે રાખે છે એની મને ખબર હોવા છતાં. પણ આખરે હુંયે માણસ રહ્યો ને ? એટલે મને મનમાં ઘણી વાર થાય કે એમને કદાચ મારાથી પુછાઈ જાય કે ‘આમ આટલો સ્નેહ દાખવો છો તો આટલી નિન્દા શા માટે કર્યે રાખો છો મારી ? મારાં લખાણની કરો તો ભલે, પણ એ સિવાય પણ…. ?’ પણ એવું પૂછી બેસવું એમાં મારી શોભા શી ? એ તો મારે ઘેર આવનારને શરમમાં મૂકી જૂઠું બોલાવવા જેવું થાય ને ?</p>
<p>એટલે એ જ્યારે જ્યારે આવવાના હોય ત્યારે હું ખરા મનથી પ્રાર્થના કરતો કે, ‘હે ભગવાન, જો તમે કોઈની પણ વાત સાંભળતા હો તો મારી આ વાત સાંભળો. એ ભાઈ આવે ત્યારે મારાથી આવી વાતનો એક હરફ પણ ન ઉચ્ચારાય એવી શક્તિ એ સમયે મારામાં પ્રેરો.’ એ શક્તિ ભગવાને પ્રેરી કે મારી પ્રબળ ભાવનાએ એ મને ખબર નથી, પણ હું કદીયે એ ભાઈને એવી અણગમતી પરિસ્થિતિમાં મૂકી શક્યો નથી. એનો મને આનંદ છે. અને હું બહુ અભિમાની માણસ નથી એટલે એ માટે પ્રભુનો પાડ માનું છું – એણે મને મદદ કરી હોય કે ન હોય તોયે.</p>
<p>એક નાનકડો બીજો અનુભવ લખું ?<br />
મારે પરાને ઘેર એક સગા આવ્યા. દૂરથી. શાળામાં પુત્રને દાખલ કરાવવા માટે. એ દાખલ થાય એમ થયું એટલે એ માટેના ફી વગેરેના હજાર દોઢ હજાર રૂપિયા એમને તત્કાળ જોઈતા હતા. એ સાથે નહોતા લાવ્યા એટલે. મને થયું, ઘરમાં એટલા નહિ હોય. એ કહે કંઈ નહિ. ‘કાલે ભરી જઈશ.’ મેં કહ્યું : ‘આમાં કાલ કરવાની હોય નહિ, પણ બૅન્કો બંધ થઈ ગઈ છે નહિતર હું લાવી આપું.’ મારી બહેન અહીં રહે છે હું તેની પાસેથી લઈ લઈશ.’ કહીને એ ગયા.</p>
<p>મને થયું : ‘મારી પત્ની હજાર બે હજાર રૂપિયા ઘરમાં રાખે છે પોતાના કબજામાં, એ હું કેમ ભૂલી ગયો, ને આને આવો ફેરો કરાવ્યો ? મારું હૃદય માફી માગવા લાગ્યું અને તેમને પૈસા આપવા તત્પર બની ગયું, પણ એ તો ચાલ્યા ગયા હતા. મારા પસ્તાવાનો પાર નહોતો. એમનું કામ થઈ જાય એવું હું પ્રાર્થવા લાગ્યો. ત્યાં થોડી વારમાં એ પાછા ફર્યા : ‘બહેન તો બહાર ગઈ છે.’ કરતા મારું મન આનંદથી ભરાઈ ગયું. મારી વેદનામાં મને પ્રાર્થના મદદગાર થઈ છે એમ લાગ્યું. મેં તરત પત્ની પાસેથી તેમને પૈસા અપાવી દીધા.</p>
<p>એ પ્રાર્થનાનું ફળ હશે ? પશ્ચાત્તાપનો પ્રભાવ હશે ? ખબર નથી. પણ એટલી ખબર છે કે આવી સ્વાર્થ વિનાની પ્રાર્થનામાં બળ હોય છે જ – જો એ ખરા હૃદયથી થતી હોય તો. માનસશાસ્ત્રીઓ તેનો ગમે તે ઉકેલ કહે, પણ અનુભવ મને આમ કહે છે, અને એનો મને આનંદ છે.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/02/prarthna-palo/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>ધરતીનાં ધરુ, આકાશના ચરુ – ચંદ્રકાન્ત શેઠ</title>
		<link>http://www.readgujarati.com/2012/01/31/dhartidharu-aakashcharu/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/31/dhartidharu-aakashcharu/#comments</comments>
		<pubDate>Tue, 31 Jan 2012 01:57:52 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અધ્યાત્મિક લેખ]]></category>
		<category><![CDATA[ચન્દ્રકાન્ત શેઠ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1859</guid>
		<description><![CDATA[[ ‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ, આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.] [1] પરમ શાન્તિનો પ્રસાદ આપણે અવારનવાર શાન્તિ માટે અને શાન્તિના નામે ભારે શોરબકોર કે ગોકીરો કરતા હોઈએ છીએ. નેતાગીરીના ઝભ્ભા ચડાવી આપણે કેટલીય વાર આકાશમાં સફેદ કબૂતરોને ઉડાવીને ‘શાન્તિદૂત’ તરીકેનો પાઠ પણ ભજવતા હોઈએ છીએ ! ઉપનિષદના શાન્તિમંત્રોનો શુકપાઠ કરતાંયે આપણે થાકતા નથી. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ ‘અખંડઆનંદ’ સામાયિકની અધ્યાત્મિક લેખોની ‘ધરતીનાં ધરુ, આકાશના ચરુ’ નિયમિત કૉલમમાંથી સાભાર.]</p>
<p><span style="color: #993366;"><strong>[1] પરમ શાન્તિનો પ્રસાદ</strong></span></p>
<p>આપણે અવારનવાર શાન્તિ માટે અને શાન્તિના નામે ભારે શોરબકોર કે ગોકીરો કરતા હોઈએ છીએ. નેતાગીરીના ઝભ્ભા ચડાવી આપણે કેટલીય વાર આકાશમાં સફેદ કબૂતરોને ઉડાવીને ‘શાન્તિદૂત’ તરીકેનો પાઠ પણ ભજવતા હોઈએ છીએ ! ઉપનિષદના શાન્તિમંત્રોનો શુકપાઠ કરતાંયે આપણે થાકતા નથી. વળી અનેક વાર વિશ્વશાંતિયજ્ઞો પણ આપણે કરીએ છીએ ને છતાં શાન્તિનો સાચો સ્વાદ માણવાની આપણી અભિલાષા ફળીભૂત થતી નથી, આપણે જો આપણને પોતાને શાન્ત કરી શકતા ન હોઈએ તો શાન્તિ કેવી રીતે આવે ? આપણે કેવી રીતે શાન્ત થવું એ જ આપણો યક્ષપ્રશ્ન છે.</p>
<p>આપણી આસપાસ અને અંદર શાન્તિને ક્ષુબ્ધ કરે, વિક્ષિપ્ત કરે એવાં અનેકાનેક પરિબળો ને પ્રદૂષણો જોવા મળે છે. તૃષ્ણાના તિખારા અને ક્રોધના અંગારા, લોભલાલચની કપટજાળો ને મોહકામની માયાજાળો, અહંકારના હુંકારા ને ઘમંડના ઘુરકિયાં, અસંતોષ અને અજંપાના ઉધામા, સ્વપ્નભંગ ને આશાભંગના આઘાતો, ઉધમાત ને ઉદ્ધતાઈ, ઉતાવળ ને અધીરાઈ, ચડસાચડસી ને અફડાતફડી, અવ્યવસ્થા ને અશિસ્ત, સ્વૈરાચાર ને દુરાચારની ડમરીઓ – આવી આવી તો અનેકાનેક સંઘર્ષણાત્મક બાબતો આપણી વ્યષ્ટિચેતના તેમ જ સમષ્ટિચેતનાના સંવાદસેતુને ખંડિત કરે છે અને અનિચ્છનીય કોલાહલથી આપણને ત્રસ્ત કરે છે. આપણને એ બધી બાબતો વીંખેપીંખે છે. આપણું ધોવાણ-ખવાણ થતું હોય, આપણને ઘસારો થતો હોય એવી લાગણી થાય છે. આપણા મધપૂડા જાણે મધ વગરના બની જાય છે. આપણી અંદર શાન્તિનો સુધા-રસ સ્ત્રવતો કે દ્રવતો નથી. આપણી પંડની માટીમાં શાન્તિ નથી ઊતરતી કે નથી ઠરતી. કોઈ દુ:શાસનના હસ્તોથી આપણા પંડનું પોત ખેંચાતું ને ચિરાતું હોવાનો ભાવ થાય છે. આપણું મન વેદના-વ્યથાથી માંડીને કિંકર્તવ્યમૂઢતા સુધીની વિષમ ભૂમિકાઓમાં અટવાઈ પડે છે. એક પ્રકારની બધિરતા, પંગુતા, અંધતા ને પરવશતા આપણને છિન્નભિન્ન કરી નાખે છે. સમતા અને સ્વસ્થતા, સંનિષ્ઠા ને સચ્ચાઈથી જો આપણું આસન દઢ હોય, આપણામાં ખરેખરો સત્વાભિનિવેશ હોય તો શાન્તિનું વરદાન પામવું મુશ્કેલ નથી.<br />
<span id="more-1859"></span></p>
<p>માતા અપાર વાત્સલ્યથી બાળકના મસ્તક પર હાથ ફેરવે છે ત્યારે બાળકને કેવી નિરાંત, કેવો રાજીપો ને કેવી સુરક્ષા ને નિર્ભયતાનો અનુભવ થતો હોય છે ! બાળકને માની નિશ્રામાં વહાલ અને વિશ્વાસની શીળી છાંયડી મળે છે. એવી જ છાંયડી મળે છે આપણને આંતરિક કે આધ્યાત્મિક શાન્તિમાં. આપણી દુર્વૃત્તિઓનું શમન થતાં જ શાન્તિનો સમુદય થવા લાગે છે. આપણી સદવૃત્તિઓના ઉત્કર્ષ સાથે જ શાન્તિનો ભાવ આપણી અંદર અને બહાર ઉઘાડ પામતો વિસ્તરવા માંડે છે. આ શાન્તિને માણવા-પ્રમાણવા માટે આધ્યાત્મિક અભિગમ અનિવાર્ય છે. જ્યાં પવિત્રતા અને પરમાર્થતા ત્યાં જ શાન્તિ. જ્યાં સચ્ચાઈ ને શુદ્ધિ ત્યાં જ શાન્તિ. જ્યાં સાત્વિકતા ને સ્નેહ ત્યાં જ શાન્તિ. જેમ બાળકને માતા પાસેથી શાતા સાંપડે છે એમ આપણને શીલવંત ભગવંતો પાસેથી, સંતો ને ગુરુજનો પાસેથી, સાચાદિલ ને સાફદિલ સજ્જનોને સ્વજનો પાસેથી, સુહૃદો-સુહૃદયો ને સુજ્ઞો પાસેથી શાન્તિ સાંપડે છે. ખરેખર તો સત્સંગની હવામાં શાન્તિ કોળે છે ને ફળેફૂલે છે. જ્યાં સુધી આપણમાંની અશુદ્ધિઓનું વિરેચન થાય નહીં ત્યાં સુધી શાન્તિનું સર્જન ને અવતરણ પણ થાય નહીં. શાન્તિની જનેતા છે આધ્યાત્મિકતા અને એનું સંતાન છે પ્રસન્નતા. આત્મચેતના પરમાત્મચેતનામાં પરિણતિ પામે ત્યારે પરમ શાન્તિનો પ્રસાદ આપણને સાંપડે છે. એ પ્રસાદ માટેની પાત્રતા કેળવવામાં આપણો પુરુષાર્થ પ્રવૃત્ત થાય એ જ ભાવના.<br />
.</p>
<p><strong><span style="color: #993366;">[2] આપણો તપોમય જીવનયોગ</span></strong></p>
<p>આપણી દુનિયા જ એક મહાન અજાયબઘર છે. કેટકેટલા રંગ ને કેટકેટલાં રૂપ ! કેટકેટલા સ્વાદ ને કેટકેટલી સુગંધ ! કેટકેટલા સૂર ને કેટકેટલા તાલ ! કેટકેટલા સ્પર્શ ને કેટકેટલી આવનજાવન ! ઈન્દ્રિયોના યજ્ઞાગ્નિમાં જેટલું હોમો એટલું ઓછું ! જિંદગીભર જોયા કરો, જાણ્યા કરો ને જીવ્યા કરો.</p>
<p>પરંતુ આપણને યાદ રહેવું જોઈએ કે આ અજાયબઘરમાં પ્રવેશતી વેળાએ આપણને અમુક નિયત મુદત સુધી જ રહેવાનો પરવાનો મળેલો છે. આપણને એ જે મુદત મળેલી છે તેનો પૂરેપૂરો લાભ લઈ લેવો જોઈએ. આપણા જીવનની એકેએક ક્ષણ કીમતી છે, તે ન વેડફાય એની સાવધાની – તકેદારી આપણે રાખવાની છે. એ માટે સજાગતા જરૂરી છે, સક્રિયતા જરૂરી છે. ભય, શંકા, આળસ, કંટાળો, સંકલ્પશક્તિનો અભાવ, અવસાદ (ખિન્નતા) – આવા આવા અવરોધો આ અજાયબઘરનો જોઈએ તેટલો લાભ લેતાં આપણને અટકાવે છે; આપણી સમજણશક્તિ, વિવેકશક્તિ, કાર્યશક્તિ – તેમના વિકાસમાં તેઓ તેઓ નડે છે, માટે જ આપણે ‘જાગ્યા ત્યાંથી સવાર’ અથવા ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ – એ ન્યાયે અજાયબઘરનું મહત્વ સમજાતાં જ એનો સકારાત્મક વલણથી લાભ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને આપણે જે કંઈ ઉત્તમ ગ્રહવા જેવું હોય તે તરફ વાળવી રહી. ‘ખરું જોવાનું તો રહી ગયું’, ‘ખરું સાંભળવા જેવું હતું તે તો સાંભળ્યું જ નહીં’, ‘અરે ! પેલી વાનગી તો ખૂબ સરસ બની હતી. એ તો ચાખવાની જ રહી ગઈ’, ‘કેવી સુવાસિત ને શીળી લહેરખી આવતી હતી, આપણે બારીબારણાં બંધ કરી, ગોદડાંમાં ગોટમોટ થઈને પડી રહ્યા’ – આવા આવા અફસોસના ઉદ્દગારો કાઢવાના હોય એનો અર્થ જ એ કે સફરજન જેવું જીવનનું લાભદાયી ફળ આપણને હાથવગું થયું પણ તેને સરખી રીતે ખાઈ લેવાનું આપણને ફાવ્યું નહીં.</p>
<p>આપણે આ દુનિયાના અજાયબઘરમાં પ્રવેશ તો મેળવી લીધો જ છે તો હવે તેમાંથી બહાર નીકળવાનું થાય તે પહેલાં જેટલું માણી લેવાય એટલું માણી લેવું એમાં જ આપણું શાણપણ છે. અમુક મુદત સુધી આ અજાયબઘરમાં રહેવાનું છે ને ઘૂમવાનું છે તો પછી ઉત્સાહ ને આનંદથી જ શા માટે ન રહીએ, ન ઘૂમીએ ? કોઈક રીતે કેટલાક અબજ શ્વાસ આપણે લેવાના છે તો લઈએ પણ એમ કરતાં આપણે આપણા આ પંડના ઘટમાં જે કંઈ ઉત્તમ રસ ભરવો ઘટે તે ભરી લઈએ. આપણે ખેતરમાં વાવેલા બીજની માવજત કરીએ છીએ તેમ આપણેય આપણા જીવનની એકએક ક્ષણની બરોબર માવજત કરવી જોઈએ; ગુલાબના ફૂલની જેમ આપણા જીવનની એક એક ક્ષણ ખીલે અને મહેકે એવું થવું જોઈએ. ક્ષણ સચવાશે તો જીવન સચવાશે, આપણે આ દુનિયાના અજાયબઘરમાંથી ઘણુંઘણું પામી શકીશું. આંખો ખોલો નહીં તો સૂરજ દેખાય નહીં. ઈન્દ્રિયોની બારીઓ ખોલો નહીં તો દુનિયાની અનેકાનેક અજાયબીઓનું દર્શન થાય નહીં. ગંગાકાંઠે તરસ્યા રહી જનારા અબુધ જન જેવી આપણી દશા થાય. તેથી માત્ર આજનો જ નહીં, રોજેરોજનો લહાવો લઈએ; પરમાત્માની અનુપમ સર્જનલીલાને નિહાળીએ અને એ દ્વારા એમની અપરંપાર શક્તિનો પારસ-સ્પર્શ આપણે પામીએ અને આપણા અસ્તિત્વની એકેએક રજકણને સ્વર્ણકણમાં રૂપાંતરિત કરવાના ઈલમથી આપણે આપણી આસપાસના સૌના જીવનની ક્ષણોને અમૃતમય અને આહલાદક બનાવવાના સત્યના પ્રયોગ જેવા જ સૌન્દર્યના પ્રયોગો અવિરતપણે ઉત્સાહથી કરતાં રહીએ. આપણા આ પ્રયોગબળે જે કંઈ અભદ્રતાનાં આસુરી કે તામસિક વાદળો આપણને ઘેરવા મથતાં હશે તે પણ કાળે કરીને વિખેરાઈ જશે ને નાશ પામશે એ પણ નક્કી. આપણે તો એકેએક દ્રાક્ષને જેમ રસમય તેમ આપણા જીવનની એકેએક ક્ષણને ઈશ્વરમય – અમૃતમય બનાવવામાં શ્રદ્ધાપૂર્વક અને એકાગ્રતાપૂર્વક મંડ્યાં રહેવું જોઈએ. એ જ હોઈ શકે આપણો તપોમય જીવનયોગ.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/31/dhartidharu-aakashcharu/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>વ્યાપક દર્શન – સ્વામી વિવેકાનંદ</title>
		<link>http://www.readgujarati.com/2012/01/12/vyapak-darshan/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/12/vyapak-darshan/#comments</comments>
		<pubDate>Thu, 12 Jan 2012 02:21:47 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અધ્યાત્મિક લેખ]]></category>
		<category><![CDATA[સ્વામી વિવેકાનંદ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1752</guid>
		<description><![CDATA[[ આજે 150મી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે માણીએ આ યુગપુરુષના કેટલાક ક્રાંતિકારી વિચારો અને તેમાં રહેલું વ્યાપક આંતર દર્શન.] [1] મંદિરો કે દેવળો, પુસ્તકો અથવા મૂર્તિઓ ધર્મનાં માત્ર બાલમંદિરો છે; આધ્યાત્મિકતામાં પ્રવેશવા માગતા બાળ-સાધકને ઉચ્ચ પગલાં ભરવામાં તે શક્તિમાન બનાવે છે; અને સાધકને જો ધર્મની જરૂર હોય તો આ પ્રથમ પગલાંઓ આવશ્યક છે. તમન્ના અને [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ આજે 150મી સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે માણીએ આ યુગપુરુષના કેટલાક ક્રાંતિકારી વિચારો અને તેમાં રહેલું વ્યાપક આંતર દર્શન.]</p>
<p><strong>[1]</strong> મંદિરો કે દેવળો, પુસ્તકો અથવા મૂર્તિઓ ધર્મનાં માત્ર બાલમંદિરો છે; આધ્યાત્મિકતામાં પ્રવેશવા માગતા બાળ-સાધકને ઉચ્ચ પગલાં ભરવામાં તે શક્તિમાન બનાવે છે; અને સાધકને જો ધર્મની જરૂર હોય તો આ પ્રથમ પગલાંઓ આવશ્યક છે. તમન્ના અને ઈશ્વરને મેળવવાની તાલાવેલી સાથે જ ખરી ભક્તિ આવે છે.</p>
<p><strong>[2]</strong> માણસ તમને ઘણો વિદ્વાન લાગે કે સાવ અજ્ઞાની લાગે, પણ તેનામાં વિશ્વાસ રાખો; માણસ તમને દેવ જેવો દેખાય કે દાનવની મૂર્તિ જ દેખાય પણ તેનામાં વિશ્વાસ રાખો. પ્રથમ માણસમાં શ્રદ્ધા રાખો પછી જો તેનામાં ખામીઓ જણાય, જો તે ભૂલો કરે, જો તે પ્રાકૃતમાં પ્રાકૃત અને હલકામાં હલકા સિદ્ધાંતોમાં માને તોપણ એમ માનજો કે એ બધાં તેના સાચા સ્વભાવનાં લક્ષણો નથી, પણ તેની સમક્ષ ઊંચા આદર્શોના અભાવનું એ પરિણામ છે.</p>
<p><strong>[3]</strong> જગતમાં બધે પ્રકાશ ફેલાવો. પ્રકાશ, બસ પ્રકાશ લાવો ! સૌ કોઈને પ્રકાશ મળે એમ કરો. જ્યાં સુધી સૌ કોઈ પરમાત્મા પાસે પહોંચ્યું નથી, ત્યાં સુધી આ કાર્ય પૂરું નહીં થાય. ગરીબોને પ્રકાશ આપો; પણ પૈસાદારોને વધુ પ્રકાશ આપો કારણ કે તેમને ગરીબો કરતાં એની વિશેષ જરૂર છે. અશિક્ષિતોને પ્રકાશ આપો; પણ સુશિક્ષિતોને વધુ પ્રકાશ આપો, કારણ કે આપણા જમાનાના શિક્ષણની અહંતા જબરજસ્ત છે !<br />
<span id="more-1752"></span></p>
<p><strong>[4]</strong> મહાન સિદ્ધિઓ માટે ત્રણ વસ્તુઓની આવશ્યકતા હોય છે. પ્રથમ હૃદયપૂર્વકની લાગણી. બીજું, લોકોનાં દુઃખ દૂર કરવા માટે મીઠાશભર્યા વચનો અને ત્રીજું, પર્વતસમાન મુશ્કેલીઓને પાર કરવાની ઈચ્છાશક્તિ. જો તમારામાં આ ત્રણ બાબતો હશે તો તમે ચમત્કારો બતાવી શકવાના. તમારે છાપાઓમાં લેખો છપાવવાની જરૂર નહીં રહે; તમારે ભાષણખોરીનીયે જરૂર નહીં પડે. તમારો ચહેરો જ દીપી ઊઠશે. તમે ગુફામાં રહેતા હશો તોપણ એ પથ્થરની દીવાલો સોંસરા તમારા વિચારો નીકળશે. અને સેંકડો વર્ષો સુધી ગુંજતા ગુંજતા જગતભરમાં ઘૂમ્યા કરશે, અને અંતે એ કોઈ એકના મગજમાં ચોંટી જઈને કદાચ ત્યાં કાર્યમાં પરિણમશે. વિચારની, સચ્ચાઈની અને શુદ્ધ હેતુની આવી શક્તિ છે.</p>
<p><strong>[5]</strong> ઉતાવળા ન થાઓ; અન્યની નકલ કરવા દોડો નહીં. વાંદરનકલ એ સંસ્કૃતિ નથી. હું ભલે રાજાનો પોશાક પહેરું પણ એથી કાંઈ હું રાજા થોડો થઈ જવાનો હતો ? ગધેડાને માથે સિંહનું ચામડું ઓઢાડો તોપણ એ ગધેડો સિંહ નહીં થાય. નકલથી કદી પ્રગતિ થતી નથી. એ તો સાચેસાચ માણસમાં આવેલા ભયાનક અધઃપાતની નિશાની છે.</p>
<p><strong>[6]</strong> લોકો પોતાને ઠીક લાગે તેમ ભલે ભારતના પુનરુદ્ધારની વાતો કર્યા કરે; પરંતુ જેણે આખી જિંદગી ભારતના હિત માટે કાર્ય કર્યા કર્યું છે અગર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એવા એક અદના આદમી તરીકે હું તમને કહી દઉં કે તમે આધ્યાત્મિક શક્તિવાળા નહીં બનો ત્યાં સુધી ભારતનો કોઈ ઉદ્ધાર થવાનો નથી.</p>
<p><strong>[7]</strong> આવતી કાલે જ હું મરી જાઉં, તો પણ કાર્ય મરવાનું નથી. હું ખરા અંતઃકરણથી માનું છું કે હજારો એવા યુવકો નીકળી આવશે, જેઓ આ કાર્યને ઉઠાવી લેશે; અને મારી ગગનગામી આશાએ કલ્પ્યું પણ નહીં હોય તે કરતાં પણ વધુ ને વધુ આગળ ધપાવ્યે જશે. મને મારા દેશમાં, ખાસ કરીને મારા દેશના નવયુવકોમાં શ્રદ્ધા છે.</p>
<p><strong>[8]</strong> શરીરમાં પોતાને નીરોગી બનાવવાની અમુક એક શક્તિ રહેલી છે; ઘણી બાબતો – જેવી કે માનસિક અવસ્થાઓ, ઔષધિઓ, આસનો, વગેરે – તેની આ રોગનિવારક શક્તિને જગાડીને કાર્યપ્રવણ બનાવી શકે છે. જ્યાં સુધી આપણે ભૌતિક પરિસ્થિતિઓથી હેરાન થઈએ છીએ ત્યાં સુધી ભૌતિક સાધનોની મદદ આપણને જરૂરની છે. જ્યાં સુધી આપણે જ્ઞાનતંતુઓના બંધનથી મુક્ત ન થઈ શકીએ ત્યાં સુધી આપણે ભૌતિક સાધનોની ઉપેક્ષા કરી ન શકીએ.</p>
<p><strong>[9]</strong> આપણા પૂર્વજો શાંતિથી બેસીને ઈશ્વર અને નીતિધર્મનો વિચાર કરતા; આપણને પણ તે જ પ્રમાણે તે જ ધ્યેય માટે બુદ્ધિ આપવામાં આવી છે; પૈસાના લોભની દોડધામમાં આપણે ઈશ્વર અને નીતિધર્મ બેઉને ગુમાવીએ એવો સંભવ છે.</p>
<p><strong>[10]</strong> જે કંઈ કરો તે બધું યજ્ઞરૂપે કે ઈશ્વરને સમર્પણરૂપે કરો. સંસારમાં રહો ભલે, પણ સંસારના થઈને ન રહો. કમળના પાંદડાની જેમ રહો. કમળનું મૂળ કીચડમાં છે, પણ તે સર્વદા અલિપ્ત રહે છે. લોકો તમને ગમે તે કરે છતાં તમારો પ્રેમ સૌને આપો. અંધ મનુષ્ય રંગ નથી જોઈ શકતો, તે જ પ્રમાણે અનિષ્ટ આપણામાં ન હોય તો આપણે તે કેવી રીતે જોઈ શકીએ ?</p>
<p><strong>[11]</strong> આપણે આ દુનિયામાં આવ્યા તે પહેલાં તેની બહાર નીકળી જવાનાં સાધનો પણ ઈશ્વરે આપ્યાં છે; તેથી આપણે તો માત્ર આ સાધનો શોધી કાઢવાનું જ કામ કરવાનું છે. રીત અંગે ઝઘડો ન રાખો. માત્ર સાક્ષાત્કાર કરવા તરફ નજર રાખો અને તમને અનુકૂળ લાગે તેવી ઉત્તમ રીત પસંદ કરો. તમે કેરી ખાવા માંડો. ટોપલા માટે બીજાઓને ઝઘડવા દો.</p>
<p><strong>[12]</strong> કોઈને પણ અંગત રીતે ચાહવું એ બંધન છે. સૌને એકસરખી રીતે ચાહો, એટલે બધી ઈચ્છાઓ ટળી જશે.</p>
<p><strong>[13]</strong> ચાર મુસાફરો એ ઊંચી દીવાલ પાસે આવ્યા. પહેલો મુશ્કેલીથી તેની ઉપર ચડી ગયો અને પાછું જોયા વિના બીજી બાજુએ કૂદી પડ્યો. બીજો માંડ માંડ દીવાલ ઉપર ચડી ગયો, આજુબાજુ જોયું અને પછી આનંદની બૂમ મારીને દીવાલ પાછળ અદશ્ય થયો. ત્રીજો પણ ઉપર ચડ્યો; પોતાના આગલા સાથીદારો ક્યાં ગયા તે જોયું અને આનંદથી ખડખડાટ હસ્યો તથા તેમની પાછળ ગયો. પણ ચોથો પોતાના સાથીદારોનું શું થયું તે કહેવા માટે પાછો આવ્યો. માયાની દીવાલ ઓળંગીને પેલે પાર ગયેલા મહાનુભાવો પાસેથી આવતું હાસ્ય એ માયાની દીવાલને પેલે પાર કંઈક છે તેની આપણને મળતી નિશાની છે.</p>
<p><strong>[14]</strong> અપવિત્ર કલ્પના અપવિત્ર કર્મ જેટલી જ ખરાબ છે. સંયમમાં રાખેલી ઈચ્છા સર્વોચ્ચ પરિણામે લઈ જાય છે. ઈન્દ્રિયભોગની શક્તિને આધ્યાત્મિક શક્તિમાં ફેરવી નાખો, પણ તેને પાંગળી ન બનાવો; કારણ કે તેનો અર્થ તો શક્તિને વેડફી નાખવાનો છે. આ શક્તિ જેટલી વધારે તેટલું તેનાથી વિશેષ કામ થાય. પાણીનો જોરદાર પ્રવાહ જળશક્તિ દ્વારા કરવાના ખોદકામ માટેની પ્રચંડ કાર્યશક્તિ પ્રગટ કરી શકે.</p>
<p><strong>[15]</strong> દેશ, કાળ અને નિમિત્ત એ બધાં ભ્રમ છે. તમે બદ્ધ છો અને મુક્ત થશો તેમ માનો છો, તે તમારો રોગ છે. તમે અવિકારી આત્મા છો. વાતો ન કરો. શાંતિથી બેસી જાઓ અને બધી ચીજોને ઓગળી જવા દો. તેઓ માત્ર સ્વપ્નાં છે. ત્યાં કશો ભેદ નથી, કોઈ વિશિષ્ટતા નથી; તે બધો વહેમ છે. માટે ચૂપ થઈ જાઓ અને તમે શું છો તે જાણો.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/12/vyapak-darshan/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
		<item>
		<title>પ્રેમયોગની પૂર્વતૈયારી – સ્વામી વિવેકાનંદ</title>
		<link>http://www.readgujarati.com/2011/12/29/prem-yog/</link>
		<comments>http://www.readgujarati.com/2011/12/29/prem-yog/#comments</comments>
		<pubDate>Thu, 29 Dec 2011 02:22:16 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અધ્યાત્મિક લેખ]]></category>
		<category><![CDATA[સ્વામી વિવેકાનંદ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1688</guid>
		<description><![CDATA[[ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ અંતર્ગત પ્રકાશિત થયેલ ભાગ-2 ‘ભાષણો અને લેખો’માંથી અમેરિકામાં થયેલંં સ્વામીજીનું પ્રસ્તુત વક્તવ્ય સાભાર લેવામાં આવ્યું છે. ભારતીય દર્શન, અધ્યાત્મ અને સ્વામીજીના સમગ્ર સર્જન વિશે અભ્યાસ કરનાર વ્યક્તિને આ ગ્રંથમાળા ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ભક્તિયોગની શ્રેષ્ઠ વ્યાખ્યા આ શ્લોકમાં મળી આવે છે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ અંતર્ગત પ્રકાશિત થયેલ ભાગ-2 ‘ભાષણો અને લેખો’માંથી અમેરિકામાં થયેલંં સ્વામીજીનું પ્રસ્તુત વક્તવ્ય સાભાર લેવામાં આવ્યું છે. ભારતીય દર્શન, અધ્યાત્મ અને સ્વામીજીના સમગ્ર સર્જન વિશે અભ્યાસ કરનાર વ્યક્તિને આ ગ્રંથમાળા ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><img class="alignright" title="swami vivekanand" src="http://www.readgujarati.com/wp-content/uploads/2011/11/Picture-003.jpg" alt="" width="222" height="344" />ભક્તિયોગની શ્રેષ્ઠ વ્યાખ્યા આ શ્લોકમાં મળી આવે છે :</p>
<p>या प्रीतिरविवेकानां विषयेष्वनपायिनी ।<br />
त्वामनुस्मरतः सा मे हृदयान्माडपसर्पतु ।।</p>
<p>‘અવિવેકી મનુષ્યોને વિષયોમાં જેવી ગાઢ પ્રીતિ લાગેલી હોય છે, મને તમારા સ્મરણમાં લાગતી તેવી ગાઢ પ્રીતિ, મારા હૃદયમાંથી ન નીકળી જાઓ. કદાપિ ન નીકળી જાઓ.’ જે મનુષ્યોની વિવેકબુદ્ધિ સજાગ ન હોય તેવા લોકો દુન્યવી વિષયો, જેવા કે લક્ષ્મી, પોશાક, પત્ની, બાળકો, મિત્રો અને સંપત્તિ વિશે કેવી જોરદાર આસક્તિ ધરાવે છે તે આપણે જાણીએ છીએ. આ બધી વસ્તુઓ માટે તેમને કેટલી પ્રબળ આસક્તિ હોય છે ! તેથી જ પ્રાર્થનામાં તે (ભક્ત) આ ઋષિ કહે છે કે ‘મારી તે પ્રકારની તીવ્ર આસક્તિ માત્ર તારા પ્રત્યે જ રહો.’</p>
<p>આસક્તિને જ્યારે ઈશ્વર તરફ વાળવામાં આવે છે ત્યારે તે ભક્તિ કહેવાય છે. ભક્તિ એ કોઈ વિનાશક તત્વ નથી; એ શીખવે છે કે આપણને મળેલી કોઈ પણ શક્તિ નિરર્થક નથી; મોક્ષ પ્રાપ્ત કરવાનો સાહજિક માર્ગ તેનાથી જ મળે છે. ભક્તિ આપણી વૃત્તિઓનો નાશ નથી કરતી, આપણી પ્રકૃતિથી વિરુદ્ધ નથી જતી, પરંતુ વધુ ઉચ્ચ અને વધુ પ્રબળ વલણ આપે છે. આપણે વિષયો પરત્વે કેટલી સહજ આસક્તિ ધરાવીએ છીએ ! તે આપણને એટલા વાસ્તવિક લાગે છે કે તેમ કર્યા વગર આપણે રહી શકતા નથી. ઉચ્ચ વસ્તુઓની સત્યતા આપણને સામાન્યતઃ સમજાતી નથી, પરંતુ જ્યારે મનુષ્ય ઈન્દ્રિયગ્રાહ્ય જગતથી પર કોઈ સત્ય તત્વ જુએ છે ત્યારે તેની આસક્તિ તે તરફ જાય છે. વાત એમ છે કે માણસમાં આસક્તિ હોય તેની હરકત નહીં; પણ તે ઈન્દ્રિયાતીત તત્વ એટલે કે ઈશ્વર તરફ લઈ જતી હોવી જોઈએ. અને જ્યારે પહેલાં જે ભાવ ઈન્દ્રિયોના વિષય પરત્વે હતો તે ઈશ્વર પરત્વે થાય છે ત્યારે તેને ભક્તિ કહે છે. આચાર્ય રામાનુજે એ પ્રબળ પ્રેમ પ્રાપ્ત કરવા માટે નીચેનાં સાધનો બતાવ્યાં છે.<br />
<span id="more-1688"></span></p>
<p>પ્રથમ સાધન છે વિવેક. આ વસ્તુ ખાસ કરીને પાશ્ચાત્ય લોકોને બહુ વિચિત્ર લાગે છે. રામાનુજના મત પ્રમાણે અહીં વિવેકનો અર્થ ‘આહાર વિશેનો વિવેક’ એવો થાય છે. આપણા શરીર અને મનને ઘડવા માટે જે જે તત્વો જોઈએ તે આહાર પૂરાં પાડે છે; મારા શરીરમાં તે તત્વો સંગ્રહાય છે, સચવાય છે ને નવે નવે રૂપે પરિણામ પામે છે, પરંતુ મારું શરીર અને મન મેં જે આહાર લીધો છે તેનાથી કોઈ રીતે જુદાં નથી. જે રીતે આ ભૌતિક જગતમાંની શક્તિ અને મૂળદ્રવ્યમાંથી શરીર અને મન બને છે, તે રીતે શરીર, મન અને ખોરાક વચ્ચેનો ભેદ મુખ્યતઃ માત્ર અભિવ્યક્તિમાં જ છે. આમ હોવાથી આહારમાં રહેલાં જડ પરમાણુઓ વડે આપણે વિચારનું સાધન મન બનાવીએ છીએ, અને એ માંહેની સૂક્ષ્મ શક્તિથી આપણે વિચારને પણ ઉત્પન્ન કરીએ છીએ. તેથી આટલું સિદ્ધ થાય છે કે આપણા વિચાર, અને તેમનું સાધન મન, એ બન્ને ઉપર આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની અસર થાય છે. કેટલાક પ્રકારના ખોરાકો મનમાં અમુક પ્રકારના ફેરફારો આણે છે; આ આપણો નિત્યનો અનુભવ છે. વળી કેટલાક એવા પ્રકારના ખોરાક છે કે જે પ્રથમ આપણા શરીરમાં પરિવર્તન લાવે છે, અને લાંબે ગાળે મન ઉપર પણ તેની ભારે અસર પડે છે. આ રહસ્ય જાણવું ઘણું અગત્યનું છે. મોટા ભાગનાં જે દુઃખો આપણે અનુભવીએ છીએ તેને માટે આપણો ખોરાક જવાબદાર છે. આપણે જણીએ છીએ કે ભારે અને પચાવવો મુશ્કેલ પડે તેવો ખોરાક ખાધા પછી મનને કાબૂમાં રાખવું મુશ્કેલ બને છે; આખો વખત તે ખૂબ દોડાદોડી અને કૂદાકૂદ કરતું રહે છે. કેટલાક પ્રકારનો ખોરાક બહુ ઉત્તેજક હોય છે; આવો ખોરાક લીધો હોય તો મનને કાબૂમાં રાખી શકાતું નથી. વિશેષ પ્રમાણમાં મદિરા કે અન્ય માદક પીણાં પીધા પછી મન ઉપર કાબૂ રહી શકતો નથી, સંયમની મર્યાદા તે ઓળંગી જાય છે, એ આપણો અનુભવ છે.</p>
<p>શ્રી રામાનુજના મત પ્રમાણે ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરવો જોઈએ. તેમાં પ્રથમ ‘જાતિ’ એટલે કે ખોરાકનો વર્ગ, એની પ્રકૃતિ આવે છે; આપણે એ વિશે વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે, માંસ જેવા સઘળા ઉત્તેજક ખોરાકનો ત્યાગ કરવો જોઈએ; એવો ખોરાક પ્રકૃતિથી જ અપવિત્ર હોવાથી તે લેવો ન જોઈએ. આવો ખોરાક આપણે અન્ય પ્રાણીનો જીવ લઈને જ મેળવી શકીએ છીએ. ક્ષણભર આપણને તે આનંદ આપે છે, પરંતુ આપણા આવા આનંદની ખાતર અન્ય પ્રાણીઓને પોતાના પ્રાણ આપવા પડે છે. એટલું જ નહીં પણ તેથી આપણે અન્ય માનવીને પણ અધમ બનાવીએ છીએ. જો પ્રત્યેક માંસાહારી મનુષ્ય પોતે જ પ્રાણીનો ઘાત કરીને પોતાનો ખોરાક મેળવતો હોય તો તો કંઈક ઠીક; પરંતુ તેમ કરવાને બદલે સમાજ તેવું કામ કરનારાઓનો એક વર્ગ ઊભો કરે છે, અને પછી તેવા કામ બદલ તેને ધિક્કારે છે. ઈંગ્લૅન્ડમાં જ્યૂરીના સભાસદ તરીકે કોઈ કસાઈ બેસી શકતો નથી, કારણ કે સ્વભાવથી જ તે ક્રૂર છે એમ માનવામાં આવે છે. પણ તેને ક્રૂર બનાવે છે કોણ ? સમાજ. જો આપણે કોઈ માંસ ખાતા જ ન હોઈએ તો કસાઈઓની જરૂર રહે નહીં. જેને ભક્ત થવું નથી અને જેને સખત પરિશ્રમની જરૂર પડે છે તેવા માણસનો માંસાહાર ચલાવી શકાય; પરંતુ જો તમારે ભક્ત થવું હોય તો માંસનો ત્યાગ કરવો જોઈએ. તે સાથે ડુંગળી અને લસણ જેવા ગંધાતા સઘળા પ્રકારના ઉત્તેજક પદાર્થોને પણ ત્યજવા જોઈએ. જે ખોરાક ઘણા દિવસનો વાસી હોઈને બગડી ગયો હોય, જે ખોરાકનો કુદરતી રસ શોષાઈ ગયો હોય તથા જે ખોરાકમાં દુર્ગંધ હોય તેને ત્યજવો જોઈએ.</p>
<p>આહાર સંબંધે વિચાર કરવા જેવી બીજી બાબત ‘આશ્રય’ છે. પાશ્ચાત્ય માનસને માટે એ વધારે ગૂંચવણ કરાવનારી છે. ‘આશ્રય’ એટલે જેની પાસેથી આહાર આવતો હોય તે વ્યક્તિ. આ એક અજબ સિદ્ધાંત છે. તે એવો છે કે દરેક મનુષ્ય પોતાની આજુબાજુ એક વાતાવરણ સર્જે છે, અને જે કોઈ વસ્તુને તે અડકે છે તેમાં તે પોતાનું વાતાવરણ, પોતાના વ્યક્તિત્વનો કંઈક અંશ, પોતાની કંઈક અસર મૂકતો જાય છે. એવું મનાય છે કે મનુષ્યનું ચારિત્ર્ય જાણે કે ભૌતિક શક્તિની માફક પોતાની આસપાસ એક તરેહની આભા પાથરતું હોય છે. તેથી જે જે પદાર્થને તે સ્પર્શે છે તેના ઉપર તેની અસર પડે છે. આથી સંધ્યા પછી ખોરાકને કોઈ સ્પર્શે છે તે બાબતની પણ કાળજી રાખવી જોઈએ; કોઈ દુષ્ટ કે દુરાચારી માણસનો તેને સ્પર્શ નહીં થવો જોઈએ. જેણે ભક્ત થવું હોય તેણે દુષ્ટ ગણાતા લોકો સાથે આહાર લેવો ન જોઈએ, કારણ કે તેમ કરવાથી અન્ન દ્વારા તેની દુષ્ટતાની અસર લાગે છે.</p>
<p>આહારશુદ્ધિની ત્રીજી બાબત છે ‘નિમિત્ત’. કચરો અને ધૂળ આહારમાં ન હોવી જોઈએ. ખાદ્ય પદાર્થો બહારથી લાવ્યા પછી તેમને સાફ કર્યા સિવાય ખાવા માટે પીરસવા ન જોઈએ. લાળ તેમ જ અન્ય રસગ્રંથિઓની ક્રિયા પરત્વે પણ આપણે સજાગ રહેવું જોઈએ. જેમ કે આંગળાંથી હોઠનો સ્પર્શ નહીં થવો જોઈએ. હોઠની ત્વચા એ શરીરનો નાજુક ભાગ છે અને સઘળી અસર લાળ દ્વારા સહેલાઈથી ફેલાઈ જાય છે. તેથી તેનો સ્પર્શ, માત્ર ઘૃણાજનક નહીં પણ ભયંકર લેખાવો જોઈએ. વળી અન્યનો છાંડેલો ખોરાક પણ આપણે ખાવો ન જોઈએ. જ્યારે આ બધી બાબતોનો ત્યાગ કરવામાં આવે ત્યારે જ ખોરાક પવિત્ર બને છે. શુદ્ધ આહાર મનને શુદ્ધ બનાવે છે, અને વિશુદ્ધ મનમાં ઈશ્વરસ્મૃતિ નિરંતર જળવાઈ રહે છે.</p>
<p>આ જ વિષય પર અન્ય ભાષ્યકાર શ્રીમદ શંકરાચાર્ય જે કહે છે તે પણ હું તમને કહી દઉં. શંકરાચાર્ય સાવ જુદા પ્રકારે જ વ્યાખ્યા કરે છે. સંસ્કૃતમાં આહાર શબ્દ ‘हृ’ ધાતુ પરથી આવેલ છે. તેનો અર્થ ‘એકઠું કરવું’ એવો થાય છે. ‘આહાર’ એટલે ‘એકઠું કરવું.’ એનો અર્થ શો છે ? શંકરાચાર્ય કહે છે કે ‘આહારશુદ્ધિથી સત્વશુદ્ધિ’નો ભાવાર્થ એ છે કે આપણે ઈન્દ્રિયોના ગુલામ ન બનીએ એટલા માટે આટલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ – પ્રથમ તો આસક્તિ. ઈશ્વર સિવાય કોઈ વસ્તુમાં આપણે અત્યંત આસક્તિ રાખવી ન જોઈએ. ભલે દરેક વસ્તુ જુઓ, દરેક કામ કરો, પણ તેમાં આસક્ત થાઓ નહીં. તીવ્ર આસક્તિ આવે કે તરત જ મનુષ્ય પોતાને ખોઈ બેસે છે; તે પોતા પર કાબૂ રાખી શકતો નથી અને ગુલામ બની જાય છે. જો કોઈ સ્ત્રી કોઈ પુરુષ ઉપર વિશેષ રૂપે આસક્ત બને છે, તો તે તેની ગુલામ થઈને રહે છે. ગુલામ થવામાં કોઈ અર્થ નથી. કોઈ પણ માનવીનું દાસત્વ સ્વીકારવા કરતાં દુનિયામાં વધુ મહત્વની બીજી ઘણી બાબતો છે. દરેક માનવ પ્રત્યે પ્રેમ રાખો, તેનું કલ્યાણ કરો, પરંતુ કદાપિ તેના ગુલામ ન બનો. પ્રથમ તો આસક્તિ વ્યક્તિગત રીતે આપણને નીચી પાડે છે, અને બીજું આપણને તે અત્યંત સ્વાર્થી બનાવે છે. આ હલકી વૃત્તિને કારણે સ્નેહપાત્રનું શુભ કરવા ખાતર આપણે અન્યને હાનિ પહોંચાડીએ છીએ. આ દુનિયામાં મોટા ભાગનાં દુષ્ટ કૃત્યો કેટલીક વ્યક્તિઓ પ્રત્યેની આપણી આસક્તિને લીધે બને છે; તેથી સત્કાર્ય સિવાય અન્ય કોઈ પણ બાબત પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો ઘટે. પરંતુ પ્રેમ સર્વ પર રાખવો જોઈએ. પછી લઈએ ઈર્ષ્યા. ઈન્દ્રિયોના વિષયોને માટે ઈર્ષ્યા ન થવી જોઈએ; ઈર્ષ્યા સર્વ અનર્થનું મૂળ છે, અને તે જીતવી અતિ દુષ્કર છે. પછી લઈએ ભ્રમણા. આપણે નિત્ય એક વસ્તુને ભૂલથી અન્ય વસ્તુ તરીકે માનીએ છીએ અને પછી તે પ્રમાણે પ્રવૃત્તિ કરીએ છીએ; પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. જે અનિષ્ટ છે તેને આપણે ઈષ્ટ માનીએ છીએ; જે કોઈ બાબત કે વસ્તુ ક્ષણભર આપણા જ્ઞાનતંતુઓને ઉત્તેજન આપે તેને આપણે સર્વશ્રેષ્ઠ તરીકે સ્વીકારીને તેમાં ઝંપલાવીએ છીએ; અને ખૂબ મોડેથી આપણને ભાન થાય છે કે આપણને તેનાથી બહુ મોટો આઘાત પહોંચ્યો છે. હરહંમેશ આપણે આ ભૂલમાં પડીએ છીએ, અને જીવનભર આપણે તેમાં અટવાયા કરીએ છીએ. શંકરાચાર્ય એમ માને છે કે ઈન્દ્રિયો જ્યારે વિશેષ આસક્ત ન રહે, ઈર્ષ્યારહિત અને ભ્રમણામુક્ત બને અને તે પ્રમાણે વ્યવહાર કરે, ત્યારે એ કાર્ય અથવા તેમાંથી ઉત્પન્ન થતા સંસ્કારોનો સમુદાય શુદ્ધ આહાર કહેવાય છે. જ્યારે આવો શુદ્ધ આહાર મળે ત્યારે રાગ, ઈર્ષ્યા કે ભ્રમણારહિત બનીને મન વિષયોને ગ્રહણ કરી શકે છે; ત્યારે મન શુદ્ધ બને છે અને ઈશ્વરનું અવિરત સ્મરણ, ध्रुवा स्मृतिः તેને રહ્યા કરે છે.</p>
<p>શંકરાચાર્યનો અર્થ શ્રેષ્ઠ છે એમ સ્વાભાવિક રીતે જ માણસ કહેવાનો. પણ હું ઉમેરવા માગું છું કે શ્રી રામાનુજે આપેલી વ્યાખ્યાની પણ અવગણના કરવી જોઈએ નહીં. જ્યારે તમે ખરા ભૌતિક આહારને વિશે આવી કાળજી રાખો ત્યારે જ મનની શુદ્ધિ વગેરે બીજું બધું મળી શકે. મન માલિક છે એ ખરું; પરન્તુ વિષયોના બંધનમાં ન હોય એવા લોકો આપણામાં બહુ જ થોડા હોય છે. આપણે બધા જડ પદાર્થોને વશ છીએ ત્યાં સુધી તેને અનુરૂપ જડ સાધનોની મદદ આપણે લેવી જોઈએ; પછી જ્યારે આપણે પૂરા શક્તિમાન થઈ જઈએ ત્યારે આપણે ગમે તે ખાઈ-પી શકીએ. ખાવાપીવામાં આપણે શ્રી રામાનુજના સિદ્ધાંતો અપનાવવા ઘટે. સાથોસાથ આપણે મનને શું ખોરાક આપીએ છીએ તેની પણ કાળજી રાખવી ઘટે. ભૌતિક આહારની બાબતમાં આપણે સહેલાઈથી સાવચેતી રાખી શકીએ. પણ સાથોસાથ માનસિક સંયમ પણ હોવો જોઈએ; પછી આપણો આત્મા ધીમે ધીમે વધુ ને વધુ શક્તિશાળી બનતો જશે અને શરીરનો પ્રભાવ ઘટતો જશે. તે પછી આહાર તમને કંઈ નુકશાન નહીં કરે. મોટી મુશ્કેલી એ છે કે પ્રત્યેક વ્યક્તિ કુદકો મારીને સર્વોચ્ચ આદર્શે પહોંચી જવા માગે છે, પણ તે ખરો માર્ગ નથી. તેનાથી તો આખરે પતન જ થાય છે. આપણે તો અહીં જકડાયેલા પડ્યા છીએ; આપણે એ બંધન ધીરે ધીરે તોડવાં જોઈએ. આનું નામ સદ-અસદ વિચાર એટલે કે વિવેક છે.</p>
<p>ત્યાર પછી આવે છે ‘વિમોક’. એટલે કે વાસનાઓમાંથી મુક્તિ. જે ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખવા માગે છે તેણે સર્વ વાસનાઓ છોડવી જોઈએ. ઈશ્વર સિવાય કોઈ વસ્તુની વાસના ન રાખો. ઉચ્ચ જીવનમાં પહોંચવા માટે સહાયભૂત થાય ત્યાં સુધી આ દુનિયા ઠીક છે; તેમ ઉચ્ચ તત્વોને પ્રાપ્ત કરવામાં સહાયક તરીકે ઈન્દ્રિયોના વિષયો પણ ચાલી શકે. આ દુનિયા અંતિમ ધ્યેયે પહોંચવા માટેનું એક સાધન છે, સાધ્ય નથી, એ વાત આપણે હમેશાં ભૂલી જઈએ છીએ. જો તે સાધ્ય હોત તો આપણે આ ભૌતિક શરીરે જ અમર થઈ જાત; આપણે કદી મૃત્યુ પામત જ નહીં. પરંતુ આપણે પ્રતિ પળે આપણી આજુબાજુ લોકોને મૃત્યુ પામતા જોઈએ છીએ અને છતાં મૂર્ખની પેઠે આપણે એમ માનીએ છીએ કે આપણે કદી મરવાના નથી; અને એવી ખાતરીથી આપણે આ ભૌતિકજીવન જ અંતિમ લક્ષ્ય છે તેમ માની બેસીએ છીએ. આપણામાંના નવ્વાણું ટકા લોકોની આ સ્થિતિ છે. આ ખ્યાલ એકદમ છોડી દેવો જોઈએ. જ્યાં સુધી આ દુનિયા આપણી જાતને પૂર્ણત્વને પહોંચવાના સાધન રૂપ રહે ત્યાં સુધી તો ઠીક; પરંતુ જે ક્ષણે તે સાધન બનતી અટકી જાય કે તરત તે અનિષ્ટ રૂપ બને છે. એ જ પ્રમાણે પત્ની, પતિ, બાળકો, પૈસો અને વિદ્યા આપણી પ્રગતિમાં મદદરૂપ થાય ત્યાં સુધી તે બધાં ઈષ્ટ છે; પરંતુ તેમ કરતાં તેઓ અટકે ત્યારે તે અનિષ્ટ રૂપ બને છે. જો પત્ની આપણને ઈશ્વર પ્રાપ્તિમાં સહાયભૂત થાય તો તે યોગ્ય પત્ની છે; પતિ, બાળકો વગેરેનું પણ એમ જ સમજવું. વળી જો ધન બીજાને મદદ કરવામાં સહાયભૂત થાય તો તેની કિંમત છે; નહીંતર એ અનર્થનો જ ઢગલો છે, અને જેટલો વહેલો તેનો ત્યાગ થાય તેટલું સારું.</p>
<p>ત્યાર પછીથી આવે છે ‘અભ્યાસ’. મનને સદા ઈશ્વરાભિમુખ રાખવું જોઈએ. તેમાંથી તેને રોકવાનો કોઈને પણ અધિકાર નથી. નિરંતર તેણે ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ. બેશક આ ઘણું મુશ્કેલ કાર્ય છે, છતાં સતત અભ્યાસથી તેમ કરી શકાય છે. આપણી આજની સ્થિતિ તે આપણા પૂર્વ અભ્યાસનું પરિણામ છે; તેવી જ રીતે આપણે ભવિષ્યમાં શું બનશું તે પણ અભ્યાસ જ નક્કી કરી શકે છે. તેથી અભ્યાસની દિશા બદલવી જોઈએ; એક રીતના અભ્યાસે આપણને આવા બનાવ્યા છે, તો હવે બીજી રીતે અભ્યાસ કરીને જેમ બને તેમ જલદી આમાંથી મુક્ત થઈ જાઓ. વિષયના ચિંતને આપણને એવી પરિસ્થિતિમાં લાવી મૂક્યા છે કે એમાં ઘડીમાં રડવું, ઘડીમાં હસવું, પ્રત્યેક સંજોગોને ઘડી ઘડી આધીન થવું અને પ્રત્યેકના દાસ બનવું પડે છે. એ શરમજનક સ્થિતિ છે, છતાં આપણે પોતાને આત્મા તરીકે ઓળખાવીએ છીએ. અન્ય માર્ગે વળો, ઈશ્વરનું ચિંતવન કરો; મનને ભૌતિક કે માનસિક સુખભોગ તરફ જવા દો નહીં, પરન્તુ એક ઈશ્વર પ્રત્યે જ તેને વાળો. જ્યારે તે બીજી બાબતનો વિચાર કરવા દોડે ત્યારે તેને એવો ફટકો મારો કે તે પાછું વળે અને ઈશ્વરચિંતનમાં લાગી જાય. જેમ એક વાસણમાંથી બીજા વાસણમાં રેડાતું તેલ અવિચ્છિન્ન ધારાથી વહે છે, જેમ દૂરથી આવતા ઘંટનાદના સ્વરો એક જ અવિરામ ધ્વનિ રૂપે કર્ણગોચર થાય છે, તે જ પ્રમાણે મન ઈશ્વર તરફ એક જ પ્રવાહ રૂપે વહેવું જોઈએ. આ અભ્યાસમાં મનને પરાણે પ્રવૃત્ત કરવું જોઈએ, એટલું જ નહીં પરંતુ ઈન્દ્રિયોને પણ તેમાં જોડવી જોઈએ. મૂર્ખાઈભરી વાતો સાંભળવા કરતાં ઈશ્વરની વાતો સાંભળવી જોઈએ; બાલિશ વચનો ઉચ્ચારવા કરતાં ઈશ્વર વિશે વાતો કરવી જોઈએ; નકામાં પુસ્તકો વાંચવાને બદલે જેમાં ઈશ્વરની વાતો હોય તેવા સારા ગ્રંથો વાંચવા જોઈએ. મનમાં ઈશ્વરનું સ્મરણ રાખવાના અભ્યાસનું મોટામાં મોટું સાધન કદાચ સંગીત છે. ભક્તિના મહાન આચાર્ય નારદને ભગવાન કહે છે :</p>
<p>‘नाहं वसामि वैकुण्ठे योगिनां हृदये न च ।<br />
मदभक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद ।।’</p>
<p>‘નારદ ! નથી હું સ્વર્ગમાં વસતો કે નથી યોગીઓનાં હૃદયમાં વસતો; હું તો મારા ભક્તો જ્યાં મારું કીર્તન કરે છે ત્યાં વસું છું.’ સંગીતની મનુષ્યના મન ઉપર બહુ જબરી અસર થાય છે; સંગીત તેને એક ક્ષણમાં એકાગ્ર બનાવી દે છે. તમે જોયું હશે કે જડ, અજ્ઞાન, પામર અને પશુ જેવા મનુષ્યો, કે જેઓ અન્ય સમયે મનને સ્થિર બનાવી શકતા નથી, તેઓ પણ જ્યારે આકર્ષક સંગીત સાંભળે છે ત્યારે તરત જ મુગ્ધ અને એકાગ્ર બની જાય છે. કૂતરાં, સિંહ, બિલાડાં અને સર્પો વગેરે પ્રાણીઓ પણ સંગીતથી મુગ્ધ બને છે.</p>
<p>પછી આવે છે ક્રિયા – અન્યના કલ્યાણ માટેની પ્રવૃત્તિ. સ્વાર્થી મનુષ્યને ઈશ્વરનું સ્મરણ થતું નથી. જેટલા વધારે પ્રમાણમાં આપણે બહાર નીકળી અન્યના હિત માટે પ્રવૃત્તિ કરીએ તેટલા પ્રમાણમાં આપણાં હૃદયો પવિત્ર બને છે અને ઈશ્વર તેમાં વસે છે. આપણાં શાસ્ત્ર પ્રમાણે આવાં પાંચ પ્રકારનાં કર્મો છે. તેને પંચયજ્ઞો કહે છે. પ્રથમ છે સ્વાધ્યાય. દરેક મનુષ્યે દરરોજ કંઈક પવિત્ર અને સારું વાંચન કરવું જોઈએ; આને ઋષિયજ્ઞ કહે છે. બીજું છે ઈશ્વર, દેવો કે સંતોની ઉપાસના; આને દેવયજ્ઞ કહે છે. બીજું આપણા પિતૃઓ પ્રત્યેનું કર્તવ્ય છે કે જેને પિતૃયજ્ઞ કહે છે. ચોથું મનુષ્યો પ્રત્યેનું કર્તવ્ય છે, એને નૃયજ્ઞ કહે છે. કોઈ પણ મનુષ્ય, જ્યાં સુધી ગરીબ અગર જેને કોઈ રહેવાનો આશરો ન હોય તેને આશરો બંધાવી ન આપે, ત્યાં સુધી તેને પોતાના ઘરમાં રહેવાનો અધિકાર નથી. ગૃહસ્થનું ઘર દીન અને દુઃખી માટે સર્વદા ખુલ્લું રહેવું જોઈએ; ત્યારે જ તે ખરો ગૃહસ્થાશ્રમી કહેવાય. જો તે કેવળ પત્ની સાથે રહી આનંદ માણવા પોતા માટે ઘર બાંધે તો તે કદી ઈશ્વરપ્રેમી બનશે નહીં. કોઈ મનુષ્યને પોતાના એકલાને માટે રસોઈ કરવાનો અધિકાર નથી; રસોઈ અન્યને માટે હોવી જોઈએ. અને બીજાને આપ્યા પછી જે બચે તે જ પોતે ખાવું જોઈએ. ભારતમાં એ સર્વ-સામાન્ય રિવાજ છે જ્યારે કોઈ ઋતુની પહેલી પેદાશ – બોર, કેરી વગેરે – બજારમાં આવે ત્યારે તે ખરીદીને પ્રથમ ગરીબ લોકોને તેની લહાણી કરાય; ત્યાર પછી જ પોતે તેનો ઉપયોગ કરે. આ દેશ (** આ વ્યાખ્યાનો અમેરિકામાં અપાયાં હતાં તેથી અહીં ‘આ દેશ’ એવો શબ્દપ્રયોગ કર્યો છે.**) માટે પણ આ પદ્ધતિનું અનુકરણ કરવું સારું છે. આ જાતનો અભ્યાસ માણસને નિઃસ્વાર્થી બનાવશે અને સાથે સાથે એ તેની પત્ની અને બાળકોને માટે સુંદર બોધપાઠ રૂપ થઈ પડશે. યહૂદી લોકો પ્રાચીન કાળમાં વૃક્ષનું પહેલું ફળ ભગવાનને અર્પણ કરતા. તમામ ચીજોનો પ્રથમ ભાગ ગરીબને આપવો જોઈએ; આપણો હક માત્ર તેમાંથી બચેલા ઉપર જ રહે છે. ગરીબો પ્રભુના પ્રતિનિધિ છે; જે કોઈ દુઃખી છે તે પણ તેનું જ પ્રતીક છે. જે કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુનું દાન કર્યા સિવાય ઉપભોગ કરે છે અને તેમાં આનંદ માણે છે, તે ખરી રીતે પાપનો જ ઉપભોગ કરે છે. પાંચમું આવે છે પ્રાણીઓ પ્રત્યેનું આપણું કર્તવ્ય. એને ભૂતયજ્ઞ કહે છે. તમામ પ્રાણીઓ મનુષ્ય માટે કપાવા અને તેની મરજી મુજબના ઉપભોગ માટે સર્જાયાં છે એમ માનવું એ આસુરી વૃત્તિ છે. તે શેતાનનું શાસ્ત્ર છે, ભગવાન નહીં. એ જ રીતે કોઈ પણ પ્રાણીને મારીને તેનો શરીરના કોઈ ભાગમાં અમુક અમુક નસો તરફડે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવું એ કેટલું શેતાનિયત ભરેલું છે તેની કલ્પના કરવી જ બસ છે ! પરદેશી રાજ્યસત્તાની હકૂમત તળે એને ગમે તેટલું ઉત્તેજન મળે તોપણ અમારા દેશમાં આવી પરિસ્થિતિ હજુ સૌ કોઈ ચલાવી લેતા નથી તે જાણીને મને આનંદ થાય છે. અમારા ઘરોમાં રાંધેલી રસોઈનો એક ભાગ પ્રાણીઓ માટે પણ હોય છે. તેમને રોજ અન્ન આપવું જોઈએ; આ દેશના પણ દરેક શહેરમાં દૂબળાં, લૂલાં, લંગડાં તેમજ આંધળાં પ્રાણીઓ (ઘોડાં, ગાય, કૂતરાં અને બિલાડાંઓ) માટે દવાખાનાં હોવાં જોઈએ તથા ત્યાં તેમને ખોરાક આપીને સંભાળ લેવાની વ્યવસ્થા હોવી જોઈએ.</p>
<p>ત્યાર પછી આવે છે કલ્યાણ : એટલે પવિત્રતા. તેમાં નીચેના ગુણોનો સમાવેશ થાય છે. સત્ય; જે સત્યપરાયણ છે તેને સત્ય-સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. વિચાર, વાણી અને કર્મ સંપૂર્ણ રીતે સાચાં હોવાં જોઈએ. ત્યાર પછી આવે છે આર્જવ, એટલે સરળતા, પ્રામાણિકતા. આ શબ્દનો અર્થ થાય છે હૃદયની નિખાલસતા; હૃદયમાં કશી કુટિલતા એટલે કે અંદર એક અને બહાર બીજું ન રાખવું તે; આડાઅવળા નહીં પણ સીધે રસ્તે જવું તે. પછી આવે છે દયા, કરુણા. પછી આવે અહિંસા એટલે મન, વચન, કર્મથી કોઈને પીડા ન પહોંચાડવી તે. પછી દાનથી ચડિયાતો બીજો કોઈ સદગુણ નથી. જે મનુષ્યનો હાથ લેવા માટે લંબાય છે તે નીચો છે; જેનો હાથ દેવા માટે લંબાય છે તે ઊંચો છે. હાથ દાન દેવા માટે સર્જાયો છે. પોતે ભૂખ્યા રહીને પણ તમારા રોટલાનું છેલ્લું બટકું પણ દાનમાં આપી દો. બીજાને આપવાને કારણે જો ભૂખથી મૃત્યુ પામશો તો તે જ ક્ષણે તમે મુક્ત થઈ જશો; તે જ ક્ષણે તમે પૂર્ણત્વ પ્રાપ્ત કરશો અને ઈશ્વરસ્વરૂપ બની જશો. જેમને સંતાન છે તે લોકો બંધાયેલા છે; તેઓ દાન કરી શકે નહીં. તેમને સંતતિનો આનંદ ચાખવો છે એટલે તેની કિંમત તેમણે ચૂકવવી જ પડે. દુનિયામાં બાળકોનો ક્યાં તોટો છે ? સ્વાર્થી ભાવનાથી પ્રેરાઈને જ માણસ કહે છે કે ‘મારે મારું બાળક હોય તો સારું.’</p>
<p>ત્યાર પછી આવે છે અનવસાદ એટલે વિષાદનો અભાવ, એટલે કે આનંદી સ્વભાવ. વિષાદ એ બીજું ગમે તે હોય, પણ ધર્મ નથી. હમેશાં પ્રાર્થનાથી આનંદી અને હસમુખા બનવાથી મનુષ્ય ઈશ્વરની વધુ સમીપ પહોંચે છે. જે મન વિષાદભર્યું અને જડ હોય તેમાં પ્રેમ ક્યાંથી ઉદ્દભવે ? તેઓ પ્રેમની વાત કરે તો સમજજો કે એ ખોટી છે. એ લોકો તો બીજાને દૂભવવા માગતા હોય છે. ધર્માંધ મનુષ્યોને જુઓ; તેમના ચહેરા ભારેખમ રહે છે, અને તેમનો ધર્મમાત્ર શબ્દો અને આચરણથી અન્ય સાથે ઝઘડવામાં જ સમાઈ જાય છે. ભૂતકાળમાં તેઓએ શું કર્યું છે, અને છૂટા મૂકવામાં આવે તો અત્યારે તેઓ શું કરે તેનો ખ્યાલ કરો. જો તેમને સત્તા મળે તો કાલે જ આખી દુનિયાને લોહીની નદીમાં તરબોળ કરી દે. સત્તાના પૂજારી બનીને, મનમાં વિષાદ રાખીને, તેઓ પોતાના હૃદયમાંથી પ્રેમભાવનાના અંકુરોને જડમૂળમાંથી કાઢી નાખે છે. એ જ પ્રમાણે જે માણસ સર્વદા પોતાને દુઃખી માન્યા કરે છે તે પણ ઈશ્વરની સમીપ કદી પહોંચી શકશે નહીં. ‘હું કેટલો દુઃખી છું !’ એમ કહેવું તે ધર્મ નથી. નર્યો અસુરભાવ છે. દરેક મનુષ્યને પોતાનો બોજો વહેવાનો તો હોય જ છે. જો તમે દુઃખી હો તો સુખી થવાનો, દુઃખ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરો.</p>
<p>નિર્બળ મનુષ્ય ઈશ્વરને પામી શકશે નહીં. કદી પણ નિર્બળ ન બનો; શક્તિમાન બનો. તમારામાં અનંત શક્તિ ભરેલી છે. બીજી કઈ રીતે વિજયી બની શકશો ? બીજી કઈ રીતે તમે ઈશ્વરની સમીપ પહોંચી શકશો ? પરન્તુ તે સાથે જ તમારે અતિ હર્ષ છોડવો જોઈએ. આવી સ્થિતિમાં રહેતું ચિત્ત કદી શાંત બની શકતું નથી; ચંચળ બને છે. આનંદનો અતિરેક પાછળથી દુઃખ લાવે છે. હર્ષ અને શોકનાં આંસુઓ સહોદર જેવાં છે; મનુષ્યો ઘણીવાર એક છેડેથી એકદમ બીજે છેડે જાય છે. મનને આનંદમાં ભલે રાખો, પણ શાંત રાખો. તમે કોઈ રીતે મનને અતિરેકમાં જવા ન દો, કારણ કે દરેક પ્રકારનો અતિરેક આખરે તેનો પ્રત્યાઘાત લાવે જ છે.</p>
<p>શ્રીરામાનુજના મત પ્રમાણે ભક્તિ માટેની આ બધી પૂર્વ તૈયારી છે.</p>
<p>[આ ભાગના કુલ પાન : 373. (કુલ ભાગ 1 થી 10). કિંમત : અપ્રાપ્ય. પ્રાપ્તિસ્થાન : શ્રી રામકૃષ્ણ આશ્રમ. ડૉ. યાજ્ઞિક રોડ, રાજકોટ-360001.]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/12/29/prem-yog/feed/</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
	</channel>
</rss>

