સાબરકાંઠા જીલ્લામાં આવેલા ઇડરીયો ગઢ અને તેનાથી આગળ વિજયનગર તાલુકાના આભાપુર ગામની પવિત્ર હિરણ્ય નદીના કાંઠાથી આઠ કિમી સુધીના વિસ્તારમાં ફેલાયેલા ગાઢ જંગલ અને પ્રાચીન મંદિરોના ખંડેરની ભૂમિ એટલે પોળોનું જંગલ છેલ્લા ઘણા સમયથી ખુબ ચર્ચિત બન્યું છે.
વિભાગ : પ્રવાસવર્ણન
લોનાવલાના વિસાપુર - માલાલવી ગામમાં આવેલ મહારાષ્ટ્રનો સહુથી ઉંચો કિલ્લો એટલે વિસાપુર કિલ્લો. મુંબઈ-પુણે તેમજ ગુજરાતથી ટ્રેન મારફતે લોનાવલા પહોંચી શકાય છે. વિસાપુર ટ્રેક જ્યાંથી શરુ થાય છે એ માલાલવી ગામ લોનાવલાથી ૧૦ કિમીના અંતરે આવેલ છે જે લોનાવલા, પુણે, અને મુંબઈની લોકલ ટ્રેન દ્વારા સંકળાયેલું છે.
દિવાળીનું વેકેશન એટલે હવે ઘણાંખરા પરિવાર માટે ફરવાનો અવસર. બિઝનસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ ભારતમાં અને વિશ્વના પ્રવાસન નકશામાં પ્રવાસી તરીકે ગુજરાતીઓ મોખરે છે. રૂપિયાનું અવમૂલ્યન કે મંદી પણ ગુજરાતીઓની ફરવાની આદત પર અસર કરી શકી નથી. ભારતની બહાર જનારા પ્રવાસીઓમાં ૩૦%થી વધુ ગુજરાતી છે. ભલે ગુજરાતીઓ પ્રવાસી તરીકે પંકાયેલા છે, પણ એક જવાબદાર પ્રવાસી તરીકે આપણી છાપ બહુ સારી નથી. હિરલ પંડ્યાનો પ્રસ્તુત લેખ મુસાફરી માટેની આપણી આ મોસમમાં ખૂબ ઉપયોગી વાત કહી જાય છે.
“ધ પેરાડોક્સ ઓફ ચોઇઝ - વ્હાય મોર ઇઝ લેસ” અમેરિકાના માનોચિકિત્સક શ્રીમાન. બેરી સ્ચ્વાર્ત્ઝે ૨૦૦૪ માં લખેલા આ પુસ્તક દ્વારા એવી દલીલ કરેલી કે માણસ પાસે જ્યારે પસંદગી માટે વધારે વિકલ્પ હોય, ત્યારે તે મૂંઝવણનું કારણ બને છે. ‘પ્રવાસ વર્ણન’ લખવાનું નક્કી તો કર્યું પણ સાથે જ એવો વિચાર આવ્યો કે ૨૦૦૮થી માંડીને આજ સુધી, નોકરી અર્થે મને-કમને એટલા બધા આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યા છે; તેમાંથી ક્યા પ્રવાસ વિષે લખવું? ઘણાબધા વિકલ્પને લીધે ખૂબ મૂંઝાયો, પછી એવું નક્કી કર્યું કે જીવનના સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ વિષે લખવાની શરૂઆત કરી દેવી.
જીવનમાં ક્યારેક લાંબી ઉડાન ભરવા માટે પહેલા હળવું થવું પડે, લાંબો કૂદકો મારવા માટે બે સ્ટેપ પાછળ પણ હટવું પડે.. સપ્ટેમ્બરમાં કરેલ હિમાચલના ટ્રેક બાદ બીજા ટ્રેકિંગ પર જલ્દીથી જવાની, કુદરતનો ખોળો ખૂંદવાની મને અને સખી ડિમ્પલને અદમ્ય ઈચ્છા હતી. પરંતુ દિવાળીની રજાઓ અને ઉપરથી બજેટનો પ્રોબ્લેમ એટલે ફાઇનલી નક્કી થયું - જેટલું બજેટ છે એમાં એક નવા સ્થળે ફરવા જવું.. અને વિશલીસ્ટમાં જે બહુ છેલ્લે હતું એના પર પસંદગીનો કળશ પહેલો ઢોળાયો.. એ ‘ગોઆ’. ટ્રેકિંગ કરો કે ફરવા જાઓ, ધ્યેય તો વિશાળ પૃથ્વી પર ફેલાયેલી કુદરતને જોવા - માણવા - સમજવાનું જ હોય ને!
કોણ જાણે કેટલાયે કાળથી અખંડ ઉભા છે આ પહાડો ને વૃક્ષો.. કોણ જાણે કેટલાયે કાળથી નિરંતર વહ્યે જાય છે તૃપ્ત કરનારી આ નદી ને ઝરણાં, ને કેટલાયે સમય ખંડમાં વહેંચાઈને છૂટા પડેલા છે આ ખડકો.. અહીં આવો તો અનુભવાય કે જાણે અહીંની હવા રાહ જોઈ રહી છે, એના સાચા કુદરત પ્રેમીના આવવાની..! ફરી એકવાર પ્રકૃતિપ્રેમી એવા અમે હું અને સખી ડિમ્પલ નીકળી પડ્યા કુદરતને ખૂંદવા, કેટલાય સમયથી પાંગરેલી એક ઝંખનાને હકીકતનું સ્વરૂપ આપવા. પણ આ વખતે ગુજરાતની બહાર. હા, હિમાચલની દેવભૂમિને અમે અમારું ટ્રેકિંગ સ્થળ પસંદ કર્યું.
(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) રોજના ક્રમ મુજબ મિત્રો બાગમાં એકઠા થયેલા. હું અને મારો મિત્ર અરવિંદભાઈ કોઈ પ્રવાસની રૂપરેખા આપી રહેલા. નર્મદા નદીને કિનારે એક સાધના કેન્દ્ર ખુલ્લું મૂકવાના પ્રસંગે હાજર રહેવાનું આમંત્રણ મળેલું. સ્થળ હતું રાજપીપળા પાસેનું નાનકડું ઓરી ગામ… રાત્રીની ટ્રેનમાં નીકળવાનું. સવારે વડોદરા. ત્યાંથી […]
[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +૯૧ ૯૪૨૬૮૩૫૯૪૮ સંપર્ક કરી શકો છો.] ૧૨૧ વર્ષ પહેલાંની આ વાત છે. દક્ષિણ આફ્રિકાનું પીટરમેરીટઝબર્ગ રેલ્વે સ્ટેશન. ઈ.સ. ૧૮૯૩ના જૂન મહિનાની સાતમી તારીખ. રાત્રે નવ વાગે પ્રિટોરિયા જતી ટ્રેન […]
[‘મારો એડિનબરાનો પ્રવાસ’ પુસ્તકમાંથી સાભાર. ] વહેલી સવારે હીથરો એરપોર્ટ પર ઊતર્યો ત્યારે બિપિનભાઈ મને આવકારવા ઊભા હતા. એમનું ઘર હાઈ વિકોમમાં, એટલે કે ઘણે દૂર હતું. એવા પ્રતિકૂળ સમયે હાજર થઈ જવા માટે એમને લગભગ આખી રાતનો ઉજાગરો થયો હશે. મારી સૂટકેસ ઉપાડીને આગળ થતાં એમણે કહ્યું, ‘ચાલો.’ ‘કયાં […]
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી અલિપ્તભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dmjagani@gmail.com સંપર્ક કરી શકો છો.] બનાસકાંઠા જીલ્લાના વડગામ અને પાલનપુર તાલુકાનો વિસ્તાર ધાનધાર તરીકે ઓળખાય છે. ધાનધારનો અર્થ ધાન્યનો ભંડાર એવો કદાચ થાય છે. વડગામ તાલુકાના ખેતરો જુઓ તો ધાનધાર નામ સાર્થક લાગે. આવી ઉપમા […]
[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pankajharaneeya@yahoo.com સંપર્ક કરી શકો છો.] દર વર્ષે દિવાળી પછીની એટલે કે હિંદુ કેલેન્ડર મુજબ નવા વર્ષની પહેલી અગિયારસથી પૂનમ સુધીના દિવસો દરમ્યાન ગુજરાતના ગૌરવ સમાન ગિરનાર પર્વતની પરિક્રમા કરવાનો તેમજ તેના શિખર ઊપર આવેલા મંદિરનો […]
[ હંમેશની જેમ નવી જગ્યાઓની સફર કરાવતા શ્રી પ્રવીણભાઈ આજે વધુ એક નવી જગ્યા વિશેની માહિતી લઈને ઉપસ્થિત થયા છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9426835948 અથવા આ સરનામે pravinkshah@gmail.com સંપર્ક કરી શકો છો.] ભારતમાં અંગ્રેજી હકુમત દરમ્યાન, […]