<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ReadGujarati.com &#187; પ્રવાસવર્ણન</title>
	<atom:link href="http://www.readgujarati.com/category/travelogue/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.readgujarati.com</link>
	<description>Read Gujarati Literature Online</description>
	<lastBuildDate>Wed, 08 Feb 2012 02:47:03 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.1</generator>
		<item>
		<title>એકાંત અને શાંતિનું ધામ – મૃગેશ શાહ</title>
		<link>http://www.readgujarati.com/2012/01/16/ekant-shanti/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/16/ekant-shanti/#comments</comments>
		<pubDate>Mon, 16 Jan 2012 02:00:04 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[પ્રવાસવર્ણન]]></category>
		<category><![CDATA[મૃગેશ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1767</guid>
		<description><![CDATA[લાંબા સમયના એકધાર્યા કામકાજથી કંટાળેલા લોકો મોટેભાગે ટૂંકા પ્રવાસોનું આયોજન કરતાં હોય છે. એક-બે દિવસના આવા પ્રવાસોની મુખ્ય તકલીફ એ છે કે એમાં માનસિક થાકને ઉતારવા જતા શારીરિક થાક ઘર કરી બેસે છે ! વળી, કોઈ પણ જગ્યાને ફક્ત જોવી અને માણવી એ બંને જુદી વસ્તુ છે. ત્રણ-ચાર સ્થળોને ફક્ત જોઈને નીકળી જવા કરતાં કોઈ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>લાંબા સમયના એકધાર્યા કામકાજથી કંટાળેલા લોકો મોટેભાગે ટૂંકા પ્રવાસોનું આયોજન કરતાં હોય છે. એક-બે દિવસના આવા પ્રવાસોની મુખ્ય તકલીફ એ છે કે એમાં માનસિક થાકને ઉતારવા જતા શારીરિક થાક ઘર કરી બેસે છે ! વળી, કોઈ પણ જગ્યાને ફક્ત જોવી અને માણવી એ બંને જુદી વસ્તુ છે. ત્રણ-ચાર સ્થળોને ફક્ત જોઈને નીકળી જવા કરતાં કોઈ એક સ્થળના સૌંદર્યને માણવું એ કંઈક અલગ અનુભૂતિની વાત છે. મોંઘાદાટ રિસોર્ટ, હોટલો અને ખર્ચાળ ટૂર-પેકેજો એટલો આનંદ નથી આપી શકતાં, જેટલો આનંદ કોઈક સાત્વિક સ્થાનમાં ગાળેલા થોડા કલાકોમાં મળે છે.</p>
<p>આજે એવા જ એક સ્થાન વિશે વાત કરવી છે જેની નિતાંત શાંતિ આપણા મન અને હૃદયને પ્રસન્નતાથી ભરી દે છે. એ છે ‘મોટી કોરલ’ ગામ પાસે આવેલ ‘પંચમહાદેવ અને પુનિત આશ્રમ’. ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલી આ જગ્યા બહુ ઓછી જાણીતી છે અને તેથી જ એની શાંતિ અને સૌંદર્ય અકબંધ રહી શક્યું છે. જેમને કંઈક સાધના કરવી છે અથવા તો વાંચવુ-લખવું છે, તેઓની માટે આ ઉત્તમ સ્થળ છે. વિશાળ મંદિર અને આશ્રમની પવિત્રતા સ્હેજે સ્પર્શે છે. મૌન રહીને ચિંતન-મનન કરવા ઈચ્છનાર તથા પ્રકૃતિના સૌંદર્યનું પાન કરનાર કોઈ પણ જાગૃત વ્યક્તિને અહીંનું વાતાવરણ ખૂબ મદદ કરે છે.<br />
<span id="more-1767"></span></p>
<p>સૌપ્રથમ એ જોઈએ કે આ સ્થાન સુધી કેવી રીતે પહોંચી શકાય ? વડોદરા-મુંબઈ નેશનલ હાઈ-વે નંબર-8 પર પોર, કાયાવરોહણ ને પસાર કરતાં કરજણ સુધી પહોંચ્યા બાદ ત્યાંથી આગળ સુપ્રસિદ્ધ તીર્થ નારેશ્વર તરફના રસ્તે થઈને ત્યાં જઈ શકાય છે. હાઈ-વેથી નારેશ્વર 27 કિ.મી અંદર છે. ગ્રામ્ય વિસ્તારો અને વડના ગીચ વૃક્ષોની વનરાજીમાંથી પસાર થતાં કુદરતને ખોળે આવ્યાનો અહેસાસ થાય છે. થોડા ઉબડખાબડવાળા એકમાર્ગી રસ્તા અને ગણપતપુરા પાસે આવેલ રેલ્વે-ક્રોસિંગને પસાર કરીને આગળ વધતાં છૂટીછવાયી દૂકાનો અને ખેતરમાં મજદૂરીએ જતાં ગામવાસીઓ નજરે પડે છે. ક્યાંક બકરીઓના કે ઘેટાનાં ટોળાં તો ક્યાંક ગાયોના ધણ રસ્તો રોકી લે છે. ઝાડની ડાળીએ ટાયર બાંધીને હિંચકા ખાતાં ભૂલકાંઓ એ ગ્રામ્યવિસ્તારોની ઓળખ સમાન છે. સાઈકલ પર ખેતર તરફ જતાં ખેડૂતો આનંદમાં નિમગ્ન જણાય છે. નારેશ્વર પહોંચતા બે રસ્તા પડે છે. એક રસ્તો સંત રંગઅવધૂત મહારાજના મંદિર તરફ જાય છે અને બીજો રસ્તો પાલેજ તરફ જાય છે. આ પાલેજ તરફના રસ્તે આશરે એકાદ-બે કિલોમીટર આગળ જતાં ‘મોટી કોરલ’ ગામ તરફ જવાનું બોર્ડ નજરે ચઢે છે. એ રસ્તે અંદર વળીને આશરે 5-7 કિ.મી.નું અંતર કાપવાનું રહે છે. અહીં પ્રવેશ કરતાં જ દુનિયાથી સાવ અલગ થઈને કોઈ નિર્જન ઉપવનમાં આવી ગયા હોઈએ તેવું લાગે છે. આ રસ્તે ખૂબ જ ઓછી માનવવસ્તી છે. ખેતરોમાં મુખ્યત્વે શેરડી અને કપાસનો પાક લહેરાય છે. અહીં અવાજોનું પ્રદુષણ નથી કે નથી વાહનોની અવરજવર. ભાગ્યે જ કોઈ વાહન નજરે ચઢે છે. મુખ્યત્વે માટીના મકાનો હોવા છતાં ક્યાંક પાકા મકાન પણ જોવા મળે છે. થોડું અંતર કાપ્યા બાદ ‘મોટી કોરલ’ ગામનું પાદર આવી પહોંચે છે. ત્યાંથી બે રસ્તા છે. એક રસ્તો આશાપૂરી માતાના મંદિર તરફ જાય છે અને બીજો રસ્તો આ પુનિત આશ્રમ તરફ જાય છે. પુનિત આશ્રમના રસ્તે આગળ જતાં ‘પંચમહાદેવ અને પુનિત આશ્રમ’ લખેલી મોટી કમાનનું પ્રવેશદ્વાર નજરે પડે છે.</p>
<p><img class="alignnone size-full wp-image-1768" title="2012-01-14 13.18.52" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/2012-01-14-13.18.52.jpg" alt="" width="640" height="480" /></p>
<p>આશ્રમમાં પ્રવેશતાં ડાબા હાથે નવું તૈયાર થયેલું ‘પુનિત ભુવન’ જોઈ શકાય છે. પાસે એક નાનકડો બગીચો છે અને થોડાં પગથિયાં ઉપર ચઢતાં મંદિરનું વિશાળ અને નયનરમ્ય પરિસર દષ્ટિગોચર થાય છે. અહીં મુખ્યત્વે ભગવાન રણછોડજીનું મંદિર આવેલું છે. રણછોડજીની સુંદર પ્રતિમાની સાથે એક જ ઘુમ્મટ નીચે ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપવામાં આવ્યું છે. શૈવ-વૈષ્ણવની એકતાના પ્રતિકરૂપ આ તીર્થ એક અલગ ઓળખ ઊભી કરે છે. આ અહીંની વિશેષતા છે. લોકકથા પ્રમાણે એમ કહેવાય છે કે કોઈક પરદેશી શાસકે અહીં હુમલો કર્યો ત્યારે આ શિવલિંગમાંથી અસંખ્ય ભમરાઓ નીકળ્યા હતા અને તેનાથી હુમલાખોરો ગભરાઈને ભાગી ગયા હતા. મુખ્ય મંદિરની આસપાસમાં આવેલા બીજા ચાર-પાંચ નાના-નાના મંદિરોમાં શંકર ભગવાનના જુદા જુદા શિવલિંગને ‘બ્રહ્મણેશ્વર મહાદેવ’ કે ‘કેદારેશ્વર મહાદેવ’ એવા જુદા જુદા નામ આપવામાં આવ્યાં છે. મંદિરમાં ક્યાંક જુદા જુદા આકારના યજ્ઞકુંડો પણ બનાવેલા છે. મંદિરની પાછળના ભાગમાં વિશાળ ચોક છે. ચોકના છેડે બાંકડા ગોઠવવામાં આવ્યા છે. અહીં બેસતાં દૂર દૂર સુધી ચોતરફ સુંદર ખેતરો દેખાય છે. ક્યાંક કેળ તો ક્યાંક અન્ય શાકભાજીના પાક લહેરાય છે. જુદા જુદા પક્ષીઓના અવાજો સાંભળવા મળે છે. આસપાસમાં એકપણ મકાન ન હોવાથી માઈલો દૂર આવેલા પર્વત કે ટેકરીઓ સહિત ક્ષિતિજને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.</p>
<p><img class="alignnone size-full wp-image-1769" title="2012-01-14 13.18.55" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/2012-01-14-13.18.55.jpg" alt="" width="640" height="480" /></p>
<p><img class="alignnone size-full wp-image-1772" title="2012-01-14 13.35.34" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/2012-01-14-13.35.34.jpg" alt="" width="480" height="640" /></p>
<p><img class="alignnone size-full wp-image-1771" title="2012-01-14 13.19.14" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/2012-01-14-13.19.14.jpg" alt="" width="640" height="480" /></p>
<p><img class="alignnone size-full wp-image-1770" title="2012-01-14 13.19.00" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/2012-01-14-13.19.00.jpg" alt="" width="640" height="480" /></p>
<p>અહીંનું મુખ્ય આકર્ષણ છે નિતાંત શાંતિ. કોઈ જ અવાજ કે ઘોંઘાટ નહીં. જૂજ માનવવસ્તીને કારણે અવરજવર ઓછી રહે છે. મંદિર સાથે જોડાયેલા પુનિતઆશ્રમમાં રહેવા-જમવાની સુંદર વ્યવસ્થા છે. પદયાત્રીઓ, યાત્રિકો કે કોઈ પણ મુલાકાતીઓને સવારે બાર વાગ્યે અને સાંજે સાત વાગ્યે વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. લેખક-કવિ, સાહિત્યકાર કે કોઈ સાધક જો અહીં પોતાના અભ્યાસ માટે એક મહિનો રહેવા ઈચ્છતા હોય તો એ માટેની સુવિધા પણ ઉપલબ્ધ છે. એક માસ માટે રોકાણ કરનારને અહીં રૂ. 3000 ભરવાના રહે છે જેમાં તેમને ‘પુનિત ભુવન’માં અલગ રૂમ આપવામાં આવે છે અને તેમની સવાર-સાંજ જમવા-ચા ની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. વળી, અહીં મોબાઈલ અને ઈન્ટરનેટનું નેટવર્ક પૂરેપૂરું ઉપલબ્ધ છે આથી લેપટોપ જેવા ઉપકરણો વાપરનારને કોઈ અગવડ રહેતી નથી. વડોદરાથી 70 કિ.મીના અંતરે આવેલું આ સ્થાન ખરેખર એકાંતનો અનુભવ કરાવનારું છે.</p>
<p>મોટી કોરલ ગામની આસપાસ અનેક તીર્થ વસેલાં છે. સાત-આઠ કિ.મીના અંતરે નારેશ્વર જઈ શકાય છે. અહીંથી માલસર 40 કિ.મીના અંતરે આવેલું છે. થોડું વધુ અંતર કાપીને કાયાવરોહણની મુલાકાત પણ લઈ શકાય છે. પાલેજ 18 અને ભરૂચ 45 કિ.મી.ના અંતરે આવેલાં છે. જેમને ભારતનું ખરું જીવન જોવાની ઈચ્છા હોય, પ્રકૃતિનું અફાટ સૌંદર્ય જેણે મન ભરીને માણવું હોય તેમણે આવા સ્થાનની મુલાકાત લેવી અત્યંત આવશ્યક છે. આ પ્રકારના એકાંત અને શાંતિભર્યા તીર્થસ્થાનો જ ભારતનું હૃદય છે. ત્યાં અપાર શાંતિ છે અને આપણને સ્વસ્થ કરીને પ્રસન્નતાથી ભરી દેવાની દિવ્ય શક્તિ છે.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/16/ekant-shanti/feed/</wfw:commentRss>
		<slash:comments>8</slash:comments>
		</item>
		<item>
		<title>દેવઘાટ, કેવડીડેમ અને ટકાઉધોધની મુલાકાતે – પ્રવીણ શાહ</title>
		<link>http://www.readgujarati.com/2012/01/05/devdem-kevdidem/</link>
		<comments>http://www.readgujarati.com/2012/01/05/devdem-kevdidem/#comments</comments>
		<pubDate>Thu, 05 Jan 2012 01:43:08 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[પ્રવાસવર્ણન]]></category>
		<category><![CDATA[પ્રવીણ શાહ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1719</guid>
		<description><![CDATA[[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ અગાઉ આપણે તેમના દુબઈ, ગિરિમાલા ધોધ, વિસલખાડી, રતનમહાલ, નિનાઈ ધોધ વગેરે પ્રવાસવર્ણનો માણ્યાં છે. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ અગાઉ આપણે તેમના દુબઈ, ગિરિમાલા ધોધ, વિસલખાડી, રતનમહાલ, નિનાઈ ધોધ વગેરે પ્રવાસવર્ણનો માણ્યાં છે. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો. પ્રસ્તુત લેખના તમામ ફોટોગ્રાફ્સ, લેખના અંતે ‘સ્લાઈડ-શૉ’ તરીકે આપવામાં આવ્યા છે, જેની નોંધ લેશો.]</p>
<p><img class="alignnone size-full wp-image-1720" title="kevdi dem water" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/01/kevdi-dem-water.jpg" alt="" width="630" height="402" /></p>
<p>કહેવાય છે કે ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. થોડીક પણ જો રજા મળી જાય તો ફરવા ઉપડી જાય. પણ મોટા ભાગના લોકો તો બહુ જાણીતી જગ્યાઓએ જ જતાં હોય છે. આવી જગ્યાઓએ ગાડી અને હોટેલોનાં બુકીંગ કરાવીને દોડવાનું અને ગિરદીમાં ભીંસાઈને ‘જઈ આવ્યા’ નો માત્ર સંતોષ જ માનવાનો રહે છે. એને બદલે શાંત અને પ્રકૃતિને ખોળે આવેલાં સ્થળો જોવાની કેટલી બધી મજા આવે ! વળી, આવાં સ્થળો માટે બહુ દૂર દોડવાની પણ જરૂર નથી. આપણા ગુજરાતમાં જ કેટલીયે સુંદર જગાઓ આવેલી છે. ત્યાં જઈને ત્યાંની કુદરતને માણવાનો આનંદ કંઈ ઓર જ છે.<br />
<span id="more-1719"></span></p>
<p>આવી જ એક સરસ જગા છે ‘દેવઘાટ’. ત્યાંથી નજીક આવેલા ‘કેવડીડેમ’ અને ‘ટકાઉધોધ’ પણ જોવા જેવા છે. ‘દેવઘાટ’ નામ જ એવું સરસ છે, જાણે કે ત્યાં ઘાટ પર દેવો પધારતા ન હોય ! અમે સૌએ આ ત્રણ સ્થળોએ જવાનો ત્રણ દિવસનો કાર્યક્રમ ગોઠવી કાઢ્યો ! અમે ગ્રુપમાં ૧૬ જણ હતા. દેવઘાટનો રસ્તો આ પ્રમાણે છે : ભરૂચથી અંકલેશ્વર, વાલિયા, વાડી, ઉમરપાડા, ધનાવડ અને દીવતણ થઈને દેવઘાટ. ભરૂચથી દીવતણનું અંતર ૮૫ કિ.મી અને રસ્તો સારો. દીવતણથી દેવઘાટ ૬ કિ.મી. કાચા પથરાળ રસ્તે થઈને પહોંચાય. ગાડી જઈ શકે. આ ૬ કિ.મી.માં જંગલો જ જંગલો પથરાયેલાં છે. દેવઘાટમાં જંગલોની વચ્ચે થોડી જગ્યા સાફસુથરી કરીને રહેવા માટે રૂમ અને તંબૂઓ, રસોઈઘર અને બગીચો બનાવેલ છે. અહીં વૃક્ષોની છાયામાં ખાટલા પાથરીને આરામ ફરમાવવાની સગવડ છે. અહીં કોઈ ગામ કે વસ્તી નથી. આ સ્થળની દેખભાળ અને રસોઈ માટે વનવિભાગે બે-ચાર માણસો નીમ્યા હોય એટલું જ. હા, ફરવા આવેલા લોકો તો ખરા જ.</p>
<p>દેવઘાટમાં શું જોવા-માણવાનું છે, તેની વાત કરીએ. તંબૂઓવાળી આ જગાએથી એકાદ કી.મી. દૂર ‘આંજણીયા’ નામની નદી વહે છે, અને તે ધોધરૂપે પડે છે. અમે ગાડીઓ અહીં દેવઘાટમાં પાર્ક કરી દીધી અને ૧ કી.મી. ચાલીને ગયા. આ ૧ કી.મી. પણ ગાડી જઈ શકે એવો રસ્તો છે. એ પછી ૧૩૫ પગથિયાં ઉતરો એટલે નદી કિનારો આવે. પગથિયાંની બાજુમાં એક નાનું મંદિર પણ છે. પગથિયાં પરથી નદી અને ધોધનું દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે. એમ થાય કે દોડીને જલ્દીથી નદીમાં પહોંચી જઈએ ! પણ એ ખ્યાલ જરૂર રાખવાનો કે પડી ના જવાય અને પાણીમાં ગરકાવ ના થઇ જવાય. અમે નદી કિનારે જઈને જોયું તો નદી બે વાર ધોધરૂપે પડે છે. એક વાર ધોધરૂપે પડ્યા પછી, એક વિશાળ ખાડામાં પાણી ભરાઈને, છલકાઈને ખડકાળ પથ્થરોમાં થઈને આગળ વહે છે. પછી એક ચેકડેમ જેવું બનાવ્યું છે. તેમાંથી ઉભરાઈને આગળ વહ્યા પછી, ફરી ધોધરૂપે નીચે પડે છે. આ ચેકડેમમાંથી ઉભરાતા પાણીમાં બેસીને સ્નાન કરી શકાય તેવું છે. અમે આ જગાએ પહોંચી ગયા અને ખૂબ નાહ્યાં. પાણી ઉછાળવાની અને ભીંજાવાની મજા આવી ગઈ. આવો નિર્ભેળ અને કુદરતી આનંદ આપણા ભાગદોડભર્યા શહેરી જીવનમાં મળે ખરો ? ક્યારેક તો કુદરતને ખોળે આવી મજા માણવાની તક ઝડપી લેવી જોઈએ. અહીં કલાકેક નાહીને, નદીના સામે કિનારે થઈને, પહેલા ધોધના ખાડા આગળ પાણીમાં ઉતરી ફરી નાહ્યાં અને ખૂબ ખૂબ નાહ્યાં !! ખાડામાં વધુ અંદર ના જવું કારણ કે ડૂબી જવાનો ભય છે. અહીં પાણીમાં ડૂબેલો એક એવો પથ્થર જોયો કે જેના પર પલાંઠી વાળીને બેસીએ, તો પાણીની સપાટી પર પલાંઠી વાળીને બેઠા હોઈએ એવું લાગે ! નદીના બેય કિનારે ઊંચા ટેકરા અને જંગલો અને આ એકાંત જંગલમાં ધોધનો સંગીતમય નાદ. કુદરતની આ અદભૂત લીલાને નિહાળવાનો ખૂબ આનંદ આવ્યો. અમે બે-ચાર શ્લોકનું પઠન કરી, પ્રાર્થના કરી. અમારામાંના બેચાર સભ્યો તો પાણીમાંથી બહાર આવવાનું નામ જ લેતા ન હતા. છતાં પણ છેવટે બધા બહાર આવ્યા. સમય કંઈ થોડો કોઈના માટે થોભે છે ?</p>
<p>નદીકિનારે જંગલમાં કોઈક માણસો ઝાડ નીચે ખાવાનું પકાવતા પણ જોવા મળ્યાં. અમે મૂળ રસ્તે, પગથિયાં ચઢી, મનમાં સંતોષ ભરી, ચાલીને દેવઘાટ પરત આવ્યા. ભૂખ કકડીને લાગી હતી. રસોઈ તૈયાર હતી. રોટલી, દાળ, ભાત, શાક અને કચુંબર. ખાટલાઓમાં બેસી જમવાનો ખૂબ આનંદ આવ્યો. થોડો આરામ કર્યો. કદાચ આ જંગલમાં રાત રહેવાનું હોય તો પણ ગમે. પરંતુ અમારે રાત્રિમુકામ તો કેવડીડેમ આગળ કરવાનો હતો. એટલે અમે દેવઘાટથી ગાડીઓ દોડાવીને પાછા નીકળ્યા. ૬ કી.મી.નો એ જ કાચો રસ્તો, દેવતણ, ધનાવડ અને પછી ઉમરપાડા પહોંચવાને બદલે વચ્ચેથી અમે રસ્તો બદલ્યો. દેવઘાટથી કુલ ૨૯ કિ.મી.નું અંતર કાપી ‘આંબલીડેમ’ પહોંચ્યા. ‘વરે’ નદી પર અહીં વિશાળ ડેમ બાંધેલો છે. ઉપરવાસમાં ડેમ છલોછલ ભરેલો હતો, જાણે કે કોઈ મોટું સરોવર જ જોઈ લો ! સામે દૂર દૂર કોઈ ગામ બાજુથી હલેસાંવાળી એક હોડી આવી રહી હતી. હોડીનો નાવિક તેની ગ્રામ્ય ભાષામાં ઊંચા અવાજે કોઈ ગીત લલકારી રહ્યો હતો. એ જોઈને લાગ્યું કે આ લોકો પાસે લાખોની મિલકત ન હોવા છતાં, કેવી મસ્તીથી જિંદગી જીવી રહ્યાં છે ! ડેમની દેખભાળ કરનાર ભાઈ સાથે વાતો કરી. તેણે કહ્યું કે ‘અહીં દૂરનાં ગામડાંઓમાં લોકો હોડીમાં બેસીને મજૂરીએ જાય છે.’ ત્યારે થયું કે આ લોકોને ખાવાનો રોટલો મેળવવો કેટલો કપરો છે ! તે ભાઈએ અમને ‘કેવડીડેમ’ જવાનો રસ્તો પણ સમજાવ્યો. તેના જણાવ્યા પ્રમાણે, અહીં નીચવાસમાં થઈ, પાલદા અને પછી માંડવી જવાના રસ્તા પર પીપલવાડા પહોંચ્યા.</p>
<p>અંધારું પડી ગયું હતું. અહીંથી બાજુમાં ફંટાઈને ૪ કી.મી. દૂર, કેવડી ડેમના કાંઠા પરની કોટેજો સુધી પહોંચવાનું હતું. આ ૪ કી.મી.નો રસ્તો કાચો, સાંકડી કેડીવાળો અને બિલકુલ અંધારિયો હતો. અમે ફોન કરીને કોટેજોવાળા એક ભાઈને અહીં બોલાવી લીધો. તે ભાઈ બાઈક પર આવ્યા. તેનું બાઈક આગળ અને અમારી ગાડીઓ તેની પાછળ&#8230;..એમ કરીને એ સાંકડા રસ્તે થઈને કેવડીડેમની કોટેજોએ પહોંચ્યા. ગાઢ જંગલ, ચારે કોર અંધકાર, બિલકુલ અજાણ્યો અને માનવવિહોણો રસ્તો – ડર લાગવા માટે આનાથી વધારે શું જોઈએ ? ક્યાંકથી કોઈ આવે અને લૂંટી લે તો ? કોઈ પ્રાણી આવી જાય તો ? સ્ત્રીવર્ગને તો આવા વિચારો આવી ગયા. હા, દિવસ હોય તો આવું કંઈ ન થાય. પણ આખા દિવસના થાકેલા અને રાતે બિહામણા જંગલમાંથી પસાર થવાનું – પછી મુકામવાળી જગ્યા તો ડરામણી નહિ હોય ને ? પણ આવું કંઈ જ ન હતું. કોટેજો પર પહોંચ્યા. અગાઉથી બુક કરાવેલું હોવાથી, જમવાનું તૈયાર હતું. હવે તો કોટેજોમાં સુઈ જ જવાનું હતું. પણ એમ થયું કે બધા બેસીને વાતો કરીએ. આખા દિવસમાં કેવું ફર્યા તેની વાતો કરી. બધાએ પોતાના જૂના અનુભવો જણાવ્યા, અંતાક્ષરી અને જોક્સ પણ ચાલ્યાં. દિવસનો થાક ક્યાંય ઊતરી ગયો. જાણે કે તાજગી આવી ગઈ. ત્યાંના રખેવાળોના કહેવા પ્રમાણે, રાતે દીપડો કોટેજો તરફ આવતો હોય છે. આમ છતાં, અમે બે-ચાર જણ, નજીકમાં થોડું ચક્કર મારી આવ્યા. પછી તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. અહીં ઠંડકનું પ્રમાણ વધારે હતું. કોટેજો સારી હતી પણ મચ્છરો હતા. અમે મચ્છર અગરબત્તી લઈને આવેલા. આવી જગ્યાએ વીજળી તો ક્યાંથી હોય ? પણ સોલર લાઈટો હતી. મોબાઈલ ટાવર ન હતા. દેખભાળ કરનારા છોકરાઓએ તો તેમની રૂમમાં મોડે<br />
સુધી ગીતોની કેસેટો વગાડી, તે અમને પણ સંભળાતી હતી.</p>
<p>કેવડીડેમના કિનારે સવાર પડી. સવારે અજવાળું જોતાં, રાતે જે કોઈને થોડો ડર લાગેલો તે ગાયબ થઈ ગયો. એણે બદલે બધા આ જગ્યાની શોભા નિરખવામાં પડી ગયા. ‘સવાર પડશે કે તરત આ જગ્યાએથી નીકળી જઈશું’ રાત્રે આવું બોલનારા, સવારે ખુશમિજાજમાં હતા. કેવડીડેમના ઉપરવાસમાં ભરાયેલા સરોવરના બિલકુલ કિનારે અમારી કોટેજો હતી. રાત્રે તો આ સરોવર દેખાતું ન હતું. સરોવર વિષે ખબર પણ ન હતી. સવારે સરોવરના કિનારે જઈને ઉભા રહ્યા. સરોવરના પાણી પર, વાયુરૂપમાં વરાળનાં વાદળો દેખાતાં હતાં. ક્યાંક તેના પર સૂર્યનું એકાદ કુમળું કિરણ પડતું હતું. સરોવરના શાંત પાણીમાં, સામે કિનારે આવેલાં વૃક્ષોનાં પ્રતિબિંબ પડતાં હતાં. સરોવરના કિનારે બાંધેલા વાંસના નાના માંચડા પર બેસીને સરોવરનું આ દ્રશ્ય જોવાનું ખૂબ ગમ્યું. કોટેજોની આજુબાજુ ફર્યા. અહીં તંબૂની પણ વ્યવસ્થા છે. આપણા વનવિભાગે ગુજરાતમાં ઘણી જગાએ આવાં સ્થળો ઊભાં કર્યાં છે.</p>
<p>છોકરાઓએ ચૂલો સળગાવી મોટા તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂક્યું. તેમાંથી બાલદીઓ ભરી બાથરૂમમાં નાહી લીધું. જો કે અહીં તો ખુલ્લામાં નહાવાની પણ મજા આવે. સરોવરમાં તો બિલકુલ ઉતરાય એવું ન હતું. નાહી-ધોઈ, ઘરેથી લાવેલો નાસ્તો કરી, અમે ટ્રેકીંગ માટે નીકળી પડ્યા. જંગલની નાની કેડીએ વાંકાચૂકાં, ઊંચાનીચા રસ્તે સરોવરના કિનારે આશરે ૨ કી.મી. જેટલું ચાલીને ‘કેવડીડેમ’ આગળ પહોંચ્યા. કુદરતનો નયનરમ્ય નઝારો જોયો. અહીંની હવા સરસ આરોગ્યમય લાગી. આવા ખુલ્લા વાતાવરણમાં રોગી માણસ વગર દવાએ પણ સાજો થઈ જાય. કેવડી નદી પરનો આ કેવડીડેમ સાદો, માટી અને પથ્થરોથી જ બનાવેલો ડેમ છે. ડેમમાંથી નહેરો કાઢી, તેનું પાણી આજુબાજુનાં ગામોમાં ખેતીના ઉપયોગમાં લેવાય છે. આ બધું જોઈ અમે કોટેજો પર પાછા આવ્યા. વળી પાછો પત્તાં રમવાનો અને ભજનનો કાર્યક્રમ ચાલ્યો. જમવાનું તૈયાર થઈ ગયું. જમીને કેવડીડેમને ‘બાય’ કરી પાછા આવવા નીકળી પડ્યાં. ૪ કી.મી.ના એ જ કાચા રસ્તે પીપલવાડા આવ્યા. ત્યાંથી માંડવી, કીમ અને અંકલેશ્વર થઈને ૧૦૬ કી.મી.નું અંતર કાપીને ભરુચ પહોંચ્યા.</p>
<p>બીજે દિવસે સવારે ભરૂચથી નીકળ્યા અમે ‘ટકાઉધોધ’ જોવા. આજે અમે નવ જણ હતા. ટકાઉધોધ ‘જૂનાઘાટા’ના નામે પણ ઓળખાય છે. આ ધોધ ભરૂચથી ૫૫ કી.મી. દૂર આવેલો છે. ભરૂચથી રાજપીપળાના રસ્તે ૫૦ કી.મી. જેટલું ગયા પછી, નર્મદા સુગર ફેક્ટરી અને ખાજલવાસા ગામના બસસ્ટોપથી જમણી બાજુ વળી જવાનું હોય છે. આ રસ્તે ૫ કી.મી. જેટલું જાવ એટલે ટકાઉ નામની નદી આવે. આ નદી જ પોતે ધોધરૂપે પડે છે. આ ૫ કી.મી.નો રસ્તો સાંકડો ખરો, પણ સારો છે અને ગામડાંઓમાં થઈને પસાર થાય છે. ગાડી આરામથી જઈ શકે. અમે ભરૂચથી રાજપીપળાના રસ્તે, વચ્ચે ગુમાનદેવ હનુમાનજીના મંદિરે દર્શન કરી ટકાઉ પહોંચ્યા. ત્યાં રસ્તાની બાજુના ખેતરમાં ગાડીઓ પાર્ક કરી નદી તરફ ગયાં. નદી બહુ જ ઊંડી છે, આશરે ૧૦૦ ફૂટ જેટલી. માટી અને કાંકરાવાળા સીધા ઢાળમાં ઉતરવાનું અને લપસી કે પડી ના જવાય એનું ધ્યાન રાખવાનું. અમે નજીકના ગામમાંથી બે-ત્રણ છોકરાને અમારી સાથે લઇ લીધા હતા, તેઓએ હાથ પકડીને બધાને નદીમાં ઉતાર્યાં. છેલ્લા વીસેક ફૂટનું ઉતરાણ તો સાવ ખડકાળ છે. સાચવીને પગ ગોઠવી ગોઠવીને ઉતરવાનું. ઉતરતી વખતે મનમાં એમ પણ થાય કે આ પાછું ચડાશે કઈ રીતે ? પણ દ્રઢ નિશ્ચય કરીને ઉતરીએ તો વાંધો નથી આવતો. નદીમાં ધોધની સામે જઈને ઉભા રહીએ ત્યારે તો થાય કે વાહ ! શું સુંદર જગ્યાએ આવ્યા છીએ ! ધોધ આશરે દસેક મીટર ઊંચાઈએથી ખડકો પર થઈને પડે છે અને પછી પાણી નદીમાં આગળ વહી જાય છે. ધોધ જ્યાં પડે છે ત્યાં ધોધમાં આસાનીથી સ્નાન કરી શકાય તેવું છે. પાણી બહુ ઊંડું નથી. હા, ચોમાસામાં પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે અહીં સ્નાન ના કરી શકાય.</p>
<p>અમે બધા ધોધમાં ખૂબ નાહ્યાં. ધોધનું પાણી બરડામાં વાગે અને ધોધના જોરથી પાણીમાં આગળ ધકેલાઈ જવાય, તેથી બળપૂર્વક બેસવું પડે. ધોધનો કર્ણપ્રિય ધ્વનિ અને શાંત નિ:શબ્દ વાતાવરણ. કુદરતના ખોળે બેસવાની આવી તક બીજે ક્યાં મળે ? અહીં અમારા સિવાય બીજા કોઈ પ્રવાસી ન હતા. આ ધોધ બહુ જાણીતો નથી એટલે અહીં આવનારાની સંખ્યા ઓછી હોય છે. પરંતુ જેને ધોધનું સૌન્દર્ય આકર્ષતું હોય એવા લોકો તો આવવાના જ. અહીં બીજી કોઈ સુવિધા ઊભી કરેલ નથી. જો નદીમાં ઉતરવાનાં પગથિયાં બનાવવામાં આવે તો ધોધની નજીક જવાનું બહુ જ સરળ પડે. બહાર રોડ પર, ધોધ તરફ નિશાન બનાવતું બોર્ડ પણ લગાવવું જોઈએ અને અંતર પણ લખવું જોઈએ. અમે ટકાઉધોધનું બોર્ડ ક્યાંય જોયું નહિ. પણ બીજા લોકો પાસેથી માહિતી મેળવેલ હતી એટલે અહીં સુધી પહોંચી શક્યા.</p>
<p>ધોધમાં નહાવાની બહુ જ મજા આવી. બે કલાક સુધી નાહ્યા પછી, નદીમાંથી ઉપર ચડી અમારી ગાડીઓ સુધી પહોંચ્યા. પાછા વળતાં એક શિવમંદિરના પ્રાંગણમાં ઘેરથી લાવેલું જમવાનું જમી લીધું. વનભોજનમાં ખૂબ આનંદ આવ્યો. એ પછી બહાર ખાજલવાસના સ્ટોપ આગળ આવ્યા. અહીંથી રાજપીપળા ફક્ત ૧૩ કી.મી. દૂર હતું. હવે અમારે વડોદરા જવાનું હતું એટલે ભરુચ પાછા જવાને બદલે રાજપીપળા તરફ આગળ વળ્યા અને રાજપીપળાથી ૭૩ કી.મી. કાપીને વડોદરા પહોંચ્યા. ટકાઉધોધ જોવા જેવો તો ખરો જ. ગુજરાતમાં જ આવો સરસ ધોધ આવેલો છે તે જાણીને-જોઈને ખૂબ જ આનંદ થયો. હવે અમારો ત્રણ દિવસનો પ્રવાસ પૂરો થયો હતો. એકંદરે ફરવાની મજા આવી. ત્રણે સ્થળો રમણીય છે. કુદરતનો ખોળો ખૂંદવાની વૃત્તિ ધરાવનારને તો આ જગ્યાઓ જરૂર ગમવાની જ.</p>
<p>નોંધ : ઉમરપાડાની નજીક કેવડી નામનું એક ગામ આવેલું છે તે અને કેવડી નદી પરનો કેવડીડેમ – એ બંને અલગ સ્થળો છે. વળી, પંચમહાલ જીલ્લાના કંજેટાથી ૧૪ કી.મી. દૂર આવેલી કેવડી-ઇકો-કેમ્પસાઇટ પણ જુદી જગ્યા છે.</p>
<p><object width="600" height="400" classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"><param name="src" value="https://picasaweb.google.com/s/c/bin/slideshow.swf" /><param name="flashvars" value="host=picasaweb.google.com&amp;captions=1&amp;hl=en_US&amp;feat=flashalbum&amp;RGB=0x000000&amp;feed=https%3A%2F%2Fpicasaweb.google.com%2Fdata%2Ffeed%2Fapi%2Fuser%2Fshah.mrugesh%2Falbumid%2F5693954572328221521%3Falt%3Drss%26kind%3Dphoto%26authkey%3DGv1sRgCJq_vd_KvovupwE%26hl%3Den_US" /><param name="pluginspage" value="http://www.macromedia.com/go/getflashplayer" /><embed width="600" height="400" type="application/x-shockwave-flash" src="https://picasaweb.google.com/s/c/bin/slideshow.swf" flashvars="host=picasaweb.google.com&amp;captions=1&amp;hl=en_US&amp;feat=flashalbum&amp;RGB=0x000000&amp;feed=https%3A%2F%2Fpicasaweb.google.com%2Fdata%2Ffeed%2Fapi%2Fuser%2Fshah.mrugesh%2Falbumid%2F5693954572328221521%3Falt%3Drss%26kind%3Dphoto%26authkey%3DGv1sRgCJq_vd_KvovupwE%26hl%3Den_US" pluginspage="http://www.macromedia.com/go/getflashplayer" /></object></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/01/05/devdem-kevdidem/feed/</wfw:commentRss>
		<slash:comments>3</slash:comments>
		</item>
		<item>
		<title>માણેકનાથ – જગદીશ વી. ભટ્ટ</title>
		<link>http://www.readgujarati.com/2011/12/22/maneknath-tour/</link>
		<comments>http://www.readgujarati.com/2011/12/22/maneknath-tour/#comments</comments>
		<pubDate>Thu, 22 Dec 2011 02:25:18 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[પ્રવાસવર્ણન]]></category>
		<category><![CDATA[જગદીશ વી. ભટ્ટ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1645</guid>
		<description><![CDATA[[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jvbhatt54@yahoo.com સંપર્ક કરી શકો છો.] સાવધાન અમદાવાદીઓ&#8230; ખબરદાર કર્ણાવતી શહેરના નાગરિકો&#8230; હોંશિયાર આશાવલી શહેરના સુધરેલા સિટિઝનો&#8230;. ન કભી આપને દેખા હૈ, ન કભી આપને કિસીકો દિખાયા હૈ&#8230; ન કભી સોચા હૈ, ન કભી સોંચેંગે&#8230; જરા નજર સંભાળી તમારા દિલના ધબકારા [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ રીડગુજરાતીને આ પ્રવાસવર્ણન મોકલવા માટે શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jvbhatt54@yahoo.com સંપર્ક કરી શકો છો.]</p>
<p>સાવધાન અમદાવાદીઓ&#8230; ખબરદાર કર્ણાવતી શહેરના નાગરિકો&#8230; હોંશિયાર આશાવલી શહેરના સુધરેલા સિટિઝનો&#8230;. ન કભી આપને દેખા હૈ, ન કભી આપને કિસીકો દિખાયા હૈ&#8230; ન કભી સોચા હૈ, ન કભી સોંચેંગે&#8230; જરા નજર સંભાળી તમારા દિલના ધબકારા ગણી લો કેમ કે હું આપને દેખાડવા જઈ રહ્યો છું એવું એક સ્થળ કે જે અમદાવાદથી 160 કિ.મી. દૂર આવેલું છે. તે મા આરાસુરી અંબાના ડુંગરોમાં દટાયેલું છે. જ્યાં પહોંચતાં પગ થાકી જાય અને ‘રક્ષા કરજે મા&#8230; રક્ષા કરજે મા&#8230;.’ જેવા શબ્દોનું સાચા દિલથી રટણ થવા માંડે.</p>
<p>આ એ સ્થળ છે જ્યાં અંધારી રાતે એક લાલઘુમ આંખોવાળો બાવો બેસતો. આખા દિવસ દરમિયાન અમદાવાદના બધાય કડિયાઓ ભેગા થઈને કિલ્લા ફરતે કોટને બાંધતા અને પેલો છંછેડાયેલો બાવો પળવારમાં બધું વેરણછેરણ કરી નાખતો. 1411ની સાલમાં આ બાવો અહીં આવીને હઠ પકડીને બેઠો. બાદશાહોના બાદશાહ&#8230;. શહેનશાહોના શહેનશાહ એવા અહમદશાહના અમદાવાદને તે પત્તાના મહેલની માફક વિખેરી નાખતો&#8230;<br />
<span id="more-1645"></span></p>
<p>ડુંગરોની વચ્ચે ઘેરાયેલી આ ગુફાના સ્થળે પહોંચવા માટે તમારા પગમાં તાકાત જોઈએ અને કલેજામાં હિંમત. ખેડબ્રહ્માથી અંબાજી જવાના માર્ગે માંકણ-ચંપાના ઢાળથી અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ સ્થળ એટલે ‘માણેકનાથની ગુફા’. મોટી મોટી શિલાઓ વચ્ચે થઈને પસાર થતો રસ્તો&#8230;. ક્યાંક કાંટાય વાગે ને ક્યાંક કંકર&#8230; ઊતરી પડો ખીણમાં ક્યાંક તો ક્યારેક ચઢી જાવ ડુંગરા પર&#8230;. પાતળી લીલીછમ નેતરની સોટી સમજી હાથમાં ઉપાડવા જાવ ત્યારે ખબર પડે કે આ તો લીલી સાપણ હાથમાં પકડી લીધી. ફાટી ગયેલી ડોળાવાળી નજર જરાક ઉપર કરો તો રામના સૈનિકો વૃક્ષો પર બેઠાં બેઠાં તમારા સામે દાંતિયા કરતાં હોય&#8230;. દૂર પથ્થર ઓથે કોઈ અવાજ સાંભળીને ડોકીયું કરવા જાવ ત્યારે ‘બચાવજો મારા નાથ&#8230;. તારી ગાય છું&#8230; જીવતો જઈશ તો આવતી પૂનમે અમદાવાદથી અંબાજી પગપાળા ચોક્કસ જઈશ એવી બાધા તમારું મન તમને પૂછ્યા વગર જ લઈ લે&#8230;.’ એવા અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું છે આ સ્થળ&#8230;</p>
<p><a href="http://www.readgujarati.com/wp-content/uploads/2011/12/maneknath.jpg"><img class="alignnone size-full wp-image-1646" title="maneknath" src="http://www.readgujarati.com/wp-content/uploads/2011/12/maneknath.jpg" alt="" width="640" height="480" /></a></p>
<p>કુદરતી ગુફા છે અહીંયા&#8230; ગુફાની અંદર પણ ગુફા છે અહીંયા. ક્યાંક નમીને કે ક્યાંક સૂઈને તો વળી ક્યાંક બીજું કોઈ અથડાઈ ન પડે તેની ચિંતા સાથે અહીં પ્રવેશવું પડે છે. આ કોઈ આદિમાનવની ગુફા છે. આ ગુફા સાથે અનેક કથા-વાર્તાઓ જોડાયેલી છે. એક એવી લોકવાયકા છે કે જ્યારે અમદાવાદ નગરના ફરતે અહમદશાહ બાદશાહ કોટ બનાવતો હતો ત્યારે માણેકચોકમાં એક માણેકનાથ નામના બાવાની મઢી હતી&#8230;. બાદશાહના સૈનિકોએ એ ઝૂંપડીને હટાવી ત્યારથી માણેકનાથ બાવો છંછેડાઈને ચિપિયો પછાડતો ઉપડ્યો હતો આ માણેકનાથની ગુફા તરફ&#8230; અને અહીં ડુંગરો પાસે આવીને એણે હાથમાં વાંસની પટ્ટીઓ લીધી હતી. આખોય દિવસ અમદાવાદનો બાદશાહ કોટ ચણાવતો જાય અને આ બાજુ માણેકનાથ બાવો સાદડી ગૂંથતો જાય. રાત પડતાં જ બાવો પેલી સાદડી વિખેરી નાખે અને બસ, અમદાવાદનો કોટ પણ કડડડભૂસ થઈ જાય&#8230; વળી બીજો દિવસ&#8230; ત્રીજો દિવસ&#8230; આમ તો ઘણોય વખત ચાલ્યું. અંતે બાદશાહના હાથ હેઠા પડ્યા. માણેકનાથના સ્થાપકોની માનભેર સ્થાપના કરાઈ અને પછી બાવાએ હઠ મૂકી ત્યારે જ બની શક્યો અમદાવાદ ફરતે કોટ&#8230;. માણેકનાથની આ ગુફામાંથી જ બાવો અમદાવાદના માણેકચોકમાં નીકળતો અને પાછો આવતો&#8230; આજે તો જો કે આ માર્ગ પુરાઈ ગયો છે. આજના બુદ્ધિજીવીઓ અને તર્કવાદી માણસો કદાચ આ કથા નહીં માને. પરંતુ આજથી સો વર્ષ પહેલાંય બુદ્ધિજીવીઓ અને તર્કવાદી માણસો હતા. એમને કોઈ કહેતું કે અમદાવાદમાં બેઠેલો કોઈ માણસ અંબાજી બેઠેલા કોઈ માણસ જોડે જોરજોરથી બૂમો પાડીને લઢે છે&#8230; તો ત્યારે આવું કહેનારને લોકો મૂર્ખ માનતા કેમકે એ સમયે મોબાઈલની શોધ નહોતી થઈ&#8230;. પરંતુ હવે તો માનો છો ને આપ સર્વે !&#8230;. ફૂલોની સુગંધને તમે તમારી તરફ આવતી જુઓ કે ન જુઓ, સુગંધને એની ક્યાં પડી હોય છે ? શ્રદ્ધા હોય તો સમજાય આ બધી વાતો&#8230;.</p>
<p>માણેકનાથનો ડુંગર એટલે ખેડબ્રહ્માથી અંબાજી જવાના હાઈવે પર નજર નાખો એટલે દૂર દૂર ભૂરો ઝાંખા રંગનો મુગટ જેવો દેખાતો ડુંગર. માંકણચંપાનો ઢાળ ચઢી અને સડક રસ્તે પહોંચાય છે માંકડી નામના આદિવાસી ગામમાં. ત્યાંથી 8 કિ.મી. આગળ જતા આવે છે લોટલ નામનું ગામ. આ ગામમાં પહોંચીને કોઈ નાના બાળકને પૂછશો તો પણ તમને બતાવી આપશે માણેકનાથની ગુફા તરફ જવાનો રસ્તો. હવે તો પ્રવાસનિગમને આ સ્થળ ધ્યાનમાં આવ્યું છે. આ સ્થળને મૂળ સ્વરૂપે જાણી લેવું હોય કે માણી લેવું હોય તો ત્યાં ઢગલાબંધ માણસોનો મેળો થઈ જાય અને સ્થળની સુંદરતાને આધુનિક, સુધરેલો માણસ બગાડી નાખે તે પહેલાં પહોંચી જાવ આ અમદાવાદના બીજા છેડાને જોવા&#8230;</p>
<p><em>કોને મળ્યા છે અહીં સાવ સીધા રસ્તા ?</em><br />
<em> ચાર ડગલા ચાલોને મળે ચાર રસ્તા.</em><br />
<em> લે હરીનું નામ ને પકડ એક રસ્તો,</em><br />
<em> ને પકડ પછી એમાંથી કાઢ રસ્તા.</em><br />
<em> બહારથી ઊંડાઈનો અંદાજ બાંધશો પણ,</em><br />
<em> જખમ અંદરથી શરૂ થાય છે, કેમ ના માપશો ?</em></p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/12/22/maneknath-tour/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>મહાબળેશ્વર – જયંતી ડી. શાહ</title>
		<link>http://www.readgujarati.com/2011/11/25/mahabaleshwar-tour/</link>
		<comments>http://www.readgujarati.com/2011/11/25/mahabaleshwar-tour/#comments</comments>
		<pubDate>Fri, 25 Nov 2011 02:00:30 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[પ્રવાસવર્ણન]]></category>
		<category><![CDATA[જયંતી ડી. શાહ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1484</guid>
		<description><![CDATA[[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘મહાબળેશ્વર’ નામના આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં મહાબળેશ્વર તથા તેના જોવાલાયક સ્થળોની ખૂબ નાનામાં નાની વિગત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ પુસ્તકમાંના પ્રથમ પ્રકરણનો કેટલોક અંશ ટૂંકાવીને અહીં સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘મહાબળેશ્વર’ નામના આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં મહાબળેશ્વર તથા તેના જોવાલાયક સ્થળોની ખૂબ નાનામાં નાની વિગત સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. આ પુસ્તકમાંના પ્રથમ પ્રકરણનો કેટલોક અંશ ટૂંકાવીને અહીં સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><img class="alignright size-full wp-image-1485" title="Picture 013" src="http://www.readgujarati.com/wp-content/uploads/2011/11/Picture-013.jpg" alt="" width="231" height="355" />તા. 16-11-2007ના રોજ અમદાવાદથી સાંજના 4:10 કલાકે ઊપડતી અહિંસા એક્સપ્રેસમાં બેસી સીધા પૂના તરફ ઊપડ્યા. આ અહિંસા એક્સપ્રેસ આમ તો અમદાવાદથી મુંબઈ જતી રેલવે લાઈન ઉપર ચાલે છે. પરંતુ મુંબઈ જવાને બદલે મુંબઈના એક પરા જેવા વસાઈથી વળીને સીધી પૂના તરફ આગળ જાય છે. તેથી મુસાફરોને મુંબઈ જવું પડતું નથી. ટ્રેન કાંઈક મોડી હતી. સાંજનો થોડો સમય બાદ થતાં રાત્રીની ટ્રેન કાંઈક મોડી હતી. તેથી વડોદરા પહોંચતાં પહોંચતાં જ અંધારું થઈ ગયું. લોકોનો બોલવા-ચાલવાનો અવાજ ઓછો થઈ ગયો. થ્રી ટાયર એ.સી. કોચ હતો. તેથી દરેક પ્રવાસીઓને રેલવે તરફથી એક સફેદ ચાદર, ઓશીકું અને બ્લૅન્કેટ પૂરાં પાડવામાં આવ્યાં હતાં. સુરત આવતાં આવતાં તો અડધા ભાગના મુસાફરો લાંબી સોડ તાણી સૂઈ ગયા હતા. મેઈનડોર પાસેની લાઈટ સિવાય લગભગ મોટા ભાગની મુખ્યપાથની લાઈટો બુઝાઈ ગઈ હતી. અમે પણ વાંચવાનું બંધ કરી. સૌની સાથે લાંબી સોડ તાણીને સૂઈ ગયા.</p>
<p>પૂરા ચૌદ કલાકની લાંબી મુસાફરીમાં થોડું જાગતાં અને ઊંઘતાં પૂનાના પાદરમાં પહોંચ્યા ત્યારે મુસાફરોની ચહલ-પહલ શરૂ થઈ ગઈ હતી. આપણા મોટા ભાગના મુસાફરોની વરસો જૂની આદત મુજબ રેલવેના ઓશીકા, બ્લૅન્કેટ, બેડસીટ આમતેમ ઉછાળી મૂકી પોતાના દૈનિક કાર્યક્રમમાં લાગી ગયા હતા. મેં પણ તેમની માફક આખી રાત મજાની હૂંફ આપનાર બ્લૅન્કેટને અપમાનજનક રીતે દૂર ઉછાળી મૂક્યો. પરંતુ મારી પત્ની પોતાના દરેક કામમાં ખૂબ ચોક્કસ હોય છે. આપણી પથારી કે રેલવેની પથારી વચ્ચે કોઈ ભેદમાં માનતી નહિ હોવાથી રેલવેનું અમારા સૌનું પાગરણ વ્યવસ્થિત રીતે સંકેલી બધાનો એકસરખો ખડકલો કરીને રેલવે નોકરોને લેવામાં સરળ પડે એ રીતે ગોઠવીને મૂકી દીધો. અમે સૌ સભ્યો અમારા દૈનિક કાર્યક્રમ પતાવીને આવ્યા પછી જ તે પોતાના દૈનિક કાર્યક્રમ માટે ગઈ. ટ્રેન મોડી ઊપડી હતી. પરંતુ પૂના સમયસર સવારના 6:00 કલાકે પહોંચી ગઈ. મારી પત્ની પાછી આવી ત્યાં સુધીમાં તો અહિંસા એક્સપ્રેસ પૂનાના મુખ્ય સ્ટેશન ઉપર આવીને ઊભી રહી ગઈ. ગાડી અહીંયાંથી આગળ નહિ જતી હોવાથી અમે શાંતિથી નીચે ઊતર્યાં. એક કુલીએ સલાહ આપી કે, મહાબળેશ્વર જવા માટે અહીંયા પૂનાસ્ટેશન પાસે જ મહારાષ્ટ્રનિગમની બસની સગવડ છે. ચાલો, તમારે કોઈ વાહનમાં બેસીને બસ-સ્ટૅન્ડે જવાની જરૂર નથી. બસ-સ્ટૅન્ડ વૉકિંગ ડિસ્ટન્સે છે. અમે તેને કુલી તરીકે લઈ લીધો અને તેની સાથે ચાલવા લાગ્યા. ખરેખર તેની વાત સાચી હતી. તેને અમને થોડી મિનિટમાં જ બસ-સ્ટૅન્ડે પહોંચાડી દીધા.<br />
<span id="more-1484"></span></p>
<p>પૂના શહેરના સ્ટેશન વિસ્તારની થોડી ઝલક જોતાં જોતાં 10 મિનિટમાં પૂના શહેરના મુખ્ય બસડેપો સ્વારાગેટ બસ સ્ટૉપે બસ થોડી વાર ઊભી રહી. અગાઉથી રિઝર્વેશન કરેલાં થોડાં પેસેન્જરો અહીંયાંથી ચડ્યાં અને બસ મહાબલેશ્વરને માર્ગે પડી. લગભગ 20થી 25 મિનિટ સુધી પૂના શહેરની મુખ્ય સડક ઉપરથી ચાલતી અમારી બસ વચમાં કાત્રજ નામના પૂનાના એક પરા જેવા ગામના બસ-સ્ટૅન્ડે થોડી મિનિટ ઊભી રહી અને હવે પૂનાનો સબર્બન વિસ્તાર છોડી પૂના મહાબળેશ્વર રોડ ઉપર દોડવા લાગી. ખાસો અડધો કલાક બસ ચાલી હશે ત્યાં તો બસની અંદર-બહાર બધી જગ્યાએ અંધકાર છવાઈ ગયો. ગુજરાતી પ્રવાસીઓ માટે આ થોડો અનોખો અનુભવ હતો. ગુજરાતની સપાટ ધરતી પર દોડતી કોઈ પણ એસ.ટી.બસમાં પ્રવાસીને આવો અનુભવ કદી થતો નહિ હોવાથી અમારા માટે આ નવો અનુભવ હતો. જોકે મહારાષ્ટ્રની ભૂગોળ હું જાણતો હતો કે મહારાષ્ટ્રની મોટા ભાગની ધરતી ઉપર સહ્યાદ્રીની પર્વતમાળા પથરાયેલી છે. તેથી ત્યાંના રસ્તા કાઢવામાં પર્વતમાળાના અનેક સ્થાનોએ આવા બોગદા બાંધી સડક માર્ગો અને રેલ માર્ગને કાઢવામાં આવેલ છે. તેથી હમણાં જે ઘાટના બોગદામાંથી અમે પસાર થયાં તે ઘાટ સહ્યાદ્રી પર્વતમાળાનો જ ઘાટ હતો.</p>
<p>બોગદુ બહુ લાંબું ન હતું. તેથી થોડી વારમાં જ અંધારાં ઉલેચી ગયાં. સર્વત્ર ઉજાસ ફેલાઈ ગયો હતો. સૂર્યનારાયણ મહારાષ્ટ્રની ધરતીને સુવર્ણરંગે રંગી રહ્યો હતો. મહારાષ્ટ્રની ધરતી પણ હવે તેની સુંદરતા બતાવી રહી હતી. આપણાં ચરોતરમાં જેમ વડલા ફૂલેફાલે છે, તેમ અહીંયા મહારાષ્ટ્રમાં પણ ચરોતર જેવા ઘટાદાર નહિ પરંતુ ઠીક ઠીક મોટા વડલા રસ્તાની શોભા વધારતા હતા. પૂના જિલ્લાનો આ વિસ્તાર પ્રમાણમાં ઠીકઠીક ફળદ્રુપ છે. અહીંયાં શેરડીનો પાક બહુ મોટા પ્રમાણમાં થાય છે. રસ્તા ઉપરથી જ દૂર દૂર સુધી શેરડીના વાઢ નજરે પડે છે. મહારાષ્ટ્રની ધરતી શેરડીના પાક માટે ખૂબ જાણીતી છે. તેથી અહીંયાં ખાંડનાં કારખાનાં તથા ગોળના કોલ્હાનાં (કારખાનાં) મોટા પ્રમાણમાં છે. કોલ્હા ઉપરથી જ કદાચ કોલ્હાપુર નામના શહેરનું નામ પડ્યું હશે. આપણે ગુજરાતીઓમાં કોલ્હાપુરી ગોળનું નામ ખૂબ જ જાણીતું છે. એ કોલ્હાપુરી ગોળ મહારાષ્ટ્રના આ કોલ્હાપુર નામના શહેરની આસપાસના વિસ્તારમાં પાકતી શેરડીને આભારી છે.</p>
<p>સીધા સરળ રોડ ઉપર અમારી બસ ઝડપથી દોડી રહી હતી. રસ્તામાં વઈ નામનું એક શહેર આવ્યું. વઈનું બસ-સ્ટૅન્ડ ખાસું મોટું છે. ઘડિયાળમાં બરાબર નવ વાગ્યા હતા. આગળ ઉપર વઈનો ઘાટ ઓળંગવાનો હતો. તેથી ડ્રાઈવર કન્ડકટર તથા પ્રવાસીઓ ચા-પાણી પીને બરાબર ‘ફ્રેસ’ થયા એટલે ફરી બસે ચાલતી પકડી. ખાસો અડધો કલાક સપાટ ધરતી ઉપર ચાલ્યા બાદ સામે વઈનો વિકરાળ ઘાટ દેખાયો. હવે ચઢાણ શરૂ થઈ ગયું હતું. ધીરે ધીરે અમારી બસ ઘાટ ચડી રહી હતી. જેમ જેમ ઉપર ચડતાં હતાં તેમ તેમ નીચે સમતલ ધરતી દેખાતી હતી. જોકે આ ઘાટીની પહાડીઓ સાવ બોડી હતી. કોઈ કોઈ જગ્યાએ થોડાં વૃક્ષો અને લીલોતરીનાં દર્શન થતાં હતાં. બાકી હિમાલયન વિસ્તારમાં જે પહાડીઓ હરીભરી લીલોતરી અને ઘટાટોપ વૃક્ષથી ભરેલી દેખાતી હતી તેવું અહીંયાં કોઈ સૃષ્ટિસૌંદર્ય હતું નહિ. વચ્ચે એકાદ બે બોગદાં દેખાયાં પરંતુ અમારી બસો તો ખુલ્લા પહાડના મુખ્ય માર્ગ ઉપર ચાલતી હતી. કોઈ જગ્યાએ ચઢાણ અને કોઈ જગ્યાએ ઉતરાણ જરૂર આવતાં હતાં. પણ પહાડી માર્ગ તો હજુ ચાલુ જ હતો. ખાસો એક કલાકનો સમય વીત્યા બાદ અમે વઈનો માર્ગ ઓળંગી ગયા. ફરી સીધી સડક ઉપર બસ દોડવા લાગી.</p>
<p>હા, એક વાત કહેવાની રહી ગઈ. આપણા ગુજરાતમાં કોઈ એસ.ટી. બસમાં કે એ.એમ.ટી.એસ.માં હજી સ્ત્રી કંડકટરોની જગ્યા ભરવામાં આવી નથી. તેથી એ બાબતમાં મહારાષ્ટ્ર નિગમની સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ જરૂર આગળ છે. અહીંયાં મહારાષ્ટ્ર નિગમની અમારી બસમાં એક સ્ત્રી કંડકટર હતી. બહુ જ ચપળ અને ચાલાક આ સ્ત્રી કંડકટર હસતી-રમતી પોતાની ફરજ બહુ જ સરળતાથી બજાવતી હતી. મહારાષ્ટ્રની સહેજ શ્યામ અને પ્રમાણમાં બહુ જ ઊંચી નહિ એવી સ્ત્રીઓ કરતાં ગુજરાતની સ્ત્રીઓ ઘઉંવર્ણી, ઊંચી પૂરી અને વધુ સ્માર્ટ છે. તે માટે દિવસની બસમાં કે એ.એમ.ટી.એસ.માં ગુજરાત સરકાર સ્ત્રી કંડકટરની ભરતી શા માટે કરતી નથી ?</p>
<p>ચાલો, બહાર ફરી રસ્તા ઉપર કુદરતી સૌંદર્ય શરૂ થઈ ગયું હતું. નદી-નાળાં પર્વતો ટેકરીઓ લીલાં વૃક્ષો અને લીલોતરીનાં દર્શન શરૂ થઈ ગયાં હતાં. અમે એક તરફ નદી અને બીજી તરફ પહાડ વચ્ચે દોડી રહ્યા હતા. અમારી જમણી બાજુ નદીઓ ને ડાબી તરફ પંચગીનીનો પ્રખ્યાત શેરબાગ હતો. આ શેરબાગમાં કદાચ વિશ્વભરમાં થતાં ફૂલોના અડધા ભાગનાં ફૂલો ઉછેરતા બગીચા માટે જાણીતો છે. પંચગીનીમાં આ શેરબાગ પ્રવાસી માટે ખૂબ જ જાણીતો છે. મહાબળેશ્વર જતાં દરેક પ્રવાસીઓ મહાબળેશ્વરમાં રહીને એક ટ્રીપ જરૂર પંચગીની તો કરે જ છે. અમારો કાર્યક્રમ પણ એ રીતે ગોઠવેલ હોવાથી, અહીંયાં ઊતર્યા વગર પંચગીનીની નાનકડી બજાર પાર કરી ફરી મહાબળેશ્વર તરફ આગળ વધ્યા. પંચગીની મહાબળેશ્વરથી માત્ર 20 કિ.મી.ના અંતરે હોવાથી અમે પોણો કલાકમાં તો મહાબળેશ્વરના પ્રખ્યાત વેના લેઈકના કાંઠે પહોંચી ગયા. આ સ્થળે મહાબળેશ્વરમાં પ્રવેશ માટે પ્રવાસીઓ પાસેથી પ્રવેશ ફી ઉઘરાવવામાં આવે છે. તેથી નાકાના બે કારકુન અમારી બસમાં ચડી ગયા અને મુંડકાવેરાની પાવતીઓ ફાડી ફાડીને પ્રવાસીઓ પાસેથી મુંડકાવેરો ઉઘરાવા લાગ્યા. અગાઉ અંબાજીમાતાના દર્શન કરવા જતાં ત્યારે દાંતા સ્ટેટ તરફથી આવો મુંડકાવેરો યાત્રિકો પાસેથી ઉઘરાવવામાં આવતો હતો. તે ભારત આઝાદ થતાં ગુજરાત સરકારે બંધ કરી નાખ્યો છે.</p>
<p>પરંતુ અહીંયાં મહાબળેશ્વરમાં હજુ મુંડકવેરો ચાલુ છે. વ્યક્તિદીઠ 15 રૂપિયા જેવો કાંઈક ચાર્જ હતો. એવું કાંઈક યાદ છે. ચાલો મહાબળેશ્વરમાં પ્રવેશવાનો પરવાનો મળી ગયો. બસ આગળ ચાલી. અમારી બસની જમણી દિશામાં પાઘડીપને પથરાયેલ વેના લેઈક હતું. લેઈક તો હજુ આગળ હતું પરંતુ અમારી બસ હવે આગળ વળી ગઈ. વેના લેઈકનો સાથ છૂટી ગયો. છૂટાંછવાયાં મકાનો, બગીચા, નાનામોટા બાંધકામવાળો રસ્તો પાર કરી આખરે અમારી બસ મહાબળેશ્વરના બસ અડ્ડે આવી ઊભી રહી.</p>
<p>પૂનાથી મહાબળેશ્વરની પુરા 120 કિ.મી.ની લાંબી સફર કરીને આવ્યા હતા. થોડાં થાકેલાં હતાં. બપોરના 11॥ થઈ ગયા હતા. એમાં બસમાંથી ઊતરવા જતાં જુદી જુદી હોટેલના પ્રતિનિધિઓ ઘેરી અમને પોતાની હોટલના કાર્ડ પકડાવી પકડાવી તેમની હોટલનાં વખાણ કરતાં અમને ઘેરી વળ્યા. પરંતુ અમે અગાઉથી અમારી હોટલનું બુકિંગ કરાવ્યું છે એવું કહીને તેમનાથી છૂટી અમારી હોટેલ બ્લ્યૂ હેવને પહોંચી ગયા. મહાબળેશ્વર દરિયાની સપાટીથી 1350 મીટર ઊંચાઈએ આવેલું હોવાથી હવા ખુશનુમા છે. બ્રિટિશ કાળમાં મહારાષ્ટ્રની ઉનાળુ રાજધાની હતી. પરંતુ આજે પ્રખ્યાત પ્રવાસધામ છે.</p>
<p>[કુલ પાન : 74. કિંમત રૂ. 60. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/11/25/mahabaleshwar-tour/feed/</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
		</item>
		<item>
		<title>ચાલો પોરબંદરના પ્રવાસે&#8230;. – નરોત્તમ પલાણ</title>
		<link>http://www.readgujarati.com/2011/11/15/porbandar-pravas/</link>
		<comments>http://www.readgujarati.com/2011/11/15/porbandar-pravas/#comments</comments>
		<pubDate>Tue, 15 Nov 2011 02:17:39 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[પ્રવાસવર્ણન]]></category>
		<category><![CDATA[નરોત્તમ પલાણ]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1433</guid>
		<description><![CDATA[[‘સંસ્કૃતિબિંદુ’ માસિક ડિસેમ્બર-2010માંથી સાભાર.] મિયાણીથી આગળ વધતાં સૌરાષ્ટ્રના આ પશ્ચિમ સમુદ્રકિનારે ભૌગોલિક દષ્ટિએ કંઈક ટાપુ જેવું પોરબંદર, દેશના અન્ય ભાગો સાથે જલ, સ્થલ અને વાયુમાર્ગે જોડાયેલું એક ઔદ્યોગિક નગર છે. સુદામા અને ગાંધીજીની જન્મભૂમિ તરીકે જાણીતું આ શહેર પ્રવાસ માટેનાં બીજાં પણ ઘણાં આકર્ષણો ધરાવે છે. સમુદ્રના મિજાજી સૌંદર્ય સાથે પક્ષીઓ અને માનવીઓનું વૈવિધ્ય પણ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘સંસ્કૃતિબિંદુ’ માસિક ડિસેમ્બર-2010માંથી સાભાર.]</p>
<p>મિયાણીથી આગળ વધતાં સૌરાષ્ટ્રના આ પશ્ચિમ સમુદ્રકિનારે ભૌગોલિક દષ્ટિએ કંઈક ટાપુ જેવું પોરબંદર, દેશના અન્ય ભાગો સાથે જલ, સ્થલ અને વાયુમાર્ગે જોડાયેલું એક ઔદ્યોગિક નગર છે. સુદામા અને ગાંધીજીની જન્મભૂમિ તરીકે જાણીતું આ શહેર પ્રવાસ માટેનાં બીજાં પણ ઘણાં આકર્ષણો ધરાવે છે.</p>
<p>સમુદ્રના મિજાજી સૌંદર્ય સાથે પક્ષીઓ અને માનવીઓનું વૈવિધ્ય પણ અહીં ઉમેરાયું છે અને તેથી એક નિત્યનૂતન લાગે તેવા સ્થળ તરીકે પોરબંદર આપણને ગમી જાય છે. પાઘડીપને વસેલા પોરબંદરને, ખડક તથા રેતાળ બંને પ્રકારના તટોથી શોભતો અને નાળિયેરીનાં ઝુંડોથી ભર્યોભર્યો લાગતો લાંબો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. અન્ય સ્થળોએ વરવાં લાગતાં કારખાનાં પણ પોરબંદરની વ્યોમરેખાને અવનવો વળાંક આપી ‘યંત્રોનેય કેવું સૌંદર્ય હોય છે’ તેની એક નૂતન અનુભૂતિ આપણા દિલમાં પેદા કરી આપે છે. પ્રગતિની પ્રક્રિયા પેલા હિન્દુ દેવતા જેવી છે જે માણસની ખોપરીનું પ્યાલું કરી અમૃત પીએ છે. એનો ખ્યાલ દરિયામાં દૂરથી કારખાનાંની આ તોતિંગ ઈમારતો જોતાં આવ્યા વિના રહેતો નથી.</p>
<p>પોરબંદરનો પહેલો અધ્યાય સુદામાથી શરૂ થઈ અનેક સંતો-મહંતો અને કવિ-કલાકારોને ઉછેરતો પોષતો ગાંધીજીમાં પરાકાષ્ઠા પામે છે. સ્કંદપુરાણ સુદામાની કથા કહી જાય છે : અસ્માવતી નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં સોમશર્મા નામના ભૃગુવંશી ગૃહસ્થને ઘેર સુદામા નામના પુત્રરત્નનો જન્મ, અભ્યાસ અર્થે દૂર ભરતખંડ મધ્યે આવેલા સાંદીપનિ આશ્રમમાં પ્રયાણ, મથુરાથી (?) આવેલા કૃષ્ણ-બળરામની સાથે સાંદીપનિ ઋષિના આશ્રમમાં મૈત્રી, પાછા ફરવું, ઘરની ગરીબ સ્થિતિ અને પત્નીપ્રેર્યા કૃષ્ણ યાચવા દ્વારકાગમન અને અસ્માવતી તટનું આ નાનકડું જનપદ સમૃદ્ધિથી છલકતું ‘સુદામાપુરી’ બની રહ્યું ! જો કે આ સ્થળનો પ્રથમ લિખિત પુરાવો હજાર વર્ષ જૂના ઘૂમલીના એક દાનપત્રમાં ‘પૌરવેલાકુળ’ એમ ‘પોરબંદર’નો છે, જ્યારે ‘સુદામાપુરી’નો – વાંગ્મય ઉલ્લેખ પણ એટલો જૂનો નથી અને શિલાલેખમાં ‘સુદામાપુરી’ તો છેક સંવત 1893ના અહીંના બહુચર માતાના સ્થાનમાં આવેલા માનસરોવરકુંડના શિલાલેખમાં મળે છે. ખાડીકાંઠે આવેલ ‘પોરવમાતા’ના થાનક ઉપરથી ‘પોરબંદર’ નામ પડ્યાની લોકવાયકા છે, પણ હકીકતે તો માતાના નામ ઉપરથી ગામનું નામ નહીં પણ પોરબંદર ઉપરથી ‘પોરાવ’ થયું છે, જેમ ‘ચોર’ ઉપરથી ‘ચોરાવ’.<br />
<span id="more-1433"></span></p>
<p><a href="http://www.readgujarati.com/wp-content/uploads/2011/11/pbandar.jpg"><img class="size-full wp-image-1434 alignright" title="pbandar" src="http://www.readgujarati.com/wp-content/uploads/2011/11/pbandar.jpg" alt="" width="500" height="338" /></a>સુદામાચોક પાસે આવેલા ભાવસિંહજી પાર્ક, ખાદીભંડાર, ઘૂમલીના અવશેષોને પોતાના દરવાજામાં રાખીને બેઠેલી કોર્ટની ઈમારત અને સુદામા મંદિર જોઈ પાછળ ‘સુલતાનજીનો ચોરો’ તરીકે જાણીતું શિલ્પસ્થાપત્ય અને કાષ્ઠકલાના રમણીય નમૂના સમું રાણા સરતાનજીનું ગ્રીષ્મભવન અવલોકી, સુદામાને હાથે સ્થાપિત થયેલા મનાતા કેદારકુંડ અને કેદારેશ્વર મહાદેવ, જેના સાન્નિધ્યમાં કરમચંદ બાપાના દીકરા મોહનદાસે ધતૂરાનાં બી ખાઈ મરવાનો પ્રયત્ન કર્યો હતો. તે જોઈ માણેકચોક પહોંચીએ. અહીં જોવું ન ગમે તેવું ગાંધીજીનું એક પૂતળું જલદી જોઈ બાજુના કીર્તિમંદિરમાં સર્વધર્મસમભાવના મહાવ્રતને, પોરબંદરના જ એક સ્થપતિએ, શેઠશ્રી નાનજીભાઈની પ્રેરણાથી, બાપુ જન્મસ્થાન પરના આ સ્મારક ચણતરમાં મૂર્ત કરી આપ્યું છે તે નિરાંતે અવલોકીએ. હિન્દુ, બૌદ્ધ, જૈન, મુસ્લિમ અને પારસી કલાઓના અંશો સૂઝ તથા સંવાદપૂર્વક આ ઈમારતના બાંધકામમાં ગોઠવાયા છે. પ્રાંગણના વિશાળ આરસચોકમાં ચારે બાજુ મૂકેલા આરસસ્તંભો પર ગાંધીવાણીના આરસલેખો એક સુંદર ‘દર્શન’ પૂરું પાડે છે. ઓગણ્યાએંશી વર્ષનું આયુષ્ય બાપુએ ભોગવ્યું તેના સ્મરણમાં આ મંદિરની ઊંચાઈ ઓગણ્યાએંશી ફીટની રાખવામાં આવી છે, એટલી જ સંખ્યાના દીપકો એના શિખરમાં મુકાયા છે. કેન્દ્રસ્થાને પોરબંદરના જ એક ચિત્રકાર સ્વ. નારાયણ ખેર ચિત્રિત બા-બાપુનાં બે અદ્દભુત તૈલચિત્રો એની પ્રતીકાત્મક પાર્શ્વભૂ સાથે અવલોકવા જેવાં છે. પાછળ કસ્તૂરબા જન્મસ્થાન જોઈ, આજુબાજુનાં શ્રીનાથજી હવેલી અને પ્રણામી મંદિરનાં દર્શન પણ કરીએ. એક કાળે આ પ્રણામી મંદિરની એક ભીંત ઉપર ગીતાના શ્લોક અને બીજી ભીંત ઉપર કુરાનની આયાતો કોતરેલી હતી ! ગાંધી કુટુંબના ધાર્મિક વારસામાં આ નજીકનાં ધર્મસ્થાનોનો ફાળો કંઈ ઓછો નથી.</p>
<p>બપોર ભોજન, આરામ અને ગુરુકુળ. શેઠશ્રી નાનજી કાલિદાસે પોરબંદરને જે રસ-શણગાર સજાવ્યા છે તેનું તૃપ્તિકર દર્શન અહીં પ્રાપ્ત થશે. પ્રવેશદ્વારની રમ્ય કમાન, સ્મૃતિમંદિરની અર્વાચીન કાષ્ઠકલા, પ્રાંગણમાં કુલપિતાની શિલ્પમંડિત છત્રી, આફ્રિકન હસબી સહિત આઠસો કન્યાઓને ભારતીય સંસ્કૃતિથી ભર્યો ભર્યો શિક્ષણવઘાર આપતી ‘આર્ય કન્યા ગુરુકુળ’ જેવી ગુજરાતની વિરલ અને અનન્ય શિક્ષણ સંસ્થા, મહિલા કૉલેજ, ભારતની અસ્મિતા સમા ઋષિમુનિઓથી માંડી અર્વાચીન ભારતના ઘડવૈયા સુધીના મહામનાઓની સ્તંભ પર ઊપસાવેલી છન્નું માણસકાય પ્રતિમાઓવાળું ભારતમંદિર, આકાશની વિરાટ લીલાનો હૂબહૂ ખ્યાલ આપી મંત્રમુગ્ધ બનાવી જતું નહેરુ તારામંદિર – અહીંના કોઈ પણ વૃક્ષ નીચે ઊભા રહી આજુબાજુ નિહાળો તો શુદ્ધ ભારતીય શૈલીના ઘુમ્મટો તથા મિનારાથી ભર્યું ભર્યું આ પવિત્ર વાતાવરણ આપણા અસ્તિત્વને તપોવનની ઉષ્મા પ્રદાન કરી નતમસ્તક બનાવી જશે. અનેક પ્રકારનાં પંખીથી કલનાદ કરતી અહીંની વનશ્રી, દૂર સરકી ગયેલા આર્યવર્તના સાન્નિધ્યમાં તમને લાવી મૂકશે. તમે સહૃદયી હશો તો બાળાઓના વેદોચ્ચાર, નાળિયેરીનાં લાંબાં પર્ણોમાં ડમરુનો નાદ ભરતો અનિલ અને મોર, પોપટ, બુલબુલ, પતરંગાના નવરંગી નર્તન સાથે આકાશમાં ઝઝૂમતા નટરાજને બોરસલી, જુઈ, ચંપા, પારિજાતની ઝીણી સૌરભ સાથે સાક્ષાત માણી શકશો.</p>
<p>ઉતારે પાછા ફરીએ તે પહેલાં એક ચક્કર લગાવી ગુજરાતનાં આવેલા મોટા મોટા હનુમાન મંદિર માંહેનું એક રોકડિયા હનુમાન મંદિર જોઈ લઈએ. કર્લીપુલથી ગામમાં આવતાં સિમેન્ટ ફૅક્ટરી, સાયન્સ કૉલેજ અને કમલાબાગ પાસેની ગાંધીપ્રતિમા – ગાંધી શતાબ્દીની એક સુંદર સ્મૃતિ – ખાસ જોવા જેવી છે. બાજુના કમલા બાગમાં સફેદ કબૂતરો નિહાળવા માટે નહીં પણ રવીન્દ્ર શતાબ્દીની યાદમાં મુકાયેલ કવિવર ટાગોરની અર્ધ પ્રતિમા, રંગમંચ અને આ એક પથ્થરની છત્રી ખાસ જોશું. પોતાને આંગણે જન્મેલ એક મહાન બ્રાહ્મણ શાસ્ત્રી શ્રી રેવાશંકરભાઈની અર્ધપ્રતિમા સાથેની આ છત્રી પોરબંદરની સાંસ્કૃતિક ભક્તિની ઝાંખી કરાવનાર આબાદ આર્વિભાવ છે. ઈ.સ. 1785થી એક રાજવી કવિના વરદ હસ્તે પોરબંદરને રાજધાનીનો દરજ્જો મળ્યો અને પછી પોરબંદરનો અદ્યતન વિકાસ આરંભાયો છે.</p>
<p>રાતે અને વહેલી સવારે ચોપાટી. દરિયાના કુદરતી સૌંદર્ય સાથે અહીં માનવસર્જિત સિમેન્ટ રોડ તથા કાંઠા પરના હારબંધ વીલાઓનું સૌંદર્ય ઉમેરાણું છે અને ફરી એક વાર પોરબંદરની ભૌગોલિક પરિસ્થિતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુભગ મેળ બેસાડતી આપણી ઉપર વિજય મેળવી જાય છે. રાજમહેલ પાસે કનકાઈ માતાનું સાવ નાનકડું વિશિષ્ટ મંદિર જોઈ બી.ઍડ.કૉલેજ તરફ – ખાડીનો જે નાનકડો ભાગ અહીં ગામમાં ઘૂસી ગયો છે તે પોરબંદરનું પક્ષીતીર્થ છે. પશ્ચિમ એશિયા, હિમાલય, સાઈબીરિયા વગેરે દૂરનાં સ્થળોએથી વૈયાં, કુંજ, કુલંગ, સુરખાબ અને પેણ જેવાં અનેક પક્ષીઓ આ સ્થળે આવી દિવસ-બે દિવસ કે માસ બે-માસ રહી પાછાં ચાલ્યાં જાય છે. પૂજમાંથી આવેલા ગુલાલરંગ્યા રબારી સમું સુરખાબ તો હવે પોરબંદરના કાયમી પક્ષી જેવું બની ગયું છે, જ્યારે પેણ વર્ષમાં અમુક સમયે જ દેખાય છે. આપણા પ્રવાસ સાથે જો પેણ પણ આવ્યાં તો પોરબંદરનો પ્રવાસ સ્મૃતિમાંથી કદીય ન ભૂંસાય તેવી એ વિરલ ક્ષણ બની જશે ! ખાડીના છાંયા તરફના કાંઠે, કુંવારનાં થડિયાં આડા આપણે સંતાઈ જશું તો તરતી તરતી બેચાર પેણ આ બાજુ આવશે અને કુદરતની એક આશ્ચર્યકર લીલાના મુગ્ધ સાક્ષી થવાનો આનંદ આપણામાં છલકાઈ ઊઠશે ! પક્ષીતીર્થ, પોરબંદરના સૌંદર્યની કલગી છે !</p>
<p>પોરબંદર છોડીએ તે પહેલાં ગામમાં એક ચક્કર લગાવીએ. પાકા પથ્થરની સુંદર ઈમારતો દ્વારમતીથી દરિયાપાર ગયેલા અનેક સુદામાઓની સમૃદ્ધિ સમી હારબંધ ઊભી છે. કન્યાશાળા પાસેનો આ ફુવારો પોરબંદરનું હૃદય છે તો દરિયાકિનારા પરનો ભવ્ય રોમન સ્થાપત્ય અને ટાવર ધરાવતો ટાઉન-હૉલ ગામનું નાક છે. દિલીપ ક્રિકેટ મેદાન ખેલદિલ યૌવનનું અને પુષ્ટિમાર્ગીય હવેલીઓ સંગીતકલાનું ઉદ્દગમ સ્થાન છે. ‘ન’ ને બદલે ‘લ’ બોલતા ખારવા અને દાંડિયા રાસથી ભારતભરમાં પંકાયેલ મહેર કોમ અહીંના વિશિષ્ટ પ્રજાજનો છે. શુદ્ધ ઘી અને સફેદ પથ્થર માટે જાણીતું આ નગર મોહનદાસ ગાંધી નામના માણસને જન્મ આપી દુનિયાના નકશા પર તેજ વેરતા ગુલાબ સમું શોભી રહ્યું છે.</p>
<p>રાષ્ટ્રપિતાની સાથે જ રાષ્ટ્રમાતા કસ્તૂરબાનું જન્મસ્થાન પણ પોરબંદર, ગાંધી કુટુંબ ત્રણ પેઢીથી પોરબંદરવાસી બન્યું, જ્યારે કસ્તૂરબાનું કુટુંબ તો સાત પેઢીથી પોરબંદરનું છે ! પોરબંદરનું ભોળપણ અને પોરબંદરની ગરવાઈ, ગાંધી કરતાં કસ્તૂરબામાં વિશેષ ઝળકે છે ! પોરબંદર, કસ્તૂરબા અને રૂપાળીબાની ભૂમિ છે, તેમ આપણા વિશિષ્ટ લેખક સ્વામી આનંદના પાલક ધનકોરબાની ભૂમિ પણ છે ! પોરબંદરના અનેક સ્વરૂપોમાંનું એક સ્વરૂપ તેનું નારીહૃદય છે !</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2011/11/15/porbandar-pravas/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
		</item>
	</channel>
</rss>

