<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ReadGujarati.com</title>
	<atom:link href="http://www.readgujarati.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://www.readgujarati.com</link>
	<description>Read Gujarati Literature Online</description>
	<lastBuildDate>Tue, 07 Feb 2012 02:40:33 +0000</lastBuildDate>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3.1</generator>
		<item>
		<title>મજહબ હમેં સિખાતા, આપસ મેં પ્યાર કરના ! – વિનોબા</title>
		<link>http://www.readgujarati.com/2012/02/07/mazhub-sikhata/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/07/mazhub-sikhata/#comments</comments>
		<pubDate>Tue, 07 Feb 2012 02:40:33 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[અધ્યાત્મિક લેખ]]></category>
		<category><![CDATA[વિનોબા ભાવે]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1899</guid>
		<description><![CDATA[[ બધા જ ધર્મો એક છે એ ન્યાયે વિનોબાજીએ બધા જ ધર્મોનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું. એમ કર્યા બાદ એમણે દરેક ધર્મના સારરૂપ નાનકડી પુસ્તિકાઓ લખી. ‘ઈસ્લામનો પયગામ’ પુસ્તિકા તેમાંની એક છે, જેમાંથી આ લેખ અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ બધા જ ધર્મો એક છે એ ન્યાયે વિનોબાજીએ બધા જ ધર્મોનું ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું. એમ કર્યા બાદ એમણે દરેક ધર્મના સારરૂપ નાનકડી પુસ્તિકાઓ લખી. ‘ઈસ્લામનો પયગામ’ પુસ્તિકા તેમાંની એક છે, જેમાંથી આ લેખ અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><img class="alignright size-full wp-image-1900" title="Picture 039" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/02/Picture-039.jpg" alt="" width="234" height="361" />મારી જિંદગીનાં બધાં કામ દિલોને જોડવાના એકમાત્ર ઉદ્દેશથી પ્રેરિત છે. મને માણસ-માણસનાં દિલ જોડવા સિવાય બીજી કોઈ ચીજમાં રુચિ નથી. મેં કુરાન શરીફનું અધ્યયન પણ એટલા વાસ્તે જ કર્યું. મારાં રચનાત્મક કામોના ચિંતનમાં એક દિવસ મને સૂઝ્યું કે હું હિંદુસ્તાનમાં રહું છું અને પોતાને હિંદુસ્તાની કહું છું, તો જેમ હિંદુ ધર્મના ગ્રંથોનું અધ્યયન મેં કર્યું છે, તેમ આપણા દેશવાસી મુસલમાન ભાઈઓ કે જેઓ એક હજાર વરસથી આપણી સાથે અહીં રહે છે, એમના ધર્મગ્રંથોનુંયે અધ્યયન મારે કરવું જોઈએ.</p>
<p><strong><span style="color: #993366;">[એક નિમિત્ત મળ્યું, અને મેં કુરાનનું અધ્યયન કર્યું]</span></strong></p>
<p>અને આનું નિમિત્ત બન્યો, એક મુસલમાન છોકરો. અમારા આશ્રમમાં એક મુસલમાન છોકરો આવ્યો. તો મને સહજ ઈચ્છા થઈ કે એને કુરાન શીખવું. પરંતુ પહેલાં હું પોતે શીખું તો જ તો શીખવી શકું ને ! એટલા વાસ્તે મેં પોતે કુરાનનું અધ્યયન શરૂ કર્યું. તે છોકરો તો પાછળથી ચાલ્યો ગયો, પરંતુ મેં મારું અધ્યયન ચાલુ રાખ્યું.</p>
<p>આ 1939ની વાત છે. પહેલાં સેલનો અંગ્રેજી તરજુમો જોઈ ગયો. પછી મુહમ્મદઅલીનો તરજુમો જોયો, જે સારો છે પણ સેક્ટેરિયન (સાંપ્રદાયિક) છે. પછી યુસૂફઅલીનું કુરાન ઉપરનું લાંબું ભાષ્ય વાંચ્યું. અને ત્યાર બાદ પિક્થોલનો અનુવાદ વાંચ્યો. તેનું અંગ્રેજી સારું છે. (આગળ ઉપર જ્યારે હું કશ્મીરમાં પદયાત્રા કરતો હતો, ત્યારે અહમદિયાવાળાઓએ પ્રકાશિત કરેલો તરજુમો પણ જોયો. તે તરજુમો રદ્દી છે, પણ તેનું પ્રિન્ટિંગ સૌથી સુંદર છે.) પરંતુ આ બધું વાંચવાથી હજી મને સમાધાન નહોતું થતું. મને એમ લાગ્યું કે અનુવાદ બધા મૂળ ધાત્વર્થથી, કુરાનના મૂળ શબ્દથી, શબ્દના અસલ અર્થથી દૂર લઈ જઈ રહ્યા છે. અરબી અને અંગ્રેજી ભાષાની રચના અને શબ્દસૃષ્ટિમાં ઘણો ફરક છે, એટલે અનુવાદમાં અસલ અર્થ પકડાતો નથી. તેથી કુરાન મૂળ અરબીમાં જ વાંચવાનું મેં નક્કી કર્યું.<br />
<span id="more-1899"></span></p>
<p>હું ત્યારે વર્ધા પાસે એક નાનકડા ગામ પવનારમાં રહેતો હતો. મારો ‘સ્વદેશી’ ધર્મ મને પવનાર છોડવા નહોતો દેતો. તેથી ત્યાં જ બેઠાં-બેઠાં જેટલું ને જે રીતે થઈ શક્યું તેટલું અધ્યયન મેં કર્યું. મેં કુરાનના શબ્દોના મૂળમાં જવાની કોશિશ કરી. એક એક શબ્દ વાંચું અને યાદ ન રહે. આંખોનેય તકલીફ થાય, એટલે હું બધું નાગરીમાં લખી લેવા લાગ્યો. આથી ઠીક ઠીક યાદ રહેતું. મને ઉર્દૂ કરતાં અરબી વધુ સહેલી લાગી; કેમ કે ઉર્દૂમાં જેર જબર (ઉચ્ચારણનાં ચિહ્ન) નથી હોતાં. અરબી લિપિમાંનું એક પુસ્તક ‘નબિયોં કે કિસ્સે’ મેં જેલમાં વાંચેલું અને તેને લીધે અરબી લિપિ મને થોડી પરિચિત હતી. ત્યારે જુમ્મે કે દિન રેડિયો ઉપર વીસ મિનિટ કુરાનનો પાઠ થતો. તે હું જેલમાં સાંભળતો. તેના પરથી મેં તલફફુજ (ઉચ્ચારણ) પકડી લીધાં હતાં. વચ્ચે એક કિસ્સો કહું. એક વાર મૌલાના અબુલ કલામ આઝાદ ગાંધીજીને મળવા આવ્યા હતા. ગાંધીજીને ખબર કે મેં કુરાનનું અરબીમાં અધ્યયન કર્યું છે. તો એમણે મને બોલાવ્યો અને કહ્યું કે મૌલાનાને કુરાન સંભળાવ. હવે, મારો હંમેશાં આગ્રહ રહે છે કે જે કોઈ ભાષા શીખવી હોય, તેનું ઉચ્ચારણ પણ બરાબર થવું જોઈએ. જેલમાં રેડિયો પરથી તો અરબીમાં ઉચ્ચારણ મેં પકડેલાં. પછી મૌલવી પાસે જઈનેય શીખી લીધેલાં. અરબી ઉચ્ચારણનું જે બધું શાસ્ત્ર છે, તેનુંયે અધ્યયન કરી લીધું હતું. અને કુરાનની કેટલીયે આયાતો મોઢે કરી લીધી હતી. આ બધાની તે દિવસે મૌલાના સાહેબ આગળ મારી પરીક્ષા થઈ. એમણે કહ્યું, ઉચ્ચારણ એટલાં ઉત્તમ છે કે કોઈ ઉલમા બોલી રહ્યો છે કે હિંદુ બોલી રહ્યો છે, ખબર નથી પડતી. આવું એમનું સર્ટિફિકેટ મળી ગયું !</p>
<p><strong><span style="color: #993366;">[મહેનત કરવામાં મેં કોઈ કચાશ ન રાખી]</span></strong></p>
<p>ખેર, મારે કુરાનના અધ્યયન માટે જેટલી મહેનત કરવી પડી, એટલી મહેનત વેદ સિવાય બીજા કોઈ ગ્રંથ માટે કરવી પડી નથી. આટલાથી હું કુરાનનો ‘હાફિજ’ કે ‘આલિમ’ (કુરાનવિદ) બની ગયો, એમ તો નહીં કહું; પરંતુ એટલું જરૂર કહીશ કે હિંદુ ધર્મના ઊંડા અધ્યયન માટે મેં જેટલી કોશિશ કરી એટલી જ કોશિશ કુરાનના અધ્યયન માટે પણ મેં કરી છે. આ બધા પ્રયાસમાં મારી આંખો જે પહેલાં જ નબળી હતી, તે વધારે નબળી પડી. તેમ છતાં માનસિક લાભ હું ભરપૂર પામ્યો. શ્રદ્ધા તો મને પહેલેથી જ હતી કે બધા ધર્મોમાં એકતા છે, કેમ કે માનવ-હૃદય એક છે અને ધર્મનો પ્રારંભ કરનારા ઊંચા હૃદયના હોય છે; પરંતુ બધા ધર્મોના આવા અધ્યયનને લીધે તે શ્રદ્ધાની મને સાક્ષાત અનુભૂતિ થઈ. આમ, અરબી ભાષા શીખીને મેં આખું ને આખું કુરાન વાંચ્યું, અનેક વાર વાંચ્યું. ઓછામાં ઓછાં 20 વરસ મેં તેનું અધ્યયન કર્યું. તેનો કેટલોયે હિસ્સો મને કંઠસ્થ થઈ ગયો. વચ્ચે વચ્ચે હું વાંચવાનું છોડીયે દેતો; કેમ કે ભૂલવાથીયે લાભ થાય છે. ભૂલવાથી એ ફાયદો થાય છે કે આપણને જે સારી પેઠે હજમ થયું હોય એટલું જ યાદ રહે છે. સતત વાંચતા રહેવાથી દરેક વાક્યની કીમતનો ખ્યાલ નથી આવતો. અમાસને દિવસે બધા તારા દેખાય છે, પણ તમારે જો જોવું હોય કે કયો તારો મુખ્ય છે, તો આઠમના દિવસે જોવું. વળી, પૂર્ણિમાએ તો મુખ્ય ચંદ્ર જ દેખાય છે, તારા નહીં. એટલે જેમ સતત વાંચતા રહેવું, એ એક રીત છે, તેમ વચ્ચે-વચ્ચે છોડી દેવું, ભૂલી જવું, એ પણ એક રીત છે. તેમ કરવાથી જેટલું પચી ગયું હોય એટલું જ યાદ રહે છે. આ બંને રીત મેં મારા અધ્યયનમાં અપનાવી છે. આ રીતે કુરાનનું ઊંડું અધ્યયન મેં કર્યું.</p>
<p><strong><span style="color: #993366;">[કેટલાક હિસ્સા વાંચતાં હું ગદગદ થઈ જતો !]</span></strong></p>
<p>હું એમ કહી શકું કે જેટલી શ્રદ્ધાથી મેં હિંદુ ધર્મનું અધ્યયન કર્યું, જેટલી ભક્તિથી વેદ વાંચ્યા, એટલી જ શ્રદ્ધા-ભક્તિથી કુરાન શરીફનુંયે અધ્યયન કર્યું. ગીતાનો પાઠ કરતી વખતે મારી આંખો ઘણી વાર આંસુથી ઊભરાઈ જાય છે, એવું કુરાન અને બાઈબલનો પાઠ કરતાંયે થાય છે; કેમ કે બધા ધર્મગ્રંથોમાં મૂળ તત્વ તો એક જ છે ને ! કુરાનના કેટલાક હિસ્સા વાંચતી વખતે હું એકદમ ગદગદ થઈ જાઉં છું, તેની સાથે એકરૂપ થઈ જાઉં છું, તેનાથી રંગાઈ જાઉં છું. ખરું કહું તો મારી એવી અનુભૂતિ છે કે હું હિંદુ છું, મુસલમાન પણ છું, ખ્રિસ્તી પણ છું, બૌદ્ધ-યહૂદી-પારસી પણ છું. એમ જ માનો કે પાષાણ અને પથ્થરમાં કોઈ ફરક નથી, પાષાણ એટલે પથ્થર અને પથ્થર એટલે પાષાણ. એવી જ રીતે હિંદુ-મુસલમાન-ખ્રિસ્તીનો એક જ અર્થ છે – સજ્જન સત્પુરુષ. એટલે હું મને હિંદુ પણ માનું છું, મુસલમાન પણ માનું છું, ખ્રિસ્તી પણ માનું છું. આ બધા ધર્મો સત્યના અંશ છે. જો હું કહું કે હું કોઈ એક ધર્મનો છું, તો સત્યની સાથે અસત્યને પણ ગ્રહણ કરી લઉં છું અને કહું કે હું કોઈ ધર્મનો નથી, તો આ બધા ધર્મોમાં જે સત્યનો અંશ છે, તેનેય છોડી દઉં છું. સત્યનો અસ્વીકાર ન થાય અને અસત્યનો સ્વીકાર ન થાય. એટલા વાસ્તે હું ‘ભી’ (પણ) વાળી વાત કરું છું. હિંદુ પણ છું, મુસલમાન પણ છું. આ સંદર્ભમાં ચાર ભૂમિકા હોઈ શકે છે. (1) હું હિંદુ છું, મુસલમાન નથી. (2) હું મુસલમાન છું, હિંદુ નથી. (3) હું હિંદુ પણ નથી, મુસલમાન પણ નથી. (4) હું હિંદુ પણ છું, મુસલમાન પણ છું. મારી ચોથી ભૂમિકા છે. પહેલી ભૂમિકામાં એમ છે કે હું હિંદુ છું અને મારા હિંદુત્વમાં બધું સમાઈ જાય છે. પરંતુ ‘હું હિંદુ છું’ કહેવાથી મુસલમાનથી અલગ પડી જાઉં છું. એવું જ ‘હું મુસલમાન છું’ કહેવાથી. અને ‘હું બંને નથી’ કહેવાથી મારો ત્રીજો પંથ બની જાય છે. પરંતુ હું હિંદુ પણ છું અને મુસલમાન પણ છું કહેવાથી હિંદુ અને મુસલમાન, બંનેને હું એક પ્લેટફોર્મ ઉપર લાવી શકું છું. એટલા વાસ્તે હું ‘ભી’ વાદી છું.</p>
<p><strong><span style="color: #993366;">[સાચો હિંદુ સાચો મુસલમાન પણ છે, સાચો ખ્રિસ્તી પણ]</span></strong></p>
<p>જે સારો માણસ હોય છે, એ જ સાચો હિંદુ છે અને એ જ સાચો મુસલમાન છે. જે સારો માણસ નથી, નેકી પર ચાલતો નથી, એ નામમાત્રનો હિંદુ છે, નામમાત્રનો મુસલમાન છે. ખરું જોતાં, એ હિંદુ છે જ નહીં, મુસલમાન છે જ નહીં. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ એ જ હોય છે, જે ઈનસાન ઉપરાંત કાંઈક વધુ હોય છે. ઈનસાનથી કમ જે હશે એમનો તો સવાલ જ નથી. એ ચોર, ડાકુ વગેરે હશે. એ નામ પણ ભલે લેતા હોય, પણ નામમાત્રના જ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે હશે. જે માણસાઈથીયે કમ પડતા હોય, એ સાચા હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ બની જ નહીં શકે. હું કહેવા એ માગું છું કે હિંદુ ને મુસલમાન માણસાઈ કરતાં કાંઈક વધુ છે – પ્લસ સમથિંગ. ઈનસાન તો સામાન્ય માણસ છે, જે નેક રસ્તે ચાલે છે. પરંતુ તેનાથી ઊંચે જનારો, ભગવાનને શરણે જનારો મુસલમાન છે. તો પછી કોઈ પૂછશે કે શું તુલસીદાસજી મુસલમાન હતા, શંકરાચાર્ય મુસલમાન હતા ? હું જરીકે ખચકાટ વિના કહીશ કે જી હા, એ મુસલમાન હતા. એવી જ રીતે હિંદુનો શો અર્થ છે ? ‘હિંસયા દૂયતે યસ્ય ચિત્તમ’ – હિંસાથી જેનું ચિત્ત દુભાય છે, દુઃખી થાય છે, એ હિંદુ છે. જે હિંસા કરશે નહીં, હિંસા કરાવશે નહીં, હિંસાને વશ થશે નહીં, એ હિંદુ છે. તો પછી શું મુહમ્મદ પૈગંબર હિંદુ હતા ? હું કહીશ કે જી હા, હિંદુ હતા. આ સમજવાની વાત છે. કુરાન ને વેદ આ જ તો કહે છે ! આ સમજીશું ત્યારે દિલ જોડાશે. દિલોને જોડવા માટે એક-બીજાના મજહબનું સારું જ્ઞાન હોવું જોઈએ. ઈસ્લામ ધર્મના મુખ્ય વિચારોથી હિંદુઓ વાકેફ હોવા જોઈએ અને હિંદુ ધર્મમાં શું છે, તેનાથી મુસલમાનો વાકેફ હોવા જોઈએ. એવું ખ્રિસ્તી વગેરે અન્ય ધર્મોની બાબતમાં પણ. રુહુલ કુરાન મુસલમાન વાંચે છે, પણ હિંદુઓએ પણ તે વાંચવું જોઈએ. એવી જ રીતે ગીતા અને ગીતા-પ્રવચનો મુસલમાન પણ વાંચે. બંને કોમ બંને વિશે ગાઢ પરિચય કેળવશે, ત્યારે એકબીજાનાં દિલ જોડાશે.</p>
<p>ઈકબાલે ગાયું છે – ‘મજહબ નહીં સિખાતા, આપસ મેં બૈર રખના.’ હું તેનાથી એક ડગલું આગળ કહેવા માગું છું – ‘મજહબ હમેં સિખાતા, આપસ મેં પ્યાર કરના.’ માત્ર વેર ન રાખવું, તેમાં તે શી મોટી ધાડ મારી ? એટલું પૂરતું નથી. આપસમાં પ્યાર પણ કરવો જોઈએ, એકબીજા માટે પોતીકાપણું પણ અનુભવવું જોઈએ. એ જ તો ધર્મ છે, માનવધર્મ છે.</p>
<p>[કુલ પાન : 80. કિંમત રૂ. 40. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/07/mazhub-sikhata/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
		<item>
		<title>વાત ચંચળ બાળકોની&#8230;. – ડૉ. રઈશ મનીઆર</title>
		<link>http://www.readgujarati.com/2012/02/07/chanchal-balako/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/07/chanchal-balako/#comments</comments>
		<pubDate>Tue, 07 Feb 2012 02:36:57 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[સાહિત્ય લેખ]]></category>
		<category><![CDATA[ડૉ. રઈશ મનીઆર]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1897</guid>
		<description><![CDATA[[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] અનિકેતની ઉંમર છે સાત વર્ષ. બીજા ધોરણમાં ભણે છે. દેખાવે તેજસ્વી અને ચબરાક. ગતિશીલ અને ચપળ. નવી વસ્તુ શીખવામાં સમજવામાં હોશિયાર. દરેક નવી ચીજનું એને કુતૂહલ. પરંતુ એનાં માતાપિતા અને શિક્ષકોને અનિકેત સામે ઘણી ફરિયાદો છે. કારણ ? કારણ એ જ કે અનિકેતનું પરિણામ નબળું આવે છે. પરિણામ નબળું આવે છે એ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.]</p>
<p>અનિકેતની ઉંમર છે સાત વર્ષ. બીજા ધોરણમાં ભણે છે. દેખાવે તેજસ્વી અને ચબરાક. ગતિશીલ અને ચપળ. નવી વસ્તુ શીખવામાં સમજવામાં હોશિયાર. દરેક નવી ચીજનું એને કુતૂહલ. પરંતુ એનાં માતાપિતા અને શિક્ષકોને અનિકેત સામે ઘણી ફરિયાદો છે. કારણ ? કારણ એ જ કે અનિકેતનું પરિણામ નબળું આવે છે. પરિણામ નબળું આવે છે એ સાચું, પણ છેક નબળું નહીં. અનિકેતની બુદ્ધિમત્તાના પ્રમાણમાં અને માબાપની અપેક્ષાના પ્રમાણમાં નબળું કહેવાય.</p>
<p>માબાપ અને શિક્ષકો આનું કારણ પણ જાણે છે. અનિકેત ભણવામાં એકાગ્રતા કેળવી શકતો નથી. અનિકેત સ્વભાવે ચંચળ, તરંગી અને ધૂની છે. ઘરે લેસન કરવા બેસે તો પેન ખોલશે, રિફીલ ખોલીને ફૂંક મારશે, પેન્સિલ છોલશે, રબરથી રમવા માંડશે, એનું લેસન મમ્મી ખિજાય નહીં ત્યાં સુધી બાકી જ રહેશે. ધમકાવીને વાંચવા બેસાડો તો એક જગ્યાએ કદાચ બેસશે તો ખરો પણ એનું ધ્યાન અભ્યાસમાં નહીં હોય. નોટના પાછળના પાને લીટા-લસરકા કરશે અથવા પાઠ્યપુસ્તકમાંના ચિત્રોને મૂછદાઢી બનાવશે. આજુબાજુ બેસનારા સાથે રમત રમશે, ઝઘડશે. વાત શિક્ષા સુધી પહોંચશે. માબાપ સુધી ફરિયાદ પહોંચશે ત્યારે અનિકેત કહેશે, ‘હું તો ધ્યાનથી જ ભણવા માગું છું, પણ બાજુવાળો ચિરાગ મને ભણવા નથી દેતો.’ ફાટેલા પૂંઠાવાળી નોટ, રોજરોજ ખોવાઈ જતાં રબર-પેન્સિલ, યુનિફોર્મ પર પડેલા શાહીના ડાઘ આ બધું અનિકેતના રોજિંદા જીવનનો ભાગ છે.<br />
<span id="more-1897"></span></p>
<p>અનિકેતની તકલીફ માત્ર અભ્યાસ સુધી સીમિત નથી. ઘરે, મહોલ્લામાં બધે જ એને તકલીફ પડે છે. કોઈના ઘરે મમ્મી-પપ્પા એને લઈ જાય તો ત્યાં એવું વર્તન કરે કે કદી એને ક્યાંય લઈ જવાનું મન ન થાય. કોઈ પણ જગ્યાએ સ્થિર બેસે નહીં. કોઈ પણ નવી વસ્તુ જુએ એટલે એને અડક્યા-તપાસ્યા વગર ચાલે નહીં. વસ્તુ પોતાની છે કે બીજાની એવા ભેદ રાખ્યા વગર ઊંચકવી-પકડવી. એમાંય થોડી બેકાળજી અને ઉતાવળ એટલે એના હાથે તોડફોડ પણ વધુ થાય. મોટા સ્ટોરમાં લઈ ગયા હોય તો ગતિપૂર્વક બધે જ ઘૂમી વળે, અને શોધવો ભારે પડે. લગ્ન કે પાર્ટીમાં એને સાચવવો ભારે થઈ જાય. પોતાનું શરીર જાણે મોટરબાઈકનો જીવંત અવતાર હોય એ રીતે મોંથી ઘરઘરાટી બોલાવી એ દોડાદોડી કરી મૂકે. અથડાય, પડે, વાગે કે કોઈની સાથે મારામારી કરે ત્યારે જ ખબર પડે કે અનિકેત ક્યાં છે ? પાણી પોતે પણ પીએ અને શર્ટ પણ ભીનું થાય. આઈસ્ક્રીમ ખાધો હોય તો પેટમાં ગયો હોય એટલો જ આઈસ્ક્રીમ મોં પર અને કપડાં પર દેખાય. મમ્મી કે પપ્પા ડોળા કાઢે કે સલાહ સૂચન આપે તેની તો અનિકેત પર અસર થાય જ નહીં. છેવટે અકળાઈને મમ્મી કે પપ્પા હાથ ઉપાડે ત્યારે જ અનિકેત ઠંડો પડે. પરંતુ થોડી વાર માટે !&#8230;.. થોડા જ સમયમાં ફરી પાછી એ જ ધમાલ !</p>
<p>અનિકેતની આવી ચંચળતાથી એનાં મમ્મી-પપ્પા પરેશાન છે. સ્કૂલમાંથી વારંવાર ફરિયાદો. ત્રણ વર્ષમાં પાંચ ટ્યૂશન બદલ્યાં. જાતે ભણાવી જોયું, પરંતુ અનિકેતમાં કોઈ પરિવર્તન નહીં. દર વખતે એવું જ નબળું પરિણામ ! નોટમાં અક્ષર મૂડ પ્રમાણે, મોટે ભાગે ખરાબ, છેકછાક વધુ. ગણિતમાં દાખલાની રકમ બરાબર વાંચે નહીં. કેટલીક વાર આખો દાખલો સાચો હોય પરંતુ ઉતાવળે થયેલી નાનકડી ભૂલને લીધે જવાબ ખોટો હોય. ક્યા દિવસે ક્યા વિષયની યુનિટ ટેસ્ટ છે, તે યાદ ન હોય. શું લેસન આપ્યું એ વિશે ચોક્કસ ન હોય. માર ખાવાની આદત પડી ગઈ હોવાથી લેસન કરવાને બદલે માર ખાઈ લેવાનું પસંદ કરે છે. અનિકેતનાં મમ્મી-પપ્પા, ફોઈ-મામા, બધાં જ એને વારંવાર સમજાવે છે, એની ભૂલો પ્રત્યે ધ્યાન દોરે છે. કોઈ વાર સારા મૂડમાં હોય તો અનિકેત બધું સાંભળે પણ ખરો, પરંતુ અમલમાં કશું મૂકી શકે નહીં. એક વાર જે ભૂલ કરી હોય એ જ વારંવાર કરે અને ત્યારે એને એવું યાદ ન હોય કે આવી જ ભૂલ માટે મને અગાઉ સજા થઈ હતી.</p>
<p>રિઝલ્ટ નબળું આવે તો મમ્મી-પપ્પાને નામોશી લાગે, પણ અનિકેતને એની શરમ નહીં. હા, મમ્મી-પપ્પા ખીજવાશે એવી થોડી બીક ખરી; પણ પરિણામ નબળું આવ્યું એવો અહેસાસ એને નહીં થાય. ‘મારે કારણે મમ્મી-પપ્પાને ખૂબ પરેશાની થાય છે, મમ્મી-પપ્પાને વારંવાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે અથવા મમ્મી-પપ્પા મારે કારણે ખૂબ ચિંતિત છે’ એવો વિચાર કદી અનિકેતના મનમાં આવ્યો નથી. અનિકેત સાથે દોસ્તી કેળવીને, નિકટતા સાધીને એના મનની વાત જાણવા માંગશો તો અનિકેત કદાચ કહેશે, ‘મમ્મી ખૂબ મારે છે, પપ્પા ખૂબ ખિજાય છે,’ એને પૂછીએ, ‘શા માટે મારે છે ?’ તો અનિકેત ચૂપ થઈ જશે. ફરીથી પૂછીએ, ‘કેમ તારી મમ્મી ખરાબ છે ? એને તને મારવામાં મજા આવે છે ?’ તો કદાચ અનિકેત બોલશે, ‘ના, એ તો હું તોફાન કરું છું ને, ભણતો નથી ને, એટલે !’ પરંતુ અનિકેતને એટલો સીધો અને સરળ વિચાર નથી આવતો કે હું તોફાન ન કરું, ધ્યાનથી ભણું તો મને કોઈ મારે નહીં અને કોઈ ખિજાય નહીં. કદાચ એવો વિચાર આવતો પણ હોય તો એ અમલમાં નહીં મૂકી શકાતો હોય !<br />
આ પ્રકારનું માનસિક વલણ ધરાવતાં બાળકો વ્યાપકપણે જોવા મળે છે. 4 થી 10 વર્ષની ઉંમરનાં બાળકોને દર સોએ પાંચ બાળકોનું વ્યક્તિત્વ આ પ્રકારનું હોય છે. એક જગ્યાએ સ્થિર બેસી ન શકતાં, તરંગી અને ચંચળ બાળકોનો ‘હાઈપરઍક્ટિવ’ અથવા ‘હાઈપરકાઈનેટિક ચાઈલ્ડ’ કહેવામાં આવે છે. આવાં બાળકોને ‘એટેન્શન ડેફિસિટ ડિસઑર્ડર’ (એ.ડી.ડી.) નામની તકલીફ છે એમ પણ કહેવાય છે. ઘણાં આ બંને નામને ભેગા કરી ‘એટેન્શન ડેફિસિટ હાઈપર ઍક્ટિવિટી ડિસઑર્ડર (એ.ડી.એચ.ડી) સંજ્ઞાનો ઉપયોગ કરે છે. શાળાના દરેક વર્ગમાં એક-બે કે ત્રણ બાળકો અનિકેત જેવી પ્રકૃતિ ધરાવતાં હોય છે. શિક્ષકો એમને ‘નંગ’ અથવા ‘નમૂના’ શબ્દથી ઓળખતા હોય છે ! આ તકલીફ બાલિકાઓમાં ભાગ્યે જ જોવા મળે છે. ચંચળ અને તરંગી બાળકનાં લક્ષણો તો બે વર્ષની ઉંમરથી જ પરખાવા માંડે છે. પરંતુ ચાર વર્ષની ઉંમરે પાકું નિદાન શક્ય બને છે. ચંચળ બાળકો સૌથી વધુ ચારથી આઠ વર્ષની ઉંમર દરમિયાન એમનાં માબાપ અને શિક્ષકોને તકલીફ આપે છે.</p>
<p>આ તકલીફ થવાનું કોઈ ચોક્કસ કારણ પકડી શકાયું નથી. જન્મ સમયે થયેલી મગજની ઈજા (રડતાં વાર લાગવી, મેલું પાણી પી જવું) અથવા નાની ઉંમરમાં થયેલ મગજની કોઈ બીમારી (જેમ કે મેનિન્જાઈટિસ) જેવા અમુક કિસ્સામાં આ તકલીફ વધુ જોવા મળે છે. પરંતુ દરેક ચંચળ અને તરંગી બાળકના કિસ્સામાં આવું જ હોય એ જરૂરી નથી. માતાપિતા બેમાંથી કોઈને માનસિક સમસ્યા હોય તો બાળકમાં આ તકલીફ હોવાની શક્યતા વધી જાય છે. મુખ્યત્વે (1) બાળક માટે સમય ન ફાળવી શકતાં મા-બાપ (2) બાળકનું ભલું-બૂરું વિચાર્યા વગર બાળકને વધુ પડતાં લાડ કરાવી એમની દરેક માગણી પૂરી કરનાર માબાપ (3) બાળકને એક સામાન્ય વ્યક્તિની જેમ નહીં પરંતુ એને વધુ પડતું મહત્વ આપી એનો અહંકાર (ઈગો) પોષી વિશિષ્ટ બાળકની જેમ ઉછેર કરનાર માબાપ અને (4) બાળકની નાનીનાની ક્ષતિઓ પ્રત્યે બેદરકારી દાખવી હસતે મોઢે ચલાવી લેનાર માબાપ&#8230;.. આ ચાર પ્રકારના વાલીઓ જ્યાં હોય ત્યાં બાળકોમાં એ.ડી.એચ.ડી.ની બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે. પરંતુ માત્ર ક્ષતિપૂર્ણ ઉછેરના આધારે આ બીમારી થતી નથી. આ બીમારી થવા પાછળ અમુક જન્મજાત, વારસાગત અથવા અમુક અજ્ઞાત કારણોનો મોટો પ્રભાવ હોઈ શકે.</p>
<p>આ બીમારીનું નિદાન જેટલું જલદી થાય, એની સમજ જેટલી જલદી કેળવાય, એટલો બાળકને વધુ ફાયદો થાય. બેઅઢી વર્ષની ઉંમરે જ બાળકની અતિશય ચંચળતા બાબતે સચેત થઈ જવું જોઈએ. અહીં એટલું યાદ રાખવું જરૂરી છે કે સલાહ-સૂચન ઉછેર કે દવાની મદદથી ચંચળ બાળકને કદી પણ એકદમ શાંત બનાવી શકાતું નથી. ઊલટું ચંચળ બાળકને દબાણપૂર્વક એકદમ શાંત બનાવવાના પ્રયાસથી એ વધુ તોફાની બને છે. અઢી વર્ષની ઉંમરે બાળકની ચંચળતા પારખી સચેત થવાનો અર્થ એ નથી કે એની ચંચળતાને ડામી દેવી. આપણે માત્ર એટલું જ કરી શકીએ કે બાળકની ચંચળતા તોફાન, ભાંગફોડ કે અવ્યવસ્થિતતાના માર્ગે વળે, એના બદલે આપણે બાળકની ચંચળતાને એની શક્તિ ગણીને એને સર્જનાત્મક દિશા તરફ વાળીએ. એને ભરપૂર તેમજ વૈવિધ્યપૂર્ણ, શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ આપીએ. આવાં બાળકો માટે ટેબલટેનિસ, ટેનિસ, કેરમ, બેડમિંગ્ટન જેવી રમતો; સ્વિમીંગ, જિમ્નાસ્ટિક જેવી થકવી નાખનારી કસરતો; ચિત્રકામ, માટીકામ, કાગળકામ જેવી સમય ખર્ચાય એવી પ્રવૃત્તિ&#8230;. વગેરે ખૂબ ફાયદાકારક નીવડી શકે. આવાં બાળકો માટે સામૂહિક રમતો (ક્રિકેટ, ફૂટબૉલ) બહુ યોગ્ય ન ગણાય.</p>
<p>આ તો થઈ અભ્યાસ સિવાયની વાત, પરંતુ સૌથી વધુ માથાકૂટ તો આવાં બાળકોને ભણાવતી વેળા થાય છે. એ તો દેખીતું જ છે કે ચંચળ અને એકાગ્રતા ન કેળવી શકતું બાળક સમૂહમાં સારી રીતે ભણી શકે નહીં તેથી શાળામાં આવા બાળકને પહેલી પાટલી પર અથવા એથીય આગળ શિક્ષકની બાજુમાં બેસાડી શકાય. આવા બાળકને વ્યક્તિગત ટ્યૂશન (એક શિક્ષક : એક વિદ્યાર્થી) ઉપયોગી થઈ શકે. આવા બાળકને ભણાવતી વખતે માત્ર શિક્ષક બોલે અને બાળક સાંભળે એવી ચીલાચાલુ રીત નિષ્ફળ જ નીવડે. શિક્ષક જેટલી જ ભાગીદારી બાળકની પણ રહે અને ભણાવવાની રીત સરળ, સહજ, રસપ્રદ અને હળવાશભરી રહે એ જરૂરી છે. બાળક તરંગી હોવાથી તરત જ એક વાતથી બીજી વાત પર સરી પડશે, એ વખતે શિક્ષકે ગાડી પાટેથી ઊતરી ન જાય એ માટે ખૂબ સભાનતા રાખવી પડશે. ટીવી ચાલુ હોય, ઘરમાં અન્ય વ્યક્તિઓની અવરજવર હોય, ટેલિફોનની રિંગ વાગે તો બાળકનું ધ્યાન ત્યાં જ જશે, તેથી બાળકને શાંત, એકાંતભર્યા વાતાવરણમાં ભણાવાય તે જરૂરી છે. આવાં બાળકોની સાથે વધુ પડતી સાલસતા દાખવવાથી બાળક ગાંઠતું નથી અને વધુ પડતી કડકાઈ રાખવાથી પણ બાળક સહકાર આપતું નથી. તેથી આવાં બાળકોને ભણાવતી વખતે મધ્ય માર્ગ લેવો પડે છે. બાળક પ્રત્યે સખ્તાઈ દાખવવા જતાં, બાળક સાથે અપમાનપૂર્ણ વ્યવહાર ન થઈ જાય તે યાદ રહેવું જોઈએ. ભલે બાળક સાથે મક્કમ રહેવું પડે, પરંતુ બાળક પ્રત્યેનો પ્રેમ કે આદર કદી ઓછો ન થાય તેની કાળજી શિક્ષકોએ ‘સખ્તાઈ નહીં પરંતુ મક્કમતા’ (Firmness instead of strictness) આ મુદ્રાલેખ બરાબર યાદ રાખવો જરૂરી છે, કેમ કે આવાં બાળકોને નિર્દયતાપૂર્વક સજા કરવાથી કે મારવાથી તેઓ રીઢાં, નફફટ કે નઠોર બની જાય છે.</p>
<p>શરૂઆતમાં દરેક ચંચળ અને તરંગી બાળક ભોળું, નિખાલસ અને કુતૂહલથી ભર્યું હોય છે, પરંતુ માબાપ, શિક્ષકો અને સમાજના કઠોર વર્તાવ પછી બે ત્રણ વર્ષમાં જ બાળક નફ્ફટ, ભાંગફોડિયું અને જિદ્દી બની જાય છે.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/07/chanchal-balako/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>નોબલ રિવેંજ – જયશ્રી ગો. મહંત</title>
		<link>http://www.readgujarati.com/2012/02/06/noble-revange/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/06/noble-revange/#comments</comments>
		<pubDate>Mon, 06 Feb 2012 02:33:36 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[ટૂંકી વાર્તા]]></category>
		<category><![CDATA[જયશ્રી ગો. મહંત]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1893</guid>
		<description><![CDATA[[ જયશ્રી ગો. મહંત એ આસામી ભાષામાં લખતા ખ્યાતનામ વાર્તાકાર છે. તેઓ ગૌહાટીના નિવાસી છે. તેમની આ પ્રસ્તુત આસામી વાર્તાનો કલ્પનાબેન દવે એ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ડૉ. નૂતનબેન જાની દ્વારા સંપાદિત ભારતીય લેખિકાની વાર્તાઓના અનુવાદો અંતર્ગત ‘સંવાદ’ નામના પુસ્તકમાંથી આ વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ.નૂતનબેનનો (મુંબઈ) ખૂબ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ જયશ્રી ગો. મહંત એ આસામી ભાષામાં લખતા ખ્યાતનામ વાર્તાકાર છે. તેઓ ગૌહાટીના નિવાસી છે. તેમની આ પ્રસ્તુત આસામી વાર્તાનો કલ્પનાબેન દવે એ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ડૉ. નૂતનબેન જાની દ્વારા સંપાદિત ભારતીય લેખિકાની વાર્તાઓના અનુવાદો અંતર્ગત ‘સંવાદ’ નામના પુસ્તકમાંથી આ વાર્તા સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ.નૂતનબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]</p>
<p><img class="alignright  wp-image-1894" title="Picture 037" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/02/Picture-037.jpg" alt="" width="278" height="414" />માલવિકાએ અનુભવ્યું કે ઘણા સમયથી રસ્તા પર કોઈ ધીમા અવાજમાં કશુંક બોલતા બોલતા રડી રહ્યું હતું. સવારે તો એ ખૂબ જ વ્યસ્ત રહે છે. છોકરાઓને સ્કૂલે મોકલીને પતિ પ્રવાલ અને સ્વયં પોતાના જવાની તૈયારી કરવાની હોય છે. ઝટપટ રસોઈ બનાવી, બારીબારણાં બંધ કરીને તે નોકરાણીને જરૂરી સૂચનો આપીને પતિની સાથે જ સ્કૂટર પર રવાના થઈ જાય છે. પ્રવાલ માલવિકાને બેંકની નજીક ઉતારીને પછી પોતાની ઓફિસ જાય છે. માલવિકાનો આ રોજનો ક્રમ છે. બેંકની રજાઓ ઓછી હોવાને લીધે માલવિકાને આમેય ઓછો સમય મળે છે. માત્ર શનિવારે તે બેંકમાંથી જલ્દી ઘરે આવી શકે છે.</p>
<p>શનિવારે બપોરે આવીને જ્યારે માલવિકા ઘરનું તાળું ઉઘાડે છે ત્યારે કોઈક અકળ પીડા અનુભવે છે. આ સમયે તે ઘરમાં સાવ એકલી હોય છે. આખું ઘર તેને ખાલી ખાલી લાગે છે&#8230;. સાવ શૂન્ય&#8230; વેરાન&#8230;. ક્યારેક આવી એકલતામાં તે સાંજ સુધી પથારીમાં પડી રહે છે ને પોતાની જાતમાં ખોવાઈ જાય છે. રોજિંદા કામનો બોજો. ‘બેંક વહીવટની ઔપચારિકતા’ અનેક મૂંઝવણો તથા ઘરની જવાબદારી આ બધું જ ભૂલીને તે પોતાના નિજી વિચારોમાં ડૂબી જાય છે. આ તેનો અંગત સમય હોય છે. એમાં કોઈ ખલેલ પહોંચાડે તે માલવિકાને જરાય ગમતું નથી. સાંજે જ્યારે બધા ઘરે આવી જતા ત્યારે હસીમજાક, ખાવુંપીવું, છોકરાઓનો અભ્યાસ તથા મહેમાનગતિના ચક્કરમાં તેનો અંગત સમય ક્યાંય વિલીન થઈ જાય છે.</p>
<p>&#8230;&#8230;પણ, આજે એવું કશું ન થયું. બેંકમાંથી નીકળી ત્યારે તેનું મન ઉદાસ હતું. આખો દિવસ જાણે બેકાર લાગતો હતો. થોડા દિવસો પહેલાં જ તેને ‘પ્રધાનમંત્રી રોજગાર યોજના’ માટેના આવેદનપત્રોને મંજૂર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રથમ તબક્કાનું કામ પૂરું થયા પછી જ તેના ટેબલ પર આવેદનપત્રોની ફાઈલ આવતી હતી. કેટલીક ગરીબ સ્ત્રીઓ-બેકાર યુવાનો પોતાના ઉદ્યોગધંધા માટે લોન મંજૂર કરવાની અરજી કરતા. આ રીતે કોઈના રોજગાર માટે આર્થિક સહાયમાં મદદરૂપ થવાના શ્રેષ્ઠ કામ બદલ માલવિકા એક પવિત્ર માનસિક સંતોષનો અનુભવ કરતી હતી. આ વર્ષે પણ માલવિકા ખૂબ નિષ્ઠાપૂર્વક આ જવાબદારી પાર પાડવા તત્પર હતી. પહેલા તેની પાસે 17 આવેદનપત્રો આવ્યા હતા.<br />
<span id="more-1893"></span></p>
<p>બેંકની ક્ષમતા તથા બેંક દ્વારા નિર્ધારિત સહાયકક્ષેત્રોને આધારે આ આવેદનપત્રો બેંકમાં મોકલવામાં આવતા હતાં. આ દિવસો દરમ્યાન અરજ કરનાર જરૂરતમંદ લોકો માલવિકા પાસે આવીને પોતાની વીતકકથા જણાવતા. જેથી બેંકની અધિકારી માલવિકાના મનમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ જાગે અને તેમના આવેદનપત્રને મંજૂરી મળી જાય. માલવિકા બાળપણથી જ પરગજુ વૃત્તિ ધરાવતી હતી. તેથી દરેક અરજી કરનારને તે મદદ ન કરી શકતી તોય એમનાં દુઃખદર્દને પ્રેમથી, ધીરજપૂર્વક જરૂર સાંભળતી. જ્યારે આવેદકોની મંજૂરીની અંતિમ સૂચિ જાહેર કરવામાં આવતી ત્યારે આ યોજના અંતર્ગત જેને લોન ન મળી હોય તેવા લોકોને પણ માલવિકાના નિર્ણય માટે માન થતું. તેમને લાગતું કે માલવિકાએ યોગ્ય જ નિર્ણય કર્યો છે. જેને સર્વાધિક જરૂર હતી તેને જ બેંકની લોન મળી છે. માલવિકાના વિવેકપૂર્ણ વ્યવહાર તથા ન્યાયપ્રિયતાનાં વખાણ કરતાં એ અરજદારો અચકાતાં નહીં. બેંકના અન્ય કર્મચારીઓ પણ માલવિકાને માન આપતા હતા, આદરભાવે જોતા હતા. ન્યાયપ્રિયતા, દયા-સ્નેહ અને ક્ષમતા જેવા ગુણોથી સંપન્ન માલવિકાનું ગાંભીર્યપૂર્ણ વ્યક્તિત્વ એક ખુમારીભર્યા અધિકારીનું હતું. પોતાની જાત પર શ્રદ્ધા તથા આત્મવિશ્વાસને લીધે તેને સતત નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા મળી રહેતી.</p>
<p>આ વખતે ‘પ્રધાનમંત્રી રોજગાર યોજના’ અંતર્ગત લોન માટેના આવેદનપત્રો મળ્યા પછી એક યુવક માલવિકાને મળવા આવ્યો હતો. લોનની મંજૂરી માટે આવતા મોટાભાગના લોકોની જેમ કાલાવાલા કરવાને બદલે આ યુવક ઊંચા અવાજે પોતાની લોન મંજૂર કરવાની માંગણી કરવા લાગ્યો. લોન માટે અરજી કરનાર કોઈ જરૂરતમંદ વ્યક્તિ આવી રીતે પોતાની સાથે વાત કરે એવો પ્રથમ અનુભવ માલવિકાને થયો. માલવિકાએ વિચાર્યું કે ગુસ્સે ભરાયેલા આ યુવાનને નિયમો સમજાવીને શાંત કરવાની મારે શી જરૂર ? તે કંઈક મૂંઝવણ સાથે, ભારે કુતૂહલથી તથા થોડા રમૂજ ભાવે એ યુવાનના ચહેરાને તાકી રહી. ઘણા સમય સુધી પેલો યુવાન એલફેલ બોલતો રહ્યો. પછી ગુસ્સામાં જ જતો રહ્યો. એક એક કરીને બેંકના સહકર્મચારીઓ માલવિકાને મળી ગયા. તેમાંના કો’કે પેલા યુવાન પ્રતિ ગુસ્સો વ્યક્ત કર્યો તો કોઈએ ક્ષોભ. કોઈએ વળી માલવિકાને ભારપૂર્વક જણાવી દીધું. ગમે તે થાય આ યુવાનની અરજી કોઈપણ હાલતે મંજૂર કરતા નહીં. તેના વર્તન બદલ તમે કડક વલણ દાખવજો. આજના યુવાનો કેટલા ઉદ્ધત છે. પોતાને સુધરેલા માનતા આ યુવાનોમાં નાનામોટાનો વિવેક નથી વગેરે&#8230;.. આવી ચર્ચા કરીને અંતે તો આજની યુવાપેઢીની માનસિકતા વિશે દરેક જણ પોતાના વિચારો જણાવવા લાગ્યા. એમાં જ બેંકમાંથી છૂટવાનો સમય થઈ ગયો.</p>
<p>માલવિકા સાંજે ઘરે આવ્યા પછી પણ પેલા યુવાનની વાતો ભૂલી શકી નહીં. તેણે કહેલા આકરાં વચનો માલવિકા સહેલાઈથી વીસરી શકે તેમ ન હતું. ત્રણ-ચાર દિવસ બાદ માલવિકાએ પેલા યુવાનના આવેદનપત્ર પરથી તેનું સરનામું એક કાગળ પર નોંધી લીધું : ‘નરેન્દ્રનાથ સૈકિયા, ગામ મુક્તાપુર, પોસ્ટ સોનારી ઘાટ.’ ત્યારબાદ રજાના એક દિવસે લીલા શાકભાજી ખરીદવાને બહાને માલવિકા મુક્તાપુર ગામે પહોંચી ગઈ. તે દિવસે ત્યાં હાટડી ભરાવાની હતી.</p>
<p>રજાનો દિવસ હતો એટલે માલવિકાએ પોતાના બાળકોને સાથે લીધા હતા. તે દિવસે પ્રવાલ તેની ઓફિસના કામે કલકત્તા ગયો હતો. કદાચ પ્રવાલ હોત તો માલવિકાના આ અભિયાન માટે તેની મજાક ઉડાવત. માલવિકાનું ક્યારેક તેની નાદાન હરકતો માટે પ્રવાલ સામે નીચાજોણું હતું. એટલે તે દિવસે પ્રવાલ નહતો એ વાતથી માલવિકાએ રાહત અનુભવી. મુક્તાપુર ચાર રસ્તા પર ભરાતું હાટ ખરેખર જોવાલાયક હોય છે. લીલા પાંદડાવાળી પત્તાંભાજી તથા તાજાં શાકભાજી લઈને ગામ ગામનાં લોકો આ હાટમાં વેચવા આવતા. થેકેરાનું શાક, ભેદાઈ લતાનું શાક, માનમુનિના શાક સમેત વાડીમાં ઊગનારા જાત જાતનાં શાક લઈ ગામજનો હાટમાં વેચવા આવતાં. માલવિકાને આવા તાજાં લીલા શાકભાજી ખૂબ ગમતાં. શાકભાજીની ખરીદી કરી લીધા પછી માલવિકાએ પોતે અહીં સુધી કેમ આવી છે તે પ્રયોજનનો ખ્યાલ આવ્યો. ગમે તે વ્યક્તિને નરેન્દ્ર સૈકિયા વિશે કેમ પૂછાય ? લોકો એનો શો અર્થ કાઢે ? હવે શું કરવું ? એવા વિચારમાં તે પડી ગઈ ત્યાં જ કોઈની બૂમ સાંભળતા એણે પાછળ જોયું, ‘મોટાબેન&#8230;. તમે અહીંયા ?’</p>
<p>પળવારમાં જ માલવિકાએ બૂમ પાડી રહેલા બંને યુવાનોને ઓળખી લીધા. ગયા વર્ષે જ જેમની લોન તેણે મંજૂર કરી હતી તે બે યુવાનો દેઉકન બોરા અને ઈંદ્ર દિહિંગિયા જ હતા. ‘પ્રધાનમંત્રી રોજગાર યોજના’ તરફથી લોન લઈને આ બે યુવાનોમાંથી એકે ચાની દુકાન માંડી હતી જ્યારે બીજા યુવાને દરજીનો ધંધો શરૂ કર્યો હતો. બંને યુવાનને જોતા માલવિકાનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો. બંને યુવાનો કૃતજ્ઞતાપૂર્વક માલવિકાને વિનંતી કરવા લાગ્યા : ‘આવો, આવો&#8230; બહેન&#8230;. તમારી મદદને લીધે જ આજે અમે બે ટંકનો રોટલો ખાઈ શકીએ છીએ. અમારી દુકાન જોવા પધારો&#8230;..’</p>
<p>બંને યુવાનની મહેનત અને લગન જોઈને માલવિકાનું હૃદય પુલકિત થઈ ઊઠ્યું. નિઃસ્વાર્થ ભાવે કોઈને મદદ કરવાથી કેવી ખુશી અને આત્મસંતોષ મળે છે તેવા ભાવ માલવિકાના મનમાં છલકાવા લાગ્યા. થોડી આડીતેડી વાતો કરીને માલવિકાએ નરેન્દ્ર વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે નરેન્દ્ર ‘નિઃશુલ્ક શિક્ષણ સેવા યોજના’ના માધ્યમથી ગરીબ બાળકોને ભણાવે છે. ગરીબ છોકરાઓને તે મફત શિક્ષણ આપે છે. નરેન્દ્રના જૂથમાં કેટલીક બહેનો ગામની યુવાન કન્યાઓને વણાટકામ શીખવાડે છે. તો કેટલાક પૌઢ અને વૃદ્ધભાઈઓ યુવાનોને નેતરમાંથી ટોપલી-ટોપી વગેરે વસ્તુઓ બનાવવાની તાલીમ આપે છે. તો કોઈ જ્યૂટનાં પૂતળાં-રમકડાં, બેગ વગેરે બનાવતાં શીખવાડે છે. નરેન્દ્ર અને તેના સાથીઓના ગ્રામ સુધારણાનાં કાર્યક્રમ વિશે જાણીને માલવિકાના આનંદનો પાર ન રહ્યો, તેણે પેલા બે યુવાનોને કહ્યું, ‘સમય મળતાં જ હું નરેન્દ્રના કામકાજને જોવા જઈશ.’ એને જે કંઈ જાણવું હતું તે તેણે જાણી લીધા પછી માલવિકને નિર્ણય લેતાં વાર ન લાગી.</p>
<p>બે દિવસ પછી પ્રધાનમંત્રી રોજગાર યોજનાથી લાભાન્વિત વ્યક્તિઓની અંતિમ સૂચી જાહેર કરવામાં આવી. આ સૂચિમાં સૌથી પહેલું નામ વાંચતાં જ માલવિકાની બેંકમાં ખળભળાટ થવા લાગ્યો. બધા એકબીજાના મોં સામું તાકવા લાગ્યા. ભૂપેન સહરીયા અને દીપેન ગાયન પોતાની જાતને રોકી ન શક્યા. તેમણે સીધું જ માલવિકાને પૂછ્યું :<br />
‘મેડમ&#8230;. આ તમે શું કર્યું ? તે દિવસે પેલો યુવક ગુસ્સામાં તમારી સામે આટલું બધું બોલી ગયો, એની લોન તમે મંજૂર કરી ?’ માલવિકા ધીમું ને મધુર હસી. એના સ્મિતમાં એટલી તો આત્મીયતા અને પ્રેમ તરવરતો હતો કે જેને ભૂપેન અને દીપેન આવાક બનીને જોઈ જ રહ્યા.<br />
‘સાંભળો, નરેન્દ્ર સૈકિયા ગુસ્સાથી કે ક્ષોભથી મને કડવા વેણ કહી શકે છે. પણ હું જ્યારે એના ગામમાં ગઈ ત્યારે તેણે કરેલા લોકકલ્યાણ, ગ્રામ સુધારાનાં કાર્ય વિશે મને સાચી હકીકત ખબર પડી. એણે મને કડવા કે આકરાં વેણ નહોતાં કહ્યાં પણ આપણી સામજિક વ્યવસ્થા પ્રત્યે આક્રોશ ઠાલવ્યો હતો. નરેન્દ્ર સૈકિયા જે સામાજિક હિતકાર્યો કરી રહ્યો છે એવું કામ આજ સુધી આપણે કરી શક્યા નથી. એટલ મેં મારા અપમાનનો આદર્શ બદલો – નોબલ રિવેંજ – લીધો છે.’</p>
<p>બંને બુદ્ધુની જેમ માલવિકા તરફ જોઈ રહ્યા. માલવિકા જે કહી રહી હતી તે એમની સમજ બહારનું છે, એવી દષ્ટિ ફેંકી તે બંને માલવિકાની કેબીનમાંથી બહાર નીકળી ગયા.</p>
<p>[કુલ પાન : 168. (પાકું પૂઠું). કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : પાર્શ્વ પબ્લિકેશન. નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-380001.]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/06/noble-revange/feed/</wfw:commentRss>
		<slash:comments>8</slash:comments>
		</item>
		<item>
		<title>પાંદડે પાંદડે રવિ – મહેશ દવે</title>
		<link>http://www.readgujarati.com/2012/02/06/pandade-ravi/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/06/pandade-ravi/#comments</comments>
		<pubDate>Mon, 06 Feb 2012 02:30:50 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[સાહિત્ય લેખ]]></category>
		<category><![CDATA[મહેશ દવે]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1889</guid>
		<description><![CDATA[[ ‘પાંદડે પાંદડે’ પુસ્તક શ્રેણીથી આપણે પરિચિત છીએ. તાજેતરમાં આ શ્રેણી અંતર્ગત કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવન-પ્રસંગ કથાઓ પરથી ‘પાંદડે પાંદડે રવિ’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427606956 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>[ ‘પાંદડે પાંદડે’ પુસ્તક શ્રેણીથી આપણે પરિચિત છીએ. તાજેતરમાં આ શ્રેણી અંતર્ગત કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવન-પ્રસંગ કથાઓ પરથી ‘પાંદડે પાંદડે રવિ’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી મહેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427606956 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]</p>
<p><strong><span style="color: #993366;"><img class="alignright size-full wp-image-1890" title="Picture 038" src="http://www.readgujarati.com/wp-content/uploads/2012/02/Picture-038.jpg" alt="" width="295" height="527" />[1] શાંતિનિકેતન – પ્રથમ દર્શન</span></strong></p>
<p>બાર વર્ષ સુધી કિશોર રવીન્દ્રને બહાર જવાનું મળ્યું નહોતું. બાર વર્ષે તેમને જનોઈ આપી. માથે મુંડન કરાવ્યું હતું તે સમયે પિતા દેવેન્દ્રનાથ હિમાલયના પ્રવાસે જવાના હતા. તેમણે રવીન્દ્રને બોલાવ્યો ને અચાનક પૂછ્યું :<br />
‘રવિ, મારી સાથે હિમાલય આવવું તને કેવુંક ગમશે ?’<br />
‘કેવુંક ?’ અરે ! એટલું બધું કે આખુંય આકાશ ભરાઈ જાય તેવો પોકાર પાડી રવીન્દ્રને કહેવાનું મન થયું : ‘ખૂબ જ ગમશે !’ બહારની દુનિયા જોવાનો ઉમંગ-ઉલ્લાસ તો હતો જ. નફામાં નિશાળ અને ટકામુંડાથી છોકરાઓની ઠેકડીથી બચવાનું. આટલું ઓછું હોય તેમ પિતાએ ઉમેર્યું : ‘રસ્તામાં થોડા દિવસ શાંતિનિકેતન રહીશું.’</p>
<p>રવીન્દ્રનાં તો ઊઘડી ગયાં. તેમના સુખનું પાત્ર છલકાઈ ઊઠ્યું. તેમનો ભાણેજ સત્યેન્દ્ર ભરમાવે એવી વાતો કહી રવીન્દ્રને ઘણી વાર બનાવતો. રવીન્દ્ર સમક્ષ સત્યેન્દ્રે શાંતિનિકેતનનું આકર્ષક ને રંગરંગીન વર્ણન કર્યું હતું :<br />
<em>‘અદ્દભુત જગ્યા છે&#8230;. જાદુઈ નગરી જેવી ! ઘરથી રસોડા સુધી જવાના</em><br />
<em> રસ્તા માથે છાપરું નથી, અને છતાં તે રસ્તે પસાર થઈએ ત્યારે</em><br />
<em> ન નડે તડકો કે ન પડે માથે વરસાદનું એકે ટીપું ! કેવો જાદુ !’</em><br />
<em> ‘ચારે તરફ વૃક્ષોની હારમાળા, આસપાસ ડાંગરનાં લીલાંછમ ખેતરો,</em><br />
<em> ઝાડ નીચે રસોઈ કરી ગોવાળિયા ને ખેડૂતના છોકરાઓ સાથે</em><br />
<em> ઉજાણી કરવાનાં મનોરમ સ્થળો !’</em></p>
<p>મુસાફરીએ પ્રયાણ કરવાનો દિવસ આવી પહોંચ્યો. રવીન્દ્રને તદ્દન નવાં સરસ કપડાં ને નવા બૂટ પહેરવા મળ્યાં. જોકે સાથેસાથે સોનેરી ભરતભરેલી મખમલની ગોળ ટોપી પણ માથે પડી. રવીન્દ્રને એ ટોપી પહેરવી જરાય ગમતી નહોતી, પણ મહર્ષિની કડક શિસ્ત હેઠળ તે ટોપી પહેરવાનું ફરજિયાત હતું. શાંતિનિકેતન માટે બોલપુર સુધી આગગાડીનો પ્રવાસ કરવાનો હતો ને ત્યાંથી પછી પાલખીમાં બેસી શાંતિનિકેતન જવાનું હતું. બોલપુર પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. રવીન્દ્ર રાતના અંધારામાં શાંતિનિકેતનનું અઘકચરું રૂપ જોવા માગતા નહોતા, ત્યાંના સુખ-સૌંદર્યનો પૂર્ણસ્વાદ તેમને બગાડવો નહોતો. તેમણે પાલખીમાં આંખો બંધ જ રાખી. ઊગતા સૂર્યના પ્રકાશમાં શાંતિનિકેતનનું પૂર્ણસૌંદર્ય સવારે જ પીવું હતું.<br />
<span id="more-1889"></span></p>
<p>સવારના પહોરમાં રવીન્દ્રે આંખો ખોલીને જોયું. પ્રભાતના સૂર્યપ્રકાશમાં શાંતિનિકેતન ઝગમગતું હતું, પણ નહોતો ત્યાં સત્યેન્દ્રે કહેલો તડકો ને વરસાદથી રક્ષાયેલો જાદુઈ રસ્તો કે નહોતી વૃક્ષોની હારમાળા; નહોતા ગોવાળિયા કે નહોતાં લીલાછમ ડાંગરનાં ખેતરો ! અહીં તો હતું સાવ ઉજ્જડ વેરાન ! રવીન્દ્રને આંચકો લાગ્યો પણ આઘાત ન થયો. જે જોયું તે તેની નીરવ શાંતિને કારણે અત્યંત સુંદર અને પ્રસન્નકર હતું.<br />
.</p>
<p><strong><span style="color: #993366;">[2] નવસખ્ય</span></strong></p>
<p>બાળ રવીન્દ્રને મોટા ભાઈ જ્યોતિરિન્દ્રનાથ પાસેથી ઘણું ઘણું શીખવા મળ્યું હતું. સાહિત્ય, સંગીત, નાટક, કલા અને કસબ, એ સર્વ મોટા ભાઈની દેણ હતી. જ્યોતિરિન્દ્રનાથનાં પત્ની કાદંબરીદેવીએ રવીન્દ્રનાથને નોખા જ પ્રકારનો ઉપહાર આપ્યો. તેમની પાસેથી રવીન્દ્રને સ્નેહની ભીનાશ, ઉષ્મા અને હૂંફનો હૃદયવૈભવ સાંપડ્યો. મોટી ઉંમરે રવીન્દ્રનાથે લખ્યું છે, ‘પ્રકાશ અને તાજી હવા જેટલી જ બાળકને સ્ત્રીઓના સ્નેહભીના લાડ-પ્યારની જરૂર હોય છે.’</p>
<p>બાળ રવીન્દ્ર નોકરોની કેદમાં ઊછરતાં હતાં. લગભગ આ જ સમયે કાદંબરી ‘બાલિકાવધૂ’ રૂપે ટાગોર કુટુંબમાં દાખલ થયાં. તે વખતે કાદંબરીની ઉંમર નવ વર્ષની. રવીન્દ્ર તેનાથી એકાદ વર્ષ નાના. નાક-નકશે કાદંબરી નમણાં ને સોહામણાં. ‘ઘઉંવર્ણા કુમળા હાથમાં સોનાના નાજુક કંકણ ધારણ કરેલી’ આ બાલિકાને સખી બનાવવાનું, તેની સાથે રમવાનું બાળ રવીન્દ્રને બહુ મન. ‘તેમનાથી થોડું અંતર રાખીને તેમની આસપાસ આંટા-ફેરા મારવાનું ગમતું.’ કાદંબરી પણ કદાચ એકલતા અનુભવતાં હશે. દેવેન્દ્રનાથ સાથે હિમાલયપ્રવાસ કરી આવ્યા પછી રવીન્દ્રને નારીવૃંદમાં પ્રવેશ મળ્યો હતો. કાદંબરીભાભી સાથે હવે બોલવા-ચાલવાનું વધ્યું હતું. રવીન્દ્રના સંકોચની દીવાલ તૂટી ગઈ હતી. ભાભીની સાથે નવસખ્ય પાંગર્યું હતું. એકબીજા વગર બેઉને ચાલતું નહીં. રવીન્દ્ર વાંચે અને કાદંબરી સાંભળે એવો સાહિત્ય-સહવાસ રચાયો હતો. કાદંબરી ફૂલ, બગીચા, પક્ષીઓ, સંગીત અને સાહિત્યનાં ચાહક હતાં. સારાં ભાવક હતાં. એમનું વાચન સમય પસાર કરવા માટે નહોતું. એ ખરા રસાનંદથી વાંચતાં. રવીન્દ્ર બંકિમચંદ્રની ધારાવાહિક નવલકથાનો હપ્તો સામાયિકમાંથી વાંચે. કાદંબરી આરામખુરશીમાં બેઠાં બેઠાં, હાથ-પંખાથી પોતે હવા ખાતાં જાય અને કથા સાંભળતાં જાય એવો તાલ થતો.</p>
<p>પોતાના પ્રિયજનને બધા બોલાવે એ નામે બોલાવવાનું રવીન્દ્રને ગમતું નહીં. તેથી તેમણે પરિચયમાં આવેલી અને સ્મરણીય બની રહેલી એના તુરખડ નામની કિશોરીને ‘નલિની’ નામ આપેલું. પાછલી ઉંમરે નાજુક-ગાઢ સંબંધમાં આવેલી યુવતી વિક્ટોરિયા ઑકામ્પોને ‘વિજયા’ નામ આપેલું, તેમ કાદંબરીને રવીન્દ્રનાથે સૌંદર્યની ગ્રીક દેવી ‘હેકટે’નું નામ આપેલું. રવીન્દ્રનાથે તેમનાં છએક જેટલાં પુસ્તકો ‘હેકટે’ને અર્પણ કર્યાં છે. ભાભીને દિયરની કવિતા અને સંગીતનો સારો સાથ હતો. રવીન્દ્રનાથનું લખેલું બધું કાદંબરી વાંચતાં. જોકે રવીન્દ્રનાથની પ્રશંસા કરવામાં સહેજ કૃપણ રહેતાં. રવીન્દ્રના કંઠ અને દેખાવની ટીકા કરતાં. એની પાછળ કંઈક અંશે દિયરને ચીડવવાનો ભાવ હતો તો કંઈક અંશે રવીન્દ્ર ચગી ન જાય તે માટેની સાવધાની હતી. દિયર-ભોજાઈનો સંબંધ રસિક અને રમતિયાળ હતો.</p>
<p>[કુલ પાન : 44. કિંમત રૂ. 35. પ્રાપ્તિસ્થાન : સ્વમાન પ્રકાશન. આલ્ફા ભવન, 12, સુહાસનગર, સેલ્સ ઈન્ડિયાની પાછળ, ઑફ આશ્રમ રોડ, દિનેશ હૉલના છેડે, સંકલ્પ રેસ્ટોરાંની સામેની ગલીમાં. અમદાવાદ-380009. મોબાઈલ : +91 9427606956. ઈ-મેઈલ : mdave.swaman@gmail.com ]</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/06/pandade-ravi/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
		</item>
		<item>
		<title>પ્રાર્થના-ગઝલ – હર્ષદ ચંદારાણા</title>
		<link>http://www.readgujarati.com/2012/02/05/prarthana-gazal/</link>
		<comments>http://www.readgujarati.com/2012/02/05/prarthana-gazal/#comments</comments>
		<pubDate>Sun, 05 Feb 2012 01:46:33 +0000</pubDate>
		<dc:creator>Editor</dc:creator>
				<category><![CDATA[ગઝલ]]></category>
		<category><![CDATA[હર્ષદ ચંદારાણા]]></category>

		<guid isPermaLink="false">http://www.readgujarati.com/?p=1887</guid>
		<description><![CDATA[સ્થિર રહું એવી મને ગતિ આપજે અનુસરે દિલને જે, પ્રભુ ! મતિ આપજે હર સ્થળે હો તારું દર્શન ને સ્મરણ- માત્ર તારામાં મને રતિ આપજે દે પ્રતીતિ એટલી, ‘સાથે તું છે’ આધિ-વ્યાધિમાં મને યતિ આપજે સ્નેહ, સમતા, ધૈર્ય, આસ્થા, સ્વસ્થતા આટલું તું, ઓ ઉમાપતિ ! આપજે ધ્યાનથી કરું ને કરાવું પ્રાર્થના- એટલું બળ, તું તારા [...]]]></description>
			<content:encoded><![CDATA[<p>સ્થિર રહું એવી મને ગતિ આપજે<br />
અનુસરે દિલને જે, પ્રભુ ! મતિ આપજે</p>
<p>હર સ્થળે હો તારું દર્શન ને સ્મરણ-<br />
માત્ર તારામાં મને રતિ આપજે</p>
<p>દે પ્રતીતિ એટલી, ‘સાથે તું છે’<br />
આધિ-વ્યાધિમાં મને યતિ આપજે</p>
<p>સ્નેહ, સમતા, ધૈર્ય, આસ્થા, સ્વસ્થતા<br />
આટલું તું, ઓ ઉમાપતિ ! આપજે</p>
<p>ધ્યાનથી કરું ને કરાવું પ્રાર્થના-<br />
એટલું બળ, તું તારા વતી આપજે</p>
<p>ના ગમે – હું આદરું તારી સ્પર્ધા<br />
ના બનું સંપૂર્ણ, કૈં ક્ષતિ આપજે</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://www.readgujarati.com/2012/02/05/prarthana-gazal/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
		</item>
	</channel>
</rss>

