રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા : 2010

readgujarati story competition

વિશ્વના વાચકોને વર્તમાન સામાજિક જીવનના પ્રવાહો પ્રમાણે વૈવિધ્યસભર ગુજરાતી સાહિત્ય મળી રહે તેમજ નવોદિત લેખકોને પોતાની કૃતિ પ્રકાશિત કરવાનું માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય તે હેતુથી પ્રતિવર્ષની જેમ રીડગુજરાતી તરફથી ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા-2010’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોની યાદી તેમજ તમામ સ્પર્ધકોએ પ્રાપ્ત કરેલ ગુણસંખ્યાના કોષ્ટક નીચે પ્રમાણે છે.

વિજેતાક્રમ વાર્તાનું શીર્ષક સર્જકનું નામ કુલગુણ (300માંથી)
 પ્રથમ પારિતોષિક  રૂપાની ઝાંઝરી  નિશિતા સાપરા, અમેરિકા 197
 પ્રથમ પારિતોષિક  એક હતો ‘અ’  અભય દેસાઈ, વડોદરા 197
 દ્વિતિય પારિતોષિક  રત્નાનો કેસ  હિરલ શાહ, યુ.કે. 185
 તૃતિય પારિતોષિક  પડઘો  સંકેત વર્મા, ભાવનગર 169

વિજેતાઓને ભેટ-પુસ્તક મોકલવા કે તેમની સાથે સંપર્ક કરવા માટેની માહિતી નીચે પ્રમાણે છે :

[1] નિશિતા સાપરા
1472 NE Carlaby Way, Apt 21
Hillsboro, OR-97124. USA
ફોન : +001 503 367 3251
ઈ-મેઈલ : nishi.dalwadi@gmail.com

[2] અભય દેસાઈ
1, ગંગોત્રી પાર્ક, નિર્માણ પાર્ક પાસે,
માંજલપુર, વડોદરા-11. ગુજરાત
મોબાઈલ : +91 9833871028
ઈ-મેઈલ : shitalabhay@hotmail.com

[3] હિરલ શાહ (સ્થાનિક સરનામું)
I/23 અક્ષત એપાર્ટમેન્ટ,
પૂજન પાર્ટી પ્લોટની સામે,
બી.ડી. રાવ હૉલની બાજુમાં,
ભૂયાંગદેવ, અમદાવાદ-380052.
મોબાઈલ : +91 9376809288
ફોન : +91 79 27470444.
ઈ-મેઈલ : hiral.shah.91@gmail.com

[4] સંકેત વર્મા
62/બી ગાંધીનગર,
વિઠ્ઠલવાડી પાછળ,
ભાવનગર-364001. ગુજરાત.
મોબાઈલ : +91 9898568213
ઈ-મેઈલ : varmasanket1987@yahoo.co.in

ક્રમ સ્પર્ધકનું નામ (વાર્તાનું શીર્ષક) ધ્રુવ ભટ્ટ રમેશ દવે ડૉ.રેણુકા પટેલ કુલ ગુણ (300માંથી)
1 હરેશ રાઠોડ, ભાવનગર (ઓછાયો) 45 52 25 122
2 મુકેશ પંડ્યા, અમદાવાદ (તિરંગો) 38 45 60 143
3 ભાવિકભાઈ મણિયાર, કોડીનાર (દિકરી મારો દિકરો) 42 35 30 107
4 અભય દેસાઈ, વડોદરા (એક હતો ‘અ’) 45 80 72 197
5 રાજેશ્વરી શુક્લ, દાહોદ (હું સુધાંશુને શું કહું ?) 45 55 49 149
6 સત્યેન મારુ, રાજકોટ (સમય) 42 55 28 125
7 અલ્કેશ પંડ્યા, ગાંધીનગર (સત્યમ) 40 35 25 100
8 પંકજકુમાર સોની, સુરત (ગોઝારાં નીર) 40 52 30 122
9 ગીતાબેન દરજી, ઉમરેઠ (અનેરી) 41 53 32 126
10 અનિરુદ્ધ આર. પટેલ, હિંમતનગર (ઘેઘૂર વડલો) 40 54 41 135
11 જતન ડી. પંડ્યા, જૂનાગઢ (પ્રેમ...એક વિશ્વાસ) 40 80 28 148
12 રવિન સંઘવી, વડોદરા (બરાબર 24 કલાક) 47 55 27 129
13 ઉષા એચ. પંચોલી, દિલ્હી (બા) 42 47 58 147
14 આલ્ફોન્સ મેકવાન, આણંદ (ઋણાનુંબંધ) 40 45 60 145
15 ઉમાકાન્ત વિ. મહેતા, ન્યુજર્સી (અમાનત) 41 45 26 112
16 પ્રીતિ હિતેશ ટેલર, વડોદરા (પો.બો. 282) 45 70 43 158
17 અશોક જાની, વડોદરા (મુદ્દામાલ) 47 55 62 164
18 ઋષિત વૈશ્નવ, જામનગર (વ્યથા) 37 20 28 085
19 હરીષ થાનકી, પોરબંદર (ઘટસ્ફોટ) 48 60 51 159
20 પ્રસાદ માહુલીકર, અમદાવાદ (લાયકાત) 37 47 46 130
21 પાયલ શાહ, મુંબઈ (ધારો કે એક સાંજ આપણે મળ્યાં....) 51 65 29 145
22 વર્ષા બારોટ, ડીસા (જોકર) 37 55 37 129
23 શ્રીદેવી ભટ્ટ, અમદાવાદ (અનુભવ) 42 45 44 131
24 ધરા ભારવી શુક્લ, મુંબઈ (અપરાજિતાનો પરાજય) 40 50 52 142
25 ચિરાગ વિઠલાણી, વડોદરા (બેટી-બેટા બચાવો) 39 45 49 133
26 કવિતા મૌર્ય, સુરત (સજ્જનતાનું મહોરું) 41 40 38 119
27 પ્રીતિ દવે, રાજકોટ (ઑનર કીલીંગ) 50 50 64 164
28 આદિત શાહ, વડોદરા (જે મારતું તે પોષતું) 49 45 56 150
29 દીપ્તિ ત્રિવેદી, અમેરિકા (બેબી, આમ કેમ ?) 41 52 65 158
30 રાજેશ રૂપારેલ, મુંબઈ (લકી... અનલકી..007) 50 55 47 152
31 અજય મોદી, અમદાવાદ (પારદર્શક કાચ) 39 45 51 135
32 ભૂષણ ઠાકર, સુરેન્દ્રનગર (સમ્રાટ રુદ્રદત્ત) 48 58 50 156
33 હિરલ શાહ, યુ.કે. (રત્નાનો કેસ) 50 55 80 185
34 જિગિશા ચૌહાણ, અમદાવાદ (પુનર્મિલન) 37 55 30 122
35 મોના લીયા, ભુજ-કચ્છ (અધકચળાયેલી દોસ્તી) 38 45 31 114
36 હેમંત ઉપાધ્યાય, અમેરિકા (મા નું મંદિર) 37 45 35 117
37 કીર્તિદા પરીખ, દુબઈ (એમટીએસ બસ 34/4) 40 60 67 167
38 રાજેશ જોશી, દુબઈ (ખોવાયેલો સૂર) 39 50 57 146
39 અંશુ એલ. જોશી, અમદાવાદ (અભિનેત્રી) 40 50 55 145
40 કલ્પેશ ભટ્ટ, સાવરકુંડલા (સ્વીટ સિક્સટીન) 51 50 36 137
41 નીરૂ વી. અનડકટ, પૂના (શાંત ઝરૂખો) 45 55 46 146
42 નિશિતા સાપરા, અમેરિકા (રૂપાની ઝાંઝરી) 62 65 70 197
43 પ્રવીણચંદ્ર શાસ્ત્રી, અમેરિકા (વિભક્તિ એ જ મુક્તિ) 40 72 56 168
44 સંકેત વર્મા, ભાવનગર (પડઘો) 42 74 53 169
45 દીપક સોલંકી, અમદાવાદ (માય ફ્રેન્ડ) 36 45 33 114
46 નંદિની કે. એસ., મુંબઈ (મિત્રદ્રોહ) 41 40 59 140
47 હાર્દિક યાજ્ઞીક, નડીયાદ (ખચ્ચાક) 36 45 47 128

પુરસ્કારની વિગતો :

એક વાચકના વિશેષ યોગદાનથી વિજેતાઓને નીચે પ્રમાણેનો પુરસ્કાર મોકલવામાં આવ્યો છે.

પ્રથમ પુરસ્કાર : રૂ. 3001

દ્વિતિય પુરસ્કાર : રૂ. 2001

તૃતિય પુરસ્કાર : રૂ. 1001


નિર્ણાયકો :

નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહન મળે તે માટે પોતાનો કિંમતી સમય આપીને "રીડગુજરાતી વાર્તાલેખન સ્પર્ધા"ની તમામ કૃતિઓની સમીક્ષાનું કાર્ય સહર્ષ સ્વીકારનાર નીચેના તમામ નિર્ણાયકોનો ખૂબ ખૂબ આભાર.

[1] રમેશ દવે
ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં આદરણીય શ્રી રમેશભાઈ દવેનું નામ જાણીતું છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી હિન્દી તેમજ ગુજરાતી એમ બંનેમાં અનુસ્નાતક (Post Graduation)ની પદવી મેળવીને 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘ગુજરાતી નવલકથામાં પાત્ર નિરૂપણ’ વિષય પર પી.એચ.ડી. કર્યું છે. વ્યવસાય ક્ષેત્રે તેઓએ શિક્ષક હોવા ઉપરાંત ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ખાતે વ્યાખ્યાતા તેમજ નિયામક તરીકે ફરજ બજાવી છે. હાલમાં તેઓ નિવૃત્ત જીવન સાથે લેખન-અનુવાદનું કામ કરી રહ્યાં છે. તેમણે અનેક નવલકથા, નવલિકા, ચરિત્રકથા, લલિત નિબંધ, વિવેચન અને ઘણાં સંપાદનો આપણને આપ્યાં છે. તેમની ‘સમજપૂર્વક’ અને ‘સંશય’ નામની નવલકથાને તેમજ ‘શબવત’ નામની પ્રસિદ્ધ નવલિકાને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. તેમણે ‘ગુર્જર લલિત નિબંધ સંચય’, ‘ગુજરાતી ટૂંકી વાર્તા કોશ’, ‘ગુજરાતી કવિતા ચયન’ જેવા અનેક સુંદર સંપાદનો કર્યા છે. ‘જળમાં લખવાં નામ’ નામની તેમની ચરિત્રકથા તેમજ ‘માનસી હે પ્રિય !’ નામના લલિત નિબંધને પણ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યાં છે.

[2] ધ્રુવ ભટ્ટ
સાહિત્યના ક્ષેત્રમાં આદરણીય ધ્રુવભાઈ ભટ્ટે ઉત્કૃષ્ટ અને ઉત્તમ સર્જનકાર્ય કર્યું છે. એસ.વાય. બી.કોમના અભ્યાસ બાદ કરમસદ ખાતે ઈજનેરી કારખાનામાં વિવિધ જવાબદારી સંભાળ્યા બાદ હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. અભ્યાસમાં ન હોય તેવા વિષયોમાં વિદ્યાર્થીઓને રસ જગાડવો, અજાણ્યા કુટુંબો સાથે રહેવું, બાળકોને નદી-દરિયાકિનારે કે ટાપુઓ પર અથવા જંગલમાં નિરુદ્દેશ રખડવા લઈ જવા તેમજ લેખન – તેઓના મુખ્ય શોખ રહ્યાં છે. તેમના મુખ્ય સર્જનમાં ‘સમુદ્રાન્તિકે’ નવલકથાને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગ્રામિણ નવલકથા તરીકે, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પ્રવાસવર્ણન તરીકે સન્માનિત કરવામાં આવી છે. આ નવલકથાનો મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ થયો છે. ‘તત્વમસિ’ નામની તેમની અન્ય એક નવલકથાને ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા તથા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા શ્રેષ્ઠ નવલકથા તરીકે સન્માનિત કરવામાં આવી છે. ઈ.સ. 2001માં લખાયેલી ‘અતરાપી’ નવલકથાને પણ ગુજરાતી સાહિત્ય અકાદમીનું સન્માન પ્રાપ્ત થયું છે. કાવ્ય અને ગીત ક્ષેત્રે પણ તેમણે ઉત્તમ કૃતિઓ આપી છે. તેમને સમગ્ર સાહિત્ય માટે સન 2005નો દર્શક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હાલમાં તેઓ ‘અકુપાર’ નામની નવલકથા લખી રહ્યા છે.

[3] ડૉ. રેણુકા એચ. પટેલ
અભ્યાસ ક્ષેત્રે ડૉ. રેણુકાબેને બી.એ., બી.સી.એ અને તે સાથે મેડિકલમાં હોમિયોપેથી કર્યું છે. તેમણે સાહિત્યક્ષેત્રે આપણને સુંદર વાર્તાઓ આપી છે. તેમની ઘણી વાર્તાઓ રીડગુજરાતીમાં પણ સ્થાન પામી છે. ‘ધોધમાર’ નામનો તેમનો વાર્તાસંગ્રહ તાજેતરમાં જ પ્રગટ થયો છે. તેમની ‘હું : આલોક જોશી’ નામની નવલિકા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. આ ઉપરાંત ‘નવનીત સમર્પણ’, ‘અખંડ આનંદ’, ‘અહા જિંદગી !’, ‘આરપાર’, ‘ઉદ્દેશ’, ‘જનકલ્યાણ’ વગેરે સામાયિકોમાં તેમની નવલિકાઓ પ્રકાશિત થતી રહે છે. તેમની વાર્તાઓમાં સ્ત્રી અને સંવેદનાનું સ્થાન હંમેશા અગ્રેસર રહ્યું છે. લાગણીના તંતુની આસપાસ જાળું રચીને વાત લખવાની તેમની હથોટી છે એમ કહેવાય.