રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા:2008ની વિગતો માટે : Click Here


આખું કિચન મારી આંખમાં – મીનાક્ષી ચંદારાણા


[‘સ્ત્રી’ સામાયિકમાંથી સાભાર. મીનાક્ષીબેન એક ખૂબ જ સારા વાર્તાકાર સાથે સુપ્રસિદ્ધ ગઝલકાર પણ છે. તેમની સુંદર કૃતિઓ અવારનવાર સાહિત્ય સામાયિકોમાં સ્થાન પામતી રહી છે. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રીમતી મીનાક્ષીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો chandaranas@gmail.com અથવા +91 9998003128 પર સંપર્ક કરી શકો છો.]

kitchenયોગ: કર્મસુ કૌશલમ | કામમાં કુશળતા એ યોગનું જ એક સ્વરૂપ છે. ગૃહિણીએ ઘર સંભાળવાનું કામ હોય છે, અને ઘરકામનો એક મોટો ભાગ એટલે રસોઈ. રસોઈમાં કુશળતા કોને કહીશું ? જાત-જાતની વાનગીઓ આવડવી, તેને ? રસોઈમાં ઝડપને ? ઘરના સભ્યોનું આરોગ્ય સાચવીને બનાવાતી રસોઈને ? કે પછી….

અમારા નીતાબહેનની વાત લો. એમની રસોઈ એટલે તમને ખાધા જ કરવાનું મન થાય ! એમાંય દાળ તો એવી બનાવે…! એમાં વળી પીરસે ત્યારે ભાત એવા સરસ ચોળીને પાવળું ઘી રેડીને… પછી એમાં દાળ રેડે… દાળ-ભાત તો શું, આંગળા પણ કરડી ખાવાનું મન થાય… ! દાળમાં લવિંગ-રાઈ-જીરું-હિંગનો વઘાર કરીને તમાલપત્ર-આમલી-ગોળી નાખીને એવી તો સરસ ઉકાળી હોય…! પણ હા, આમાંની એક પણ વસ્તુ ઘરમાં ન હોય, તો નીતાબહેનને ન ચાલે ! એમને તો એ જીવન-મરણનો સવાલ થઈને ઉભો રહે ! બાળકોને કે પછી નીતિનભાઈને તાત્કાલિક દોડાવે, જોઈતી વસ્તુ હાજર કરે, ત્યારે જ ખરા !


વધુ આગળ વાંચો »

Posted by rdgujarati on May 11th 2008 | Filed in અન્ય લેખો, અન્ય સાહિત્યકારો | Comments (5)

1760 પ્રકાશિત લેખો.
16816 કુલ પ્રતિભાવો.
સાહિત્ય વિભાગના કુલ વાચકો.
topic index

article index

article index

feedback index

donation

feedback index

આપનો અભિપ્રાય

બાળસાહિત્યની આપની પ્રિય કૃતિ ?

View Results

Loading ... Loading ...

આપણાં લગ્નગીતો – સં. રેખાબેન રાવલ


[ લગ્ન પ્રસંગમાં વિવિધ સમયે ગવાતાં આપણા પ્રાચીન લગ્નગીતોનું શ્રીમતી રેખાબેને (વડોદરા) ખૂબ સુંદર સંકલન કર્યું છે. તેમના આ સંગ્રહમાંથી આજે માણીએ કેટલાક લોકપ્રિય ગીતો. રીડગુજરાતીને આ તમામ ગીતો મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો rekhapraval@gmail.com અથવા +91 265 2463767 પર સંપર્ક કરી શકો છો.]

[ગીત-1 : ગણપતિસ્થાપન : લગ્નગીત ]

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
તારી છોટી છોટી ચાલે કામણગારા રે.
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે જોશી હાટે જઈએ
રાયજાદાના મુહૂર્ત પૂછવારે,
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે ગાંધી હાટે જઈએ
રાયજાદાના શ્રીફાળ વસાવારે,
મારા ગણેશ દૂંદાળા….

ગણેશ દૂંદાળા ગણપતિ સોળે સૂંઢાળા,
ચાલો રાય ગણપતિ આપણે માળી હાટે જઈએ
રાયજાદાના હાર ને ગજરા વસવારે,
મારા ગણેશ દૂંદાળા….


વધુ આગળ વાંચો »

બાવળ ન બની જાય ! – અવંતિકા ગુણવંત


[‘મુંબઈ સમાચાર’ માંથી સાભાર.]

‘અમે તમારા દીકરા વિશે તમારા મોટાભાઈ ભાભીને પૂછ્યું તો એમણે કહ્યું અમારે એમની સાથે ખાસ સંબંધ નથી.’ એક સજ્જન જેમના ઘેર લગ્નયોગ્ય શિક્ષિત, સોહામણી દીકરી છે તેઓ ગગનભાઈને કહી રહ્યા છે. ગગનભાઈને એમના મોટાભાઈ સાથે જરાય અણબનાવ નથી. મન ઊંચા થાય એવી પરિસ્થિતિ એમણે કદી ઊભી થવા જ નથી દીધી. જીવનના આરંભે જ્યારે એમની ખાસ કમાણી ન હતી ત્યારે સઘળી મિલકત મોટાભાઈને સોંપીને તેમણે ઘર છોડી દીધું હતું. એમની પત્ની સૂર્યા પણ એમને અનુસરી હતી.

ગગનભાઈએ મિલકત પરથી હક ઉઠાવી લીધો હતો પણ છેક સુધી માબાપને એમણે જ સાચવ્યા હતા, કૌટુંબિક વ્યવહાર કરવામાં તેઓ પૈસા અને જાતથી ઘસાતા હતા, ચૂપચાપ પોતાની ફરજ બજાવતા હતા. તેમ છતાં મોટાભાઈએ પોતાના વિશે આવું કહ્યું તેથી ગગનભાઈ વ્યથિત થઈ ગયા. તેઓ જાણે છે કે ભાભી તો પોતાને સારા બતાવવા કાયમ ગગનભાઈ અને સૂર્યાને વગોવે છે, ના હોય ત્યાંથી ખોટી વાતો ઉપજાવી કાઢે છે. પણ ભાઈ ? ભાઈએ આવો અભિપ્રાય આપ્યો ? પચીસ વર્ષથી ઘર જુદાં છે પણ મન ? મનમાંય આટલો બધો વિરોધ ? આજ સુધી ગગનભાઈ મોટાભાઈની આમન્યા જાળવતા હતા પણ આજે એમને આઘાત લાગ્યો. સૂર્યાએ આ વાત જાણી, પણ પતિનું મુખ જોઈને એ ચૂપ રહી. પતિ સાથે આ સંદર્ભે જરાય ચર્ચા ન કરી.

ગગનભાઈ વિચારે છે, મોટાભાઈ મારાથી બાર વરસ મોટા, મિલકત બધી એમના હાથમાં સોંપી છે, સામાજિક વ્યવહાર પણ એ સંભાળે છે. હા, વ્યવહારમાં થતા ખરચાનો અડધો ભાગ યાદ કરીને લઈ લે છે, છતાં બહાર તો એમ જ કહે છે, મેં બધું કર્યું, એમનું આ જૂઠાણું મારા કાને આવે છે છતાં હું સાચી વાત શું છે એ કોઈને કહેતો નથી.
મોટાભાઈના ઘેર પ્રસંગ હોય તોય અમને આવકાર નહીં, પછી હેત અને ઉમળકાની વાત જ ક્યાં કરવાની ? અરે, સૂર્યાને તો રીતસરની બાજુએ ધકેલે. કોઈ વિધિમાં સામેલ ના કરે. સૂર્યાને આ કારણે ઓછું આવી જતું. ક્યારેક બળાપો ય કરી લેતી કે મોટાભાઈ – ભાભી સારું વર્તન કરીને સારા દેખાવને બદલે આપણને ખરાબ ચીતરીને સારા દેખાવા પ્રયત્ન કરે છે. કોઈ આપણા સૌજન્ય અને શાલીનતાના વખાણ કરે તો કંઈ કેટલીય વાતો તેઓ ઉપજાવી કાઢે છે. ગગનભાઈ પત્નીને સમજાવતાં :

વધુ આગળ વાંચો »

સાચો સાધનાકાળ – મુકુલભાઈ કલાર્થી


[વડોદરામાં લેવાતી ‘ગુજરાતી શિષ્ટ વાંચન’ ની પરીક્ષાના પુસ્તક ‘યુવાનોનું જીવન ઘડતર’ (પ્રકાશન : ઈ.સ. 1985) માંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય.]

કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે કહ્યું છે કે, ‘યુવાનોએ પોતાનું જીવન સંયમશીલ બનાવવું જોઈએ. યુવાનોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.’ આવું બધું સાંભળીને યુવાનોને મનમાં થશે કે, આ તે કેવો અત્યાચાર ? આનાથી અમારું જીવન સાવ નીરસ બની જશે. રવીન્દ્રનાથ ઠાકુર આ સમજવા એક ઉદાહરણ આપે છે :

અનાજ પકવવા માટે ખેડૂત શું શું કરે છે ? ખેડૂત તીક્ષ્ણ હળ વડે જમીનને ખેડે છે. એમાં ખાતર નાખે છે, કોદાળી પાવડા વડે બધુ સરખું કરે છે. આ બધું જોઈને કોઈને થાય : ‘આ કેવો ધરતી પર અત્યાચાર ?’ પણ ખેડૂત આમ કરે, ત્યારે જ માનવ તથા પશુપંખી માટે અન્ન પેદા થાય છે. વળી ગુરુદેવ રવીન્દ્રનાથ બીજું પણ સચોટ ઉદાહરણ આપે છે. આંબા પરનો મોર ગ્રીષ્મ ઋતુનો પ્રખરમાં પ્રખર તાપ સહન કરીને જગતને મધુ મિષ્ટ આમ્રફળ આપે છે. આંબાની મંજરીએ કરેલા ઉગ્ર તપનું એ મીઠું મધુરું ફળ છે ને ?

આ જ રીતે યુવાનીમાં કરેલી જીવનસાધના યુવાનને ઘડે છે અને માનવસમાજને આશીર્વાદ રૂપ બને છે. મોરારિબાપુ પણ રામકથા પારાયણમાં આ વાત સમજાવે છે : સંતો કહે છે કે, યુવાનીમાં જ ભગવત સ્મરણ અને શ્રવણ કરવું જોઈએ. યુવાની જ ભગવાનને સમર્પિત કરવી જોઈએ. એ માટે યુવાની જાળવવા સારુ જીવનમાં છ વસ્તુને અતિરેક થવા ન દેવો.

પ્રથમ તો, અતિશય બોલવાથી યુવાનીનો નાશ થાય છે. આપણા ધર્મગ્રંથો કહે છે કે, શબ્દ એ બ્રહ્મ છે. શાસ્ત્રો કહે છે કે વીર્યપાત કરતાં પણ વાણીપાત ભયંકર છે. માટે શબ્દોને ક્યારેય વેડફી દેશો નહિ. વાણીને જેટલી સાચવશો, એટલી તમારી અને તમારા શબ્દોની શક્તિ વધશે. ભગવત સ્મરણ માટે થતો વાણીનો ઉપયોગ એ વાણીનો વ્યય નથી, એ તો વાણીનો સદુપયોગ છે. ભગવત સ્મરણ કરવાથી માણસની આંતરિક શક્તિમાં વધારો થાય છે.

વધુ આગળ વાંચો »

સાંજ ઢળે ત્યારે – મુનિકુમાર પંડ્યા


[‘અખંડ આનંદ’ : એપ્રિલ-08 માંથી સાભાર.]

સાંજ ઢળે ગેલેરીમાંથી તડકો ખસી જાય. ઑફિસેથી આવીને હું કપડાં બદલું. ચા બનાવું. પછી નિરાંતે ગેલેરીમાં બેઠોબેઠો આરામ ફરમાવું. આઠ વાગે એટલે જમવા જાઉં, ત્યાં સુધી વિદાય થઈ રહેલા દિવસની અને ધીમા પગલે પ્રવેશ કરતી રજની રાણીની લીલા નિહાળતો રહું. કૉલેજના અભ્યાસમાં આવેલા સંસ્કૃત કાવ્યખંડોના અંશો મમળાવું. કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો એને ઝાઝો સમય નથી થયો. બે મહિના થયા છે. સારા માર્કે પાસ થયો. ફર્સ્ટ કલાસ મળ્યો ને તરત નોકરી મળી ગઈ. નોકરી મેળવવા માટે મારે ઝાઝી દોડાદોડી નથી કરવી પડી.

જે શહેરમાં મને નોકરી મળી છે એ અમારા વતનથી દૂર છે. મારા માટે સાવ અજાણ્યું શહેર છે. અહીંનું આકાશ અજાણ્યું છે. અહીંની ધરતી અજાણી છે. અહીંના માણસો અજાણ્યા છે. પ્રથમ નજરે જ હું આ શહેરના પ્રેમમાં પડી ગયો. શહેરના લાંબા પહોળા રસ્તા કરોડરજ્જુ જેવી રેલિંગથી બે ભાગમાં વહેંચાય છે. માજી રાજવીનો રાજમહેલ, રાજાશાહીના જમાનાની ઊંચી ઈમારતો, જૂના દરબાર ગઢમાં આવેલી સરકારી ઑફિસો. એની ઉપરનું ટાવર – બધું કાળદેવતાની સામે અડીખમ ઊભું છે. લીમડા, આસોપાલવ, ગરમાળા જેવાં વૃક્ષોથી આચ્છાદિત રસ્તા ઉપર ચાલતી વખતે કોઈ અજબ ખુમારીનો અનુભવ થાય છે.

આ શહેરમાં જ મારે કાયમી વસવાટ કરવો છે. અહીં જ ઘરનું ઘર કરવું છે. અમસ્તીય મારી નોકરીમાં બદલીની સંભાવના ઓછી છે. હાલ તો એકલો જ છું. સુદર્શન ફલેટમાં એક રૂમ ભાડે રાખી છે. લૉજમાં જમું છું. પિતાજીના પત્રો નિયમિત આવે છે. આશીર્વાદ પાઠવે છે. મા ‘તબિયત સાચવજે’ લખાવે છે. વળી લખાવે છે – ‘તને નોકરી મળી ગઈ એટલે એક ચિંતા ટળી. તું ચોવીસ વર્ષનો થયો. હવે જલદી તારાં લગ્ન કરી નાખીએ. લોજનું ખાવાનું મટે.’ મા ભલે લોજનું ખાવાનું મટે એ કારણ બતાવે. એ ખોટું પણ નથી. એના મનમાં તો દીકરાની વહુને જોવાના કોડ છે. હું જાણું છું. પિતાજીની જેમ માના વિચારો આધુનિક છે. ‘માણસે સમા(સમય) પ્રમાણે વર્તવું જોઈએ.’ એમ તે ઘણીવાર બોલે છે. છોકરી પસંદ કરવાની મને પૂરી સ્વતંત્રતા છે. બીજી નાતની છોકરી સાથે હું લગ્ન કરું એનો માને વાંધો નથી. એ વાતની મારે નિરાંત છે. આજસુધીનો માર્ગ મારા માટે સીધો રહ્યો છે. અભ્યાસમાં એક પણ વર્ષ બગાડ્યું નથી. તરત નોકરી મળી ગઈ છે. આવા સરસ શહેરમાં વસવાનું મળ્યું છે. વિધાતા અનુકૂળ રહી છે. આગળનો માર્ગ પણ આવો જ રહેશે એમ લાગે છે.

વધુ આગળ વાંચો »

રૂપથી સ્વરૂપ સુધીની અંતરયાત્રા – મૃગેશ શાહ


ઉનાળાની ખુશનુમા સવારે બે મિત્રો બગીચામાં લટાર મારી રહ્યા છે. રમેશ આ શહેરમાં હજી ગત માસથી જ નોકરી મેળવીને સ્થાયી થયો છે, જ્યારે સુરેશ તો નાનપણથી અહીં ઊછર્યો છે. જે દિવસથી રમેશ અહીં આવ્યો છે, તે દિવસથી સુરેશ તેની પૂરેપૂરી સંભાળ રાખી રહ્યો છે. શહેરના રસ્તાઓ, સરકારી ઑફિસો, રહેવા-જમવા માટેની લોજ, અગત્યના વ્યક્તિઓ – તમામ સાથે તેનો પરિચય કરાવીને સુરેશ જાણે કે મિત્રધર્મ નિભાવી રહ્યો છે. બંનેના દિવસની શરૂઆત બગીચામાં ‘મોર્નિંગ વૉક’થી થાય છે. ફરવાનું તો એક બહાનું બની રહે છે, હકીકતે સુરેશ ‘વૉક’ લેવા આવતા કેટલાય પરિચિત મિત્રો સાથે રમેશની ઓળખાણ કરાવે છે.

રોજની જેમ આજે બંને મિત્રો નિયત સમય પ્રમાણે લટાર મારી રહ્યા છે. સામેથી એક ભાઈને આવતા જોઈને સુરેશ ઊભો રહી જાય છે.
‘રમેશ, તને ખબર છે ? આ સામે પેલા ભાઈ આવે છે તે કોણ છે ?’
‘ના, મને નથી ખબર…..’ રમેશ કુતૂહલપૂર્વક સુરેશ સામે જોઈને ઊભો રહે છે. એટલામાં એ ભાઈ નજીક આવી પહોંચે છે. સુરેશ તેમની સાથે હાથ મિલાવી વાતો કરે છે. ખૂબ અભિભૂત થઈને આદરપૂર્વક તેમના ખબર-અંતર પૂછે છે. છેલ્લે રમેશનો પરિચય આપતાં સુરેશ કહે છે :
‘સાહેબ, આ મારો બાળપણનો જીગરી દોસ્ત છે. એનું નામ રમેશ. હજી ગયા મહિનાથી જ આ શહેરમાં સ્થાયી થયો છે.’
‘નમસ્તે રમેશભાઈ….’ કહીને તેઓ રમેશ સાથે હાથ મીલાવે છે.
‘રમેશ, આ અમારી કંપનીના ચેરમેન સાહેબ છે,’ પરિચય આપતાં સુરેશ ઉમેરે છે, ‘તેમનું નામ છે આનંદશંકર મિશ્રા.’ રમેશ તેમને પગથી માથા સુધી એક ઝીણી નજરે જોઈ રહે છે, કંઈક વિચારીને સ્મિત કરે છે.
‘એકવાર તમારા મિત્રને લઈને આપણી ઑફિસે આવો…’ સુરેશને ખભે હાથ મૂકીને મિશ્રા સાહેબ ચાલતાં આગળ નીકળે છે.
‘જરૂર….’ કહીને સુરેશ રમેશને એક બાંકડા પાસે દોરી જાય છે.

રમેશ કંઈક વિચારોમાં ખોવાયેલો છે….. ચૅરમેન તે કંઈ આવા હોય ? સાવ લઘરવઘર ? નહીં માથાનું ઠેકાણું, નહીં ચહેરાનું ! અસ્તવ્યસત કપડાં ! એ તો ઠીક છે સુરેશ કહે છે કે ચેરમેન છે તો આપણે માનવું પડે, બાકી રસ્તામાં કોઈવાર મળી જાય તો મને આ માણસ ઓળખાય પણ નહિ….. ઠીક છે કંઈ બહુ પ્રભાવિત થવા જેવું નથી લાગતું…..

વધુ આગળ વાંચો »

Posted by rdgujarati on May 9th 2008 | Filed in આધ્યાત્મિક લેખો, મૃગેશ શાહ | Comments (10)

સાહિત્ય – વિનોબા ભાવે


sahitya[ સાહિત્યમાં લખાયેલી બધી બાબતો કેવળ વાચકોને જ લાગુ પડે છે તેવું નથી, સાહિત્યકારોને પણ એટલી જ લાગુ પડતી હોય છે. આજે પ્રસ્તુત છે સાહિત્યકારોને ઉપયોગી એવી કેટલીક જરૂરી બાબતો વિશેની સુંદર માહિતી ‘સાહિત્ય’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સાહિત્યકારો પાસેની અપેક્ષા ક્યારે પૂરી થાય ?

આધુનિક સાહિત્યનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ સાહિત્ય પાસેથી જે અપેક્ષા હોય તે પૂરી નથી થતી, એમ મારું માનવું છે. તેનાં કારણો તો અનેક છે, પણ તેમાં કેટલાંક મુખ્ય કારણો મને લાગ્યાં છે, તે જણાવું છું.

એક કારણ તો એ છે કે આજે મોટા ભાગના માણસોને જીવન-સંઘર્ષ (સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ) માં ટકી રહેવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, અને સાહિત્યકારોને પણ તેમાં ઘણી બધી શક્તિ ખર્ચવી પડે છે. પરિણામે, ઘણા લાચારીપૂર્વક એવાં કામ શોધી લે છે અને કરે છે, જે કામો સ્વાભાવિકપણે સાહિત્યકારોની પ્રતિભા માટે અનુકૂળ નથી હોતાં. પછી એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પડવા છતાં થોડીક બચી ગયેલી સાહિત્યની પ્રતિભાનો તેઓ લેખન-કાર્યમાં ઉપયોગ કરી લે છે. આમ, આજની પરિસ્થિતિ એક બહુ મોટું કારણ છે.

બીજી વાત એ કે જમાનો ક્યાં જઈ રહ્યો છે, ક્યાં જવો જોઈએ, તેનું કોઈ ખાસ ભાન હોય, એવું મોટા ભાગના સાહિત્યકારોમાં આજે દેખાતું નથી. તેઓ તો આનાથી ઊલટી દિશામાં જ જઈ રહ્યા હોય, એમ લાગે છે. પોતાની આસપાસ જે નાની-મોટી સમસ્યાઓ છે અને જે નાનાં-મોટાં સુખ-દુ:ખ દેખાય છે, તેમાં સાહિત્યકારો ગૂંચવાઈ જાય છે, અને તેને લીધે પેલી પારનું દર્શન એમને નથી થતું. એમનામાં કરુણા પણ હોય છે, પરંતુ તેનું ઊંડાણ બહુ ઓછું હોય છે. કેટલાક સાહિત્યકારો મજૂરોના પગાર વધે, તેટલામાં જ પોતાની કરુણા સમાપ્ત કરી લે છે. કેટલાકની કુટુંબનિયોજન જેવાં કામોમાં જ સમાપ્ત થઈ જાય છે. કવિ-હૃદય માટે કરુણા, સહાનુભૂતિ વગેરેની વૃત્તિ બહુ જ જરૂરી હોય છે, પરંતુ તે આટલામાં જ સીમિત થઈ જાય તો એનું ચિત્ત નાના કુંડાળામાં જ કેદ થઈ જાય છે, અને વ્યાપકપણે તેમ જ સમગ્રપણે વિચારી શકતું નથી.

વધુ આગળ વાંચો »

Posted by rdgujarati on May 8th 2008 | Filed in વિનોબા ભાવે, સાહિત્ય લેખો | Comments (5)

પત્નીને ઘરકામમાં મદદ કરવા વિશે – રતિલાલ બોરીસાગર


[ગત વર્ષે લેખક શ્રી પ્રદ્યુમનભાઈનો ‘ઘરકામમાં મદદ કરો’ હાસ્યલેખ આપણે માણ્યો હતો. કંઈક તેવા જ પ્રકારનો સુંદર હાસ્યલેખ શ્રી રતિલાલભાઈના પ્રસિદ્ધ પુસ્તક ‘મરક મરક’ (ઈ.સ. 1977)માંથી આજે અહીં સાભાર પ્રકાશિત કરવામાં આવ્યો છે. ]

‘આ અન્તુભાઈ લીલીબહેનને ઘરકામમાં કેટલી મદદ કરે છે ને તમારે તો બસ હુકમ જ કરવાના કે આ લાવો ને તે લાવો…! તમે અમારો કદી વિચાર કરો છો ખરા ?’
‘આ અરવિંદભાઈ દિવાળીના દિવસોમાં ઘરની સાફસૂફીમાં પુષ્પાબહેનને કેટલી મદદ કરે છે ને તમે ઘેર હો ત્યારે ઊલટા બે કામ વધારો.’
‘આ મહેશભાઈ બંને બેબીઓને સાચવે છે એટલે હસુબહેન કેવાં નિરાંતે કામ કરી શકે છે ને તમે તો છોકરો રોઈ રોઈને અર્ધો થઈ જાય તોય ચોપડી હાથમાંથી મૂકવાના જ નહીં.’
‘આ….’

આવાં ‘આ..’ થી શરૂ થતાં વાક્યો લગ્નજીવનના દોઢ દાયકામાં મેં અનેક વાર સાંભળ્યાં છે. ‘તારે આ બધાના દાખલા લેવાના ન હોય. ઊલટું એ બધા પતિઓએ મારો દાખલો લેવાનો હોય, પણ આજકાલ પતિઓમાં એટલી હિંમત ક્યાં રહી છે ?’ આવું હું મારી પત્નીને સમજાવવાની કોશિશ કરું છું પણ એને ગળે ઊતરતું નથી.

પતિઓએ પત્નીને ઘરકામમાં શા માટે મદદ કરવી જોઈએ એ જ મને તો સમજાતું નથી. પત્નીને ખરેખર મદદની જરૂર હોય જ તો એની સંમતિથી હું બીજી પત્ની લાવવા જરૂર તૈયાર થાઉં – એક વાર આડકતરી રીતે મેં આવું સૂચનેય કરેલું, પણ પત્નીને તો એને પરણીને આપણે ઓછી આફત વહોરી હોય તેમ ઘરકામની એક વિશેષ અથવા તો આનુષંગિક આફત આપણને ઓઢાડવામાં જ વિશેષ રસ હોય છે. આપણી સંસ્કૃતિમાં ‘गृहिणि गृहं उच्यते ।’ એમ કહેવાયું છે, સ્ત્રીઓ પણ આ વાક્યથી ગૌરવ અનુભવતી આવી છે. જો આમ જ હોય તો પછી ગૃહસ્થને શા માટે ગૃહકાર્યમાં જોતરવાનો આગ્રહ રખાય છે તે મને સમજાતું નથી. આપણા ઋષિ-મુનિઓ બેઠાંબેઠાં તપ કરતા હતા, અધ્યાપનકાર્ય કરતા હતા, પણ કોઈ ઋષિ ઋષિપત્નીને ઘરકામમાં મદદ કરતા હોય એવું સાંભળ્યું નથી. ફલાણા ઋષિ સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકતા હતા કે ફલાણા ઋષિ સારી સંજવારી કાઢી શકતા હતા તેવાં વર્ણનો ક્યાંય વાંચવામાં આવ્યાં નથી. તો પછી હું પણ અધ્યયન-અધ્યાપનમાં લીન રહું છું અને છતાં ઋષિકોટિના મારા જીવનની કદર કરવાને બદલે હું મધ્યયુગીન માનસ ધરાવતો પતિ છું એમ કહી મારી નિંદા કરવામાં આવે એ ખરે જ મને અન્યાયકર્તા છે. શ્રી રામે સીતાને રસોઈમાં મદદ કરી હોય કે શ્રીકૃષ્ણે દિવાળીના દિવસોમાં સત્યભામાને જાળાં પાડવામાં મદદ કરી હોય તેવું રામાયણ કે મહાભારતમાં ક્યાંય આવતું નથી. ઘરકામમાં સહેજ પણ મદદ કર્યા સિવાય એ લોકો આદર્શ પતિ તરીકે ખ્યાતિ પામ્યા ને ઘરકામમાં મદદ ન કરવા માટે હું વગોવાઉં એમાં કોઈ રીતે ન્યાય રહેલો નથી.

વધુ આગળ વાંચો »

પિતા-પુત્રી – ભૂપત વડોદરિયા


દહેરાદૂનની શાળામાં નીતાને પ્રવેશ મળી ગયો છે એવા ખબર મેં ઑફિસેથી આવીને એને આપ્યા ત્યારે એ નાચી ઊઠી. તેનો આટલો બધો ઉત્સાહ જોઈને એની માતાએ કહ્યું : ‘જનારની સાથે જવું અને આવનારની સાથે આવવું એ તારી આદત છે પણ આ વખતે તમે બાપ અને દીકરી બંને ચોક્કસ પસ્તાવાના છો. દહેરાદૂન સિવાય શું બીજે ક્યાંય સારું શિક્ષણ જ નથી મળતું ?’
નીતા કૂદી પડી : ‘મમ્મી, તમે અમદાવાદમાં ભણ્યાં એટલે તમારું શિક્ષણ ઘણું કાચું રહી ગયું છે.’
મેં હસીને નીતાને કહ્યું : ‘તારી મમ્મીએ અમદાવાદમાં જે શિક્ષણ લીધું છે તે એટલું પાકું છે કે કેટલીક વાર મારું શિક્ષણ મને કાચું લાગે છે !’

નીતાની મમ્મીની પાંપણ પાછળ તરત છલકાઈ ઊઠવા માટે બે નાનકડી તળાવડીઓ તૈયાર જ રહેતી. અરુણાની આંખમાં આંસુ જોઈને નીતાએ તરત જ પોતાનો પાઠ બદલી નાંખ્યો : ‘મમ્મી, નો પ્લીઝ નો ! તું રડે તો તને મારા સોગંદ ! મારે દહેરાદૂન ભણવા નથી જવું ! બસ, હું અહીં જ ભણીશ !’
અરુણા : ‘હું એવું ક્યાં કહું છું ? પણ તું અને તારા પપ્પા મારી વાત આવે એટલે સંપી જ જવાનાં !’ પછી મારા તરફ તાકીને અરુણાએ પૂછ્યું : ‘સાચું કહોને, હું તમને બહુ પાકી લાગું છું ? મેં શું કર્યું છે કે તમે જ્યારે વાત નીકળે ત્યારે મને પાકી, પેક, મીંઢી એવાં વિશેષણોથી નવાજો છો ?’
હવે માફી માગવાનો વારો મારો હતો. મેં હસીને કહ્યું : ‘ના, ના, હું તો અમસ્તો કહું છું. તું તો કોઈ વાત હળવી રીતે લઈ શકતી જ નથી. આ તો ખાલી મશ્કરી છે. હવે તો તું કહે તો જ નીતાને દહેરાદૂન મોકલીએ !’
અરુણા : ‘હવે બે હજાર રૂપિયા ફીના ભરી દીધા, એડમિશન મળી ગયું પછી એ વાત વિચારવાની જ ક્યાં રહી ! હું તો એટલું જ કહું છું કે જવું હોય તો જા પણ ત્યાં બસ લીલાલહેર જ કરવાની છે તેવું સમજીશ નહીં !’
નીતા : ‘અરે મમ્મી, ત્યાં લીલાલહેર છે તેવું કોણે કહ્યું ! ત્યાં તો જાલિમ ઠંડી છે. ગરમ કપડાં પહેરી પહેરીને હું તો થાકી જવાની ! વળી હૉસ્ટેલની જિંદગી પણ ભારે આકરી છે. ત્યાં હું બધી તપાસ કરી લાવી છું !’

વધુ આગળ વાંચો »

ટાબરિયાં ક્રિકેટ સંહિતા ! – મન્નુ શેખચલ્લી


[ ‘હવામાં નાકાબંધી’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ] nakabandhi

[ મિત્રો ! ઊનાળુ વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે. સચીનો, ધોનીઓ અને ગાંગુલીઓ તો હમણાં ક્રિકેટ રમતા થયા. એ પહેલાં વરસોથી ઈન્ડિયાની ગલી-ગલીમાં રમાતા આવેલા ટાબરિયાં ક્રિકેટના કાનૂનો સાવ અનોખા છે. પ્રસ્તુત છે સર્વપ્રથમ અને સંપૂર્ણ…. ટાબરિયાં ક્રિકેટ સંહિતા ! ]

સહેવાગો અને સંગક્કારઓ તથા હૂપરો અને હરભજનો ભલે ટીવીમાં થર્ડ અમ્પાયરના ઍકશન રિપ્લે પછી આઉટ કે નોટ આઉટ થતા હોય, ભલે ડકવર્થ-બેવિસના વિચિત્ર નિયમોને કારણે બીજો દાવ લેનાર ટીમને લમણે હંમેશાં હાર જ લખાઈને આવે… અહીં ભારતમાં વરસોથી શેરીઓમાં રમાતા ટાબરિયાં ક્રિકેટ ઉર્ફે શેરી ક્રિકેટના નિયમોને કોઈ ન પહોંચે ! આવો, આ ખેલનો ટૂંકમાં પરિચય મેળવીએ.

વ્યાખ્યા :

શેરીક્રિકેટની વ્યાખ્યા સાવ સરળ છે. શેરીમાં, ગલીમાં, પોળમાં, ચકલે, ચાર રસ્તે, ડામર રોડ પર, ધાબા ઉપર, કમ્પાઉન્ડમાં કે ઘરના ડ્રોઈંગ રૂમમાં… ટૂંકમાં મેદાન સિવાયની બીજી કોઈ પણ જગ્યાએ રમાતા ક્રિકેટને શેરી ક્રિકેટ કહેવામાં આવે છે. જ્યારે આ શેરી ક્રિકેટ ટાબરિયાં રમતાં હોય ત્યારે તેને ટાબરિયાં ક્રિકેટ કહેવામાં આવે છે. આ રમતના ખેલાડીઓ વન-ડે ને વન્ડે કહે છે. પરંતુ વન્ડે ક્રિકેટ ખરેખર તો ‘વન્ડે’ એટલે કે વડા પાસે રમાતા ક્રિકેટને જ કહેવાય છે.

સાધનો :

સાધનોમાં સૌથી પહેલાં આવશે બૅટ. તો બૅટ ત્રણ કક્ષાનાં હોય છે : પ્રાથમિક કક્ષા, ઈન્ટર-મિડિયેટ કક્ષા અને ફાઈનલ કક્ષા.

(1) પ્રાથમિક કક્ષાનું બૅટ :
નિશાળની નોટબુક, ચોપડીનું પૂંઠું, નાની અથવા મોટી ફૂટપટ્ટી, કંપાસ કે વૉટરબેગથી માંડીને દફતર, રાઈટિંગ પેડ, ટેબલ-ટેનિસનું રેકેટ તથા બેડમિંટનનું બેબી સાઈઝ રેકેટ જેવાં તમામ સાધનોની ગણતરી પ્રાથમિક કક્ષના બૅટમાં કરવામાં આવે છે.

(2) ઈન્ટર-મિડિયેટ કક્ષાનું બૅટ :
આ કક્ષાના બૅટમાં પ્લાસ્ટિકનું બનેલું રમકડાનું બૅટ તથા પ્લાસ્ટિકની હોકીનો સમાવેશ થાય છે. ઈન્ટરમિડિયેટ કક્ષાના બૅટ વડે રમવામાં નિપુણતા મળે ત્યારબાદ જ ટાબરિયાંને ફાઈનલ કક્ષાનું બૅટ વાપરવા મળે છે. સીધેસીધું ફાઈનલ કક્ષાનું બૅટ વાપરવા જતાં ઘણાં ટાબરિયાં બૅટના ભાર હેઠળ કચડાઈ ગયાના દાખલા નોંધાયા છે.

વધુ આગળ વાંચો »

Next »