હરીશ નાગ્રેચાના વાર્તાસંગ્રહનું લોકાર્પણ


જાણીતા વાર્તાકાર – નાટ્યકાર હરીશ નાગ્રેચાના નવા વાર્તાસંગ્રહ ‘એક ક્ષણનો ઉન્માદ’નો લોકાર્પણ વિધિ શનિવાર. તા 28 મી જૂન, 2008ની સાંજે 7.30 વાગ્યે ભવન્સ કેમ્પ્સ અંધેરી (પશ્ચિમ)ના એસ.પી.જે.આઈ.એમ.આર. ઓડિટોરિયમ ખાતે, ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરીને ઉપક્રમે યોજાયો છે. વિખ્યાત વાર્તાલેખિકા હિમાંશી શેલતને હસ્તે લોકાર્પણ સંપન્ન થશે. દીપક દોશી, હરીશભાઈની વાર્તાઓ વિષે બોલશે. લલિતવર્મા કાર્યક્રમનું સંચાલન કરશે. આ પ્રસંગે હરીશ નાગ્રેચા લિખિત બે એકાંકીઓ ‘કરવા શું બેઠી છે આ છોકરી ?’ અને ‘ફોર અ કપ ઑફ કોફી’ ની ભજવણી થશે.

Posted by rdgujarati on Jun 28th 2008 | Filed in સમાચાર | Comments (0)

Donate to ReadGujarati

સમાચાર વિભાગના વાચકો.

ભાવનગરમાં યોજાયેલ રવીન્દ્ર જન્મજયંતિ વંદના


તા. 9 મી મે ના રોજ ગુજરાત સાહિત્ય કલા-ભાવનગરના ઉપક્રમે યોજાયેલ ‘રવીન્દ્ર જન્મજયંતિ વંદના’ કાર્યક્રમ અંતર્ગત મુરલીબહેન મેઘાણીએ ‘રવીન્દ્રવીણા’ માંથી ગીતો રજૂ કર્યાં હતાં. આ પ્રસંગે સુબોધ મહેતાએ અને ડૉ. પથિક પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. પ્રેમશંકર ભટ્ટે કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રહલાદ પારેખ સાથેનાં શાંતિનિકેતન નિવાસનાં સંભારણાં રજૂ કર્યાં હતાં. ઉપરાંત બુધ સભાના અને અન્ય કવિઓએ ટાગોરની રચનાઓ રજૂ કરી હતી. સંચાલન શાયર મીરા આસીફે કર્યું હતું.

Posted by rdgujarati on Jun 28th 2008 | Filed in સમાચાર | Comments (0)

બાલસાહિત્ય અકાદમી દ્વારા બાલસાહિત્ય આવકાર સમારંભ


તા. 26મી એપ્રિલના રોજ શેઠ મા. જે. પુસ્તકાલયમાં મા. જે. પુસ્તકાલયના સહયોગથી બાલસાહિત્ય અકાદમી દ્વારા બાલસાહિત્ય આવકાર સમારંભ યોજાયો હતો, જેમાં હુંદરાજ બલવાણીએ ‘છત્રીસ નંબરની બસ’ વિશે; મણિલાલ શ્રીમાળીએ ‘ડોલતાં ફૂલડાં’ વિશે અને નરેન્દ્ર પંડ્યાએ ‘વનરાજના વતનમાં’ પુસ્તકો વિશે વાત કરી હતી. અધ્યક્ષસ્થાનેથી રતિલાલ નાયકે સમાપન વક્તવ્ય આપ્યું હતું. પ્રારંભમાં ગ્રંથપાલ શાંતિભાઈ પટેલે આવકાર પ્રવચન કર્યું હતું. બાલસાહિત્ય અકાદમીના કન્વીનર યશવંત મહેતાએ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. સંચાલન પણ તેમણે જ કર્યું હતું. બાલસાહિત્ય અકાદમીના સહ કન્વીનર મુકુન્દભાઈ શાહે આભારદર્શન કર્યું હતું.

Posted by rdgujarati on Jun 28th 2008 | Filed in સમાચાર | Comments (0)

જૂનાગઢમાં ‘ગઝલ શ્રાવણી’ અંતર્ગત વિશેષ કાર્યક્રમ


વતનપરસ્ત રાજવી દરબાર જનાબ ‘રુસ્વા મઝલૂમી’ પાજોદ દરબાર સાહેબની યાદમાં ગરવા ગિરનારની દિવ્યશ્રી રૂપાયતનની રૂપાળી વનશ્રી અને વરસાદી વાતાવરણમાં માતૃભાષાનાં સુપ્રસિદ્ધ કવિઓની સ્વરચિત ગઝલની અભિવ્યક્તિ. ગઝલકારો : શ્રી આદિલ મન્સુરી, ચિનુ મોદી, શોભિત દેસાઈ અને ગોવિંદ ગઢવી ‘સ્મિત’. પ્રાસંગિક વક્તવ્ય આપશે શ્રી પ્રફુલ્લ નાણાવટી અને સંચાલન કરશે હેમંત નાણાવટી. સ્મરણાંજલી રૂપે ‘મારોય એક જમાનો હતો’ ‘રુસ્વા મઝ્લૂમી’ ની જીવન કિતાબની દ્રશ્ય શ્રાવ્ય રજૂઆત.

આ ગૌરવશાળી સાહિત્યિક અવસરમાં આપ સર્વને સપરિવાર સાહિત્યરસિક મિત્રો સાથે પધારવા હાર્દિક નિમંત્રણ છે.

કાર્યક્રમ : તા. 22-06-2008, રવિવાર

સમય : સાંજના 5.30 થી 8.00

સ્થળ : રૂપાયતન પરિસર, ગિરિ તળેટી, ભવનાથ, જૂનાગઢ.

Posted by rdgujarati on Jun 21st 2008 | Filed in સમાચાર | Comments (0)

‘સાહિત્ય સંસદ’ દ્વારા સાહિત્યિક નિબંધ સ્પર્ધા


સાહિત્ય સંસદ સાન્તાક્રુઝ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં સંશોધનાત્મક લેખનને ઉત્તેજન આપવા માટે એક વિશિષ્ટ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભાગ લેવાનું સૌ સાહિત્યપ્રેમી ભાઈબહેનોને આમંત્રણ છે.

સ્પર્ધાની શરતો આ પ્રમાણે છે.

[1] ગુજરાતી સાહિત્યના પ્રવાહો, સાહિત્ય પ્રકારો, કર્તાઓ, કૃતિઓ, સમયખંડ, વિવિધ બોલીઓ, અન્ય સાહિત્યની ગુજરાતી સાહિત્ય પર અસર ઈત્યાદિ વિષયોમાંથી કોઈ પણ એક વિશે સંશોધનાત્મક અભ્યાસ પર આધારિત નિબંધ મોકલી શકાશે.

[2] નિબંધ ગુજરાતી ભાષામાં અને ત્રણ હજારથી પાંચ હજાર શબ્દોની લંબાઈનો હોવો જોઈએ. તે અપ્રસિદ્ધ, મૌલિક અને ટાઈપ કરેલો હોય તે પણ જરૂરી છે.

[3] નિબંધ એમ. ફીલ. પી.એચ.ડી ઉપાધી માટે લખાયેલા મહાનિબંધના ભાગરૂપે ન હોવો જોઈએ.

[4] લેખકે પોતાનું નામ, સરનામું, સંપર્ક અને પરિચય વગેરે વિગતો જુદા કાગળમાં લખી મોકલવી. લેખ પર કે લેખની અંદર લેખકનું નામ ન હોવું જોઈએ. આ સાથે લેખકે પોતાનો લેખ મૌલિક, અપ્રગટ અને અન્ય કોઈ રજુઆતના ભાગરૂપ નથી તેવું પ્રતિજ્ઞાપત્ર સહી કરી મોકલવાનું રહેશે.

[5] નિર્ણાયકોનો નિર્ણય બધા સ્પર્ધકોને માન્ય રહેશે તથા તે અંગે વિરોધ કે ચર્ચા આવકાર્ય નથી.

[6] પહેલું ઈનામ : 5000, બીજું ઈનામ 3000 તથા ત્રીજું ઈનામ 2000 આપવામાં આવશે.

નિબંધ મોકલવાની અંતિમ તારીખ 31-8-2008 છે. ત્યાર પછી મળેલાં નિબંધો સ્વીકારવામાં આવશે નહીં. નિબંધ મોકલવાનું સરનામું નીચે પ્રમાણે છે.

‘સાહિત્ય સંસદ સાન્તાક્રુઝ’
પ્રમુખ : કનુભાઈ સૂચક.
3-વિવેક, 185, એસ.વી. રોડ. વિલેપાર્લે (પશ્ચિમ), મુંબઈ-400056. સંપર્ક : 09870007371./ 022 2671 0808.
ઈમેઈલ :
kanubhai@hotmail.com અથવા kanubhai.suchak@gmail.com
(ઈમેઈલથી મોકલેલા નિબંધો સાથે વાપરેલાં ફોન્ટનું સોફટવેર એટેચ કરવું જરૂરી છે.)

 

Posted by rdgujarati on Jun 13th 2008 | Filed in સમાચાર | Comments (0)

મુંબઈ સમાચાર અને ગુજરાતી સમાજ દ્વારા નિબંધસ્પર્ધા


[’મુંબઈ સમાચારતા. 1-જૂન-2008 માંથી સાભાર.]

આગામી 10 વર્ષ પછી ગુજરાતી ભાષાનું ભવિષ્ય શું હશે ગુજરાતી ભાષાને
બચાવવા અત્યારથી શું કરવું જોઈએ ? આપણે અત્યારથી નહીં જાગીએ તો પછી
પસ્તાવું પડશે. એટલે મુંબઈ સમાચાર‘ (દૈનિક) અને બૃહદ મુંબઈ ગુજરાતી
સમાજે‘, ‘ગુજરાતી ભાષાનું ભવિષ્યએ વિષય પર એક અનોખી નિબંધ સ્પર્ધા યોજી
છે‘, એમ સમાજના પ્રમુખ હેમરાજ શાહે જણાવ્યું છે.

આ નિબંધ સ્પર્ધામાં ભારતભરના કોઈ પણ ગુજરાતી ભાઈ-બહેન, આ વિષય પર ચાર
થી છ ફૂલસ્કેપ પેપર, એક બાજુ સારા અક્ષરે પોતાના મૌલિક વિચારો, પોતાના
નામ-સરનામા - ફોન નંબર - ફોટોગ્રાફ સાથે તા. 30 જુલાઈ 2008 સુધીમાં
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ,
રેખા પ્રકાશન,
41
કરેલ વાડી, ઠાકુરદ્વાર, મુંબઈ-400002

અથવા

તંત્રીશ્રી, મુંબઈ સમાચાર  (દૈનિક)
પારસી બઝાર સ્ટ્રીટ,
ફોર્ટ, મુંબઈ-400001 પર મોકલવા વિનંતી કરાઈ છે. નિબંધ સ્પર્ધામાં ભાગ
લેનારે કવર પર ગુજરાતી ભાષાનું ભવિષ્યનિબંધ સ્પર્ધા લખવું જરૂરી છે.

આ અનોખી નિબંધ સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ. 21,000  દ્વિતીય વિજેતાને
રૂ, 11,000 તૃતીય વિજેતાને  રૂ. 7,000 અને ચતુર્થ વિજેતાને રૂ. 5000નો ચેક
સમાજ તરફથી મોકલવામાં આવશે. આ ઉપરાંત રૂ. 1000ના સાત આશ્વાસન ઈનામો પણ
આપવામાં આવશે. કુલ 11 વિજેતાઓને રૂ. 51 હજારના ઈનામો અપાશે. પ્રથમ ચાર
વિજેતાઓના નિબંધ ક્રમશ: મુંબઈ સમાચારમાં છપાશે. પસંદગી સમિતિનો નિર્ણય
આખરી ગણાશે અને તે દરેક સ્પર્ધકને બંધનકર્તા રહેશે. આ સ્પર્ધાનો નિર્ણય
દશેરાના શુભદિને મુંબઈ સમાચારમાં છપાશે. તો ઉઠાવો કલમ અને બતાવો આપનો
માતૃભાષા પ્રેમ.

[તંત્રી નોંધ :
વિદેશમાં રહેતા ગુજરાતીઓ આ સ્પધામાં ભાગ લઈ શકે કે કેમ તેની માહિતી
પ્રસ્તુત સમાચારમાં આપવામાં આવી નથી. તે માટે આપ મુંબઈ સમાચારનો સંપર્ક
કરીને (ફોન : +91 22 22045531 અથવા +91 22 22045533 અથવા samachar.bombay@gmail.com ) પૂછી શકો છો.]

Posted by rdgujarati on Jun 2nd 2008 | Filed in સમાચાર | Comments (0)

ગુજરાત સરકાર દ્વારા કાવ્ય સ્પર્ધાનું આયોજન


ગુજરાત રાજ્ય સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવણી – 2010 પ્રસંગે ગુજરાતનું ગૌરવ-ગાન કરતી કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાવ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય કૃતિઓને રાજ્ય સરકાર તરફથી પુરસ્કૃત કરવામાં આવશે. ગુજરાતનું ગૌરવ ગાન કરતાં કાવ્યો તા. 31-મે-2008 સુધીમાં માહિતી કમિશનરની કચેરી, બ્લોક નં : 7/2, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર – 382010 ને મળી જાય એમ મોકલવાના રહેશે. કાવ્યો ફૂલસ્કેપ કાગળ પર એક જ બાજુએ લખેલા હોવા જોઈશે અને પરબીડિયા પર ‘ગુજરાત ગૌરવ-ગાન કાવ્ય સ્પર્ધા માટે’ લખવાનું રહેશે. પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર કે ઈ-મેઈલથી મોકલવામાં આવેલાં કાવ્યો માન્ય ગણાશે નહીં. કાવ્ય ગુજરાતી ભાષામાં વધુમાં વધુ 20 પંક્તિ-લાઈનમાં લખેલું હોવું જોઈશે. ગુજરાત કે ગુજરાત બહાર અન્યત્ર વસતી કોઈપણ ગુજરાતી વ્યક્તિ આ કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રાજ્ય સરકાર દ્વારા નીમવામાં આવેલી કમિટીના નિર્ણાયકશ્રીઓનો પુરસ્કાર અંગેનો નિર્ણય તમામ સ્પર્ધકો માટે બંધનકર્તા અને આખરી ગણવાનો રહેશે.

Posted by rdgujarati on May 16th 2008 | Filed in સમાચાર | Comments (0)

ગઝલકારોને અપાશે ‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ


તા. 18મી મે, 2008 ના રોજ સાંજે 6:00 કલાકે ભાઈકાકા હૉલ, લૉ ગાર્ડન પાસે, અમદાવાદ ખાતે ગુજરાતના જાણીતા અને લોકપ્રિય ગઝલકાર સર્વશ્રી ‘જલન માતરી’ ને વર્ષ 2007નો તથા ‘આદિલ’ મન્સૂરીને વર્ષ 2008નો ‘વલી’ ગુજરાતી એવોર્ડ અર્પણ કરવામાં આવનાર છે. આ સમારંભ ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના માનનીય મંત્રીશ્રી ફકીરભાઈ વાઘેલાના વરદહસ્તે યોજવામાં આવેલ છે. આ પ્રસંગે ડૉ. ચિનુ મોદી બંને ગઝલકારોના ગઝલક્ષેત્રે પ્રદાન વિશે વક્તવ્ય આપશે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અંકિત ત્રિવેદી કરશે. આભારદર્શન વિધિ ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી કિરીટભાઈ દૂધાત સંભાળશે. આ ગૌરવપૂર્ણ પ્રસંગે આપ સૌને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.

Posted by rdgujarati on May 16th 2008 | Filed in સમાચાર | Comments (0)

દૂરદર્શનપરથી યુવા કવિસંમેલનનું પ્રસારણ થશે


તા. 16મી મે, 2008 ના રોજ સવારે 10.30 કલાકે દૂરદર્શનની ડીડી-11 ચેનલ પરથી યુવા કવિસંમેલનનું પ્રસારણ થશે જેમાં શ્રી શૈલેષ પંડ્યા ‘ભીનાશ’, શ્રી અનિલ ચાવડા, શ્રી ચંદ્રેશ મકવાણા, શ્રી ભાવેશ ભટ્ટ અને શ્રી અશોક ચાવડા ભાગ લેશે. કાર્યક્રમનું સંચાલન શ્રી અશોકભાઈ ચાવડા કરશે. સૌ શ્રોતામિત્રોને કાર્યક્રમ માણવા નમ્ર વિનંતી.

Posted by rdgujarati on May 14th 2008 | Filed in સમાચાર | Comments (0)

સાહિત્ય પરિષદ તરફથી અપાનારાં પારિતોષિકો


ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી સન 2006 અને 2007 માં પ્રકાશિત પ્રથમ આવૃત્તિવાળાં પુસ્તકોને વિવિધ પારિતોષિકો આપવામાં આવનાર છે. આ માટે સર્જકો-પ્રકાશકોએ તા. 30મી મે, 2008 સુધીમાં પુસ્તકની બે નકલો મોકલવાની રહેશે. વધુ વિગતો માટે ‘પરબ’ નો માર્ચ 2008નો અંક જોવો.

Posted by rdgujarati on May 8th 2008 | Filed in સમાચાર | Comments (0)

- Next »