Mar 22
2009

મહુવા ખાતે યોજાનાર ‘અસ્મિતાપર્વ-12’નો સમગ્ર કાર્યક્રમ

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | Comments Off

મોરારિબાપુના સાન્નિધ્યમાં મહુવા ખાતે પ્રતિવર્ષ નિયમિતરૂપે યોજાતા સાહિત્યના મહાકુંભરૂપી અસ્મિતાપર્વનું આ 12મું વર્ષ છે. ચાલુ વર્ષે તા.06 એપ્રિલ થી 09 એપ્રિલ, 2009 (સોમથી ગુરુ) શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેની વિસ્તૃત વિગતો નીચે પ્રમાણે છે : (સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘આસ્થા’ ટી.વી. ચેનલ પર થશે.)

પ્રથમ દિવસ : તા. 06-04-2009, સોમવાર

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-1

વિષય : વાર્તાના વૈતાલિકો

સમય : સવારે 09:00 થી 12:00

સંચાલન : અજિત ઠાકોર

[1] જયંત ખત્રી : વીનેશ અંતાણી

[2] સઆદત હસન મન્ટો : મહેન્દ્રસિંહ પરમાર

[3] ચેખોવ : સુમન શાહ

કાર્યક્રમ : સાહિત્ય સંગોષ્ઠિ-2

વિષય : કવિકર્મપ્રતિષ્ઠા અને કાવ્યપાઠ

સમય : સાંજે 3:30 થી 6:00

સંચાલન : હરિશ્ચન્દ્ર જોશી

[1] અનિલ જોશીની કવિતા : હર્ષદ ત્રિવેદી ; કાવ્યપઠન : અનિલ જોશી

[2] ભગવતીકુમાર શર્મા : જયદેવ શુક્લ ; કાવ્યપઠન : ભગવતીકુમાર શર્મા

કાર્યક્રમ : સંગીત-નૃત્ય મહોત્સવ

સમય : રાત્રે, 8:00 કલાકે; શ્રી ચિત્રકુટધામ, તલગાજરડા

વાદ્યસંગીત (આહતવાદ્યો-પરક્યુશન) : આનંદન શિવમણિ

 

બીજો દિવસ : તા. 07-04-2009, મંગળવાર

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-3

વિષય : આર્ષવાણીનું અમૃત

સમય : સવારે 09:00 થી 12:00

સંચાલન : સુમન શાહ

[1] ‘સાવિત્રી’ (મહર્ષિ અરવિંદ) : દયાશંકર મિશ્ર

[2] ‘ગીતાંજલિ’ (રવિન્દ્રનાથ ટાગોર) : પ્રસાદ બ્રહ્મભટ્ટ

[3] ‘કામાયની’ (જયશંકર પ્રસાદ) : ચંદ્રપ્રકાશ દેવલ

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-4

વિષય : મહાકાવ્યના ઉદ્દગાતા

સમય : સાંજે 03:00 થી 06:00

સંચાલન : ભોળાભાઈ પટેલ

[1] હોમર : કપિલ કપૂર

[2] દાન્તે : ધીરુ પરીખ

[3] મિલ્ટન : અવધેશકુમાર સિંહ

કાર્યક્રમ : સંગીત-નૃત્ય મહોત્સવ

સમય : રાત્રે : 08:00 કલાકે, શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા

શાસ્ત્રીય કંઠ્યસંગીત : કિશોરી આમોનકર

 

ત્રીજો દિવસ : તા-08-04-2009, બુધવાર

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-5

વિષય : મનુષ્યત્વ

સમય : સવારે 09:00 થી 12:00

સંચાલન : વિનોદ જોશી

[1] સામાજિક સંદર્ભ : વિદ્યુત જોશી

[2] મેનેજમેન્ટનો સંદર્ભ : પ્રદીપ ખાંડવાલા

[3] તાત્વિક સંદર્ભ : પ્રબોધ પરીખ

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-6

વિષય : કાવ્યાયન

સમય : સાંજે 3:30 થી 06:00

સંચાલન : રઈશ મનીઆર

[1] હરિકૃષ્ણ પાઠક

[2] જવાહર બક્ષી

[3] દલપત પઢિયાર

[4] ભરત વિંઝુડા

[5] રાજેન્દ્ર પટેલ

[6] રઈશ મનીઆર

કાર્યક્રમ : સંગીત નૃત્ય મહોત્સવ

સમય : રાત્રે 08:00 કલાકે, શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા

શાસ્ત્રીય નૃત્ય : મુક્તા જોશી

 

ચોથો દિવસ : તા:09-04-2009, ગુરુવાર, શ્રી હનુમાન જયંતી

સ્થળ : શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા

સમય : સવારે 09:00 કલાકે.

કાર્યક્રમ : કૈલાસ લલિતકલા એવોર્ડ અર્પણવિધિ
(ચિત્રકલાની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં શ્રી જેરામ પટેલને)

કાર્યક્રમ : હનુમંત એવોર્ડ અર્પણવિધિ
(ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં)

[1] પંડિત રવિશંકર : શાસ્ત્રીય વાદ્યસંગીત (સિતાર)

[2] સુશ્રી રોશન કુમારી : શાસ્ત્રીય નૃત્ય (કથક)

[3] સુશ્રી કિશોરી આમોનકર : શાસ્ત્રીય કંઠ્યસંગીત (ઉત્તર હિંદુસ્તાની)

મોરારિબાપુનું પ્રાસંગિક વક્તવ્ય

વિશેષ નોંધ :

[1] સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘આસ્થા’ ટી.વી. ચેનલ પર થશે.

[2] દરેક કાર્યક્રમનો પ્રારંભ નિર્ધારિત સમયે જ થશે.

[3] કાર્યક્રમ સ્થળ : શ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત.) : ફોન : +91 2844-222090

[4] કાર્યક્રમ અંગે કોઈ પણ પૂછપરછ માટે ઉપરના ફોન નંબર પર સંપર્ક કરવો.

Published By : ReadGujarati | Permalink | Comments Off
સાહિત્ય સમાચાર વિભાગમાં આપનું સ્વાગત છે !

donation
Mar 18
2009

નડિયાદમાં યોજાયો ‘હાસ્યહિલ્લોળ’નો વિશિષ્ટ કાર્યક્રમ

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | Comments Off

ફ્રૅન્ડઝ ગ્રુપ, નડિયાદના ઉપક્રમે ‘હાસ્યહિલ્લોળ’નો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર શ્રી જીતુભાઈ દ્વારકાવાળાએ હાસ્યરસમાં શ્રોતાઓને તરબોળ કર્યા હતા જ્યારે લોકસાહિત્યકાર શ્રી ગોપાલ બારોટે હાસ્યરસની લોકસંસ્કૃતિની ભાતીગળ વાતો કરી હતી. કાર્યક્રમનું ઉદ્દઘાટન જિલ્લા ન્યાયાધીશ શ્રી. આર. એમ. પરમારે કર્યું હતું. જ્યારે શ્રી જે.વી. જોશી (નાયબ વનસંરક્ષક) અને શ્રી અમરસિંહ પરિહાર (મૅનેજર, સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા) અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. મુખ્ય મહેમાન પદે શ્રીમતી દિપલબહેન અમીન (પ્રમુખશ્રી, નડિયાદ નગરપાલિકા) અને શ્રી કનુભાઈ શાહ (ટ્રસ્ટી, ડુમરાલ બજાર સદાવ્રત ટ્રસ્ટ) બિરાજ્યા હતા. આયોજન વિનોદ પટેલ, ભરત પટેલ અને હિતેશ પટેલનું હતું.

Published By : ReadGujarati | Permalink | Comments Off
Mar 18
2009

નવોદિત લેખકોને ગૂર્જર પ્રકાશનનું આમંત્રણ

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | Comments Off

નવોદિત સાહિત્યસર્જકોની મૌલિક પ્રતિભાને બિરદાવવાના ઉદ્દેશથી ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય (અમદાવાદ) દ્વારા બે સંપાદિત પુસ્તકો પ્રગટ કરવાનું વિશિષ્ટ આયોજન છે. (1) નવલિકા સંગ્રહ અને (2) હાસ્યલેખ સંગ્રહ. જેમનું એક પણ પુસ્તક પ્રગટ ન થયું હોય તેવા જ લેખકોને પોતાની શ્રેષ્ઠ અને મૌલિક ત્રણથી પાંચ કૃતિઓ (નવલિકાઓ/હાસ્યલેખો) તા. 20-3-2009 સુધીમાં નીચેના સરનામે મોકલી આપવા આમંત્રણ છે. કૃતિ પ્રકાશિત થયેથી લેખકને પુસ્તકની એક નકલ તથા પ્રતીક પુરસ્કાર મોકલી આપવામાં આવશે.

રોહિત શાહ (સંપાદક)
C/O ગૂર્જર પ્રકાશન,
202, તિલકરાજ બિલ્ડિંગ,
પંચવટી પહેલી લેન, આંબાવાડી,
અમદાવાદ-380 006.
ફોન : 079-26564279 (ઑફિસ), 079-27473207 (ઘર).

Published By : ReadGujarati | Permalink | Comments Off
Mar 16
2009

કવિશ્રી રાજેન્દ્ર શાહને અપાયું ‘મુનશી સન્માન’

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | Comments Off

ભારતીય વિદ્યા ભવન દ્વારા રૂ. 1,00,000નું ‘મુનશી સન્માન’ પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત સાધક-કવિશ્રી રાજેન્દ્ર શાહને તા. 7મી માર્ચ, 2009ના રોજ એનાયત કરવામાં આવ્યું. કન્નડ ભાષાના જાણીતા સર્જક અને નવ્ય આંદોલનના અગ્રણી એવા યુ.આર.અનંતમૂર્તિના હાથે તેમને આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેઘાવી કવિ શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર અને અગ્રણી વિવેચક ચંદ્રકાન્ત ટોપીવાળાએ કવિશ્રી રાજેન્દ્ર શાહના સર્જનનો પરિચય કરાવ્યો હતો. નાના મધ્યાહન બાદ જાણીતા ઉર્દૂ શાયર અને ગીતકાર ગુલઝાર, નિદા ફાઝલી, મરાઠી કવિવર વિન્દા કરંદીકર, સિતાંશુ યશશ્ચંદ્ર, અનિલ જોશી વગેરેએ કાવ્યપાઠ કર્યો હતો જ્યારે જાણીતા ફિલ્મઅભિનેતા પરેશ રાવળે રાજેન્દ્ર શાહની કવિતાનું પઠન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દી ‘નવનીત’ના સંપાદક શ્રી વિશ્વનાથ સચદેવે કર્યું હતું.

Published By : ReadGujarati | Permalink | Comments Off
Feb 21
2009

ફેબ્રુઆરીમાં મહુવા ખાતે યોજાનારું ‘સદભાવનાપર્વ’

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | Comments Off

વિવિધ ધર્મી નાગરિકો તેમજ પ્રજાજનો એકબીજા સાથે જોડાય અને વૈચારિક, સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા સંવાદિતાનું એક વાતાવરણ રચાય તે હેતુથી ‘સદભાવના ફોરમ’ દ્વારા તા.25-26-27 ફેબ્રુઆરી,2009ના રોજ પહેલું ‘સદભાવના પર્વ’ પૂ. મોરારિબાપુની નિશ્રામાં મહુવા ખાતે આયોજીત કરવામાં આવ્યું છે જેની વિગત નીચે પ્રમાણે છે :

[1] તા. 25 ફેબ્રુઆરી, 2009

પ્રથમ બેઠક : સવારે 9 થી 12.
વિષય : ગાંધીની અહિંસા અને ગાંધીની સર્વધર્મ સમભાવનાની વિભાવના.
વક્તા : શ્રી નારાયણભાઈ દેસાઈ (શ્રદ્ધેય સર્વોદય કાર્યકર), શ્રી ચંદ્રશેખર ધર્માધિકારી (નિવૃત્ત ન્યાયમૂર્તિ, મુંબઈ હાઈકોર્ટ અને ગાંધીજન)

બીજી બેઠક : બપોરે 3 થી 6
વિષય : સદભાવના અને સાહિત્ય (મંઝુર અહેતેશામની ‘સુખા બર્ગદ’ અને નરોત્તમ પલાણની ‘હૂ હૂ’ના સંદર્ભથી)
વક્તા : સુશ્રી શરીફા વીજળીવાળા (સાહિત્યકાર અને કર્મશીલ), શ્રી નરોત્તમ પલાણ (સાહિત્યકાર અને ઈતિહાસવિદ)

ત્રીજી બેઠક : રાત્રીના 8 થી 10
‘નાટક’ સૌમ્ય જોષી અને વૃંદ (ફેડ ઈન થીયેટર-અમદાવાદ દ્વારા)

[2] તા. 26 ફેબ્રુઆરી, 2009

પ્રથમ બેઠક : સવારે 9 થી 12:30
વિષય : આપણા ધર્મની સુગંધ
વક્તા : મુસ્લિમ ધર્મ વિશે : શ્રી મૌલાના વહીદુદ્દીનખાન (શ્રધ્ધેય ઈસ્લામિક સ્કોલર), ખ્રિસ્તી ધર્મ વિશે : શ્રી રૂડોલ્ફ હરેડીયા (સોશ્યોલોજીસ્ટ અને નિયામક ઈન્ડીયન સોશ્યલ ઈન્સ્ટીટ્યૂટ, દિલ્હી), હિન્દુ ધર્મ વિશે : શ્રી રામજીસિંહ (સર્વોદય કાર્યકર, પૂર્વ કુલપતિ : અહિંસા યુનિ.-લાડનુ અને પૂર્વ સાંસદ)

બીજી બેઠક : બપોરે 3 થી 6
વિષય : સંપૂર્ણ સંવાદિતા તરફ
વક્તા : શ્રી દિલીપ સિમીયન (ઈતિહાસકાર, નિયામક : અમન ચેરી.ટ્રસ્ટ, દિલ્હી), શ્રી અભય બંગ (સમાજ સેવક)

ત્રીજી બેઠક : રાત્રીના 8 થી 10
સંગીત સંધ્યા : પ્રસ્તુતિ- શિખર સેન (તુલસી-કબીર-વિવેકાનંદ જેવી એક વ્યક્તિસંગીત નાટિકાના સર્જક, વિખ્યાત ગાયક, સ્વરકાર અને કવિ)

[3] તા. 27 ફેબ્રુઆરી, 2009

અંતિમ બેઠક : સવારે 9 થી 12.
આ બેઠકમાં સૌ સાથે મળીને ભાવિ કાર્યક્રમોના સ્વરૂપ અને આયોજન વિશે ખુલ્લી ચર્ચા કરશે. સાથે સાથે સદભાવનાપર્વમાં સહભાગી થયેલા મિત્રો-વડીલોના પ્રતિભાવો જાણવામાં આવશે.
સમાપન વ્યાખ્યાન : શ્રી મોરારિબાપુ.

પ્રત્યેક બેઠકના અંતે ચર્ચાને અવકાશ છે. સદભાવનાપર્વ માટેનું સંપર્ક સરનામું :
ડંકેશ-ભારતી
103, ઓમ એવેન્યુ, દિવાળીપુરા,
વડોદરા-395007.
ફોન : 0265-2350138, મો. 9725028274.

કાર્યક્રમનું સ્થળ :
કૈલાશ ગુરુકુળ, માલણ નદીને તીર, મહુવા. જિ. ભાવનગર.

Published By : ReadGujarati | Permalink | Comments Off
Feb 16
2009

સમર્થ અનુવાદક શ્રી વિનોદ મેઘાણીનું નિધન

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | Comments Off

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ચોથા પુત્ર તથા અનુવાદક-સંપાદનનું સંગીન કાર્ય કરનારા વિદ્વાન શ્રી વિનોદ મેઘાણીનું રવિવારે સાંજે (તા.15-ફેબ્રુ-2009)અબ્રામા (વલસાડ) ખાતેના એમના નિવાસસ્થાને ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘના જીવન પર આધારિત નવલકથા ‘લસ્ટ ફૉર લાઈફ’નો ‘સળગતાં સૂરજમુખી’ નામે અનુવાદ, મેઘાણીના પત્રોનું સંપાદન ‘લિ. હું આવું છું’, વિવિધ અખબારોમાં પ્રગટ થયેલા મેઘાણીના આત્મકથાત્મક લખાણોનું વાર્તાકાર-પત્ની હિમાંશી શેલત સાથેનું સંપાદન ‘આંતરછબિ’ મેઘાણી કૃત ‘સૌરાષ્ટ્રની રસધાર’ અને ‘સોરઠી સંતો’ સહિત કેટલાક પુસ્તકોનો અંગ્રેજી અનુવાદ વગેરે કાર્યો વિનોદભાઈની સજ્જતા, ઊંડાણ, લગન અને રસિકતાનાં દ્યોતક છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી રીડગુજરાતી તરફથી પ્રભુપ્રાર્થના. (સમાચાર સૌજન્ય : મુંબઈ સમાચાર)

Published By : ReadGujarati | Permalink | Comments Off
Feb 06
2009

શાયર આસીમ રાંદેરી સાહેબની ચિર વિદાય

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | પ્રતિભાવો (2)

સુરતના દિગ્ગજ ગઝલકાર અને અદના શાયર જનાબ આસીમ રાંદેરી સાહેબનું આજરોજ 104 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી પેરાલીસીસને કારણે પથારીવશ હતા. તેમના ‘શણગાર’ અને ‘લીલા’ નામના બે ગઝલ, કાવ્ય સંગ્રહો ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓ સુરતમાં ગુજરાતી મુશાયરાના સ્થાપક રહી ચૂક્યા હતા. તેઓ જીવનનો મોટો ભાગ અમેરિકા અને મોરેશિયસ રહ્યા હતા. 101 વર્ષની વય સુધી તેઓ કાર્યરત હતા અને 100 વર્ષની વયે મુશાયરામાં ગઝલ, શાયરીઓ બોલી શકનાર એકમાત્ર શાયર હતા. તેમને ‘કલાપી’ એવોર્ડથી સન્માનિત કરાયા હતાઅ. તેમજ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ તેઓએ એવોર્ડ, પુરસ્કારો મેળવ્યા હતા. તેમના અવસાનથી જાણે કે સુરતની ગઝલ શાયરીનો એક ઝળહળતો સૂર્ય અસ્ત થઈ ગયો છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

Published By : ReadGujarati | Permalink | Comments (2)
Feb 06
2009

કવીશ્વર દલપતરામની 190મી જન્મ જયંતી ઉજવાઈ

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | Comments Off

અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કવિતા ‘બાપાની પીંપર’ ના રચયિતા અને મૂળ વઢવાણનાં એવાં કવીશ્વર દલપતરામની 190મી જન્મ જયંતી મહોત્સવ સુરેન્દ્રનગર મુકામે તા. 21 જાન્યુઆરીના રોજ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ માનનીય શ્રી નારાયણભાઈ દેસાઈ તથા પ.પૂ. ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી દ્વારા કવીશ્વરની પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવી હતી. ડૉ. દીપ્તિ કુંડલે કવીશ્વરના જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું હતું તેમજ ‘પિંગળકાર દલપતરામ’ વિશે ડૉ. આર.સી.મારૂએ વક્તવ્ય આપ્યું હતું. બપોરની સભામાં ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા, ડૉ. નીતિન વડગામા, ડૉ. બળવંત જાની વગેરે વક્તાઓએ સુંદર વક્તવ્યો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પંકજભાઈ ત્રિવેદીએ કર્યું હતું.

Published By : ReadGujarati | Permalink | Comments Off
Feb 03
2009

વંદનાબેન ભટ્ટને અપાયું ‘ભગિની નિવેદિતા’ પારિતોષિક

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | Comments Off

ગુજરાતી સાહિત્ય પરિષદનું ઈ.સ. 2007નું ‘ભગિની નિવેદિતા’ પારિતોષિક વડોદરાનાં સુશ્રી વંદનાબેન ભટ્ટના પુસ્તક ‘ઝંખના પરોઢની’ ને મળેલ છે. કીમ (સુરત) મુકામે યોજાયેલ જ્ઞાનસત્ર દરમ્યાન આ પારિતોષિક આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2008ના નિર્ણાયક પણ રહી ચુક્યા છે. તેમની અનેક કૃતિઓ ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત-સમર્પણ’, ‘અખંડ-આનંદ’, ‘કુમાર’ જેવા અનેક સાહિત્યિક સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. તેમણે હિન્દી સાહિત્યક્ષેત્રે પણ સુંદર કાવ્યસંગ્રહ આપ્યો છે.

Published By : ReadGujarati | Permalink | Comments Off
Jan 23
2009

વડોદરામાં બાળનાટકનું સુંદર આયોજન

પ્રકાર/સાહિત્યકાર : સમાચાર | Comments Off

‘જાહ્નવી કલા વર્તુળ’ના ઉપક્રમે બાળકો દ્વારા ભજવવામાં આવનારા એક સુંદર બાળનાટક ‘પાંજરે પૂર્યા પપ્પા-મમ્મી’નો શૉ તા. 08-ફેબ્રુઆરીના રોજ બપોરે 3.30 કલાકે સી.સી. મહેતા ઑડિટોરીયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. વર્તમાન સમાજને સતાવનારા પાંચ પ્રાણ પ્રશ્નો : ભય, આળસ, ફેશન, ટેન્શન અને પોલ્યુશનને આ નાટકમાં વણી લેવામાં આવ્યા છે. આ સાથે તેમાં બાળગીતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રી કલાપી ધોળકિયા દ્વારા લિખિત તેમજ દિગદર્શીત આ નાટકના 25 થી 30 જેટલા શૉ રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત ખાતે સફળતાપૂર્વક યોજાઈ ગયા છે. હાસ્ય સાથે જીવનનો સંદેશ આપતા આ નાટકની ટિકિટ મેળવવા માટે કૃપયા આ નંબર પર સંપર્ક કરશો : +91 9327239678 અથવા 0265-2265682.

Published By : ReadGujarati | Permalink | Comments Off