મહુવા ખાતે યોજાનાર ‘અસ્મિતાપર્વ-12’નો સમગ્ર કાર્યક્રમ

મોરારિબાપુના સાન્નિધ્યમાં મહુવા ખાતે પ્રતિવર્ષ નિયમિતરૂપે યોજાતા સાહિત્યના મહાકુંભરૂપી અસ્મિતાપર્વનું આ 12મું વર્ષ છે. ચાલુ વર્ષે તા.06 એપ્રિલ થી 09 એપ્રિલ, 2009 (સોમથી ગુરુ) શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે જેની વિસ્તૃત વિગતો નીચે પ્રમાણે છે : (સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘આસ્થા’ ટી.વી. ચેનલ પર થશે.)

પ્રથમ દિવસ : તા. 06-04-2009, સોમવાર

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-1

વિષય : વાર્તાના વૈતાલિકો

સમય : સવારે 09:00 થી 12:00

સંચાલન : અજિત ઠાકોર

[1] જયંત ખત્રી : વીનેશ અંતાણી

[2] સઆદત હસન મન્ટો : મહેન્દ્રસિંહ પરમાર

[3] ચેખોવ : સુમન શાહ

કાર્યક્રમ : સાહિત્ય સંગોષ્ઠિ-2

વિષય : કવિકર્મપ્રતિષ્ઠા અને કાવ્યપાઠ

સમય : સાંજે 3:30 થી 6:00

સંચાલન : હરિશ્ચન્દ્ર જોશી

[1] અનિલ જોશીની કવિતા : હર્ષદ ત્રિવેદી ; કાવ્યપઠન : અનિલ જોશી

[2] ભગવતીકુમાર શર્મા : જયદેવ શુક્લ ; કાવ્યપઠન : ભગવતીકુમાર શર્મા

કાર્યક્રમ : સંગીત-નૃત્ય મહોત્સવ

સમય : રાત્રે, 8:00 કલાકે; શ્રી ચિત્રકુટધામ, તલગાજરડા

વાદ્યસંગીત (આહતવાદ્યો-પરક્યુશન) : આનંદન શિવમણિ

 

બીજો દિવસ : તા. 07-04-2009, મંગળવાર

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-3

વિષય : આર્ષવાણીનું અમૃત

સમય : સવારે 09:00 થી 12:00

સંચાલન : સુમન શાહ

[1] ‘સાવિત્રી’ (મહર્ષિ અરવિંદ) : દયાશંકર મિશ્ર

[2] ‘ગીતાંજલિ’ (રવિન્દ્રનાથ ટાગોર) : પ્રસાદ બ્રહ્મભટ્ટ

[3] ‘કામાયની’ (જયશંકર પ્રસાદ) : ચંદ્રપ્રકાશ દેવલ

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-4

વિષય : મહાકાવ્યના ઉદ્દગાતા

સમય : સાંજે 03:00 થી 06:00

સંચાલન : ભોળાભાઈ પટેલ

[1] હોમર : કપિલ કપૂર

[2] દાન્તે : ધીરુ પરીખ

[3] મિલ્ટન : અવધેશકુમાર સિંહ

કાર્યક્રમ : સંગીત-નૃત્ય મહોત્સવ

સમય : રાત્રે : 08:00 કલાકે, શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા

શાસ્ત્રીય કંઠ્યસંગીત : કિશોરી આમોનકર

 

ત્રીજો દિવસ : તા-08-04-2009, બુધવાર

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-5

વિષય : મનુષ્યત્વ

સમય : સવારે 09:00 થી 12:00

સંચાલન : વિનોદ જોશી

[1] સામાજિક સંદર્ભ : વિદ્યુત જોશી

[2] મેનેજમેન્ટનો સંદર્ભ : પ્રદીપ ખાંડવાલા

[3] તાત્વિક સંદર્ભ : પ્રબોધ પરીખ

કાર્યક્રમ : સાહિત્યસંગોષ્ઠિ-6

વિષય : કાવ્યાયન

સમય : સાંજે 3:30 થી 06:00

સંચાલન : રઈશ મનીઆર

[1] હરિકૃષ્ણ પાઠક

[2] જવાહર બક્ષી

[3] દલપત પઢિયાર

[4] ભરત વિંઝુડા

[5] રાજેન્દ્ર પટેલ

[6] રઈશ મનીઆર

કાર્યક્રમ : સંગીત નૃત્ય મહોત્સવ

સમય : રાત્રે 08:00 કલાકે, શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા

શાસ્ત્રીય નૃત્ય : મુક્તા જોશી

 

ચોથો દિવસ : તા:09-04-2009, ગુરુવાર, શ્રી હનુમાન જયંતી

સ્થળ : શ્રી ચિત્રકૂટધામ, તલગાજરડા

સમય : સવારે 09:00 કલાકે.

કાર્યક્રમ : કૈલાસ લલિતકલા એવોર્ડ અર્પણવિધિ
(ચિત્રકલાની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં શ્રી જેરામ પટેલને)

કાર્યક્રમ : હનુમંત એવોર્ડ અર્પણવિધિ
(ભારતીય શાસ્ત્રીય સંગીતની આજીવન સેવાના ઉપલક્ષ્યમાં)

[1] પંડિત રવિશંકર : શાસ્ત્રીય વાદ્યસંગીત (સિતાર)

[2] સુશ્રી રોશન કુમારી : શાસ્ત્રીય નૃત્ય (કથક)

[3] સુશ્રી કિશોરી આમોનકર : શાસ્ત્રીય કંઠ્યસંગીત (ઉત્તર હિંદુસ્તાની)

મોરારિબાપુનું પ્રાસંગિક વક્તવ્ય

વિશેષ નોંધ :

[1] સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ‘આસ્થા’ ટી.વી. ચેનલ પર થશે.

[2] દરેક કાર્યક્રમનો પ્રારંભ નિર્ધારિત સમયે જ થશે.

[3] કાર્યક્રમ સ્થળ : શ્રી કૈલાસ ગુરુકુળ, માલણ નદીને કાંઠે, મહુવા (જિ. ભાવનગર, ગુજરાત.) : ફોન : +91 2844-222090

[4] કાર્યક્રમ અંગે કોઈ પણ પૂછપરછ માટે ઉપરના ફોન નંબર પર સંપર્ક કરવો.

·

  « Previous નડિયાદમાં યોજાયો ‘હાસ્યહિલ્લોળ’નો વિશિષ્ટ કાર્યક્રમ
  


Comments are closed.