સામાન્ય રીતે નવા શિશુના આગમનનો પ્રસંગ તે અતિ આનંદનો પ્રસંગ છે. તેના જન્મ બાદ બારમે દિવસે આ સંસ્કારની ઉજવણી (આરોપણ) થાય છે. જુના રીત રીવાજ પર દ્રષ્ટિ કરીએ તો તેની વિગતો જાણવી રસપ્રદ થઇ પડશે.
સર્જક : ડૉ. ભાલચન્દ્ર હાથી
2 posts
ભારતમાં મનુષ્યજાતિની ઉત્પતિથી માંડીને અંતિમ પરિણામ સુધીના જીવનના જુદા જુદા પડાવો પર પગથિયા સમાન સોળ સંસ્કારોની રચના કરવામાં આવી છે. તે જીવનના દરેક તબક્કે શિસ્ત બતાવે છે અને તે રીતે ઉચ્ચ પ્રકારનું જીવન વ્યતિત કરવાની પણ પ્રેરણાં આપે છે. ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં તે સંસ્કારોનું જતન થતું રહ્યું છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લાઓમાં નાગર કુટુંબોમાં પણ ઉજવણી થાય છે. આ સોળે સંસ્કારોની વિગતવાર વાત કરીએ તો એક પુસ્તક થાય પણ તેમાં “નામકરણ સંસ્કાર”માં ઘણી વ્યક્તિઓ એક યા બીજી રીતે સંકળાયેલી હોય છે તેથી તેના વિશે જોઇએ.