કબજીયાત એક સાધારણ રોગ છે. આ રોગથી દર્દીને અસહ્ય દુઃખાવો નથી થતો, કિન્તુ અસુખ રહ્યા કરે. કબજીયાતને અણગમતા મહેમાન સાથે સરખાવી શકાય. આવો મહેમાન નડતરરૂપ નથી કિન્તુ તેની ઘરમાં સતત હાજરી યજમાનને ગમતી નથી હોતી. મને ઘણા સમયથી કબજીયાત હતી. શરૂઆતમાં મે ખાસ ધ્યાન ન આપ્યું. કિન્તુ જ્યારે આ દશા લાંબો સમય ચાલી ત્યારે કંઇક ઉપાય કરવાનો વિચાર આવ્યો.
સર્જક : સનત ત્રિવેદી
1 post