બહાનાઓની વણજાર – ટીના ધીરાવાણી
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે નવોદિત યુવા સર્જક ટીનાબેનનો (ડોંબીવલી, થાણે) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે tina_dhiravani@yahoo.co.in અથવા આ નંબર પર +91 9920126438 સંપર્ક કરી શકો છો.]
બપોરે શાળાએથી આવતા વેંત જ સોહમ બોલી ઊઠ્યો : ‘શું વાત છે મમ્મી ? આજે આટલી જલ્દી રસોઈ થઈ ગઈ અને કપડાં પણ ધોવાઈ ગયા ? આપણે ક્યાંક બહાર જવાનું છે ?’
‘હા બેટા, આપણે બે દિવસ તારા નાનીને ત્યાં રોકાવા જઈએ છીએ. ચાલ જલ્દી જમીને ફટાફટ તારું લેસન પતાવી દે એટલે પછી આપણે જઈ શકાય.’
મમ્મીની વાત સાંભળીને સોહમનું મોં પડી ગયું. તેર વર્ષના સોહમનું નાનીને ત્યાં જવાનું જરાય મન નહોતું. પરંતુ મમ્મીને સમજાવે કોણ ? વળી, આજે તો લેસન પણ એટલું નહોતું આપ્યું. કલાકમાં તો બધું લેસન પતી જાય. હવે થાય શું ? મમ્મીને શું બહાનું બતાવવું ? – સોહમ બહાના વિચારવા લાગ્યો. થોડુંક વિચારીને એ બોલ્યો : ‘મમ્મી, લેસન કંઈ આટલું જલ્દી થાય ખરું ? જો હું બરાબર કરીને નહીં જઉં તો શાળામાં શિક્ષા થશે. તારી સાથે આવીશ તો કોચિંગના વર્ગમાં પણ નહીં જવાય અને પરીક્ષાઓ નજીક આવી રહી છે. રજાના દિવસોમાં સરસ તૈયારી કરી દઉં ને ? હું તો પપ્પાને દાદી પાસે રહીશ. તું જઈ આવ….’ એમ મીઠાશપૂર્વક કહીને સોહમે મમ્મીને મનાવી લીધી.
આપણે પણ આપણા રોજિંદા જીવનમાં ધ્યાનપૂર્વક વિચારીશું તો ખ્યાલ આવશે કે સોહમની જેમ આપણેય ઘણી વખત બહાના બનાવતાં હોઈએ છીએ. ન ગમતી વસ્તુઓને ટાળવા, અરૂચિકર પ્રસંગોથી દૂર રહેવા કે અણગમતા વ્યક્તિને દૂર રાખવા માટે આપણે આ કળાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. વળી, આ કળા એવી છે કે તે કોઈને શીખવવી નથી પડતી. એને શીખવવાના કંઈ વર્ગો નથી ચાલતા ! નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તે સૌને સ્વયંસિદ્ધ હોય છે. વ્યક્તિ અભણ હોય કે વિદ્વાન, પોતપોતાની બુદ્ધિ અનુસાર સૌ કોઈ કોઈને કોઈ પ્રસંગે બહાના બનાવતા જ હોય છે. જેમ એક વાર મોબાઈલનો ઉપયોગ કર્યા પછી માણસને તેના વગર ચાલતું નથી, એવું બહાનાઓનું પણ છે. એકવાર બહાનું બતાવ્યા પછી જો ધાર્યું કામ પાર પડ્યું તો ખલાસ ! થોડાક સમયમાં તો માણસ બહાના બનાવાવાનો નિષ્ણાંત બની જાય છે !
વધુ આગળ વાંચો »





