Apr 09
2010

દુબઈના પ્રવાસે – પ્રવીણ શાહ

[ ડૉ. પ્રવીણભાઈની કલમે આપણે અગાઉ ‘વિસલખાડીના સંસ્મરણો’ માણ્યા હતા. આજે તાજેતરમાં તેમણે કરેલ દુબઈ પ્રવાસને માણીએ. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ)માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

‘દુબઈ’ એક એવું નામ છે કે જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. દુનિયાનાં ફરવાલાયક સ્થળોમાં દુબઈનું નામ અગ્રસ્થાને છે. વળી હમણાં જ થોડાક મહિનાઓ પહેલાં, દુબઈમાં દુનિયાનું સૌથી ઊંચું મકાન ‘બુર્જ ખલીફા’ બન્યું છે, એથી તો દુબઈ ખૂબ જ જાણીતું થયું છે. કુઆલાલામપુરના પેટ્રોનાસ ટાવર, શિકાગોનો સીયર્સ ટાવર કે ચીનના તાઈપેઈ બિલ્ડિંગ કરતાં પણ ‘બુર્જ ખલીફા’ વધુ ઊંચું છે. તેની ઉંચાઈ 828 મીટર અને માળની સંખ્યા છે 164. વળી આ મકાનના બાંધકામ વખતે એવી વ્યવસ્થા રાખી છે કે ભવિષ્યમાં દુનિયામાં બીજે ક્યાંય જો કોઈ આનાથી ઊંચું મકાન બાંધે તો દુબઈના આ મકાન પર થોડા વધુ માળ ચણીને ફરીથી તેને દુનિયાના ઊંચામાં ઊંચા બિલ્ડીંગનું બિરુદ અપાવી શકાય. આ બધું જાણ્યા પછી અમારી દુબઈ ફરવા જવાની ઈચ્છા પ્રબળ બની ગઈ. તેથી અમે કુટુંબના છ જણાએ દુબઈ જવાનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો. દુબઈમાં રહેવા માટે હોટલો ઘણી મોંઘી છે, એટલે ટૂર ઑપરેટર દ્વારા જ જવાનું વધુ અનુકૂળ રહે. આવા એક પેકેજમાં અમે બુકીંગ કરાવી લીધું.
વધુ આગળ વાંચો »

Feb 08
2010

વિસલખાડીનાં સંસ્મરણો – પ્રવીણ કે. શાહ

[ડૉ. પ્રવીણભાઈના અનેક સુંદર લેખોથી આપણે પરીચિત છીએ. તેમના ઘણા લેખો આપણે અહીં માણ્યા છે. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ)માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે કરેલા એક સુંદર પ્રવાસનો લેખ અત્રે પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ સુંદર પ્રવાસવર્ણન મોકલવા માટે પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

જંગલો, ડુંગરા, ખીણ, સરોવર – આ બધે રખડવાનો આનંદ માણવો હોય તો ગુજરાતમાં જ ઘરઆંગણે ઘણી જગ્યાઓ છે. આવી એક સરસ જગ્યા છે ‘વિસલખાડી’. રાજપીપળાથી નેત્રંગ જવાના રસ્તે, વીસ કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. રાજપીપળાથી આ રસ્તે, કરજણ નદી પરનો પુલ પસાર કર્યા પછી, રસ્તાની બંને બાજુ જંગલ શરૂ થઈ જાય છે. આ જંગલમાંના વાંકાચૂકા, ઊંચાનીચા રસ્તે જવાનો ઘણો જ આનંદ આવે છે. છેલ્લે એક કિલોમીટર બાકી રહે ત્યારે મુખ્ય રસ્તાની ડાબી બાજુ જંગલ તરફ વળતાં જ ‘વિસલખાડી’નું બોર્ડ નજરે પડે છે. જંગલના આ કાચા, સાંકડા, ઊંચાનીચા રસ્તે એક બાજુ ડુંગર અને બીજી બાજુ કરજણ નદીના બંધનું ક્યાંક ક્યાંક ભરાયેલું પાણી બહુ જ સુંદર દશ્ય સર્જે છે. આ રસ્તે ગાડી ચલાવવાની મજા જ કંઈ ઑર છે ! પણ જો કાળજી ના રાખો તો ગયા સમજો ! આ એક કિલોમીટરના ડ્રાઈવિંગ પછી જંગલોની વચ્ચોવચ થોડી ખુલ્લી જગ્યા દશ્યમાન થાય છે. બસ, આ જ વિસલખાડી.

1_Entrance2

આ ખુલ્લી પણ ઊંચીનીચી જગ્યામાં વનવિભાગે બે કોટેજ બાંધેલા છે. તેમાં કુલ આઠ જણ આરામથી રહી શકે છે. રસોડા તરીકે વપરાય એવી એક રૂમ અલગ બાંધવામાં આવી છે. એક બાજુ છતાવાળા એક મોટા ચોતરા જેવી જગ્યા બનાવવામાં આવી છે, ત્યાં ખુરશીઓ નાંખી બધા સમુહમાં બેસી શકે છે. ખુલ્લી જગ્યામાં છએક તંબુ બાંધવામાં આવ્યા છે. વધુ લોકો અહીં પ્રવાસે આવ્યા હોય અને કોટેજમાં જો જગ્યા ન મળે તો તંબુમાં રાત વિતાવી શકાય છે. વનવિભાગના પાંચેક કર્મચારીઓ અહીં રહે છે, તે સિવાય અહીં કોઈ ગામ નથી, માનવવસ્તી નથી, ચા-નાસ્તા કે પાનબીડીની દુકાન કે એવું કંઈ જ નથી. પાવર સપ્લાય પણ નથી. સોલાર પેનલથી રાત્રે દસ વાગ્યા સુધી લાઈટ ચાલુ રહી શકે. એ પછી ઘોર અંધકાર. ચારે બાજુ જંગલો, એક બાજુ કોટેજની નજીક ખીણ અને ખીણના ઢોળાવ પછી કરજણ નદીના બંધથી ભરાયેલું સરોવર. સર્વત્ર કુદરતે વેરેલું સૌન્દર્ય. આ સૌન્દર્યમાં ઓતપ્રોત થઈ જવાનો આનંદ અવર્ણનીય છે. અહીં મોબાઈલ ટાવર પણ નથી. તેથી અહીં એક-બે દિવસ રહો એટલે જાણે દુનિયાથી દૂર ફક્ત કુદરતના ખોળે હોઈએ તેવું અનુભવી શકાય.
વધુ આગળ વાંચો »

Oct 31
2009

કોના વાંકે ? – પ્રવીણ શાહ

[ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો pravinkshah@gmail.com અથવા +91 9426835948 પર સંપર્ક કરી શકો છો.]

‘મને એ છોકરી સ્વપ્નમાં આવે છે અને વિનવે છે કે…..’ મારા મિત્ર મહેન્દ્રએ મને કહ્યું. અમે બે-ચાર મિત્રો રોજ સાંજે અમારી હોસ્ટેલની આજુબાજુના કોઈક સ્થળે ફરવા નીકળતા. એમાંનો મારો એક મિત્ર મહેન્દ્ર હતો. તે અલીણાનો વતની હતો. તેની સગાઈ થઈ ગઈ હતી. એક દિવસ તે પોતાની અંગત વાત મને કહી રહ્યો હતો. મેં કહ્યું : ‘મહેન્દ્ર, તું કઈ છોકરીની વાત કરે છે ?’
મહેન્દ્ર કહે : ‘અરે યાર ! જેની જોડે મારી સગાઈ થઈ છે એની.’
મેં કહ્યું : ‘એ તને શું વિનવે છે ?’
મહેન્દ્ર કહે : ‘જો પ્રવીણ ! મારે તેની સાથેની સગાઈ તોડી નાખવી છે. એને પગમાં કોઢ નીકળ્યો છે. એ કોઢ આખા શરીર પર ફેલાય તો ? એ તો સારું થયું કે મારા મામાએ મને આ માહિતી આપી. નહિ તો મને ખબર જ ક્યાંથી પડત ? એ છોકરીએ મને કોઢની વાત જ ના કરી. કેવી જૂઠ્ઠી અને સ્વાર્થી છે !’

અમે બધા મિત્રો એન્જિનિયરીંગ કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા હતા. થોડા સમયમાં B.E.ની ડિગ્રી મળ્યા પછી, અમે અમારા ધંધા-નોકરી અને સંસારમાં ગોઠવાઈ જવાના હતા. મેં મહેન્દ્રને પૂછ્યું :
‘પણ દોસ્ત ! પેલી છોકરી તને સપનામાં શું વિનંતી કરે છે એ તો તેં કહ્યું જ નહિ !’
મહેન્દ્ર કહે, ‘હા એ કહું. મને એ છોકરી માટે ઘણો પ્રેમ છે, લાગણી છે. એને પણ મારા માટે ઘણું માન છે. એક એન્જિનિયર છોકરો જીવનસાથી તરીકે મળે એ વાતનું તેને ઘણું ગૌરવ છે. સગાઈ તોડવાની વાત તેના કાન સુધી પહોંચી છે. એટલે એ મને સપનમાં વિનવતી દેખાય છે કે ‘મેં શું ગુનો કર્યો છે, તે તમે સગાઈ તોડવા અધીરા બન્યા છો ?’ પણ હું તેને કોઢની વાત કહેતાં અચકાઉં છું. તે જ્યારે મળે ત્યારે તેણે બૂટ-મોજા પહેરેલા હોય છે, એટલે મને તેના પગ પરનો કોઢ દેખાતો નથી. કદાચ, એ જાણી જોઈને જ, કોઢને સંતાડવા હંમેશાં બૂટ-મોજા પહેરી રાખતી હશે.’
મહેન્દ્રની વાત સાંભળીને મેં કહ્યું : ‘તું કોઈકના મારફતે તપાસ કરાવી જો.’
‘મામાની વાત અને કાયમ પહેરેલા બૂટ – શું આટલા પૂરાવા પૂરતા નથી ?’ મહેન્દ્ર ન માન્યો. આખરે જે થવાનું હતું તે થઈને જ રહ્યું. તેણે સગાઈ ફોક કરી. તેને એવી પણ ખબર પડી કે કોઈક કારણસર છોકરી પણ સગાઈ તોડવા ઈચ્છતી હતી. એકાદ વર્ષમાં તો મહેન્દ્ર કોઈ અન્ય છોકરી સાથે પરણીને પોતાના સંસારમાં ગોઠવાઈ ગયો. અમારે પણ હવે મળવાનું થતું નહિ.
વધુ આગળ વાંચો »