Dec 13
2009
ગઝલ – મનોજ પંચોલી
ઠેસ વાગી ભીતરે ક્યાંથી વળે કળ,
બંધ આંખે કેટલું છલકાય છે જળ.
ખૂબ આગળ મોકલી પાછાં ફર્યા એ,
શોધવાનો છે રસ્તો મારે જ આગળ.
એકલા ચાલી જવાનું છે નસીબે,
કોણ આવી આપવાનું છે મને બળ.
તું નથી ત્યાં માત્ર ભણકારા મળે છે,
જીવવાનું એ જ સથવારે પળે પળ.
આંસુઓને આવવું ગમતું નથી પણ,
કોણ આવીને કહે છે જા હજી મળ.

સાહિત્યકાર : 



